Tuesday, November 8, 2016

શા માટે અક્ષય મુકુલ જર્નાલીસ્ટે નરેન્દ્ર મોદીના હાથે એવોર્ડ લેવાની ના પાડી.


  "  આપ કી તારીફ નહી ચાહીએ સર"! અક્ષય મુકુલ.

  ' મારા ડ્રોઇગરૂમની દીવાલપર મારી ફોટો ફ્રેમમાં મારી સાથે વડાપ્રધાન મોદીનો ફોટો હોઇ શકે તેની હું કલ્પના કરી શકતો નથી.' અક્ષય મુકુલ સીનીયર જર્નાલીસ્ટ ડાઇમ્સ ઓફ ઇંડીયા. ( જેણે મોદીના હાથે ધી રામનાથ ગોયેન્કા એવોર્ડ લેવાનો બાયકોટ કર્યો.)"I Cannot Live With The Idea Of Modi And Me In The Same Frame": Akshaya Mukul Boycotts The Ramnath Goenka Awards. ૨ઘ 2nd November 2016.

અક્ષય મુકુલને 'ગીતા પ્રેસ એન્ડ મેકીંગ ઓફ હીંદુ ઇંડીયા' નામની ચોપડી લખવા મટે સદર એવોર્ડ મળેલો હતો. તે છેલ્લા વીસ કરતાં વધારે વર્ષોથી પત્રકારત્વના ક્ષેત્રે કામ કરી રહ્યા છે.તેઓની આ ચોપડીનું સારત્વ એ છે કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકારણ 'હીંદુત્વ'નો આધાર સ્તંભ છે. આ ચોપડીની ખુબજ ઉત્સાહપુર્વકની દેશના બૌધ્ધીક જગતમાં સમાલોચના થઇ  છે. પુસ્તકને ટાટા લીટચરેચર એવોર્ડ, બુક ઓફ ધી યર એવોર્ડ,અને અંગ્રેજીમાં પ્રકાશીત બેસ્ટ બેંગલોર લીટરેચર ફેસ્ટીવલ બુક પ્રાઇઝ મળેલ છે. મુકુલભાઇને માટે રામનાથ ગોયેન્કા એવોર્ડનું ખાસ સ્પેશીયલ આકર્ષણ ન હતું. તે  એવોર્ડ જીતવાનો આનંદ હતો પણ તેઓનો પ્રશ્ન હતો ' તે એવોર્ડ વડાપ્રધાનને હાથે લેવાનો હતો. ' હું અને મોદી ફોટાની એક ફ્રેમમાં જીવી શકીએ તેમ હતા જ નહી. હું તેઓની સામે હસતે હસતે એવોર્ડ લઇ શકું તેવી કેમેરા સામેની સ્થીતી જ મને સ્વીકાર્ય નહતી.'

પોતાનો એવોર્ડ મોદીના હાથે અસ્વીકાર કરવાના અભીગમને વ્યાજબી ઠેરવવા માટે  પોતાની હાજરીમાં દીલ્હીની પતીયાલા કોર્ટમાં ફેબ્રુઆરી માસમાં જ્યાં વકીલોએ કાળા કોટના લેબાસમાં ભારતીય જનતા પાર્ટીના ઓ .પી. શર્માની નેતાગીરી નીચે પત્રકારો અને વીધ્યાર્થીઓ પર સખત હુમલો કર્યો હતો, તે યાદ કર્યું. આવો બનાવ પહેલાં ક્યારેય ન થયો હોય તેવો વીરોધ મીડીયા જગતે કરેલો. તમે કલ્પના કરી શકો છો ખરા કે જર્નાલીસ્ટસ બીજેપી ને ટેકો આપે અને અમારો વીરોધ કરે?

ધી રામનાથ ગોયન્કા એવોર્ડ સમીતીના વ્યવસ્થાપકોએ એવોર્ડ વીતરણ સમારંભમાં મોદીને બોલાવવાના નીર્ણયને ઇન્ડીયન એકપ્રેસ દૈનીકના કેટલાક સીનીયર એડીટર્સને પણ વ્યાજબી નહી લાગેલો. મને એક જર્નાલીસ્ટે  જણાવ્યું હતું કે જે મોદી આદેશની પ્રજાનું ધર્મના આધારે ધ્રુવીકરણ કરીને ભાગલા પાડે છે તેના હાથે કેવી રીતે એવોર્ડ વીતરણ થઇ શકે? ટુંકમાં આ નીર્ણય પેપરની તંત્રી બોર્ડ ને બદલે ગોયન્કા એવોર્ડ વ્યવસ્થાપક સમીતી એ કરેલો હતો. સદર સમીતીએ મોદીની તરફેણમાં નીર્ણય લેવા માટે ભુતકાળમાં મનમોહનસીંગ ભુતપુર્વ વડાપ્રધાનથી માંડીને કેટલા બધા રાજકારણીઓને  એવોર્ડ વીતરણ માટે બોલાવ્યા હતા તેનું લાંબુ લીસ્ટ વહીવટ કરતા વૈદેહી ઠાકરે મને મોકલી આપ્યું. તેણીને મેં જણાવ્યું કે મોદી સતત મીડીયા અને અખબારી સ્વાતંત્ર વીરૂધ્ધની નીતી જ પોતાના પક્ષે અમલમાં મુકતા આવ્યા છે. મીડીયાને  હલકુ પાડવાની એક પણ તક ચુકતા નથી. મારી દલીલનો જવાબ આપવાને બદલે તેણીએ ટુંકમાં ફરી કહ્યું કે અમારૂ પેપર મોદી કે સરકારથી બીલકુલ મુક્ત રહીને જ અગાઉની માફક ચાલશે. મોદીના હાથે એવોર્ડ વીતરણથી પેપરની નીતીમાં કઇ ફેર પડશે નહી.

મારૂ ગોયેન્કા એવોર્ડ સમીતીના આયોજકોને કહેવું હતું કે  મોદીના ભારત અને મનમોહનસીંગના ભારત વચ્ચે આસમાન–જમીનનો તફાવત છે. કારણ કે બીજેપી એક પક્ષ તરીકે જે મોદી અને અમીત શાહ દ્રારા સંચાલીત છે તે ફક્ત પોતાની સરકારની તરફેણના સમાચારો પ્રકાશીત કરવા જ ઉદાર છે. દા;ત ૨૦૧૬ના ઓગસ્ટમાસમાં ઇન્ડીયન એક્ષપ્રેસના બે સીનીયર જર્નાલીસ્ટોએ એક સમાચાર મુક્યા હતા કે " બીજેપી પાર્ટીની બંધબારણેની મીટીંગમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે  દલીતો અને બીજી પછાતકોમો પણ રાષ્ટ્રવાદી છે તેથી આપણે, પક્ષ તરીકે તે બધાની સાથે ઘનીષ્ઠ રાજકીય સંબંધ કેળવવો જોઇએ." આ સમાચાર સામે બીજેપીની ખુબજ તીખી પ્રક્રીયા હતી. બીજેપીના ઓફીસ સેક્રેટરી મહેશ પાંડે બે પાનાની પ્રેસ રીલીઝ કરીકે ઇન્ડીયન એક્ષપ્રેસના જર્નાલીસ્ટસની આ સ્ટોરી બનાવટી છે. આ ન્યુઝપેપરનું બેજવાબદાર વલણ છે.ઇન્ડીયન એક્ષપ્રેસ, કોંગ્રેસએન્ડ કેજરીવાલ કુંપનીના મુર્ખાઇ ભરેલા વલણોના ગુનાહીત હાથો બનેલ છે.

વધુમાં શ્રીપાંડેએ આશા સાથે જણાવ્યું હતું કે " સદર ન્યુઝપેપર કાલ્પનીક કથનો પર વાર્તા બનાવવાને બદલે સર્જનાત્મક જર્નાલીઝમનું કર્તવ્ય બજાવશે. સરકાર સામે કાવતરાં કરીને બદનામ કરવાનું અધમ કે પાપી (નીફેરીયસ) કામ કરવાનું બંધ કરે; નકારાત્મક વીરોધ કરવાનું કામ બંધ કરે." આવી પ્રેસ રીલીઝ  ઇન્ડીયન એક્ષપ્રેસ ' જાહેર માફી માંગે' (પબ્લીક એપોલોજી) તેવી શ્રી પાંડેએ દેશના જુદાજુદા ન્યુઝ પ્રસારીત કરતી સંસ્થાઓને મોકલી આપી હતી. ઉપરની પ્રેસ રીલીઝનો ગર્ભીત કે છુપો સંદેશો(સબટેક્ષ્ટ) સ્પષ્ટ હતો; " દેશના વડાપ્રધાનને ગમેતેવું પ્રકાશન તે સારા જર્નાલીઝમનું લક્ષણ છે." સત્તાપક્ષને કોઇપણ આધારભુત રીપોર્ટીંગ પ્રત્યે ધીક્કાર, કે ધૃણા ( ડીસડેઇન ફોર સોર્સબેઝ્ડ રીપોર્ટીંગ) છે. આ સંદેશો પેલી ન્યુઝ સંદેશાં પ્રકાશીત કરતી સંસ્થાઓ માટે છે જે  મોદીને થોડીક ન ગમતી કે ચીઢ ચઢાવતી ( ટુ બી એન ઇન્ટ્રીગલ પાર્ટ ઓફ મોડીંઝ પેટ પીવ) વૃતીનો અંર્તગત ભાગ છે.

ન્યુ દીલ્હીમાં વડાપ્રધાનની દ્રષ્ટીએ "એક વૈચારીક કુડો–કચરો ભેગો થયેલો વીસ્તાર ( આઇડીઓલોજીકલ ડમ્પ યાર્ડ) છે. જે દીલ્હીના હ્રદય સમાન વીસ્તારમાં આવેલો છે. જેને તેઓ 'લ્યુટેન દીલ્હી' તરીકે ઓળખાવે છે. જ્યાં મોદી વીરોધી ( એન્ટી મોદી) બુમરાણ કરવાળા અંગ્રેજી મીડીયાવાળી પ્રેસ આવેલી છે. ( ભાવાનુવાદકની નોંધ– લ્યુટેન દીલ્હી વીસ્તાર ન્યુ દીલ્હીમાં આવેલો છે. એડવીન લ્યુટેન(1869-1944) નામના બ્રીટીશ આર્કીટેક્ચરેએ સને ૧૯૨૦ થી ૧૯૩૦ આ વીસ્તારની આર્કીટેક્ચરલ ડીઝાઇન, પ્લાનનીંગ કરી અને તેમાં બીલ્ડીંગો બાંધ્યા હતા. આ વીસ્તારમાં મોદી સાહેબનું ૮, લોક કલ્યાણ ભવન, ભુતપુર્વ વડાપ્રધાન મનમોહન સીંગ અને રાષ્ટ્રપતી પ્રણવ મુકરજીનું નીવાસ સ્થાન પણ આવેલ છે.તેનો સમગ્ર વીસ્તાર ૨૬ કીલોમીટર્સ છે જેમાં આશરે ૨૫૫ એકરમાં ખાનગી માલીકીની મીલકતો છે Lutyens Bungalow Zone (LBZ. તરીકે ઓળખાય છે.) આ ટોળાએ મોદીના ગુજરાતી પુરોગામીઓ મોરારજીભાઇ દેસાઇ અને સરદાર પટેલ જેવાઓની પણ ટીકા કરી હતી.

મોદી અને ઇન્ડીયન એક્ષપ્રેસ વચ્ચે મુળભુત તફાવત હોય તો તે 'મુક્ત–વકતવ્ય કે 'ફ્રી –સ્પીચ'ના મુદ્દે છે. ઇન્ડીયન એક્ષપ્રેસનો વારસો બીલકુલ કોઇની પણ શેહશરમ રાખ્યા સીવાય ( દેશના સત્તાપક્ષની તો ખાસ) નીર્ભય સત્યો  રજુ કરવાનો છે. પોતાના સમગ્ર પત્રકારત્વના વારસામાં આ પેપરે મે ૨૦૧૪માં દીલ્હીમાં મોદીસરકારના સત્તાગ્રહણ પછીના બે વર્ષોમાં ઉત્તરપ્રદેશ અને બીહારમાં જે કોમી તનાવની સ્થીતીમાં સતત વધારો થતો ગયો છે તે બધુ સતત પ્રકાશીત કરીને પેલા જુના વારસાના મુડીમાં વધારો કર્યો છે. આ ઉપરાંત તેના ઇનવેસ્ટીગેટીંગ જર્નાલીઝમના ભાગ તરીકે 'પનામા પેપર્સ, એક લાખ કરોડનું બેંકોના જે બાકીદારો હતા તેનું દેવું જે સને ૨૦૧૩થી ૨૦૧૫માં પેદા થયેલું તે માફ કર્યું. આ ઉપરાંત ૧૮મી સપ્ટેમ્બરનો ઉરી હુમલો, સર્જીકલસ્ટ્રાઇક વગેરે મુદ્દે સરકારી લાઇનની સામે તાર્કીક અને વાસ્તીક મુલ્યાંકનોએ સરકારી પક્ષની ઉંઘ હરામ કરી છે.

આવા ઇન્ડીયન એક્ષપ્રેસ સામે એક રાજકારણી જેનો મુક્ત પ્રેસ– મીડીયા સામેની ઘૃણા, અવજ્ઞા કે તીરસ્કાર એ સર્વસ્વીકૃત હકીકત બની ગઇ છે. તે મીડીયા વગેરેને બઝારૂ, બીકાઉ, વેચાઇ ગયેલો ગણે છે. મોદીએ વારંવાર દેશના મીડીયાને પોતાના નીયંત્રણ હેઠળ લાવવા સાચા અને ખોટા સાધનો( થ્રુ મીન્સ ફેર એન્ડ ફાઉલ)દ્રારા પ્રયત્ન કરેલ છે. આ મુદ્દે તેઓનું મુખ્ય પણ ખુબજ પસંદ અને અસરકારક સાધન હોય તો તે છે અપ્રાપ્યતા અને અગમ્યતા (ઇનૅડસેબીલીટી). સૌ પ્રથમ તો વડાપ્રધાન અખબારી જગત અને મીડીયાના લોકો પાસેથી પ્રશ્નો લેતાજ નથી. કદાચ તે પ્રશ્નો લેવાનું નક્કી કરે તો પસંદ કરેલા પત્રકારો ( હેંડ–પીક્ડ જર્નાલીસ્ટ) પાસેથી અને તે પણ પોતે માન્ય કરેલા પ્રશ્નો માંથી જ પુછવાના !  એક વરીષ્ઠ બીજેપીના ટેલીવીઝન રીપોર્ટરે મને કહ્યું કે " માહીતીનો પ્રવાહ એક તરફી ઉપરથી નીચે વહે છે( વનવે– ટોપ– ડાઉન).  ઉત્તરપ્રદેશના વડાપ્રધાનના ચુંટણી પ્રચારની વીગતો જેવી જગજાહેર સામાન્ય બાબત પણ બીજેપી પાર્ટી કે આર આર એસ તરફથી જ જાહેર થાય છે. કશું જ વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવતું નથી.

સમગ્ર દેશમાં બીજેપી સંચાલીત રાજ્યો સહીત મીડીયાના વાસ્તવીક સમાચારો પ્રસાર કરવાના અધીકાર ઉપર સતત હુમલા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષોમાં સરકારી આંકડાઓ અને સીધ્ધીઓ પર મુલ્યાંકન કરનાર ખબરપત્રીઓ તથા પેપરોને રાષ્ટ્રદ્રોહીનું લેબલ લગાડવામાં આવે છે.મોદીના વડાપ્રધાનપદ ગ્રહણ કર્યા પછી દેશમાં કોઇપણ પ્રકારના વીરોધ સામે અસહીષ્ણુ સંસ્કૃતીના ચીન્હો વધી ગયા છે. 'હુત' ( Hoot)નામની દેશમાં સ્વતંત્ર મીડીયાની તરફેણમાં કામ કરનારી સંસ્થાએ પોતાની વેબસાઇટ પર મે ૨૦૧૬માં રીપોર્ટ કર્યો હતો કે ' આ વર્ષના જાન્યુઆરીથી એપ્રીલમાસ સુધીમાં ઇન્ડીયન પ્રેસના સભ્યો પર ૨૨ વાર હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓ સૌથી વધારે છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને તામીલનાડુમાં થયા છે. બીજેપીને કેટલો બધો નગ્ન, ખુલ્લો ધીક્કાર, તીસ્કાર કે ઘૃણા પ્રેસ અને મીડીયા સામે છે તે તમે તેમના વહીવટના છત્તીસગઢમાં જોઇ શકો છો. સદર રાજ્યતંત્રની રહેમ નજર નીચે પોલીસ તંત્ર દ્રારા બૌધ્ધીકો,માનવ અધીકારવાળા કર્મનીષ્ઠો અને જર્નાલીસ્ટોની રાષ્ટ્ર–વીરોધી જાહેર કરીને તેમની નનામી બાળી હતી.

આપણો દેશ 'વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષ' ના તારણો પ્રમાણે નીચેથી શરૂ કરીએ તો ૧૮૦ દેશોમાંથી ૧૩૩ના નંબરે આવે છે. દેશનો નંબર સેન્ટ્રલ આફ્રીકા અને કોંગોથી પણ પાછળ છે. ' વર્લ્ડ વીધાઉટ બોર્ડર્સ' નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી બીનધંધાકીય નોન પ્રોફીટ સંસ્થાએ ઉપરના તારણો કાઢેલ છે. આ રીપોર્ટ સામે રાષ્ટ્રપ્રેમીઓ એવું કહે છે કે પાકીસ્તાન કરતાં અખબારી આઝાદીની સ્થીતી ભારતમાં ઘણી સારી છે. પણ પેલા વેશ્વીક રીપોર્ટે જણાવ્યું છે કે " દેશમાં જર્નાલીસ્ટસ અને બ્લોગર્સ ઉપર જુદા જુદા ધાર્મીક જુથો દ્રારા સતત હુમલા કરવામાં આવે છે. તે બધાને બોલતા બંધ કરી દેવામાં આવે છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતે ઉદાસીનતા કે દુર્લક્ષ સેવે છે. તેઓના તરફથી જર્નાલીસ્ટોની સુરક્ષા માટે કોઇ તાંત્રીક વ્યવસ્થા રચવામાં આવેલી નથી."

આ બધામાં દુ;ખદ અને આઘાતજનક હકીકત છે ' લઘુમતી કોમના પત્રકારોને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવતા હુમલા'. સંઘપરીવાર દ્રારા સતત પેદા કરવામાં આવતા કોમીતનાવના વાતાવરણને કારણે લઘુમતીકોમના પત્રકારો માટે સલામતી સાથે પોતાનું વ્યવસાઇ કામ કરવું લગભલ અશક્ય થઇ ગયું છે. દા;ત જોસી જોસેફ, જે  નેશનલ સીક્યોરીટી એડીટર ઓફ હીંદુ છે તેઓ એ 'ડીજીટલ ન્યુઝપ્લેટફોર્મ સ્ક્રોરોલ' ને જણાવ્યું કે " જ્યારે હું મનમોહન સીંઘની સરકાર સામે માહીતીઓ તૈયાર કરી પેપરમાં મોકલતો હતો ત્યારે મારાપર કોઇ આક્ષેપ મુકતું ન હતું કે હું બીજેપી, વીરોધપક્ષ, સામ્યવાદી પક્ષનો માણસ છું. કે પછી ખ્રીસ્તી છું. આજે જ્યારે સરકાર સામે સમાચાર તૈયાર કરી મોકલું છું ત્યારે મારા પર આક્ષેપો કરવામાં આવે છે કે 'હું ખ્રીસ્તી છું, ઇટાલીના વેટીકન ચર્ચે મોકલેલો સોનીયા ગાંધીનો એજંટ છું.' જોસેફ સાથે ' ' હીંદુ દૈનીક'માં કામ કરતા બીજા પત્રકાર મોહમ્દ અલીએ તેને જણાવ્યું હતું કે યુપીએ સરકારના ગાળામાં રીપોર્ટીંગના સમયે કોઇએ મારી ધાર્મીક કે અન્ય ઓળખ વીષે ક્યારે પુછયું ન હતું કે ટીકા પણ કરી ન હતી. અત્યારે તો સમય ખુબજ ખરાબ આવી ગયો છે. જ્યારે જ્યારે મારી સ્ટોરી ન્યુઝ બીજેપી કે  તેના ટેકાવાળાની વીરૂધ્ધ પ્રકાશીત થાય છે ત્યારે તરતજ તે બધા મારી મુસ્લીમ ઓળખને આધારે મારા લખાણો અંગે અભીપ્રાય આપે છે.

ભાઇ અલી દાદરીના મોહમંદ અખલખ ઉપર એક ચોપડી લખે છે. તે માટે તે ગામમાં જેઓ હુમલામા ભાગીદાર હતા કે સાક્ષી હતા તે બધાનો ઇન્ટરવ્યુ લેતા હતા. વાતો વાતોમાં સમય જતાં અલીને લાગ્યું કે તેણે આ બધીનો વીશ્વાસ મેળવી લીધો છે. તેથી તેની ઓળખ માટે એક ઉંમરલાયક સ્રીએ પ્રશ્ન પુછયો. તેણે જવાબમાં મુસલમાન જણાવ્યું. તરતજ પેલી સ્રીએ સુન્ન્ત કરાયેલ મુસ્લીમો માટે જે અપમાનજનક શબ્દ હીંદીમાં વાપરવામાં આવે છે તે શબ્દ વાપર્યો. અલીએ પોતાનો ઇન્ટરવ્યુ તરતજ બંધ કરી અને બહાનું કાઢી ઝડપથી દાદરી ગામ છોડી દીધું.

ઉપરની સ્ટોરીને પણ જર્નાલીસ્ટોને પેપરમાં નૈતીક રીતે હીંમતથી રજુ કરતાં વીચાર કરવો પડે છે. અક્ષય મુકુલ જેવા પત્રકારના વીચારોને ખુલ્લો ટેકો આપતાં અમારૂ જગત ગભરાય છે. પોતાની નોકરી ગુમાવવાનો ભય તેમના મનમાં છે. જે લોકો અક્ષય મુકુલના વડાપ્રધાનના હસ્તક એવોર્ડ નહી લેવાના પગલાનો વીરોધ કરે છે તેબધાની દલીલ છે કે આ તો જબ્બરજસ્ત લોકોચુકાદાથી ચુંટાયેલ વડાપ્રધાન છે તેઓની ખફામરજી એટલે તેમના વર્તમાન શાસન સામે નારાજગી વ્યક્ત કરવી જે સારી નહી ! આતો મોદીની દેશના મીડીયા જગતના મોઢે કેવી રીતે ડુચો મારી દેવો તેની આયોજનપુર્વકની નીતી છે. જેના દેશના બહુમતી લોકો ભોગ બની જઇને મોદી ભક્ત બની ગયા છે. આ બધા દરમ્યાન અક્ષય મુકુલને ઇન્ડીયન એક્ષપ્રેસના એવોર્ડ આયોજકો અને તેના વડીલો ( હીઝ પીયર્સ) તરફથી સખત માનસીક  દબાણ એવોર્ડ લેવા માટે  ઉભું કરવામાં આવ્યું હતું. તે એવોર્ડ સેરીમની  મુકુલની ગેરહાજરીમાં પુરી થઇ તેની તેને હાશ થઇ.અને છેલ્લ્ તે બોલ્યો "મારા નીર્ણયના પરીણામોથી હું બીલકુલ ગભરાતો નથી." મુળ લેખક સંદીપ ભુશન ( જે છેલ્લા વીસ વર્ષોથી ટેલીવીઝન જર્નાલીસ્ટ હતા હાલમાં સ્વતંત્ર મીડીયા રીસર્ચર છે.) ભાવાનુવાદક ( બીપીન શ્રોફ.) બાજુવાળો ફોટો અક્ષય મુકુલનો છે.

--