Saturday, December 30, 2017

ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

 ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

હે! અમારા વહાલા ગુજરાતના મતદાર ભાઇઓ અને બહેનો,

કદાચ એ હકીકત હશે છે કે તમારા ડાબાહાથના અંગુઠાની બાજુની આંગળી ઉપરની મત આપેલાની નીશાની- શાહી હજુ  ભુંસાઇ નથી. ત્યાં સુધીમાં તો તમે જોઇ શકો છો આપણા મતથી બહુમતીથી જીતેલા ગુજરાતના બીજેપી પક્ષના ટોચના નેતાઓએ શું કરવા માંડયું છે ?  તેમનાથી ગુજરાતની પ્રજાનો છેલ્લા ૨૦–૨૨ વર્ષોમાં સર્વાંગી વીકાસ થઇ ગયો હતો. પણ આ બધા પસંદ પામેલા લોકનેતાઓ(?) અને તે બધાનો પોતાનો અને તેમની સાત પેઢીનો સર્વાંગી વીકાસ બાકી રહી ગયો હતો.  હાલનો તેઓનો અસંતોષનો ઉકળતો ચરૂ થોડાજ વખતમાં કરાર– સોદાઓ અને વહેંચણીના ફળોની ફોર્મીલા તૈયાર થઇ જતાં શાંત પડી જશો. આપણી મતદાર તરીકેની જરૂર તો પેલા જાદુગર અને તેની ટીમને હવે પાંચવર્ષ પછી સને ૨૦૨૨ માં જ પડવાની છે ને!.  હા કદાચ પેલા જાદુગરને સને ૨૦૧૯માં પણ પડે. રખે ભુલતા જાદુગરની વાંસળીના પ્રભાવને તક આવે ત્યારે જવાબ આપવાનું!


--



Sent with Mailtrack