Sunday, January 3, 2021

મનુસ્મૃતી આધારીત બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના પરીણામો–




મનુસ્મૃતી આધારીત  બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના પરીણામો

 

આ અગાઉના લેખમાં આપણે જોયું કે કઇ રીતે મનુસ્મૃતીના કાયદાઓએ ચાર વર્ણો આધારીત  હીંદુ સમાજ વ્યવસ્થા બનાવી હતી. આ વર્ણવ્યવસ્થાને ટકાવી રાખવામાં ભગવદ ગીતા દ્રારા રચવામાં આવેલી વીચારસરણીનો  ફાળો નાનો સુનો ન હતો.

 કેવી રીતે?

(૧) શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને પોતાનું મોઢું ખોલીને  વીરાટ સ્વરૂપ બતાવીને કહ્યું કે હૈ, અર્જુન! તું તો નીમીત માત્ર છું.  તારા અને તારા જેવા પૃથ્વી પરના તમામ મનુષ્યોના કાર્યો મેં નક્કી કરેલા છે. તે બધા પુર્વ નીર્ણીત છે. માનવીય પ્રયત્નોથી  માનવ વ્યવસ્થા બદલાવી શકાય નહી. માટે  જે વર્ણ કે જ્ઞાતી ને જાતી (સ્રી કે પુરૂષ) માં તમારો જન્મ થયો હોય તે વર્ણમાં નક્કી કરેલા કાર્યો  કરવા પડે કે ફરજ બજાવવી પડે . તેની વીરૂધ્ધ બળવો કે વીદ્રોહ ન થાય.

 (૨) ' કર્મેણે વાધીકારસ્તે મા ફલેષુ કદાચન. વર્ણ પ્રમાણે કામ કરવામાં ફળ કે વેતન (Reward)ની આશા ન રાખવી. 'નીષ્કામ કર્મ' કરવું. સાથે સાથે  તે કામ ' સ્થીતપ્રજ્ઞ'ની શારીરીક સ્થીતીમાં કરવું. એટલે કે  વર્ણ આધારીત કામ કરતાં શારીરીક દુ;ખ પડે, ત્રાસ પડે, ઇજા થાય , તો પણ માનસીક  રીતે તે દુ;ખને નજરઅંદાજ કરવાનું છે. કારણકે  હીંદુધર્મમાં દરેક હીંદુનો જન્મ તેના પુર્વજન્મમાં કરેલા કર્મોનું પરીણામ છે.

(૩)  મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થાને  જબ્બરજસ્ત નૈતીક અને ધાર્મીક આધાર મલી ગયો. ભગવદ ગીતાએ પુર્વજન્મ, વર્તમાન જન્મ, પુનર્જન્મ અને માનવ શરીરમાં આત્માના અસ્તીત્વનો ખ્યાલ મુકીને  વર્તુળ આકારની સમયનીથીયેરી (  Circular time theory) મુકી દીધી.

 સમય જતાં ચાર વર્ણ આધારીત સમાજ કેવો બન્યો તે જોઇએ. આ સમાજ બીલકુલ પરોપજીવી સમાજ બની ગયો. ખાસ કરીને રાજા તથા બ્રાહ્મણ વર્ણનો, અન્યવર્ણોની મહેનત,ઉત્પાદન અને બચત કેવા કેવા જુદા નુસકા કાઢીને  ભેગી કરી લેવી  તે જ મુખ્ય ધંધો બની ગયો. અન્યવર્ણોની પ્રજાને આ વ્યવસ્થામાં પોતાનું કોઇ આશાસ્પદ ભાવી ન દેખાતાં તે બધા નસીબવાદી બની ગયા. બૌધ્ધ ધર્મના આગમન પહેલાં હીંદુ સમાજ ચાર સામાજીક  બદીઓ કે દુષણોનો ભોગ બની ગયો હતો.. ઇતીહાસમાં આ પ્રજાને આર્યપ્રજા તરીકે ઓળખવામાં આવે છે. 

ચાર બદીઓજુગાર, મદીરા સેવનનીરકુંશ જાતીય વ્યવહારો, અને બ્રાહ્મણોના અનૈતીક માર્ગા તથા સાધનો દ્રારા અન્યવર્ગોનું શોષણ.

 

(અ) જુગાર

  આર્યોની અંદર જુગારની બદી  વ્યાપક પ્રમાણમાં ફેલાઇ ગઇ હતી. કારણકે જે કોઇ આવક  ખાસ કરીને રાજા તેમજ બ્રાહ્મણ વર્ગોમાં આવતી હતી તે અન્યવર્ણોની મહેનતનું પરીણામ હતું. તે વગર મહેનતની ને બીજાના શ્રમનું પરીણામ હોવાથી તેનો ઉપયોગ  આ રીતે કરવાનો ધંધો બની ગયો હતો.

 દરેક રાજા પાસે  જુગાર રમનાર ( an expert gambler)  નીષ્ણાત પગારથી રાખવામાં આવતો હતો. વીરાટ નામના રાજાએ કનક નામના જુગારમાં  નીષ્ણાતને પગારથી રોક્યો હતો. કૌરવોને પાંડવો સામે જુગારમાં હરાવનાર દુર્યોધનનો મામો શકુની હતો. તે જુગાર નીષ્ણાત હતો. આ રાજાઓ મોટા મોટા દાવ જુગારમાં ખેલતા હતા. નાલા કરીને એક રાજાએ જુગારમાં પોતાનું સંપુર્ણ રાજપાટ (પત્ની સીવાય) ગુમાવી દીધું હતું . મહાભારતમાં પાંડવોના જ્યેષ્ઠ પુત્ર યુધીષ્ઠીરે  રાજપાટ ,પોતાના ભાઇઓ અને પત્ની દ્રોપદીને પણ જુગારના દાવમાં મુકી દીધી હતી. જે જગ જાહેર છે. શું આ પાંડવોના પુર્વજન્મના કર્મોનું પરીણામ હતું કે પછી વગર મહેનતે ભેગી કરેલી સંપત્તીનું પરીણામ હતું? જુગાર રમવો એ તો આર્યોનો એક સદ્ગુણ ગણાતો હતો. કૌટીલ્યના સમયમાં જુગાર  એક રાજાની સંમતીથી ચાલતો ધંધો હતૌ. અને રાજાને તે ધંધા ઉપર નાખેલા કરવેરામાંથી મોટા પ્રમાણમાં આવક મલતી હતી.

(બ) મદીરા સેવન

આર્યોમાં દારૂનું સેવન અનીયંત્રીત અને નીરકુંશ હતું. તે સમાજમાં બે પ્રકારના દારુ બનાવવામાં આવતા હતા. એક સોમ રસ જે ફળફળાદીમાંથી બનતો અને  સુરા જે ગોળમાંથી બનતો હતો. ચલો! મનુ સ્મુતી આધારીત સમાજવ્યવસ્થામાં  સોમ અને સુરા બનાવવાની કલા તો કમસે કમ વીકસી હતી! શરૂઆતની અંદર સોમરસ પીવાનો કે માણવાનો અધિકાર બ્રાહ્મણ સીવાય કોઇ અન્ય વર્ગને  ન હતો. પછી આ આધ્યાત્મીક પીણું (!) માણવાની છુટ રાજા, ક્ષત્રીયો તથા વૈશ્યોને પણ મલી હતી. શુદ્રો સુધી તેની સુંગધ પણ ન જાય તેવી વ્યવસ્થા આ સમાજમાં હતી. બીજુ સોમરસ બનાવવાની કળા કે તેના વીષય નીષ્ણાત ફક્ત બ્રાહ્મણ વર્ણ હતો. (. Its manufacture was a secret known only to the Brahmins.) જ્યારે સુરા તમામ વર્ણો માટે સહેલાઇથી ઉપલ્બધ હતી. ઘણા એવો પ્રસંગો નોંધવામાં આવેલા છે  જેમાં દારૂ ,દારૂ પીનારને જ પી જતો હતો. આ સદ્ગુણ (?) માં ઉચ્ચવર્ણ પ્રથમ નંબરે હતો.

 આર્ય સમાજમાં સ્રીઓ પણ સોમ– સુરાની બંધાણીઓ હતી.( The most shameful part of it was that even the Aryan women were addicted to drink.) સાથે નાચ ગાન પણ ચાલતુ હતું.

(ક) બહુપત્નીત્વ,બહુપતીત્વ અને ભાઇબહેન, પીતાપુત્રી સાથે બેરોકટોક જાતીય વ્યવહારો.

જાતીય અનૈતીક્તાના તે સમયના આર્ય સમાજના વ્યવહારો તેમના વર્તમાન વારસદારોને ભયંકર આઘાત આપે તેવા હતા. જેના અંગે જેટલું ઓછું લખુ તે જ યોગ્ય કહેવાશે. (The sexual immorality of the Aryan Society must shock their present day descendants. The Aryans of pre-Buddhist days had no such rule of prohibited degrees as we have today to govern their sexual or matrimonial relationship.) કુંવારી માતા બનવું તે કોઇ સામાજીક રીતે અનૈતીક હીનપતભર્યુ કામ ગણાતું નહતું. કુંતી પુત્ર કર્ણ તેનો મોટો દાખલો છે. રામાયણનું મુખ્ય સ્રી પાત્ર સીતાજીના માતા કોણ છે તેનો ઉલ્લ્ખ નથી. પણ જમીન ખેડતા ચાસમાંથી મળ્યાની દંત કથા છે. (Ayoni means conceived out of the house i.e. in the open. That there was nothing deemed to be wrong in this is clear from the fact that both Sita and Draupadi were Ayonija.)

 

(ડ) ગૌરવહીન પુરોહીતપણુમનુ સ્મૃતી આધારીત બ્રાહ્મણ વર્ણના વર્ચસ્વનો દુરોપયોગ.

 પુરોહીતપણુ–

 સામાન્યરીતે બ્રાહ્મણ વર્ણનું સમાજના મીત્ર, માર્ગદર્શક ને બૌધ્ધીક વીચારક તરીકે  સમાજમાં સ્થાન હતું. શું બ્રાહ્મણ વર્ગે સમાજની તે અપેક્ષા પ્રમાણે પોતાનો ઐતીહાસીક ફાળો આપ્યો હતો ખરો કમનસીબે બધા જ પુરાવા આ અંગે તેમની વીરૂધ્ધ જાય છે. ખરેખર નૈતીક અધપતનની કોઇ સીમા હોય તો તેનાથી પણ આ વર્ગ ઘણો નીચે ઉતરી ગયો હતો.

 જે કાર્યો અન્ય વર્ણો માટે પ્રતીબંધ હતા તે બધા જ કાર્યોમાં તે વર્ણે ભાગ લેવાનો શરૂ કર્યો. આ  ઉપરાંત બ્રાહ્મણ વર્ણે પોતાની આજીવકા માટે લોકોના અજ્ઞાન, ભીરૂતા, અસલામતી વી. મજબુરીઓનો ઉપયોગ  મોટા પાયે કરવા માંડયો. જ્યોતીષ, હસ્તરેખા, શુભઅશુભ દિવસો અને ચોઘડીયા શોધી કાઢવા, અવકાશી પદાર્થોની કુદરતી ગતીઓનો ઉપયોગસુર્ય,ચંદ્ર ગ્રહણો, નક્ષત્રો, ભુત પ્રેત, મુર્હુત, વરસાદ વધારે કે ઓછો, ધરતીકંપ, વાદળોનો ગડગડાટ, આ બધામાં પોતે સર્વગુણ સંપન્ન હોય તે રીતે સમાજના દરેક વર્ગનું સંચાલનું કરતો હતો. તે વર્ણની આજીવકાનો આધાર મોટેભાગે  દાનદક્ષીણા બની ગયો.પોતાના હિતો માટે જરૂર પડે તેને અનુકુળ પ્રસંગો પણ પેદા કરી શકતો. કુદરતી પ્રસંગો કે બનાવોનું પોતાના નીજી હીતોમાં ઉપયોગ કરવા, અથવા અર્થઘટન કરવામાં આ વર્ગે કાબેલીયાત પ્રાપ્ત કરી લીધી હતી.

આપણા દેશને ભૌતીકવાદી નહી પણ આધ્યાત્મીકવાદી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ તે સમાજ બીલકુલ સાચા અર્થમાં આધ્યાત્મીકવાદી તો ઠીક પણ પુરેપુરો ભોગવાદી  બની ગયો હતો. તેને કારણે  સાતમી સદી પછી શરૂ થયેલા પરદેશી આક્રમણનો ભોગ જ બનતો આવ્યો હતો. દેશના પછાતપણા માટે ખરેખર અગ્રવર્ગની ભોગવાદી જીવન પધ્ધતી જવાબદાર હતી.

ભૌતીકવાદનો ખરો અર્થ એટલો છે કે  કુદરતી પરીબળો જે બધા ભૌતીક પદાર્થો છે તેના સંચાલનના નીયમો સમજી અને માનવીના તમામ જૈવીક અસ્તીત્વના પ્રશ્નો ઉકેલવા. માનવીનો જન્મ કોઇ બ્રહ્મા જેવા કોઇ કપોળ કલ્પનીક  દેવની ઇચ્છાનું પરીણામ નથી. માટે  જે વર્ણવ્યવસ્થા આધારીત સમાજ, ધાર્મીકતા અને નૈતીક  વ્યવહારો પેદા કરવામાં આવ્યા છે તેમાંથી મુક્તીમાં જ દેશના નાગરીકોનું વ્યક્તિગત અને સામુહીક કલ્યાણ રહેલું છે.

૨૧મી સદીના શરૂ થયેલા ત્રીજા દસકાના પ્રથમ વર્ષનો આ પડકાર છે. હીંદુરાષ્ટ્રના ટેકેદારો અને તેમના ઉન્માદ ભર્યા કૃત્યોથી સાવધાન રહેવામાં દેશની પ્રજાનું હીત છે  તે કોણ કોને સમજાવશે!

 

(સૌ. Revolution and Counter-Revolution in Ancient India by B. Ambedkar. Total Pages 227.

 

 





--