Friday, January 8, 2021

કોવીડ–૧૯ ના વાયરસથી સંરક્ષણ મેળવવા કઇ વેક્સીન સારી ? કેમ?

કોવીડ– ૧૯ ના વાયરસથી સંરક્ષણ મેળવવા કઇ વેક્સીન સારી ? કેમ?

કોવીડ–૧૯ વાયરસના સંક્રમણથી બચવા હવે આપણી પાસે એક દેશ તરીકે જુદી જુદી ત્રણ કુંપનીની વેક્સીન  મલશે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા દેશમાં ત્રણ કુંપનોઓ આ વાયરસ સામે પ્રતીકાર રસી તૈયાર કરી રહી છે.(૧) સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇંડીયા–પુના  મહારાષ્ટ્ર ( સી આઇ આઇ) (૨)  ભારત બાયોટેક –હૈદ્રાબાદ , તેલંગાણા (૩) ઝાયડસ –કેડીલા અમદાવાદ, ગુજરાત.  ત્રણેય કુંપનીઓના વેક્સીનના બજારમાં મુકવાના નામો અનુક્રમે આ પ્રમાણે છે.. સીરમ પુના– કોવી શીલ્ડ, બાયોમેડીટેક–  કોવાક્ષીન– અને ઝાયડસ–કેડીલા  ઝાયકો–વી.

કોવીડ–૧૯ ના વાયરસ સામે વેક્સીન બનાવવા આ ત્રણે ય કુંપનીઓએ પોતાના વૈજ્ઞાનીક સંશોધનના માર્ગો તદ્દન જુદા અને એક બીજાથી સંપુર્ણ સ્વતંત્ર બનાવ્યા છે. તેવીજ રીતે વીશ્વભરમાં આજે આ ખતરાનાક વાયરસ સામે વેક્સીન બનાવનાર ઉત્પાદકો આશરે ૧૦૦ની આસાપાસ છે. તેમાં કામ કરતા દરેક વૈજ્ઞાનીકો પોતાની રીતે તેની વેક્સીન બનાવવા રાતદિવસ કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનીક સત્યની મઝા એ છે કે જેમાં ધર્મની માફક કોઇ આખરી, કાયમી  અને અપરીવર્તનશીલ સત્ય હોતું નથી. નવી માહિતી, નવો અનુભવ, નવી ટેકનોલોજી, સંશોધન અને તે બધાનું માનવીય વીવેકશક્તીથી સંકલન કરીને, વૈજ્ઞાનીક પધ્ધતીથી  સત્ય શોધવાની ક્ષીતીજો હંમેશાં વધારતા જાય છે. ચીન, રશીયા, ભારત, જર્મની, અમેરીકા જેવા દેશો તેમાં ઘણા આગળ છે.

(૧) સીરમ ની વેક્સીન અંગે– આ રસીનું નામ છે ' કોવીશીલ્ડ'.  આ રસીને બ્રીટનમાં  ઓક્ષફર્ડ યુની  Prof. Andril Hill તથા  Jenner Institute of Vaccine research ના સંયુક્ત પ્રયત્નોથી શોધી કાઢવામાં આવ્યું છે. આ રસીની વિશીષ્ટતા છે કે  તે ચીપ્માનઝી ના ડીએનએ અને  કોવીડ–૧૯ ના વાયરસ ને બદલે તેની ઉપલી સપાટીના પ્રોટીનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. બ્રીટનની 'Astro Zenaca ' નામની ફાર્મા કુંપનીના સંયુક્ત સહકારથી સીરમ કુંપનીએ વેપારી ધોરણે રસી બનાવવાનું સાહસ કર્યું છે.

સીરમ કુંપનીને અમેરીકાના બીલગેટસ મેલિન્ડા ફાઉન્ડેશને ૧૫૦ મીલીયન અમેરીકન ડોલરર્સનું દાન આપ્યું છે. આ દાનનો હેતુ, સીરમે ભારત અને બીજા વીશ્વના ગરીબ ૭૮ દેશોમાં ફક્ત ત્રણ ડોલરના ભાવથી આ વેકસીન વેચવી. ભારત સરકાર ને સીરમે ફક્ત ૨૦૦/ રૂપીયે વેક્સીનનો એક ડોઝ આપવાનો કરાર કર્યો છે.

તા,૭મી જાન્યુઆરી એટલે ગઇકાલથી સીરમે આવતા ચાર દીવસોમાં દેશના ચાર મુખ્ય એરોડ્રામ  મુંબઇ, કોલકત્તા, ચૈન્નઇ ને  ઉત્તરમાં કરનાલ  શહેરમાં કુલ બે કરોડ વેકસીનના ડોઝ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ ચાર એરોડ્રામ દ્રારા પોતાની નજીકના ૩૭ વીમાની મથકો પર આ વેક્સીન મોકલી આપવામાં આવશે. સીરમ પાસે બીજા ત્રણ કરોડ વેકસીનના ડોઝ તૈયાર છે. આ વેક્સીન આપણા ઘરના ફ્રીજના હવામાન આશરે બે થી આઠ સેન્ટ્રીગ્રેડ પર સહેલાઇથી પોતાની તમામ ક્ષમતા ટકાવી રાખી શકે છે.જ્યારે અમેરીકાની ફાયઝર કુંપનીએ જે રસી બનાવી છે તેને માયનસ ૭૦ ડીગ્રીએ  રાખવી અનીવાર્ય છે.

(૨) ભારત બાયોટેક–  કોવીક્ષીન– આ કુંપનીને પણ ભારત સરકારે ઇમરજીન્સીમાં વેચવાની પરવાનગી આપી છે. તેણે  પોતાની વેક્સીન કોરાના વાયરસના  ડેડ સેલમાંથી  બનાવી છે. તે પધ્ધતીથી એનટી બોડીઝ અથવા રોગપ્રતીકાર પરીબળો  પેદા કરે છે. પત્રકાર શેખર ગુપ્તાના અભીપ્રાય પ્રમાણે આ રસીના ઉત્પાદનની પ્ર્ક્રીયા સરળ, ટકાઉ અને  સમજી શકાય તેવી છે.

(૩) ઝાયડસ–કેડીલા– ઝાયકો– વી. સદર કુંપનીએ કોવીડ–૧૯ના વાયરસના ડીએન એ નો ઉપયોગ  એન્ટીબોડીઝ ઉત્તપન્ન કરવા કરેલ છે.  માનવ શરીરમાં એન્ટીબોડીઝ પેદા કરવા માટે પેલા વાયરસના ડીએનએ  આ રસી આર એન એ માં રૂપાંતર કરીને  કોવીડ–૧૯ના વાયરસનો નાશ કરે છે.

 હવે આપણે નાગરીક તરીકે આ રસી અંગે જાણવા જેવી કેટલીક માહીતીઓ ટુંકમાં રજુ કરુ છું.

આ રસીના બે ડોઝ લેવા અનીવાર્ય છે. બે ડોઝ વચ્ચેનો ગાળો આશરે અઢીમાસથી ત્રણ માસનો હોય તો સારુ. કારણકે પ્રથમ ડોઝ લીધા પછી આપણા શરીરમાં કોવીડ–૧૯ સામે ધીમે ધીમે રોગપ્રતીકાર શક્તી અથવા એન્ટી બોડીઝ પેદા થવાનું શરૂ થાય છે. હવે આ એન્ટીબોડીઝ એક વાર બનાવવાનું શરૂ કર્યા પછી તે પ્રકીયામાં ખલેલ પહોંચાડવાની જરૂર નથી. પ્રથમ ડોઝ લીધા પછી કોરાના વાયરસ સામે આશરે ૬૦ ટકા સંરક્ષણ મલે છે. જ્યારે અઢીકે ત્રણ માસ પછી બુસ્ટઅપ ડોઝ લેવાથી આશરે ૯૦ ટકા ઉપરાંત નું સંરક્ષણ મલે છે. બીજુ પ્રથમ ડોઝ લીધા પછી અને બીજો ડોઝ ન લીધો હોય ત્યાં સુધી માસ્ક પહેરવો અને સોસીઅલ ડીસ્ટન્સીસ પણ ચાલુ રાખવું જોઇએ.

આપણા દેશના કેરાલા રાજ્યના વેલોર શહેરના શ્રીમતી ડૉ  ગંગદીપ  કેંગ જે આ વીષયમાં ( વેક્સીન વૈજ્ઞાનીક) આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે તેમના મત પ્રમાણે  વેક્સીન લીધા પછી આડ અસર કે સાઇડ ઇફેક્ટ બહુ ગંભીર હોતી નથી. સામાન્ય હોય છે. તેને કારણે માનસીક ભય કે બીક રાખીને રસી ન લેવા જેટલું જોખમ ઉઠાવવાની બીલકુલ જરૂર નથી.  ડૉ. કેંગ વધુ માં જણાવે છે કે  રસીની અસર કોરોનાને કાબુ માં રાખવા પ્રથમ ડોઝમાં ૬૦ ટકા હોય તે ખુબજ આવકાર્ય છે. તે ચીંતાનો વીષય ન હોવો જોઇએ. વેક્સીન વૈજ્ઞાનીક તરીકે મારો અભ્યાસ એમ કહે છે કે વેક્સીનના ક્ષેત્રે મેલેરીયાની રસીની અસકારતા  ૩૦ ટકા, પોલીયોની રસીની અસરકારતા ૬૦ ટકાથી ઓછી હોવા છતાં આપણા દેશમાંથી પોલીયોને સંપુર્ણ નાબુદ કરી શક્યા છે.

બીજુ, કેટલાક ની દલીલ એવી છે કે તમે બે જ ટ્રાયલ પછી રસી આપવાની કેમ જાહેરાત કરી? ભલે થોડો સમય વધુ લંબાતો!  ડૉ. કેગનું એ નીરીક્ષણ છે કે  એમ એમ આરની રસીને ચાર વર્ષ,  ઇબોલાની રસીને પાંચ વર્ષ, ચીકન ગુનીયાની રસીને ૨૮ વર્ષના સંશોધન તેમજ ટ્રાયલ પછી ઉપયોગ શરૂ કર્યો હતો. પણ આ બધી રસી સને ૧૯૬૭ ની આસપાસ શરૂ થઇ હતી. હાલ અમારુ વીજ્ઞાન અને સંશોધન ઘણી બધી રીતે  આગળ નીકળી ગયા  છે. તેથી આજનો છ માસ કે ૧૦ માસનો સમય પણ હવે પછી વધારે લાગશે.

સદર લેખ તૈયાર કરવામાં મને મીત્રોએ યુ ટયુબ અને ન્યુઝ પેપર દ્રારા માહીતીઓ પુરી પાડી છે. તે બધાનો હું  આભાર માનું છું. 

 

 

 

 

 

 

 

 

 


--