Tuesday, May 19, 2020

અઝાન યસ બટ વીધાઉટ લાઉડસ્પીકર્સ.– અલ્હાબાદહાઇકોર્ટ.

અઝાન યસ બટ વીધાઉટ લાઉડસ્પીકર્સ.– અલ્હાબાદ હાઇકોર્ટ.

  અઝાન ઇસ્લામ ધર્મનો આંતરીક અને અનીવાર્ય ભાગ હશે તે શક્ય છે.તેના વીના ઇસ્લામ ધર્મ પુર્ણ ન ગણાય તે પણ સાચુ હશે.! પરંતુ તેનો અર્થ એ નથી કે તેના માટે લાઉડસ્પીકર્સનો ઉપયોગ પણ ઇસ્લામનો આંતરીક અને અનીવાર્ય ભાગ છે. તમારે અઝાન પુકારવી હોય તો મસ્જીદના મીનારા પર ચઢીને એક માણસ પોતાના મોઢેથી અઝાન પુકારે તેમાં કોર્ટને વાંધો નથી.

 વધુમાં કોર્ટે જણાવ્યું છે કે આપણા બંધારણના મુળભુત અધીકારોની કલમ ૨૫ મુજબ દેશના દરેક નાગરીકને તેને જે ધર્મ પાળવો હોય અને અમારી માફક કોઇપણ ધર્મ ન પાળવો હોય તેની સ્વતંત્રતા છે.  જાહેર કાયદો અને વ્યવસ્થા, જાહેર નૈતીકતા, આરોગ્ય અને તેના જેવા અન્ય નીયંત્રણો સાથે દેશનો દરેક નાગરીક પોતાની માન્યતા પ્રમાણે ધર્મ પાળવા, ન પાળવા અને તે આસ્થા પ્રમાણે પ્રચાર કરવાનો મુળભુત અધીકાર કલમ ૨૫ મુજબ છે.

મઝાની વાત અને અગત્યની હકીકત એ છે કે અલ્હાબાદ હાઇકોર્ટ પાસે પીટીશ્રનરે જે દાદ માંગી હતી તેમાં એટલું જ લખ્યું હતું કે ' ઉત્તરપ્રદેશના ગાઝીપુર શહેરમાં આવેલી જુદી જુદી મસ્જીદોના મીનારેથી ફક્ત એક માણસને મોઢેથી બોલીને અઝાન પુકારવા દે! કોર્ટે તે વાત તરતજ ઉપર મુજબના નીરીક્ષણ સાથે એટલે કે અઝાન ઇસ્લામ ધર્મનો અંતર્ગત ભાગ હશે તે માટે લાઉડસ્પીકર્સનો ઉપયોગ ઇસ્લામ ધર્મનો અંતર્ગત ભાગ ક્યારેય હોઇ શકે નહી સ્વીકારી લીધી હતી. આ ચુકાદો દરેક ધર્મોના અનુયાઇઓ પર લાગુ પડશે. તમે પ્રાર્થના, આરતી, વી. જાહેરમાં પણ માઇકના ઉપયોગ વીના ચોક્કસ કરી શકશો.

Islam", the Allahabad High Court Friday said its recitation "through loudspeakers or other sound amplifying devices cannot be said to be an integral part of the religion, warranting protection of the fundamental right enshrined under Article 25 of the Constitution of India, which is even otherwise subject to public order, morality or health and to other provisions" of Part III of the Constitution." આ સંદર્ભમાં જેને વધુ રસ હોય તે નીચે મુજબની લીંકપર જઇને વાંચી શકે છે. ( સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ તા. ૧૬ મે ૨૦૨૦.)

 


--