Tuesday, March 16, 2021

mIlord, માનનીય ન્યાયાધીશ સાહેબો,


મી લોર્ડ, સાવધાન!

દેશની સર્વોચ્ચ અદાલતના તાજેતરના વલણથી  આજના ટાઇમ્સ ઓફ ઇંડીયાએ પોતાના તંત્રી લેખમાં ગંભીર ચીંતા વ્યક્ત કરી છે. તેમજ ચેતવણી આપતાં નમ્રપણે જણાવ્યું છે કે  ' માનનીય ન્યાયાધીશ સાહેબો ,(  Caution, Milords) તમે દેશના બીનસાંપ્રદાયીક પોત સાથે  આગની માફક ખેલી રહ્યા છો!.

(૧) સને ૧૯૯૧માં દેશની સંસદે કાયદો (  The places of Worship ( Special Provisions Act ) પસાર કરેલો છે કે હવે પછી  ફક્ત ' રામમંદિર બાબરી મસ્જીદ અયોધ્યા વિવાદ' સિવાય  દેશના તમામ ધાર્મીક સ્થળોની સ્થિતી સને ૧૯૪૭ને ૧૫ મી ઓગસ્ટે જે સ્થળ –સ્થિતી હશે તે પ્રમાણે તેનું ધાર્મીક લક્ષણ ( રીલીજીયસ કેરેક્ટર) ચાલુ રહેશે. તે અંગે દેશની કોઇ અદાલતમાં કોઇ વિવાદ ચાલશે નહી.  

(૨) મિ. લોર્ડ, આપની સદર કોર્ટેની બેન્ચે, સને ૨૦૧૯માં ' રામમંદિર– બાબરી મસ્જીદ વિવાદ અંગે ઐતીહાસીક ચુકાદો આપતાં લખેલું છે  કે ' સને ૧૯૯૧ના સંસદના કાયદાના ગુણગાના ગાતા પોતાની જાત સહિત, દેશની તમામ સરકારો અને દરેક નાગરીકને જણાવ્યું છે કે સદર કાયદો દરેકને બંધન કર્તા રહેશે! (  The Act  won high praise from the SC Bench that awarded  the disputed land to Hindus, noting that  it " addresses itself  to the state as much as to the every citizen" and that it norms " binds those who govern the affairs of the nation at every level.")

(૩) આ મુદ્દે કાયદાની ભાષામાં જે ને ' સેટલ્ડ લો' કહેવાય તેવી કાયદાકીય સ્થિતી છે. તેમ છતાં દેશની સર્વોચ્ચ અદાલતે સને ૧૯૯૧ના કાયદાનું જેને ઉપર જણાવેલ ચુકાદામાં પોતે વખાણેલો ( પ્રેઇઝ કરેલું) તે સંદર્ભમાં જાહેર હિતની અરજી (પી આઇ એલ) પોતાની સમક્ષ આવતાં નવેસરથી તપાસ કરવાનું નક્કી કર્યું છે. જે વિવાદમાં કોઇ બંધારણીય મુલ્યાંકનનો અથવા ન્યાયપાત્ર ઇન્સાફી તપાસ (  No  constitutional or justifiable issues at stake)નું કાયદાકીય અસ્તીત્વ જ  ન હોય તેવી અરજીને પ્રથમદર્શીય હકીકત જોતાં ખુબજ ગુસ્સે થઇને  દંડ સાથે કાઢી નાંખવાને બદલે તે કાયદાની હવે કાયદેસરતાનું મુલ્યાંકન કરવાનું નક્કી કર્યુ છે.

(૪) કેમ? કારણકે  દેશના કેટલાક હિંદુઉગ્રવાદી ધાર્મીક પરીબળોને ' હવે કાશી– મથુરાના મંદિર– મસ્જીદ વિવાદ' ને હવે ઇધન પુરુપાડવું છે. સને ૧૯૯૧ના કાયદામાં  દેશના સ્વતંત્ર દિવસ ૧૫મી ઓગસ્ટની જે ભાગલા પાડતી તારીખ( કટ ઓફ ડેટ) નક્કી કરી છે તે આ જાહેર હિતની અરજી કરનારને મનસ્વી, અતાર્કીક  અને પશ્ચાતવર્તી ( Arbitrary, irrational,& retrospective) લાગે છે. સદીઓ પહેલાં જે જંગલી ધર્મઝનુની પરદેશી આક્રમણખોરોએ  હીંદુઓના આસ્થા અને પુજાના સ્થળોનો કબજો જમાવી લીધો છે તેને  ચલવી લેવાય નહી! અમારે પ્રાચીન ઐતીહાસીક સત્યને હવે કાયમ માટે બદલી નાંખવું છે.

(૫)  ખરેખર તો પ્રથમદર્શીય હકીકત જોતાં સદર જાહેર હિતની અરજીને તે મનસ્વી, ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાથી તરતજ રદબાતલ કરવાની જરૂરત હતી. કારણકે  આપણો દેશ સને ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ખરેખર એક આધુનીક ધર્મનીરપેક્ષ કે બીનસાંપ્રદાયીક રાષ્ટ્ર બનવા અસ્તીત્વમાં આવેલો છે. એ હકીકત છે કે ભારતના પ્રાચીન અને મધ્યયુગી ઇતીહાસમાં ખુબજ જંગલી અને ધાર્મીક પવીત્રતાનું ખંડન કરતી પ્રવૃત્તીઓ પરદેશી આક્રમણખોરોએ કરેલી હતી. સમયની વેદી પર બલી બનેલા ભુતકાલીન સત્યોને આધુનીક પ્રજાસત્તાક દ્રારા પશ્ચાતવર્તી કેટલીય સદીઓ પછી તે કાર્યોને ન્યાયીક મુલ્યાંકન ન થઇ શકે ! આધુનીક ભારત સને ૧૧૯૨ના કાર્યોનું બંધારણીય મુલ્યાંકન કરી શકે નહી. તે અસંભવીત અને અશક્ય છે. ભારતનું પ્રજાસત્તાક દેશના નાગરીકોનું ભવીષ્ય (ભાવી) ઘડવા માટે અસ્તીત્વ આવેલું છે. ભુતકાળની ભુલો શોધવાની કસરતમાં રચ્યાપચ્યા રહેવાથી કોઇ દેશ પોતાને મજબુત રાષ્ટ્ર બનાવી શક્યો નથી. ખરેખરતો મરેલા ભુતકાળનું આધુનીક જ્ઞાનવિજ્ઞાનના સાધનોથી ચીરફાડ ( ડીસેક્શન) કરીને આપણી ભુતકાળની નબળાઇઓના વૈજ્ઞાનીક સત્યો લાગણીવહીન ( રેશનલ) બનીને, મુલ્યાંકન કરવાની જરૂર છે. મૃતપાય થઇ ગયેલા ભુતકાળને પંપાળ્યા કરવાથી કે રાખી મુકી, ગુણગાન ગાવાથી વર્તમાન ભારત કોઇ પ્રશ્નો ઉકેલાવાને બદલે ગુંચવાશે. દંભી રાષ્ટ્રપ્રેમના ગુમાનમાંથી મુક્ત બનવાની જરૂર છે.

(૬) છેલ્લા ૨૫૦૦ વર્ષ કરતાં વધારે સમયથી દેશના નાગરીકોને ધાર્મીક આધ્યાત્મીક અફીણના સેવનથી શું ફાયદા થયા છે તેની કોને ખબર નથી. નાગરીકોને હવે મૃત્યુ પછીના જીવનને બદલે જીવતે જીવ આ જન્મમાં જ ભૌતીક વીકાસ જોઇએ છીએ. અલા! રાજ્ય કર્તાઓ તમે અમને પાયોના માનવીય વિકાસની સગવડો તો પુરી પાડો!

(૭) સને ૧૯૪૭ના દિવસે ભારતના તમામ નાગરીકો એક બની ગયા છે. તેમની વચ્ચે તમારા રાજ્યકર્તોથી કેવી રીતે તફાવત પાડીને વહેરો વાંતરો કે ભાગલા પાડીને  નફરતનું વાતવરણ પેદા કરાય! મારા સાહેબો ! સને ૧૯૯૧માં સંસદે પસાર કરેલા કાયદાનું આ હાર્દ છે.  ' મી, લોર્ડ, આ જાહેર હિતની અરજી આપ સૌ એ કેવી રીતે મુલ્યાંકન માટે લીધી. ગોરીસરકારની હકુમતમાંથી મુક્તબનીને  આપણે સૌ એ નાગરીકો તરીકે એક થઇને સંસ્થાનવાદે પેદા કરેલા ભુતકાળમાંથી બહાર નીકળીને બંધારણે આમેજ કરેલી બંધારણીય નૈતીકતા અને બંધારણીય રાષ્ટ્રવાદ(Constitutional Morality & Constitutional Nationalism) ના પાયાપર જ આધુનીક ભારત બનાવવાનું છે. ધાર્મીક નૈતીક્તા અને ધાર્મીક ઉગ્રરાષ્ટ્રવાદના ઉન્માદ પર નહી.

(૮) આખરી મી લોર્ડ, તમે ૧૯૯૧ના સેટલ્ડ થઇ ગયેલા કાયદાને રદબાતલ કરીને એક એવી ' પંડોરા બોક્ષ' ન ખોલશો જેમાંથી દેશ ફરી પાછો ધાર્મીક અરજાકતામાં ગરકાઇ જાય., ડુબી જાય!  

ભુતપુર્વ અમેરીકન રાષ્ટ્રપ્રમુખ જોન એફ કેનેડીનું સદાબહાર વાક્ય છે.– " Let us not seek to fix the blame for  the past, Let us accept our own responsibility for the future."

( સૌ. ટા.ઇ. ઓફ ઇં ૧૫–૦૩–૨૧નો તંત્રી લેખનો ભાવાનુવાદ)

--