Wednesday, January 5, 2022

પ્રાર્થના– મીસીસ ટેલર અને વિધ્યાર્થીઓ વચ્ચે સંવાદ– ભાગ–૨

પ્રાર્થનામીસીસ ટેલર અને વિધ્યાર્થીઓ વચ્ચે સંવાદભાગ

મીસીસ ટેલરGood Morning Everybody.

  રીકતમે હ્યુમેનીસ્ટ આઇડીયોલોજી કે માનવવાદી વિચારસરણી ધરાવો છો. આ માનવવાદી વિચારસરણી શું છે? માનવવાદ અને માનવતા વચ્ચે શું તફાવત છે?

ટેલરતમામ માનવવાદી વિચારસરણી ધરાવનારા નિરઇશ્વરવાદી હોય છે. જ્યારે કુદરતી આફાત જેવીકે ધરતીકંપ, પાણીનું પુર, રોગચાળો ફાટી નીકળવો, ગરીબાઇ, ભુખમરો વિ. જેવા કામોમાં કોઇપણ જાતના માનવીય તફાવતો જોયા વિના નિ:સહાય ને સહાય કરનારા માનવતાવાદીઓ હોય છે. તે બધા ગોડ બિલીવર્સ હોય છે. પેલા મારા જેવા માનવવાદીઓ કુદરતી આફતમાં માનવતાવાદીઓ સાથે ખભેખભા મિલાવી સંપુર્ણ સહકાર આપતા હોય છે. તફાવત એટલો હોય છે કે કુદરતી આફતોને માનવતાવાદીઓ ઇશ્વર ઇચ્છાનું કે ગોડના ગુસ્સાનું પરિણામ ગણે છે. કુદરતી પરિબળોને  ભજવાના, પુજવાના, કાકલુદી કરવાના એકમો ગણે છે. તમને માહિતી છે  ખરી કે કયા દેશના વડાપ્રધાને રીવરમાં પ્રે કરતો, કપડાં સાથે બાથ લઇને, ફ્લાવર્સ નાખીને  રીવર વોટરને પોલ્યુટ કરી હતી ?  મેં ઐતીહાસીક રીસર્સ કર્યુ તો લગભગ પંદરમી સદીથી જુદા જુદા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા શરૂ થઇ છે. તે ૨૧મી સદી સુધી વિશ્વના લોકશાહી દેશોમાં આ એક જ વડાપ્રધાન તે પણ સૌથી મોટા લોકશાહી દેશનો જે જાતે પોતે રીવરને પોલ્યુટ કરતો વીડયો આખા વિશ્વમાં શેર પણ કરે છે.

સ્ટીવ, રીક, જેફરસન, સીરી, જુલી અને લગભગ બધા જ એકી સાથે બોલી ઉઠયાવેરી વેરી બેડ, અનપાર્ડનેબલ ઇન અવર નેશન. HOW CAN THE  THE NATION'S FIRST PERSON CAN DO SUCH AN ACT?

 ટેલરજ્યારે માનવવાદીઓ કુદરતી પરિબળોની પાછળના નિયમો સમજીને માનવ હાની અને અન્ય નુકશાન ન થાય માટે તેવા ફેરફારો પોતાની જીવન પધ્ધતીમાં લાવે છે.

સીરીઆપણા કેલીફોર્નીયા સ્ટેટમાં ધરતીકંપના આંચકા ઓછા રીચર્ડ સ્કેલના દરરોજ નિયમીત આવે છે. તેથી અહીયાં ન્યુયોર્ક કે શીકાગોની માફક હાઇરાઇઝ બીલ્ડીંગ નથી.આપાણા રાજ્યકર્તાઓએ કુદરતને ભજવાને બદલે તેના નિયમો શોધીનેવિગ્નાન ટેકનોલોજીની મદદ લઇને NO HIGH RISE BUILDING IN OUR STATE નો નિર્ણય કરીને તેના નાગરીકોનું જીવન સલામત બનાવ્યું છે.

રીક અને સ્ટીવ સાથે બોલે છે મધર અર્થના પર્યાવરણને બચાવવા માટે સ્વીડન અને ઇંડીયાની બંને ટીનએજર્સ સ્ટુડન્સ અનુક્રમે ગ્રેટા થુનબર્ગ અને દિશા રવિ સરસ કામ કરે છે.

 ટેલરમાનવવાદીઓ કુદરતી પરિબળોની પાછળના નિયમો સમજીને માનવ હાની અને અન્ય નુકશાન ન થાય માટે તેવા ફેરફારો પોતાની જીવન પધ્ધતીમાં લાવીને પર્યાવરણને બચાવવા માટે વૈશ્વીક પ્રજામત તૈયાર કરે છે. અમે ગ્નાન, વિગ્નાન અને ટેકનોલોજીની મદદથી એવું શોધી કાઢયું છે કે આપણા દેશમાં અર્થ ક્વેક, થંડર સ્ટો્મ, ટોરનીડો, હેવી સ્નો ફોલ વિ. કુદરતી આફતો નિયમીત છે. તે બધાને રોકી શકાય તેમ નથી. આ બધાથી બચવા આપણા નાગરીકોએ ગોડને પ્રે કરવાનો બદલે  તે આફતોની અસરોમાંથી કેવી રીતે નુકશાન ઓછું થાય, જાન હાની ઓછી થાય તેવા તર્કબધ્ધ અને ગ્નાન આધારીત ઉપાયો શોધી કાઢયા છે. We  as the people & the nation never ever bow down against natural or human calamities.

જેફરસનમેડમ ટેલર! આ ચર્ચા પરથી એવું તારણ કાઢી શકીએ ખરા કે  જે પ્રજા અને વિશ્વના દેશો કુદરતી પરીબળોને પુજનારા કે ભજનારા છે તે બધા પ્રમાણમાં માનવ વિકાસની દોડમાં આપણા કરતાં ઘણા પાછળ રહી ગયા છે.

 જુલી–  ટેલર! તમે અમને માનવવાદીઓનો ગોડ અંગેનો ખ્યાલ (Concept)  સમજાવો.

 ટેલરમાનવ જાત જેટલો લગભગ ગોડનો ખ્યાલ જુનો છે. પણ તેની શોધ કરનાર પણ માનવી જ  છે. કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી બચવા, પોતાના તૈયાર થયેલા પાક ને બચાવવા, સારો શિકાર સહેલાઇથી મલી જાય,  વિ. માટે કોઇ તેના કરતાં વધુ શક્તીશાળી શક્તી તે કુદરત. તેને ભજો, પુજો, અર્ચના કરો.

 જેફરસનઆવા કયા કયા કુદરતી પરિબળો છે? જે માનવીના નિયંત્રણ બહાર છે?

ટેલરથંડરસ્ટો્મ હરિકેન, ટોર્નીડો, ધરતીકંપ, દુકાળ, રોગચાળો ફાટી નીકળવો, માંદગી વિ. આ બધા વિનાશકારી પરિબળોની અસરોમાંથી મુક્ત થવા આપણા પુર્વજોએ કાલ્પનીક ગોડનો ખ્યાલને વિકસાવ્યો કે જન્મ આપ્યો છે. આપણા દેશમાં  નેશનલ ફુટબોલ લીગની ' સુપરબોલ' મેચમાં પ્રતીવર્ષે બંને આખરી ફાયનલમાં આવેલી ટીમના જે તે રાજ્યોના નાગરીકો ગોડને પ્રે કરે છે કે તેમની ટીમને વિજેતા બનાવેજે. ગોડ હોય તો તે બે માં થી કયા રાજ્યના નાગરીકોની પ્રે સાંભળીને નિર્ણય કરશે? નિર્ણય કરવામાં કયા કયા પરિબળો ધ્યાનમાં લેશે?

સ્ટીવભલે જુદી જુદી માનવ સંસ્કૃતીઓમાં એક કરતા વધારે ગોડને પીપલ પ્રે કે બીલીવ કરતા હોય પણ મારા મત મુજબ ગોડ એક જ છે. પણ તે આકાશમાં રહે છે.

ટેલરસ્ટીવ! તારો આ ગોડ આકાશમાં રહીને કઇ કઇ પ્રવૃતીઓા કરે છે?

 સ્ટીવપૃથ્વી પરના આપણા જેવા લોકો જે પાપો કરે છે તે બધા તે તેના ચોપડામાં લખે છે. ગોડે એવી સીસ્ટીમનું સર્જન કર્યું છે કોઇ પણ પૃથ્વી પર જન્મેલો માનવી પાપ કર્યા વિના રહે જ નહી. જો તમે અહીયાં રહીને ખુબ પાપો કર્યા હોય તો ગોડના પૃથ્વી પરના તેના એજંટ 'પ્રીસ્ટ' દ્રારા માફ ન કરાવો તો તમે મૃત્યુ પછી ક્યારેય 'હેવન' સ્વર્ગમાં જઇ શકો નહી.

 સીરીમારા મત મુજબ પૃથ્વી પરના માનવીના પાપો સાથે આ બધા ગોડ કે એજંલ્સ ને કોઇ સંબંધ નથી. પૃથ્વી પર માનવીના જન્મ પહેલાં હેવનમાં ચુંટણી થયેલી હતી. ગોડ કે એજંલ્સમાંથી બહુમતીથી જે જીત્યા તે સ્વર્ગમાં રાજ કરે છે. અને પૃથ્વી પરના ખાસ 'ચોઝન CHOSEN' પીપલને  તે સ્વર્ગમાં લઇ જાય છે. પૃથ્વી પર આ બધાએ કરેલા પાપોને તે ધ્યાનમાં લીધા વિના સ્વર્ગમાં વિશિષટ સ્થાન આપે છે. ઘણીવાર તે બધાને લેવા સામેથી આ દેવદુતો લેવા આવે છે.

જેફરસનશમારા ચર્ચના મીનીસ્ટર એમ કહે છે કે  લોર્ડ જીસસે આપણા પાપને ધોવા માટે પોતાની જાતનું બલીદાન આપેલું છે. હવે આપણે અહીંયા પાપ કરીશું તો પણ સ્વર્ગમાં જઇશું.

જુલીતમે માનવવાદી જીસસ અને તેના સંદેશાને સમજો છો ખરા?

............................................................................................................

 

 


--