Sunday, October 29, 2017

ઇશ્ક કા કોઇ મજહબ નહી .

ઇશ્ક કા કોઇ મજહબ નહી .

("પ્રેમ કોઇ સીમાઓના બંધનોને ઓળખતો નથી. તે તેની સામેના અવરોધોને ઠેકી જાય છે, સમાજે ઉભી કરેલી વાડોને કુદકો મારીને કુદી જાય છે,અને તે બધી દીવાલોનું ઉલ્લઘન કરીને જે આશાનું અંતીમ સ્ટેશન છે ત્યાં યેનકેન પ્રકારે પહોંચી જાય છે." અમેરીકન કવીયત્રી માયા એન્જેલા. (The bench begins the judgment by quoting the great American poet, Maya Angelou:"Love recognises no barriers, it jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.")

 તાજેતરમાં કેરાલા હાઇકોર્ટની ડીવીઝન બેંચે એક ઐતીહાસીક ચુકાદો આપ્યો છે. તે ચુકાદામાં કોર્ટે આંતરધર્મીય લગ્નો સામે ઝુબેશ ચલાવનારાઓને ચેતવણી આપી છે. ' પ્રેમ એ સ્વતંત્રતા સાથે કદી છુટો ન પડે તેવો ગુંથાઇ ગયેલો એક અનીવાર્ય ભાગ છે'. આજ હાઇકોર્ટે મે ૨૦૧૭માં ૨૪વર્ષની હીંદુ સ્રીને પુખ્તવયની હોવા છતાં, તેની ઇચ્છા વિરૂધ્ધ, તેના મા– બાપની એવી અરજીને દાદ આપી હતી કે તેણીને બળજબરીથી મુસ્લીમ ધર્મ અંગીકાર કરાવીને પરણાવી દેવામાં આવી છે. તેણી 'લવજેહાદ' કાવતરાનો ભોગ બની છે. મા– બાપની દાદને કોર્ટે એ રીતે સ્વીકારી હતી કે તેઓનું  ફરજંદ ગમે તે ઉંમરનું હોય તો પણ મા– બાપને પોતાના ફરજંદની સ્વતંત્ર નીર્ણય કરવાના અધીકારની સામે જૈવીક મા–બાપને પોતાના વારસ માટે સારુ શું કે ખોટું શું તે નક્કી કરવાનો અધીકાર છે. કોર્ટે આ દલીલને સ્વીકારી  ૨૪વર્ષની સ્રીનો કબજો તેના પતી પાસેથી મા–બાપને સોંપ્યો હતો.આંતરધર્મીય લગ્નો એટલે બળજબરીપુર્વક ધર્માંતર કરીને કરેલાં લગ્નો એવી જે ' ઘરવાપસી અને લવ જેહાદ'ની સમાજમાં જે ધીક્કાર ફેલાવવાની ચળવળ ચાલુ થઇ છે તેને સદર ચુકાદાએ કાયદેસરતા આપી. આમ કોર્ટે જોખમી આયામ પર સમાજને મુકી દીધો હતો.

તારીખ ૧૯મી ઓકટોબરના રોજ આજ કેરાલા હાઇકોર્ટની ડીવીઝન બેંચે ઉપર જણાવેલા ચુકાદાને રદ બાતલ કરીને મક્ક્મ અને શાણપણ ભરેલા કારણો શોધી કાઢીને નવો ચુકાદો આપ્યો છે.( Last week on Thursday, a judgment by the same court brings us back to firmer and saner ground.)સદર અરજી કોર્ટમાં તેણીના પતીએ પોતાની પત્નીને તેણીના મા–બાપ પાસેથી પરત મેળવવા કરેલી હતી. ડીવીઝન બેન્ચે 'બંદી પ્રત્યક્ષીકરણ'(a habeas corpus petition)ની અરજી નો જવાબ આપતાં લાગતાવળગતા સૌને ચેતવણી આપી હતી કે ધર્માંધ અને મતાગ્રહી લોકો દ્રારા વ્યવસ્થીત રીતે ફેલાવવામાં આવતા માનસીક ભય અને વીવેકહીન (paranoia) પ્રવૃતીઓથી દોરવાઇ ન જવું. દરેક આંતરધર્મીય લગ્નો એ ધર્મ પરીવર્તનના હેતુઓથી કરવામાં આવતાં નથી. અમે ન્યાયતંત્ર તરીકે લોકોને અપીલ કરીએ છીએ કે આવી વાહીયત વાતોના બલી ન બનશો અને ઉશ્કેરાટમાં આવી ન જશો. નામદાર કોર્ટે ભારતીય દરેક નાગરીકનો બંધારણીય અધીકાર છે કે તેની ઇચ્છા મુજબનો જીવન સાથી પસંદ કરવો અને તે પ્રમાણે જીવનનો માર્ગ નક્કી કરવો. અમે ન્યાયતંત્ર તરફથી ફરીથી એકરાર કરીએ છીએ. (It reaffirmed the constitutional right of an Indian citizen to choose her life partner and determine the course of her life — even if her community and clan are ranged against her.)  ભલે આવા તમારા નીર્ણયથી તમારી જ્ઞાતી કે સામાજીક સમુહ ખફા હોય કે વીરુધ્ધ હોય. આવા લગ્ન કરનારાના મા– બાપો પોતાના પુખ્ત ઉંમરના દીકરા કે દીકરીના આંતરજ્ઞાતી કે આંતરધર્મીય લગ્નો ને સ્વીકૃતી ન આપતા હોય તો વધુમાં વધુ તો તેઓના મા– બાપો પોતાના દીકરા– દીકરીના સામાજીક સંબંધો કાપી નાંખે.( "If the parents of the boy or girl do not approve of such inter-caste or inter-religious marriage, the maximum they can do is that they can cut off social relations with the son or the daughter," it said.) નામદાર કોર્ટે રાજ્ય સરકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તમારો આવા પોતાના બંધારણીય હક્ક મુજબ નીર્ણય કરનારાની તરફેણમાં મક્ક્મ રીતે ઉભા રહેવું તે રાજ્યની ફરજનો એક ભાગ છે.ઇન્ડીયનએકસપ્રેસના તંત્રી પોતે લખે છે કે " ખરેખરતો કોર્ટે અતીઉત્સાહી બનીને સામાજીક કે આર્થીક રીતે નાનામાં નાના નાગરીકની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઇએ. કોર્ટે, સમાજે તેના વીદ્રોહીઓ માટેની સ્વતંત્રતા માટેના બારણાં બંધ કરી દેવામાં આવ્યા છે તેને પોતાના ચુકાદાઓથી ખોલી નાંખવા જોઇએ." ("This court should be overzealous to protect the individual liberty of even the lowliest citizen… and unlock the door to [her] freedom," it said.).

આવોજ એક કેસ(Hadiya case) સુપ્રીમ કોર્ટમાં હજુ અનીર્ણીત છે. તે અંગે ઇન્ડીયન એકસપ્રેસના તંત્રીએ પોતાના ૨૩–૧૦– ૧૭ના તંત્રી લેખમાં દેશની માનનીય સુપ્રીમ કોર્ટને વીનંતીપુર્વક જણાવે છે કે ' કેરાલા હાઇકોર્ટે જે નીર્ણય કર્યો છે તેને આધારે પોતાના તારણો કાઢે.' ( The honourable SC should take note of the wisdom in the Kerala HC's order, especially its unambiguous endorsement of the subversiveness and humanity of love.)

કેરાલા હાઇકોર્ટેને સલામ સાથે કહેવું પડે કે તેણે આ કેસમાં ચુકાદાની શરૂઆત મહાન અમેરીકન કવીયત્રી "માયા એન્જેલો" ની પંક્તીઓથી કરેલી છે. ' પ્રેમ કોઇ સીમાઓના બંધનોને ઓળખતો નથી. તે તેની સામેના અવરોધોને ઠેકી જાય છે, સમાજે ઉભી કરેલી વાડોને કુદકો મારીને કુદી જાય છે,અને તે બધી દીવાલોનું ઉલ્લઘન કરીને જે આશાનું અંતીમ સ્ટેશન છે ત્યાં યેનકેન પ્રકારે પહોંચી જાય છે.' (The bench begins the judgment by quoting the great American poet, Maya Angelou:"Love recognises no barriers, it jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.")

 તાજેતરના વર્ષોમાં ઇરાદાપુર્વક ખાસ કરીને આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય પ્રેમ લગ્નો સામે દેશમાં સંપુર્ણ વ્યવસ્થીત રીતે ધીક્કારનો કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે.તેની સામે નામદાર કેરાલા કોર્ટે આપણને  યુવાનપ્રેમીઓના પ્રેમ કરી લગ્નકરવાના અધીકાર પર જે ધબ્બો કે કાળો ડાઘ જેહાદી તરીકેનો ખાસ ધર્મ સામે લાગેલો હતો તેને દુર કરી આપ્યો છે. અમેરીકન કવીયત્રી એન્જેલાએ આપણને યાદ દેવડાવી છે કે  પ્રેમ અને સ્વતંત્રતા એક બીજા સાથે એટલા ઓતપ્રોત  થઇ ગયા છે. તે બેની જોડી હોઇ શકે નહી તેવા એકરૂપ (free radicals )થઇ ગયા હોય છે. દરેક લોકશાહી સમાજ વ્યવસ્થા આવા વધુ ને વધુ ઓતપ્રોત થઇ ગયેલા પ્રેમીઓના એકરૂપ એકમોને જન્મ આપીને વીકસાવવા જોઇએ જો તે સ્વતંત્રતામાં માનતા હોય તો!.ભાવાનુવાદતંત્રી લેખનો–By Courtesy-- I. Express—Editorial dated 23rd Oct-17.

 

 


--