Friday, February 21, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાને ક્યાં લઇને મુકી દેશે?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાને ક્યાં લઇને મુકી દેશે?

ટ્રમ્પને રાષ્ટ્ટ્ર પ્રમુખ તરીકે સોંગદ લીધે બરાબર એક મહીનો(૨૦–૦૧–૨૫) થયો છે. એક મહીનામાં ટ્રમ્પના પ્રમુખ તરીકેને નિર્ણયોએ  દેશના નાગરીક જીવનને જે આંચકાઓ આપ્યા છે તે ધરતીકંપ માપવાના સાધન રિચેરસ્કેલમાં પણ મપાય તેમ નથી.

(૧) જાણે રાજધાની વોશિંગ્ટન ડી સીનું વહીવટી તંત્ર પુરપુરુ લકવાગ્રસ્ત થઇ ગયું છે. કોઇપણ જવાબદાર અધિકારીને પુછશો તો એક જ જવાબ છે." No Clue, No work is done".

(૨) અમારા દેશના વડાપ્રધાન મોદી સાથે કયા પ્રકારના વિમાનના સોદાની શું શરતો છે? ' મોદી આવ્યા અને ગયા! શું કરીને ગયા તેની કોઇ ' ફિડ બેક' ખરેખર તંત્ર પાસે નથી.

(૩) ફેડરલ કર્મચારીઓની નોકરીની સલામતી અંગે એક જ જવાબ તે પણ અધિકૃત છે.' આવતી કાલે સવારે અમે અહીંયા ઓફીસમાં આવીશું કે નહી તેની ખબર નથી.

(૪) ટ્રમ્પનું સત્તાનું રાજકારણ 'પોપ્યુલીસ્ટ' રાજકારણ છે. સસ્તી પ્રસિધ્ધીનું જ છે.! પહેલાં ગેરકાયદેસર વસાહતીઓને પકડવાનો પ્રતિરોજનો આંક ૧૫૦૦ થી ૨૦૦૦ નો હતો. તે ઘટીને ૩૦૦ પર આવી ગયો છે. ભારતના ગેરકાયદેસર આવેલા અટકાયતીઓને લશ્કરી વિમાનમાં નવી ચકચકીત હાથ–પગની બેડીયોમાં મોકલવામાં આવે છે. રશીયા અને ચીનના આવાજ અટકાયતીઓને પેસેંજર વિમાનમાં હાથ કે પગમાં બેડીઓ સિવાય રવાના કરવામાં આવે છે.

(૫) ટ્રમ્પ સરકારની રેવન્યુ આવકમાં એકાએક જબ્બ્રરજસ્ત ઘટાડો ( Massive Fall in Federal Revenue) થયો છે.

(૬) ફુગાવો છેલ્લા એક માસમાં ખુબજ ઝડપથી વધી ગયો છે. દુધ ને ઇંડા જેવી પાયાની  ખોરાકની જરુરીયાતોના ભાવ બે ગણા થઇ ગયા છે.

(૭) ગાઝા–ઇઝરાયેલ યુધ્ધમાં કુલ મરણનો આંકડો ૪૬૦૦૦ અને ૨૦ લાખ લોકો ગાઝા છોડીને નજીકના દેશોમાં આશ્રય લઇ રહ્યા છે તેના ગંભીર ઉકેલને બદલે પેલેસ્ટાઇનમાંથી ' હમાસ'  કાયમી ધોરણે નિકંદન કાઢી ખદેડી દેવાનું પોતાના દેશના ઇસાઇ ધર્મીઓને 'ગલગલિઆં' થાય અને નાગરીકોની પાયાની જરુરીયાતના પ્રશ્નોથી ધ્યાન બીજે દોરાય તેવી જાહેરાતો કરવા માંડી છે.

(૮) લોક પ્રતિનીધીત્વવાળી સરકારોમાં ભારત અને યુકેમાં સંસદ, અમેરીકામાં કોંગ્રેસ કાયદા પસાર કરે છે. અને રાજ્યના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ તેનો અમલ કરે છે. કાયદા વિરુધ્ધના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખના પગલાંને ન્યાયતંત્ર પાસે પડકારવામાં આવે છે.વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ કે તેમનું પ્રધાનમંડળ તે પ્રમાણે નિર્ણય કરી રાજ્ય ચલાવવા બંધાયેલું છે.ટ્રમ્પ સામે બે વાર જ્યારે તે રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે ' કોંગ્રેસે પસાર કરેલા કાયદા વિરુધ્ધ'  આપખુદ નિર્ણય લેવા' બે વાર 'તહોમતનામુ' ( Impeachment) દાખલ કરવામાં આવેલું હતું. ટ્રમ્પ કાયદાથી ઉપર નથી તેવું સાબિત કરવામાં કેમ દેશનું ન્યાયતંત્ર સતત નિષ્ફળ જાય છે. હવે ફરી આ મુદ્દે શુ થાય છે તે જુઓ!

(૯)  એલન મસ્ક સંચાલિત સોસીઅલ મીડીયા ' ટીક ટોક' ૯૦ ટકા સતત જુઠઠાણા ફેલાવાનુ કામ કરે છે. 'ટિકટોક' એપ દ્ભારા એવા સનસનાટી ભર્યા સમાચાર વહેતા મુકવામાં આવ્યાછે  કે દેશમાં ' ૪૦,૦૦૦ બાળકો ગુમ થયેલ છે.

(૧૦) મેડીકેર ને મેડીકેડના બજેટમાં કરોડો ડોલરની મદદ ઘટાડી દેવામાં આવી છે. સંરક્ષણ બજેટમાં પ્રતિવર્ષે ૮ ટકાનો કાપ જાહેર કર્યો છે. વીશ્વભરમાં કુખ્યાત 'સીઆઇએ' ના બજેટમાં અડધા કરતાં ઘટાડો જાહેર કરેલ છે. નાણાંકીય મદદના અભાવે ' દેશના નેશનલ પાર્ક' માં ગટર– વોશરુમ સવલતો ચોકઅપ થઇ ગઇ છે.

(૧૧) અમેરીકાનો આ રાષ્ટ્રપ્રમુખ ' રેશનલ મેન' બિલકુલ નથી તેવું સામાન્ય તેના ચુટણીના એક સમયના ટેકેદાર મતદારો સમજી ગયા છે. સદર પ્રમુખ  ગમે ત્યારે ચૌક્કસ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને, કોંગ્રેસ પાસેથી બંધારણીય– કાયદા મુજબની સત્તા મુલત્વી રાખી, એકહથ્થુ સત્તાધીન થઇ જશે. ટ્રમ્પને ચારવર્ષ પછી નિવૃત્તી બિલકુલ સ્વીકાર્ય નથી.

(૧૨) ઉપર મુજબની ટ્રમ્પની ગ્રાન્ડ ડીઝાઇનમાં આપણા મોદી સાહેબના સુત્ર 'અબકી બાર ટ્રમ્પ સરકાર'ની જરુર બિલકુલ નથી. કારણકે ટ્રમ્પની સત્તાના કેન્દ્રીકરણમાં 'ઇન્ડીયા કિસ ગિનતી' મેં થઇ ગયું છે!

(૧૩) ઉપરની ચર્ચાનું તારણ છે કે અમેરીકામાં બીજીવારનું ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઇ આવવું સાબિત કરે છે કે  મુડીવાદી અર્થવ્યવસ્થા ૨૫૦ વર્ષ જુની લોકશાહી મુલ્યોને ઉજાગર કરનારી રાજ્યસત્તાને હાઇજેક કરી શકે છે....


--

Sunday, February 16, 2025

A Tribute to Prof Jayanti Patel:

A Tribute to Professor Jayanti Patel: A Guiding Light of Humanism in Gujarat- Bipin Shroff ( Atalanta-USA)

Gujarat has lost a stalwart of rationalism and humanism with the passing of Professor Jayanti Patel (1933-2025). Known affectionately as Sir J.K., Professor Patel dedicated over half a century to nurturing and strengthening the Radical Humanist movement in Gujarat, working alongside contemporaries like Professor Raojibhai Patel, Chandrakant Daru, P. Patwari, Dashrathlal Thakar, Durga Prasad Trivedi, and Ramesh Korde.

Professor Patel's influence extended beyond his role as a Professor of Political Science at Gujarat University. He was a prolific writer and publisher, authoring numerous books on humanism and rationalism in both English and Gujarati. His contributions to the field include co-editing "Crisis of Civilization, Humanism and Renaissance" with the late V.M. Tarkunde and Indumati Parekh, published in 1987 to commemorate M.N. Roy's centenary. He also edited and wrote the preface for "M.N. Roy, Bertrand Russell & New Renaissance" with the late Ramesh Korde. Furthermore, he translated M.N. Roy's seminal works, "New Humanism" and "Politics without Power," into Gujarati, making these important philosophical texts accessible to a wider audience.

Professor Patel's leadership within the Radical Humanist movement was significant. He served as the president of The Indian Radical Humanist Association, working alongside General Secretary Innaiah Narisetti. For a decade, he edited the Gujarati monthly "Vaishvik Manavvad" (वैश्विक मानववाद), a torch he then passed on, continuing to inspire readers for another two decades. His writings often challenged superstitions and blind faith. His popular Gujarati book on the concept of God, ईश्वर एक हानिकारक कपोल कल्पना (God Delusion), sold over 12,000 copies across multiple editions, demonstrating his ability to connect with a broad readership. He also shared his personal journey and insights in his autobiography.

Professor Patel's home in Ahmedabad served as a gathering place for senior rationalists under the coordination of social activists Manishi Jani, Lankesh, and Piyush. These monthly meetings fostered intellectual discourse and camaraderie. Despite his family residing in the USA, Professor Patel chose to remain in his Ahmedabad residence, 10, Kadambari Society, Ambavadi, demonstrating his commitment to the community he served.

In accordance with his wishes, Professor Patel's body was donated to the city medical college on February 12, 2025. His son, Naishiad, and daughter, Pragna, were present to honor their father's final act of generosity.

The loss of Professor Jayanti Patel is deeply felt by the Indian and especially the Gujarati humanist and rationalist communities. He was a constant source of inspiration, and his absence leaves a void that will be difficult to fill. However, those whose lives he touched remain committed to carrying forward his legacy, ensuring that his tireless efforts to promote humanism and rationalism will not be in vain.




--

Wednesday, February 12, 2025

ભગવદ્ ગીતા એક મુલ્યાંકન–છેલ્લો અને અંતિમ લેખ ભાગ–૪.

  ભગવદ્ ગીતા એક મુલ્યાંકન–છેલ્લો અને અંતિમ લેખ ભાગ–૪.

(૧) ભગવદ્ ગીતામાં ઇશ્વરનો ખ્યાલ જ 'અંગત ઇશ્વર'(The Personal God)નો છે. આવો ખ્યાલ દરેક ધર્મોએ પણ પોતાના ભક્તો માટે વિકસાવેલો છે. ગીતાના લેખકે અર્જુનના પાત્રની મદદથી પોતાના જીવનની સમસ્યાઓ કેવી રીતે ઉકેલાય તે માટે દુન્યવી, ભૌતીક કે જ્ઞાન આધારીત માર્ગદર્શન આપ્યું નથી.તેના બદલે પોતાની સમસ્યાઓનું પોટલું ' ઇશ્વર' ના માથે મુકી દઇને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અઢાર અધ્યાયોમાં સાબિત કર્યું છે. ભલે અર્જુનને તમામ હિન્દુઓ દ્રોણાચાર્યના શ્રૈષ્ઠ ધનુષ્ય–બાણાવળી વીધ્યાર્થી તરીકે જાહેર કર્યો હોય, ગાંડીવનો ટણંકાર કરીને દુશ્મનોના મનોબળને જ મહાત કરનાર યોધ્ધા તરીકેના વિશેષ ઇલકાબ આપેલો હતો. પણ ગીતાને રચનારે આજ મહાન યોધ્ધાને ' શ્રીકૃષ્ણ' પાસે બિનશરતી શરણાગતી સ્વીકારતો બતાવ્યો છે.મહાભારતનું યુધ્ધ અર્જુન કે પાંડવોની સેના જીતી નથી પણ તે 'શ્રી કૃષ્ણ'ની ઇચ્છાનું જ પરિણામ છે. 'હરિ ઇચ્છા બલવાન'.

(૨) ગીતાનો આ ઉપદેશ નામે જન્મે હિન્દુની સમસ્યાઓના ઉકેલ માટે તેના અંગે અંગમાં એવો ફેલાવી દીધો છે તેની અસરો હજુ નામ શેષ થઇ નથી. આપણા દેશમાં તો હજુ કુદકે ને ભુસકે તે અસરો વધતી જાય છે. જ્યારે મહંમદ ગઝની સેંકડો માઇલ દુરથી આવીને સોમનાથ પર યુધ્ધ કરતો હતો ત્યારે જે તે હિન્દુ રાજાનું લશ્કર ને શીવ ભક્તો 'શીવલિંગ'ની પુજા કરી મંદિર અને રાજ્ય ને બચાવવા 'ઇશ્વર' ના માથે પેલું ' અર્જુન વાળુ પોટલું' નાંખવા ઘણી 'પુજા–અર્ચના' કરી પણ પેલો 'દેવકી પુત્ર' કઇ કઇ લીલા કરવામાં રોકાયેલો છે કે ફરી ભરતખંડને જ ભુલી ગયો છે.

(૩) ફરી મોગલો આવ્યા, બ્રીટીશરો આવ્યા પણ ઇશ્વરી અંશનો દાવો કરનારા તમામ હિન્દુ રાજાઓની મદદે પણ 'સારથી' બની ન તો ઉપદેશ આપ્યો કે ન તો ' યદા યદા હી ધર્મસ્ય–– સંભવામી યુગે યુગે ની યાદમાં ગાંધીને સ્વધામે મોકલીને તારા નામે 'હથેળીમાં ચાંદ' બતાવનારાઓને હવાલે 'ભારત માતા(!) ને સોંપી દીધી.

 હે! વાસુદેવ પુત્ર! અમને ખબર જ ન પડી કે ' તમે! અમને આશરે ૧૩૦ કરોડ હિન્દુઓને અમારા નસીબ પર ત્યજી દઇને ' નિમિત માત્ર'  ફળોના પોષ્ટીક આહાર પર જીવવા મજબુર કરશો.

(૪) હૈ! અચ્યુત! તું પણ સાંભળી ને સમજી લે! સ્વતંત્રતા પછીની અને ખાસ કરીને ૨૧મી સદીમાં જન્મેલી પેઢી સંભવામી યુગે યુગે વાળાની રાહ જોવાનું જ ભુલી ગઇ છે. તેના બદલે પોતાના ભાવીનું 'સ્ટીયરિંગ ને એક્સીલેટર, પોતાની હાથમાં રાખીને અમારા દેશના હજારો નહીં લાખો વાસ્કોડી ગામા અને ક્રિષ્ટોફર કોલ્મબ્સ પોતાનું ખોબા જેટલું હોડકું લઇને જ્યાં સ્થાઇ થવાની તક મળશે ત્યાં મુળીયાં મજબુત રીતે સધ્ધર નાંખીને ત્યાં ત્યાં ' સિલીકોન વેલી ને એ આઇ, પેદા કરશે.

(૫) બાકી રહેલા હે સ્વજનો!, 'શ્રી કૃષ્ણ' ના ગીતા– ઉપદેશના ' સ્વધર્મં' પ્રમાણે  અયોધ્યા સિર્ફ ઝાંખી હૈ ,કાશી મથુરા બાકી હૈ' તે સદીઓના બાકી રહેલા સ્વપ્નને સાકાર કરવા અમારા 'મોદી–ભાગવતે શરુ કરેલા ધર્મક્ષેત્ર– કુરુક્ષેત્રના યુધ્ધને સફળ બનાવજો. તો પેલા બંનેને ત્રણલોકની સત્તા મલશે કે નહી તે ખબર નથી. કારણકે તે તો 'શ્રીકૃષ્ણે' અર્જુનને માટે 'અનામત' રાખેલ છે.૨૧મી સદીના યુધ્ધ રુપી યજ્ઞમાં આહુતી આપનારને હું સોંગદપુર્વક કહું છું કે પેલા ૮૪ લાખ યોનીમાંથી મુક્તિ અપાવી મોક્ષ તો અપાવીશ. બોલો! ખુશને! હિન્દુ તરીકે ફરી જન્મ લેવામાંથી જ મુક્તિ. ચારેય વર્ણના હિન્દુઓએ નવા 'ધર્મક્ષેત્ર– કુરુક્ષેત્ર' ના મેદાનમાં જઇને કેમ ભાગ ન લેવો જોઇએ?

  

 


--

Tuesday, February 11, 2025

ભગવદ્ ગીતામાં રજુ કરેલ વિચારોનું જ્ઞાન–વિજ્ઞાન અને આધુનિક પરિબળોના સંશોધનોને આધારે તટસ્થ ને પુર્વગ્રહ રહિત મુલ્યાંકન– ભાગ–૩.

ભગવદ્ ગીતામાં રજુ કરેલ વિચારોનું જ્ઞાન–વિજ્ઞાન અને આધુનિક પરિબળોના સંશોધનોને આધારે તટસ્થ ને પુર્વગ્રહ રહિત મુલ્યાંકન– ભાગ–૩.

 હિન્દુ ધર્મશાસ્રોના તમામ ધાર્મિક ગ્રંથોમાં જે ધાર્મીક ગ્રંથે સદીઓ સુધી  હિન્દુસમાજ જીવનને ટકાવી રાખવામાં( જે સે થૈ બનાવી રાખવામાં) એકમાત્ર અગત્યનો ફાળો આપ્યો હોય તો તે ભગવદ્ ગીતા ગ્રંથનો જ છે. સદર ગ્રંથની રચના કરનારે પુરી સમજ અને દુરંદેશીપણા સાથે સમગ્ર હિન્દુ સમાજને એવી વૈચારિક જંજીરોમાં બાંધી રાખવામાં સફળ થયો છે કે સદીઓ સુધી તેના મબલખ ફળો ભોગવનાર સત્તા પક્ષના વર્ગોના (the Bhagavad-Gita has been the most formid­able weapon for the ruling classes) હિતોને સાચવી રાખ્યા છે. માલેતુજાર ને સર્વાંગી રીતે શસક્ત બનાવ્યા છે. પણ માનવ ઇતિહાસમાં જેનો કોઇ પુરાવો ન મળે તેવા તમામ બાકીના વર્ગો જેવા કે વૈશ્ય, તમામ શુદ્રો, સ્રી વર્ગ અને હિન્દુ સર્વહારા પ્રજા જેનું 'તન.મન અને ધન'થી બેફામ શોષણ સત્તાધીશો કરતા આવ્યા છે તે બધાએ ગીતાના ઉપદેશને પોતાનો ગણીને ક્યારેય તેની સામે વિદ્રોહ કે બળવો કર્યો નથી.ગીતાના તત્વજ્ઞાને કાર્લ માર્કસના તર્કબધ્ધ તારણને ખોટુ સાબિત કર્યુ  છે. શું? ' અમારા દેશના વંચિતો કે સર્વહારા( દલિતો, આદીવાસીઓ,સ્રી અને બહુજન સમાજ) ગીતાના ઉપદેશને કારણે પ્રતિક્રાંતીને ઇશ્વરી સર્જન ગણે છે.'

મહાભારતના યુધ્ધના મેદાનની બરાબર વચ્ચે ' અર્જુન– શ્રીકૃષ્ણ' સંવાદ શરુ થાય છે.

 અર્જુને યુધ્ધ ન કરવા માટેના પોતાના વ્યાજબી અને માનવીય–સાંસારીક કારણો રજુ કર્યા છે.ગીતાના રચનારે પ્રથમ અધ્યાયમાં અર્જુન દ્વારા નીચે મુજબના કારણો યુધ્ધ નહીં કરવા રજુ કર્યા છે. જેવાં કે જેની સામે મારે યુધ્ધ કરવાનું છે તે બધા જ મારા પિતરાઇ ભાઇઓ, દ્રોણાચાર્ય અને ભીષ્મપિતાહ જેવા પિતાતુલ્ય વડીલો, સ્વજન અને કુળનો નાશ, વર્તમાન સામાજીક વ્યવસ્થાનો સર્વનાશ, સનાતન ધર્મનો નાશ, વર્ણશંકર પ્રજાનું સર્જન વિ. વિ. માટે ' મારાં ગાત્રો ઢીલા થઇ જાય છે, મોઢું સુકાઇ જાય છે, શરીરનાં રુવાટાં ઉભા થઇ જાય છે, હાથમાંથી  ગાંડીવ ધનુષ્ય સરકી જાય છે'. મારે યુધ્ધ કોઇ કાળે નથી કરવું.

અધ્યાય બીજાથી શરુ કરીને ગીતાના લેખકે અઢાર અધ્યાય સુધી અર્જુનને  જીવનની નરવી વાસ્તવિકતાઓ છે તેને અવગણીને જે કલ્પનાઓ, અવાસ્તવીકતાઓ, અને એકી સાથે ક્ષણભંગુર દેહમાં આત્માના ખ્યાલનો પ્રવેશ કરાવીને જે હિન્દુ જીવન પધ્ધ્તિ વિકસાવી છે તેનાં જ્ઞાન આધારીત મુલ્યાંકન કરવાનો મારો પ્રયત્ન છે.

ગીતાના બીજા અધ્યાયમાં શરીર અને આત્મા વિષે ઘણી બધી તત્વજ્ઞાનીય ચર્ચા કરવામાં આવેલી છે. હિન્દુ માનવ શરીરમાં એકી સાથે બે,એકબીજાથી સ્વતંત્ર અને વિરોધાભાસી પરિબળો અસ્તિત્વ ધરાવે છે.શરીર નાશવંત છે.આત્મા અમર છે. શરીર જીર્ણ થતાં તેનો નાશ થાય છે. પણ તેમાં રહેલ આત્માનું સ્થળાંતર થાય છે. આત્મા 'ન હન્યતે' છે.શ્લોક–૧૯. આત્મા જન્મ લેતો નથી, માટે તે મૃત્યુ પામતો નથી. તે શાશ્વત છે.પણ શરીર નાશવંત છે. પછી શ્લોક ૨૩– નૈનં છિન્દતિં––વિ. ક્ષત્રિય તરીકે સ્વધર્મ યુધ્ધમાં લડવાનો છે. મૃત્યુ પામીશ તો મોક્ષ પ્રાપ્ત થશે ને જીતીશ તો ત્રણ લોકનું રાજ્ય મલશે.દરેક હિન્દુએ જે તે વર્ણમાં( સ્રી માટે પણ સ્રી ધર્મ બજાવવાનો) પોતાનો જન્મ થયો હોય તે વર્ણમાં ગીતામાં નક્કી થયા મુજબનો 'સ્વધર્મ'  બજાવવાનો હોય! ટુંકમાં બીજા અધ્યાયમાં ગીતાના રચનારે આત્માના અસ્તીત્વ સાથે પુર્વજન્મ, વર્તમાનજન્મ અને પુનર્જન્મ, ચારવર્ણ પ્રથા અને માનવ પ્રયત્નોથી પોતાનું ભાવિ માનવી બદલી શકે છે તે આત્મવિશ્વાસ (Self Confidence) ને કાયમ માટે આપઘાત કરાવીને જે કોઇ વર્તમાન સ્થિતિ છે તેમાં ફેરફાર કરવાની ક્ષમતાને કાયમ માટે નાબુદ કરી દેવામાં આવે છે. જેના પરિણામોથી ગીતાના ઉપદેશ પ્રમાણે જે ૨૧મી સદીમાં પણ ભોગવ્યા સિવાય દરેક હિન્દુ એ છુટકો નથી.

ગીતાના રચનારે અર્જુનને ચોથા અધ્યાયના શ્લોક ૧૩માં જણાવે છે કે ' ચાતુવર્ણ મયા સૃષ્ટી'. હિન્દુ સમાજના ચાર વર્ણવ્યવસ્થા મારુ સર્જન છે. બ્રાહ્મણ મુખમાંથી, ક્ષત્રીય બાહુમાંથી, વૈશ્ય જાંઘ ને શુદ્ર પગમાંથી જન્મ પામેલ છે. આમ બ્રાહ્મણે જ્ઞાન, ક્ષત્રિયે યુધ્ધ, વૈશ્ય, પટેલ, વિ, વેપાર, કૃષિ અને શુદ્રે તમામની નિસ્વાર્થ સેવા કરવાની. તેને સ્વધર્મ કહેવાય. આજ ચોથા અધ્યાયના ૪૦માં શ્લોકમાં શ્રી–કૃષ્ણે જણાવ્યુ છે કે ' સંશયી આત્મા વિનશ્યતી'. મારા ઉપદેશ કે જ્ઞાન પર સંશય કે શંકા સેવે છે તેનો હું નાશ કરુ છું. સદર અધ્યાયના ૭મા શ્લોકમાં જણાવ્યું છે કે ' યદા યદા હી ધર્મસ્ય'... જ્યારે પૃથ્વી પર અર્ધમ અને પાપ વધી જાય છે ત્યારે તે બધાનો નાશ કરવા હું જન્મ લઉ છું.

મારો જન્મ અને કર્મો અલૌકીક છે. હે! અર્જુન! તારા ચર્મચક્ષુઓથી જોઇ શકાશે નહી.(અધ્યાય–૧૦ શ્લોક–૨.) આ જગતનો સર્જક, સંચાલક અને સંહારક હું છું. (અધ્યાય –૧૦ શ્લોક–૮) તું નહી લડે તો પણ સામેની સેનાના કોઇ યોધ્ધાઓ બચવાના નથી. તું ઉભો થા, શત્રુને જીતીને કીર્તી મેળવી, રાજ્ય ભોગવ!(અધ્યાય–૧૧–શ્લોક–૩૨–૩૩) તું તો માત્ર નીમીત્ત  છે. તું મારુ વીશ્વસ્વરુપ જો! જો કે તારા સિવાય બીજું કોઇ જોઇ શકશે નહી. જેમાં સામા પક્ષના તમામ યોધ્ધાઓ મૃત્યુ પામેલા દેખાશે.(અધ્યાય–૧૧ શ્લોક૪૫)

ગીતાના રચનારે સમગ્ર હિન્દુ સમાજ વ્યવસ્થાને સદીઓ નહી પણ યુગો સુધી ફક્ત ને ફક્ત ભક્તિ દ્રારા જ દુન્યવી પ્રશ્નો ઉકેલી શકાય છે અને તે માર્ગે લઇ જવા માટે જે યુક્તિ–પ્રયુક્તિઓ અર્જુન અને કૃષ્ણના પાત્રોમાં નિરુપણ કરી છે તેનો માનવ ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. જ્ઞાન અને કર્મ બંનેને માનવીય સમસ્યાઓ ઉકેલવા માટે અપ્રસતુત સાબિત કરવા ખુબજ બૌધ્ધીક કુસ્તી કરી છે. અર્જુનને નિમિત માત્ર બનાવીને દરેક સજીવે જીજીવિષા ટકાવી રાખવા કુદરતના નિયમોને સમજીને જે પ્રગતી સાધીને ૨૧મીસદી સુધી આવ્યો છે તેનો નામશેષ કરવા માટે જે વિશેષણો વાપર્યા છે તેની નોંધ લેવાની પણ તાતી જરુરીયાત છે.'નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં કર્મ કરવું, કર્મણેવાધિકા રસ્તે માફલેષુ કદાચન, જગતની વાસ્તવિકતાઓ સામે જળકમળવત બનવું વિ.વિ. દુન્યવી પ્રશ્નો ઉકેલવા માનવીય સહકાર મેળવી કુદરતની વિઘાતક અસરોમાંથી કેવી રીતે બહાર નીકળવાને બદલે ગીતાનો લેખક અર્જુનને સલાહ આપે છે કે સમાસ્યાઓના ઉકેલ ને બદલે તુફાન આવે તો પેલા કાચબાની માફક પોતાના અંગો સંકોરી લેવા!

ગીતાના બોધ પ્રમાણે 'જ્ઞાન એટલે શું?' અધ્યાય–૧૩– જ્ઞાનની વ્યાખ્યા–  પરમાત્માના સાક્ષાત્કાર સાથે થનારી અનુભુતિનું નામ જ્ઞાન. તેનાથી વિપરીત બધુ અજ્ઞાન. જ્ઞાન સાક્ષાત્કારનો પર્યાય છે.'

છેલ્લો અને અંતિમ લેખ ભાગ–૪ હવે પછી.  

 




--

Thursday, February 6, 2025

મારી સદર ફેસબુકની પોસ્ટને આધારે જે જવાબ આવ્યા છે તેના ઉત્તર પ્રથમ આપું છું.

 બ્રેઇન  સ્ટ્રોમીઇંગ સેશન- ભાગ–૨.

મારી સદર ફેસબુકની પોસ્ટને આધારે જે જવાબ આવ્યા છે તેના ઉત્તર પ્રથમ આપું છું.

(૧) ભાઇ સેમ્યુઅલ મેકવાને પોતાની ઉપરા છાપરી કોમેન્ટમાં જાણે ઇસાઇ ધર્મનો બચાવ કરવા જ મેદાને પડી ગયા હોય તે પ્રમાણે મારા મુળ લેખની મુખ્ય વાત બાજુ પર મુકીને દલીલો કરવા મંડી પડયા છે. ધર્મઝનુન વિવેકશક્તિ પર કેવી રીતે હાવી જાય છે તેની પરાકાષ્ઠા તેમના લખાણોમાં વારંવાર આંખે ઉડીને વળગે છે.

(૨) મેં 'આત્માના સ્થળાંતર' ગુજરાતી શબ્દનો અંગ્રેજી શબ્દ એમ.એન. રોયે વાપર્યો છે–"Trans-migration of soul" એટલો જ ઉલ્લેખ કર્યો છે.. તે શબ્દને પકડી લઇને એમ. એન. રોય આત્માના અસ્તીત્વના ટેકેદાર હતા તેમ બતાવી તેવા સંપુર્ણ નખશીખ નિરઇશ્વરવાદી અને ભૌતીકવાદીને પોતાની દલીલના હિતમાં લેશ માત્ર ઉપયોગ કરવાનો રંજ કે દુ:ખ નથી.કોણ પુછે સેમ્યુલભાઇને કે તમે એમ.એન રોયના વ્યક્તીત્વ વિષે શું જાણો છો?

(૩) હિન્દુ ધર્મમાં આત્માનો ખ્યાલ દરેક હિન્દુના વર્તમાન જન્મ, પુર્વજન્મ, અને પુનર્જન્મના કર્મોનું પરિણામ હોવાથી, ચાર વર્ણોમાંથી તે જે વર્ણ–જ્ઞાતિમાં જન્મ્યો એ ખરો!.અરે! હિન્દુ ધર્મમાં એક સ્રી તરીકે જન્મ લેવો તે પણ પુર્વજન્મના પાપોનું પરિણામ છે એમ ઠસાવી દેવામાં આવ્યું છે. દરેક ઇસાઇ જન્મથી કે ધર્માંતર કર્યા પછી પોતાની કઇ વર્ણ–કે જ્ઞાતી છે તે બતાવશે? વર્ણ–જ્ઞાતી એ તો દરેક હિન્દુનો હિન્દુ હોવાની સાબિતીનો જન્મથી મળેલો રજીસ્ટર્ડ ટેર્ડમાર્ક છે. જેનું હસ્તાંતર મૃત્યુ પછી પણ અશક્ય છે.

(૪) અમારી ફેસબુકની વોલપરના એક વડીલ અને બૌધ્ધીક રીતે પરિપક્વ સાથી ડૉ પ્રણવભાઇએ સેમ્યુલભાઇને લખવું પડયું કે તમારી પોસ્ટમાં ઇસાઇ ધર્મીની વાતો કોને ઉદ્દેશીને લખો છો? (બીપીનભાઇની પોસ્ટમાં કોઇ ખાસ ધર્મ ને તેમાંય ઇસાઇ ધર્મની તરફેણ કે વિરુધ્ધમાં તો કશું લખ્યું નથી.)સેમ્યુલભાઇએ જવાબમાં 'સોરી' લખવું પડયું છે. 

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

હવે મારા ભાગ–૨ના લેખની શરુઆત–

 વીશ્વમાં હિન્દુ ધર્મ સિવાય તમામ ધર્મો જો આત્માના અસ્તીત્વમાં ન માનતા હોય, ને સાથે સાથે બધા જ ધર્મો (હિન્દુ ધર્મ સહિત)ઇશ્વરી સર્જન હોય તેવો દરેક ધર્મના સર્જકો દાવો કરતા હોય, તે પ્રમાણેનું અફીણ પોતાના ભકતોને રાત–દિવસ પીવડાવતા હોય તો,તેમાંથી કોણ સાચા ને કોણ જુઠઠા?

હિન્દુ સનાતન ધર્મના શાશ્વત મુલ્યો કયા કયા? તેમાં આત્માના ખ્યાલ આધારીત ભૌતીક અને આધ્યાત્મિક દ્વંદ ખરો કે નહી! પછી તેમાં દરેક હિન્દુનો જન્મ વર્ણવ્યવસ્થા આધારીત સમાવેશ ખરો કે નહી, તે બધા તેમાં આમેજ કે નહી?? તેના આધારીત સામાજીક, આર્થીક ને રાજકીય અસમાનતા, અન્યાય, શોષણ વિ.પોષતું– બળવત્તર બનાવતું ધર્મ અને રાજયની મીલીભગતથી સદીઓથી અસ્તિત્વમાં આવેલું દેશનું માળખું કોના હિતો માટે કામ કરે છે.

આજે આપણા દેશમાં આશરે એક લાખ કરોડ લોકોને સરકાર મા–બાપના પાંચ કિલો અનાજ પર ગુજારો કરવો પડે તે શાપ–અભિશાપ કે વર્તમાન રાજ્ય વ્યવસ્થાની મહાન સિધ્ધિ. કે પછી આ બધાના ગયા જન્મોના કર્મોનું પરિણામ!

   ભાજપ અને આર એસ એસ એ હિન્દુ રાષ્ટ્ બનાવવા માટે ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનને દેશના શિક્ષણની તમામ કક્ષામાં લઇ જવાનું શરુ કરેલ છે. તે તત્વજ્ઞાન શું છે?તેની અસરો અને પરિણામો દેશને ક્યાં લઇ જશે? રોગના કારણોને આધુનિક જ્ઞાન–વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી તપાસીશું તો જ તેનો માર્ગ નિકળશે.

ભગવદ્ ગીતામાં જે મુલ્યોની ચર્ચા કરવામાં આવી છે તેનું મુલ્યાંકન બે રીતે કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.

(૧)  તથાગત ગૌતમ બુધ્ધના એક વાક્યને આધારે– "  હું કહું છું માટે તે સત્ય છે. પુરાપર્વથી ચાલ્યું આવે છે માટે તે સત્ય છે, જુઓ, જુઓ આ તો ધર્મગ્રંથમાં લખેલું છે માટે તે સત્ય છે, દેશના વડા તરફથી ઢંઢેરો બહાર પાડીને જણાવવામાં આવ્યું છે તો તે સત્ય હશે જ ને! કુટુંબના વડીલોએ તેના પર મંજુરીની મહોર મારી છે પછી તે આજ્ઞાનું તો પાલન કરવું જ પડે ને! અંતમાં તથાગત બુધ્ધ કહે છે કે આખરે તમારી વિવેકબુધ્ધી ને જે સત્ય લાગે તેને જ અમલમાં મુકજો.

(૨) ભગવદ્ ગીતા એક વૈચારીક ગ્રંથ તરીકે વેદ જેટલો પુરાણો હશે.આશરે ચાર પાંચ હજાર વર્ષ જુનો છે. તે સદીઓ પુરાનો છે.તેનો ભુતકાળ ફક્ત જુનો નથી પણ અતિપ્રાચીન છે. તે ખંડર પર ઘણા બધા જાળા–બાવા બાઝી ગયેલા છે. પ્રાચીનતા અને ભુતકાળના અનેક ઢગલા નીચે તે ઢંકાયેલો છે. તેમાંથી ૨૧મીસદીના જ્ઞાન–વિજ્ઞાનના આધુનીક શસ્રોથી– ચીર–ફાડ( Dissection) કરવાની,બીજા શબ્દોમાં કહીએ તો તે બધાની ઝીણવટભરી, બારીકાઇથી લાગણી,ભક્તિ કે આદરભાવને બાજુપર મુકીને શોધખોળ કરવાની જરુર છે. તો જ આપણને ઘંઉના ઢગલાની સાથે ભળી ગયેલા કાંકરા અને ફોંતરા દુર કરીશું તો જ ઘંઉ મલશે. ઘંઉ કેટલા મળશે તેનો આધાર પેલા મલબા–કચરાના જથ્થા પર આધારીત છે.પેલા મલબાનો કચરો એક મૃત શરીર છે. જેમ મને કે તમને આપણા સ્વજન ગમે તેટલા પ્રિય હોય,અનિવાર્ય હોય પણ તેમના મૃતદેહને તે અવ્વલ મંઝીલે મોકલી આપવો પડે છે. તેમ પેલા સદીઓના ભેગા થયેલા મલબાને દુર કરવામાં જ આપણું વર્તમાનમાં હિત છે. તેમાંથી આજદિન સુધી ઘણા ચેપી વાયરસોએ ઘણી ખાનાખરાબી ભુતકાળમાં કરેલી છે. હજુ તે વાયરસો ઘણા મોટા પાયા પર ખાના–ખરાબી કરવાની સંભવિત શક્તિ ધરાવે છે.

ચાલો! ભુતકાળના મલબા નીચેથી કેટલા રત્નો હું શોધી શકું છું અને  તમે તે બધાને જોઇ શકીશો.  તે માટે આપણે બંને એકબીજાને શુભેચ્છા પાઠવીએ.  હવે ક્રમવાર નવી પોસ્ટ સાથે મલીશું.



--

Wednesday, February 5, 2025

વિનાયક દામોદરસાવરકર આર એસ એસ, ભાજપ ને મોદી સલ્તનત માટે “  પવિત્ર પણ દુઝણી ગાય છે.”


વિનાયક દામોદર સાવરકર આર એસ એસ, ભાજપ ને મોદી સલ્તનત માટે પવિત્ર પણ દુઝણી ગાય છે."

ઐતીહાસીક પત્રકાર અરુણ શૌરીએ તેના નવા પુસ્તક " THE NEW ICON- SVARKAR AND FACTS " ભારતરત્ન સાવરકરના દંભ ને કહેવાતા સત્યોનો પર્દાફાશ તેમના પોતાના લખાણો અને પુરાવાને આધારે કરેલ છે. અરુણ શૌરીએ પોતાનો કેસ મજબુત કરવા ૬૦૦ દસ્તાવેજી પુરાવા સાવરકરના પોતાના લખાણોમાથી  ભેગા કરલે છે.લેખના અંતમાં રજુ કરેલ આકાશ બેનરજીની યુ ટયુબમાં અરુણ શૌરીનો એક કલાક થી વધારે સમયનો ઇન્ટરવ્યુ રજુ કરેલ છે. જે હકીકતો સત્યો કરતાં ચોંકાવનરી છે.

શું સાવરકરે માર્સેલ્સમાં પોતાના પૌરાણિક ભાગી જવાનો પ્રયાસ કર્યો ત્યારે તોફાની સમુદ્રનો સામનો કર્યો હતો? શું ગાંધીજી અને તેઓ લંડનમાં 'મિત્રો તરીકે' સાથે રહ્યા હતા જેમ કે સાવરકરે ગાંધીજીની હત્યાના કેસ દરમિયાન દાવો કર્યો હતો? શું તેઓ આંદામાનમાં જેલરોની ક્રૂરતાને કારણે મુસ્લિમોનો વિરોધ કરતા હતા? અંગ્રેજોને કરેલી તેમની 'દયા અરજીઓ'નો શું અર્થ થાય છે? શું તેમણે અંગ્રેજો માટે 'રાજકીય રીતે ઉપયોગી' બનવાનું વચન આપ્યું હતું અને અંગ્રેજોએ પણ તેમની મુક્તિ માટે જે શરતોની માંગણી કરી ન હતી તે સ્વીકારી હતી? ભારત છોડો ચળવળ દરમિયાન, શું સાવરકરે અંગ્રેજોને 'સંપૂર્ણ હૃદયથી સહકાર' આપવાનું વચન આપ્યું હતું? તેમણે અંગ્રેજો પાસેથી શું માંગ્યું હતું? શું સાવરકરે સુભાષ બોઝને તે માર્ગ બતાવ્યો હતો જે નેતાજીએ અનુસર્યો હતો?

 

સાવરકરે હિન્દુ ધર્મ વિશે, આપણી માન્યતાઓ વિશે અને 'પવિત્ર ગાયો' વિશે, હિન્દુઓ જે ગ્રંથોને પવિત્ર માને છે તેના વિશે શું વિચાર્યું હતું? શું આપણા લોકો સાવરકરે જાળવી રાખેલા હિન્દુત્વથી ભરેલા છે? તેમણે કેવા પ્રકારના રાજ્યની કલ્પના કરી હતી? શું આજે ગાંધીજી - એક મોટી અસુવિધાને દૂર કરવા માટે સાવરકનું પુનરુત્થાન થઈ રહ્યું છે?

 

"ધ ન્યૂ આઇકોન" માં, અરુણ શૌરી સાવરકરના પુસ્તકો, નિબંધો, ભાષણો, નિવેદનોમાં ઊંડા ઉતરીને આ અને અન્ય પ્રશ્નોના જવાબ આપે છે. તેઓ બ્રિટિશ સરકારના આર્કાઇવ્સ ખોદે છે. તેઓ આપણને સમકાલીન રેકોર્ડ્સમાંથી પસાર કરે છે. અને એવા તથ્યો શોધી કાઢે છે જે તમને આશ્ચર્યચકિત કરશે.

યુટયુબ ચેનલ- https://www.youtube.com/watch?v=OXNFtChrtdw

--

માનવી નૈતિક છે કારણકે તે તર્કવિવેકબુધ્ધીથી વિચારે છે.


માનવી નૈતિક છે કારણકે તે તર્કવિવેકબુધ્ધીથી વિચારે છે.

 (The man is moral because he is rational. M.N. Roy)

આપણે સૌ પ્રથમ વિચારીએ કે માનવીય નૈતિકતા એટલે શું? બીજું એ પણ યાદ રાખીએ કે માનવીય નૈતિકતા અને ધાર્મીક નૈતિકતા વચ્ચે આભજમીનનો તફાવત છે.માનવીય નૈતિક વ્યવહાર માનવ માનવ વચ્ચે હોય છે.જયારે ધાર્મિક નૈતિક વ્યવહાર માનવી અને કપોળકલ્પિત ઇશ્વર અને માનવીના મૃત્યુ પછીના સારા જીવન માટે હોય છે.તેથી માનવીય નૈતિકતા ધર્મનિરપેક્ષ ( Secular Morality) છે.ધર્મથી બિલકુલ સ્વતંત્ર છે, વિમુખ છે. આમ ધાર્મિક નૈતિકતાને કોઇ સંબંધ માનવ માનવ વચ્ચે ન હોઇ શકે!

   દા.ત કુંભમેળામાં અડધી રાત્રે ડુબકી મારનાર ટોળાએ જે કામ કર્યુ તેમાં બાજુવાળા ડુબકી મારનારા સાથે કોઇ ધાર્મીક કે નૈતીક સંબંધ ન હતો. અરે! તે ધંધામાં મદદ કરનારા કે આયોજન કરનારા યોગી આદિત્યનાથ સાથે પણ સ્નાનસુતકનો સાતમી પેઢીએ પણ સંબંધ ન હતો.પણ તેને ધાર્મિક નૈતિકતાએ ગળથુથીમાંથી શીખવાડેલું કે પોતાના બંગલાકે ફેલ્ટના બાથરુમના શાવર કરતાં ગંગાની ડુબકીમાં મોક્ષ અપાવવાની તાકાત છે.ભલે બંને પાણી રાસાયાણિક રીતે તો H2O ના જ બનેલા હોય છે!

   આવી ધાર્મીક નૈતિકતામાં મોક્ષ અપાવવાની તાકાત વિદયુતવેગી કે પ્રકાશની પ્રતિ સેકંડ ઝડપ કરતાં એટલી વધારે છે કે ડુબકી મારનાર આપણી બહેનો, માતાઓ, તેમની પડોશમાં રહી ગયેલી બહેનપણી કે અન્યના નામો જેવાકે સાવિત્રી, તારા, કપિલા,વિ.નામો ની યાદ કરીને ધડાધડ ડુબકીઓ મારવા માંડે તો તે બધાનો પણ જે તે ના મૃત્યુ પછી  મોક્ષ થઇ જાય." આવી છે ધાર્મિક નેતિકતા". તેનો વેપલો કરનારને દિલ્હી અને લખનૌની ગાદી મળે તેમાં નવાઇ કોને લાગે?

  માનવીય નૈતીકતા ઐહીક કે દુન્યવી છે. તેનો વિકાસ જૈવીક ઉત્કરાન્તિના સંઘર્ષમાંથી અનેક તબક્કાવાર ક્રમશ: વિકસેલો છે. આવી ધર્મનિરપેક્ષ નૈતીકતાના મુળ માનવ માનવ વચ્ચેના દુન્યવી કે ભૌતિક સહકારમાં અંતર્ગત રહેલાં છે. જીજીવિષા ટકાવી રાખવાના ભૌતિક સંધર્ષમાં જંગલી હિંસક પશુઓ અને વિઘાતક કુદરતી પરિબળો સામે અન્ય સહમાનવોના સહકારમાં ધર્મનિરપેક્ષ નૈતિકતા કે નિરઇશ્વરવાદી નૈતીકતાના મુળ રહેલાં છે.સમુહ જીવન, સહકાર,પ્રેમ, લાગણી, મમતા,બાળકો ને વડીલો પ્રત્યે કુદરતીસહજ હકારાત્મક અભીગમ વિ,નૈતિક ગુણો, સાથે જીવવા ને રહેવામાંથી વિકસેલા છે. ઇશ્વરદત્ત બિલકુલ નથી. કુદરતી નિયમબધ્ધતાને સમજવા માટે કુંભમેળામાં ડુબકી મારવાની જરુર બિલકુલ નથી. પરંતુ ઇન્દ્રીયજન્ય અનુભવ( પાંચ ઇન્દ્રીયો) અને તેના દ્વારા મગજને મળેલ સંદેશો જેનાથી શોધાયેલ સત્ય જેને આપણે સદ્વિવેકબુધ્ધી( Process of cognition to derive truth)ને રેશનાલીટી તરીકે ઓળખીએ છીએ તેને આધારે જે નિર્ણય કરવામાં આવે તેને ધર્મનિરપેક્ષ નૈતીકતા કહેવાય..

ધર્મનીરપેક્ષતા, નિરઇશ્વરવાદી કે નાસ્તિક નૈતિકતાથી માનવીએ અન્ય સહકારથી બે શાશ્વત સત્યો શોધી કાઢયા છે. એક માનવીનો જન્મ અન્ય સજીવોની માફક કોઇ ઇશ્વરી તુકકાનું પરિણામ નથી જ.પણ લાખો વર્ષોના સજીવોના જૈવીક સંઘર્ષનું પરિણામ છે. સદર સજીવોની જીજીવિષાની નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિથી શરુ થયેલી સાંકળનો કોઇ અંકોડો કે મણકો,પછી એક કોષી જીવથી માનવ સુધીના બહુકોષી જીવ સુધી અતુટ છે. તમામ સજીવોની જન્મથી શરુ કરીને મૃત્યુ સુધીની જૈવિક પ્રક્રીયામાં ઇશ્વર અને તેના પ્રતિનિધીઓની કે દલાલો જેવા કોઇ બાહ્ય પરિબળોની પ્રવેશ ક્યારેય હોતો નથી તે ચાર્લસ ડાર્વીને તેના પુસ્તક " Origin of Species" માં સાબીત કરી દિધુ છે. તે વિષયને આપણે જીવશાસ્ર તરીકે ઓળખીએ છીએ.

કોપરનીકસ, ગેલેલીઓ, સર આઇઝેક ન્યુટનથી શરુ થયેલી કુદરતી પરિબળોને તેના નિયમોથી સમજવાની અને તે નિયમો સમજીને તે બધાનો ઉપયોગ માનવ સુખાકારી માટે કરવાનું મિશન આજે પણ અવિરત રીતે ચાલુ જ છે. ભૌતીક વાસ્તવિકતા ( Physical Realism) એ છે કે જેમ સજીવના સર્જનમાં કોઇ ઇશ્વરીકે બાહ્ય તત્વની દખલગીરી નથી તેવી જ રીતે કુદરતને તેનું સંચાલન નિયમબધ્ધ છે.તમામ કુદરતી ઘટનાઓ જેવી કે વરસાદ, ધરતીકંપ, પવન, તમામ અવકાશી ગ્રહોનીગતિ, વિ. નિયમ આધારીત છે. કોઇ ઇશ્વરી કે દૈવી દખલગીરીથી મુક્ત છે. તે જ્ઞાન આધારીત  હોવાથી માનવીય સમજથી ઉપર નથી.

માનવીય નૈતીકતા ઇશ્વરી દખલગીરીથી મુક્ત છે. તેનો આધાર રેશનાલીટી છે. આજથી આશરે બે હજાર પાંચસો વર્ષ પહેલાં થઇ ગયેલા ગ્રીક તત્વજ્ઞાની એપીકયુરસે કહેલું કે " હું મારા જેવા અન્ય માનવીને ઇશ્વરને ખુશ કરવા મદદ કરતો નથી. પણ તેનાથી મને આનંદ મળે છે માટે  હું સહમાનવીઓને મદદ કરું છું. તે મારી માનવીય નૈતીકતા છે.

-------------------------------------------------The End-------------------------------------------------

 

 

 

 

 

  

 

--

તા-12 મી જાન્યુઆરીનો ગોધરા રેશનલિસ્ટ શિબિરનો બિપિન શ્રોફનીસ્પીચ માટેના વીષયની  નોંધ.  

વ્યક્તિ અને સમાજની સમસ્યાઓના ઉકેલ માટેનો જ્ઞાન આધારિત ઉપાય-રેશનલીજમ (તર્કવિવેકશક્તિ)( Rationalism means reliance on REASON).1

(1)   સ્વતંત્રતાની લડતમાં  સફળતાનો આધાર માનવીની તર્ક વિચારશક્તિ પર આધાર-માનવીય સ્તર પર જૈવિક સંઘર્ષ આટલે ઉચ્ચસ્તર પર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ – સત્ય  કુદરતીપરિબળોનના  સંચાલનના નીયમો સમજીને વ્યક્તિગત અને સામાજિક જીવન સલામત સમૃદ્ધ બનાવવું.- ભૌતિક અને માનસિક જજીરોમાંથી ક્રમશ: મુક્તિ-

(2)    ઇંદ્રિયજન્ય અનુભવ અને તર્કબુદ્ધિનો ઉપયોગ- જ્ઞાનનો આધાર તર્ક બુદ્ધિ -માનવ પ્રગતિનો મુખ્ય આધાર-પણ તર્ક બુદ્ધિ –

(3)   વ્યક્તિ અને સમાજના નૈતિક ધોરણોમાં સુધારા માટેનો મુખ્ય પ્રતિનિધિ તર્ક વિવેકબુદ્ધિ – માનસિક મુક્તિ -નાગરિકને સામાજિક, રાજકીય આર્થીક  સ્વવલંબનનો આધાર. માનવી પોતાનો જેટલા પ્રમાણમાં  માર્ગદર્શક બને તેટલા પ્રમાણમાં  તે મુક્ત- તર્ક વિવેકશક્તિ જૈવિક ઉત્ક્રાંતિની દેન છે.અન્ય સજીવોમાં  તે વિકસેલી છે.  તેને અનુભવમાંથી શીખવાડે છે.

(4)     માનવસ્વભાવ અને કુદરતી પરિબળો "કાર્ય કારણ નિયમોને આધીન – વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ- તર્કવિવેક શક્તિ માનવ જીવનનો અતર્ગત ભાગ-  દરેક વસ્તુ પાછળ કારણ જવાબદાર છે તે રીતે વિચારવાની ટેવ- સત્ય શોધવામાં મદદ કરે છે. પ્રત્યક્ષ જ્ઞાનવાદ ( positivism ) અને સમજ શક્તિનો સરવાળો-એટલે તર્ક વિવેકશક્તિ-

(5)   ઇન્દ્રિયોએ મગજને પૂરી પડેલ માહિતીને આધારે અનુમાન તારવવાની શક્તિ-સતત ઉત્ક્રાંતિમાંથી વિકસતી ગઈ.સદર શક્તિ જે સજીવોમાં વિકસી તે જૈવિક સંઘર્ષમાં  ટકી રહી બાકીની નાશ પામી.જૈવિક નિયમબદ્ધતા એટલે "વિચારશક્તિ " reason " આત્મસભાનતા આત્મ નિરીક્ષણને વિકસાવે છે." તર્કવિવેક શક્તિનું લક્ષણ જૈવિક છે. કશું દૈવી નથી. માનવીના સ્વભાવમાં સ્વછંદીપણું કે સંયમી જીવન બંને માંથી શું પસંદ કરવું તે માનવીની તેની  વીકસેલી તર્કવિવેકબુદ્ધિ  આધારિત છે.

(6)   દરેક સજીવ જીવ બચાવવા સ્વાર્થી  હોય છે.સ્વાર્થીપણા ના નિયમન માટે રાજ્ય સત્તા જેવુ બાહ્ય પરિબળ જરૂર છે.

(7)    Moral development  consists of the subordination of competitive or egoistic impulses to the cooperative or altruistic ones. Self- approval against social approval.            

તા-12 મી જાન્યુઆરીનો ગોધરા રેશનલિસ્ટ શિબિરનો બિપિન શ્રોફની સ્પીચ માટેના વીષયની  નોંધ.

 


--

મારા ફેસબુકના સાથી મિત્રોમાટે બ્રેઇન  સ્ટ્રોમીઇંગ સેશન-

મારા ફેસબુકના સાથી મિત્રો માટે બ્રેઇન  સ્ટ્રોમીઇંગ સેશન-

(1)  હિન્દુ ધર્મ સિવાય બીજા કયા કયા ધર્મોમાં આત્માના ખ્યાલને તેના આધારીત પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મની માન્યતા છે? શું વિશ્વના તમામ ધર્મો પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે ઇશ્વરી સર્જન નથી?

(2)  હિન્દુ ધર્મ સિવાય બીજા કયા કયા ધર્મોમાં પોતાના જ ધર્મના અનુયાઇને, સહધર્મીને પ્રાણીથી બદ્તર સદીઓથી જીવાડવામાં ઇશ્વરી ન્યાય છે તેવું સ્વીકારીને તે બધાની સાથે પણ શોષણખોર માનવીય વ્યવહાર હિન્દુ ઉજળીયાતો તરફથી તેવા સહધર્મીઓ સાથે કરવામાં આવે છે.

(3)  ભગવદ્ ગીતાના અધ્યાય બીજો શ્લોક ૨૩માં "  આત્મા" ની વિભાવનાના લક્ષણો બતાવવામાં આવ્યા છે. " નૈનં છિન્દન્તિ, શસ્રાણી નૈનં દહંતિ પાવક;

ન ચેનં કલેદયન્ત્યાપો ન શોષાયતિ મારુત. "

(4)  આત્મા જન્મ લેતો નથી, મૃત્યુ પામતો નથી, શસ્રો તેને છેદી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતો નથી,પાણીમાં તેને ડુબાડી શકાતો નથી,ને વાયુ તેને ઉડાડી શકતો નથી. ફક્ત હિન્દુ ધર્મ(?)વાળાના શરીરમાં તે કયારે દાખલ થાય છે ને મૃત્યુ સમયે જુના દેહ કે ખોળાયામાંથી નીકળી ને નક્કી કરેલા પુર્વજન્મના કર્મો પ્રમાણે નવા શરીરમાં પ્રવેશી જાય છે. આવા આત્માના સ્થળાંતરનો ધંધો કોણ ને કેવી રીતે કરાવે છે તેની કોને ખબર છે?

(5) અંગ્રેજીમાં તેને માટે સરસ શબ્દ ક્રાંતિકારી વિચારક એમ. એન. રોયે પોતાની દલીલમાં વાપર્યો છે. "Trans-migration of soul". શું તે અશરીરી છે? ભૌતિક લક્ષણો ધરાવતો નથી.

(5)  શું હિન્દુ સ્રીના શરીરમાં તે સ્રી–બીજમાં આત્મા સ્વરુપે હોઇ શકે ખરો?

(6)  શું હિન્દુ પુરુષના શરીરમાં પુરુષ–વીર્ય આત્મા સ્વરુપે હોઇ શકે ખરો?

(7)  દરેક સજીવ નામે ભૌતીક કે અભૌતીક? ફક્ત સ્રી–બીજ કે પુરુષ– બીજ થી સ્વતંત્ર રીતે એકબીજાના સંયોજન સિવાય કે ફલીનીકરણ સિવાય ગર્ભધારણ શક્ય છે? માનવગર્ભના ફલીનીકરણ પછી ૩૦ થી ૪૫ દિવસમાં હ્રદયના ધબકારા (પ્લસ) સંભળાય છે. તેને શું કહીશું? આત્માનો પ્રવેશ થઇ ગયો?

(8)  માનવ સહિત કોઇપણ સજીવમાં આત્માનો ક્યારે પ્રવેશ થાય છે? ફલીનીકરન સમયે? જન્મ સમયે? ગર્ભનાળ કાપ્યા પહેલાં પછી?

(9)  માનવ મગજમાં રહેલી  સ્મરણ શક્તિ, સ્મૃતિ કે યાદદાસ્તાન( memory) ભૌતિક કે દૈવી,અશરીરિ, દિવ્ય, ઇશ્વરપ્રેરીત વિ. માનવ ભૌતિક શરીર જો નાશવંત હોય તો શરીરના નાશ સાથે સ્મરણ શક્તિ જે ભૌતીક શરીર નો જ એક ભાગ હોય તો તે પણ નાશવંત કે નહી?

સાથીઓ, આપના પ્રત્યુતર પછી મારો લેખ વિગતે રજુ કરીશ.


--