Monday, August 14, 2017

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વોનું મુલ્યાંકન

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વોનું મુલ્યાંકન

– ઝોયઝ હસન (પ્રો જે એન યુ,) અને સી.એન. માર્થા. ( પ્રો. શીકાગો યુની. અમેરીકા) ભાવાનુવાદ–બીપીન શ્રોફ.

 મોદીની સૌથી મોટી નીતીવીષયક નીષ્ફળતા તેઓના ત્રણ વર્ષના શાસનકાળમાં હોય તો તે નોટબંધી અથવા ડીમોનીટાઇઝેશન છે. નોટબંધીએ જે સમગ્ર ભારતીય અર્થતંત્રને નુકશાન કર્યુ છે તે અમાપ છે.આ નીર્ણયથી મોદીએ લોકોને ચુંટણી દરમ્યાન આપેલા ઝડપી વીકાસ અને રોજગારીનો તકો પુરી પાડવાના વચનો ક્યારેય પાર પાડી શકશે નહી.

·                થોડાજ સમય પહેલાં ડૉનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની વચ્ચે જે મુલાકત થઇ હતી તેને થોભો અને રાહ જુઓની નીતી પ્રમાણે મુલ્યાંકન કરીએ. બંને નેતાઓમાં કઇ કઇ સમાનતાઓ છે અને કયા કયા વીરોધાભાસ છે તેને સમજીએ. બંનેને દેશોની પ્રજાએ પ્રચંડ લોકમતથી પોતાના મજબુત નેતાઓને ચુંટયા છે.રાજ્યશાસ્રના વીસ્તૃત અને આદર્શ અભ્યાસી તરીકે બંને દેશોના આ ટોપના નેતાઓના વ્યક્તીત્વનું મુલ્યાંકન કરીએ. બંને પોતાના જુદા જુદા વ્યક્તીત્વથી જે તે દેશની પ્રજામાં ખુબજ લોકપ્રસીધ્ધી ધરાવે છે. મોદીની મજબુત રાજકીય નેતા તરીકે છાપ ભવીષ્યમાં દેશની લોકશાહી પ્રથાને ક્યાં લઇ જશે અને કેવા પરીણામ લાવશે તે નક્કી કરવું કસમયનું છે. મોદી અને ટ્રમ્પ બંને જે તે દેશના લાંબા સમયથી રાજકીય ભદ્રવર્ગીય નેતાગીરી સામે પ્રજાના પ્રચંડ પ્રકોપને કારણે સરળતાથી ગાંડીતુર લોકપ્રીયતાની રચના કરીને સત્તાપર આવ્યા છે.ભ્રષ્ટાચાર,આંતરીક રીતે રાજકીય હુંસાતુસી અને લોકાભીમુખને બદલે લોકવીમુખ સરકારો જેવા તે બંનેની ચુટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓ હતા. બંનેએ ચુંટણી પ્રચારોમાં વંચીતોના દુ;ખો દુર કરવા માટેની આશા વ્યવસ્થીત રીતે ઉભી કરી હતી.

ભારતમાં કેટલાય દસકાઓથી શીક્ષણ દ્રારા સમાન સશક્તીકરણ અને રોજગારી જેવા પાયાના મુદ્દાઓ એક પછી એક આવતી સરકારો ઉકેલવામાં બીલકુલ નીષ્ફળ નીવડી હતી. મોદીએ પોતાના ચુંટણી વચનોમાં ઝડપી આર્થિક વીકાસ અને પ્રતીવર્ષે સવાકરોડ જેટલી નવી રોજગારીની તકો ઉભી કરવાનાં વચનો આપ્યા હતા. બેમાંથી કોઇ વચનો મોદી શાસન કાળના ત્રણ વરસમાં પુરા થયા નથી. અને આગામી બે વર્ષમાં પુરા થાય તેવી કોઇ નીશાનીઓ અત્યારે તો મોદીના વહીવટમાં દેખાતી નથી. તેની નીષ્ફળ ગયેલી નોટબંધીની નીતીને કારણે પેલા વીકાસ અને રોજગારીના વચનોનું સંપુર્ણ બાષ્પીભવન થઇ ગયું છે.

    અમેરીકામાં નીચલા મધ્યમવર્ગના આવક વધવાના સ્રોત્રો બીલકુલ સ્થગીત થઇ ગયા છે. વ્યક્તીગત હેલ્થકેરની વ્યવસ્થા બીલકુલ તળીયે પહોંચી છે. ત્યાં રોજગારીનો આંક ૧૦૦% પહોંચ્યો છે.જેને ઇચ્છા હોય તે બધાને રોજગારી મળી રહે છે.પણ આ નીચલા મધ્યમગોરા વર્ગના યુવાનોની કુશળ અને આધુનીક વ્યવસાયીક તાલીમ નહીં હોવાને કારણે( Skilled personnel) તે બધા રોજગારીની હરીફાઇમાં પાછળ પડી જાય છે.આ ઉપરાંત યુનીર્વસીટી શીક્ષણ અતીખર્ચાળ બનતાં તેમના માબાપોના ગજાબહારનું બની ગયું છે. તે દેશના આ બધા પાયાના પ્રશ્નો હતા તેમ છતાં ટ્રમ્પ પોતાના ચુંટણી પ્રચારમાં તે પ્રશ્નોને બાજુએ મુકીને કુલ બહુમતી પ્રજામત મેળવવામાં હારી ગયા તેમ છતાં પરોક્ષ ઇલેકટ્રોકોલજ મતોમાં સરસાઇ મળતાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા છે.જયારે મોદી પોતે અને પોતાના લોકસભાના પક્ષીય ઉમેદવારોને જવલંત મતે જીતાડવામાં પુરેપુરા સફળ થયા છે.

 

   ડોનાલ્ડ ટ્રમ્પનો ખુબજ જોશીલો વીરોધ બંને ડેમોક્રેટ અને તેના પોતાના પક્ષના કેટલાક સેનેટરો કર્યો હતો. તેથી અત્યાર સુધી ટ્રમ્પ કોઇ મહત્વના નીતી વીષયક ફેરફારો કરી શક્યા નથી.જ્યારે મોદી સામે તેના રાજકીય વીરોધપક્ષો વીકેન્દ્રીત અને અસંગઠીત છે.વધારામાં મોદીને તેના પક્ષનો કોઇ આંતરીક વીરોધ નથી. રાજકીય વીરોધીઓ મોદીને ગૌ–માંસ નામુદ્દે, લઘુમતી લોકોની બહુમતી ટોળા દ્રારા થતી હીંસા, ગૌ હત્યા, લવ જેહાદ, એન્ટી રોમીયો સ્કોવોડ વી મુદ્દાઓ પર યોગ્ય સંઘર્ષ કરી પ્રજામત કેળવવામાં નીષ્ફળ ગયા છે.તે બધા વીરોધી રાજકીય પક્ષોને એવો ભય છે કે તેવા વીરોધથી હીંદુ મતદારોની લાગણી ઘવાશે.અમેરીકાની સરખામણીમાં મોદીના ભગવા રાજકીય પ્રભુત્વ સામે આપણા દેશમાં તેની સામે ત્રણ વર્ષના શાસનકાળ પછી પણ મોટાપાયે રાજકીય વીરોધ સંગઠીત થઇ શક્યો નથી. ટ્રમ્પ અને મોદી બંને ઉદ્દામવાદી ઇસ્લામ સામે ખુબજ આકરૂ વલણ ધરાવે છે; તેવું તેમના તારીખ ૨૬મી જુને વોશીંગ્ટન મુકામે કરેલા સંયુક્ત નીવેદનથી પુરવાર થાય છે. બંને બોધ્ધીક વીરોધી અને પોતાની ટીકાઓ અને તેને કરનારા પ્રત્યે ખુબજ તીરસ્કાર અને નફ્ફ્ટ વલણ ધરાવે છે.(anti-intellectual and abhor criticism). બંનેએ પોતાના દેશના ઉધ્યોગ બેરોન (કોર્પોરેટ એલીટસ)ને છુટોદોર આપીને જુદી જુદી અનુકુળતાઓ કરી આપી દીધો છે.બીજી બાજુએ મોદીએ મતોનું એકતરફી ધ્રુવીકરણ થાય માટે અતી ઉગ્ર રાષ્ટ્રવાદી પ્રજામતને હાનીકારક રીતે સંગઠીત કરવા માંડયો છે. રાજકીય વીરોધીઓ જાણે રાતોરાત દેશ વીરોધી બની ગયા હોય તેવું વાયુમંડળ દેશમાં વ્યવસ્થીત કુપ્રચારથી સર્જન કરવામાં આવ્યું છે. સરકારની નીતીઓ,કાર્યો કે પરીણામોની કોઇપણ ટીકા કરે એટલે તે ટીકા કરનાર તરતજ દેશદ્રોહી બની જાય છે. બંને દેશના, આ બંને નેતાઓને ટીવી મીડીયા, પ્રેસ અને ન્યુઝપેપર પ્રત્યે સહેજ પણ માન કે ગૌરવ બીલકુલ નથી. બંને નેતાઓ સ્વપ્રસીધ્ધી માટે પોતાના તૈયાર કરેલ, ઇચ્છા મુજબની પોતાની પપુડી વગાડે તેવા સોસીઅલ મીડીયા અને ઇવેંટ મેનેજમેંટના ઉપયોગમાં રસ ધરાવે છે. ભરપેટ તે બધા સાધનોનો બેફામ ઉપયોગ કરે છે. અમેરીકાના ટીવી અને અન્ય મીડીયા સાધનોની સામે ભારતમાં મીડીયા મોદી સરકારનો હાથો બનીને સરકારી ઉગ્રરાષ્ટ્રવાદના રંગે રંગાઇને વીરોધપક્ષો સામે સરકારી તકેદાર (as watchdogs)ની ફરજ બજાવે છે.

    મોદી અને ટ્રમ્પ બંને ભીન્નપ્રકારના દ્રષ્ટાંતરૂપ લોકરંજક નેતાઓ છે.ટ્રમ્પ નેતા તરીકે સતત સ્વપ્રેમી ને આત્મશ્લાઘામાં(Narcissist) રચ્યાપચ્યા નેતા છે. જયારે નરેન્દ્ર મોદી પોતાની વીચારસરણીને વરેલા અસમાધાનકારી નેતા છે(Ideologue). ટ્રમ્પ એક ટેક્ષબુક ટાઇપનો સ્વપ્રેમમાં સતત ડુબેલો રહેતો નેતા છે. તેની બધી વાતો તેના પોતાના સ્વક્રેન્દી વ્યક્તીત્વની આસપાસ ગુંથાયેલી હોય છે. ફેસબુક પર તેની દરેક ટવીટ,પ્રવચનમાં તે જાહેર કરે છે કે તે કોણ છે, તેની પાસે શું છે, તે બધામાં સર્વોત્મ છે, તે જ શ્રૈષ્ઠ છે વગેરે વગેરે. ટ્રમ્પને બીજાઓ સાથે કામ કરવા– કરાવવાના આદાનપ્રદાનમાં કે બીજા સાથે પારસ્પરીક કર્તવ્યો નીભાવવામાં ખુબજ મુશ્કેલી પડે છે. તે એક ઉધ્યોગપતીની માફક 'હાયર અને ફાયર'માં માને છે. તે એક રાજકીય લોકનેતા નથી. તે વારંવાર ઉગ્ર, ક્રોધાવશ બની જાય છે. તે ચીડીયો બની જઇને ઘણીવાર બીભત્સ શબ્દો (petulant and vulgar words) બોલી નાંખે છે. ટ્રમ્પને લાગે કે તેના બરાબર વખાણ થયા નથી ત્યારે ગમે તેને અને કોઇનું પણ અપમાન કરી નાંખતાં સહેજ પણ વીચાર કરતો નથી. અત્યાર સુધીમાં ટ્રમ્પના આવા ચીડીયા સ્વભાવના બલી ન્યાયાધીશો, રાજકીય પક્ષોના નેતાઓ, જર્નાલીસ્ટો, સ્રીઓ,અને મીત્ર દેશોના વીશ્વાસપાત્ર નેતાઓ બન્યા છે. તેને સતત દરેક બાબતમાં માન્યતા મળે તેવી સીમાહીન તરસ છે. વાઇટ– હાઉસમાં નીતીઓ ઘડવામાં અને અમલ કરાવવામાંથી આવી તરસ તેની બુઝાતી નથી. પણ તેની આવી તરસ મતદારો તરફથી ચુંટણી સભામાં સતત મળતી તાલીયોથી બુઝાય છે. ટ્રમ્પની પાસે સેનેટ અને કોગ્રેસ બંને હાઉસમાં બહુમતી હોવા છતાં તે લગભગ કશું કરી શક્યા નથી. કારણકે તેની ખાટલે ખોડ બીજા સાથે લાંબા સમય સુધી જયાં સાચી નીતી પર નીર્ણય કરવાની જરૂરત છે ત્યાં એકાગ્રતાથી કામ કરી શકતાં આવડતું નથી. દરેક આત્મશ્લાઘાનો ભોગ બનેલા નેતા (narcissist)ની કોઇ નીતીઓ સ્થીર હોતી નથી. ટ્રમ્પને કાયમ માટે પોતાના વખાણ સાંભળવા જ ગમે છે. તે પોતાના કાર્યોની દીશા બેફામ રીતે બદલ્યા કરવામાં સરસ રીતે માહેર છે. તે નીચલા મધ્યમ વર્ગના ટેકાથી ચુંટાઇ આવ્યો છે પરંતુ તેના કાન હંમેશાં અમેરીકાના અતી સમૃધ્ધ પૈસાદારો શું બોલે છે તે સાંભળવા જ તૈયાર હોય છે. તે પોતાની સ્થીતીમાં અક્લ્પનીય રીતે ગુલાંટો(flip-flop unpredictably)મારી શકે છે. પોતાના ચુંટણીના એજન્ડામાં વારંવાર અમેરીકાના મતદારો સમક્ષ વચનો આપેલા કે તે અમેરીકન દુતાવાસ ઇઝરાઇલના જેરૂસલેમમાં શરૂ કરશે, ચીન સામે વેપાર યુધ્ધ શરૂ કરીને નાણાંકીય બેલેન્સ ઓફ પેમેંટ અમેરીકાની તરફેણમાં લાવી દેશે, તેવું જ વલણ તેનું કલાઇમેટ ચેંજ,અને ગે રાઇટસનામુદ્દાઓ પર આપેલાં  હતાં. જે હવે બીજી વાર કદાચ પ્રમુખ તરીકે ચુંટાય ત્યારે પાળી બતાવશે. હેલ્થ કેરના મુદ્દે તેની નીતીવીષયક અને નૈતીક સ્થીતી દરરોજ એટલી બધી બદલાયા કરે છે કે અમેરીકન કોંગ્રેસે તેને સાંભળવાનું જ બંધ કરી દીધું છે. આવુ તો ઘણું બધુ ટ્રમ્પ વીષે કહી શકાય તેમ છે. ટ્રમ્પ એક બાળક જેના મીત્રો અને દુશ્મનો કાયમી હોય તેમ વીશ્વના દેશોના સંબંધોને અંગત દ્રષ્ટીથી જુએ છે.  સાઉદી એરેબીયા સાથે તેની અંગત મીત્રતા  લાંબા સમયની હોવાને કારણે કતાર પર હુમલો કરીને પજવવાનું નક્કી કર્યુ છે. તેનું પરીણામ મધ્યપુર્વના અમેરીકન હીતોના સંદર્ભમાં લાંબાગાળામાં કેવા અને કેટલા ગુંચવાડા ભર્યા બનશે તેનો વીચાર લેશ માત્ર કર્યો નથી.

 તેની સામે નરેન્દ્ર મોદી ભારત માટે આ દસકાનો સૌથી શક્તીશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યો હોય તેમ દેખાય છે. તે એક રાજકારણી તરીકે ત્રણ મુદત સુધી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે હતા. મોદીની કારર્કીદીનો આધાર તેમની આર એસ એસની વીચારસરણી છે. જે વીચારસરણી સ્પષ્ટરીતે માને છે કે દેશમાં હીંદુ રાષ્ટ્ર હોવું જોઇએ અને તેમાં ખ્રીસ્તીઓ અને મુસલમાનોનું સ્થાન બીજાવર્ગના નાગરીકથી વધારે ન હોવું જોઇએ.સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોમાં મોદીનો જે રોલ હોય તે; પણ તે એક સજ્જન કે નોબલ માણસને ગૌરવ અપાવે તેવો ન હતો. તેથી અમેરીકન સ્ટેટ ડીપાર્ટમેંટે તેઓને વીઝા નહી આપવા માટે જે કારણ આપ્યું હતું કે મોદી ધાર્મીક ભેદભાવને(to deny him a visa for religious discrimination) ટેકો આપે છે તે યોગ્ય હતું. તેમ છતાં તે ભારતીયોને સમજાવી શક્યા કે છેલ્લા છ દાયકાઓથી દેશનો વીકાસ જ નથી થયો. જો મતદારો તેઓને ચુંટશે તો તે દેશનો આર્થીક વીકાસ કરશે. તેઓ નીચલા મધ્યમ વર્ગને ટ્રમ્પની માફક તે વર્ગનો મસીહા હોય તેમ મત મેળવવામાં આકર્ષી શક્યો. ભલે મોદીની નોટબંધીની નીતીએ દેશના સૌથી મોટા સામાજીક વર્ગને નુકશાન કર્યુ હોય તો તે આ નીચલા મધ્યમ વર્ગને કર્યુ છે. સામી બાજુએ દેશનો મધ્યમ વર્ગ મોદીને એવા નેતા તરીકે સ્વીકારે છે કે જે તેમની ભાષા બોલે છે અને તે બધા જેવું વીચારે છે તેવું જ મોદી વીચારે છે. તેમના મત પ્રમાણે મોદી સરકાર 'હીદું હીત' માટે કામ કરે છે. મોદીનો આર એસ એસ સાથે લાંબા સમયથી જે 'નાભી–નાળ'  સંબંધ છે તેને કારણે શીસ્તબધ્ધ અને આયોજનપુર્વક કામ કરનાર માણસ છે. તેઓની પાસે  હીંદું રાષ્ટ્રના નીર્માણ માટે જરૂરી ધીરજ અને ચોક્કસ ધ્યેયને સમર્પીત લાંબાગાળાનું આયોજન છે. તેઓને હલકી ખુશામત ગમે છે પણ પેલા ટ્રમ્પની માફક મોદી આત્મશ્લાઘામાં (but not in the manner of the narcissist:)) રાચતા નથી.મોદી ક્યારેય પોતાની આર એસ એસની વૈચારીક પ્રતીબધ્ધતાથી દુર જતા નથી કે તે વીચારસરણી બાજુપર મુકીને ક્યારેય કામ કરતા નથી. તે પવનની દીશા પ્રમાણે પોતાનું નાવ હંકારનાર માણસ નથી. ભારત એક દેશ તરીકે મજબુત હીદું રાષ્ટ્ર બને તે માટે દેશમાં મુળભુત પરીવર્તન લાવવા કામ કરી રહ્યા છે.( working for a radical transformation of India so that it becomes a strong Hindu nation). આવું પાયાનું પરીવર્તન લાવવા માટે ધીક્કાર અને બદલાની ભાવાનાવાળુ હીંસક વાતાવરણ મન મુકીને દેશમાં પેદા થાય તે પ્રાપ્ત કરવા કોશીશ કરવામા આવી રહી છે. તે માટેનો છુટો દોર આપી દેવામાં આવ્યો છે.( A permissive climate of hate and retributive violence has been cultivated to achieve this.) હીદુંબહુમતી ફક્ત ચુંટણી પુર્તી મુસ્લીમ સામે પડીને અટકી જાય તેવી વ્યુહ રચના બીલકુલ નથી. ખરી હકીકત તો એ છે કે દરેક ચુંટણીના પરીણામ પછી મુસ્લીમો સામે ધીકકાર અને બદલાની ભાવનાનું વાતાવરણ ક્રમશ: વધતું ગયું છે. પહેલાં ગૌ–વધ હવે બફેલોના માંસના નીકાસ વેપાર વીરૂધ્ધ હીદું મતોનું મોટા પાયે ધ્રુવીકરણ થઇ રહ્યું છે. અમેરીકાના સ્વપ્રેમમાં રાચતા ડોનાલ્ડ ટ્રમ્પ અને શક્તીશાળી હીદુરાષ્ટ્ર બનાવવાની આર એસ એસ વીચાસરણીને પ્રતીબધ્ધતાથી સમર્પીત નરેન્દ્ર મોદી બંને લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થા માટે જોખમરૂપ સાબીત થવાના છે.( Both the narcissist and the ideologue pose threats to democracy.).

 

 

 

ટ્રમ્પનો ભય વીશ્વ માટે એ છે કે તે તેના તરંગો, તુક્કાઓ અને મુર્ખામીભર્યા નીર્ણયોમાંથી કોઇ મોટી વેશ્વીક કટોકટી પેદા કરે! પોતાના દેશમાં તે પોતાની નીતીઓ અને વર્તનોથી મુક્તપ્રેસ અને વ્યક્તીગત અભીવ્યક્તીના અધીકારો પર હુમલા કરે. જ્યારે અમેરીકા જેવા દેશ માટે આંતરીક પ્રશ્નો ઉકેલવા માટે કંઇજ ન કરીને દેશને અંધાધુધીમાં ધકેલી દે. પરંતુ ટ્રમ્પની નીતીઓની પસંદગીમાં કાંઇજ ન કરવાનું હોય તો તે અમેરીકા માટે પ્રમાણમાં આશીર્વાદરૂપ બની રહેશે. (But, given Trump's policy preferences, getting nothing done is probably good for America.)

બીજી બાજુએ લોકશાહી માળખામાંથી જ ચુંટણીની પ્રક્રીયામાં એવી પક્ષીય સત્તાકીય શતરંજના પ્યાદાઓની ગોઠવણ લાંબાગાળાની કરતા જવું કે જેનાથી મોદી પેલા શકતીશાળી હીદું રાષ્ટ્રની સ્થાપનાનો માર્ગે કુદકે ને ભુસકે આગળ વધતો જઇને આધુનીક ધર્મનીરપેક્ષ રાજ્યને જ તોડી પાડે. આની સાથે સાથે સામાજીક ચીંતામાં વધારો કરે તેવી બાબત એ છે કે મોદીએ સમજપુર્વક પોતાની વ્યક્તી પુજા આધારીત વ્યક્તીત્વ બની રહે તેવા પરીબળોને પહેલીથી જ પ્રોત્સાહીત કર્યા છે.વ્યક્તીપુજાનું ઉત્તેજન સમજપુર્વક વીકસાવવામાં આવ્યું છે. આને કારણે એકહથ્થુસત્તાના વીકાસ માટેનું યોગ્ય બીબું તૈયાર થવા માંડયું છે. ખરેખરતો તે  થઇ જ ગયું છે.તેના પરીણામ સ્વરૂપે બહુમતી હીદુંવાદે લોકશાહીના મુળભુત મુલ્યો જેવાકે દરેક નાગરીક તેની જ્ઞાતી,જાતી, ધર્મ કે લીંગ વગેરેના તફાવત સીવાય સમાન અધીકારો ધરાવે છે તે બંધારણીય અધીકાર પર જ કઠુરાઘાત કરેલ છે.

લેખકો– ( Hasan is Professor Emerita, Jawaharlal Nehru University and Nussbaum is Ernest Fruend Distinguished Service Professor of Law and Ethics at the University of Chicago. )

 


--

Friday, August 11, 2017

ઉપયોગી બેવકુફ ભાગ–૨

મારા મત મુજબ આ બધા ઉપયોગી બેવકુફો શા માટે બેવકુફ રહેવાનું પસંદ કરે છે તેના ચાર કારણો છે.

એક–પોતાની બુધ્ધીથી ખોટી વાતને સુયોજીત રીતે સાચી છે તે રીતે સમજાવવી. ( Rationalisation)

આ ઉપયોગી બેવકુફો સારી રીતે સમજે છે કે જાહેરમાં મોદી અને તેની સત્તાને ટેકો આપવાથી તે બધાની આજદીન સુધીની જે જાહેર આબરૂ ને સ્વાભીમાન છે તે જોખમમાં મુકાશે. તે બધા સહેલાઇથી પોતાના મગજ બદલી શકે તેમ નથી. તેમને ખરેખર સત્યવાદી દેખાવું છે. તેથી મોદીની નીષ્ક્રીયતાને પોતાની બુધ્ધીના ઉપયોગથી સાચી ઠેરવવા પ્રયત્ન કરે છે. જયારે મોદી પોતાના ચુંટણી વચનો પ્રમાણે સુધારા લાવી શકતા નથી ત્યારે આ બધા ઉપયોગી બેવકુફો એમ લોકોને વીશ્વાસ અપાવે છે કે આવા બધા સુધારાતો ક્રમશ; જ થાય. જરૂરી પરીવર્તન તો ધીમેથી જ આવે.મોદીને હજુ રાજ ગાદી પર બેસવા તો દો. તેને શ્વાસ લેવાનો તો સમય આપવો જોઇએ ને! રાજકીય અર્થતંત્રને સમજવું કોઇ સરળ ચીજ નથી. તે વીષયતો ઘણો ગુંચવાડાથી ભરેલો છે. આવી બધી વાહીયાત દલીલો પેલા ઉપયોગી બેવકુફો કરતા જાય છે. ખરેખર આ માણસ સાચી દીશામાં પ્રયત્ન જ કરતો નથી. તે બધા હાજી હા કરનારા ભક્તો છે. જે નીતી કે કાર્યક્રમો જો જુની સરકારે બહાર પાડયા હોયતો ટીકા કરે તેવા બધી બાબતો જયારે મોદી તરફથી બોલાય છે ત્યારે તેં બીલકુલ મુંગામસ બની જાય છે. જયારે દેશમાં કોઇપણ સ્થળે દંગા ફસાદ,હુલ્લડકે હીંસા મુસ્લીમ, દલીત કે હવે ગાય નામે ફાટી નીકળે છે ત્યારે આ બધા એવી દલીલો રમતી મુકે છે કે આવું બધુ કરનારા તો છુટા છવાયા તત્વો છે, આ કોઇ સંગઠીત, યોજનપુર્વકના હુમલા નથી. મોદીઅને તેની સરકારમાં જે થાય તે બધુ યોગ્ય જ હોય!

બે– ગાજર બતાવતા રહેવું.( Two: The Carrot)

 મોદી સરકારમાં આવ્યા પછી રાજકીય ખૈરાતોના અર્થતંત્રની બોલબોલા ખુબજ મોટા પાયે વધી ગઇ છે. આમાં હું બીજેપીના આઇ ટી સેલના કર્મચારીઓની જે પેરોલ પર છે તેની રોજગારીની વાત કરતો નથી. તે બધી ખેરાતોને તો કાયદામુજબની બનાવી દેવામાં આવી છે. પણ હું તો એવી રાજકીય ખૈરાતોની વાત કરૂ છું જેવીકે રાજયસભાનું સભ્યપદ,પધ્મશ્રી એવોર્ડો, સરકારી સંસ્થાઓમાં મોટા આર્થીક વળતર સાથેના માનદ્ વેતન સાથેની નીમણુકો, સરકારી સાહસો (પીએસયુ)માં તગડા ભાડાભથ્થાસ સાથેના માનદ્ વેતનો,અને નીતી આયોગ જેવાના સભ્ય પદો. આ રાજકીય ખૈરાતોની યાદીનું લીસ્ટનો છેડો જ આવે તેમ નથી. મેં હમણાં એક મેગેઝીનનો, જે બીજેપીને ટેકો આપે છે તેનો લેટેસ્ટ અંક ખરીદયો છે. જેના અંકમાં મોટાભાગની જાહેરાતો સરકાર દ્રારા સંચાલીત જાહેર કુંપનીઓની જ છે. જે માસીકના તંત્રીઓ મુક્ત અર્થતંત્રના મુકત ગાનાં ગાય છે. ખરેખર તો તે પરોપજીવી છે જે કરદાતાના પૈસાથી અપાતી સરકારી જાહેરાતો પર જીવે છે.અને તે મેગેઝીનમાં  સરકારી સાહસો વીરૂધ્ધના વીચારોની જોરદાર રજુઆત કરે છે. કેવી વક્રોક્તી!!

મને ખબર છે કે છેલ્લા ઘણા દાયકાઓથી આવી સત્તાની લ્હાણી અગાઉની સરકારો આજ પ્રમાણે કરતી હતી. સારો રસ્તો તો નવી સરકાર પાસે  હતો કે તે બધી સત્તાની લ્હાણીઓ (a Patronage Economy) કાયમ માટે બંધ કરી દેવી.

ત્રણ સત્તાની ચાબુક.Three: The Stick

સરકાર ભયંકર કીન્નાખોરી કરે છે. અને તે ઘણા લાંબાસમય સુધી સત્તામાં રહે તેમ લાગે છે.તેની સામે બાથ ભીંડવાથી શું લેવાનું છે? આયોજન પંચને બદલે અસ્તીત્વમાં આવેલ નીતી આયોગમાં હું જે બે માણસોની નીમણુક કરવામાં આવેલી છે તેઓને હું ઓળખુ છું(પાનગરીયા સીવાય) તે.બંને મુક્ત બજાર ( free-market)ના ટેકેદાર છે. તે બંને મોદીની નીતીઓને ટેકો આપે તેવુ જાહેરમાં કહેવામાં આવ્યું. બંનેએ તેમ જ કર્યું. તે બંને જણે ખુશામતભર્યું કે પળશી કરવા જેવું  વર્તન(cringe) કર્યું છે. જે લોકો વર્તમાન સરકારમાં છે તેઓમાંના મીત્રૌએ મને જણાવ્યું છે કે આવા હુકમ સરકાર તરફથી દરેક ઉપયોગી બેવકુફોને આપી દેવામાં આવ્યાછે. મુગા રહેવાની છુટ આપવામાં આવી નહતી. એક સમયના આદરણીય અને સન્માનીય ગણાતા જગદીશ ભગવતી હવે તેઓને અનુભવાય છે કે તે સત્તાની કીલ્લેબંધીમાં ઉતરતી કક્ષાના બની ગયા છે. ( ભગવતીની વર્તમાન સ્થીતી માટે ઉપર જણાવેલા ત્રણ કારણોમાંથી ગમે તે એક જવાબદાર હશે.) તે કયું કારણ હશે તે બીલકુલ મહત્વનું નથી. સત્તામાટેની સરહદો પર ફરતા ઘણા બધા ઉપયોગી બેવકુફો હોય છે કે જેઓએ આવા દીવાસ્વપ્નોની પાછળ આખી જીંદગી પસાર કરી છે. હવે તે બધા સરકારી બૌધ્ધીકો છે. હવે કયા કારણોસર તેમને મળેલી સત્તાની મહેરબાની ગુમાવે? સત્ય અને સીધ્ધાંતો કઇ બલા છે. આગળ વધો, રાહ કોની જુઓ છો!

ચાર– સત્તા માટેની લાલસા– (Four: The Lust For Power)

આપણા જેવાઓ માટે સત્તા અને ખાસ કરીને રાજકીય સત્તા તો પ્રજાના કલ્યાણ કરવાનું એક સાધન છે,( the means to an end). જયારે બીજાઓ માટે તે સાધન અને ધ્યેય બંને છે. તમે જે બધું ખુરશી માટે કરો છો તે તો નર્યો દંભી ને ઉપરછલ્લો દેખાડો (a facade) માત્ર છે. છેલ્લા કેટલાક મહીનાઓમાં મારા જાણીતા એટલા બધા લોકોને મેં સત્તાની સમીપ કે નીકટ જોયા(transformed by proximity to power ) જેથી મને સખત આઘાત લાગ્યો ને ખુબજ દુ;ખ થયુ. આ ઉપયોગી બેવકુફોને ફક્ત પોતાના સ્વાર્થ સીવાય બીજુ કશું હોતું નથી; તેમના સીધ્ધાંતતો એટલે સગવડભર્યા સીધ્ધાંતો; આવા લોકો જ્યારે બધા સત્તાની નજીક આવે છે, ત્યારે સીધ્ધાંતો છોડી દે છે. જેમ તેમના સત્તાધીશ માલીક આવા ઉપયોગી બેવકુફોને તે બધાની જરૂરીયાત પુરી થતાં એક દીવસે છોડી દે છે.

મારા એક નજીકના મીત્રે કહ્યું કે " અમીત, દેશમાં મુડીવાદી અને જમીનદારી વર્ગે(economic  right )સામાજીક રીતે ધાર્મીક પ્રત્યાઘાતી પરીબળો (social right)સાથે ચોક્કસ હાથ મીલાવવા જોઇએ. તેથી અમે એક અજેય પરીબળ બની જઇશું." હું તે સાથે  બીલકુલ સંમત નથી. હવે કોઇ જમણેરી કે ડાબેરી નથી. તે ખ્યાલો બીનઉપયોગી બની ગયા છે. હું મુકત બજારના અર્થતંત્રવાળી વીચારસરણીનો ટેકેદાર છું. કારણકે હું વ્યક્તીગત સ્વતંત્રતાની અબાધીત તરફેણ કરનાર છું. આપણા દેશમાં સામાજીક જમણેરીનો ખ્યાલ અને પ્રવૃત્તીઓ વ્યક્તીગત સ્વતંત્રતાના વીચાર સાથે ક્યારેય સુસંગત હોઇ શકે નહી મુળભુતરીતે તેમના વીચારો અને ખ્યાલો ધર્માંધ,મતાંધ અને સ્રી પ્રત્યે દ્રેષભાવ રાખનારા હોય છે (bigots and misogynists). મેં મારા મીત્રને કહ્યુ કે ભાઇ! તું ખોટો છે. આવા પરીબળો  હવે અસરહીન  બનવા માંડયા છે. તે બધાને મહત્વ આપવાની જરૂર નથી.

એક સમાચાર મુજબ અરવીંદ પાનગારીયે 'નીતી આયોગના વાઇસ ચેરમેન તરીકે  રાજીનામુ સ્વદેશી જાગરણ મંચના દબાણને કારણે આપ્યું છે.' જેને કારણે તેની આબરૂને લીરેલીરા ઉડી ગયા છે. મોદી અને તેની ટોળકીએ તેઓનો ઉપયોગ કરીને જરૂરી મજબુત રાજકીય મુડી પેદા કરી લીધી છે. હવે આવા ઉપયોગી બેવકુફોની જરૂર નહી હોવાથી એક પછી એકને ફગાવી દેવામાં આવ્યા છે.

(and no longer need these Useful Idiots.) આ ઉપયોગી બેવકુફો પોતાના નીર્ણયોને વ્યાજબી ઠેરવવા ઉપજાવી કાઢેલું બૌધ્ધીક કારણ આપશે. સત્તા અને નાણાં જે પદવીસુચક વસ્રાભુષણથી મેળવ્યાં તેનો આનંદ ભોગવશે. અને અંતે સાવચેતી ભરી રીતે પેલા સુપ્રીમ લીડરની નજરથી દુર જતા રહેશે. આવા સંજોગોમાં માનવ સ્વભાવ પ્રમાણે સ્વ–ભ્રમણાના ગુણધર્મ મુજબ રાત્રે સરસ રીતે સુઇ પણ જશે. મને તો તેઓએ જે કાંઇપણ કર્યું તેનાથી દુ;ખ થયું છે. પણ તેનાથી વધારે તો મને આ દેશમાં જે બની રહ્યુ છે તેનાથી વધારે દુ;ખ થાય છે.(I feel sad for what they have done to themselves. But I feel sadder for what is happening to this country.)

 

 


--

Beware of Useful idiots- Part-1.

ઉપયોગી બેવકુફોથી સાવધાન રહો! ભાગ–૧–અમીત વર્મા.

(Beware of the Useful Idiots)

 

https://www.thinkpragati.com/wp-content/uploads/2017/03/IMG_2149-128x128.jpg

 ૨૦૧૪ની લોકસભાનીચુંટણી સમયે અને ત્યાર પછી, દેશના જે બૌધ્ધીકોએ નરેન્દ્ર મોદીને ટેકો આપેલો તે બધાને હવે તેમની ભુલ સમજાતી હશે. ઘણા બધાને હજુ પણ પોતાની ભુલ નહી સમજાતી  હોય. કેમ?  તેના કારણો આ પ્રમાણે છે.

 આશરે એક સદી પહેલાં રશીયન ક્રાંતીના અગ્રેસર લેનીને 'ઉપયોગી બેવકુફ''Useful Idiots.' વીશેષણનો ઉપયોગ કર્યો હતો. આ વીશેષણને તેવા બૌધ્ધીકો અને દેશના પ્રતીષ્ઠીત લોકો માટે વાપર્યો હતો જે બધાએ લેનીનની સામ્યવાદી ચળવળમાં જોડાઇને તે ચળવળને ગૌરવ અપાવ્યુ હતું. પણ રશીયન ક્રાંતીના વાહકોના આંતરીક સક્રીય જુથમાં 'ઉપયોગી બેવકુફો'નો કોઇ માન મરતબો કે મહત્વ ન હતું. વીકીપીડીયામાં આ 'ઉપયોગી બેવકુફ' તેને કહેવાય છે જે આવેલ પરીવર્તનની કોઇ એક બાજુને ટેકો આપે છે.જયારે પરીવર્તનના વાહકો આ બધા ઉપયોગી બેવકુફોનો પોતાની ચળવળની મુજબુતાઇ માટે ચાલાકીપુર્વકનો ઉપયોગ કરે છે અને ખરેખર આવા લોકોને તે બધા સખત રીતે ધીક્કારે છે. આ ઉપયોગી બેવકુફોને તે પણ ખબર નથી હોતી કે આ પરીવર્તનની વીચારધારા કઇ છે અને તે દેશને કઇ દીશામાં લઇ જવા માંગે છે.આવા ઉપયોગી બેવકુફોની જરૂરીયાત સમય જતાં નહી રહેતાં તે બધાને લેનીન અને સ્ટાલીને સાઇબીરીયાની જેલોમાં ( many were sent to the Gulag once their utility diminished) ધકેલી દીધા હતા.વીશ્વના ઘણા સરમુખ્તયાર જેવા કે હીટલર, માઓત્સેતુંગ, ચેવાઝ. વી એ પોતાની અનુકુળતા પ્રમાણે ઉપયોગ કરીને તે બધાને ફગાવી દીધા હતા. તમે આ લેખ વાંચનાર તરીકે સને ૨૦૧૭માં ભારતમાં રહેતા હશો તો તમને પણ ખબર પડશે કે અહીંયાપણ ઉપયોગી બેવકુફો વસે છે.

 હું તમારી પાસે ચોખવટ કરી લેવા માંગું છું કે આ લેખમાં જેના નામોનો ઉલ્લેખ કર્યો છે તે ઉપયોગી બેવકુકો નથી. મેં ઉપયોગી બેવકુફનું વીશેષણ ઉપર જે રીતે તેને તમારી સમક્ષ ઓળખાવ્યું છે તે પ્રમાણે ઉપયોગ કરીશ. મારા મનમાં કેટલાક ઉપયોગી બેવકુફોનો જે વીચાર આવે છે તે એવા છે કે જેઓએ ઉપયોગી બેવકુફની કળાસરસ રીતે હસ્તગત કરેલી છે. તેમાંના કેટલાક તો એવા છે જેઓએ પોતાના જ્ઞાનના ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેબધાની વર્તણુકો માર્મીક, ભેદી અને દુ;ખદ છે. કેટલાકને તો હું તેમની સીધ્ધીઓ માટે ચાહુ છું, વખાણ કરૂ છું. ઘણા બધાની તો પોતાના ક્ષેત્રોમાં એવી સીધ્ધીઓ છે કે તેમાં મારુ સ્થાન તેમના પગના જુતા બરાબર કે નગણ્ય છે.

નાટકનો પ્રથમ ભાગ–

 અચ્છે દીન આનેવાલે હૈ! માટેની તીવ્રઆતુરતા કે સતત ઝંખના–(Act 1: The Longing for Better Days )

જયારે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અચ્છેદીન આનેવાલે હૈ ત્યારે લોકોમાં તે વાતનો જબ્બર પડઘો પડયો હતો. તેનો લોકસભાની ચુંટણીમાં મોદીની તરફેણમાં લોકોએ પ્રતીસાદ પણ આપ્યો હતો. અહીયાં કેટલીક હકીકતો એવી રીતે મુકવામાં આવી છે કે જે લોકોને વ્યાજબી લાગે.દા;ત છેલ્લા છ દાયકાથી દેશ, કોંગ્રેસની સત્તા હેઠળ બરબાદ થયેલ છે. નહેરૂ આમ મોટાગજના નેતા હતા પણ તેઓની આર્થીક નીતીઓ અને ઇંદીરા ગાંધીની ગરીબી હઠાવોના કાર્યક્રમો હેઠળ દેશની પ્રજા ખરેખર દસકાઓ સુધી ગરીબ જ રહી છે.

લાયસન્સ પરમીટ રાજય ખરેખર માફીયા,ચોરઅને ભ્રષ્ટાચારીઓનું જ રાજય હતું,( (we were ruled by a kleptocracy). તે રાજય પ્રજાહીતાર્થે કામ કરનારા નેતાઓનું રાજય ન હતું. સને ૧૯૯૧માં પરદેશી હુંડીયામણની કટોકટી ઉભી થતાં મજબુરીથી કોંગ્રેસી રાજયકર્તાઓએ ઉદારીકરણની આર્થીક નીતીઓ અમલમાં મુકવી પડી હતી. તેને કારણે થોડી રાહત રહી. પણ હજુ ઘણાબધા આર્થીક સુધારા કરવાના બાકી રહ્યા છે. વર્તમાન સરકારની નવા સુધારા કરવાની કોઇ દાનત લાગતી નથી.સરકારે અમને ચુસીને એવા ઢીલા ઢસ બનાવી દીધા છે કે જાણે મરવાના વાંકે જીવનારા પરોપજીવી બની ગયા છે.

કઇ લાખો નીરાશામાં કોઇ એક આશા છુપાઇ હોય તેમ લોકસભાના બીજેપીના વડાપ્રધાન ઉમેદવાર મોદીની લલચાવનારી વાક્છટા જે બીલકુલ પ્રમાણીક ન હતી (It was easy to be seduced) તેની પ્રજા ભોગ બની. ' મીનીમમ ગવર્નમેંટ અને મેક્ષ્સીમમ ગવર્નન્સ' સરકારની ઓછામાં ઓછી દખલગીરી સાથે મહત્તમ સરકારી વહીવટ. આવા સુત્રોમાં બૌધ્ધીકતા અને તર્કનીષ્ઠાપર આધારીત કશું નથી હોતું. તેને આધારે કશું અમલમાં મુકવા જેવી પ્રતીબધ્ધતા પણ સુત્રો આપનારા પાસે હોતી નથી.પણ ગુજરાતના સને ૨૦૦૨ના દંગા–હુલ્લડો સામે મોદીને ક્લીન ચીટ એટલા માટે આપવાની હતી કે ઉદારમતવાદના સીધ્ધાંત પ્રમાણે જયાંસુધી માનવી ગુનેગાર સાબીત ન થાય ત્યાંસુધી નીર્દોષ છે. લોકોને લલચાવવા માટે મોદીને ભાવી તારણહાર (મસીહા) બનાવવો હતો.

 હું એવું કહેવા માંગતો નથી કે ઉપરની બધી માન્યતાઓ સાચી છે.( હું તે પુરેપુરૂ સાચું છે તેવું પણ માનતો નથી.) હું તેમ કહું છું કે તે બધુ વ્યાજબી(રીઝનેબલ) છે. ખરેખરતો આપણે છેલ્લા ૬૭ વર્ષનાં લેખાંજોખાં કાઢીને પુછવું જોઇએ શું આના કરતાં વધારે ખરાબ કશું હોઇ શકે ખરૂ?( What could be worse?)ખરેખર તો તે સઢવીનાની કે નધણીયાતી યુપીએની સરકારનેપુછવું જોઇએ કે આનાથી વધારે ખરાબ તમે શું કરી શકો? સાથે સાથે આપણે તે પણ સમજી લેવાની જરૂરત છે કે મોદીનો રાજય વહીવટ યુપીએની સરકારના વહીવટને સારો કહેવડાવશે! પણ મોદીની તરફેણમાં એક ચાન્સ તો લેવો જોઇએ.

ઉપરની વાતો તો રાંડ્યા પછીના ડહાપણ જેવી છે. આ તો જે લોકોએ ખોટું કર્યુ છે તેની તરફ સ્વાર્થી આનંદ માણવા જેવું છે. કોઇપણ માણસ એકાદ સમયે ખોટો હોઇ શકે. પરંતુ જયારે તમારી સમક્ષ બધાજ સત્યો ખુલ્લા હોય, પડકારો બીહામણા હોય, ત્યારે વારંવાર ભુલો કરનારાઓને માફ કરી શકાય નહી.

 ઘણાબધાએ, જેઓએ મોદીને ચુંટણીમાં ટેકો આપ્યો હતો તેમની એવી માન્યતા હતી કે મોદી બધાને લાંબા સમયથી મુલતવી રહેલ આર્થીક સુધારાઓને અમલમાં મુકીને, વીકાસ દ્રારા રોજગારી અપાવશે અને હીંદુત્વના સામાજીક એજન્ડાને નીયંત્રણમાં રાખશે. સુવીખ્યાત અર્થશાસ્રીઓ જેવા  જગદીશ ભગવતી અને નીતી આયોગના ભુતપુર્વ વાઇસ ચેરમેન અરવીંદ પાનગરીયા ( જેણે ભારતીય અર્થતંત્રનું ઉત્તમ પૃથ્થકરણ કરતાં અને દેશના ભવીષ્યના વિકાસનો રોડમેપ સુચવતાં પુસ્તકો લખ્યા છે) તે બધાએ મોદીની તરફેણ કરી હતી.મોદીને ચુંટણીમાં આપેલા વચનો મુજબ આર્થીક સુધારા કરવા માટેનો ભવ્ય વીજય મળ્યો. પણ તેણે કંઇજ કર્યું નહી.

 

 નાટકનો બીજો ભાગ–Act 2: Mugged by Reality

મેં થોડાક મહીનાઓ પહેલાં, મોદી સરકારની સને ૨૦૧૪ પછીની નીષ્ફળતાના બધા પુરાવા મારા મુખ્ય પ્રવચનમાં (in a keynote speech) જણાવેલા છે. જેનું પુનરાવર્તન અહીં કરવા માંગતો નથી. હું તે માટે વધુ સમય બગાડવા માંગતો નથી. તેમ છતાં તે આ પ્રમાણે હતા. આર્થીક સુધારા નહી, ફરી નહેરૂ સમય જેવીજ  સત્તા,અને નીયંત્રણોની કેન્દ્ર સરકારના હુકમોની દેશના અર્થતંત્ર પર પસ્તાર,જુની સરકારની નીષ્ફળ નીવડી ચુકેલી યોજનાઓનો વધુ વીસ્તારપુર્વક નવા આકર્ષક નામો સાથે જોરશોરથી અમલ, ઓછામાં ઓછી સરકારી દખલગીરી સાથે મહત્તમ વહીવટ (maximum government, minimum governance;) જે જીએસટી કરવેરાનો જોરદાર વીરોધ એકવાર વીરોધ પક્ષ તરીકે કરેલો તેનો વાજતેગાજતે અમલ માટેની જાહેરાત, આ ઉપરાંત ઇન્સપેક્ટર રાજ અને ડીમોનીટાઇજેશન,આ બધી વાતો તો મેં દેશના અર્થતંત્રને લગતી કરી છે. મોદીના આવ્યા પછી કાશ્મીરની સમસ્યા વધુ વણસી છે અને તે રાજયમાં હીંસા પણ વધી છે. હીંદુત્વની સામાજીક શાખા સ્પસ્ટ રીતે માને છે કે મોદી દેશના ધર્મ આધારી ધ્રુવીકરણને ટેકો આપે છે.આ દેશમાં એવો ટોણો મારવામાં આવે છે અથવા કટાક્ષ કરવામાં આવે છે કે સ્રીઓ કરતાં ગાયો વધારે સલામત છે.અરૂણ શૌરી જેવાએ મોદી સરકાર એટલે શું તેની ઓળખ આપી છે.

 

મોદી સરકાર = જુની યુપીએ સરકાર + ગાય.( NDA=UPA + COW.)

જે લોકોએ સને ૨૦૧૪ની ચુંટણીમાં મોદી પર વીશ્વાસ મુક્યો હતો તે બધાને હવે ભાન થાય છે કે તેઓએ અપાત્ર કે ખોટા માણસપર ભરોસો મુક્યો હતો. ધીમે ધીમે તેની અતીદુષ્ટ અને બીહામણી વૃત્તીઓ બહાર આવતી જાય છે.સદાનંદ ધુમે જેવા જાહેર જીવનના બૌધ્ધીકને આપણે શાબાશી આપવી જોઇએ કે તે જોઇ શક્યા કે આ માણસ કઇ રીતે વાસ્તવીકતા સાથે ચેડા કરી રહ્યો છે. સત્તા સામે સત્ય જણાવવાની હીંમત તેઓએ કરી છે. જે બીજાઓ હજુ પણ કરી શક્યા નથી.

       મારા એક મીત્રે કહ્યું કે નોટબંધીના મુદ્દે દેશના બૌધ્ધીકો ખુલ્લા પડી ગયા કે કોણ પોતાના સીધ્ધાંતોને વળગી રહે છે અને કોણ સત્તા સાથે સંવનન કરે છે. નોટબંધી પર મેં ઘણા લેખો લખ્યા છે. માનવજાતના ઇતીહાસમાં આવો કોઇ હુમલો સત્તાધીશો તરફથી પ્રજાના મીલકતનો અધીકાર છીનવી લેવા થયો નથી. જુની નોટોના બદલામાં નવી નોટો લેવા માટે લાઇનમાં ઉભા રહેલા કેટલા બધા માણસો પોતાના કોઇપણ જાતના વાંકગુના વીના મરી ગયા હતા. ધંધા રોજગારો પર તાળાં વાગી ગયાં. કેટલાય બીચારાનો કાયમી જીવન નીર્વાહ છીનવાઇ ગયો. મોદીએ નોટબંધી માટે બતાવેલા કોઇ ધ્યેયો સફળ થયા નથી. કારણકે એકદમ અડધી રાત્રે દેશના નાણાંકીય લેણદેણ માંથી ૮૬ ટકા નોટો ચલણમાંથી બંધ કરી દેવી એ પગલું જ પહેલીથી જ ખોટું હતું. તેણે દેશના નાણાંકીય પુરવઠા તંત્રનો ખાત્મો જ બોલાવી દીધો.

 

 

 દેશનો કોઇપણ અર્થશાસ્રી આ મોદીના નોટબંધીને (આ લેખક અંગ્રેજીમાં DeMon કહે છે) ટેકો આપે તો એમ કહેવાય કે તે બૌધ્ધીક નથી અથવા તે તેના જ્ઞાનને બદલે સત્તાને વફાદાર છે. આ નીર્ણયમાં લોકહીત શું હતું તે હજુ મને સમજાતું નથી.

નાટકનો ભાગ નં– ૩. શા માટે આ બધા ઉપયોગી બેવકુફો દંભમાં જીવે છે.(Living in Denial)v 


--

Sunday, July 30, 2017

દેશમાં કોઇપણ પક્ષે રાજકીય સત્તા મેળવવી છે

દેશમાં કોઇપણ પક્ષે રાજકીય સત્તા મેળવવી છે, મેળવેલી સત્તા ટકાવી રાખવી છે, અને ગુમાવવી છે તો 'કોંગ્રેસ સીસ્ટીમ' ને અનુસરો. ( પ્રો. રજની કોઠારી, રાજ્યશાસ્ર વૈજ્ઞાનીક (૧૯૨૮– ૨૦૧૫)

     સને ૧૯૪૭માં દેશ આઝાદ થયા બાદ બંધારણીય લોકશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી. એક બાજુ આઝાદ દેશના નાગરીકોની જીવનના દરેક ક્ષેત્રમાં રાષ્ટ્ર ઝડપી પ્રગતી કરે તેવી અપેક્ષા હતી. બીજી બાજુએ, આઝાદ ભારતના સત્તાની ધુરા સંભાળનાર કોંગ્રસના ટોચના નેતાઓની ચીંતા સંસદીય લોકશાહી પ્રથામાં દર પાંચ વર્ષે આવતી ચુંટણીઓમાં બહુમતી કેવી રીતે ટકાવી રાખવી તે પણ પાયાનો પ્રશ્ન હતો. બંધારણમાં આમેજ કરેલાં 'સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા' જેવા મુલ્યો સ્વતંત્ર ભારતના નાગરીકોમાં બીલકુલ આત્મસાત ન હતા.અને આજે પણ નથી તેને કારણે તેની મોટી ઉણપ દેશના સામાજીક અને ધાર્મીક સંઘર્ષોમાં તો આંખે ઉડીને વળગે તેવી દેખાય છે.

 લોકશાહી એ જીવન જીવવાની પ્રથા તરીકે નાગરીક જીવનમાં બીલકુલ પ્રસ્થાપીત થઇ જ ન હતી. ધાર્મીક જીવન અને વીચાર પધ્ધતીથી વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથામાં ઉભા અને આડા વહેંચાઇ ગયેલા દરેક ભારતીયની ઓળખ સમાજમાં નાગરીકને બદલે જ્ઞાતીવાદી, વર્ણવાદી અને ધાર્મીક હતી. દરેક ભારતીય તેની રૂઢીચુસ્ત,સામંતી. વ્યક્તીપુજા વાળી માનસીકતામાં તરબોર છે. આવી બીનલોકશાહી, ધાર્મીક અને જ્ઞાતી આધારીત ઓળખમાં તે ગૌરવ અનુભવે છે.દેશના આવા મતદારને ઇશ્વરમાં અતુટ વીશ્ચાસમાંથી બહાર કાઢવાનો કોઇ પ્રયત્ન કોઇપણ રાજકીયપક્ષના મેનીફેસ્ટો કે એજન્ડામાં ત્યારેય નહતો અને ૭૦ વર્ષ પછી આજે પણ નથી. દેશના કોઇપણ નાગરીકને પોતાના અને તેના જેવા અન્યના સહકારી પ્રયત્નોથી, સંસદીય લોકશાહી ચાલે છે, વર્તમાન દેશનું રાજ્ય તેના સાર્વભોમ મતનું સર્જન છે તેવી પ્રતીતી આજે પણ નથી. લોકશાહીમાં લોક શબ્દને આ બધા પક્ષોએ હાઇજેક કરીને  તેના બદલે 'પક્ષ' શબ્દ અવેજ તરીકે મુકી દીધો છે. માટે દેશમાં લોકશાહીને બદલે પક્ષશાહી અસ્તીત્વમાં આવી ગઇ છે.

 પ્રો.રજની કોઠારીના અભીપ્રાય પ્રમાણે હવે આ પક્ષશાહીમાં કોઇપણ રાજકીયપક્ષ અને તેના નેતાઓએ સત્તા મેળવવી હોય અને મેળવેલી સત્તા ટકાવી રાખવી હોય તો  'કોંગ્રેસ સીસ્ટીમ'ના તર્ક પ્રમાણે પોતાનો રાજકીય પક્ષ ચલાવવો પડશે. હવે તે સીસ્ટીમ શું છે તે સમજીએ.

(1)   પ્રથમ દરેક રાજકીય પક્ષે બરાબર સમજી લેવાની જરૂર છે આ દેશની સંસદીય લોકશાહી પ્રતીનીધીવાળી રાજ્યપ્રથા બ્રીટીશ લોકશાહી મોડેલ પર ચાલતી નથી.

(2)  તેથી દરેક પક્ષે દેશના મતદારને નાગરીક તરીકે જે લોકશાહી મુલ્યો સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વને વરેલો છે તેવું ભુલે ચુકે માનવું નહી. દેશનો મતદાર પ્રથમ કોઇ ધર્મનો, પછી વર્ણ, જ્ઞાતી, કોમ, પ્રદેશ, રાજ્ય વી.નો ભાગ છે. ભારતીય મતદારની ઓળખ તે પ્રમાણે હોવાથી ઉમેદવારની પસંદગીથી માંડીને પક્ષનું સંપુર્ણ સત્તાકીય માળખું તે પ્રમાણે વીકસાવવું.

(3)  પક્ષીય ઉમેદવારનો ચુંટણી મતવીભાગ ( Election constituency) સત્તાપક્ષ ચુંટણી પંચ પાસે એવી દરખાસ્તો મુકીને પાસ કરાવશે કે જેમાં પોતાના ઉમેદવારને જીતવા અનુકુળ હોય તેવા ધર્મ, જાતી, જ્ઞાતી, કોમ વી મતદારોનો બહુમતી લોકસમુહ રહેતો હોય!

(4)  પોતાના પક્ષીય ઉમેદવારની પસંદગી સ્થાનીક પક્ષના સભ્યો, પાયાના કાર્યકરો કે મતદાર જુથોના અભીપ્રાયને બદલે રાજ્ય અને દેશના પાટનગરમાં બેઠા બેઠા સર્વસત્તાધીશ બનેલા એકલદોકલ નેતા કે તેની ટોળકી નક્કી કરશે કે કોને ચુંટણી લડવા પક્ષની ટીકીટ આપવી.

(5)  ચુંટણી લડનાર અને જીતનાર તેના મતદાર કે મતવીસ્તારને બદલે તેને ટીકીટ આપનાર પક્ષ અને તેનું સંચાલન કરનાર નેતાને વફાદાર રહેશે. રાજકીય સત્તાનું મતદાર કે લોક પાસેથી હસ્તાંતર  (ટ્રાન્સફર)નું કેન્દ્રીયકરણ આખરે પક્ષના વડા નેતાના હાથમાં આવી જાય છે. પક્ષ નેતાથી ઓળખાય છે. નેતા પક્ષથી નહી. આવી નેતા સમર્પીત પક્ષશાહીમાં દર પાંચવર્ષે  ચુટણી થાય છે. તે ચુંટણીમાં જે પક્ષના નેતા અન્ય પક્ષના નેતાઓની સરખામણીમાં સૌથી મોટી લાલચ, લોભ અને આકાશમાં રાતે નહી પણ દીવસે તારા બતાવી  શકે તે પક્ષને પણ પેલા નેતાના નામે ખોબે ખોબે મત આપીને જીતાડે છે.

(6)  પક્ષનો સર્વોચ્ચ નેતા મતદારોના સમુહને ધર્મ, કોમ, જાતી, વર્ગ આધારીત વીશીષ્ટ પ્રકારની સવલતો ( અપીઝમેન્ટ) આપવાની બાંહેધરી આપીને પોતાની સત્તા સલામત રાખે છે.

(7)  આવો સર્વસત્તાશાળી નેતા જે કોઇ વર્ગ.ધાર્મીક કે સામાજીક સમુહના તારણહારનો દાવો કરે છે તે દેશના ૨૯ રાજ્યોમાં પોતાની સરકાર સત્તા પર આવે અને ટકી રહે માટે જાત જાતનું રાજકારણ ખેલે છે. આ બધા રાજ્યોના મુખ્યપ્રધાનોથી માંડીને સંપુર્ણ સત્તાકીય માળખું તે નેતાની ઇચ્છા મુજબ ગોઠવાય છે, સંચાલીત થાય છે અને નવા ફેરફારો માટે વીસર્જીત પણ સહેલાઇ થતું હોય છે. સત્તાનો સ્રોત પેલા નેતા પાસે હોય છે, જેની ઇચ્છામુજબ પ્રાદેશીક સુબાઓ તેમની સત્તા ટકાવી રાખે છે.

(8)   રાજકીય સત્તા માટે કોઇપણ પ્રકારની સોદાબાજી બધાજ લોકશાહી અને સામાન્ય સામાજીક લેવડદેવડના નૈતીક મુલ્યો બાજુપર મુકીને જે નેતા અને તેના પાવર બ્રોકર્સ સફળતાપુર્વક પાર પાડી શકે તેના હાથમાં સત્તા આવે છે. આમાં 'જો જીતા વોહી સીકંદર.'

(9)  પ્રજાના મતદાર સમુહો જે નેતા અને તેની પક્ષીય સત્તામાંથી વીશ્વાસ ગુમાવી દે છે તે પક્ષ અને તેના નેતાને પ્રજા ઇતીહાસની કચરા ટોપલીમાં નાંખી દે છે. આ સીસ્ટીમ પ્રમાણે ચાલતો કોઇપણ રાજકીય પક્ષ તેના વીનાશ કે અંતના મુળીયાં પણ પોતેજ પેદા કરે છે; જે એનો નાશ પણ કરે છે. આજે જે બોલબાલા નરેન્દ્ર મોદી અને તેના પક્ષની છે તેવીજ સ્થીતી કોંગ્રેસ પક્ષની અને તેના નેતા જવાહરલાલ નહેરૂ, ઇંદીરા ગાંધી અને રાજીવ ગાંધીની એક સમયે હતી. પ્રો. કોઠારીની આ સીસ્ટીમે ઇંદીરા ગાંધી સમયે ખુબજ ગાજતા થયેલા સુત્ર ' જબ તક સુરજ ઓર ચાંદ રહેગા  ઇંદીરા તેરા રાજ રહેગા.' ને ખોટું પાડયું છે.

(10)                   પ્રો. રજની કોઠારીના મત પ્રમાણે ભારતીય લોકશાહી આ'કોગ્રેસ સીસ્ટીમ' પ્રમાણે ચાલે છે. ભારતના બંધારણ, ચુંટણી પંચ કે કાયદાના શાસન પ્રમાણે નહી. તે બધા તો પેલી સીસ્ટીમ પ્રમાણે રાજકીય સત્તા પ્રાપ્ત કરવાનાનાં સાધનો બની ગયા છે. આ સીસ્ટીમમાં દેશના મતદારોનું 'પવીત્ર કાર્ય' સંજોગો પ્રમાણે રાજકીય માલીકો બદલાવાનું છે. જે દીવસે 'ગુલામોને અહેસાસ' થશે કે તે તો ફક્ત ગુલામ જ છે અને માલીક નથી ત્યારે તે માલીક બનવા વીદ્રોહ કરશે. ' વો દિન કહાં.....' 


--

Wednesday, July 26, 2017

જેએનયુમાં લશ્કરી ટેંક મુકવાનું તમને શોભતું નથી!

જેએનયુમાં લશ્કરી ટેંક મુકવાનું તમને શોભતું નથી! 

 ( સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ તંત્રી લેખ તા. ૨૫મી જુલાઇનો ભાવાનુવાદ. )

તમારી પાસે રાષ્ટ્રવાદના ખ્યાલને સમજાવવા બૌધ્ધીક કે તર્કબધ્ધ દલીલ ન હોય તો શું કરો? લશ્કરની ટેંકોને યુનીર્વસીટી કેમ્પસમાં પ્રદર્શન તરીકે ગોઠવો! જવાહરલાલ નહેરૂ યુનીર્વસીટી, દીલ્હીના વાઇસ ચાન્સેલરે એમ જગદીશ કુમારે, યુની.ના પટાંગણમાં લશ્કરી ટેંક મુકવાનું નકકી કર્યું છે. આવી ટેંક જોઇને જેએનયુમાં અભ્યાસકર્તા વીધ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ શું છે તે સમજાય. અને હવે પછી પેલા કનૈયાકુમાર જેવા કહેવાતા અરાષ્ટ્રવાદી વીધ્યાર્થીઓ તેમાંથી પેદા ન થાય!

      ખરેખરતો સને ૨૦૧૪માં મોદી વડાપ્રધાનપદે સત્તા પર આવ્યા પછી ભગવા રાષ્ટ્રવાદ સામે દેશના બંધારણીય મુલ્યો આધારીત રાષ્ટ્રવાદ કોને કહેવાય તેનો જડબેસલાક જવાબ જેએનયુની વીધ્યાર્થી યુનીયનના પ્રમુખ કનૈયાકુમાર અને અન્ય વીધ્યાર્થી નેતાઓએ આપ્યો હતો. જેમાં કાયદાના ક્ષેત્રમાં પણ સરકારની નામોશીભરી હાર થઇ હતી.

  જેએનયુના વાઇસ ચાન્સેલર જગદીશકુમારને દેશના લશ્કરી વડા વી.કે. સીંગની મદદથી યુનીંમાં ટેંક મુકવી છે. જેથી ટેંક જોઇને શહીદ થયેલ સૈનીકોની યાદ આવે અને વીધ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે!વીધ્યાર્થીઓના આશેક્ષણીક કેમ્પસમાં ટેંક દારૂગોળા સાથે ભરેલી મુકીને પોતાનું વધારાનું શક્તીપ્રદર્શન તો કરવું નથી ને? તે આપણને ખબર નથી.(Would he like the tank to be armed with live ammunition to give the reminder additional force?). જે લોકો સ્વઅભીનંદન ,કે ખુશામતખોર રાષ્ટ્રવાદથી આબરૂ ગુમાવી ચુકેલા છે તેમના માટે આવા નાટકીય નુસ્કા કરવા સીવાય બીજો કોઇ વીકલ્પ નથી.(  Performative, self-congratulatory patriotism remains the last refuge of the discredited.) વાઇસ ચાન્સલેર તો વીધ્યાજગતનો માણસ છે કોઇ લશ્કર વડો નથી.તેને તો ખબર હોવી જ જોઇએ કે યુનીર્વસીટી કેમ્પ્સ એ કોઇ એવું સ્થળ નથી કે જ્યાં ટેંક જે એક લશ્કરી શસ્ર છે તેના દ્રારા લશ્કરી બહાદુરીનું પ્રદર્શન બતાવાય.

ખરેખરતો યુનીર્વસીટી એક મુક્ત વીચારોની આપલે થઇ શકે તેવું સહીસલામત સ્વર્ગ( a safe haven for the freedom of thought) છે. જ્યાં કોઇ પવીત્ર અને વંદનીય વસ્તુ હોય તો તે જ્ઞાનની ઉપાસના છે. જ્યાં સમસ્યાઓના સરળ જવાબો કરતાં તેના પ્રશ્નોનું વધારે મહત્વ છે.લશ્કરી ટેંકની શૈક્ષણીક કેમ્પસમાં હાજરી તો એક પ્રતીક તરીકે સંવાદ અને ડાયલોગને અટકાવવાનો સંદેશો આપે છે.(  The tank would be a conversation-stopper.)

 તેનાથી મહેરબાની કરીને એવું તારણ ન કાઢો કે લશ્કરી ગણવેશવાળા આપણા જવાનો માટે અમને માન અને ગૌરવ નથી. પણ તે બધાનો જ્ઞાનની ઉપાસના કરતી સંસ્થાઓમાં પ્રતીક તરીકે લશ્કરી શક્તી પ્રદર્શન માટે ઉપયોગ ભુલથી પણ ન કરશો.

 દેશની અખંડીતાઅને સહીસલામતી માટે લશ્કરનું કેટલું બધુ મહત્વ છે તે સામાન્ય નાગરીકોને સમજાવવા જુદા જુદા શહેરોમાં યોગ્ય સ્થળોએ ટેંકોને પ્રર્દશન માટે મુકાય છે. પણ શીક્ષણના ધામમાં ટેકોની જરૂર ક્યારેય ન હોઇ શકે! ખરેખર શીક્ષણના ધામમાં ટેંકો જાણે ધાકધમકી કે ભયનું વાતાવરણ પેદા કરવા મુકવાનનો હેતું છે. તે તો ટેંક મુકનારનું ને શેક્ષણીક સંસ્થાઓનું બનેંનું મુલ્ય ઘટાડે છે.

   આપણને સૌ ને સારી રીતે ખબર છે કે રાષ્ટ્રવાદને મુદ્દે જે સંઘર્ષ થયો હતો તેનું એપીકસેન્ટર જ જેએનયુ હતી. વી સીનો ટેંક મુકવાનો નીર્ણયતો તેઓની બૌધ્ધીક ક્ષમતા માટેની નાદારી સાબીત કરે છે. વીકૃત લશ્કરીકરણનું પ્રદર્શન  રાષ્ટ્રધવ્જ, લશ્કરીગણવેશ અને હવે શીક્ષણસંસ્થાઓમાં ટેંકોનું પ્રદર્શન જેવા પ્રતીકોને રોમેન્ટીસાઇઝ કરીને વીધ્યાર્થીઓમાં ક્રીટીકલ રીતે વીચારવાની પધ્ધતી જાણે રાષ્ટ્રવીરોધી પ્રવૃતી હોય તે રીતે  મીડીયામાં અને અન્ય પ્રચારના સાધનોમાં ઉપયોગ કરે છે, વ્યવસ્થીત રીતે કરાવડાવે છે. જે તંદુરસ્ત લોકશાહી રાજ્ય

વ્યવસ્થાની નીશાની નથી.વાઇસ ચાન્સેલર જે કુમારે બરાબર કાર્ગીલ વીજય દીવસ જે ભુતકાળમાં ક્યારેય ઉજવવામાં આવતો ન હતો તે દીવસે જેનયુના કેમ્પસમાં ટેંક મુકવાનો નીર્ણય કર્યો. જે કાર્યક્રમમાં મોદી સરકારના બે પ્રધાનો હાજર રહયા. સદર કાર્યક્રમમાં બે મહાનુભાવોએ તો પોતાની જાતને અભીનંદન આપતા હોય તે અવાજમાં જણાવ્યું કે હવે આપણે જેએનયુ કબજે કરી લીધી છે.અને હવે અમારે દેશની જાદવપુર અને હૈદ્રાબાદની સેન્ટ્રલ યુનીર્વસીટી (જયાં પણ રાષ્ટ્રવાદનો મુદ્દો ભરપેટ ચર્ચામાં હતો) એમ કુલ બે કબજે કરવાની બાકી છે. વીશ્વવીધ્યાલયો કબજે કરવાની દલીલ જાણે આપણી કોઇપ્રદેશની ભુમી ફરીથી કબજે કરી હોય તેવી ઉટપટાંગ(bizarre) કે વીચીત્ર કથની છે.

 આપણને સારીરીતે ખબર છે કે સને ૧૯૭૧ની ૨૫મી માર્ચને દીવસે તેસમયના પુર્વ–પાકીસ્તાનમાં જનરલ યાહયાખાને ' ઓપરેશન સર્ચ લાઇટ'ના નામે ઢાકા   યુની.કેમ્પસના રસ્તાઓ ઉપર નહી પણ તે યુની. અને બંગલા દેશના બૌધ્ધીક ધન એવા પ્રોફેસરો અને વીધ્યાર્થો પર ટેંકો ચલાવી ને તેમના વીરોધને કચડી નાંખ્યો હતો.( beginning a massacre of intellectuals) યુની. કેમ્પસમાં ટેંકો મુકવાનું કામ તો પેલી ભયંકર દુ:ખદ યાદને (recalls that terrible memory) તાજી કરાવે છે.ભારતીય વીધ્યાજગતના સ્થળોમાં ટેંકનુંપ્રદર્શન એ બૌધ્ધીક તંદુરસ્તીની સારી નીશાની નથી. બખ્તર અને બૌધ્ધીકતા બે ક્યારેય સાથે ન હોઇ શકે.( Armour and academia just don't belong together.)

 

 

 

 

 

 


--

Sunday, July 23, 2017

નીરીક્ષક પખવાડીકના સૌજન્યથી.

" ડીયર પ્રાઇમ મીનીસ્ટર(ડેઝીગ્નેટેડ) હું તમને વડાપ્રધાનપદે જોવા ઇચ્છતો ન હતો"

એ અસંદીગ્ધ શબ્દો સાથે ગોપાલકૃષ્ણ ગાંધી( ઉપરાષ્ટ્રપતી પદના ઉમેદવાર) એ મે ૨૦૧૪માં લખેલ પત્રને સંભારીશું.

" ભારત તો વીવીધતાઓથી ભરેલ જંગલ સમાન છે. જે સંસ્કૃતી વૈવીધ્યને રાજનૈતીક એકેશ્વરવાદનો રંગ આપેએ નહી,( હિદું રાષ્ટ્ર) પરંતુ પોતાની વીવીધતાઓનું પોષણ કરીને મહાન બનવા ઇચ્છે છે.....(પણ) તમારાં નીવેદનો લોકોમાં ડર પેદા કરે છે, નહી કે વીશ્વાસ. મીસ્ટર મોદી, લોકશાહી ભારતમાં આ તમારી વીશેષતા ન હોઇ શકે..કારણકે તમે લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ છો. શું કહીશું આને જનકી બાત, જે કહેવાને ગોપાલકૃષ્ણ પ્રવેશ્યા છે.( સૌ. નીરીક્ષક પખવાડીક તા. ૧૬–૭–૧૭.)

સાહેબ, આપ શ્રીએ તો બીજાના તો ઘણા બ્લ્ડગૃપ્સ અને ડીએનએ શોધ્યા, વાઘને કોણ કહેશે તારૂ મોં ..... છે! છેલ્લા ત્રણ વર્ષોથી જુદા જુદા આયુધો ( જેવા કે ઘર વાપસી. લવજેહાદ, ગૌમાંસ અને ગૌરક્ષક, સંસ્કૃતી બચાવ અભીયાન, દેશ વ્યાપી કીસાનોના આપઘાત અને ખેતીની બરબાદી, અને ઉધ્યોગોને ઘી– કેળા,રાષ્ટ્રદ્રોહ, સર્જીકલ સ્ટ્રાઇક,યુપીમાં. સ્મશાનને વીજળી નહી અને કબ્રસ્તાનને... ડીમોનીટાઇઝેશન અને હવે જીએસટી, શીક્ષણનું ભગવાકરણ અને ખાનગીકરણ વી. અને ભવીષ્યમાં બીજુ શું  નીકળશે તે પ્રજાને કેવી રીતે ખબર પડે!)દ્રારા સામાન્ય નાગરીકોના કંકાલો ભેગા કરવાની સંખ્યા પેલા હીટલરના સાથીદાર આઇક મેનના ગેસ ચેમ્બરના આંકડાને બહુ ઓછા સમયમાં પાર કરી જશે એવું તારણ જરાકે અસ્થાને નથી!---------------------------------------------------------------------------------

અઘોષીત કે ગર્ભીત કટોકટી ગીરીશભાઇ પટેલ ( સૌ. નીરીક્ષક પખવાડીક)

આવો, દેશમાં બંધારણને સુધાર્યા વીના હીંદુ ફાસીવાદી અઘોષીત કે ગર્ભીત કટોકટીના લક્ષણોની નોંધ લઇએ જેથી તેના ઉપાય દેખાય!

(1)     હીંદુધર્માના રક્ષક અને વીકાસ પુરૂષ તરીકે કરોડો રૂપીયાની  જાહેરાતો અને પ્રચાર દ્રારા નરેન્દ્ર મોદી દેશમાં એક માત્ર નેતા તરીકે પ્રોજેક્ટ કર્યા છે.ભાજપ ચારેય બાજુ ફક્ત વ્યક્તી પુજા નહી પણ વીરપુજા ( Hero worship)દ્રારા મોદીની એવી પ્રતીભા ઉભી કરી દે છે કે નરેન્દ્ર મોદીમાત્ર રાજકીય નેતા નથી રહ્યા પરંતુ પુજવાલાયક આઇકોન થઇ ગયા છે. સંસદીય પધ્ધતીની સરકારને પ્રમુખશાહી સરકાર બનાવી દીધી છે. જેમાં બધાજ પ્રધાનો મોદીના સેવકો બની ગયા છે. લોકસભામાં ભાજપની મોટી બહુમતી હોવાને કારણે તે બધા મોદીનાં વાજીંત્રૌ તરીકે કામ કરેછે.

(2)     ઝનુની રાષ્ટ્રવાદનું ઝેર ફેલાવવામાં આવ્યું છે. મોદી વીરોધીઓને મુસ્લીમ. ખ્રીસ્તી અને પ્રગતીશીલ બધાને રાષ્ટ્રવીરોધી ગણવામાં આવે છે. કેટલાકને તોરાજદ્રોહ– એડીશનના આરોપી બનાવ્યા છે.

(3)     બંધારણીય સંસ્થાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસો ગોઠવી દેવામાં આવ્યા છે.ઉચ્ચ શૈક્ષણીક અને સંશોધન સંસ્થાઓનું ભગવાકરણ કરવામાં આવ્યું છે.

(4)    જયાં જયાં કાયદાઓનો ગેરઉપયોગ કરી શકાય ત્યાં કાયદાઓનો દુરઉપયોગ કરાય છે.અને અન્ય ક્ષેત્રોમાં કાયદાઓને કહેવાતા લોકસેવકો કે ગુંડાઓના હાથમાં સોંપી દેવામાં આવ્યા છે, જેમ જર્મનીમાં હીટલર વર્તતો હતો. સીનેમા, કલાસ્થાનો, સાહીત્ય, વર્તમાન પત્રો ઉપર ખુલ્લા હુમલા કરવામાં આવે છે.

(5)     માસ મીડીયા ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. કેટલાક ને પૈસા આપીને તો કેટલાકને દબાવી ને.

(6)     મોટાકોર્પોરેટ ક્ષેત્રોને હાથમાં લીધાં છે અને વાતો ગરીબોની કરવામાં આવે છે.

(7)     કરોડો લોકોની ગરીબી, અસમાનતા, શોષણ અને અન્યાયોને બદલે ગૌરક્ષા, લવજેહાદ, ઘરવાપસી જેવા મુદ્દાઓને ચગાવવામાં આવે છે. તે બધાને નામે સામુહીક ટોળાશાહીનો ઉપયોગ કરીને હીંસાખોરી ( લીંન્ચીંગ) કરવામાં આવે છે.

(8)     પાકીસ્તાન સાથે યુધ્ધ જેવું વાતવરણ અને કાશ્મીરના લોકોની લડતને આતંકવાદી ગણાવી, દેશમાં ભય, અસલામતી અને યુધ્ધખોરીનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ૨૦૧૯ની ચુંટણીમાં કરી શકાય.

(9)     રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હીંદુત્વની વીચારધારા સારા દેશમાં ફેલાવવામાં આવી છે. તે દ્રારા ઝનુની હીંદુવાદનાં મુળીયાં મજબુત બનાવવામાં આવી રહ્યાં છે.

(10)                       બીનસાંપ્રદાયીકતા અને સર્વસમાવેશકતા(Inclusivity) ના સ્થાને સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ( Cultural Nationalism)ના નામે દેશને હીંદુરાષ્ટ્રવાદ તરફ લઇ જવાનો સંપુર્ણ પ્રયત્ન થઇ રહ્યો છે.

(11)                       આખું રાજકારણ માત્ર ચુંટણીલક્ષી બનાવાયું છે. દંભ,અર્ધસત્ય, જુઠ્ઠાણાં અને બોદા વચનો આપીને લોકોને ભરમાવવામાં આવ્યા છે.

(12)                       આમ, દેશમાં એકમાત્ર અવાજ મોદીનો–મનકી બાત–સંભળાય છે.

આ પરીસ્થીતીનો સામનો કેવી રીતે કરવો?

(1)      બધાજ વીરોધ પક્ષો પોતાનાં મત–મતાંતરો ભુલી એક થાય અને ફાસીવાદનાં વીરોધના મુદ્દાઓ ઉપર ૨૦૧૯ની ચુંટણી સંયુક્ત રીતે લડે તો શક્ય છે. હીંદુત્વનો સામનો કરી શકાય.

(2)    બધાં લોકશાહી,પ્રગતીશીલ અને ઉદારતાવાદી સંગઠનો જયાં જયાં શક્ય હોય ત્યાં મોદીવાદની સામે લડત આપે.

(3)     હજી આજે પણ શક્ય છે કે દેશમાં આદીવાસીઓ, દલીતો,પીડીતો અનેમુસ્લીમો,અન્ય ગરીબ લોકોને તેમની સાથે ખભેખભા મીલાવીને એક શક્તીશાળી આંદોલન ઉભું કરી શકાય.

તારણ– મુડીવાદઅને માત્ર આર્થીકવૃધ્ધીને વરેલી આ સરકાર ન તો ગરીબી અને અસમાનતા દુર કરી શકે તેમ છે. ન અર્થપુર્ણ રોજગારી ઉભી કરી શકે તેમ છે. ન તે માનવીય વીચાર કરી શકે તેમ છે.અમેરીકા જેવો ધનાઢય દેશ જે ના કરી શક્યો, તે ભારત તેજ આર્થીક નીતીનો અમલ કરીને કેવી રીતે કરી શકશે?


--

Friday, July 21, 2017

એક રમુજી(કોમીક) ચોપડી

એક રમુજી(કોમીક) ચોપડી. લે– વીલીયમ ડી ટેમેરીસ ( ફ્રાન્સ) સૌ. સ્ક્રોલ .ઇન –

રીપોર્ટીગ–નુપુર તીવારી.
French comic book by William de Tamaris uses India's war on beef to illustrate the dangers of Hindutva

scroll.in - 20 July 2017

 લેખકે રમુજી (કોમીક)ચોપડી બનાવીને એવો સંદેશો આપ્યો છે કે ભારત દેશમાં  ગૌમાંસ માટેનું યુધ્ધ કેવી રીતે હીંદુત્વ આધારીત છે. જે દેશની એકતા અને અખંડતા માટે જોખમ પેદા કરી રહ્યું છે. ગૌરક્ષકોની ટોળાશાહી મનસ્વી હીંસાખોરીથી કેવી રીતે પવીત્ર ગાયને ('Sacred Cow')બચાવવામા આવે છે. પૃથ્વીપર ભારત એક અહીંસક દેશ છે,જયાં દરેક શાંતીપ્રીય લોકો ગાયને પવીત્ર પ્રાણી ગણે છે.આ પુરાણી પણ મજબુત રૂઢી પર આધારીત માન્યતા પશ્ચીમ યુરોપમાંથી નહી તો ફ્રાંસમાંથી નીકળી જ ગઇ છે.

 આ રમુજી ત્રીસ પાનાંની ચોપડીમાં પત્રકાર– લેખકે એક પોતાની જાતને સ્વંય ગૌરક્ષક તરીકે ઓળખાવતા હીદુંએ કેવી ચીંતાજનક ઝડપથી મનસ્વી ટોળાશાહી હીંસાખોરીનો પ્રવાહ દેશના એક ખુણેથી બીજે ખુણે ફેલાઇ રહ્યો છે તેની વાત કહી છે. દેશના ઘણા બધા રાજયોમાં ગૌ માંસ પર પ્રતીબંધ  મુકવામાં આવ્યો છે. જેને આધારે કેવીરીતે હીદું રાષ્ટ્રવાદ ફુલીફાલી રહ્યો છે તે  કોમીક ચીત્રો દ્રારા નાનકડી પુસ્તીકામાં ફ્રાન્સના નાગરીકોને સમજાવ્યું છે.  તે ચીત્રોમાં દેશને કેવી રીતે હીદું રાષ્ટ્ર બનાવાય તેપણ બતાવ્યું છે.

જ્યારે અમે વીજયકાન્ત ચૌહાણ, જે પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવતો  હતો, તેને મળ્યા બાદ મને આ વાત પર ચોપડી તૈયાર કરવાનું મન થયું. લેખક કહે છે કે મને ચૌહાણની મુલાકાત દાદરીના મોહમદ અખલખના મનસ્વી ટોળાશાહી હીંસાનો ભોગ સપ્ટેમ્બર ૨૦૧૬માં બન્યા પછી થઇ. આ  વીષયપર આકૃતી પરથી ચીત્રો બનાવનાર(ઇલસ્ટ્રેટર) જ્યોર્જ  એચ સાથે સંયુક્ત રીતે કામ કરવાનું નક્કી કર્યું. લેખક કબુલ કરે છે કે તેણે એકધારી રૂટીનવાળી ભારતની ઘણી મુલાકાતો કરી હતી. પરંતુ આ મુલાકાતે તેમના સંશોધનનો કોર્સ જ બદલી નાંખ્યો. " સામાન્ય રીતે એમ કહેવાય કે હું ગાંધીની અહીંસા અને સહીષ્ણુતા પાળતા દેશનો પ્રવાસી છું પણ ગૌરક્ષકોએ પોતાની સાથેની ચર્ચામાં જે અસહીષ્ણુતા અને ધીક્કાર વ્યક્ત કરતા હતા જે ખુબજ આઘાતજનક હતો." અમારા દેશના નાગરીકો હજુ માને છે કે ભારત એ ગાંધીનો અહીંસક અને સહીષ્ણુ દેશ છે જે ખરખર સત્યથી વેગળું છે."In France, people still believe India is the land of Gandhi but that no longer holds true."

 આ પુસ્તક લખવા માટે વીલીયમ અને જયોર્જે મહારાષ્ટ્ર, હરીયાણા, રાજસ્થાન, ઉ.પ્રદેશ અને કેરાલાની મુલાકાત લીધી હતી. વીજયકાન્ત ચૌહાણ અમારા જેવા પત્રકારો સાથે વાતો કરવા ખુબજ ઉત્સાહી હતો. હું જો નથ્થુરામ ગોડસે હોત તો મેં ફરીથી ગાંધીનું ખુન કર્યું હોત!
 ફ્રાન્સના લેખકોએ મહારાષ્ટ્રમાં  મુસ્લીમ સમાજની 'કુરેશી કોમ'ની વીગતે મુલાકાત લીધી હતી. આ કોમ સામાન્ય સંજોગોમાં કસાઇના ધંધા સાથે સંકળાયેલી હોય છે. આ કોમના મત પ્રમાણે ગૌમાંસ પ્રતીબંધ અને  મનસ્વી ટોળાશાહી હીંસાએ તેમની રોજીરોટી છીનવી લીધી છે. તેમનો ધંધો બીલકુલ ચોપટ થઇ ગયો છે. તે બધા સતત ભયના ઓથા નીચે જીવે છે. અમારામાંથી કેટલાકે તો પોતાના બાળકોને સ્કુલે મોકલવાના બંધ  કર્યા છે. તે બાળકોનું ભવીષ્ય ઇશ્વરને સમર્પણ કરી દીધું છે.( Children are resigned to their fate.)

જેવી આ ચોપડી પ્રકાશીત થઇ કે તરતજ ફ્રાંસ દેશના મુખ્ય પ્રેસ, અખબારી અને ટી વી, વી મીડીયાએ ભારત દેશમાં તેને એક કોમના સંહાર તરીકે (Genocide) ઓળખાવ્યો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સને ૨૦૦૨ના ગુજરાતના કોમીસંહાર સાથે સરખાવ્યો છે. ફ્રાંસ દેશની ટીવી અને રેડીયો ચેનલોમાં ચર્ચા કરનારા પૃથ્થકરણકારોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ બધું ભારતને એક દેશ તરીકે ઝડપથી રાજકીય અંધાધુધી અને સર્વપ્રકારની સામાજીક અસ્થીરતા તરફ ઢસેડી જશે.

 હમણાં જ જુન મહીનામાં અમારા દેશના નવા ચુટાયેલા રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેકરોને મોદીને ઉષ્માભર્યો આવકાર ( Bear Hug)આપ્યો હતો. અમારા દેશમાં સને ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્યા પછીની આ ત્રીજી મુલાકાત છે. ફ્રાંસના મીડીયામાં હજુ છુટીછવાઇ મોદીની ચર્ચા ચાલુ જ છે. આ ચર્ચાઓનું મુખ્ય કેન્દ્ર બીલીયન્સ ઓફ યુરોડોલર્સ 'રફેલ ફાયટર જેટ અને અરેવા ન્યુક્લીયર રીએકટર્સના વેચાણ બાબતે થાય છે. હમણાં જ અમારા રાષ્ટ્રપ્રમુખ મોદીનું ભારત જે વીશ્વને ૧૯ દેશોની મદદથી પ્રદુષણ મુક્ત બનાવવાનું નેતૃત્વ લે છે તે  ભારતને વીશ્વના સૌથી મોટા  પ્રદુષીત દેશ છે તેવો ખુલ્લે આમ આક્ષેપ કરે છે. (More recently, President Macron has tried to project India (referred to regularly in the French press as "one of the biggest polluters of the planet"), as a leading partner in climate diplomacy.)

 

 

 


--