Thursday, July 2, 2020

No college in my town when I was born.


 હા, " એ હકિકત હતી કે  મારા જન્મ ( સને ૧૯૪૨માં) સમયે મારા ગામમાં કોલેજ ન હતી. જો કે, તેના માટે હું જવાબદાર ન હતો ! પણ મને વિશ્વાસ છે કે મારા મૃત્યુ પહેલાં મહેમદાવાદમાં કોલેજ હશે જ. જો એ  સ્વપ્ન સાકાર ન થાય તો હું.મારા આ સમાજનો બૌધ્ધીક ગુનેગાર ગણાઇશ. મને વીશ્વાસ છે કે અમારી સંસ્થા, તથા આપ સૌ અત્રે ઉપસ્થીત ગામના સૌ નગરજનોના સંયુક્ત સહકારથી આપણા ગામનું આ શૈક્ષણીક કલંક ચોક્કસ દુર થશે. " ( બીપીન શ્રોફ, એકઝીક્યુટીવ ચેરમેન, મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી, તા. ૬–૦૩–૧૯૯૫ ના દિવસે કોલેજના શીલાન્યાસ સમયે પ્રાસંગીક ઉદ્બોધનમાં બોલાયેલા શબ્દો.)

 ભૌગોલીક રીતે મહેમદાવાદની ચારેય બાજુએ નજીકના સ્થળો પર કોલેજો હતી. વિધ્યાનગર આશરે ૨૫ માઇલ દુર તથા નડીયાદ આશરે ૧૧માઇલ ( બંનેની દક્ષીણ દિશા) ખેડા (પશ્ચીમ દિશા) અને મહુધા (પુર્વ દિશા) બંનેય આશરે ૧૧માઇલના અંતરે ને અમદાવાદ( ઉત્તર દિશા) રેલ્વેમાં આશરે ૧૮ માઇલના અંતરે કોલેજો હતી.

પણ મહેમદાવાદ તાલુકાનું મુખ્ય મથક હતું. મહેમદાવાદ સાથે તાલુકાની કુલ વસ્તી આશરે સને ૧૯૯૦માં ૧,૭૫,૦૦૦ની હતી. ઘણા બધાને મેટ્રીક પછી વહેલી સવારે આશરે ૫–૩૦ માંડીને સવારના ૧૦–૩૦ વાગ્યા સુધી ઉત્તર –દક્ષીણ દિશાની ગાડીઓમાં, ઉપર જણાવેલ સ્થળો પર ઉચ્ચ અભ્યાસ માટે જવું પડતું હતું મોટાભાગની ટ્રેઇનોમાં ખુબજ ગીદડી હોય,ઘણીવાર પગ મુકવાની જગ્યા ન હોય, ટ્રેઇનના ડબ્બાના સળીયા પકડીને વિધ્યાર્થીઓને ભર ચોમાસે વરસતા વરસાદમાં, શીયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે જવું પડતું હતું. વારંવાર રેલ્વે અકસ્માતમાં કેટલાક યુવાનોએ પોતાના જાન પણ ગુમાવ્યા હતા. આ ઉપરાંત મહેમદાવાદ શહેર તથા આશરે ૭૦ જેટલી સંખ્યા ઉપરના ગામડાઓની બહેનો જે મેટ્રીક પાસ થયેલી  હોય તે બધાની પોતાની આગળ અભ્યાસ કરવાની શૈક્ષણીક કારકીર્દી પર તો મોટું પુર્ણવીરામ આવી જતું હતું. કારણકે મહેમદાવાદ સહીત તાલુકાના કેટલાક સ્થળો જેવાકે વાંઠવાળી, સીહુંજ, અકલાચા, રૂદણ, માંકવા,મોદજ ને હલધરવાસ મુકામે મેટ્રીક સુધીની શાળાઓ હતી.  ઘણા બધા વીધ્યાર્થી ભાઇ બહેનો જો મહેમદાવાદમાં ગ્રેજ્યુએટ સુધીની આર્ટસ, કોમર્સ અને બી.એડ કોલેજ હોય તો સરળતાથી પ્રવેશ મેળવીને કમસે કમ તે બધા ગ્રેજ્યુએટ કે તે પછી બી.એડ. તો થઇ શકે!. કોલેજ ચલાવવા જરૂરી સંખ્યા તો કાયમ માટે ચોક્કસ મલી રહે.

 હવે ગામમાં કોલેજ શરૂ કરવાનું સ્વપ્ન કેવી રીતે સાકાર થયું તે જોઇએ.

સને ૧૯૪૦ની સાલમાં મહેમદાવાદમાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની ચળવળમાં ' સમાજ સેવા સંઘ' ના નામે કામ કરતું એક યુવાનોનું એક જુથ હતું. તે જુથે પોતાની પ્રવૃત્તીઓમાં વ્યાયામ શાળા, સમાજના ખોટા કુરીવાજો ખાસ કરીને મૃત્યુ પછીના બારમા– તેરમા પાછળના ખર્ચા અને વિધી–વિધાનો સામે જાગૃતતા લાવવાનું કામ કર્યુ હતું. તે સમયના રૂઢીચુસ્ત સમાજમાં આવા સામા પ્રવાહના વીચારો ફેલાવવા માટે અભ્યાસ વર્તુળ, શેરી નાટકો, ગરબા,બાલમંદીર, હરીજન વીકાસ મંડળ, પુસ્તકાલય અને વ્યાયામશાળાની પ્રવૃત્તીઓ શરૂ કરી હતી. તે સમયનું ' સમાજ સેવા સંઘ' નું યુવાન નેતૃત્વ ગાંધીવાદી વીચારો સાથે તેમાંથી કેટલાક ઉદ્દામવાદી વીચારોના પણ ટેકેદારો હતા. આશરે નાનામોટા થઇને ૧૦૦ ઉપરાંત યુવાન ભાઇ–બહેનો તે સંસ્થાના સક્રીય સભ્યો હતા. સને ૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી, તેમજ આ બધા ભણેલા ગણેલા યુવાનો માટે મહેમદાવાદમાં ધંધા રોજગાર અને નોકરીના સાધનો નહીવત હોવાથી તેમના માટે રોજીરોટીનો સવાલ પેદા થઇ ગયો. તેમાંથી જે યુવાનોને ગામમાં રહેવાનું અનુકુળ હતું તે બધાએ મહેમદાવાદ મ્યુનીસિપાલીટીની સત્તાની ધુરા સંભાળીને સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાનો વહીવટ આશરે ૧૦ વર્ષ સુધી સને ૧૯૫૧ થી ૧૯૬૦ સુધી સંભાળ્યો હતો. તેમના વહીવટ દરમ્યાન લોકવીકાસ અને જાગૃતીના પાયાના ઘણા કામો થયા હતા.

 બાકીના કેટલાક યુવાનો જે અમારા ગામનું બૌધ્ધીક રીતે પુખ્ત યુવાધન પોતાના અંગત કૌટુંબીક સગા–સંબંધીઓનો ઉપયોગ કરીને ગુજરાતના જુદા જુદા શહેરોમાં સ્થાઇ થઇ ગયું. ઘણા બધા અમદાવાદ,નડીયાદ,આણંદ,વડોદરા,મુંબઇ, ઇંદોર, ધુલીયા, પરદેશમાં લંડન, અમેરીકા, આફ્રીકા વગેરે સ્થળોએ આર્થીક તેથી સામાજીક રીતે સ્થાયી થઇ ગયા. પણ તે બધામાં પોતાના માદરે વતન મહેમદાવાદના સામુહીક વીકાસ માટે હાકલ પડે તો મદદ કરવાની તમન્ના તે બધામાં જીવતી જ રહી હતી. સને ૧૯૪૦માં જે ' સમાજ સેવા સંઘ' દ્રારા જે બિરાદરીની ભાવના અને ધર્મનીરપેક્ષ માનવ મુલ્યોનું યુવાકાળમાં સીંચન થયું હતું તે જીંદગી પર્યાંત તેમનામાં ધબકતું રહ્યુ હતું. સને ૧૯૯૦ સુધી જે થોડા પણ જીવતા હતા, તે બધાએ ' મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી ' ના વર્તમાન પ્રમુખ ચંદ્રકાન્ત ચંદુલાલ શાહ અને તેમના અન્ય હોદ્દેદારોની વીનંતીને માન આપીને ગામમાં કોલેજ બનાવવા માટે નાણાંકીય સહકાર આપવાનું શરૂ કર્યું.

    બીજુ એક અગત્યનું હકારાત્મક પરીબળ કોલેજના સ્વપ્નને સાકાર કરવા માટેનું એ હતું કે જે ' સમાજ સેવા સંઘ'નું યુવાબુધ્ધીધન ગામમાં આર્થીક રીતે સ્થીર થયું હતું તે અમારા કોલેજના સ્વપ્નને સાકાર બનાવવા માટે ઉદ્દદીપક પરીબળ બનીને અડીખમ ઉભું રહ્યું. તે ગામની સુખાકારી માટે અહર્નીશ ચીંતા કરતું મહાજન હતું. મહેમદાવાદનો પ્રમાણમાં સુખી, સમૃધ્ધ, અને ત્યાગની ભાવનાવાળો વેપારી મધ્યમ વર્ગ પેલા સમાજ સેવા સંઘની રચનાત્મક નીપજ હતો.. તેના નેતૃત્વની દ્રષ્ટી પણ ગામમાં કોલેજ થવી જ જોઇએ અને તે માટે પોતાની શક્તી મુજબનો વ્યક્તીગત અને સામુહીક તમામ સહકાર આપવા તે કટીબધ્ધ હતો. તેમના દ્રારા સંચાલીત મહેમદાવાદ અર્બન પીપ્લસ્ કો. ઓ. બેંક લી.  જે વર્ષોથી ગામની પાયાની જરૂરીયાતો જેવી કે પીવાના પાણીની ટાંકી, નગર પંચાયત સંચાલીત હોસ્પીટલમાં દર્દોઓ માટે તબીબી સુવીધા વધારવા, તેમજ શૈક્ષણીક સગવડો માટે પણ દાન આપતી હતી. સદર બેંકના ચુંટાયેલા બોર્ડ ઓફ ડીરેક્ટરર્સની દ્રષ્ટી પણ ગામનો વેપાર ધંધો વધે, બેકના સભાસદો આર્થીક રીતે સમૃધ્ધી થાય તે તો મુખ્ય અને પાયાનો હતો જ. સાથે સાથે ગામની સામુહીક પણ કોલેજ જેવી પાયાની જરૂરીયાતોમાં કેવી રીતે મદદરૂપ થવું તે પણ હતો જ.

 મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો સહીત તમામ કારોબારી સભ્યો પણ કોલેજનું કામ સાકાર કરવા કટીબધ્ધ ને એક જુથ હતા. વ્યક્તીગત ધોરણે દરેક સભ્યોનું કામ નોંધ પાત્ર હતું. સંસ્થાની કોલેજ બનાવવા માટેની ત્રણ વર્ષ માટે ચુંટાયેલી ફાઉન્ડર કારોબારીના સભ્યોની યાદી નીચે મજુબ હતી.

(1)                 ડૉ. ચંદ્રકાંત ચંદુલાલ શાહ, પ્રમુખ,

(2)                બીપીનચંદ્ર જગમોહનદાસ પરીખ ( શ્રોફ), એમ. એ. એલ એલ બી. તંત્રી,વૈશ્વીક માનવવાદ. એક્ઝીક્યુટીવ ચેરમેન.

(3)                નટુભાઇ પુરસોત્તમદાસ પરીખ ,નીવૃત  ડીડીઓ. જનરલ સેક્રટરી.

(4) કુમુદભાઇ ભલાભાઇ પટેલ, નિવૃત્ત એકાઉન્ટન્ટ, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, ટ્રેઝર.

(5)  મધુસુધન છોટાલાલ શાહ, કારોબારી સભ્ય.

(6) બચુભાઇ કાપડીયા . અમદાવાદ, કા સભ્ય.

(7) જીવણભાઇ અંબાલાલ શાહ, કા. સભ્ય.

(8) અજીતભાઇ માણેકલાલ શાહ, કા સભ્ય.

(9)  રમેશભાઇ વાડીલાલ પરીખ. કા. સભ્ય.

(10)        જશુભાઇ જડીલાલ પંડયા, કા. સભ્ય.

(11)        અબ્દુલ રશીદ કાસમભાઇ મલેક. કા. સભ્ય.

(12)        ડૉ પ્રવીણભાઇ સી. પરીખ. નિયામક ઓરીએન્ટ ઇન્સીટયુટ, અમદાવાદ. કા. સભ્ય.

(13)        વીરંચીભાઇ. સી. પરીખ. નિવૃત પ્રીન્સીપલ સરસપુર આર્ટસ કોલેજ, અમદાવાદ, કા. સભ્ય.

 સૌ પ્રથમ અમારા ચેરમેન ડૉ. ચંદ્રકાંત ભાઇએ મહેમદાવાદ –ખેડા રોડ આવેલા ઐતીહાસીક ભમ્મરીયા કુવા પાસે કતકપુરા જવાના રોડ પર રોડ ટચ સંસ્થાએ નકકી કરેલ આશરે ૫૦.૦૦૦ ચો. મીટર જમીન ખરીદવા ત્રણ લાખ રૂપીયા દાન તરીકે આપ્યા. અને સંસ્થાએ શૈક્ષણીક હેતુ માટે દસ્તાવેજ કરવાનું નક્કી કરી રજીસ્ટર્ડ બાનાખત કરાર કર્યો. અમારી સંસ્થા શૈક્ષણીક હેતુ માટે કોલેજનું મકાન બાંધવા અને તેને સંલગ્ન હેતુઓ માટે આ જમીન ખરીદવાનું નકકી કર્યું હતું. સરકારના રેવન્યુ ખાતાના નીયમ પ્રમાણે ખેતીની જમીનનો બીન ખેતી અને તેમાંય શૈક્ષણીક હેતુ માટે ઉપયોગમાં લેવાની હોય તો સૌ પ્રથમ  ખેડા જીલ્લા પ્રાંત ઓફીસરની આગોતરી હેતુ ફેરની મંજુરી સીવાય સદર જમીન વેચાણ લઇ શકાય નહી.  તે અંગે જરૂરી અરજી કર્યા પછી અમારા સૌના મનમાં ચીંતાનો વીષય હતો કે હવે આ સરકારી રેવન્યુ તંત્રમાં હેતુફેરના નીર્ણયનો હુકમ ક્યારે થશે અને અમે ક્યારે જમીન ખરીદીશું, તેના પર કોલેજનું મકાન બનાવવા પૈસા લાખો રૂપીયા લોકો પાસેથી દાનમાં કયારે ઉઘરાવીશું,  મકાન બનાવીશું, પછી ગુજરાત સરકારના શૈક્ષણીક ખાતાની પરવાનગી તથા ગુજરાત યુનીવર્સીટીનું વિધિસરનું જોડાણ (એફીલેશન) મેળવી શું અને ક્યારે આર્ટસ અને કોમર્સ કોલેજ ચાલુ કરી શકીશું. અમારી સંસ્થા પાસે સંસ્થા તરીકે અથવા તેના સભ્યોમાંથી વ્યક્તીગત ધોરણે કોઇની પાસે એવી મુડી બીલકુલ હતી જ નહી કે આ અશક્ય સ્વપ્નને શક્ય બનાવે! આ તો દારૂખાનાની ટીકડીઓ ફોડવાની ટચુકડી બંદુક લઇને આદર્શઘેલા યુવાનો ક્રાંતી કરવા મેદાને પડયા હોય તેવી નગ્ન હકીકત અમારી હતી. જો કે અમારા પ્રમુખ ચંદ્રકાંતભાઇને પોતાના અમેરીકા સ્થિત નજીકના સગા પર વિશ્વાસ હતો કે તે કોલેજ માટે જરૂરી નાણાંકીય સગવડ પુરી પાડશે. પણ ગમે તે કારણસર તેમનું તે સ્વપ્ન સાકાર થયું નહી. પણ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેલી સદબહાર કવિતાની પંક્તી ' તારી હાક સુની કોઇ ન આવે તો એકલો જાને રે, એકલો જાને રે ' ને યાદ કરતા કરતા અમે બધા મીત્રો કોલેજનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કરવા માંડ્યા.

      ખેડા જીલ્લા પ્રાંત ઓફીસમાંથી સંસ્થા પર સત્વરે પત્ર આવ્યો કે અમારી અરજીના સંદર્ભમાં  નક્કી કરેલા દીવસે બપોરે ૩–૩૦. વાગે મલવું.અમે ત્રણેક સભ્યો, સમયસર પ્રાંત ઓફીસે પહોંચી ગયા. ત્યાં પહોંચતાં જ સમાચાર મલ્યા કે પ્રાંત સાહેબ કામમાં રોકાયેલા છે, પણ તેમની સુચનાથી તમારે માટે નાસ્તો– ચાહ તૈયાર રાખ્યો છે. તે પ્રથમ લઇ લો! તમારામાંથી બીપીન શ્રોફ કોણ છે? ચા– નાસ્તા ને ન્યાય આપ્યા પછી  પ્રાંત સાહેબ શ્રી કારખાનાવાલાએ અમને અંદર બોલાવ્યા. ક્હયું કે બીપીનભાઇ, હું તમારો આજીવન રૂણી છું.તમારૂ માસીક ' વૈશ્વીક માનવવાદ' નો હું આજીવન સભ્ય છું. તમારા માસીકના લેખોએ મને એમ. એ. રાજ્યશાસ્રના તથા જીપીએસસીના વિષયો સમજવામાં ખુબજ જ મદદ કરી છે. તમારો સમય કીંમતી છે. તમને વધુવાર રોકી રખાય નહી. મેં તમારી કોલેજ માટેની જમીન હેતુ ફેરની જમીન માટે પરવાનગી આપી દીધી છે. તે સીલબંધ કવરમાં હું તમને આપું છું. તમે ખેડા કલેકટર સાહેબને અત્યારે સીધા જ જઇને આપી દો. મેં સાહેબ સાથે વાત કરી દીધી છે તે તરતજ સહી કરીને આજે જ પરવાનગી પેપરની તમામ વિધિ પુર્ણ કરીને તમને રૂબરૂમાં આપી દેશે. શું આપણી વસુંધરા આવા માનવ રત્નોથી જ સુશોભીત નથી? વીચારોના શસ્રોની તાકાત ( Effects of weapons of ideas) આવી હશે તે તત્વજ્ઞાની કાર્લ માર્કસને તો ખબર હતી જ પણ અમને તો તેનો સાક્ષાત્કર જ થઇ ગયો. સલામ કારખાનાવાલા સાહેબ!

અમારી સંસ્થાએ નક્કી કરેલી તારીખે ૦૮–૦૪–૧૯૯૪ સંસ્થાની તરફેણમાં મહેમદાવાદના રહીશ ભાઇશ્રી પધ્યુમન ખમાર પાસેથી સંપુર્ણ રકમ પેઇઝ એકાઉન્ટ ચેકથી આપીને નક્કી કરેલ જમીનનો પાકો રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવી લીધોં.

હવે ધી મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટીના તમામ સભ્યોની જવાબદારી આવીને ઉભી રહી કે કોલેજના સ્વપ્નને સાકાર કેવી રીતે બનાવવું ! સૌ પ્રથમ સંસ્થાએ મુળ મહેમદાવાદના હાલ નડીયાદ સ્થીત વ્યવસાયે આર્કીટેક્ચર એન્જીયર શ્રી પ્રફુલભાઇ શાહ ( પી.કુમાર) નો સંપર્ક કર્યો. ગુજરાત યુનીવર્સીટીના ધારાધોરણ મુજબના આર્ટસ અને કોમર્સ કોલેજની એફ વાય બી એ– બી કોમ થી માંડીને ફાયનલ વર્ષ સુધીના શૈક્ષણીક ઓરડા, પુસ્તકાલય,વહીવટી ઓફીસ, ગર્લ્સ રૂમ, સ્ટાફ રૂમ વગેરે માટેના ક્લાસરૂમ્સના નકશા બનાવડાયા. ગુજ. યુની ની તે અંગેની સક્ષમ અધિકારીઓની ટીમ રૂબરૂ મુલાકત લેવડાવીને પ્લાન મંજુર કરાવ્યો. તેમજ અમદાવાદ શહેરી સત્તા મંડળ ( ઔડા) બાંધકામ માટેની( એન ઓસી) તથા ખેડા જીલ્લા પંચાયતની એન એ પરવાનગીઓ મેળવી.  

સૌ પ્રથમ સંસ્થાની કારોબારીએ પોતાના દરેક સભ્યોને વીનંતી કરીકે દરેક સભ્ય ઓછામાં ઓછા રૂ. ૨૫૦૦૦/ દાન તરીકે આપે અથવા અપાવે. ધી મહેમદાવાદ અર્બન બેંકે પોતાનું નામ કોમર્સ કોલેજ શાખા સાથે જોડવાની શરતે રૂપીયા ૧૫ લાખનું માતબર દાન આપ્યું. બીજુ,મુળ મહેમદાવાદના પણ અમદાવાદ સ્થાયી થયેલા ધી માણેકચોક પીપલ્સ કો ઓ બેંકના ચેરમેન શ્રી રમણલાલ પી. ચોકસી નો સંપર્ક કેળવીને ગામની અર્બન બેંકની માફક રૂપીયા ૧૫ લાખનું દાન આપે અને આર્ટસ્ કોલેજ ઉપર તેમની બેંકનું નામ આવે તેવી દરખાસ્ત અમારી સંસ્થાએ સર્વાનુમતે  કરી. આ ઉપરાંત કમ્પ્યુટર સેન્ટર માટે રૂપીયા ૧૦ લાખનું દાન જે કોઇ વ્યક્તી આપે તેના નામ સદર સેન્ટર પર મુકવું તેવો નિર્ણય પણ સાથે સાથે સંસ્થાએ કરી દીધો.

ગુજરાત સરકાર અમારી સંસ્થાને સ્વનિર્ભર (સેલ્ફ ફાઇનાન્સ) કોલેજ શરૂ કરવા માટે એટલે કે ક્યારેય સરકાર પાસે ગ્રાંટ નહી માંગવાની શરતે પરવાનગી આપવા તૈયાર થઇ. ગુજ યુની. સ્વનિર્ભર કોલેજને જોડાણએ શરતે આપે કે સદર કોલેજના સંપાદક મંડળે રૂપીયા ૨૫ લાખ ફીક્ષ ડીપોજીટ તરીકે ગુજ યુનિ.માં નક્કી કરેલી શરતોએ મુકે. જે ભંડોળ કોલેજના સ્ટાફના પગાર વી. ચુકવવા સંસ્થાની નાણાંકીય કટોકટીમાં ટેકારૂપ બની રહે. અમારી સંસ્થા આટલી મોટી આ નાણાંકીય જવાબદારી લેવા પણ તૈયાર થઇ.

હવે, અમારી સંસ્થાની કારોબારી સમિતિએ ઠરાવ કરી નકકી કર્યું કે કોલેજનું બાંધકામ કરવા માટેના તમામ મોટા કામો ટેન્ડર બહાર પાડીને આપવા તેમજ ખર્ચના તમામ બીલો પેઇઝ એકાઉન્ટ ચેકથી જ ચુકવવા. કોઇપણ માલની ખરીદી સેલ્સ ટેક્ષ ને સેન્ટ્રલ ટેક્ષનું લાયસન્સ ધરાવનાર વેપારી કે કુંપની પાસેથી જ રેતી, કપચી, સીમેંટ, લોખંડના સળિયા વી. ખરીદવું. કોઇપણ વ્યક્તી કે સંસ્થા પાસેથી કોઇપણ પ્રકારનું બીલ્ડીંગ મટિઅરિઅલ્સ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ દાનમાં, કે બીલ વીના, ક્યારેય લેવી નહી.

     આશરે એક વર્ષ પછી તા ૦૬–૦૩–૧૯૯૫ના રોજ પ્રગતીશીલ સમાજસુધારક સ્વામી સચ્ચીદાનંદના શુભેચ્છા દાન સાથે ( રૂપીયા ૧૧,૧૧૧/) કોલેજના મકાન માટેનો શીલાન્યાસ કર્યો. તે પ્રસંગે થોડા ખાટામીઠા અનુભવો થવા માંડ્યા. ગુજરાતની પ્રખ્યાત ચા કુંપની 'વાઘ– બકરી' ના માલીક પિયુષભાઇ દેસાઇ તથા રજનીકાન્ત મણીલાલ શાહ, અમદાવાદમાં ઉન્નતિ બાલમંદીરના સંચાલક, બંનેએ સંસ્થાને એક, એક લાખના ચેકો આપ્યા. બીજુ બાજુએ સભા મંચથી થોડે દુર જ્યારે શીલાન્યાસની વિધી ચાલતી હતી, સંસ્થાના પ્રમુખ ડૉ ચંદ્ર્કાંતભાઇ તથા અર્બન બેંકના ચેરમેન અજીતભાઇ શાહ તે વિધીમાં બેઠેલા હતા ત્યારે ગામના અગ્રણી ઉધ્યોગપતી તથા બીજા અન્ય લોકો એ ચીંતા સાથે ટીકા કરી કે આપણા ગામમાં ઘણા બધા સ્થળોના શીલાન્યાસ થયા પછી ક્યારે ય બાંધકામ થયા નથી. બીજા એક વડીલ અને જવાબદાર અગ્રણીએ પોતાના આર્થીક હીતેને ધ્યાનમાં રાખીને કહી નાંખ્યું કે " આપણા ગામમાં કોલેજ બોલેજ ના જોઇએ! ગામડાના છોકરાઓ ભણતા થઇ જશે તો અમારા કારખાના, મીલો ને દુકાનોમાં મજુરીએ કોણ આવશે? તમને કોલેજ માટે દાનમાં પૈસા આપીને અમારે અને અમારી ભવિષ્યની પેઢીઓના પગ પર કુહાડા કાયમ માટે મારવા અમે તૈયાર નથી. તમારા બધા ભણેલાગણેલા કરતાં પેલો પચાસ વર્ષો સુધી ગામની તમામ સંસ્થાઓનો પોતાની પાસે એકહથ્થુ વહીવટ રાખીને ભલે ગામનો તેણે આધુનીક વીકાસ ન થવા દીધો, સદીઓની ગામની સ્થગીતતા ચાલુ રાખી પણ અમારા તમામ સ્થાપીત હીતોને તેણે ટકાવી રાખ્યા હતા ને!

શીલાન્યાસની વિધી કરવાનાર મહારાજે ચાલુ વિધીએ આવી ટીકા અને આવા સારા સમયે ન થવી જોઇએ તેવો અહેસાસ થતાં જણાવ્યું કે શેઠ, સાંભળો, મારી નાના મોઢે મોટી વાત ! આ સંસ્થાના સંચાલકો જુદી માટીના માનવો છે. તેમની તાકાત ને હું વર્ષોથી પહેચાનું છું અને સામી ભીતે લખી રાખો કે આ કોલેજ થઇ ને રહેશે. આ સમાજ હિતના શુભ કામમાં હું તમારા બધાના ની માફક મારૂ પ્રદાન, માનાર્થે, નિર્વેતન આપવા આવ્યો છું. શીલાન્યાસ પ્રસંગે વિડીયો લેનાર ભાઇએ આ બધું જ લાઇવ લઇ લીધું છે.

--