Sunday, October 31, 2021

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪. તા ૩૧–૧૦–૨૧.

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪. તા ૩૧૧૦૨૧.

ગઇકાલના વિષયની ચર્ચાને આધારે તથા અન્ય જીગ્નાસુ મિત્રૌએ જે પ્રશ્નો પુછયા છે તેને અત્રે ટુંકાવીને રજુ કરેલ છે. આજના વેબીનારમાં સાંજે પાંચ વાગે  પ્રથમ પ્રશ્નોના જવાબો આપવામાં આવશે ત્યાર બાદ સમય બચશે તો  વર્તમાન વિચારસરણીઓની નિષફળતા વિષય પર આગળ વિચારો રજુ કરવામાં આવશે્ તેની નોંધ લેવી.

 પ્રશ્ન . ભારતના બંધારણમાં ધાર્મીક સ્વતંત્રતા અંગે જોગવાઇ છે. નાસ્તીકાતા અંગે કોઇ ખાસ કાયદાકીય જોગવાઇ છે?

પ્રશ્ન. દરિયો ભરીને લુંટ કરીને ખોબો ભરીને દાન કરવાથી કોઇ અર્થ સરે ખરો?

પ્રશ્ન. શુ ખરેખર સરદાર સરોવર અને બુલેટ ટે્ઇન જેવા પ્રોજેકટથી  બહુમતી પ્રજાજનનું કલ્યાણ થાય છે ખરૂ?

પ્રશ્ન. માનવવાદી દ્ર્ષટીએ  સર્વમત અને બહુમત કેવી રીતે પારીભાષિત કરવામાં આવે છે.

પ્રશ્ન.  પુખ્ત ઉંમરના વિજાતીય સ્વતંત્ર સંબંધો અંગે માનવવાદી અભિગમ કેવો? તેના સાથે જ મળેલો બીજૌ પ્રશ્નમાનવવાદ ગર્ભપાત કે એબોર્શનને નૈતીક માને છે કે અનૈતીક?

પ્રશ્ન.  માનવ જીવનના ઘડતરમાં ધર્મની ભુમીકા શું?  તેને મજબુત કરવામાં કયા કયા પરિબળો નો  પ્રમુખ ભુમીકા છે?

પ્રશ્ન.  શું ધર્મા માનવીને ગેરમાર્ગે ( મીસ ગાઇડ) દોરનારુ પરિબળ નથી ? રી. ડોકીન્સ.

પ્રશ્ન. માનવવાદ લગ્નોત્તર સંબંધૌ ( Extramarital relationship, & LGBT )તથા સમલૈગીંક સંબંધો અને ટા્ન્સજેન્ડર) સંબંધો અંગે કેવા વલણો ધરાવે છે?

પ્રશ્ન૯ સ્વતંત્ર જાતીય મુક્ત વિહાર માનવવાદની વિચારસરણી સાથે સુસંગત છે કે વિરોધાભાસી?  

પ્રશ્ન૧૦માનવવાદ ઇશ્વરના અસ્તીત્વનો અસ્વીકાર કરે છે. તો શું આ વિચારસરણી નાસ્તીકતાના પ્રચાર અને સંવર્ધનું કામ કરે છે?

પ્રશ્ન૧૧માનવવાદી તરીકે  ભારત દેશમાં પ્રવર્તમાન અંધશ્રધ્ધાળુ, ધાર્મીક અને ઇરેશનલ વાતાવરણમાં સ્ંઘર્ષ કર્યા સિવાય જીવવું કેવી રીતે? પ્રતિ દિવસે  માનવવાદી મુલ્યોના પ્રચાર પ્રસારના ક્ષેત્રો મર્યાદિત થતા જતા હોય તો વ્યક્તિ અને સમાજ પરિવર્તન માટે કેવી રીતે કામ કરવું?


--