Tuesday, October 12, 2021

Questions from H Acedemy Students.


 મિત્રો, હ્યુમેનીસ્ટ એકેડેમી સંચાલિત અભ્યાસ ક્રમમાં ચોથા લેકચેર જે ૧૦મી ઓક્ટોબરે પુરુ થયુ છે.

તેમાં ત્રણેક પ્રશ્નો આવ્યા છે.પ્રશ્નો પુછનારા અને ચર્ચા કરનારાઓમાં ભાઇ દિપક શાહ, જાગૃતીબેન ઠક્કર અને ભાઇ રૂતસ્તાંગ બોરા હતા. જેના જવાબ નીચે મુજબ છે.

() ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિકતા એટલે શું? બન્ને વચ્ચે શું તફાવત છે? ધર્મનિરપેક્ષ એટલે ધર્મના આધાર સિવાયનું દા; ત આપણા દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. જ્યારે પાકિસ્તાનનું બંધારણ ઇસ્લામ ધર્મ પર  આધારીત છે.

() બિનસાંપ્રદાયિકતા એટલે શું? બિન એટલે નહી. ધર્મ કે સંપ્રદાયના આધાર સિવાયનું. બંને શબ્દોના અર્થ જુદા નથી.

()  સંસ્કૃતી અને પરંપરા વચ્ચે શું તફાવત છે? સંસ્કૃતી શબ્દનું અંગ્રેજી છે. CIVILIZATION. 
A civilization is a complex human society, usually made up of different cities, with certain characteristics of cultural and technological development. જ્યારે લોકો ભટકતું, જંગલી, કે શિકારી જીવનને બદલે સમુહમાં જીવવાનું શરૂ કરે છે, નગર રાજ્યોમાં જીવવાનું શરૂ કરે છે ત્યારે સંસ્કૃતી શરૂ થાય છે. જે સંસ્કૃતીમાં પ્રજા વિગ્નાન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે તે પ્રજા આવા સાધનોના ઓછા ઉપયોગ કરતી સંસ્કૃત( !) પ્રજા કરતાં જૈવીક સંઘર્ષના પ્રશ્નો દા;ત રોટી કપડાં ઓર મકાન સરળતા ઉકેલી ને આગળ વધેલી સુસ્કૃંત પ્રજા તરીકે આોળખાય છે. કુદરતના ભરોસે જીવનારી પ્રજાને સંસ્કૃત પ્રજા કહેવાય નહી. જંગલી ન્યાય વ્યવસ્થામાં રાચનારી , તેના ગુણગાન ગાનારી, તેવી ન્યાયવ્યવસ્થાને ધર્મપુસ્તકોનો ટેકો લઇને આલીંગન કરનારી પ્રજાને સંસ્કૃત પ્રજાને બદલે  Barbarious society & Barbarious Culture કહેવાય. તેમના જીવનને ક્યારેય સંસ્કૃત જીવન કહેવાય નહી.

ભારત એક દેશ તરીકે વૈશ્વીક સંસ્કૃતીક સમાજમાં ક્યાં હતો, તાજેતરમાં ક્યાં આવી ગયો છે અને કઇ દીશામાં ઉચ્ચ હિમાલયના શિખરો આંબવા તરફ કે પછી અરબી સમુદ્રના ઉંડાણનાં ગરકાવમાંથી પાછા ન નીકળાય તેવી સંસ્કૃતી (!) તરફ Point of No Return પુરા જોષ સાથે ધસી રહ્યો છે. સ્વત્તંત્રતા, સમાનતા અને બંધુત્વ આધારીત દેશની સંસ્કૃતી વિકસે તેને બદલે આપણા સત્તાના સુત્રધારોને સામંતશાહી, ધર્મશાહી,અને રાજાશાહી આધારીત અમાનવીય સમાજ તરફ જવામાં આજે તો ગૌરવ દેખાય છે. દેશના બહુમતી નાગરીકોને આવી સંસ્કૃતીના સંરક્ષણમાં વિશ્વ ગૌરવ દેખાય છે......... 

--