Friday, February 25, 2022

પેલા માઓવાદી નક્ષલવાદી....

પેલા માઓવાદી નક્ષલવાદી. રાહુલ ગાંધી વાળા અર્બન નક્ષલવાદી અને અમે હિંદુત્વવાદી પણ નક્ષલવાદી.

 નક્ષલવાદ એક હિંસક રાજકીય વિચારસરણી તરીકે ઓળખાય છે. સદર વિચારસરણી લોકશાહી, બંધારણીય માર્ગે તથા અહિંસક પરિવર્તનમાં વિશ્વાસ ધરાવતી નથી. માઓવાદી નક્ષલો માને છે કે  " ક્રાંતિ બંદુકના નાળચા કે બેરેલ ( હિંસા) માંથી જ નીકળે છે. અથવા શક્ય છે. ભારતમાં માઓવાદી નક્ષલો ખાસ કરીને છત્રીસગઢ, ઓડીસા, મહારાષ્ટ્, આંધ્ર અને તેલંગણાના જુદા જુદા જીલ્લાઓમાં સક્રીય હતા. ક્રમશ તેમની વર્ષવાર હિંસક પ્રવૃત્તીઓમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. તેમનું વૈચારીક પ્રેરકબળ ભારતના ગામડાઓમાં પ્રવર્તમાન અસમાન જમીન માલિકીના સંબંધો છે. આ ઉપરાંત આ બધા રાજ્યોમાં આદીવાસીઓને  પોતાની ભુમિમાંથી વિકાસને  નામે વિસ્થાપિતો બનાવી દેવામાં આવે છે. જમીનના  મુળ માલીકોને  જમીન વિહોણા બનાવતાં માઓવાદીઓ નક્ષલવાદ આધારીત હિંસાકત્મક માર્ગો દ્ર્રારા જમીન માલીકો પાસેથી જમીન પરત અપાવવા જે હિંસક–રાજકીય પ્રવૃત્તીઓ કરે છે તેને માઓવાદી નક્ષલવાદ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે ચીન જેવા એક જમાનાના ખેતી પ્રધાન દેશમાં માઓત્સે તુંગે સને ૧૯૪૮માં જમીન વિહોણા ખેડુતોને હથીયારો આપીને, ચીનના સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે હિંસક ક્રાંતિ દ્રારા સત્તા પલટો કરાવ્યો હતો. અને જમીનદારી પ્રથાનો કાયમ માટે અંત લાવ્યા હતા. ભારતમાં માઓવાદી–નક્ષલવાદીઓ છેલ્લા ચાર પાંચ દાયકા કરતાં વધારે સમયથી આ જીલ્લાઓમાં જમીન વિહોણા અને વિસ્થાપિતોને મદદ કરીને હિંસક પ્રવૃત્તી દ્રારા આધુનીક રાજ્યને ઉથલાવવાની કોશીષ કરે છે જે હજુ સુધી સફળ થઇ નથી.

તાજેતરમાં સંસદમાં કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની આર્થીક નીતીઓની ટીકા કરતાં જણાવ્યં હતું કે દેશમાં દસ ઉધ્યોગપતિઓના હાથમાં પચાસ ટકા ઉપરની મિલકત એકત્ર થઇ ગઇ છે. છેલ્લા સાત વર્ષોના મોદી સરકારના વહીવટમાં ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરનારી વસ્તીની સંખ્યા કુલ વસ્તીના આશરે ૨૩ ટકા થઇ ગઇ છે. દેશમાં નાના–અને મધ્યમ સ્તરના ઉધ્યોગો તથા અસંગઠિત આર્થીક ક્ષેત્રોની હાલત ખુબજ દયનીય બની ગઇ છે. આ માહિતી સંસદ સમક્ષ સરકારના નીતી આયોગે પ્રકાશિત કરેલા આંકડાઓને આધારે  રજુ કરેલ છે.

વડાપ્રધાન મોદી પાસે તે આંકડાકીય સત્યને પડકારવા કોઇ વ્યાજબી દલીલ ન હોવાથી એક ભયંકર જુઠ્ઠાણું સંસદમાં સમક્ષ રજુ કર્યુ. " રાહુલની કોંગ્રેસપાર્ટી વાળા બધા અર્બન નક્ષલ છે. " હવે  આ જુઠ્ઠાણા સામે રાહુલ અને તેની પાર્ટી સાબીત કરે કે કેવી રીતે તે બધા અર્બન નક્ષલ નથી.

વિશ્વમાં કાર્લ માર્કસના વિચારો પર કોઇ ક્રાંતિ થઇ નથી. રશિયામાં સને ૧૯૧૭ અને ચીન માં સને ૧૯૪૮માં જે સામ્યવાદી ક્રાંતિઓ થઇ છે તે  ઔધ્યોગીક રીતે પછાત દેશોમાં અને સંગઠીત ઔધ્યોગીક મજુરોના ( પ્રોલોતેરીયટ) (અર્બન નક્ષલોની) ગેરહાજરીમાં થઇ હતી. માર્કસની ક્રાંતિનો વાહક તો આધુનીક શહેરોના ઔધ્યોગીક મજુરો હતા.  ભારતમાં બેરોજગાર કે રોજગાર ઔધ્યોગીક કામદારોના કોઇ સંગઠીત અન હિંસક બળવો કરી વર્તમાન મોદી સરકારને  ઉથલાવી શકે તેવા કોઇ સંગઠનો હોય અને તેની નેતાગીરી કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી પાસે હોય, અને તે બધા કાર્લ માર્કસની ભાષામાં સર્વહારા હોય તો તે બધાને રાજ્યશાસ્રના અભ્યાસક્રમમાં અર્બન નક્ષલ તરીકે ભણાવવામાં આવે છે. આ વડાપ્રધાન મોદી કઇ યુની. ના રાજ્યશાસોના અભ્યાસક્રમમાં અર્બન નક્ષલની વિભાવના ( Political Concept) શીખ્યા હશે તે તો તેમને ખબર છે. પણ ગુજરાત યુની. ના તે સમયના એમ એ.રાજ્યશાસ્રના પ્રોફેસરો મારા નજીકના મિત્રો હતા અને છે. અને તેમની બૌધ્ધક નિપુણતાથી હું પુરો માહિતગાર છું. આ મુદ્દે કદાચ એવું હશે કે સત્તાની સાથે બેફામ અને બેજવાબદાર બોલવાનો આ વડાપ્રધાનનો ઇજારો થઇ ગયો લાગે છે. હવે તે વાયરસ તેમના સાથીદારો અને  પક્ષની રેન્ક એન્ડ ફાઇલ સુધી પહોંચી ગયું છે.

બે દિવસ પહેલાં જ ઇન્ડીયન એક્સેપ્રેસના તંત્રી એ પોતાના તંત્રી લેખમાં દેશના વડાપ્રધાનન મોદીને વિનંતી, ચેતવણી અને પોતાના પદ અને ગરીમાને શોભે નહી છાજે તેવી ભાષા બોલવાથી દુર રહેવા ખાસ વિનંતી કરી હતી. આ ટીકા સદર અખબારના તંત્રીએ મોદીએ ' ગુજરાતમાં સાયકલપર  બોમ્બ મુકીને જે હીંસા કરનારાઓને  ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી, તે સંદર્ભનો ' મારી મચેડીને ' ઉ. પ્રદેશની ચુંટણીમાં સમાજવાદી પક્ષના ચુંટણી પ્રતિક સાયકલ હોવાથી તે પક્ષ અને તેના નેતા અખિલેશ યાદવ આતંકવાદના ટેકેદારો છે. આવું આક્ષેપ , આ મોદી સિવાય બીજું કોણ કરી શકે?

ઇન્ડીયન એકસપ્રેસના તંત્રીએ શું ટીકા લખી છે તે તેના મુળ સ્વરૂપે જ સમજવાની કોશીષ કરીએ.   પ્રથમ તંત્રી લેખના મથાળાને સમજીએ.

" PM's linking SP's poll symbol cycle, to vehicle used for bombs tars and disrespects the opposition".

" In a democracy disrespect shown to the opposition can end up, becoming disrespects to people's right to chose to democracy itself. For a campaigner of the PM's stature to loose sight of these vital distinctions, in the heat of election battle is dispiriting and disheartening."

ભાવાનુવાદ– ભાઇ! વડાપ્રધાનની કક્ષા ધરાવતા સન્માનીય વ્યક્તીએ ચુંટણીના ઉત્તેજીત વાતાવરણમાં પણ લોકશાહી રાજ્યવ્યવસ્થામાં વિરોધપક્ષ અને તેના ચુંટણી પ્રતિક પ્રત્યે આવી નારાજગી બતાવવી 

એ તો ખરેખર તેઓને લોકોને લોકશાહી રાજ્ય વ્યવસ્થા પસંદ કરી છે તેનો અણગમો કે નારાજગી છે એમ જ સાબિત કરે છે. આવું વલણ તો ખુબજ હ્રદય દ્રાવક( Disheartening) અને સમગ્ર લોકશાહી વ્યવ્સ્થાને વેરવિખેર( Dispiriting) કરનારુ છે. ( હિંદુત્વવાદી નક્ષલવાદની ચર્ચા આવતી કાલે.)


--