Sunday, February 27, 2022

અમારે ભારતને ફરી સ્વતંત્ર નહીં પણ મુક્ત બનાવવાનું છે.

અમારે ભારતને ફરીથી સ્વતંત્ર નહી પણ મુક્ત બનાવવું છે.

અરે ભાઇ! આપણો દેશ તો સ્વતંત્ર છે, આઝાદ છે, પ્રજાના મતથી ચુંટાયેલી સરકાર છે, સને ૧૯૪૭ પછી અને ૨૦૨૨ સુધી ' આપણા દેશમાં આપણું રાજ્ય નથી તો કોનું રાજ્ય છે?'

(1)     અમારે તો ગાંધી વિચાર મુક્ત ભારત બનાવવું છે.

(2)    અમારે નહેરૂ મુક્ત ભારત બનાવવું છે.

(3)    અમારે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે.

(4)    અમારે નામશેષ વિરોધ પક્ષવાળુ ભારત બનાવવુ છે.

(5)    અમારે બંધારણ મુક્ત ભારત બનાવવું છે.

(6)    અમારે સામાજીક ન્યાય મુક્ત ભારત બનાવવું છે.

(7)    અમારે લોકપ્રતિનિધિ પ્રથા મુક્ત ભારત બનાવવું છે.

(8)    અમારે કોઇપણ પ્રકારની અભિવ્યક્તિ સ્વાતંત્રય મુક્ત ભારત બનાવવું છે.

(9)    અમારે કાયદાના શાસન મુક્ત ભારત બનાવવું છે.

(10) માનવ માત્ર જન્મથી જ સમાન છે તેવા પુર્વગ્રહ મુક્ત  ભારત બનાવવું છે.

(11) રાજ્ય સત્તાનું સર્જન પ્રજાકીય હિત માટે છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે.

(12) પ્રજાની વર્તમાન સ્થિતિ માટે રાજ્યકર્તા જવાબદાર છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે. ખરેખર તો પ્રજા તેના કર્મો અને નસીબ પ્રમાણે ભોગવે છે.

(13) કુદરતી સંસાધનો (  Natural Resources or nature itself) ના ઉપયોગથી માનવ સુખાકારી વધે છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે. કુદરતી પરિબળો ને ભજાય, પુજા અને અર્ચના જ થાય!

(14) હેપી વેલેનટાઇલ ડે , હેપી ન્યુ યર, વાળી માનસીકતા મુક્ત ભારતને બનાવવાનું છે.

(15) દેશનું ભાવિ હાર્વર્ડ, બોસ્ટન કે કેમ્બ્રીજ  રિર્ટન થી જ નક્કી થાય એ પુર્વગ્રહ મુક્ત દેશે બનવાનું છે. ખરેખર ભારતનું ભાવિ શાસન કર્તાના હાર્ડ વર્ક થી જ નક્કી થાય છે.

(16) ભારતના આધુનિક મંદિરો  ભાખરા નંગલ ડેમ, રૂરકેલા, ભીલાઇ સ્ટીલ પ્લાન, આઇ આઇ ટી, આઇ આઇ એમ અને જેએનયુ છે , એ બધા પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે;  ભારતનો સાંસ્કૃતીક સાચો જીર્ણોધ્ધાર કાશી, મથુરા અને અયોધ્યા માં છે. 

--