Thursday, December 8, 2022

રેશનાલીસ્ટ દ્રષ્ટીએ મૃત્યુના ખ્યાલની ચર્ચા.

રેશનાલીસ્ટ દ્રષ્ટીએ મૃત્યુના ખ્યાલની ચર્ચા.

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ના પ્રમુખ શ્રી ડૉ સુજાત વલી દ્રારા સંચાલીત તા. ૧૬મી નવેંબરના રોજ આયોજીત વેબીનારમાં ' મૃત્યુ' સૈધ્ધાંતીક રીતે કોને કહેવાય તેની ચર્ચા હતી. ડૉ વલીએ સૌ પ્રથમ મેડીકલ અને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત મૃત્યુના ખ્યાલને વાસ્તવીક રીતે સમજવતાં કહ્યુ હતું કે મૃત્યુ એટલે શરીરના અંગોનું કાયમી ધોરણે કામ કરતું બંધ થઇ જવું. અંગ્રેજીમાં તેમણે ખુબજ સરસ અને સહેલો શબ્દ વાપર્યો હતો."IrreversiblePermanent loss of functions.". શરીરના જે અંગો(Body Organs) કાયમ માટે ફરી કામ કરી શકે નહી તેવી સ્થિતી એટલે મૃત્યુ. વધુમાં તેઓએ શરીરના ચાર અગત્યના અંગોની કામ કરવાની પધ્ધતી સમજાવી હતી. હ્રદય, મગજ, ફેફસાં અને કીડની. ખાસ કરીને એકાએક હાર્ટ–ફેઇલયોર્સમાં તાત્કાલીક આશરે ચાર મીનીટની અંદર સીધુ હ્રદયના મસલ્સમાં ખાસ પ્રકારનું ઇજ્કેશન આપવામાં આવે તો હ્રદય સ્વયંસંચાલીત અંગ હોવાથી ચાલુ થઇ શકે છે તેવો દાવો મેડીકલ વીજ્ઞાનનો છે. જે ખોટો નથી.

(1) ચર્ચા આગળ ચાલતાં બીપીન શ્રોફ તરફથી પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે હીંદુ માન્યતા પ્રમાણે જીવનભરના કર્મો (દુન્યવી નૈતીકતા કે વ્યવહાર) સાથે મૃત્યુને કોઇ સંબંધ હોય છે કેમ? જવાબ. ડૉ વલીનો જવાબ હતો  બીલકુલ ના. શરીરના તમામ અંગોના સંચાલનમાં તેના પોતાના ભૌતીક નીયમો હોય છે. જેને શરીરની બાહ્ય વ્યક્તીગત કે સામાજીક પ્રવૃત્તીઓ સાથે કોઇ સંબંધ હોતો નથી.

(2) શું કોઇ ઇશ્વરી કે આધ્યાત્મિક,કે અશરીર પરીબળો માનવ અંગોના સંચાલનમાં તે બધાની પુજા– અર્ચના, પ્રાર્થના, ભક્તિ ,કાકલુદી કરવાથી કે સોનાચાંદીની ભેટ ધરાવવાથી  માનવ અંગોના રોગો અટકાવી શકે? જ. ના.

(3) શરીરમાં આત્માનું અસ્તીત્વ છે? હોય તો શરીરમાં તેનું ભૌતીક રીતે રહેવાનું અંગ કયું? શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ પામે છે અને ક્યારે તે શરીરની બહાર નીકળી જાય છે? જવાબ. આત્માનું કોઇ અસ્તીત્વ નથી.પૃથ્વી પરના તમામ સજીવો માત્ર ને માત્ર ભૌતીક એકમો છે. ભૌતીક પદાર્થોના જ બનેલા છે.

(4) મનીષીભાઇ જાની– હીંદુ ધર્મના પાયાના પુસ્તક ગીતામાં તો એક શ્લોકમાં સ્પષ્ટ ઉપદેશ આપવામાં આવ્યો છે કે શરીર નાશવંત છે. આત્મા અમર છે,અવિનાશી છે. તે પાણીમાં ડુબતો નથી,અગ્ની તેને બાળી શકતો નથી.વી.જે તે શરીરના મૃત્યુ પછી તે ખોળીયુ બદલી(જુના શરીરમાંથી નીકળી) નવા શરીરમાં હીંદુ ચાર વર્ણવ્યસ્થા(જેને ગીતાના ઉપદેશ મુજબ શ્રી કૃષ્ણે બનાવી છે)પ્રમાણે તેના ભુતકાળના જીવનના કર્મો પ્રમાણેના વર્ણમાં જન્મ લે છે. જવાબ– દરેક ધર્મોમાં મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ જેવીકે સ્વર્ગ– નર્ક, જન્નત– જહનમ, કયામતનો દિવસ, સાલવેશન, ચોરાસીલાખ યોનીનો ખ્યાલ વી, પુરાવા વીહીન ધાર્મીક અંધશ્રધ્ધાઓ છે.જેને માનવ પ્રત્યક્ષ જ્ઞાન અને સમજશક્તીથી સમજાવી શકાય નહી.

(5)  બીપીન શ્રોફ–  તો પછી સજીવ એટલે શું? આત્મા સીવાય શરીર સજીવ કેવી રીતે કામ કરતું થાય છે? સ્રી બીજ અને પુરૂષ વીર્યના સંયોજનમાંથી સજીવતા( જીવન-Life) કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું કાળામાથાનો માનવી બે નીર્જીવ પદાર્થોમાંથી એક સજીવ કોષ બનાવી શકે છે?

(6) જવાબ– તા. ૨૨મી નવેંબર સુધી આપને ઇંતેજાર કરવો પડશે! સોરી ફોર ધી ઇન્ટરપ્શન. વેબીનારનું પ્રતી બુધવારે ઇન્ડીયન ટાઇમ પ્રમાણે રાત્રીના ૯–૦૦ વાગે એક કલાક માટે આયોજન કરવામાં આવેલ છે. ત્યાંસુધી ઉપરની ચર્ચાને આધારે ફેસુબક સજ્જન અને સૌમ્ય ચર્ચાને આવકારીએ છીએ.

(7) દરેક સજીવ જન્મે છે એક ભૌતીક જૈવીક કોષ તરીકે સ્રી કે પુરૂષ તરીકે બીલકુલ નહી. સ્રી કે પુરૂષ તરીકે જીવવુ એ ઐતીહાસીક અને સાંસ્કૃતીક ઘટના છે.Baby girls are manufactured as the woman. Does it mean biological difference does not play any role? Does play its role. But we do not want to be subded by the existing socio- political order… Decolonization of anti- women order—Question of liberty & legalizing abortion.- Direction action for promoting Feminism—Mobilization of Public opinion in favor of feminism. Women have to take matters in their own hands without resorting to Laws Enactments..- Even in Communist organization women are treated unequal. .Left parties are dominated by the male.  Feminist issues non- existence in their agenda--. Sexism discrimination on the basis of sex- Racism discrimination based on Races—We have to fight all forms of sexism—Law for anti – sexism discrimination- Reforming entire anti –women mentality-male perspective history should be changed—to what! Fight for two slaveries namely that of Household work & motherhood- washing dishes & open mindedness of men.

 

પ્રીય સાથી ડૉ. સુજાતભાઇ,મનીષીભાઇ જાની અને અવીનાષભાઇ,

 તા. ૧૬મી નવેંબરના 'મૃત્યુ' વિષય પરના વેબીનારની ચર્ચા મેં ફેસબુક પર મુકતાં ઘણો સારો અને હકારાત્મક પ્રતીભાવ મળેલ છે. જે તમે " Bipin Shroff Facebook" પર જોઇ શકશો.

(1)  હવે આપણે તા. ૨૨મી નવેંબરના રોજ ચર્ચા આગળ ચલાવીએ ત્યારે સૌ પ્રથમ સુજાતભાઇ તમારે પ્રથમ IVF દ્રારા ફલીનીકરણ યુટયુબથી સમજાવવાનું છે. આ ઉપરાંત વિષયને અનુકુળ હોય તે બધુ જ.

(2)  મારો,મનીષીભાઇ અને અન્ય સાથી મીત્રોનો અભીગમ આપના જ્ઞાનની મદદથી, જન્મ અને મૃત્યુના ખ્યાલ (Concept)ની આસપાસ જે ધાર્મીક અંધશ્રધ્ધા, વહેમો અને ધાર્મીક રૂઢી– રીવાજો અંગે જુદા જુદા ધાર્મીક સમાજોમાં પ્રવર્તમાન છે તેને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત સૌમ્ય અને રેશનલ દ્રષ્ટીબીંદુથી રજુ કરવાનો હશે. સમજાવવાનો રહેશે.

(3)  માનવ ગર્ભની જાતિ, લિંગભેદ( સ્રી કે પુરૂષ) કેવી રીતે નક્કી થાય છે? લિંગભેદ નક્કી કરવા કોણ જવાબદાર? સ્રી કે પુરૂષ? કેવી રીતે?

(4)  દરેક સજીવ જન્મે છે એક ભૌતીક જૈવીક કોષ તરીકે સ્રી કે પુરૂષ તરીકે બીલકુલ નહી. સ્રી કે પુરૂષ તરીકે જીવવુ એ ઐતીહાસીક અને સાંસ્કૃતીક ઘટના છે.

(5)  દરેક ભૌતીક સજીવ જૈવીક કોષના કાર્યો શું પુર્વજન્મના કર્મો, જે તે ધર્મના ઇશ્વરો, તેના એજંટો( ધર્મગુરૂઓ, પાદરી,પેગંબર, મોલવી, અને ધાર્મીક પુસ્તકો અને ઉપદેશો આધારીત હોય છે કે કેમ? જૈવીક કોષના કાર્યો કેવી રીતે નક્કી થાય છે? દરેક સજીવ જૈવીક કોષના કાર્યોમાં સમાનતા હોય છે કે ભીન્નતા? શું માનવી ખાસ હેતુ માટે બનાવેલું અન્ય સજીવોથી સ્વતંત્ર કે અલગ ઇશ્વરી સર્જન છે? રંગસુત્રો(Chromosomes) એટલે શું? તેનાં લક્ષણો તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે હસ્તાંતર (Transfer) થાય છે?

મનીષીભાઇને વીનંતી કે તમે સ્રી મુક્તીને ઉજાગર કરતું નાનું સરખુ પણ અતિમહત્વનું પુસ્તક' ' પીંજરના પંખી' ગુજ રે એસો ના સહકારથી ગુજરાતી ભાષામાં પ્રકાશીત કરેલ છે. સુજાતભાઇએ શરૂ કરેલી ચર્ચાને વધુ જ્ઞાનવર્ધક ને તર્કપુર્ણ બનાવવા માટે આ નીચે રજુ કરેલ વાક્યના સંદર્ભમાં હવે પછીનો વેબીનાર કરો. તેવી મારી સૌને આગ્રહભરી વિનંતી છે. 

--