Friday, December 16, 2022

આપણે બધા કેમ ભુલી ગયા આપણા ભવ્ય પાદુકા રાજ્ય સંચાલનના વારસા ને!


આપણે બધા કેમ ભુલી ગયા આપણા ભવ્ય પાદુકા રાજ્ય સંચાલનના વારસા ને!

 રામાયણનો એક હિંદુ ધર્મ પુસ્તક તરીકે સંદેશ હોય તો એક માત્ર સંદેશ છે કે ' ભારતને ફક્ત પાદુકા રાજ્ય વ્યવસ્થા જ માફક આવે છે. પાદુકા રાજ્ય એટલે રાજાની ગેરહાજરીમાં અને પણ પ્રજાની રાજાની ભક્તીથી ચાલતી રાજ્ય વ્યવસ્થા!

સને ૧૯૫૦થી દેશમાં બંધારણમાં આમેજ  લોકશાહી મુલ્યો આધારીત રાજ્યવ્યવસ્થા જેનો પાયો પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ શરૂ કરલો તેનો વિકલ્પ દેશે ' ગુજરાત મોડેલ' માં શોધી કાઢયો છે. ગુજરાત ,મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને આસામ વિ, રાજ્યોમાં 'પાદુકા'  દિલ્હીથી મોકલવામાં આવે છે. જ્યાંસુધી 'પાદુકા'ની પુજા, અર્ચના અને દિલ્હી માન્ય ગુણગાન ચાલુ રાખવમાં આવે ત્યાં સુધી 'પાદુકા' ને ભજનારા, પુજનારા, અર્ચના કરનારા બદલવામાં આવતા નથી.

ગજરાતના ' પાદુકા મોડેલ' નો દેશના સને ૨૦૨૪ના મતદારો માટેનો સંદેશો ' આપણા સલામતી ' પાદુકા રાજ્ય'ના વહીવટમાં છે. દેશના નાગરીકોનું ભાવી તેમના સશક્તીકરણમાં નહી પણ 'પાદુકા રાજ્ય'ના સશકતીકરણમાં છે. આપણા દેશમાં પશ્ચીમી લોકશાહી માનવકેન્દ્રી બંધારણીય રાજ્યવ્યવસ્થાએ શરૂ કરેલ તમામ આધુનીક સંસ્થાઓના કાયમી સર્વનાશ માટે ' પાદુકા રાજ્ય' અનીવાર્ય છે. " LONG LIVE PADUKA RAJAY."

--