Thursday, October 19, 2023

નિરીશ્વરવાદીઓને નિજી આર્થિક વિકાસ સાથે કેવો સંબંધ છે?


નિરીશ્વરવાદીઓને નિજી આર્થિક વિકાસ  સાથે  કેવો  સંબંધ  છે?


વૈશ્વિક કક્ષાએ ભૌતિક સુખાકારીના માપદંડોને આધારે જે તારણો ઉપલબ્ધ છે તે સાબિત કરે છે કે માથાદીઠ ઉંચી આવક ધરાવતા દેશોમાં નિરીશ્વરવાદી  નાગરિકોની વસ્તી સંખ્યા ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો કરતાં ઘણી વધારે છે.

  •  વૈશ્વિક સ્તરપર સને1910માં 4ટકા વસ્તી નિરીશ્વરવાદી હતી.સને1990 તે વધીને 40 ટકા આશરે દસગણી વધારે થઈ ગઈ.કારણકે  વિશ્વનો સરેરાશ આર્થિક વિકાસ છેલ્લા આઠ -નવ દાયકાઓમાં ઘણો  વધ્યો છે. નિરીશ્વરવાદી ખ્યાલમાં નાસ્તિકો (Atheist)સંશયવાદીઓ (agnostic)અને જે ઈશ્વરનું અસ્તિત્વ છે અથવા નથી  બે માંથી કોઈમાં પણ શ્રધ્ધા ધરાવતા  નથી(nontheism) તેવાઓનો સમાવેશ છે.  

  •  અમેરિકામાં નિરીશ્વરવાદના માપદંડને નક્કી કરવા માટે એક " ઉત્પાદકીય ઓધોગિક સાહસિક " A metric called 'productive entrepreneurship" નો  ખ્યાલ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં 500 ઉપર રોજગારી આપતા નવા ઔધોગીક સાહસો તથા વ્યક્તિગત  ધોરણે ઔધોગિક સાહસ કરનારને આમેજ કરવામાં આવ્યા છે.

  • આશ્રર્ય  સાથે એવું તારણ  આવ્યું કે તે બધા મોટે ભાગે નિરીશ્વરવાદીઓ નીકળ્યા. તેની પાછળનું કારણ આ બધા ઔધોગિક સાહસિકો  પોતાની સાધન સંપત્તિ અને સમય ધાર્મિકતાને બદલે  પોતાના  નવા વ્યવસાયની સફળતા અને પડકારો પાછળ વાપરતા હતા. ઉપરાંત ધાર્મિકતાનો ખ્યાલ જે માનસિકતા સતત મનપર હાવી  જવાની તેમાંથી મુક્તિ મળવાથી આર્થિક સફળતા પ્રાપ્ત કરવી સરળ બની ગઈ.( religion "may create psychic costs to pursuing worldly gains.") સરળ  ભાષામાં  કહીએ તો આબધા નવા ઔધોગીક સાહસિકો  ભજન કરવાને બદલે  ધંધે લાગી ગયા.

  •   જે દેશોની પ્રજા પોતાનો સમય શક્તિ અને સાધન સંપત્તિ આર્થિક વિકાસમાં રોકે છે તે બધાની સરેરાશ માથાદીઠ આવક વાર્ષિક 30000 યુએસ ડોલર થી વધારે છે.

  • જયારે જે દેશોની પ્રજા પોતાનો સમય ,શક્તિ અને સાધન સંપત્તિ  સવારથી સાંજ સુધી પ્રાર્થના, ભજન, નમાઝ ,બંદગી વી, માનસિકતાની પાછળ ખર્ચે છે તેમની માથાદીઠ આવક 21મી સદીમાં પણ હજુ  5000 યુએસ ડોલરે પણ પહોંચી  નથી. 

  • તે દેશોની યાદીમાં ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન  સૌથી  મોખરે છે. અમારા આ પિતરાઈ ભાઈઓના દેશોના નેતાઓને પોતાની  પ્રજાને ધર્મની ચુંગલમાં કે ધર્મનું અફીણ પીવડાવીને પોતાની સત્તાના અફીણમાં કેમ પડી  રહેવું તેમાં નિપુણતા  મેળવી દીધી છે. સામુહિકતાની ઓળખની લોલિપ્પ મોઢામાં 24x 7 દિવસ મમળાવ્યાં કરવાનો આનંદ પેલા આધ્યાત્મિક સુખ કરતાં વધુ આપે છે.

  •    આ લેખમાં વૈશ્વિક સ્તર પર જે  દેશોમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા છે તે દેશોની માથાદીઠ આવકને નિરીશ્વરવાદી નાગરિકોની સંખ્યાની માહિતી પુરી પડી છે. સામ્યવાદી દેશો જેવા કે રુશિયા,ચીન અને ઉત્તર કોરિયા કે લશ્કરી દેશોના આંકડાઓ લીધા નથી.કારણકે સામ્યવાદી  દેશોમાં નિરીશ્વરવાદ રાજ્ય પ્રેરિત  હોય છે.

—------------------------------------------------------------------------------


       (a) ઝેક રિપબ્લિક -78ટકા નિરીશ્વરવાદી -માથાદીઠ આવક $(યુએસ ડોલરની     નિશાની છે) 475247.

       (b)રિપબ્લિક ઓફ ઈસ્ટોનિયા -ઉત્તર યુરોપમાં' બાલ્ટીક સમુદ્ર પાસે આવેલ દેશ છે.વિશ્વ માં તેનું અર્થતંત્ર બધા દેશોની સરખામણીમાં સૌથી નાનું છે. પણ તેની 60%વસ્તી નિરીશ્વરવાદી  છે.જયારે ઈસાઈઓની વસ્તી 40% છે.માથાદીઠ આવક $31207 છે.

      (c ) જપાન -વિશ્વનો સૌથી ટેક્નોલોજી અને ઔધોગિક માપદંડોથી વિકસેલો દેશ છે.તેની કુલ વસ્તીના 60% લોકો નિરીશ્વરવાદી છે.માથાદીઠ આવક $33822 છે.પ્રજાનો ધર્મ બૌદ્ધ છે.  

      (d) હોંકોંગ (Hong Kong) 54% વસ્તી નિરીશ્વરવાદી-માથાદીઠ આવક- $74,598.


     (e)નેધરલેન્ડ 58% નિરીશ્વરવાદી - માથાદીઠ આવક- $63370.ઈસાઈ 40% વસ્તી.


     (f) રીપબ્લિક ઉરુગ્વે-દ- અમેરિકા -41% નિરીશ્વરવાદી-માથાદીઠ આવક-$ 22950.


    (g) ન્યુઝીલેન્ડ - 50% વસ્તી નિરીશ્વરવાદી છે.માથાદીઠ આવક-$ 48781 છે.


    (h) ફ્રાંસ -57% નિરીશ્વરવાદી- માથાદીઠ આવક $51660.

   

    (I) બ્રિટન -53% નિરીશ્વરવાદી.માથાદીઠ આવક-$ 49000.


    


(J) યુએસએ -23% નિરીશ્વરવાદી . માથાદીઠ -$70480.


(K) સ્વીડન -85% નિરીશ્વરવાદી- માથાદીઠ આવક - $65,842.

—-------------------------------------------------------------------------------------


****** માથાદીઠ આવક નીચેના દેશોની- જેના નિરીશ્વરવાદના આંકડા  મળતા નથી.

  પાકિસ્તાન -$1505, અફઘાનિસ્તાન -$368, ઈરાન- $4091, ઇરાક-4775, તુર્કી-9661, બાંગલાદેશ -$2475,ઇન્ડિયા -$2256, ઇન્ડોનેશિયા-$4277.

—--------------------------------THE END—---------------------------------------


--