Thursday, October 20, 2016

દેશના આ વીકાસ મોડલમાં મહામંદી ક્યારે આવશે?

દેશના આ વીકાસ મોડલમાં મહામંદી ક્યારે આવશે?

ધાર્મિક સર્વિસ આપતી ઈ-કોમર્સ કંપનીઓ માટે દિવાળી ધમાકેદાર રહેશે

શિલ્પા એલિઝાબેથ
ચેન્નાઈ:તહેવારની સિઝનમાં પૂજારીઓ, પ્રસાદ અને બીજી ધાર્મિક-આધ્યાત્મિક ચીજોની ભારે માંગ જોવા મળી છે. પરંપરા અને ટેકનોલોજી પર આધારિત શહેરી તહેવારોમાં હવે ઘણી બધી કામગીરી ઓનલાઇન થવા લાગી છે અને તેના કારણે ધાર્મિક તથા આધ્યાત્મિક જરૂરિયાતો સંતોષતી ઇકોમર્સ કંપનીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ભારતમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું બજાર લગભગ બે લાખ કરોડ રૂપિયા (30 અબજ ડોલર)નું હોવાનું માનવામાં આવે છે. બે મહિનાની તહેવારોની સિઝનમાં જે માંગ જોવા મળે છે તે દર્શાવે છે કે જે ઉદ્યોગ સાહસિકો લોકોની નાડને પારખી શકે તે ધારી કમાણી કરી શકે છે.
ઓનલાઇન ધાર્મિક સર્વિસ પ્રોવાઈડર ઓનલાઇન પ્રસાદના સ્થાપક ગુંજન મોલે જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના બે મહિના અમારા કુલ વેચાણમાં લગભગ 35થી 40 ટકા હિસ્સો ધરાવે છે. માસિક ધોરણે જોવામાં આવે તો વેચાણમાં આ બે મહિનામાં 100 ટકા સુધી ઉછાળો આવે છે.
તેમણે કહ્યું કે તેમની કંપનીની એવરેજ કાર્ટ સાઇઝ (ગ્રાહક દ્વારા સરેરાશ ખરીદી) 1500 રૂપિયાની હોય છે પરંતુ તહેવારોના દિવસોમાં તે વધીને રૂ.2500 સુધી પહોંચી જાય છે. સ્ટાર્ટઅપ એક ફ્લાઇંગ ટીમ તૈયાર રાખે છે જે મહત્ત્વના સ્થળો પર આવેલા મંદિરોની મુલાકાત લઇને પૂજામાં મદદ કરે છે તથા સ્થાનિક સ્તરે પણ જરૂરી સંસાધનો ભાડે રાખે છે.
તેઓ કહે છે કે એક દિવસમાં 30થી વધારે પૂજા કરવાની હોય તો અમારા રોલ પરના બે પૂજારીઓ આ કામ નહીં કરી શકે. તેથી અમારે આ મહિનાઓમાં થયેલા કોન્ટ્રાક્ટના આધારે વધારે સ્થાનિક મદદ મેળવવી પડે છે.
ઓનલાઇન પૂજા બુકિંગ સર્વિસ મુહુર્ત મઝા પર ભારતના આઠ શહેરોમાં 300 પૂજારીઓ નોંધાયેલા છે. વધતી માંગને પહોંચી વળવા માટે તે પંડિતોની સંખ્યા વધારીને બમણી કરવા માંગે છે. તેઓ કહે છે. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે મહિનામાં 30થી 40 બુકિંગ મળતા હતા. હવે આ સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે.
મુહુર્ત મઝાના સીઇઓ સુઘોષ સોવાલેએ જણાવ્યું કે, તહેવારની સિઝનમાં મહિને 300 થઈ 400 બુકિંગ થાય છે. બુકિંગ ઓનલાઇન થાય છે પરંતુ પંડિતો પૂજા કરીને ડાયરેક્ટ દક્ષિણા મેળવે છે જેથી પૂજાની મૂળ પ્રથા જળવાઈ રહે. તહેવારનો ટ્રેન્ડ દર્શાવે છે કે પરંપરાગત અને ધાર્મિક પ્રથામાં ઇનોવેશન અને ટેકનોલોજીનો ઝડપથી સ્વીકાર થઈ રહ્યો છે.
વાસ્તુ સર્વિસ પ્રોવાઈડર મહાવાસ્તુ ડોટ કોમના સ્થાપક ખુશદીપ બંસલે વધુ ૬૦ વાસ્તુ નિષ્ણાતોને ઉમેરવાનો નિર્ણય લીધો છે. તેઓ કહે છે કે લોકો હવે વાસ્તુ સેવાઓ માટે પાંચથી દશ લાખ સુધીની ચુકવણી કરે છે.

( સૌ. ઇકોનોમીક્સ ટાઇમ્સ ગુજરાતી પાનનં ૧૦ તા.૨૦ ઓકટોબર૨૦૧૬.)


--