Saturday, October 29, 2016

ફીલ્મ અભીનેત્રી મીનાકુમારી શરીયતના કાનુનનો (તલ્લાક અને હલાલાનો) કેવી રીતે ભોગ બની?

ફીલ્મ અભીનેત્રી મીનાકુમારી શરીયતના કાનુનનો (તલ્લાક અને હલાલાનો) કેવી રીતે ભોગ બની?

મુસ્લીમ સ્રીના લગ્નજીવન અને કૌટુંબીક જીવન પર તલ્લાક અને હલાલા કેવી આત્યંતીક અસરો પેદા કરી શકે છે તે આપણે સૌને અભીનેત્રી મીનાકુમારીના જીવન પરથી સમજી શકીએ તેમ છીએ. કમલ અમરોહીએ પોતાની ૩૪ વર્ષની ઉંમરે મીનાકુમારીની ઉંમર ૧૯ની હતી ત્યારે નીકાહ પઢી લગ્નનો કરાર કર્યો હતો.મુસ્લીમ સ્રીના લગ્નજીવન અને કૌટુંબીક જીવન પર તલ્લાક અને હલાલા કેવી આત્યંતીક અસરો પેદા કરી શકે છે તે આપણે સૌને અભીનેત્રી મીનાકુમારીના જીવન પરથી સમજી શકીએ તેમ છીએ. કમલ અમરોહીએ પોતાની ૩૪ વર્ષની ઉંમરે મીનાકુમારીની ઉંમર ૧૯ની હતી ત્યારે નીકાહ પઢી લગ્નનો કરાર કર્યો હતો.

સામાન્યરીતે જયારે મુસ્લીમધર્મી પતી–પત્નીને પોતાનું સહીયારું લગ્ન જીવન જીવવું અસહ્ય બની જાય છે ત્યારે તેઓ બંને મુસ્લીમ શરીયત કાનુન પ્રમાણે તલ્લાકનો રસ્તો પસંદ કરે છે. પણ મોટેભાગે હકીકત કાંઇક જુદી જ હોય છે. તલ્લાક આપવાની શરૂઆત મુસ્લીમ પુરૂષ તરફથી જ થતી હોય છે. મીનાકુમારીના દાખલામાં પણ કમલઅમરોહીએ પોતેજ દારૂ પીધેલી હાલતમાં મીનાકુમારીને અડધી રાત્રીએ ત્રણવાર તલ્લાક બોલીને  તલ્લાક આપ્યા હતા. શરીયત કાનુન પ્રમાણે મુસ્લીમ પુરૂષે એક સમયે પોતાની પત્નીને તલ્લાક આપ્યા પછી તેણીની જ સાથે પુર્નલગ્ન કરવાં સરળ નથી. કમલ અમરોહીને તલ્લાક આપવાની ભુલ સમજાઇ તેથી તે મીનાકુમારીની સંમતીથી ફરી લગ્ન કરવા તૈયાર થયો.

 પણ શરીયત પ્રમાણે બંને એ 'હલાલા' ની સ્થીતીમાંથી પસાર થવું પડે. હલાલાના નીયમમાં શરીયત એમ કહે છે કે તેનું સર્જન જે પરણીત જોડીએ મુસ્લીમ લગ્ન સંસ્થાના કરારને માન્ય રાખ્યો નથી તેમને શીક્ષા કરવા તે ઘડવામાં આવ્યો છે. હલાલામાં તલ્લાક પામેલ સ્રીએ અન્ય કોઇ પુરૂષ સાથે શરીયતનાકાનુન પ્રમાણે નીકાહ પઢવા પડે અને ત્યારબાદ નવાપતી સાથે બધાજ પતી– પત્નીના સંબંધો બાંધ્યા પછી ( ફક્ત તેનાથી ગર્ભધારણ કર્યા સીવાય) નક્કી કરેલો સમય પસાર કરીને તે નવો પતી તલ્લાક આપે તો જ તલ્લાક મળી શકે ! પણ તેમાં પેલી સ્રીને તલ્લાક આપવાનો કોઇ અધીકાર શરીયતમાં નથી. જો નવો પતી કુદરતી રીતે કે અન્ય કારણોસર તલ્લાક ન આપેતો તે સ્રી જુના પતીસાથે પુન:લગ્ન કરી શકતી નથી.

હવે 'ટ્રેજડી ક્વીન' મીનાકુમારીના જીવનમાં શું થયું તે જોઇએ. કમલ સાહેબે! પોતાનાવીશ્વાસ પાત્ર કારડ્રાયવર સાથે શરીયતના 'હલાલા'નાનીયમ પ્રમાણે આ સંજોગોમાં મીનાકુમારીની સંમતીથી( કારણકે તેણીને પણ પોતાનું લગ્ન જીવન કમલ સાથે પુન:સ્થાપીત કરવુ હતું.) નીકાહ પઢયા! કમલ સાહેબના ડ્રાયવરે અને મીનાકુમારીના આ પતીએ તેણીને હવે તલ્લાક આપવાની ના પાડી દીધી. મુસ્લીમ પર્સનલ લો માં મુસ્લીમ સ્રીને તો તલ્લાક આપવાનો હક્ક જ ક્યાં છે?

વધારામાં જે ફીલ્મોમાં મીનાકુમારી કામ કરતી હતી ત્યાં આ ડ્રાયવર ફીલ્મના શુટીગ સમયે જઇને પોતે મીનાકુમારીનો પતી છે તેવું સાબીત કરવા સતત પોતાની સભાનતા બતાવતો હતો. એક સમયે 'પાકીઝા ફીલ્મ' શુટીગમાં સાંજના ૬–૩૦ પછી મીનાકુમારી કામ કરતી હતી ત્યારે આ સાહેબે બધાની વચ્ચે જઇને મીનાકુમારીના ગાલપર એક જોરદાર થપ્પડ મારી દીધી!

કોઇપણ સમાજમાં અમાનવીય ધાર્મીક બંધનો તોડ્યા સીવાય  બીજો કોઇ ઉપાય નથી. તે માટેનો સંઘર્ષ નીસ્બત અને શોષીતો એજ કરવા પડે. સત્તાકીય પક્ષો કે ધર્મના સ્થાપીત હીતો ક્યારેય તમારી સાથે રહેવાના નથી એમ સમજીને આગળ વધવું પડે.  

 

 


--