Wednesday, July 5, 2017

શું આદેશમાં મુસલમાનોએ જીવ બચાવવા આવું કરવું પડે?

શું આદેશમાં મુસલમાનોએ જીવ બચાવવા આવું કરવું પડે?

 Muslim man dons (નો ગુજરાતી અર્થ પહેરવું પણ થાય છે) burqa to escape lynching News on page 10 Times of India to- day dated 5th July 2017).

નઝમલ હસન, ઉંમર ૪૨ વર્ષ, ઉત્તર પ્રદેશમાં અલીગઢના કાશીમપુર ઇલેક્ટ્રીક પાવર સ્ટેશનમાં આસીસ્ટન્ટ એન્જીયર તરીકે નોકરી કરે છે. તેના નજીક સગા દીલ્હીમાં કોઇ હોસ્પીટલમાં બીમાર હોવાથી દાખલ કરેલ છે. ટ્રેઇનમાં બેસીને વારંવાર તેને દીલ્હી જવું આવવું પડે છે.તારીખ ૨જી જુલાઇનારોજ તે બુરખો પહેરીને અલીગઢ સ્ટેશને દીલ્હી જવા આવ્યો હતો.મુળ પુરૂષ અને મજબુરીથી બુરખો પહેરવો પડયો. તેની ચાલ અને વર્તણુકમાં અજુગતું લાગતાં રેલ્વેપ્લેટફોર્મના અન્ય પેસંજરોએ ફરીયાદ કરતાં પોલીસે તેની ધરપકડ કરી.

પોલીસ સમક્ષ " ભાઇ હસને જણાવ્યું કે તેને મુસ્લીમ હોવાને નાતે મનસ્વી હીંસાખોરીનો( Lynching) ભય પેલા જુનેદની ટ્રેઇનમાં હત્યા થઇ પછી સખત પેસી ગયો છે.વારંવાર તેને મજબુરીથી દીલ્હી જવું પડે તેમ છે.દીલ્હીથી અલીગઢ સ્ટેશને ઉતરતાં ભીડમાં એક બીજાસાથે અથડાતાં પાચ છ માણસો ભેગા થઇ ગયા,બધા લોકોને હાજરીમાં મને મોટે મોટે બોલીને ધમકી આપી છે કે તને અલીગઢમાં જીવતો રહેવા નહી દઇએ. આ ધમકી પછી મેં મારા કુટુંબજનોમાંથી કોઇને મારી સાથે દીલ્હી આવવા વીનંતી કરેલ . પણ કોઇએ મને ટેકો આપ્યો નથી. તેથી મેં બુરખો પહેરીને જવાનું પસંદ કર્યું.'

સીનીયર પોલીસ અધીકારીઓ આશ્ચર્યચકીત થઇ ગયા કે લઘુમતી કોમમાં અસલામતીની ભાવના કેટલી ભયંકર પેદા થઇ ગઇ છે.રાજેશ પંડયા, સીનીયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસે હસનની બધી તપાસ કરતાં તે બીલકુલ નિર્દોષ છે તેવો અભીપ્રાય આપ્યો હતો.


--