બોલો! હવે તો તમે ચોક્કસ માનશો કે આ વિમાની અકસ્માતમાંથી ભગવાને તમને બચાવ્યા છે? એક પત્રકારે નિરઇશ્વરવાદી તત્વચિંતક બર્ટ્રાન્ડ રસેલને પુછેલો પ્રશ્ન.
રસેલનો જવાબ– આ ક્ષણે તો નહી જ ! કેમ?
બીજી ઓકટોબર ૧૯૪૮ના રોજ નોર્વે દેશના શહેર ત્રોન્દીહેઇમ (Trondheim)માંથી પ્રવચન આપીને જતા હતા. ત્યારે રસેલના પ્લેનને અકસ્માત થયો.પ્લેન સમુદ્રમાં પડયું. કુલ ૪૩ યાત્રીઓમાંથી ૨૪ બચી ગયા.૧૯ ડુબીને મૃત્યુ પામ્યા.
મારી સિગાર (ચિરુટે) મને બચાવી લીધો.તમારા ગોડે નહી! કારણ કે અમે ૨૪ યાત્રીઓ વિમાનમાં એ વિભાગમાં હતા જ્યાં ચાલુ વિમાને સિગાર કે ચીરુટ પીવાની છુટ હતી.તે વિભાગ સહીસલામત રહ્યો છે.
ફેસબુક વાંચનાર મિત્રો! એવું ભુલેચુકે ન માનશો કે આ લખાણ લખનારને અમદાવાદના પ્લેન અકસ્માતમાં ગુજરી ગયેલા પ્રત્યે તથા કુટુંબીજનો માટે દિલસોજી કે સહાનુભુતી નથી.
અમદાવાદથી મારી દિકરી ગાર્ગીનો ફોન અટલાંટાના ટાઇમ પ્રમાણે સવારે સાત વાગે ફોન આવે છે.
પપ્પા ક્યાં છે? કેમ ફોન ઉપાડતા નથી?
મમ્મી– તે બાથરૂમમાં અમદાવાદના અકસ્માતના સમાચારથી ખુબજ લાગણીસભર થઇ ને રડે છે.
"દુનિયાભરમાં નજર નાખતાં તમને ખ્યાલ આવશે કે માનવીય ભાવનામાં થયેલી દરેક પ્રગતિ, ગુનાહિત કાયદામાં થયેલી દરેક સુધારણા, યુદ્ધ ઘટાડવા તરફનું દરેક પગલું, રંગીન જાતિઓ સાથે સારી વર્તણૂક તરફનું દરેક પગલું,( every step toward better treatment of the colored races) અથવા ગુલામીમાં ઘટાડો કરવા તરફનું દરેક પગલું, દુનિયામાં થયેલી દરેક નૈતિક પ્રગતિનો વિશ્વના સંગઠિત ચર્ચો દ્વારા સતત વિરોધ કરવામાં આવ્યો છે. હું ખૂબ જાણી જોઈને કહું છું કે ખ્રિસ્તી ધર્મ, જે તેના ચર્ચોમાં સંગઠિત છે, તે દુનિયામાં નૈતિક પ્રગતિનો મુખ્ય દુશ્મન રહ્યો છે અને હજુ પણ છે."
~ બર્ટ્રાન્ડ રસેલ
—-------------------------------------------------------------------------