Monday, July 28, 2025

ચાલો, આપણે કુદરતને ભજવાને બદલે સમજીએ–

ચાલો, આપણે કુદરતને ભજવાને બદલે સમજીએ–

 ફેસબુક પર મેં ખાસ બે લેખોની ચર્ચા કરી હતી.એક નિરઇશ્વરવાદ કે નાસ્તિકવાદ અને બીજો ધર્મનિરપેક્ષ માનવવાદ. હવે આ બંને લેખોમાં એ સમજાવવાની કોશીષ કરી હતી કે કુદરતી નિયમબધ્ધતા અને કાર્યકારણના નિયમ ને આધારે દુન્યવી સત્ય શોધી શકાય તેમ છે.

આપણા પુર્વજો માટે અને કૃષિ સમાજ તરીકે એ સરળ ન હતું કે કેવી રીતે વ્યક્તિગત કે સામુહિક ધોરણે જે કાંઇ કુદરતી બનાવો કે ઘટનાઓ ઘટતી હતી તેને દૈવી પરિબળોના ખોફ કે આનંદ સિવાય બીજી કોઇ નિયમબધ્ધતાનું પરિણામ હોઇ શકે તે રીતે સમજવું??માનવીના કર્મો પ્રમાણે પછી તે પુર્વજન્મના હોય કે વર્તમાન જ્ન્મમાં કરેલા તેના ફળો દરેકને ભોગવવા પડે છે તેવા સરળ સત્યને કે અર્થઘટનને બહોળી સ્વીકૃતી મળી ગઇ હતી.

     ૨૫૦૦ વર્ષ પહેલાં ગ્રીક સમાજમાં અને ભારતમાં પણ એકજ અંધશ્રધ્ધા પ્રવર્તમાન હતી. જેને સત્ય તરીકે માનવામાં આવતી હતી કે આકાશમાં જ્યુપીટર(ગ્રીક સમાજમાં)નામનો દેવ છે;અને ભારતમાં ઇન્દ્ર નામનો આકાશમાં દેવ છે જે વરસાદ મોકલે છે. જેમ માણસ નારાજ થાય તો તેને આજીજી, કાકુલૂદી કે ભક્તી–અર્ચના કરીને સમજાવાય કે હૈ! આકાશી દેવ! તું વરસાદ મોકલ! અથવા અતિશય વરસાદ પડી ગયો હોય તો ખમ્મા કર! વ્યક્તિગત ધોરણે જે કોઇ ચેપી રોગ થતા બળિયા, શીતળા,પ્લેગ, મેલેરીયા કે કોવિડ વિ તો તેનું કારણ પણ ઇશ્વરી ખોફનું પરિણામ સમજવામાં આવતું હતું. સ્રીઓમાં વળગાડ, ભુતપ્રેત, ડાકણ જેવા માનવીયત્તર પરિબળોના પરકાયાપ્રવેશથી આપણે ત્યાં અને યુરોપમાં હજારો સ્રીઓને જીવતી સળગાવી દેવામાં આવતી હતી.જુના સમાજોમાં પછી તે સમાજો પુર્વના હોય કે પશ્ચીમના, કુદરત અને તેના પરિબળો ભજવા–પુજવા કે અર્ચના કરવાના સાધનો હતા. કુદરતી પરિબળો ક્યારેય તે સમયે જ્ઞાન પ્રાપ્ત કરી અને મુશ્કેલીઓ કે રોગો દૂર કરવાના સાધનો ન હતા.

   કોઇપણ કુદરતી ઘટના અને ઇશ્વરી માન્યતા વચ્ચે પાયાનો તફાવત શું હોય છે? કુદરતી ઘટનાને તેના નિયમોથી પુરાવા સહિત આધારોની મદદથી સમજાવી શકાય છે. એટલું જ નહી તેના ખરાપણ અંગે વિશ્વના કોઇપણ ખુણે તટસ્થ રીતે તપાસીને તે જ તારણ કાઢીને, તે જ ઉપાય પ્રમાણે ચેપીરોગને અટકાવી શકાય છે.

કુદરત શું છે? અલૌકિક સાથે તેનો તફાવત– કુદરતનો નિયમ અને કાર્યકારણ શું છે? કુદરત, અલૌકિક, કુદરતના નિયમો અને કાર્યકારણને સમજવું ચાલો આ પરસ્પર જોડાયેલા ખ્યાલોને આપણે જ્ઞાન –વિજ્ઞાનની મદદથી સમજીએ.

 1. કુદરત– કુદરત સમગ્ર ભૌતિક વિશ્વને સમાવે છે, જેમાં બધી અવલોકનક્ષમ ઘટનાઓનો સમાવેશ થાય છે. તે અંતર્ગત કાયદાઓ અને સિદ્ધાંતો દ્વારા સંચાલિત કારણ અને અસરની સાંકળ દ્વારા વર્ગીકૃત થયેલ છે. કુદરતની પ્રક્રિયાઓ નિયમિત અને અનુમાનિત છે, જે વૈજ્ઞાનિક તપાસ અને પ્રયોગમૂલક પુરાવા પર આધારિત છે.

2. અલૌકિક– અલૌકિક ઘટના કે બનાવનું સંચાલન કુદરતના જાણીતા નિયમોથી સ્વતંત્ર હોય છે. તે એવી ઘટનાઓ, અસ્તિત્વો અથવા ક્ષમતાઓનો ઉલ્લેખ કરે છે જે વૈજ્ઞાનિક સમજણ,ઇન્દ્રીયજન્ય અનુભવ અને તર્કવિવેક શક્તિની સમજૂતીની બહાર હોય છે. ઉદાહરણ તરીકે ભૂત, દેવદૂત, રાક્ષસો, જાદુ અથવા દૈવી હસ્તક્ષેપમાં માન્યતાઓનો સમાવેશ થાય છે.

3  કુદરતી નિયમબધ્ધતામાં પ્રજનનક્ષમતા નિયમતિ છે. તેનું અવલોકન અને અનુમાનિત ક્રમમાં સામાન્ય સહજ રીતે થતું હોય છે.અલૌકીક ઘટનામાં તેને દૈવી ઇચ્છા કે પરિણામ ગણવામાં આવે છે. તે ઘટના કુદરતી નિયમોના નિયમિત ક્રમથી અલગ રીતે બનતી હોય છે.

4. પ્રકૃતિનો નિયમ– પ્રકૃતિનો નિયમ એ એક મૂળભૂત સિદ્ધાંત છે. જે પ્રકૃતિમાં ચોક્કસ પેટર્ન અથવા સંબંધનું વર્ણન કરે છે, જેને વ્યાપક વૈજ્ઞાનિક પુરાવા અને અવલોકનો દ્વારા સમર્થન આપવામાં આવે છે. આ નિયમો સાર્વત્રિક, સ્થિર અને અવલોકનક્ષમ છે, જે ઉપ-પરમાણુ સ્તરથી લઈને અવકાશી ગતિવિધિઓ સુધીની ઘટનાઓને નિયંત્રિત કરે છે. ઉદાહરણોમાં ન્યૂટનના ગતિના નિયમો, ઊર્જા સંરક્ષણનો કાયદો અને મેન્ડેલનો અલગતાનો નિયમ શામેલ છે.

 

       5. કાર્યકારણ એવા સંબંધનું વર્ણન કરે છે જ્યાં એક ઘટના બીજી ઘટના બનવાનું  સીધું કારણ બને છે અથવા પ્રભાવિત કરે છે.દા.ત વીજળીનો ચમકારો અને ત્યારબાદ વાદળોમાં પેદા થતો ગડગડાટ.બીજું ઉદાહરણ– આ આઇઝેક ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમનું ઉત્તમ ઉદાહરણ છે. તે જણાવે છે કે દળ ધરાવતી વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. પદાર્થ જેટલું વધુ દળ ધરાવે છે, તેનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ તેટલું મજબૂત હોય છે. પૃથ્વીનો વિશાળ દળ સફરજનને નીચે ખેંચે છે. ઋતુઓનું નિયમિત ચક્ર અને ચંદ્રના તબક્કાઓ: આ ઘટનાઓ અવકાશી મિકેનિક્સ અને ગુરુત્વાકર્ષણના નિયમો દ્વારા સંચાલિત થાય છે. તે એટલા સ્થિર છે કે તેમની ખૂબ જ ચોકસાઈથી આગાહી કરી શકાય છે. આ બધા ઉદાહરણો દર્શાવે છે કે કેવી રીતે પ્રકૃતિના નિયમો રોજિંદા ઘટનાઓથી લઈને જટિલ વૈજ્ઞાનિક અને ઇજનેરી સિદ્ધાંતો સુધી, કુદરતી વિશ્વના વર્તનને સમજવા અને આગાહી કરવા માટે એક માળખું પૂરું પાડે છે.



--

Thursday, July 24, 2025

ધર્મનિરપેક્ષ માનવવાદ–ભાગ–૨.

 

ધર્મનિરપેક્ષ માનવવાદ– ભાગ–૨.

આજે હવે આપણે નાસ્તિકવાદની સ્વીકૃતિ પછી ઇશ્વરમાં આસ્થા સિવાયની માનવીય નૌકા, બ્રહ્માંડના અફાટ અને અસીમ સમુદ્રમાં કયા કયા માનવીય સાધનોથી પુરેપુરા આત્મવિશ્વાસ સાથે બિનદાસ રીતે આગળ ચલાવવી તેની ચર્ચા કરીશું.

એક બાજુ માનવીય સંસ્કૃતિનો ગ્રીક સમાજનો આશરે ૨૫૦૦ સાલપુરાણો વારસો માનવકેન્દ્રી વૈચારીક હતો. પણ દૈવી નહી હતો.બીજી બાજુએ બરાબર તે જ સમયકાળ હતો જ્યારે ભારતમાં ચાર્વાક અને બ્રહસ્પતિ દ્રારા વાસ્તવિક કુદરતી જગતને સમજીને વર્તમાન જીંદગી જ આખરી અને કાયમી જીંદગી છે તેમ સમજીને સુખી ભૌતીક જીંદગી જીવવાનો માર્ગ જ યોગ્ય માર્ગ છે તે વિચારસરણીનું મહત્વ હતું. ઐતિહાસિક પરિબળોની તાકાત સામે આ માનવકેન્દ્રી ભૌતિકવાદી વિચારો લગભગ પશ્ચીમી સંસ્કૃતિમાં ૧૦૦૦ કરતાં વધુ વર્ષો સુધી માનવજાતના ગર્ભમાં સુરક્ષિત રહીને પણ દટાયેલા રહ્યા હતા.ભારતમાં સદર માનવ સુખાકારી વિચારોને તેના ગર્ભમાંથી બહાર નીકળવાના છેલ્લા ૨૫૦૦ વર્ષોમાં જેટલા પ્રયત્નો કરવામાં તે બધા જ નિષ્ફળ ગયા છે.

વીસમી સદીમાં માનવીય ભૌતીક–કુદરત કેન્દ્રીત ક્રાંતિની કસુવાડ કરવાનું કાર્ય આપણા દેશમાં મોહનલાલ કરમચંદ ગાંધીએ કર્યું હતું. અને એકવીસસદીમાં તે બાકી રહેલું કામ નરેન્દ્ર દામોદરદાસ મોદીએ પોતાની માતૃસંસ્થા આર એસ એસ ની મદદથી, તન, મન અને ધનનો ઉપયોગ કરીને પુર્ણ કરવા ચોવીસ કલાક મેદાને પડેલ છે. મો. ક. ગાંધીનું અહીંસક, સર્વધર્મસમભાવ અને આશ્રમ સંસ્કૃતીની આસપાસ એવું સુરક્ષિત'સુગર કોટેડ' હતું. તેથી સહેલાઇથી ખબર પડયું નહિ અને કુદરતી મોતે મૃત્યુ પામ્યું છે. જ્યારે ન.મો.ના મોડલમાં નફરત, હિંસા અને ઉગ્ર હિંદુત્વનો નકાબમાં તે ઘરબાઇ ગયેલું પ્રછન્ન છે.

ધર્મનિરપેક્ષ માનવવાદ ઇશ્વરને ત્યજીને આવેલી માનવકેન્દ્રી એહીક વિચારસરણી છે. તે વિચારસરણી સંપુર્ણ મારા–તમારા વ્યક્તીગત અને સામુહિક સર્વાંગી ભૌતીક સશક્તિકરણ કરવા માટે કુદરતી પરિબળો અને તેના સંચાલનના નિયમો સમજીને ઉપયોગ કરે છે.માનવ જીવનની જેટલા પ્રકારની સમસ્યાઓ છે તેટલાજ પ્રકારના ઉપાયો ધર્મનિરપેક્ષ માનવવાદમાં નિહીત રીતે સમાયેલા છે.

સદર વિચારસરણી કોઇ ધાર્મીક વિચારસરણી નથી. તેનો સર્જક કોઇ આકાશમાં બિરાજમાન કોઇ સર્વોપરી સત્તા નથી.તેનું કોઇ બાયબલ, કુરાન કે ગીતા જેવું સર્વવ્યાપી હાથવગું ઉપદેશ આપનાર પુસ્તક નથી. જેનું જ્ઞાન આધારીત ટીકા કે વૈજ્ઞાનિક અભિગમથી મુલ્યાંકન થઇ શકે!

ધર્મનિરપેક્ષ માનવવાદ વિચારસરણીના પાયા આપણા પલંગ કે દેશી ખાટલાના પાયાની માફક કુલ ચાર પાયા છે.તેના આગળના બે પાયા ૧૯મી સદીના જીવવૈજ્ઞાનીક ચાર્લસ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના બે સિધ્ધાંતો છે. એક, દરેક સજીવનો પોતાની જીજિવીષા ટકાવી રાખવાનો ભૌતીક પ્રયત્ન(Urge to exist biologically) છે. બીજો, તે જીવન ટકાવી રાખવા સજીવો પોતાના અંગોમાં કુદરતી વાતાવરણ પ્રમાણેના ફેરફારો(Principle of Natural Selection) કરે છે.બીજા બે છેલ્લા પાયામાં, એક, માનવ સહિત દરેક સજીવોને મદદરુપ બાહ્યજગતના કુદરતી પરિબળો જેવા કે સૂર્ય,ચંદ્ર્,પૃથ્વી,વાતાવરણના સંચાલનમાં નિયમબધ્ધતા( The nature is law governed & its laws are knowable)છે. જે દરેક સજીવની માફક માનવીપણ કુદરતી નિયમબધ્ધતાને આધારે જ્ઞાન આધારીત સત્યશોધક બની ગયો છે.બીજો, કુદરતી દરેક ઘટનાને બનવા પાછળ કારણ જવાબદાર "કાર્યકારણનો નિયમ" હોય છે.(The law of causation.) જે દરેક સજીવની માફક માનવીપણ સદર બે નિયમો કુદરતી નિયમબધ્ધતા અને કારણની સર્વોપરિતાનો ઉપયોગ કરીને જ્ઞાન આધારીત સત્યશોધક બની ગયો છે. આમ બે જીવશાસ્ર અને બે ભૌતિકશાસ્રના નિયમોએ કુલ ચાર નિયમોએ માનવ માત્રને ઇશ્વર અને તેના ધર્મોના સામ્રરાજ્યની પકડમાંથી કાયમ માટે મુક્ત બનાવીને " તું તારા દિલ નો દિવો બની ને તેના પ્રકાશથી તારો માર્ગ સાથીઓની મદદથી શોધી સતત વિકસતો રાખ!." તે સંદેશ આપે છે.

ઉત્ક્રાંતિજીવશાસ્રના બે નિયમો અને ભૌતીકશાસ્રના બે નિયમો વૈશ્વીક છે.રાષ્ટ્રીય સીમાઓથી પર છે. આ નિયમોનો ઉપયોગ કરીને ધર્મનિરપેક્ષ માનવવાદી વિચારસરણીએ પૃથ્વી પરના રહેવાસી માનવીને સ્વતંત્ર બનાવ્યો છે. જ્યાં જયાં દેશ અને દુનિયામાં ધર્મ, રાજ્ય અને સમાજ પોતાની સત્તાની બેડીઓ માનવીના પગમાં નાંખે છે તેમાંથી મુક્ત કરવાનો પ્રાથમિક એજન્ડા ધર્મનિરપેક્ષ માનવવાદનો છે.

આમ,ધર્મનિરપેક્ષ માનવવાદ એક તત્વજ્ઞાન કે દાર્શનિક વિચારસરણી છે. જેનો આધાર ભૌતીકવાદ જે પુરાવા આધારિત વાસ્તવિકતા(Physical Realism) છે તેના પર અવલંબિત છે. તે ભૌતીક હોવાથી તે નિરિક્ષણ(ઇન્દ્રીજન્ય અનુભવ)અને વિચારશક્તી(Reason)મદદથી સત્ય શોધી કાઢે છે. પરંપરાગત અર્થમાં ધર્મ ન હોવા છતાં, ધર્મનિરપેક્ષ માનવવાદ અર્થપૂર્ણ અને નૈતિક જીવન જીવવા માટે એક માળખું પ્રદાન કરે છે. માનવ માનવ વચ્ચેનો શાંતિભર્યો, સહિષ્ણુ અને જ્ઞાન આધારિત નૈતીક વ્યવહાર જ વ્યક્તિગત અને સામુહિક દુન્યવી પ્રગતિની નિશાની છે.

 


--

Tuesday, July 22, 2025

નાસ્તિકવાદ અથવા નિરઇશ્વરવાદ

નાસ્તિકવાદ અથવા નિરઇશ્વરવાદ( Atheism) અને ધર્મનિરપેક્ષ માનવવાદ(  Secular Humanism).

ફેસબુકના મિત્રો,

આપણા માટે ચિલાચાલુ ધર્મો  જેવા કે ઇસાઇ, ઇસ્લામ, યહુદી, હિંદુ,બૌધ્ધ અને જૈન ધર્મો અને તેની આસપાસ ફુટી નિકળેલા સંપ્રદાયો, સમગ્ર જગતની તમામ વ્યક્તિગત અને સામુહિક સમસ્યાઓના ઉકેલ માટે આ બધા અપ્રસતુત અને અસમર્થ બની ગયા છે. તેના કહેવાતા મહત્વ અંગે ચર્ચા કરીને સમય પસાર કરવો જ વ્યર્થ છે. તે બધા વર્તમાન સામાજિક, રાજકીયઅને આર્થીક પ્રથાના ખુલ્લા કે પ્રછન્ન ટેકેદારો એટલા માટે છે કે તેમાં તેમનો ફક્ત રોટલો જ નહી પણ વૈભવ સમાયેલો છે.

યુરોપમાં આશરે ૫૦૦ વર્ષ પહેલાં શરુ થયેલી પુનરુજ્જીવન કે રિનેસન્સ કે નવજાગૃતિની ચળવળે સાબિત કરી દિધું કે તમામ ધર્મોના સત્યો પુરાવા વિહિન છે. માનવ સમસ્યાઓને ઉકેલ માટે લેશ માત્ર ઉપયોગી નથી. માનવ સમસ્યાઓાન ઉકેલ ને બદલે તમામ ધર્મોના સંચાલકોને પોતાની દુકાન ચલાવવામાં સ્થાપિત હિત છે. સદર નવજાગૃતિની ચળવળે ધર્મ ( ધર્મસંસ્થાઓ), રાજા ( રાજાશાહી)અને સામંતો ( જમીનદારી પ્રથા) સામે જ્ઞાન–વિજ્ઞાન આધારિત બળવો કરીને ઇશ્વરની જગ્યાએ માનવને મુકીને માનવકેન્દ્રીત સત્તા જે ગ્રીક અને અન્ય સમાજોમાં હતી તેને પુન;નિર્માણ કરી.

ઇશ્વરનું અસ્તિત્વ જ પુરાવા વિહીન બની ગયુ! માનવી નાસ્તિક કે નિરઇશ્વરવાદી બની ગયો. માનવી કુદરતી નિયમોને સમજીને પોતાના પ્રશ્નો ઉકેલવામાં ક્રમશ: સક્ષમ બની ગયો.

નાસ્તિકવાદ એટલે ઇશ્વરના અસ્તિત્વમાં અવિશ્વાસ.(Atheism, fundamentally, is the absence of belief in the existence of deities) તમામ પ્રકારની દેવ દેવીઓના અસ્તિત્વમાં અંધવિશ્વાસ નહી પણ પુરેપરો અવિશ્વાસ. ફક્ત સંપુર્ણ માન્યતા જ નહી કે તમામ ધર્મોના જુદા જુદા નામકરણ થી ઓળખાતા ઇશ્વરોનું પૃથ્વી, આકાશ, અવકાશ અને પાતાળમાં અસ્તિત્વ જ નથી પણ સંપુર્ણ ખાતરી સહિત માનવામાં(a lack of conviction) આવે છે કે તે બધાનું વ્યક્તિગત કે સામુહિક કોઇ અસ્તિત્વ જ નથી. નાસ્તિકતાના ખ્યાલે એક જ ધડાકે તમામ ધર્મોના ઇશ્વરોની વ્યકતિગત માનવીના વર્તમાન અને મૃત્યુ પછીના જિવનને અસરકરતી બોધકથાઓ કે ઉપદેશો અને તેમના ચલાવનાર પરોપજીવીઓની દુકાનો જ બંધ કરાવી દીધી.

નાસ્તિકો કે નિરઇશ્વરવાદીઓના પાયાના વૈચારીક આધારો–

(અ) ઇશ્વરના અસ્તીત્વમાં પુરેપરો અવિશ્વાસ.

 (બ) ભુલેચુકે ઇશ્વર સિવાય કોઇ દેવ– દૈવી શક્તિ હોય તો તેના અસ્તિત્વમાં પણ અવિશ્વાસ.

 (ક)આ તારણો માટે નાસ્તિકોનો ધરાર આધાર કારણની સર્વોપરિતા( Supremacy of reason & Objective evidence) અને વાસ્તવિક પુરાવા છે.નાસ્તિક તરીકે ચાલાકી કે છેતરપીંડી કર્યા સિવાયના સાર્વત્રિક તપાસી શકાય તેવા પુરાવાઆપો કે જેનાથી હું ઇશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ રાખી શકું!

(ડ) નાસ્તિકોનો પ્રાથમિક આધાર છે કે આ જગત માયા નથી. પણ તે કુદરતી નિયમબધ્ધતાથી સંચાલિત છે. કોઇ બહારની શક્તિ તેનું સંચાલન કરતી નથી. જગતએ વાસ્તવિકતા છે. વિજ્ઞાનની મદદથી તેના નિયમો સમજી શકાય છે.જગત એ કુદરતનો ભાગ છે. પણ માણસ એ પોતે આ જગતનો વાસ્તવિક ભાગ છે.  તેથી માનવી પોતે પણ કુદરતનો એક ભાગ હોવાથી તેનું સંચાલન પણ નિયમબધ્ધ છે. ઇશ્વરી કે દૈવી હોઇ શકે નહી.

(ઇ) માનવીય નૈતિક વ્યવહાર માટે ( માનવ વચ્ચેના ભૌતીક વ્યવહારો માટે) ઇશ્વરી હુકમો કે ધાર્મીક ઉપદેશોની  જરુર નથી. માનવીય અસ્તિત્વ ટકાવી રાખવા અને વિકસતુ રાખવા માટે  (ઉત્ક્રાંતિના જીજીવિષાના સંઘર્ષ ને ટકાવી રાખવા) કુદરતી નિયમબધ્ધતા સમજીને તે પણ તર્કવિવેકપુર્ણ નિર્ણય(રેશનલ) લેતો શીખી ગયો છે. જે સજીવો, માણસ સહિત પોતાની રેશનલાટીનો ઉપયોગ કરીને કુદરતી નિયમબધ્ધતા ને સમજીને જ્ઞાન આધારિત નિર્ણય કર્યો છે તે જીવન ટકાવી રાખવામાં સફળ થયા છે. જે ખોટો નિર્ણય કર્યો છે તેવી હજારો સજીવ જાતિ –પ્રજાતિઓ પૃથ્વી પરથી સામુહિક રીતે નાશ પામી છે.એક બીજા માનવો પ્રત્યે દયા, કરુણા, પ્રેમ, સહાનુભુતિ, સહનશીલતા જેવા ગુણો વિકસાવી, તે પ્રમાણે નીજી વ્યયવહાર કરીને તે પોતે સુખી થાય છે અને અન્યને પણ સુખી કરે છે. આવી પરોપકારી વૃત્તી અન્ય સજીવોમાં પણ પોતાના માનસિક અને સામુહિક વિકાસ પ્રમાણે વિકસી છે.

(ફ) નાસ્તિકોનું સ્પષ્ટ પણ રેશનલ તારણ છે કે માનવ સહિત દરેક સજીવનો જન્મ કોઇપણ પ્રકારનો ઇશ્વરી કે ઐહીક  હેતુ સિધ્ધ કરવા થયો નથી. આટલી મોટી વિશાળ પૃથ્વીની ૭ કે ૮ અબજની વસ્તીમાં કોઇપણ સ્થળે કે ખુણે, નર–માદાના સંયોજનથી જન્મ થવો તેની  પાછળ આકસ્મિક તુક્કો જ છે. બીજુ કોઇ રેશનલ અને વ્યાજબી કારણ હોઇ શકે નહી.તે તુક્કાના પરિણામ સ્વરુપે મારા કે તમારા મા–બાપ જે ધર્મ–સંપ્રદાયની કંઠી બાંધનાર હશે તેવી કંઠી વારસામાં આપશે. અને તે ઉપદેશોને સંસ્કાર –સંસ્કૃતિનું લેબલ આપીશું. તેને માટે પાછુ ગૌરવ! વિ વિ ની ભરમાળનાં જાળાબાવા! નાસ્તિકો કહે છે કે તે તુક્કાના કૃત્રિમ ગર્ભમાંથી બહાર નિકળવા કેવા પ્રયત્નો કરવાની જરુર છે?

(જી) અહીયાં નાસ્તિકો કે નિરઇશ્વરવાદીઓનું  કાર્યક્ષેત્ર પુરું થાય છે.( મેં સંશયવાદીઓ, Skeptic,or Agnostic ની આ ચર્ચામાં નોંધ સમજપુર્વક નથી કરી. કારણકે તેઓ સ્પષ્ટ રીતે ઇશ્વરના અસ્તિત્વ અંગે સંશયવાદી તો છે જ.) પણ હવે ધર્મનીરપેક્ષ માનવવાદીઓ (secular humanism)નું ક્ષેત્ર શરુ થાય છે. કારણકે નાસ્તિકો પાસે વૈચારીક માનવ કેન્દ્રીત મુલ્યો આધારિત વિચારસરણી હોઇ શકે નહી. નાસ્તિકોની રમત  ફક્ત ઇશ્વરના અસ્તિત્વના પુરાવા નહિ હોવાને કારણે જે તે સ્થળે પુરી થઇ જાય છે.પેલા ધાર્મીકોની  વિચારહિનતા કે જડતા જેવો  જ અભિગમ નાસ્તિકોનો હોય છે. હિટલર, સ્ટાલિન, માઓત્સેતુંગ, તે બધા નાસ્તિક વ્યક્તિઓના ઐતિહાસિક નમુના છે. જેણે સત્તા પ્રાપ્ત થતાં પોતાના દેશના લાખો નહી કરોડો લોકોને ધાર્મીક કે વિધાર્મીક (હિટલરના કેસમાં યહુદી) હોવાને કારણે નરસંહાર કરતાં લેશમાત્ર માનવીય અનુકંપા અનુભવી નહતી. ધાર્મિકોની વિધાર્મીકો સામે અસહિષ્ણુતા અને સામ્યવાદી નાસ્તિકતા આધારીત વર્ગવિગ્રહ સત્તા પ્રાપ્તિ માટેની અનિવાર્ય સીડી હતી અને છે. બંનેની પોતાના જાહેર કરેલ શત્રુઓ માટે હિંસાના સાધન અને માનસિકતા જુદી હોતી નથી. ધર્મનીપેક્ષ માનવવાદની ચર્ચા ( (secular humanism) બીજા ભાગમાં.

 


--

Thursday, July 17, 2025

AI કૃત્રિમ બુધ્ધિ– લેં સેમ પિત્રોડા.


લીંક ઓપન કરીને  વાંચવા વિનંતી છે. 
શુભેચ્છા સાથે.
--

Wednesday, July 16, 2025

Artificial Intellgance for whom? Sam Pitroda Speech on 9th July 2025 Dominic Country.


Artificial Intelligence (AI) for whom? FOR  POWER & PROFIT OR FOR PEOPLE & PLANET! 

     Sam Pitroda- The technocrat- Father of Telecom Revolution in India.

What is Artificial Intelligence (AI)?

Artificial Intelligence (AI) refers to computer systems designed to perform tasks that typically require human intelligence. This involves capabilities like reasoning, learning, problem-solving, decision-making, and understanding language or images. At its core, AI operates on data and algorithms. Systems are trained using vast amounts of information, allowing them to identify patterns, make predictions, and adapt their behavior over time without explicit programming for every scenario. 

How is AI helpful to the common person? AI is increasingly integrated into our daily lives, making various tasks simpler, more efficient, and personalized. Here's how it benefits the common person: 

  • Simplifying Daily Routines: Virtual assistants (like Siri, Alexa, Google Assistant) use AI to manage calendars, set reminders, answer questions, and control smart home devices through voice commands.

  • Personalized Experiences: AI powers recommendation systems on streaming platforms, online stores, and social media, suggesting movies, music, products, and content tailored to individual preferences based on past interactions and behavior.

  • Enhancing Communication: AI-powered tools assist with email filtering and organization, chatbot support on websites, and real-time language translation, breaking down communication barriers and improving online interactions.

  • Improving Navigation and Transportation: Apps like Google Maps utilize AI for real-time traffic updates, route optimization, and predicting arrival times, helping individuals navigate more efficiently and avoid congestion.

  • Boosting Healthcare Access and Management: AI contributes to personalized health monitoring through wearable devices, telemedicine platforms for remote consultations, and AI-powered diagnostic tools to assist medical professionals, potentially leading to earlier detection and tailored treatments.

  • Enhancing Accessibility: AI plays a crucial role in improving web accessibility for individuals with disabilities, offering tools like speech recognition for voice commands, automatic captions for videos, image descriptions for visually impaired users, and adapting content for different learning styles.

  • Improving Security: AI enhances cyber security by detecting threats, identifying suspicious activity, and offering personalized security recommendations to protect personal information and digital devices. As AI continues to evolve, its applications are expected to expand further, leading to even more seamless and intuitive interactions with technology in our daily lives.  

  • How AI is shaping the destiny of the planet? I come from a very different background and as a result I bring in a very different perspective and I hope in the time I am given I'll be able to communicate my concern as a technocrat, policy maker and a concerned citizen.

  • I will spend some time on three main issues.And what has been the journey of AI? Then I'll spend some time on the state of the world today. What are the problems that we need to solve? Do we really need to solve all the problems they are solving today or do we have different sets of problems to solve? And then I will give you my perspective as to what is the real challenge which is very different from what Silicon Valley is doing which is very different from all the glamour and glitz we see around.

  •  To me the world is focused on two things. profit and power. The rich and powerful have come together. In the process,they are ignoring the planet and people.So, how do we make this major shift? So we could begin to think of using AI not for profit necessarily and not for power but for the planet and people. It is a very complex task, believe me because I deal with many of these people from all over the world.

  • I'm 83 years old and I have spent 60 years in IT and telecom. So let me first start with AI. What does it mean to me?So we are at the age of profound transformation.It is more like electricity, car,telecom, internet, smartphone and even bigger than all of these put together. This is going to define the future of our planet in the next 25 years. 

  • AI is about transforming information into actionable knowledge. I'll give you a simple example. Take a book. You read a book. You summarize in your mind. You remember a few things. Then you read another book. But AI will read a million books at the same time for you in 5 seconds and give you a summary. This is something unthinkable. Every bit of literature that is available on the internet can be read, analyzed, and evaluated,summarized and put into very simple advice. 

  • So all I need to know is the questions I need to ask. Am I asking the right questions? If I ask the wrong question,I get the wrong information.Or is the information coming from the right data? If the data is wrong, the answer is wrong. So you can search the whole universe and do things because AI can read,write, analyze, paint, draw, and speak.

  • AI can do everything. It is no longer science fiction. It is real. It is here and it is accelerating very fast.

  • The journey for AI for me started in the late 50s when I was in college.We used to work with vacuum tubes. Then came the transistor.That was the seed that really transformed human civilization.From transistors came ultimately microprocessors, memories, software, operating systems, applications for banking, governance.Then came laptops, smartphones, internet, clouds.All of these things coming together really makes AI a possibility.

  • AI is not something in isolation. It has essentially taken 60 years for AI to be what it is today. Fortunately, I had the opportunity to travel through this path. I was there when Intel was formed as a company. I was there when the first 4-bit microprocessor was designed. I was the one who used a 4-bit microprocessor for the first time in telecom.So I have seen it, felt it, lived it and I know the power of AI to change humanity.

  •  But I'm very worried. I'm very worried that the whole direction is being managed by the rich and powerful. Nobody pays attention to me because I'm not a billionaire. Nobody pays attention to people like us because we don't distribute favors. So today I'm going to take you through a different thought process. At the end of the day to me the AI question boils down to what do we value? Do we value humanity? Do we value the environment? Do we value democracy?And I'll talk a little bit about that later on.

  •  So to understand AI, I need to understand the state of the world today.But before I go here, let me give you two examples of AI.When we have self-driving cars  a reality in the next four, five years,first of all, I won't need to own a car. I won't need a garage.I don't need parking space, no driver's license, no insurance. I don't need to produce 50 million cars a year because 90% of the time the car is parked. The average car is parked 90% f the time. So I really need one10th of the car.  So if I'm producing 50 million cars, I really need to produce 5 million cars a year. What does it mean to global economy to jobs you don't need traffic lights anymore? Can you imagine the millions of traffic lights in the world? Look at the amount of energy traffic lights take. You don't need traffic lights. You don't need direction. 

  • The other day I was on Chad GPT and I asked Chad GPT what is the truth score of Sam Petroda? The answer came back and said 75. So I said let me ask about the truth score of Trump came back with 30. I said how the Dalai Lama came back with 95.How about Obama 70. I mean look at this. This machine is telling you all kinds of things that you can never even imagine.

  • The power of AI depends on how we want to structure it. So when I look at the state of the world today, I worry about our world. I worry about our world because we still have poverty, hunger, violence, name it, drugs, wars,environmental blunders.

  •  To understand this, you need to go back to World War II. In World War II, a group of people decided to design the world. Three people in America really put together a plan to create the UN, World Bank, IMF, WH, ultimately WTO. That design remained intact for 80 years. Nobody ever questions that the World Bank always has a president from  America. No one ever questions that the IMF always has a president from Europe.The idea was to control the financial system and military. That design worked well because then the world was in ruin. Japan had to be rebuilt.Europe had to be rebuilt. Everybody bought in. In the last 80 years.We have not created one new global institution of that order.

  •  This design is basically obsolete and not many people are willing to accept that the UN doesn't work. You see all the wars going on. What is the role of the UN? Nobody knows. This design was based on democracy,human rights, capitalism, consumption and the military. Democracy is not inclusive. In America, we have black lives matters.In India, we have a caste system.Human rights are not good enough.

  •  Now, you can produce anything. The question is what is that you want to produce and for whom do you want to produce? So you need to focus on human needs. Capitalism hasn't really delivered to everybody. Capitalism is great but it has concentrated wealth in the hands of very few. And AI is going to change that. It will increase substantially.Today you think 10 people control the wealth, tomorrow it will be two people. If this journey continues,then consumption is not good enough.

  • We need to learn to conserve. We need to think of nonviolence. All of these ideas are not on the table when you talk about AI. So what is the real global challenge for AI? The first thing is to really understand and appreciate the potential of AI. AI does have an opportunity to take humanity to the next level. Unfortunately, the best brains in the world are busy solving problems of the rich who really don't have problems to solve. And as a result, problems of the poor don't get the right kind of attention.What we need is political will,leadership and domain expertise to solve new sets of problems.

  • It is not about what we can do with AI to improve productivity, efficiency, reduce cost, come up with fancy products, and have a little glamour. It's not about doing better and bigger and doing it more efficiently. It's really about doing things we have never done before.We don't know what that is. We know how to improve productivity, efficiency, and reduce cost.The key is how do I use AI to transform governance, communities, relationship, character. There are a lot of bad players in this world and bad players really mess up everything. How do I create better human beings with AI?

  • Just ask your grandchildren. I have three grandkids.They understand AI. And if you ask them what do you want,  they'll tell you. They don't want fights. They don't want hate. They don't want an enemy. They want friends.

  • We talk about transforming education with AI. What does it really mean? Is it about $250 for an MBA or is it about making a 16 year old self-earner so you don't have to go to college? The whole idea of a four year degree to get a BS and two years to get a master's is something I want to question. I don't need that anymore. Make me a self-earner and then I will ask all the questions to AI to get the answers I need.

  •  Today's teacher is totally obsolete. I need a mentor. But teachers are not trained to be mentors. Can AI be used to train teachers to be a mentor? So everything has to be rethought through health.

  •  When we talk about AI and health, everybody talks about cancer and radiology and all that. No, wrong path.Can you teach me how to take charge of my own health? 

  • That's what AI is for. AI is to change the paradigm. AI is not about keeping the same paradigm and doing all these fancy things. AI is not about command and control. AI is about collaboration, cooperation, co-creation, communication. But we are not paying attention to these things. You will never hear these things in AI presentations. I can assure you what is happening. 

  • So AI is definitely a global challenge. So I want to give you 10 steps.

  1.  First, we need a global, national and regional strategy with a clear commitment to move away from profit and power to the planet and people.

  2.  Global strategy is not good enough.You need local content, local database. AI is of no value if you don't have your own database.

  3.  Give you an example. Hindi is the third largest language in the world. It has 4% content on the internet.So when you look at AI the answers you are going to get for Hindi people are from the US and Europe. They don't have data to answer their questions. It's a very serious problem.No one wants to talk about it.

  4.  Then we need to first decide what we value? Do we value democracy, nonviolence, diversity, inclusion,sustainability, morals, ethics, honesty, openness? AI should be programmed to do all these things.

  5.  If you don't program AI for all of these values, a bunch of rich guys are going to program it for different values.As a result, inequality will increase. 

  6. Lots of people will have nothing to do and very few people will be very busy.

  7.  I want to use AI to build the judiciary in India. We have 50 million court cases pending. 50 million takes 15 years to get justice. Can I use AI to make sure that I can get justice in 12 months? Nobody's talking. It is never on the table.

  8. How do I transform universities so I don't have to pay $200,000 to get an MBA? I want to pay $200, maybe $2,000. AI will do that for you.I have already designed a MBA program using AI and hopefully next year or so I want to offer it for $500, $1,000 to poor people, small companies. You don't need all these expensive sorts of Harvard MBAs anymore. They have a place. I'm not undermining that. But you have to make it accessible to a large number of people and don't have this elite  mindset. 

  9. I want to use AI for civil society. I want to use AI to make the media fair and free. I want to really use AI to design myself. Nobody teaches me how to build a good self. How do you build a good self? Self that is respectful. Self that is fair, open, honest. How do you do that? I was born in India and grew up in Gandhian values. My father had a fourth grade education. I came to America 60 years ago in a boat.I understand the value of poverty. I understand the value of family. And when I see AI leaving that entire sector of humanity wide open, it bothers me. I want to focus on basic needs. Can AI change food, shelter, environment, employment? Can AI worry about water, power, mobility?

  10. Then I want to worry about business, finance, productivity, manufacturing.

Today it's exactly opposite. Everybody's focus is on item number 10 and the rest of the nine don't matter.

—----------------------------------------------------------------------------------------------














--

Monday, July 14, 2025

પુસ્તક પરિચય–“ ગાંધીવાદ” જ્ઞાન– વિજ્ઞાનની પધ્ધતિથી મુલ્યાંકન.

પુસ્તક પરિચય–– " ગાંધીવાદ" જ્ઞાન– વિજ્ઞાનની પધ્ધતિથી મુલ્યાંકન.

ગુજરાતી ભાષામાં રેશનાલીઝમ, વૈજ્ઞાનીક અભિગમ અને આધુનિક સમાજ સંચાલનના પરિબળોને આધારે ગાંધીવાદી મુલ્યોનું વાસ્તવીક મુલ્યાંકન કરતું ભાગ્યેજ કોઇ પુસ્તક હશે. બરોડા યુની.ના ફેકલ્ટી ઓફ સાયંસના ગણિતના ભુતપુર્વ પ્રો.રાવજીભાઇ પટેલે આવું પુસ્તક " Some Reflections on GANDHISM" અંગ્રેજીમાં " સેન્ટર ફોર સોસીઅલ સ્ટડી" સુરતમાં સને ૧૯૮૨માં આપેલા પ્રવચનોને આધારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેનું પુન;મુદ્રણ પ્રો. રાવજીભાઇના દિકરા મનુભાઇ તથા ઇંદિરાબેનના આર્થક સહયોગથી શક્ય બન્યું છે. સદર પુસ્તકમાં ગાંધીવાદીમુલ્યોનું તટસ્થ મુલ્યાંકન કરવામાં આવેલ છે. વૈજ્ઞાનીક મુલ્યાંકનની ભાષા કાવ્યાત્મક કે નવલીકાની નથી પણ વૈજ્ઞાનીક પ્રયોગશાળામાં પ્રયોગ કર્યા પછી નિષકર્ષ આવે તેવી હોવાથી ખુરશી પર બેસીને વાંચતા હોય તો તેનો બેલ્ટ ટાઇટ કરીને વાંચવા વિનંતી છે. ગાંધી મુલ્યો સામે પ્રો. રાવજીભાઇ પટેલના વૈજ્ઞાનીક આુયુધો વચ્ચેના રેશનલ સંઘર્ષમાં માનસિક સમતુલા જાળવવાની અનિવાર્યતા છે. જે જાળવવી સરળ નથી. પણ પ્રયત્ન કરવાનું તો જોખમ લેજો જ.

(૧)  ગાંધીજીની સત્યની વિભાવના– નિરપેક્ષ( Absolute Truth) કે સાપેક્ષ( Relative Truth) ?   સત્યાગ્રહ– ગાંધીવાદી સત્યનો આધાર શું?  જ્ઞાન –વિજ્ઞાન,અભિગમ– સાથે કે આમને સામને– ઇન્દ્રીયજન્ય અનુભવ સિવાય કોઇપણ જ્ઞાન મેળવી શકાય? તેમની સત્યની વિભાવનાનો ખ્યાલ શું હતો?

(૨) આંતરિક અવાજને (Inner voice) અને અંતરાત્માનો અવાજ (conscience)અથવા સદવિવેકબુદ્ધિ કે નૈતિક શાણપણ બંને એક કે ભિન્ન? કોઇપણ વ્યક્તિના આંતરિક અવાજ આધારીત નિર્ણયને પ્રજા તરીકે તટસ્થ રીતે તપાસવાના માપદંડો કયા કયા હોઇ શકે?

(૩) ગાંધીજીએ જે ભાગલા માનવ સંસ્કૃતિના પાડ્યા છે ભારતીય સંસ્કૃતિ એટલે આધ્યાત્મિક અને પશ્ચીમી સંસ્કૃતિ એટલે ભૌતિકવાદી તેમાં કેટલું સત્ય છે. શું માનવજાતના તમામ વર્તમાન દુખો ભૌતીકવાદી સંસ્કૃતીનું પરિણામ છે?

(૪) શું નૈતીક્તાનો આધાર ધાર્મીક છે કે ઐહીક? વિ.

(૫) ગાંધીવાદી વૈચારીક ચળવળ કેમ આધુનિક સદીમાં વ્યક્તિ અને સામાજીક ક્રાંતિ માટેની અગ્રેસર બનવામાં નિષ્ફળ ગઇ?

(૬)ગાંધીજીના સર્વધર્મ સમભાવ અભિગમ આધારીત હિંદુ–મુસ્લીમ એકતા સ્થાપવામાંઆપણા દેશમાં કેમ સફળતા ન મળી? વિવિધ ધાર્મીક માન્યતા સાથે સદીઓથી જીવન જીવનારી પ્રજા, લોકશાહી જીવન જીવવાની સમાજ વ્યવસ્થામાં નાગરીક કેવી રીતે બની શકે?

પ્રો. રાવજીભાઇ પટેલે, વૈજ્ઞાનીક તાર્કીક અનુભવને  આ બધા પ્રશ્નોનું મુલ્યાંકન કરેલ છે. પણ સ્વતંત્રતાની ચળવળમાં દેશ વ્યાપી જાગરુકતા પેદા કરવા માટેના ગાંધીજીના પ્રયત્નો અંગે પ્રો પટેલને ગૌરવ છે. તે અંગે કાંઇ કહેવાનું નથી.

પુસ્તક પ્રાપ્તિનું સ્થાન– ગિરિશભાઇ સુંઢીયા. મો. નં 94266 63821.

 



--

Wednesday, July 9, 2025

ધર્મનિરપેક્ષતા ભાગ–૨.

ધર્મનિરપેક્ષતા–ભાગ–૨

 " રાજ્યઅને ધર્મ વચ્ચે સંપુર્ણ વિયોજન જ રહેશે" થોમસ જેફરસન–(૧૫–૧૨–૧૭૯૧) અમેરીકાના બંધારણમાં પ્રથમ સુધારાનો સર્જક! તેની તારીખ– વર્ષ– જાણ માટે.

ગયા લેખમાં મેં ધર્મનિરપેક્ષતાના ત્રણ ખ્યાલોને ધ્યાનમાં રાખીને ચર્ચા શરુ કરી હતી. જે ત્રણ ખ્યાલો આ પ્રમાણે હતા. એક– ધર્મનિરપેક્ષતા એટલે–સર્વધર્મ સમભાવ– ગાંધીજી.બે–ધર્મનિરપેક્ષતા એટલે–સર્વધર્મ અભાવ રેશનાલીઝમ. ત્રણ– ધર્મનિરપેક્ષતા એટલે–રાજ્ય અને ધર્મપ્રત્યે સંપુર્ણ અલગતા–વિયોજન.પશ્ચિમી જગતનો ખ્યાલ ખાસ કરીને અમેરીકના બંધારણનો ખ્યાલ.(There will be a complete wall of separation between Church and the state.)

અમેરીકા એક દેશ તરીકે, ચોથી જુલાઇ સને ૧૭૭૬માં બ્રિટનથી સ્વતંત્ર થયું હતું.આશરે તે જમાનાના ૧૫ વર્ષ પછી, સને ૧૭૯૧ની સાલમાં ૧૫મી ડીસેમ્બરે પ્રથમ બંધારણીય સુધારો પસાર કરીને જાહેર કર્યું કે અમેરીકન કોગ્રેસ (લોકસભા અને રાજ્યસભા),કોઇપણ દિવસે ધર્મ સત્તા અને રાજ્ય સત્તાનું એકીકરણ થઇ જાય તેવો કાયદો બનાવીને પસાર કરી શકશે નહી.ક્રાંતિકારી પ્રથમ સુધારાના સર્જક રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન હતા. બંનેને કાયમ માટે વિભાજન કરતી બંધારણીય દિવાલ પેદા કરી દીધી.અમેરીકન રાજ્ય સત્તા કાયમ માટે એક ધર્મનિરપેક્ષ કે બિનધાર્મીક જ રહેશે.થોમસ જેફરસનની દીર્ઘ દ્ર્ષ્ટીથી અમેરિકાન રાજ્ય સત્તા ચલાવવા માટે દાર્શનિક અને ન્યાયશાસ્રીય સ્પષ્ટતા મલી ગઇ.પોતાના દેશના દરેક નાગરીકને અબાધિત ધાર્મીક સ્વતંત્રતા બંધારણીય રીતે મુળભુત અધિકાર તરીકે  મલી ગઇ.

દેશની રાજ્ય સત્તા પ્રજાના કરવેરાના નાણાંનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખાસ કરીને બહુમતી ખ્રીસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે વાપરી શકશે નહી. આમ સરકારી સંસ્થાઓ અને બીજી બાજુએ  ધાર્મીક સંસ્થાઓ બંને માટે વિયોજનનો કે અલગતાનો સિધ્ધાંત છે. બંને સંસ્થાઓએ એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે તેની ખાતરી કરવા કરાવવાનો આ સિધ્ધાંત છે.  દેશની કેન્દ્ર સરકાર અને પચાસ રાજ્યોની સરકારો બહુમતી પ્રજાના ધર્મને આગળ ધપાવવા રાજ્યની તિજોરીના નાણાંનો ઉપયોગ કરી શકે તેવા કાયદાઓ કોંગ્રેસ પસાર કરી શકશે નહી.તે કોઇ ધર્મની સ્થાપના કે ધર્મના સંચાલન, વિકાસ કે ટેકામાં નાણાંકીય મદદ પણ કરી શકશે નહી. એટલું જ નહી પણ કોઇપણ ધર્મના મુક્ત વહીવટી સંચાલનમાં કોઇપણ પ્રકારની દખલગીરી પણ કરી શકશે નહી. સરકારનું, ધર્મ નામ પ્રત્યે બિલકુલ તટસ્થ( Neutral) વલણ જ હશે.

દેશના ન્યાયતંત્રે થોમસ જેફરસનના પેલા ખ્યાલ રાજ્ય સત્તા અને ધર્મ સત્તા,બંને વચ્ચેના સંચાલન માટે અભેદ્ય દિવાલ છે તેમ સમજીને એકબીજાથી સ્વતંત્ર વહીવટ કરવાનો છે.(There will be a complete wall of separation between Church and the state.)

 ધર્મના ટેકામાં રાજ્ય ક્યારેય નાગરીકોના સ્વતંત્ર અધિકારો જેવા કે અભિવ્યક્તિની આઝાદી, વાણી સ્વાતંત્રય, શાંતિમય માર્ગે સભા સરઘસનો અધિકાર,અને કાયદાનુંશાસન વિ. પર ક્યારેય નિયમન કરી શકશે નહી. નાગરીકો રાજ્ય સત્તાના આપખુદ પગલાંઓ સામે દુરસ્તી માટે નુકશાની વળતરનો દાવો કરવા હકદાર છે. 

રાજ્ય સત્તા ક્યારેય કોઇ પણ ધર્મ અને ખાસ કરીને બહુમતી ધર્મના ટેકામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવા  નાગરિકો પર ફોર્સનો ઉપયોગ કરી શકશે નહી. એટલું જ નહી પણ. નાગરીકો પ્રત્યે આવા ધર્મની જાહેર પ્રવૃત્તીઓમાં સહકાર નહી આપવા દંડનીય વલણ પણ નહીં જ અપનાવી શકે. નાગરીકોને પોતાની માન્યતા પ્રમાણે ધર્મ પાળવાની, કે નહી પાળવાની પુરી સ્વતંત્રતા છે, અન્યને હાની પહોંચાડ્ડયા સિવાય. રાજ્ય સત્તા ધર્મ સત્તાના ટેકામાં, તેના દ્રારા સંચાલિત શૈક્ષણીક અને આરોગ્ય સંસ્થાઓને પણ મદદ કરી શકશે નહી. સિવાય કે ધર્મ સત્તાની ઐહીક શૈક્ષણીક અને આરોગ્યને સંબંધી પ્રવૃત્તીઓ હોય! ધર્મ સત્તા પોતાના ધાર્મીક પ્રતિકો, જાહેરરાતો વિ. સરકારી મકાનો તથા રાજ્ય સત્તા સંચાલિત પબ્લીક સ્કુલોના મકાનો પર લગાવી શકશે નહી. પબ્લીક સ્કુલોમાં પ્રાર્થના,  જૈવીક ઉત્ક્રાંતિ વિરુધ્ધ ધાર્મક સજીવ સર્જનનો અભ્યાસક્રમ, ઉપરાંત શિક્ષણનો ધાર્મીક દ્ર્ષ્ટીથી ઉપયોગ વિ. પર પ્રતિબંધ છે. તે અંગે સભાન છે.

આશરે ૨૩૫ વર્ષ પુરાણા રાજ્યઅને ધર્મ વચ્ચેના સંપુર્ણ વિયોજનના બંધારણીય પ્રથમ સુધારાના ખ્યાલને કારણે દરેક અમેરીક્ન નાગરિકને ધર્મ અંગે જે માન્યતા હોય તે પ્રમાણે જીવન જીવવાનો અબાધિત અધિકાર જ વિકાસ પામી ગયો છે. દરેક અમેરીકન નાગરિક  રાજ્ય વ્યવસ્થા પાસેથી ફક્ત એટલીજ અપેક્ષા રાખે છે કે નાગરીક તરીકેના તેનો જીવન જીવવાનો " Life, Liberty, & Pursuit of Happiness " ધ્યેય છે તેના પ્રયત્નોમાં રચનાત્મક રીતે મદદરુપ બને!  આમ રાજ્ય વ્યવસ્થાએ નાગરીકોને ધાર્મીક સ્વતંત્રતાનો અધિકાર આપીને માનવીને તેના ભાગ્યનો વિધાતા નહી પણ સર્જક બનાવીને અમેરીકાને એક દેશ તરીકે વિશ્વ ફલક પર  માનવજાતના ભાગ્યનો સર્જક બનાવી દીધો છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––






--

Monday, July 7, 2025

Tarkunde's book second edition.

On the occasion of Second Edition-

Rekindling the Flame of Radical Humanism in India:

The recent relaunching of the second edition of V.M. Tarkunde's seminal work, Radical Humanism: The Philosophy of Freedom and Democracy, marks a pivotal moment for intellectual discourse and activism in India. This book was originally published in 1983. It was really a profound exploration of radical humanist philosophy not only in India but also at the world level.
The decision to publish a second edition in English and the third Gujarati arises from the growing urgency to revisit Tarkunde's ideas amid contemporary socio-political challenges in Indian society.. The earlier editions, nearly four decades old, had become increasingly scarce, necessitating renewed accessibility to his lucid articulation of humanist principles. This initiative was made possible through the collaborative efforts of N.D. Pancholi, who secured reprint permissions from Manek Tarkundjye (Tarkunde's daughter), ensuring the preservation of his legacy.
The republication underscores the enduring relevance of Tarkunde's framework, particularly in addressing Gujarat's evolving political landscape. His philosophy—rooted in freedom, rationalism, and secular morality—provides critical tools for activists navigating rising challenges to individual liberty and democratic values. The publisher highlights a concerning global shift toward centralized political and economic power, where individual agency risks being subsumed by loyalty to collective identities, political parties, and state-controlled technologies.
The re-launch responds to the marginalization of the individual in favor of nationalist, religious, and partisan allegiances. Modern advancements, once envisioned as tools for societal empowerment, now risk reinforcing authoritarian control. Tarkunde's work offers a counter-narrative, advocating for a society centered on human dignity, ethical governance, and rational discourse—a vision critical for sustaining representative democracy amidst rising polarization.
This initiative not only revitalizes Tarkunde's vision but also equips a new generation to engage critically with threats to individual freedom and democratic pluralism. By bridging historical philosophy with contemporary struggles, the re-publication serves as both a scholarly resource and a call to action for humanist advocacy in Gujarat and beyond.

Bipin Shroff -


 

 

 


--

Sunday, July 6, 2025

સેક્યુલર( ધર્મનિરપેક્ષતા)


સેક્યુલર(Secularism)ધર્મનિરપેક્ષતા–

 ધર્મનિરપેક્ષતા,શબ્દ દેશના બંધારણના આમુખમાં  ૪૨મો સુધારો કરીને બીજા શબ્દ સમાજવાદ સાથે સને ૧૯૭૬માં ઉમેરવામાં આવ્યો છે.બંધારણીય અધિકારોની કલમ ૨૫ મુજબ દેશના તમામ નાગરિકો જે ધાર્મિક સ્વતંત્રતા આપી છે (including the freedom to practice, profess, and propagate one's religion)તે વાસ્તવમાં ધર્મનિરપેક્ષતા જ છે.બીજું દેશના તમામ નાગરિકોને બંધારણના આમુખમાં જે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સંરક્ષણ બાંહેધરી આપી છે તે પોતે જ ભારતીય રાજ્ય ધર્મનિરપેક્ષ છે તેનો સર્વોત્તમ પુરાવો છે. તેમાં કોઇ ભેદભાવ નથી.

 ધર્મનીરપેક્ષતા ખ્યાલમાં આપણી ચર્ચામાં મુખ્ય ત્રણ અર્થોનો ઉપયોગ કરીશું.

(1) ધર્મનિરપેક્ષતા એટલે–સર્વધર્મ સમભાવ– ગાંધીજી.

(2)ધર્મનિરપેક્ષતા એટલે–સર્વધર્મ અભાવ–રેશનાલીઝમ.દેશના વિવિધ ધર્મોની ધંધાકીય દુકાનો બંધ કરાવીને સિર્ફ માનવ કેન્દ્રીત મુલ્યોને આધિન ઐહિક નિરઇશ્વરવાદી વ્યક્તિ અને સમાજનું જ્ઞાન–વિજ્ઞાન આધારીત નવસર્જન કરવું.

(3) ધર્મનિરપેક્ષતા એટલે–રાજ્ય અને ધર્મપ્રત્યે સંપુર્ણ અલગતા–વિયોજન.

(The complete separation between Church and the state.) પશ્ચિમી જગતનો ખ્યાલ.

(4)ભારતમાં ધર્મનિરપેક્ષતાનો દેશના બંધારણ મુજબ દરેક નાગરિકને કોઇપણ ધર્મ પાળવાની/નહી પાળવાની/ધર્માંત્તર કરવાની અને તેનો પ્રચાર કરવાની અબાધિત સ્વતંત્રતા પણ કાયદના નિયમનમાં રહીને છે.દેશના બંધારણ મુજબ,રાજ્યને પોતાનો કોઇ ધર્મ ક્યારેય નહી હોય.તમામ ધર્મો પ્રત્યે રાજ્યનું તટસ્થ અને સમાન વલણ.પરંતુ દેશમાં કોઇપણ ધર્મ, સંપ્રદાય કે તેમની સંસ્થાઓ,દેશના નાગરિકો પ્રત્યે કોઇપણ પ્રકારનું ભેદભાવ ભરેલું, અન્યાયી કે સામાજીક સુધારાની વિરુધ્ધનું વર્તન કરશે તો તે ગેરકાનુની કે ગેરબંધારણીય ગણાશે જે ફોજદારી  ગુનો ગણીને સજાને પાત્ર વર્તન ગણાશે.( દા.ત સામાજિક વ્યવહારોમાં, બાળ લગ્ન, સતીપ્રથા, બાળ મજુરી વિ.)

 સને ૨૦૧૪થી મોદી વડાપ્રધાનની બીજેપીની દેશમાં સરકાર આવ્યા પછી ધર્મપરિવર્તન, આંતરધર્મીય લગ્નો, તમામ પ્રકારના લઘુમતી જુથો ફક્ત ધાર્મીક જ નહી આધુનિક બૌધ્ધીક વ્યવસાયી એકમો સાથે(સત્તાની ભાગીદારીમાં) સંગઠિત નફરત, અસહિષ્ણુતા. બહુમતી ધર્મને(હિંદુ ધર્મના ધાર્મીક અને સામાજીક રીતિ રિવાજો) ખુલ્લામાં ખુલ્લો રાજ્યાશ્રય જ છે. ઉપરાંત હિંદુત્વ આધારીત પ્રવૃત્તીઓના ટેકામાં સીધો શેરીઓના બાહુબલીઓને ન્યાયીક સત્તાના સશક્તિકરણ(કાયદો હાથમાં લઇને ન્યાય કરવાનો) માટે પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રોત્સાહન આપવા માંડયું છે. આપણો દેશ કેવી રીતે અઘોષિત હિદું રાષ્ટ્ર બની ગયો છે તે તો આપણને તાજેતરના અયોધ્યાના રામમંદિર ઉદ્ઘાટનમાં વડાપ્રધાન મોદીની સક્રીય ભાગીદીરીથી જાહેર થઇ ગયું છે. ઉપરાંત બંધારણીય અધિકારની કલમ ૨૫માં બક્ષેલા ધાર્મીક અધિકારની સ્વતંત્રતાના ઉપભોગની જે અનુકુળતા હતી તેને આયોજનપુર્વક બિનઅસરકારક બનાવી દેવામાં આવી છે. આમ ધર્મનિરપેક્ષતાની ભારતીય વિભાવનાને મોદી સરકારે એક 'પેપર ટાયગર' કાગળનો વાઘ બનાવી દીધી છે.

દેશના તમામ ધાર્મીક ફિરકાઓ અને તેના આંકાઓને એ સમજણ પાડવાની તાતી જરુરીયાત પેદા થઇ ગઇ છે કે અમારા દેશનું બંધારણ એ બાયબલ, કુરાન કે ગીતા,રામાયણ કે મહાભારતનું સર્જન નથી. તે બંધારણના સાર્વભૌમત્વનો ઇજારો તમારી સંસદ,ન્યાયપાલિકા,કે કાર્યપાલિકા અને રાજકીયપક્ષોનો પણ નથી. સાર્વભૌમત્વ હોય તો "અમે ભારતના લોકો" નું છે. ફરી બરાબર સમજીલો કે તમને બધાને અમારા ઐહીક દુન્યવી હિતો માટે પેલા રાજાઓ,પાદરીઓ અને સામંતોએ પેદા કરેલ સંસ્કૃતીઓ અને સમાજોને હિંસક કે અહીંસક રીતે દફનાવી દઇને કે અગ્નિ સંસ્કાર કરીને અમારા માટે તમને પ્રતિનિધિઓ તરીકે પસંદ કરેલા છે. જુનાની જડો દસ હજાર વર્ષો પુરાણી હતી. તમને બધાને તો જે દિવસથી  સામાજીક કરાર કરીને સત્તાના વેન્ટીલેટર બેસાડયા છે તેની ચાવી " અમે લોકો" પાસે છે ન ખબર હોય તો સમજી લેજો. અમે તો જન્મથી જ " ઇન્સાન" તરીકે છીએ, તમે, તમારા ફાલતુ હિતો માટે અમને બધાને " હિંદુ,મુસલમાન અને ઇસાઇ" બનાવ્યા છે.


--

Tuesday, July 1, 2025

રેશનાલીટીનું હાર્દ વિવેક છે. ફક્ત વિવેક નહી પણ તર્કવિવેકશક્તિ.

રેશનાલીટીનું હાર્દ વિવેક છે. ફક્ત વિવેક નહી પણ તર્કવિવેકશક્તિ.

રેશનાલીટીનું હાર્દ વિવેક છે. ફક્ત વિવેક નહી પણ તર્કવિવેકશક્તિ.વિવેક શબ્દના અર્થમાં ખરુ ખોટુ જાણવાની શક્તિ આમેજ છે.પણ સાથે સાથે અને ગુજરાતી ભાષામાં મોટા ભાગે વિવેક એટલે વિનય,સભ્યતા,ડહાપણ, ચતુરાઇ, કરકસરતા, ત્રેવડ વિ. ના સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે. તર્કવિવેકશક્તિને અંગ્રેજીમાં આપણે Cognition, reason—Ability to discriminate or judgement, discretion–વિવેકબુધ્ધિ, સાચું ખોટું નક્કી કરવાની વિચાર શક્તિ તરીકે સમજી શું.

હવે પશ્ચીમી જગતમાં એક શબ્દ 'રેશનાલીટી( Rationality)છે.અને બીજો શબ્દ છે એમ્પિરિસિઝમ ( Empiricism)છે.બંને શબ્દો માનવજાતને, રેનેશાંસ અને જ્ઞાનપ્રબોધન( Enlightenment age)યુગની ભેટ તરીકે મળેલ છે. અનકુળતા ખાતર આપણે પહેલો શબ્દ ચર્ચા માટે એમ્પિરિસિઝમ લઇશું. તેનો અર્થ ગુજરાતીમાં ઇન્દ્રીયજન્ય અનુભવ( Sensory Experiences) છે.આપણી પાસે જૈવીક ઉત્ક્રાંતિની દેન તરીકે જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા પાંચ ઇન્દ્રીયો વિકસી છે. આંખ, નાક, કાન, જીભ અને ચામડી. સદર પાંચેય ઇન્દ્રીયો આપણા મગજને પોતાના કાર્ય પ્રમાણેના સંદેશા મોકલે છે.માનવી ઉપરાંત તમામ સજીવોમાં ઉત્ક્રાંતિની સ્ટેજ પ્રમાણે ઇન્દ્રીયો વિકસી છે. તે કોઇ ઇશ્વર, અલ્લાહ કે જીસસની નવરાશની પેદાશનું પરિણામ નથી.

જ્હોન લોક( ૧૬૩૨–૧૭૦૪) અંગ્રેજ અને ડેવીડ હ્યુમ(૧૭૧૧–૧૭૭૬) સ્કોટલેંડ બંને એવા તત્વજ્ઞાનીઓ હતા જેમનું તારણ હતું કે  જ્ઞાન ફક્ત ઇન્દ્રીયજન્ય અનુભવનું જ પરિણામ છે.મગજની વિચારશક્તિનું અસ્તિત્વ અને નિર્ણયો ઇન્દ્રીયો દ્રારા મળેલા સંદેશાઓનું ફક્ત પરિણામ છે. જે ક્ષણે ઇન્દ્રીયો મૃત પામે છે પછી માનવ બ્રેઇન અને મન પણ કામકરતું બંધ થઇ જાય છે.

તેની સામે રેન ડેકારટેસ (૧૫૯૬–૧૬૫૦)ફ્રાંસ અને લેબીન્ઝ(૧૬૪૬–૧૭૧૬)જર્મની. રેન ડેકારટેસનું એક સુપ્રસિધ્ધ વાક્ય છે." I think; therefore I am." હું વિચારું છું માટે મારુ અસ્તિત્વ છે. આ તારવેલું અનુમાન છે. દા.ત કાગડા બધા કાળા છે. કમ્પ્યુટર બધા જ કાળા હોય છે. માટે દરેક કમ્પ્યુટર કાગડો છે. સોક્રેટીસને એક યુવાને પ્રશ્ન પુછયો? ઘોડાને દાંત કેટલા હોય છે. માણસને બે પગ છે અને બત્રીસ દાંત છે. સોક્રેટીસનો જવાબ  પણ ઘોડાને તો ચાર પગ છે માટે ચોસઠ દાંત હોવા જોઇએ. આ બધા તારવેલા અનુમાનો છે. પણ તારવેલા અનુમાનો હંમેશાં સાચા ન પણ હોય! તેને વાસ્તવિક અનુભવથી, ઇન્દ્રીયજન્ય અનુભવોથી તપાસવા પડે.

બીજી બાજુ ઇન્દ્રીયજન્યના વાસ્તવિક નિરિક્ષણો પણ સાચા ન હોય. દા.ત. પાણીમાં ડુબાડેલી લાકડી આપણે જોઇએ તો વાંકી અથવા ત્રાંસી લાગે છે.તે મગજને આપેલો સંદેશો ખોટો છે. હવે પછીના આ તારણ માટે ઇન્દ્રીયજન્ય અનુભવ સિવાય આપણે તારણ કાઢી શકીએ છીએ. બે સમાન લીટીઓ ક્યારેય એક બીજાને મળે નહી.અને બે ગુણ્યા ચાર આઠ જ થાય.

જર્મન તત્વજ્ઞાની ઇમેન્યુઅલ કાંટે( ૧૭૨૪–૧૮૦૪) પોતાના પુસ્તક " Critique of Pure Reason " માં સાબિત કર્યું કે  'તર્કવિવેકશક્તિ' આધારીત સત્ય તે ઇન્દ્રીયજન્ય અનુભવ અને મનની કારણ શોધવાની પ્રક્રીયા ( Laws of Causation or Every thing has cause) બંનેના સંયુક્ત અને સંયોજનનું પરિણામ છે. દરેક વસ્તુ, પદાર્થની સાચી ઓળખ માનવની તર્કવિવેક શક્તિના અનુમાન પર ચોક્ક્સ આધારીત છે.તે સત્ય શોધવાનો સાચો માર્ગ છે.  વસ્તુ કે પદાર્થને માનવ મન કેટલું ગ્રહણ કરે છે તેના પર અવલંબિત નથી.

સને ૧૯૪૮માં એમ. એન રોય અને તેમના સાથીદારોએ રેડીકલ હ્યુમેનીઝમના ૨૨ સિધ્ધાંતો બહાર પાડ્યા હતા. તેમાં ૧૩મો સિધ્ધાંત જણાવે છે કે " માનવીય નૈેતિકતાનો વિકાસ તેની તર્કવિચારશક્તિનું પરિણામ છે. ( The man is moral because he is a rational being.) માનવીની તર્કવિવેકશક્તિનો ઉદ્રગમ એક બાજુએ દરેક સજીવોની જીજીવિષા ટકાવી રાખવાની વિવેકવિચારશક્તિ અને બીજીબાજુએ તમામ કુદરતી પરિબળો નિયમબધ્ધ છે, યાંત્રિક છે, સ્વયંસંચાલિત છે, અને તેના સંચાલનના નિયમોને માનવ બૌધ્ધીક સમજ શક્તિથી સમજી શકાય છે.એક બાજુ ડાર્વીનનો ઉત્ક્રાંતિવાદ અને બીજીબાજુ સર આઇઝેક ન્યુટનના ભૌતિક જગતને સમજવાના નિયમો માનવીને નૈતિકતા તરફ દોરી જાય છે. કુદરતી નિયમો ઇશ્વર સંચાલિત નથી. તે નિયમો આધારીત પરિણામોમાં દયા, મમતા,ખુશામત, લાગણી, પ્રેમ કશું જ હોઇ શકે નહી.

આશરે ૩૦૦૦ વર્ષ પહેલાં સોક્રેટીસ–પ્લેટો – એરીસ્ટોલ–ત્રણેયના જન્મ પહેલાં ગ્રીક તત્વજ્ઞાની અપિક્યુરસે સદાબહાર, કાયમ માટેનું એક વાક્ય ઉચ્ચાર્યું હતું. " I want to be moral not to please GOD but to please myself." હું ઇશ્વરને ખુશ કરવા નૈતિક બનતો નથી.પણ બીજા માનવીને મદદ કરવામાં મને ખુશી મળે છે. તેની ખુશીમાં તેના અસ્તિત્વ સાથે મારુ અસ્તિત્વ પણ અનિવાર્ય રીતે સંકાળાયેલું છે. માટે હું તેને મદદ કરીને આનંદ મેળવું છું.

ભારત –પાકિસ્તાને, ઇઝરાઇલ–પલેસ્ટાઇન–ઇરાન–અમેરીકા– યુક્રેન– રશિયા અને ચીન શસ્રોની ટોચ પર બેસીને  યુધ્ધના હાકલા વગાડનારાને ખબર નથી કે શું કુદરતી નિયમબધ્ધતા યાંત્રિક છે?

આપણી ગુજરાતી કહેવત મોદીજી! બાવળીયા ઉગાડવાથી ક્યારેય કેરી પાકે નહી. દેશઅને દુનિયામાં નફરત, ધિક્કાર અને હિંસક સત્તાને આધારે સરકાર ચલાવવાના સંસ્કાર કોને તમને આપ્યા? માફ કરજો! અમને તમારા બા હીરાબાએ તો પ્રજાનું કલ્યાણ કરવાના અઅશીર્વાદ આપ્યા હતા. તે યાદ છે! ક્યારે? વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર આશીર્વાદ લેવા ગયા ત્યારે! માતાના મૃત્યુ પછી તે ખોળાને લાંછન લગાવીને  હીરાબા ના ખોળે જન્માય નથી તેવું વારંવાર કહ્યું છે.તમારી માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવકએ, તેના મનુસ્મૃતિના એજન્ડાને અમલમાં મુકવા તો ચાવી ભરલો ૨૧મીસદીના સાધનોનો ભરચુક ઉપયોગ કરનારો તમારા જેવો જ રોબોટ બનાવ્યો છે. વાલીયા લુંટારામાંથી રામાયણના રચઇિતા વાલ્મીક રુષી બનાવવાની ભારતીય સંસ્કૃતિનું સત્યાનાશ–નિકંદન કોને કાઢયું?. બાબા સાહેબ આંબેડકરનું તારણ હતું કે–બ્રાહ્મણવાદી–મનુસ્મૃતિવાળી– વર્ણવ્યવસ્થાએ.

 



--