Friday, September 5, 2025

નમોના મગરનાં આંસુ

જે દિકરો(દેશના વડાપ્રધાન કક્ષાનો) મા ના દેહાંત પછી હોંસે હોંસે મીડીયા અને અન્ય પ્રચાર–પ્રસારના સાધનોથી જાહેર કરે કે ' હુ. મા ની કુખે થી જન્મેલો જૈવીક એકમ નથી. પણ દૈવી ચમત્કારથી પેદા થયેલો 'નોન બાયોલોજીકલ' બાળક હતો અને મોટો થયો છું. આ હકીકત 'હીરા બા ના સદહે મૃત્યુ પામતાં પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના તમામ સગા ભાઇ બહેનોની હાજરીમાં, અને હીરા બા સમજી શકે તેવી ભાષામાં કહી હોત તો? વડીલ શ્રી હીરા બા એ શું જવાબ આ પોતાની સગી માના માતૃત્વને તેઓની હાજરીમાં આ સપુત કે કપુત ને આપ્યો હોત? ૧૪૦ કરોડ દેશવાસીઓ મારા હિંદુત્વની વ્યાખ્યાને સમજો અને સમજાવો કે જેમાં સત્તાની ખુરશી માટે સગીમાનો ભોગ લેવામાં લેશ માત્ર ચિંતા કરવી નહી.!!!! જરુર પડે તો સત્તાના હિતમાં અનિવાર્ય હોય તો તે જ માના નામે મગરનાં આંસુ કાઢવામાં ખોટું શું? " મારા હીરા બા સત્તા માટે દુઝણી ગાય સદેહે અને તેમના દેહઅવાસાન પછી પણ હતાં, છે અને જ્યાંસુધી મારી સત્તા છે ત્યાં સુધી રહેશે.नमस्ते सदा वत्सले मातृभूमे (राष्ट्रीय स्वयंसेवक संघ)  😂😂😂😂😂

--

Sunday, August 31, 2025

Mr. Donald Trump, you can surrender our Mr. Modi but never India & Its people.

 Mr. Donald Trump, you can surrender our Mr. Modi but never India & Its people.

મીસ્ટર ટ્રપ્મ, તમે અમારા દેશના વડાપ્રધાનને તમારા શરણે લાવી દિધા છે. એટલું જ નહી તમારી સામે નતમસ્તક ઘુંટણીએ પાડી દીધા છે. ચાર દિવસ પહેલાં અમારા "નરેન્દ્ર સરેન્ડર" જાહેરમાં એમ કહતા હતા કે "મારા પર ડોનાલ્ડ ટ્રમ્પનું ખુબજ દબાણ છે પણ તે દબાણને હું તાબે થવાનો નથી." જો હું ટ્રમ્પના દબાણને તાબે  થઉ તો પરિણામ આવું આવે! ભારતના કૃષિ ક્ષેત્રને બરબાદ કરીને અમેરીકન કપાસને બેલગામ ભારતમાં આયાત કરીને દેશના કિસાનોને આત્મહત્યા કરવા મજબુર કરું. ગુજરાતીમાં એક કહેવત છે કે " શું કોઇ પોતાનું થૂકેલું ચાટી જાય." સત્તાના રાજકારણમાં નવી કહેવત છે કે ' હું સત્તા બચાવવા તમે થૂંકો અને હું તે પણ ચાટી જઇશ.'

તા ૨૭મી ઓગસ્ટે અમેરીકન પ્રમુખ ટ્રમ્પે નક્કી કરેલી ભારતથી નિકાસ થઇને અમેરીકન આયાત થતા માલ પર ૫૦ ટકા આયાત ડયુટી શરુ થાય છે.ઉપરાંત જુની ૧૦ ટકા તો પાછી ખરી જ. અંદાજી કુલ આશરે ૬૨.૫( સાડા બાસટ ટકા). બીજે દિવસે એટલે કે તા.૨૮મીઓગસ્ટે "અમારા નરેન્દ્ર સરેન્ડરે" સાહેબે જાહેર કર્યું કે ૧લી સપ્ટેમ્બરથી અમેરીકાના ખેડુતોનો કપાસ આયાત ડયુટી ફ્રી ભારતની કાપડ મિલો ખરીદી શકશે.પ્રવર્તમાન આયાત ડયુટી ૧૧% પણ કેન્સલ.અને વધારામાં તાત્કાલીક અસરથી  દેશમાં ઉત્પન્ન દેશી કપાસ ઉપર પ્રતિ ગાંસડીએ ૧૧૦૦૦ રુપિયાની સરકારી સબસીડી બંધ કરી દેવામાં આવી છે.જેથી "ટ્રમ્પકાર્ડ" કપાસને ભારતનું બજાર લાલ જાજમ પાથરીને આવકારી શકે!

    પ્રથમ મોદી સરકારે અમેરીકન કપાસની આયાતની મુદત એક માસ એટલે કે ૩૦મી  સપ્ટેમ્બર રાખી હતી. તેનાથી ટ્રમ્પને સંતોષ ન થતાં તે આયાતી મુદત ૩૧મી ડીસેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે.ભારતના કિસાનનો કપાસ બજારમાં ૧લી ઓકટોબરથી ૩૧મી ડીસેમ્બર સુધી વેચાવા માટે આવે છે. દેશમાં કપાસ ઉત્પન્ન કરનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાના,ગુજરાત, પંજાબ, હરિયાણા,મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. આ કુલ વિસ્તારોમાં આશરે લોકસભાના ૨૦૦ ઉપરાંત સંસદ સભ્યો ચુંટાઇને આવે છે.બંગલા દેશ, મય્નમાર, શ્રી લંકા અને તાઇવાન પર સદર આયાતી ડયુટી કુલ ૨૦ ટકા જ છે. આવતી કાલે અમેરીકા, ન્યુઝીલેંડ,ઓસ્ટ્રેલીયા, કેનેડા અને ડેનમાર્ક જેવા દેશોની દાનત ભારતના દુધ અને દુધની બનાવટોના ઉત્પાદન તથા દરીયાઇ– સી ફુડને ઠેકાણે પાડી દેવાની છે. શું ૨૧મી સદીનો અમેરીકન ડોલર ભારત જેવા દેશોને " મુડીવાદી સંસ્થાનો" બનાવી દેશે? ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઉવાચે છે; " I want to Make America Great Again ( MAGA)..I do not bother about its internal & external consequences. Means---Logically--- " Make India poor & slave again with the help of Mr. Mody, my dear friend."

અમેરીકામાં ખેડુતને એક એકર કપાસ ઉત્પન્ન કરવામાં સરકારી સબસીડી ફક્ત ૪૦૦૦૦ ડોલર છે. ભારતમાં પરોક્ષ સબસીડી(જેમાં ડીઝલ, ખાતર, ટ્રેક્ટર અને વરસે પ્રત્યેક ખેડુતના ખાતામાં ૬૦૦૦ રુપિયા સાથે, કુલ ૪૦૦૦૦ રુપિયાની)પણ તમામ સરકારી મદદ ભેગી થઇને મલતી નથી. અમારા મોદીજીનો સ્વદેશીનો ખ્યાલ પણ આર એસ એસ મેઇડ ક્રાંતિકારી છે. 'હું વિશ્વમાંથી ડોલર,પાઉંડ, તે પણ સફેદ,કાળો, પિળો( ચાઇનીઝ જપાનીઝ) લીલો( મુસ્લીમદેશો)માંથી આવતો હોય તેને દેશમાં મુડી રોકણ તરીકે આવકારું છું. કદાચ દાઉદ ઇબ્રાહીમ તેનું મુડી રોકાણ દેશમાં કરીને રોજગારી પેદા કરવામાં મદદ કરે તો તે સ્વદેશી કહેવાય!

સાહેબ! ને કોઇ પુછી શકે ખરા કે દેશમાં ' ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેંટ' વિદેશી કુપનીઓના મુડી રોકાણની શું સ્થિતિ છે? છેલ્લા પાંચ વર્ષમાં નેટ વધારો લેશ માત્ર નથી.મોદીજીના સત્તા હસ્તાંતર પછી આશરે દસ લાખ ભારતીયોઓએ પોતાની નાગરીકતા કાયમ માટે છોડીને યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને આરબ અમીરાત દેશોની નાગરિકતા સ્વીકારી લીધી છે. સને ૨૦૨૩,૨૦૨૪ અને ૨૦૨૫માં અનુક્રમે ૫૧૦૦,૪૩૦૦, અને ૩૫૦૦  આરબ પતિઓએ કાયમ માટે દેશ છોડી દીધો છે.( તેમાં વિજય માલીયાની કુંપની બાદ) પોતાની ભારતીય નાગરિકતા કાયમ માટે "સરેન્ડર" કરી દીધી છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 


--

Thursday, August 28, 2025

ભારતના ચે ગુવેરા રાહુલ ગાંધી.

ભારતના ચે ગુવેરા રાહુલ ગાંધી–

તમે ચે ગુવેરાનું( 1928-1967 Total 39 years.) નામ સાંભળ્યું છે.કયુબાના ફીલ્ડ માર્શલ કાસ્ટ્રો સાથે ખભેખભા મિલાવીને માર્કસવાદ આધારીત સફળ ક્રાંતી કરવાનો યશ ચે ગુવેરાને જાય છે. દક્ષિણ અમેરીકામાં ક્યુબન ક્રાંતિ પહેલાં ચે ગુવેરાએ તેના મિત્ર અલબ્ટ્રો ગ્રેનાદો સાથે સને ૧૯૫૨માં સમગ્ર દક્ષિણ અમેરીકના દક્ષિણથી ઉત્તર બારદેશોની મોટરસાયકલ પર ૮૦૦૦ કીલોમીટરની યાત્રા કરી હતી. સમગ્ર દક્ષિણ અમેરીકા ખંડના લોકોની ગરીબી, શિક્ષણ, આરોગ્ય વિ.સ્થિતિઓની વાસ્તવિક માહિતી એકત્ર કરી હતી.ગરીબી કોને કહેવાય તે તેમની નરી આંખે જોઇ! ખેડૂતો ન્યાય માટે અન્યાયનો સામનો કેવી રીતે કરે છે તે પણ સમજવા પ્રયત્ન કર્યો? ૮૦૦૦ કી.મી.ની યાત્રામાં જે અનુભવ થાય છે. તેની ડાયરી પણ લખેલી છે. તે ક્યુબાની ક્રાંતિનો આધાર બની જાય છે.જો કોઇએ ચે ગુવેરાની દાઢી, માથા પરની હેટ, –ટી શર્ટ અને મોટર સાયકલ પરની સવારીવાળા ફોટો જોયા હોયતો આપણા દેશની રાહુલની ત્રણયાત્રાઓની સફળતાના કારણો સમજાઇ જશે.(૧)પ્રથમ યાત્રા–૪૦૦૦ કી.મી.કન્યાકુમારીથી કાશ્મીર,(૨) હાઇબ્રીડ યાત્રા મણીપુરથી મુંબઇ,અને (૩)બીહારનો મતદાર જાગૃતિ અભિયાન.

મારા મત મુજબ આજે આપણે જે રાહુલ ગાંધીને બિહારની યાત્રામાં જોઇ રહ્યા છે તેમાં મહાત્મા ગાંધી અને ચે ગુવેરાના વ્યક્તીત્વનું અતુટ સંયોજન દેખાઇ આવે છે.આ યાત્રામાં રાહુલજી પગપાળા ચાલે છે.અને મોટરસાયકલ પર પણ લોકસંપર્ક કરે છે.

રાહુલજી આજે જે બિહારમાં કરી રહ્યા છે તે દેશમાં મોટરસાયકલના પ્રવાસની મદદથી ક્રાંતિનું બ્યુગલ વગાડી રહ્યા છે.કદાચ કોઇને પહેલી નજરે અંદાજ પણ ન આવે કે તેઓ શું કામ કરી રહ્યા છે? આપણને ખબર છે ખરી કે આ દેશનો યુવાન કાર ને બદલે મોટરસાયકલ પર ચાલે છે? ભારત યુવાનો દેશ બની ગયો છે. દેશમાં મોટરબાઇક ની સંખ્યા કેટલી છે? આપણા દેશમાં ફક્ત મોટરબાઇકની સંખ્યા ૨૨ કરોડ છે. બીજા ટુવ્હીલર્સને તેમાં ગણવામાં આવેલા નથી. કાર ફકત પાંચ કરોડ અને બીજા ટુવ્હીલર્સ પણ પાંચ કરોડ. દેશમાં મોટરબાઇક કોણ ચલાવે છે?રાહુલે દેશ સમક્ષ એ બતાવી આપ્યું કે મોટરબાઇક પર બેઠેલો નાગરીક યુવા નાગરિક છે.રાહુલની મોટરબાઇકની પાછળ દોડનારા નાગરીકોની ઉંમર કેટલી છે? રાહુલજીની સાથે સાથે મોટરબાઇક ચલાવનારાની ઉંમર કેટલી છે?

આ દેશના નાગરીકોને ખબર છે ખરી કે અમેરીકન આર્થીક હિતો સામે ભારતને ઝઘડાની શરુઆત ક્યાંથી થઇ હતી? હાર્લે ડેવીડસન(Harley Davidson) કોણ છે? તેની મોટરબાઇક પર મોદી સરકારે કેટલી ઇમપોર્ટ ડયુટી નાંખી હતી.ભારતમાંની વેચાણ કિંમતના ફક્ત ૫૦ ટકા! સને ૨૦૨૫ના બજેટમાં તે ૧૦ ટકા ઘટાડીને ૪૦ ટકા કરી.ભારતમાં તેની વેચાણ કિંમત અઢીલાખ થી ત્રણ લાખની આસપાસ છે. પ્રતિબાઇક ઇમોપોર્ટ ડયુટી અઢીલાખ–ત્રણ લાખની મોટરબાઇક પર સવાલાખથી દોઢલાખ ઇમપોર્ટ ડયુટી.ટ્રમ્પને સ્પષ્ટ માહીતી હતીકે હાર્લે ડેવીડસનની મોટરબાઇકનું વૈશ્વીક્ સ્તર પર સૌથી મોટુ બજાર હોય તો તે ભારત છે! ટ્રપ્મના ટેરીફના ચક્કરની શરુઆત ત્યાંથી થઇ હતી.

દેશમાં ૧૫વર્ષથી ૨૯વર્ષનાઉંમરવાળા યુવાનોની કુલ વસ્તી ૪૨ કરોડ છે.કુલ વસ્તીના આશરે ૩૦ ટકા.૧૮વર્ષથી ૩૫ વર્ષની ઉંમરવાળા યુવાનોની સંખ્યા ૬૦ કરોડ અથવા કુલ વસ્તીના૪૨ ટકા છે.ભારતીય જનતા પાર્ટી ખરેખર ગભરાઇ હોય તો તે રાહુલને બદલે પેલા મોટરસાયકલવાળા લંબરમુછીયા કે કાળી ટ્રીમવાળા દાઢીવાળા યુવાનોથી ગભરાઇ છે. જેનું  ભવિષ્ય મોદી સરકારે સને ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીમાં નોટબંધી અને જીએસટીથી ૧૦૦ ટકા બરબાદ કરી નાંખ્યું છે.

રાહુલ જુડો કરાટે કરે છે, સ્વીમીંગ કરે છે, મોટરબાઇક ડ્રાઇવ કરે છે.મકકાઇ–જુવાર ખેતરમાં પહોંચી જાય છે, ડાંગરના ધરુ હાથમાં લઇને જીન્સનું પેન્ટ અધ્ધર ચઢાવીને પાણીની અંદર ડાંગરના ધરુ રોપે છે. મોચીને ત્યાં પહોંચી જાય છે, રેલ્વે પ્લેટફોર્મ કુલીઓ સાથે મુસાફરોની બેગ વિ ઉચકે છે. મેકેનીકસ ગરાજમાં પણ પહોંચી જાય છે.અમેરીકાની સ્ટેનફોર્ડ, કેલિફોર્નીયા, પ્રીન્સટોન જેવી યુનીર્વસીટીઓ અને બ્રીટનની ઓક્ષફર્ડ, કેમબ્રીજ અને લંડનસ્કુલ ઓફ ઇકોનોમીકસની સર્વોત્તમ થીંક ટેકસ સાથે બૌધ્ધિક વૈચારીક વાટકી વ્યવહાર નિયમીત કરે છે. દેશની ગુજરાત જેવી સુરતની આશરે ૨૫ કોર્ટસમાં બીજેપી પ્રેરીત 'માનહાનીના કેસો' પણ લડે છે.રાહુલજી દેશના યુવાનોનો જીવંત ધબકાર બની ગયા છે. જ્યાં મોદી–શાહનું ગોદી– બોદું મિડિયા પહોંચી શકતું નથી.ભાજપની ચિંતા છે કે રાહુલજીએ દેશની યુવાલોકોનો વિશ્વાસ પેદા કરીને તે બધાને દેશનું સુકાન ચલાવવા માટે ડ્રાયવર સીટ પર બેસાડી દીધા છે. દા–ત તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, સંજયસીંઘ, આદિત્ય ઠાકરે, સ્ટાલીન,અભિષેક બેનરજી અને અન્યસાથીઓ..

દેશનો યુવા સમજી ગયો છે કે ભાજપ સ્રી–પુરુષ વચ્ચે જાતીય ભેદભાવ રાખે છે, પેલા મોહન ભાગવત એન્ડ આરએસએસ કુંપની, દેશની સ્રીઓને હિંદુત્વના એજન્ડા સીધ્ધ કરવા બાળકો જણવાની ફેકટરીથી વધારે તેમની કિંમત નથી.આધુનીક શહેરીકરણે યુવાસ્રીઓને જે ઘરની બહાર મુકત ગગન નીચે સ્વવિકાસની તકો આપી છે તે છીનવી લઇને ઘરની ચાર દિવાલની વચ્ચે ફરીથી પુરી દેવા માંગે છે. ઉત્તરાખંડની સરકારનો લીવ–ઇન રીલેશનનો કાયદો તેનો જિવંત પુરાવો છે. દેશના યુવાનો રાહુલ ગાંધી સાથે મોટરબાઇક ચલાવે છે, સાથે દોડી રહ્યા છે તેની પાછળ તેઓનું ઉભરી રહેલું ચુંબકીય નેતૃત્વ જવાબદાર છે.

ભારત એટલે મોદી–આરએસએસનું હિદુંઇઝમ, હિંદુત્વ, ગોદીમીડીયા.સમાજના પોતને નફરત અને હિંસાઅને જુદી જુદી સંસ્થાઓની કારસેવકોની કાયદો હાથમાં લઇને શેરીઓમાં બાહુબલીઓની મદદથી ન્યાયતોલનારી સરકાર.રાજકીય પક્ષ અને તેના સંગઠનો જેવાકે વીએચપી,બજરંગ દળ, દુર્ગાવાહીની, હિંદસ્વરાજ મંચ અને તેવા જેવા બીજા ચાલીસથી વધારે નોન–સ્ટેટ–એકટર્સ. આ બધાએ મોદી સરકારની રહેમ નજર નીચે ખાણી–પીણીની ઉજાણીઓ કરીને દેશનું ખતરનાક કક્ષાએ પહોંચાડેલું ધાર્મીક–સાંપ્રદાયિક– ઉચ્ચવર્ણના ટેકાવાળી વર્ણવ્યવસ્થાનું અહિંસક નહી પણ કાયદાવિહોણું ધ્રુવીકરણ એટલે મોહન ભાગવતની નવી વ્યાખ્યાવાળું હિંદુરાષ્ટ્ર. વૈશ્વીક્ કક્ષાએ પણ આ કુંપનીની ઇમેજ ઝડપથી સાચા રંગની ઓળખ થતાં ઝડપથી બદલાઇ રહી છે.    

આપણને સારી રીતે ખબર છે કે ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને સને ૧૯૧૫માં આજથી ૧૧૦ વર્ષ પહેલાં સલાહ આપી હતી કે તમારે ભારતને ઓળખવો હોય તો દેશની યાત્રા કરો. જે કામ દક્ષિણ અમેરીકા ખંડમાં સને ૧૯૫૨માં ચે ગુવેરાએ કર્યું. ગાંધીજી અતિવિદ્વાન હતા, બેરીસ્ટર હતા, તેમનું કુટુંબ આર્થીક રીતે સંપન્ન્ હતું. પણ દેશના તે પ્રવાસ પછી એક ધોતી પહેરીને જીંદગીભર જીવ્યા અને શહીદ પણ તે ધોતીમાં જ થયા. મોદી સાહેબે ભારતની સમૃધ્ધીના પ્રતીક તરીકે ૧૭ લાખ રુપીયાનો સોના જડીત સુટબુટ  અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને બતાવવા સ્વાતંત્ર દિને પહેર્યો હતો.

રાહુલ ગાંધી જે જીવન શૈલીમાં ટી શર્ટ અને ચપ્પ્લમાં ઉતરી ગયા છે તે ઘણો બધો મુકસંદેશો  આપતા જાય છે.ભારતના નાગરીકોની નીજી જીવન શૈલી ઓળખ રાહુલમાં પ્રતિબીંબ થાય છે મોદીજીમાં લેશ માત્ર નહી. ભારતની પ્રજાને પહેલીવાર અહેસાસ થાય છે કે કોઇ નેતા છે જે પ્રજા માટે સડકો પર ઉપલબ્ધ છે.આ નેતાનો મતવિભાગ, મોદી કે અમીત શાહની દિલ્હીની નોર્થ કે સાઉથ બ્લોકની ઓફીસોમાં સંતાઇ ગયેલો નથી પણ કાશ્મીર થી કન્યાકુમારી અને દ્વારકાથી દિબ્રુગઢ સુધી વિસ્તરેલો છે.રાહુલજીની કોઇ ચુંટણીમતવિસ્તાર છે જ નહી.

રાહુલજીની મોટરબાઇક યાત્રામાં ઘણી બધી ચીજો છુપાયેલી છે.તેમાં પેટ્રોલ,તેના પરની ઇમપોર્ટ ડયુટી, અમેરીકા, ડોનાલ્ડ ટ્રમ્પ પણ અને દેશના યુવાનોના સ્વપ્નાં પણ જોવા હશે તો દેખાશે!            

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 


--

Sunday, August 24, 2025

ધર્મ લોકો માટે એક અફીણ છે...કાર્લ માકર્સ ભાગ–૩.

 

ધર્મ લોકો માટે એક અફીણ છે....કાર્લ માર્ક્સ. ભાગ–૩.

(Religion is the opiate of the people. But the man makes the religion, religion does not make the man.) માણસ ધર્મ બનાવે છે, ધર્મ માણસને બનાવતો નથી. માણસ કોઈ અમૂર્ત અસ્તિત્વ નથી જે દુનિયાની બહાર પલાંઠીવાળીને બેસી રહ્યો હોય! માણસ પાસે માનવ વિશ્વ, રાજ્ય, સમાજ છે.ધર્મ એ તો પીડિત પ્રાણીનો નિસાસો છે, હૃદયહીન વિશ્વની ભાવના છે અને આત્માહીન પરિસ્થિતિઓનો આત્મા છે. તે લોકોનું અફીણ છે. માણસોના ભ્રામક સુખ તરીકે ધર્મનો નાબૂદ કરવો એ તેમના વાસ્તવિક સુખની માંગ છે ..... ધર્મ એકમાત્ર ભ્રામક સૂર્ય છે.જેની આસપાસ માણસ ફરે છે. જ્યાં સુધી તે સ્વભ્રમણના હેતુ અંગે વિચારશે નહી ત્યાંસુધી તે પેલા ભ્રામકસુર્યની પાછળ ફરતો રહેશે.સૌ. રાયા દુનેયેવ્સકાયા (Raya Dunayevskaya noted Marxist Scholar& former secretary to Leon Trotsky, is the author of Marxism and Freedom- Page no 43-44. નો ભાવાનુવાદ.

કાર્લ માર્ક્સ–

વૈશ્વીક કક્ષાએ, આધુનિક સમાજશાસ્ર,અર્થશાસ્ર,અને દર્શનશાસ્રના ક્રાંતિકારી વિચારક તરીકે તેમનું સ્થાન અદ્વિતિય અને અભેદ્ય છે. તેઓએ સત્યની ખોજનું એક ભૌતીકવાદી અને ઐતીહાસીક દ્રષ્ટિથી મુલ્યાંકન કરેલ છે. ચાર્વાકની માફક કાર્લ માકર્સનો સત્યની વિભાવનાના મુલ્યાકનમાં અભિગમ પ્રત્યક્ષવાદી અને ભૌતીકવાદી છે.પરંતુ તે પૃથ્થકરણમાં સામાજીક, આર્થીક અને રાજકીય ક્ષેત્રના પ્રવાહોનું સંપુર્ણ તાર્કીક પુર્વગ્રહ વિહીન મુલ્યાંકન છે. માર્ક્સના દર્શનને સરળ અર્થમાં સમજવા માટે એમ કહી શકાય કે તેના દર્શનનો આધાર ભૌતિકવાદી ઇતિહાસવાદ( Materialistic Interpretation of History)નું મુલ્યાંકન અને વૈજ્ઞાનીક સમાજવાદના રુપમાં ઓળખાય છે.

કાર્લ માકર્સના ખ્યાલ પ્રમાણે સત્યને તત્વજ્ઞાન કે દર્શનની ચાર દિવાલોની આસપાસ બંધિયાર રાખવાની જરુર નથી.તેનો ઉપયોગ સમાજના ભૌતીક અને સામાજીક ઢાંચા સાથે કરવાની જરુર છે.માકર્સે સત્યના અર્થઘટનને તે જમાનાના યુરોપની મુડીવાદી અર્થવ્યવસ્થાએ પેદા કરેલ આર્થીક અસમાનતા,શોષણ વિ.ના કારણો અને ઉપાયો તપાસવા ઉપયોગ શરુ કર્યો.

તેમણે સત્યની તપાસ મૃત્યુ પછીના જીવન, સ્વર્ગ કે એવા ધાર્મીક ખ્યાલ માટે શરુ કરી નહતી.આધ્યાત્મીક પણ નહતી.માનવ સમાજ અને ઇતિહાસની પ્રક્રીયાઓની ગતિશીલતાને સમજવાની હતી.માકર્સ કહે છે કે અત્યારસુધી વિશ્વના દાર્શનીકોએ આપણા વિશ્વને સમજવા જુદી જુદી વ્યાખ્યા કરી છે. મારુ કામ આ વિશ્વને કેવી રીતે માનવકલ્યાણ માટે બદલી શકાય, તેમાં ફેરફાર કેવી રીતે થઇ શકે તેના નિયમો શોધી કાઢવાનું છે. માકર્સના તારણમાં સત્યના વર્તમાન પ્રવાહોઓને સમજીને તેમાં ફેરફાર કેવી રીતે કરી શકાય તે પધ્ધતિ શોધવામાં છે.

    માકર્સનો આ પ્રયત્ન હેગેલના આદર્શવાદી દ્વંદ્વાત્મકની પધ્ધતિ પર આધારીત હતો. માકર્સે તેને વૈચારીક આદર્શવાદ ને બદલે ભૌતીકવાદી ઐતીહાસીક અર્થઘટન કરીને વ્યક્તિ અને સમાજના ફેરફાર માટેના પરિબળો શોધી કાઢયા.તેના ખ્યાલ પ્રમાણે સત્ય, ઉત્પાદનના સાધનો, માનવ શ્રમ,જમીન,માલિક– મજુરોના સંબંધો અને તેની આસપાસ અસ્તિત્વમાં આવેલ સામાજિક માળખાંના સંબંધોનું પરિણામ છે. ભૌતીકવાદી પરિબળોના હિતોની તરફેણમાં તમામ સામાજિક માળખાં જેવાં કે તમામ સામાજિક, ધાર્મીક,રાજકીય,ન્યાયીક સંસ્થઓ અને સંસ્કૃતિનું સર્જન કરવામાં આવેલું છે.( They are the super structures to perpetuate interests of those who own means of productions & exchanges) આમ માકર્સનું સત્ય કોઇ ધાર્મિક સત્યની માફક નિરપેક્ષ કે અપરિવર્તનશીલ સત્ય નથી. પણ ઉત્પાદનના સાધનોના માલિકોના હિતો ફેરફાર થતાં તે પ્રમાણે ફેરફાર કે ગતિશીલતા પ્રાપ્ત કરે છે.

માકર્સનું તારણ હતું કે માનવજાતનો ઇતિહાસ એ ઉત્પાદનના સાધનનોના વર્ગીય હિતો(Class conflicts)ના સંઘર્ષનું પરિણામ છે.ગુલામી યુગમાં માલિક અને ગુલામના સંબંધો માલિકના હિતો માટે,સામંતશાહી અને ગણોતીયાના યુગમાં સામંત કે જમીનદારના હિતમાં અને ઉધ્યોગ–કારખાનાં અને મજુરના મુડીવાદી યુગમાં નફો અને બજારના હિતમાં સમાજના તમામ માળખાનું સર્જન કરવામાં આવેલું છે. જે તે સમયમાં વિકસેલી ગુલામ પ્રથા, સામંતશાહી અને મુડીવાદી અર્થવ્યવસ્થાનું પરિણામ છે. આ બધા સમાજોનું સત્ય જે તે સમાજની ભૌતીક પરિસ્થિતિઓને ટકાવી રાખવા અને વિકસાવવા સર્જન પામેલું હતું. આમ માકર્સના સત્યનો ખ્યાલ ઇતિહાસની પરિસ્થિતિઓમાં થતા ફેરફારો પ્રમાણે ગતીશીલ હોય છે.(According to Karl Marx, History of the mankind is the history of class struggle) કાર્લ માકર્સના તારણ પ્રમાણે સમાજની તમામ સંસ્થાઓ જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે તે બધાના હિતોને ટકાવી રાખવામાં અને વિકસાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેમના પ્રમાણે વર્ગીય હિતોનાં સંઘર્ષનું અવિરત યુધ્ધ સમયાતિત છે.વર્ગવિહિન સમાજ(Classless Society)તે તેનો આખરી ઉપાય છે. દરેક ઐતીહાસીક સમાજ એવો ભ્રમ પેદા તેના બહુમતિ વંચીતો કે સર્વહારાઓમાં કરે છે કે જે તે વ્યવસ્થાનું સર્જન તેમના હિતો માટે જ છે. વાસ્તવિકતા એ હોય છે કે વંચિતોના ગુજારા માટે તેમનો શ્રમ ખરેખર આઠ કલાકમાંથી બે કલાક પણ ભાગ્યેજ જરુરનો હોય છે. બાકીનો સમય તો જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે તેમના હિતો માટે વપરાય છે.જે સામાજીક અને તેના આધારીત શોષણયુક્ત અસમાનતાનું સર્જન કરનારી છે.કાર્લ માકર્સનું તારણ હતું કે, મુડીવાદના અંત સિવાય શ્રમજીવોના શોષણનો અંત ક્યારેય આવશે નહી. તેનો વિકલ્પ " સમાજવાદ" માકર્સે બતાવ્યો છે.જ્યાં ઉત્પાદનના સાધનોની માલીકી ખાનગીને બદલે સહિયારી હશે. તે વર્ગવિહીન સમાજ હશે. શોષણમુક્ત સમાજ હશે. તેમાં લોકોને પોતાની સક્ષમતા પ્રમાણે જીવન જીવવાની અમુલ્ય તકો મળી રહેશે.

માકર્સનું ચિંતન જેટલું ૧૯મીસદીમાં વાસ્તવિક હતું તે આજે ૨૧મી સદીમાં એટલું જ ઉપયોગી છે. ગરીબ–અમીરની ખાઇ આજે પણ છે એટલું ન નહી પણ તે અસમાનતાની ખાઇ વધતી જાય છે.આપણા દેશની કુલ વસ્તી ૧૪૦ કરોડમાંથી ૧૦૦ કરોડ ઉપરાંત લોકો માથાદિઠ માસિક પાંચ કીલો સરકારી અનાજની મફત વહેંચણી પર દર માસે જીવે છે. આશરે ૨૫કરોડ ઉપરાંત દેશમાં શિક્ષિત બેકારો છે. આ વર્ગસંઘર્ષનું પરિણામ નથી તો શું છે?આજના ઉપભોક્તાવાદી સમાજે વંચિતો માટે એક બનાવટી સુખ કે સુખના ભ્રમનો આભાસ પેદા કર્યો છે.વિજ્ઞાપન અને મિડીયા આવા સુખનાભ્રમ ફેલાવનારાના એજંટો છે. નવી ગાડી, નવો ફોન અને નવી ડીઝાઇનનાં કપડા ગ્રાહકને હથેળીમાં પેલું ક્ષણિક આભાસી સુખ બતાવે છે. જે સુખ સતત અનંત ને સીમાહીન છે. તે જ મુડીવાદની તેની ખુબી અને ચાલાકી બંને છે. જે શ્રમજીવીઓ પાસેથી છીનવી લીધેલી વધારાની આવક( Surplus Labour – un paid wages)છે. કાર્લ માકર્સના સત્યની શોધ આપણને ઢંઢોળી ને કહે છે કે તેનો વિચાર કર્યા કરવાથી કોઇનું દરદર ફીટતું નથી પણ તે વિચાર પ્રમાણે પરિવર્તન લાવવા મથવું પડે! માકર્સનું સત્ય આપણને સામાજીક શોષણનો વિકલ્પ સામાજીક્ સમાનતા અને સામાજક ન્યાય તેમાં નિહિત છે એ બતાવે છે.માકર્સનું સત્ય આપણને વિચારવા, વર્તમાન વ્યવસ્થા સામે પ્રશ્ર ઉઠાવવા અને બદલાવ લાવવા પ્રેરણા આપે છે.

-------------------------------------------------------xxxxx----------------------------------------------------------

 

 


--

Friday, August 22, 2025

નિત્શે ઉવાચ– “ ઇશ્વર મરી ગયો છે.” God is dead” બોલો! તેનાવગર જીવાશે! ભાગ–૨


ફેડ્રીક નિત્શે–1844-1900. German philosopher.

નિત્શે ઉવાચ– " ઇશ્વર મરી ગયો છે." God is dead" બોલો! તેના વગર જીવાશે! ભાગ–૨

નિત્શેએ સત્યની શોધને એક તુફાની કાવ્યાત્મક અને વ્યક્તિગત અનુભવની ખોજમાં રુપાંતર કરી દીધું. નિત્શેના તારણ પ્રમાણે સત્ય કોઇ સ્થિર, કાયમી,અને શાશ્વત સિધ્ધાંત નથી.પણ જીવંત, વ્યતિગત પસંદગીથી નક્કી કરેલ રહસ્યમય ઘટના છે.આ પ્રમાણે સત્યની શોધ માનવી તરીકે આપણી સમસ્યોના ઉકેલમાં સહાયરુપ બને છે.નીત્શેનું દર્શન ચાર્વાકની ભૌતીકવાદી સાદગી કે કાર્લ માર્કસની સામાજીક ક્રાંતિના ખ્યાલથી બિલકુલ અલગ છે.સ્વતંત્ર છે.જે માનવીના સ્વભાવની ઉંડાઇ,નબળાઇઓ અને વિધ્દ્વતાને ઉજાગર કરે છે.નિત્શે માટે સત્યની ખોજ એટલે જાણે, એક એકલો અટુલો માનવી તેની ખોજમાં નીકળી પડયો હોય અને સાથે સાથે પોતાની પરંપરાઓના બંધનો, નૈતિકતા અને ધર્મના બંધનો ફગાવી દઇને પોતાના માર્ગનો તદ્દન નવો જ રસ્તો બનાવીને સતત આગળ વધતો હોય.નિત્શેના વિચારોમાં આપણે સત્યની ખોજને રોચક, જ્ઞાનવર્ધક અને રહસ્યમય માપદંડોથી સમજવાનો પ્રયત્ન કરીશું.નિત્શેનું ચિંતન એક વર્તમાન સમાજ સામે વિદ્રોહની લાલબત્તી ધરતું ચિંતન હતું. તેનું ચિંતન પુરાપર્વથી ચાલુ આવતી માન્યતાઓના ખરાપણા સામે સવાલો પુછવાનું,જુના સત્યો કે માન્યતાઓ ખોટા બંધનો બની ગયા હોય તો ફગાવી દેવાની શીખ આપી હતી.પુરાપર્વથી ચાલુ રહેલી અસલામતીથી બહાર નીકળવાની વાત કરી છે.

નિત્શે માટે સત્યની શોધ કોઇ પુસ્તક કે વૈજ્ઞાનીક પ્રક્રીયા કે સંશોધનો પર આધારીત ન હતી.સત્ય એક ખતરનાક ચીજ છે.. કેમ? નિત્શેનું તારણ હતું કે સત્ય હંમેશાં જુઠઠાણાનો પર્દાફાશ કરે છે. જેને આપણે સદીઓથી સત્ય તરીકે સ્વીકારી લઇને તેને આધારે જીવન જીવ્યા છે.જુના પરંપરાગત સત્યો અને તેના આધારે અસ્તિત્વમાં આવેલ નૈતીક વ્યવહારો અને સંસ્કૃતિઓમાંથી મુક્ત થવું સરળ નથી.જુની જીવન વ્યવસ્થામાંથી બહાર નીકળવું તે આપણને તમામ રીતે તુફાનમાં ફંગોળી દેવા જેવી સ્થિતિ પેદા કરે છે. આ ઉપરાંત નવી હવા એવી નથી કે જેમાં રસ્તાઓ હાથવગા હોય! ઇચ્છો અને મલી જાય.તમારા સત્યોના સર્જક પણ તમારે જ બનવું પડે!અને તેના આધારે તમારા પગ પૃથ્વી પર બરાબર સ્થિર કરીને જ પગલાં માંડવા પડે.

નિત્શેના ચિંતનમાં સત્યની ખોજ એક સાહસિક વ્યક્તિગત અને રચનાત્મક પ્રક્રીયા છે.તેના વિચારો ચિંતનની ગહેરાઇ ઉપરાંત રોચક અને રહસ્યમય છે.તે આપણને પ્રશ્ન પુછવા,વિચારવા અને નવી રીતે જીવન જીવવાનો માર્ગ શીખવાડે છે.નિત્શેના ચિંતનનો  નીચોડ." ઇશ્વર મરી ગયો છે." નિત્શેનું આ વાક્યમાં રહેલું સત્ય જ ચોંકાવનારુ છે. નિત્શેના આ વાક્યને ફક્ત ધર્મ સાથે સંબંધ નથી. ઇશ્વર પર આધારીત આપણી તમામ પરંપરાઓ, માન્યતાઓ,નૈતીકતાઓ વિગેરે સંપુર્ણ અર્થહીન થઇ ગઇ છે. આ તમામ માન્યતાઓ સદીઓથી સત્યનો આધાર હતી.પરંતુ આધુનિક યુગમાં વિજ્ઞાન અને તર્કે તે બધાને ખોખલા કે નિષ્પ્રાણ બનાવી દીધા. નિત્શે એક સરસ દાખલો આપીને પોતાની વાત રજુ કરે છે.

   એક પુરાની બિલ્ડીંગની પાયાની ઇંટોને લુણો લાગ્યો છે.હવે આ ઇમારત તેના પાયામાં લુણો લાગેલ ઇંટો પર ઉભી રહી શકે તેમ નથી. ગમે ત્યારે આખી ઇમારત જમીનદોસ્ત થઇ જવાની શક્યતા ધરાવે છે. આ સ્થિતિ પેલા રહેનારમાં ભય,બીક અને અસલામતી પેદા કરનારી છે. સાથે સાથે તે બધાને વિચાર કરવાની તક પુરી પાડે છે કે ઇમારત પડે તે પહેલાં સલામત રીતે બહાર નીકળી જાવ અને તે જ સ્થળ પર નવી ઇમારત પણ બનાવી શકો. સત્યની ખોજને આધારે તમારે નિર્ણય કરવો છે કેમ? સત્યના શોધક જ તમે છો. પેલો ઇશ્વર તો ક્યારનો મરી ગયો છે. " તું તારા દિલનો દીવો બની શકે તેમ છે?" નહીં તો પછી અંધારામાં જીવવાનું પસંદ કર!

સત્ય કોઇ ફક્ત એકલું અટલું કે નિરપેક્ષ નથી.સત્ય ને હંમેશાં સંદર્ભ હોય છે. તે તેની સાથે એક યા બીજા સ્વરપે અન્ય સાથે જોડાયેલું સાપેક્ષ હોય છે."સત્ય કઇ રંગોમાંથી બનેલું મેઘધનુષ્ય છે." સત્યની ખોજમાં આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી તેનું મુલ્યાંકન કરવું પડશે. સત્યની નિરપેક્ષતા આપણને ગેરમાર્ગે દોરનારી પણ સાબિત થાય! સત્યનું મુલ્યાંકન કરવાના આપણા અભિગમને વધુ મજબુત અને રચનાત્મક બનાવવો પડશે.સત્યને કોઇ એક કેન્વાસ પર તૈયાર કરેલ ચિત્રને માફક જુદાજુદા ખુણેથી કે બાજુ થી જોવાની સર્વાંગી ટેવ પાડવી પડશે.નિત્શેનો સત્યની વિભાવનાનો પ્રેરણાદાયક ખ્યાલ કાંઇક આવો છે. " સત્યની ખોજનો કોઇ અંતિમ પડાવ હોય તો તે માનવી છે. જેણે પુરાણી પરંપરાઓ, નૈતીકતતાઓ અને ધર્મને ફગાવી દઇને તેણે પોતાનું જ સત્ય બનાવી દીધું.!તે કોઇ દૈવી પુરુષ કે સુપરમેન નથી પણ મારા તમારા જેવો કાળામાથાનો માનવી જ છે જેણે પોતાના તનમનથી રચનાત્મક સાહસ ખેડીને જીંદગી જિવવાનો એક તદ્દ્ન નવોજ અર્થ શોધી કાઢયો! નિત્શે કહે છે કે આપણા સત્યો,મુલ્યો વિ.નું સર્જન આપણે જ કરવું પડશે.માનવી પોતાના સ્વપ્રયત્નોથી, તેનામાં એવી તાકાતનું સર્જન કરાવે છે કે તે પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ બને!.તેનાથી માનવીને નવા મુલ્યો આધારીત જીવન જીવવાની દરેક ઘડીએ અનંત પ્રેરણા મળ્યા જ કરે! નિત્શેનો દાવો હતો કે "ઇસાઇ ધર્મ સર્જીત નૈતીકતાએ ગુલામ નૈતીકતા છે." તેનું સર્જન નબળા લોકોનું સર્જન હતું. જે શક્તિશાળી લોકોને કાબુમાં રાખવા માંગતી હતી. ઇસાઇ ધર્મે સર્જેલા તમામ બંધનોને આપણે તોડવા પડશે.આપણે માસ્ટર નૈતીકતા( મોરાલીટી)નું સર્જન કરવું પડશે. જે માનવીનું સશક્તિકરણ કરે અને કરાવે.શું આપણી નૈતીકતા આપણને સ્વતંત્ર બનાવે છે કે ગુલામ?

   નીત્શેનું દર્શન આજે પણ એટલું જ રચનાત્મક, રોમાંચક અને પ્રગતિશીલ છે. નિત્શેનો ઇશ્વર તો ક્યારનો મરી ગયેલો છે એ હકીકત આજે પણ એકસો ટકા સાચી લાગે છે. ઇશ્વરના મરી જવા પછી પેદા થયેલા ખાલીપણાને માનવીને મળેલી સોનેરી તક સમજીને તેનો બરાબર ઉપયોગ કરી લેવાની જરુર છે. સત્યની ખોજ હવે માનવીને અધિકારપુર્વક મળેલ તક છે.આજની નવી પેઢી તેની પોતાની સ્વઓળખ, નવા સ્વપ્ન, નવી સ્વતંત્રતાની શોધમાં છે. નિત્શેનો આખરી સંદેશો એ છે કે તમારી જુની પરંપરોને તોડો અને તમારી જીંદગીને તમારા સ્વપ્રયત્નોથી બનાવો. તમે તમારા સ્વપ્નના સર્જક બનો.તેના મત પ્રમાણે સત્યની શોધ મુડીવાદી સમાજના ઉપભોક્તાવાદી ગ્રાહક બનવા માટે બિલકુલ જરુરી નથી. નિત્શેના સત્યની વિભાવના સતત વિકાસ પામતી પણ ક્ષિતિજ વિહોણી છે. અસીમ અને અંતહીન છે. આજના યુગમાં જ્યારે હું અને તમે અર્થ(હેતુ),આઝાદી અને સ્વપરિચયની તલાશમાં છીએ ત્યારે નિત્શેનું દર્શન આપણને એક નવો માર્ગ સુચવે છે.

કાર્લ માર્કસ– ભાગ–૩ હવે પછી.

--

Thursday, August 21, 2025

આજ નો લેખ ચાર્વાકના વિચારોને સમર્પિત–ભાગ–૧.


ચાર્વાક, નિત્શે અને કાર્લ માર્કસના નિરઇશ્વરવાદી અને ભૌતીકવાદી વિચારો.

આજ નો લેખ ચાર્વાકના વિચારોને સમર્પિત–ભાગ–૧.

ત્રણેય દાર્શનીકોએ પોતાની રીતે માનવીય જીવનનું અંતિમ ધ્યેય શું હોઇ શકે તેની ચર્ચા અત્રે કરેલ છે. દરેકનો જીવન કાળ જુદો જુદો હતો. તેમ છતાં ત્રણેયના તારણો ભૌતિકવાદી અને વાસ્તવિક સુખવાદી ટુંકમાં ઐહીક સ્પષ્ટ હતા.ત્રણેય દાર્શનીકોએ જે તે સમાજમાં ચીલાચાલુ પરંપરાઓ,તપાસ્યા વિનાની માન્યતાઓ સામે પોતાના સંશોધન મુજબ સત્યના ખ્યાલને સમજાવવા કોશીષ કરી. તેમના વિચાર પ્રમાણે સત્યની ખોજ સાહસીક, ગહન અને વર્તમાન વ્યવસ્થા સામે વિદ્રોહ તરીકે રજુ કરી. ત્રણેય દાર્શનીકોના આ નીજી પ્રયત્નોએ જે તે યુગમાં ચીલાચાલુ માન્યતાઓ સામે માનવ સહજ શંકાઓ પેદા કરી. બને તેટલા ટુંકાણમાં ત્રણેય દાર્શનીકોના વિચારોને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે.    

ચાર્વાક–વૈદીક સમયમાં જાણે એક યુવાન જ્યાં વૈદીક તત્વજ્ઞાન પર સંવાદ ચાલતો હોય ત્યાં એકાએક ઉતરી આવે છે. મારી વાત તો સાંભળો! " સત્યની વિભાવના તો એ છે કે જેને તમે જોઇ શકો, ઇન્દ્રીયોથી અનુભવી શકો,જેને આધારે " હું અને તમે આનંદમય જીંદગી જીવી શકો!" સદર ખ્યાલ ચાર્વાક દર્શનનો પાયો છે.તે જમાનામાં ચાર્વાકે પોતાની દલીલો તથા તેના આધારીત પુરાવા એકત્ર કરીને તમામ વૈદીક દર્શનોની અપ્રસતુતા સાબિત કરી દીધી હતી. ચાર્વાક ઇશ્વરના અસ્તીત્વ પર શંકા ઉઠાવે છે. અને પોતાના તારણ ને જાહેર કરે છે કે " દુન્યવી સુખ જ જીંદગીનો આખરી મંત્ર છે." ચાર્વાકનું ચિંતન ફક્ત તર્ક, સાહસ અને સુખની ખોજની મથામણમાંથી સર્જન થયું હતું. ચાર્વાકની જીવન કથા રોચક, જ્ઞાનવર્ધક અને રહસ્યમય છે.

ચાર્વાકે વેદકાળમાં લોકો યજ્ઞ–હવનમાં પોતાની બચત અને સમય વેડફી દેતા હતા તે સમયે ચાર્વાકના વિચારોએ એક બોમ્બ ફોડયો. કેવો બોમ્બ ફોડયો– તેણે જાહેર કર્યું કે વેદ,કર્મકાંડ અને પરલોકનો ખ્યાલ એ બધી પુરોહિતોની ચાલબાજી છે. સાચું સત્ય તો તમારી આંખો કે નજર કે સામને જે દેખાય છે તે જ સત્ય છે.તે જમાનામાં આ બધા ચાર્વાકના વિચારો એટલા બધા ક્રાંતીકારી હતા કે, તે સાંભળીને સ્થાપિત હિતો હેરાન થઇ જતા હતા.અથવા તો આ બધું ચાર્વાકનું દર્શન એક પાગલપણ છે તેવું મનાવવા સખત પ્રયત્નો કરતા હતા.ચાર્વાકના આ બધા વિચારો આજે પણ સત્યને શોધવા માટે ગુરુ કે કોઇ ધર્મપુસ્તકની જરુર નથી.ફ્કત તમારે તમારી આંખો, કાન જેવી પાંચ ઇન્દ્રીયોનો ઉપયોગ કરીને દિમાગથી તર્કબધ્ધ રીતે વિચાર કરવાની જરુર છે.આ વિચારો આપણને નવા દ્ર્ષ્ટીકોણથી વિચારવા મજબુર કરે છે.

ચાર્વાક દર્શનનો પહેલો સિધ્ધાંત છે પ્રત્યક્ષવાદ. સત્ય એ છે જેને તમે જોઇ શકો છો. સ્પર્શ કરી શકો છો. તેનો આધાર ટુંકમાં ભૌતીક વાસ્તવિકતા તેનો પાયો ( Physical Reality) છે. સ્વર્ગ,નર્ક, ભુતપ્રેત, મૃત્યુ પછી જીવનનો ખ્યાલ વિ. તમામ માન્યતાઓનો ભૌતીક આધાર નહી હોવાથી, જેમ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રયોગ કરી સાબિત ન થાય તે બધું વ્યર્થ તેવો જ અભિગમ ચાર્વાકનો તે જમાનામાં હતો. જેનો પ્રત્યક્ષ પુરાવો ન મળે તે બધું અસત્ય કે ખોટું. ચાર્વાક ચિંતન આજે પણ આપણને બોધ આપે છે કે હું અને તમે આપણી ઇન્દ્રીયો પર વિશ્વાસ રાખીએ. સાંભળી– કથા કથિત વાતો પર નહી.

ચાર્વાક દર્શનનો બીજો અગત્યનો મુદ્દો છે "ભૌતીકવાદ".આ પૃથ્વી ચાર તત્વોની બનેલી છે. પૃથ્વી,પાણી,અગ્નિ અને વાયુ.પણ આત્મા,ઇશ્વર,પરલોક વિ. ને ચાર્વાક હવામાં ફેલાયેલી કપોળકલ્પિત વાતોથી વધારે મહત્વ આપતા ન હતા.માનવીય ચેતના એ પણ આ બધા તત્વોની મદદથી બનેલ મઝેદાર મિશ્રણ છે.જ્યારે આ દેહ, શરીર નાશ પામે છે તેની સાથે જ શરીરમાં રહેલી ચેતના પણ નાશ પામે છે.વર્તમાન ન્યુરોવિજ્ઞાન પણ સમજાવે છે કે માનવીય સોચ,ભાવના અને સ્વપ્ન બધા જ મસ્તિષ્કની રાસાયણીક પ્રક્રીયાનું પરિણામ છે.ચાર્વાકનો આ ભૌતીકવાદી દ્રષ્ટીકોણ, આપણને સવાલ કરવા મજબુર કરે છે કે જો આત્માનું અસ્તિત્વ નથી,પરલોક નથી, તો મારી વર્તમાન જીંદગીનો હેતુ શું આ જીવતી ક્ષણ કે પળથી વિશેષ કાંઇ નથી? સદર ચાર્વાકની વિચારસરણી મને અને તમને જીંદગી પુરી તરહ આનંદ,સુખ ને ચમનથી જીવન જીવવા પ્રેરણા આપે છે.

ચાર્વાક દર્શનનો ત્રીજો સિધ્ધાંત છે " નાસ્તિકતા". આ સિધ્ધાંત ઇશ્વરના અસ્તિત્વની મશ્કરી કરતાં કહે છે " ઇશ્વર એ કઇ બલાનું નામ છે." દુનિયાનું સંચાલન સ્વયં છે. તે કોઇ ઇશ્વર જેવા બાહ્ય પરિબળથી લેશમાત્ર સંચાલિત નથી. માટે ઇશ્વરની ખરેખર જરુર જ નથી. એટલું જ નહી પણ ઇશ્વરમાં શ્રધ્ધા નહી અંધશ્રધ્ધા તે પણ એક કપોળકલ્પિત છે.ચાર્વાકે પોતાનું આ તત્વજ્ઞાન તેવા સમયે ફેલાવવાનો પ્રયત્ન કરેલો જ્યારે દેશ અને દુનીયાની પ્રજાને અબાધિત વિશ્ચાસ (અબાધિત અંધશ્રધ્ધા હતી કે) હતો કે મનુષ્યના જીવનની દરેક ઘટના કે બનાવ તે ઇશ્વરી ઇચ્છાનું જ પરિણામ છે.ચાર્વાકે હિંમતથી કહી દિધું હતું કે સુખ,દુ:ખ,અતિવરસાદ,દુકાળ આ બધી ઘટનાઓ  ઇશ્વરી સંચાલનના પરિણામો બિલકુલ નથી.તે બધી ઘટનાઓ કુદરતી નિયમબધ્ધતાનું પરિણામ છે. આજના યુગમાં ખુબજ ઝડપથી ખાસ કરીને પશ્ચીમી વિશ્વના લોકો નાસ્તિકતા અને જ્ઞાનપ્રાપ્ત કરવાના સાધન તરીકે તર્ક આધારીત કારણની સર્વોપરિતામાં વિશ્વાસ ધરાવતા થતા જાય છે ત્યારે ચાર્વાકનો સદર વિચાર " નાસ્તિકતા" આપણને એક સવાલ પુછવા મજબુર કરે છે. શું ખરેખર ઇશ્વર ની જરુરત છે? શેના માટે? ખરેખર ઇશ્વરના અસ્તિત્વનો ઇન્કાર આપણને માનવી તરીકે "આપણે જ આપણા ભાગ્યના સર્જનહાર છે તેવો દ્રઢ આત્મવિશ્વાસ પેદા કરે છે." ચાર્વાક માનવી ને કહે છે ભાઇ! તું જ તારો ભગવાન છું. તું જ તારો તારણહાર છું. તારી જિંદગી તું તારી ઇચ્છા મુજબ મોજમઝાથી પસાર કર.

ચાર્વાક દર્શનનો ચોથો સિધ્ધાંત છે " સુખવાદ". "જીવન જીવવવાનો ધ્યેય "સુખવાદ" છે. જીંદગી જીવવાનો હેતુ એક માત્ર સુખથી જીવન જીવવાનો છે. " અચ્છા ખાઓ, મસ્ત રહો, દુ:ખ સે દુર ભાગો." આ વાક્યનો અર્થ એવો ન સમજે કે ચાર્વાક જીવનમાં અનિયંત્રિત, અકરાંતીયુ ને બેલગામ ભોગવાદી જીવનની તરફેણ પોતાની વિચારસરણીમાં કરે છે. જીવનમાં એવા સુખની પસંદગી કરો કે જેમાંથી ભવિષ્યમાં દુ:ખ પેદા ન થાય.આ એક માત્ર જીંદગી આપણને સુખથી જીવવા મળી છે. સુખથી જીવવાનો પ્રયત્ન કરતાં તે આપણને સ્વતંત્રતા, મુક્તિ અને આઝાદી પ્રાપ્ત કરવાના માર્ગ તરફ જાગૃત કે અજાગૃત તરફ લઇ જાય છે. માનવીને જ્ઞાન આધારીત સુખ શોધવાનો માર્ગ તેને દૈવી અને દુન્યવી જે પરિબળો તેમાં આડે આવે છે, આડખીલી રુપ અવરોધ કરે છે તેમાંથી અન્ય માનવીઓનો સહકાર લઇને ક્રમશ આગળ વધતો જાય છે.

ચાર્વાકે વેદો અને કર્મકાંડોને ખુલ્લેઆમ પડકાર આપ્યો.ચાર્વાકની તર્કબધ્ધ દલીલ હતી કે આ હવન,તંત્ર, મંત્ર, વિ.તો પુરોહિતોની દુકાનદારી છે. તેમનો ધંધો છે. ફક્ત આજીવીકાના સાધન સિવાય બીજું કાંઇ નથી.કલ્પના કરો! એક પુરોહિત યજ્ઞ કરી રહ્યા છે.આ યજ્ઞ કરવાથી હવે તમારુ સ્વર્ગ જવાનું લાયસન્સ પાકું થઇ ગયું.બાજુમાં ઉભો રહેલો ચાર્વાક પેલા પુરોહિત ને પ્રથમ પુછશે કે ભાઇ! સ્વર્ગની ટીકીટ તો બતાવ! આજે આપણા દેશમાં વર્તમાન ધર્માંધ હિંદુત્વવાદી કેન્દ્ર અને રાજ્ય સરકારોની બોલબાલામાં અંધવિશ્વાસ ફેલાવનારા અને બાબાઓના ચક્કરમાં આશરે ૩૫૦૦ વર્ષ પછી ચાર્વાક શિખવાડે છે કે હૈ! મારા દેશબંધુઓ! તમે આટલું તો શીખો! જે માન્યતાઓ, તમામ જાતની શ્રધ્ધાઓ તર્કની કસોટી પર ખરી ન ઉતરે તેને કાયમ માટે ટાટા–બાય–બાય કરી દો! તર્ક આધારીત સત્યની ખુબી અને મઝા એ છે કે તે ધારણ કરનારને રાજ્યસત્તા અને ધાર્મીક અસત્યોના આધાર પર ટકી રહેલી ધર્મ સત્તા સામે સંઘર્ષ કરવાની હિંમત પુરી પાડે છે.ચાર્વાકનો સંશયવાદી દ્ર્ષ્ટીકોણ શીખવાડે છે કે પ્રથમવાર કાને જે સાંભળે તેના પર વિશ્વાસ ન કરશો. તે હકીકતને બરાબર તપાસો, તેના વિષે માહિતિ એકત્ર કરો. આજના સોસીઅલ મીડીયા અને ફેક ન્યુઝના જમાનામાં ચાર્વાક આપણને શીખવાડે છે કે આ બધા માધ્યમો દ્રારા જે માહીતિ મળે તેના વિષે શંકાશીલ બનીને પ્રશ્ન ઉઠાવો. ચાર્વાકનો ભૌતીકવાદ અને પ્રત્યક્ષવાદ આજના વૈજ્ઞાનીક તારણોનું જોડાણ સદીઓ પછી સીધા આધુનીક વીજ્ઞાન સાથે જોડે છે. સત્ય એ છે જે તમે ઇન્દ્રીય અનુભવોને આધારે પારખી શકો છો. ભારતીય ચાર્વાક દર્શન એ છે જે ચાર વેદ આધારીતે સત્યોને પુરાવા વિહિન આધારોને કારણે ફગાવી દે છે અને ઇશ્વરના અસ્તિત્વ પર શંકા ઉઠાવે છે.સુખને જીંદગી જીવવાના એક માત્ર પ્રેરક પરિબળ તરીકે સ્વીકારે છે.

 જર્મન વિચારક નિત્શેના વિચારો ભાગ–૨ હવે પછી.

--

Tuesday, August 12, 2025

Prof Raojibhai Patel’s book on Critical Evaluation of Gandhism

Prof Raojibhai Patel's book on Critical Evaluation of Gandhism Published on July 13th.25.

Part 1: The Modern World vs. Gandhism

Gandhiji's life, ideals, and the experiments based on them are easy to understand. However, Gandhism seems to have completely ignored the progress that humanity has made since the 15th century, starting with the Renaissance and the Age of Enlightenment, and continuing up to 1920 (the year Gandhiji became active in the Indian independence movement).

Gandhiji also wisely overlooked the achievements that humanity made over these five centuries. Instead of worshipping nature, people began solving problems with a human-centered, rational, and scientific approach, excluding God, religion, and their agents.

The French Revolution was a rebellion against social systems based on monarchy, theocracy, and feudalism. As Rousseau, the ideological force behind the revolution, famously said, "Man is born free, but everywhere he is in chains." Centered on human values like freedom, equality, and fraternity, the revolution created parliamentary democracy, the supremacy of citizens (not social groups or castes), and a market economy. It built a modern culture and institutions based on human-centered values, in contrast to the ten-thousand-year-old agricultural culture.

  • In 1781, America adopted a constitution and passed the Bill of Rights, which established a complete separation of church and state.
  • In 1861, President Lincoln, guided by the value that "all men are created equal," fought the Civil War to abolish slavery and grant constitutional rights to all African American citizens, paying the ultimate price with his life.

This period was also marked by great scientific and philosophical leaps:

  • Galileo Galilei (1564–1642), a French astronomer, is considered the father of modern astronomy.
  • Nicolaus Copernicus (1473–1543), a Polish astronomer, formulated a model of the universe with the Sun at its center.
  • Giordano Bruno (1548–1600) was burned at the stake for his ideas that challenged biblical doctrine.
  • Sir Isaac Newton (1643–1727), a British physicist and astronomer, was a cornerstone of the Age of Enlightenment and the father of the scientific revolution. He was a lifelong supporter of the British Royal Society.
  • Edward Jenner (1749–1823), an English physician, discovered the world's first vaccine for smallpox.
  • René Descartes (1596–1650), a French philosopher, scientist, and mathematician, is considered the founder of modern philosophy. He famously stated, "I think, therefore I am."
  • John Locke (1632–1704) and David Hume (1711–1776) were philosophers who concluded that knowledge is solely the result of sensory experience. They argued that the brain's thinking power and decisions are a result of sensory messages and that the mind ceases to function when the senses die.
  • Immanuel Kant (1724–1804), a German philosopher, proved in his book Critique of Pure Reason that truth based on 'rational reason' is a combination of both sensory experience and the mind's ability to find the cause of everything. According to Kant, the true identity of any object is based on human rational reason, not on how the human mind perceives it.
  • Charles Darwin (1809–1882) wrote On the Origin of Species in 1848, and the materialist philosopher Karl Marx (1818–1883) published The Communist Manifesto in the same year. Their research discovered the laws of biological and social change, effectively supplanting the concept of God and making humanity the new creator of nature and social management.

Based on the knowledge that the Earth is round, Christopher Columbus (1451–1506) of Genoa, Italy, sailed west in 1492 in search of India, discovering the Caribbean and America instead. Vasco da Gama (1460–1524), a Portuguese explorer, sailed around Africa to reach India, where he eventually died in the city of Kochi.

How could Gandhiji have overlooked the fact that from the 16th century to 1920, European countries, including England, were engaged in economic enrichment by capturing and enslaving countries and islands around the world? By 1920, the British Union Jack was flying over more than 33% of the globe.

After World War I (1914–1920), the British rulers decided to facilitate local industrialists in colonies like India to establish modern industrial companies to produce goods that would be useful in the war. Immediately after 1920, industrial policy decisions were made to create a framework for India to become a modern industrial country. Britain was interested in Ahmedabad becoming the "Manchester of India" so that it would no longer need to import fabrics from its own country or Japan. However, Gandhi's Sabarmati Ashram and his principle of trusteeship did not allow mill owners in Ahmedabad to establish their own mills or give workers a stake in the management. Adam Smith, the father of capitalism, had already established that the creation of capital is the result of accumulated labor.


Part 2: Gandhiji's Hind Swaraj

The following excerpts are from Gandhiji's Gujarati book Hind Swaraj, written in 1908 on a steamer from England to South Africa. They offer a strong critique of the Western world and its "modernity."

  1. Gandhiji refused requests to change the content, stating: "This book strongly criticizes modern reforms... My convictions expressed in it are stronger today than ever... I have not found any reason to change the ideas expressed in this book... If India renounces 'modern reforms,' then it will benefit only her..." He adds that he regrets that "non-violence" is not practiced as passionately as it is described.
  2. He describes the British Parliament as "barren" and a "whore" because it "has not done a single good thing on its own" and "lives with the cabinet that appoints it."
  3. He claims that if India imitates England, it will be ruined, and that "Europe Improvement is a bad thing."
  4. He calls modernity a "disease," arguing that physical happiness is not a sign of improvement. He contrasts old and new ways of life, such as using steam engines for farming instead of manual labor, and questions if the increased number of books and factories is an improvement.
  5. He believes that modernity has enslaved people with the lure of money and pleasure, creating new pains that doctors then try to cure. He calls this a "bad-reform" that has spread in Europe, making people "half-mad."
  6. He states that Hinduism refers to such reforms as the "Kali Yuga."
  7. He compares modernity to "mice that eat away at the skin," arguing that traditional superstitions are preferable.
  8. He blames railways, lawyers, and doctors for making India poor and says that railways spread arrogance and make people forget God.
  9. He accuses lawyers of enslaving India and strengthening British rule by teaching "immorality."
  10. He claims that hospitals are the "roots of sin" and that teaching Western medicine is a way of strengthening slavery.
  11. He distinguishes between Indian and Western reform, stating that Indian reform strengthens morality with God's blessings, while Western reform strengthens immorality without God.
  12. Despite his strong criticisms, he states that his ultimate aim is "to achieve parliamentary-style Swaraj as desired by the people of India."

Part 3: An Evaluation of Gandhism by Prof. Raojibhai Patel

In this section, we will evaluate the book Gandhism, published by us on behalf of Prof. Raojibhai Patel, using a scientific method. The first two parts of this article serve as a foundation for understanding the logical arguments presented by Prof. Raojibhai.

  1. Part 1: We discussed the contributions of thinkers, scientists, and revolutionaries from the 14th and 15th centuries who cultivated a human-centric approach to understanding the physical reality of nature and its laws. This led to the creation of a modern society based on human-centered values, replacing a God-centric system.
  2. Part 2: We presented Gandhiji's critique of this "modernity" as a "disease," and his views on railways, lawyers, and doctors as the cause of India's impoverishment.

In his book, Gandhism – An Evaluation of the Method of Knowledge, Prof. Raojibhai Patel systematically evaluates Gandhian thought using a scientific approach. He discusses key issues, such as:

  • The nature of "Gandhian truth," and whether truth is absolute or relative.
  • The difference between subjective truth and evidence-based truth.
  • How to verify truth received from intuition or an "inner voice."
  • The conflict between truth created by birth and karma versus truth discovered through the biological struggle of evolution.
  • The concepts of national unity for religious equality, mysticism, revelation, the caste system, and the "disembodied soul."

Prof. Raojibhai provides a systematic answer to each of these points. He also discusses his intellectual disagreements and agreements with other thinkers, such as Mohit Sen, Prof. Diwakar, A. B. Shah, Partha N. Mukherjee, and Prof. Pantham Thomas. He ultimately presents his own thesis based on the knowledge, science, and modern trends of the 20th and 21st centuries.

The intellectual discussion of Gandhian thought and its implementation is ongoing worldwide, and Prof. Raojibhai's work provides a crucial evaluation based on logic, science, and modern trends.

To obtain a copy of the book, please contact Girishbhai Sundhiya at 94266 63821.

 


--

Thursday, August 7, 2025

Shawn's Birthday Photo

My Grand son's Shawn birthday photo with Bipin Dada & Jyotiba on his 25th Birth Anniversary that is on 6th of August. He will be awarded a Master degree in Mechanical Engineering on 9th August-25 from North Carolina university.

--

Tuesday, August 5, 2025

ગાંધીજીનું જીવન, આદર્શો, તેના આધારીત ત્ેમના પ્રયોગોને સમજવા સરળ છે......

ગાંધીજીના જીવન,આદર્શો, તેના આધારીત પ્રયોગોને સમજવા સરળ છે.

 પણ માનવજાતે(ફક્ત પશ્ચીમી દેશોએ જ નહી)પંદરમી સદીથી જે નવજાગૃતિ, પુનરુજ્જીવન( Renaissance) અને ત્યારબાદ જ્ઞાન પ્રબોધન યુગ( Age of enlightenment)થી સને ૧૯૨૦(ગાંધીજીના ભારતની આઝાદીના ચળવળમાં પ્રવેશ વર્ષ)સુધી જે પ્રગતી સાધી છે તેનો ગાંધીવાદે વર્તન, વિચાર અને અમલમાં સંપુર્ણ નજર અંદાજ કરેલ છે. એટલું જ નહી પણ માનવજાતના ઇશ્વર અને ધર્મને તેના તમામ પ્રકારના એજંટોની બાદબાકી કરીને જે માનવ કેન્દ્રીત તત્વજ્ઞાનીય,રેશનલ અને વૈજ્ઞાનીક અભિગમની મદદથી કુદરતને ભજવાને બદલે તમામ માનવ સમસ્યાઓના ઉકેલોની છેલ્લા પાંચસો વર્ષો જે સિધ્ધીઓ મેળવી છે તેની ગાંધીજીએ સમજપુર્વકની બાદબાકી કરેલ છે.

ફ્રાંસની ક્રાંતિએ જે સદીઓથી ઇશ્વર અને તેના પ્રતિનિધિઓ તરીકે રાજાશાહી, ધર્મશાહી અને સામંતશાહી આધારીત સમાજ વ્યવસ્થા સામે બળવો કર્યો. "Man is born free, but everywhere he is in chains" ફ્રાંસની લોકક્રાંતિના વૈચારીક ચાલકબળ રુસોનું આ વાક્ય છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા માનવમુલ્યોને કેન્દ્રમાં રાખીને સંસદીય લોકશાહી, નાગરીકની સર્વોપરિતા( કોઇપણ સામાજીક સમુહની નહી,દા.ત વર્ણવ્યવસ્થા પણ નહી),બજાર અને વિનિમય આધારીત બજાર અર્થવ્યવસ્થાની(Market Economy) રચના કરી.દસ હજાર વર્ષોની કૃષિસંસ્કૃતીની સામે આધુનિક સર્વાંગી માનવકેન્દ્રીત મુલ્યો આધારીત સંસ્કૃતી અને સંસ્થાઓનું સર્જન કર્યુ. ૧૭૮૧માં અમેરીકાએ સ્વતંત્રદેશ તરીકે બંધારણ બનાવીને બીલ ઓફ રાઇટસમાં પહેલો સુધારો કર્યો કે હવેથી રાજ્ય અને ધર્મ વચ્ચે સંપુર્ણ વિયોજન રહેશે.સને ૧૮૬૧માં અમેરીકાના પ્રમુખ લિંકને 'માનવ માત્ર સમાન છે'( All men are equal) તે મુલ્યને ધ્યાનમાં રાખીને સદીઓથી ચાલુ ગુલામીને નાબુદ કરીને તમામ અમેરીકન આફ્રીકન નાગરીકોને દેશના તમામ બંધારણીય હક્કો લડત લડીને(Civil War) અપાવ્યા અને તેની કિંમત પણ પોતાના બલિદાનથી ચુકવી.

ખગોળ વિજ્ઞાનીઓ ગેલેલીયો–ફ્રાંસ ( ૧૫૬૪–૧૬૪૨), આધુનીક ખગોળવિધ્યાનો જનેતા, નિકોલસ કોપરનીકસ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે,સાબિત કરનાર –પોલેંડ,(૧૪૭૩–૧૫૪૩), જીઓરાંદો બ્રુનો જેને બાયબલ વિરુધ્ધ વિચારો માટે રોમ વેટીકને જીવતો સળગાવી દીધો હતો(૧૫૪૮–૧૬૦૦),સર આઝેક ન્યુટન બ્રીટીશ ભૌતીકશાસ્રી અને ખગોળ વિજ્ઞાની, વૈશ્વીક વૈજ્ઞાનીક ક્રાંતીનો પિતાજનક,અને જ્ઞાનપ્રબોધનયુગની પાયાની ઇંટ,બ્રીટીશ રોયલ સોસાયટીનો જીવનભરનો સતત ઉદ્દીપક,(૧૬૪૩–૧૭૨૭), શીતળાની રસી શોધનાર એડવર્ડ જેનર(૧૭૪૯–૧૮૨૩)ઇંગ્લીશ ચીકિત્સક,પ્રથમ વિશ્વ વેકસીન શોધક,માઇકલ ફેરાડે, (૧૭૯૧–૧૮૬૭) ઇગ્લેંડ,ભૌતીકશાસ્રી,આધ્યસ્થાપક, ઇલે–મોટર, જનરેટર,અને ટ્રાન્સફર્મર વિ. નો શોધક, થોમસ આલ્વા એડીસન (૧૮૪૭–૧૯૩૧)ઓહાયો, યુએસએ,લાઇટના બલ્બનો શોધક ઉપરાંત ફોનોગ્રાફ અને આધુનિક ચલચિત્રનો જનેતા, રેને દેકાર્તે,ફ્રાંસ, આધુનિક તત્વજ્ઞાનનો પિતામહ,વૈજ્ઞાનીક, ગણિત વૈજ્ઞાનીક( ૧૫૯૬–૧૬૫૦)અસ્તિત્વવાદી," હું વિચારુ છું માટે જ મારુ અસ્તીત્વ છે." પણ મારું અસ્તિત્વ એ માયા કે ભ્રમ નથી,જ્હોન લોક( ૧૬૩૨–૧૭૦૪) અંગ્રેજ અને ડેવીડ હ્યુમ(૧૭૧૧–૧૭૭૬) સ્કોટલેંડ બંને એવા તત્વજ્ઞાનીઓ હતા જેમનું તારણ હતું કે  જ્ઞાન ફક્ત ઇન્દ્રીયજન્ય અનુભવનું જ પરિણામ છે.મગજની વિચારશક્તિનું અસ્તિત્વ અને નિર્ણયો ઇન્દ્રીયો દ્રારા મળેલા સંદેશાઓનું ફક્ત પરિણામ છે.ગાંધીબાપુની અંતસ્ફુરણાથી કદાપી નહી, જે ક્ષણે ઇન્દ્રીયો મૃત પામે છે પછી માનવ બ્રેઇન અને મન પણ કામકરતું બંધ થઇ જાય છે. જર્મન તત્વજ્ઞાની ઇમેન્યુઅલ કાંટે( ૧૭૨૪–૧૮૦૪) પોતાના પુસ્તક " Critique of Pure Reason " માં સાબિત કર્યું કે  'તર્કવિવેકશક્તિ' આધારીત સત્ય તે ઇન્દ્રીયજન્ય અનુભવ અને મનની કારણ શોધવાની પ્રક્રીયા ( Laws of Causation or Everything has cause) બંનેના સંયુક્ત અને સંયોજનનું પરિણામ છે. દરેક વસ્તુ, પદાર્થની સાચી ઓળખ માનવની તર્કવિવેક શક્તિના અનુમાન પર ચોક્ક્સ આધારીત છે.તે સત્ય શોધવાનો સાચો માર્ગ છે.  વસ્તુ કે પદાર્થને માનવ મન કેટલું ગ્રહણ કરે છે તેના પર અવલંબિત નથી.

માનવીય પ્રયત્નોથી જ્ઞાન–વિજ્ઞાનની શોધોમાં બંને સમકાલીન એક ઉત્કાંતિવાદી ચાર્લસ ડાર્વીન( ૧૮૦૯– ૧૮૮૨)Origin of Speciesપુસ્તક સને ૧૮૪૮માં લખીને અને બીજા ભૌતીકવાદી તત્વજ્ઞાની કાર્લ માર્કસે(૧૮૧૮–૧૮૮૩)The Communist Manifesto સને ૧૮૪૮માં બહાર પાડીને, પોતાના સંશોધનોની મદદથી જૈવીક અને સામાજીક સંચાલન અને પરિવર્તનના નિયમો શોધી કાઢીને પૃથ્વી પરથી કાયમ માટે ઇશ્વરને તેના ખ્યાલ સહિત 'બેગ્સ એન્ડ બેગીઝીસ' સાથે કબરમાં દાટી દીધા. માનવીને જ કુદરત અને સમાજ સંચાલનનો નવો નિર્માતા જ બનાવીને દીધો. કાર્લ માર્કસે ઉધ્યોગોમાં મશીનરી અને યંત્રોના ઉપયોગથી માનવશ્રમ અને શ્રમ આધારીત ભૌતીક ગધ્ધાવૈતરુ(Drudgery) કરવાનું ઘણું ઘટી જશે. મશીનનો ઉપયોગ ઉત્પાદન શક્તિ વધારશે,જીવન ટકાવી રાખવા માટે જરુરી શ્રમમાંથી મુક્તિ મળશે. સમયની બચત સમગ્ર માનવસમાજને સતત નવા સંશોધનો અને આનંદના સાધનો શોધવામાં મદદરુપ થશે.

ક્રીષ્ટ્રોફર કોલ્મબસ ( ૧૪૫૧–૧૫૦૬) જીનીવા–ઇટાલીએ ૧૪૯૨ પૃથ્વી ગોળ છે એ સત્યને આધારે પશ્ચીમમાં પોતાનું નાવ હંકારીને ભારત જવા નિક્ળયો અને કેરેબીયન ટાપુઓ અને અમેરીકા શોધી કાઢયું. વાસ્કો દા ગામા(૧૪૬૦–૧૫૨૪ ભારતમાં દક્ષિણ ભારતના 'કોચી' શહેરમાં મૃત્યુ) પોર્ટુગીઝ દક્ષિણ આફ્રીકા જોહ્યોનીસબર્ગ થઇને ભારત આવ્યો.

ગાંધીજીની એ ધ્યાન બહાર કેવી રીતે હોય કે ૧૬મી સદીથી સને ૧૯૨૦ સુધી ઇગ્લેંડ સહિત સમગ્ર યુરોપનો કોણપણ દેશ બાકી ન હતો કે જેણે વિશ્વના કોઇપણ નાના મોટા દેશ કે ટાપુઓ કબજે કરીને ગુલામ બનાવીને પોતાના દેશને આર્થીક રીતે સમૃધ્ધ કરવામાં કોઇ પ્રયત્ન બાકી રાખ્યો હશે. સને ૧૯૨૦ સુધીમાં ઇગ્લેંડે વિશ્વના ૩૩ ટકા કરતાં વધારે ભાગ પર પોતાનો રાષ્ટ્રધ્વજ યુનીયન જેક ફરકતો કરી દીધો હતો.     આપણા દેશમાં બ્રીટિશ સત્તાધારીઓએ પ્રથમ વિશ્વ(૧૯૧૪–૧૯૨૦)ના અનુભવના આધારે શોધી કાઢયું કે ભારત જેવા સંસ્થાનોમાં આધુનિક ઔધ્યોગીક કુંપનીઓ સ્થાપવા માટે સ્થાનીક ઉધ્યોગપતિઓને સગવડ કરી આપવાથી યુધ્ધમાં તે ઉત્પાદનો મદદરુપ બની રહે છે.૧૯૨૦ પછી તરતજ ભારતને ઔધ્યોગીક આધુનિક દેશ બનાવવા માટેનું માળખું ઉભા કરવા ઔધ્યોગિક નીતિવિષયક નિર્ણયો લેવા માંડયા. હવે ભારતમાં મેન્ચેસ્ટર કે જપાનમાંથી આયાત કરેલા કાપડની જરુર નથી. અમદાવાદ ભારતનું મેન્ચેસ્ટર બને તેમાં બ્રિટનનું હિત છે. ગાંધીજીનો સાબરમતી આશ્રમ અને ગાંધીવાદી ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત અમદાવાદના એકપણ મિલ માલિકને પોતાની મીલ નહી સ્થાપવા કે કામદારોની મિલના સંચાલનમાં ભાગીદારી આપવા સંમતી આપી નહી. શું મુડીનું સર્જન એ એકત્ર કરેલ શ્રમની બચત જ છે તે સુત્ર તો મુડીવાદના પિતા એડમ સ્મિથનું હતું તે કોને ખબર ન હતી!

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––હવે સને ૧૯૦૯માં ગાંધીએ પ્રકાશિત કરેલ ગુજરાતી પુસ્તક "હિંદ સ્વરાજ" ને આધારે ગાંધીને "નખશીખ' ઓળખીએ નહી પણ સમજીએ. ભાગ–૨. ત્ય્રારબાદ ભાગ–૩માં પ્રો. રાવજીભાઇ પટેલ વતી ગુજરાતીમાં અમારા દ્રારા પ્રકાશિત પુસ્તક– ગાંધીવાદ" જ્ઞાન– વિજ્ઞાનની પધ્ધતિથી મુલ્યાંકનની ચર્ચા કરીશું. 

 

 

 

 

 


--

ગાંધીજીના વિચારો અને તેનો અમલ ગુજરાતી પુસ્તક “ હિંદ સ્વરાજ” ને આધારે.ભાગ–૨


ગાંધીજીના વિચારો અને તેનો અમલ ગુજરાતી પુસ્તક " હિંદ સ્વરાજ" ને આધારે.ભાગ–૨.

ગયા લેખમાં મેં સમગ્ર પશ્ચીમી દુનીયામાં રેનેશાં યુગથી શરુ કરીને જુદા જુદા દેશોમાંથી માનવીય સમસ્યાઓના ઉકેલ માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેની વિગતે પણ ખુબજ ટુંકમાં મદ્દાસર રજુઆત કરી હતી.આપણા દેશમાં ગાંધીજીથી માંડીને તમામ હિંદુત્વવાદીઓ પશ્ચીમ જગતને ભૌતિકવાદી,ભોગવાદી, દુન્યવી સુખમાટે અકરાંતિયા વિ, નામો વિશેષણોથી ઓળખાવે છે. તે રીતે જરુર પડે વ્યવહાર પણ કરે છે. ખરેખર સાચા અર્થમાં પશ્ચીમી જગતે કુદરતી પરિબળો, તેના સંચાલનના નિયમો સમજીને વ્યક્તીગત ને સામુહિક જીવન સંરક્ષીત અને સલામત બનાવ્યું છે.

ગાંધીજીએ સને ૧૯૦૮માં વિલાયતથી દક્ષિણ આફ્રીકા પાછા આવતાં આ પુસ્તક સ્ટીમરમાં લખેલું હતું.સદર પુસ્તકમાં ગાંધીજીએ જે શબ્દો અને વાક્યો પોતાના વિચારો રજુ કરવા પશ્ચીમી જગત સામેના આક્રોશ માટે વાપર્યા છે, તે શબ્દો–વાક્યો માં ફેરફાર કરવા  ઘણા બધા જવાબદાર અને સન્નમાનીય વ્યક્તિઓ એ 'બાપુ'ને વિનંતી કરેલી. તેની સામે 'બાપુ' નો જવાબ.

1.      આ પુસ્તકમાં આધુનિક સુધારાની સખત ઝાટકણી કાઢી છે......મારી જે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે આજે અગાઉના કરતાં વધારે દ્રઢ થયેલી છે....પણ એ લખ્યા પછીનાં ત્રીસ વરસ મેં અનેક ઝંઝાવતોમાં પસાર કર્યા છે.તેમાં આ પુસ્તકમાં દર્શાવેલા વિચારોમાં ફેરફાર કરવાનું કંઇ કારણ મળ્યું નથી....જો હિંદુસ્તાન 'આધુનીક સુધારાનો' ત્યાગ કરશે તો તેમ કરવાથી તેને જ લાભ થવાનો છે....મને કબુલ કરતાં ખેદ થાય છે કે 'અહિંસા'નો અમલ સદર પુસ્તકમાં જે રીતે અહિંસાને વર્ણવી છે એવી ભાવનાપુર્વક થતો નથી. પાન ૧૬–૧૭–૨૦ નંબર હીદીમાં લખેલો છે.(પુસ્તકની પ્રસ્તાવના કુલ ૨૪ પાનાની છે.

2.      ઇગ્લેંડમાં જે સ્થિતિ હાલ છે તે ખરેખર દયામણી છે, અને હું તો ઇશ્વર પાસે માગું છું કે તેવી સ્થિતિ હિંદુસ્તાનની કદી ન થજો... જેને તમે પાર્લામેન્ટની માતા કહો છો તે પાર્લામેન્ટ તો વાંઝણી છે. અને વેશ્યા છે.આ બંને શબ્દો આકરા છે, છતાં બરાબર લાગુ પડે છે. મેં વાંઝણી કહી, હજુસુધી પાર્લામેન્ટે પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તેની પર જોર કરનાર કોઇ ન હોય તો તે કંઇ જ ન કરે..... તે વેશ્યા છે, કેમ કે તેને જે પ્રધાનમંડળ રાખે તે પ્રધાનમંડળની પાસે તે રહે છે. પ્રતિ પાર્લામેન્ટની ચુંટણી પ્રમાણે તેના ધણી બદલાયા કરે છે....પાનું ૧૧.ગજુરાતીમાં નંબર લખેલ છે.

3.      જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિંદુસ્તાન પાયમાલ થઇ જાય એવો મારો તો ખાસ વિચાર છે...યુરોપનો સુધારો કુધારો છે.તેથી યુરોપની પ્રજા પાયમાલ થતી ચાલી છે.... પાનું ૧૪.

4.      તે સુધારો એ સુધારો નથી પણ એક રોગ છે...માણસો શરીર સુખમાં સાર્થક્ય અને પરુષાર્થ માને છે. દા.ત. સો વરસ પહેલાં જેવાં ઘરમાં યુરોપના લોકો રહેતા હતા તેના કરતાં હાલ વધારે સારા ઘરમાં રહે છે. શું આ સુધારાની નિશાની ગણાય! આમાં તો શરીર સુખની વાત રહેલી છે. પહેલાં ચામડાના વસ્રો પહેરતા હવે મોટા લેંઘા અને કાપડનાં કપડાં બનાવે છે. પહેલાં ભાલા–તલવારનો ઉપયોગ કરતા હવે પેલી બંદુકડી વાપરે છે. શું તેને આપણે સુધારો કહીશું? પહેલાં ખેડૂતો જાતે જમીન ખેડતા હવે વરાળ યંત્રોનો ઉપયોગ જમીન ખેડવા કરે છે... પહેલાં ફક્ત ગણ્યાગાંઠયા વિધ્વાનો પુસ્તકો લખતા–છપાવતા–આજે જેને જેવું ફાવે તેવું લખે છે ને છાપે છે અને લોકોના મન ને ભ્રમાવે છે. અગાઉ લોકો મન ફાવે તે કામ કરીને મજુરીને કરીને  જીવન ચલાવતા... હવે હજારો મજુરો ગુજરાન ચલાવવા મોટા કારખાનાં કે ખાણોમાં કામ કરે છે...પાનું–૧૬.

5.       હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે. અગાઉ લોકોમાં દરદ ન હતાં તેવાં દરદ પેદા થયાં છે. તેની સાથે દાક્તરો શોધ કરવા લાગ્યા છે કે દરદો કેવી રીતે મટાડવાં....સુધારાના હિમાયતીઓ ચોખ્ખી વાત કરે છે કે  તેઓનું કામ લોકોને ધર્મ શીખવવાનું નથી.ધર્મ તો ઢોંગ છે... નીતિને નામે અનીતિ શીખવવામાં આવે છે.... શરીર સુખ કેમ મળે એ જ સુધારો શીખવે છે. છતાં તે સુખ પણ નથી મળતું!... આ સુધારો તો અધર્મ છે. તે યુરોપમાં એટલે દરજજે ફેલાયો છે કે  ત્યાંના માણસો અર્ધગાંડા જેવા જોવામાં આવે છે. ખરુ કૌવત નથી. પોતાનું જોર નશો કરી ટકાવી રાખે છે.... ત્યાં સ્રીઓ પેટને કાજે ગધ્ધામજુરી કરે છે... પાનું ૧૭.

6.      હિંદુધર્મ આવા સુધારાને હળાહળ કળિયુગ કહે છે... મારા ગજા બહારની ચીજ છે કે હું તમને આ સુધારાનો આબેહુબ ચિતાર આપી શકતો નથી. પાનું ૧૮.

7.      સુધારો ઉંદરની જેમ ફુંકી ફુંકીને ફોલી ખાય છે. તેની અસર જાણીશું ત્યારે અગાઉના વહેમો આપણને પ્રમાણમાં મીઠા લાગશે. વહેમો સામે પણ ધર્મ સલામત રાખીને લડીશું.... પાનું ૨૨..

8.      હિંદુસ્તાનને રેલ્વે, વકીલોએ ને ડૉક્ટરોએ કંગાલ બનાવ્યું છે. જો આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઇ જઇશું! રેલ્વેથી દેશમાં ધૃષ્ટતા ફેલાશે..પાનું ૨૫. માણસે રેલ્વેનો ઉપયોગ કરીને ખુદાને ભુલી ગયો છે... પાનુ..૨૭.

9.      વકીલે હિંદુસ્તાનને ગુલામી અપાવી છે.... તેઓએ અંગ્રેજી સત્તા વધારી છે....તેઓનો ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બુરી લાલચમાં પડે છે. તેમાંથી ઉગારનાર થોડાજ છે.....પાનું ૩૩...અંગ્રેજી સત્તાની એક મુખ્ય ચાવી તેઓની અદાલતો છે. અદાલતોની ચાવી વકીલો છે. જો વકીલો વકીલાત છોડી દે તો.... તો અંગ્રેજી રાજ્ય દેશમાં એ જ દિવસમાં પડી ભાંગે..... પાનું ૩૫.

10.  પશ્ચીમના  સુધારકોએ મારા કરતાં વધારે વકીલોઅને ડૉકટરોને બહુ વખોડયા છે. ડૉકટરો કરતાં ઉટવૈધ્ય ભલા એમ કહેવાનું મને મન થઇ ગયું છે....ઇસ્પિતાલો એ પાપની જડો છે. તેનાથી માણસોના શરીરનું જતન ઓછું થાય છે પણ અનીતિનો વધારે કરે છે....તેઓ આપણને ધર્મભ્રષ્ટ કરે છે. તેઓની ઘણી ખરી દવાઓમાં પ્રાણીજન્ય ચરબી ને દારુ હોય છે.અંગ્રેજી કે યુરોપી ડૉક્ટરી શીખવી એટલે ગુલામીની ગાંઠને મજબુત કરવી.... પાનું ૩૭.

11.  હિંદનો સુધારો નીતિ દ્રઢ કરવા તરફછે, પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દ્રઢ કરવા તરફ છે. તેથી તેને મેં કુધારો કહ્યો છે. પશ્ચીમનો સુધારો નાસ્તિક કે નિઇશ્વરી છે. જ્યારે હિદનો સુધારો ઇશ્વરી છે....પાનું ..૪૦

12.  આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લામેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી. પ્રસ્તાવના–પાનુ ૧૬ હિંદીમાં.

 ભાગ–૩માં પ્રો. રાવજીભાઇ પટેલ વતી ગુજરાતીમાં અમારા દ્રારા પ્રકાશિત પુસ્તક– " ગાંધીવાદ"ની જ્ઞાન– વિજ્ઞાનની પધ્ધતિથી મુલ્યાંકનની ચર્ચા કરીશું. 

 

 

--

Monday, July 28, 2025

ચાલો, આપણે કુદરતને ભજવાને બદલે સમજીએ–

ચાલો, આપણે કુદરતને ભજવાને બદલે સમજીએ–

 ફેસબુક પર મેં ખાસ બે લેખોની ચર્ચા કરી હતી.એક નિરઇશ્વરવાદ કે નાસ્તિકવાદ અને બીજો ધર્મનિરપેક્ષ માનવવાદ. હવે આ બંને લેખોમાં એ સમજાવવાની કોશીષ કરી હતી કે કુદરતી નિયમબધ્ધતા અને કાર્યકારણના નિયમ ને આધારે દુન્યવી સત્ય શોધી શકાય તેમ છે.

આપણા પુર્વજો માટે અને કૃષિ સમાજ તરીકે એ સરળ ન હતું કે કેવી રીતે વ્યક્તિગત કે સામુહિક ધોરણે જે કાંઇ કુદરતી બનાવો કે ઘટનાઓ ઘટતી હતી તેને દૈવી પરિબળોના ખોફ કે આનંદ સિવાય બીજી કોઇ નિયમબધ્ધતાનું પરિણામ હોઇ શકે તે રીતે સમજવું??માનવીના કર્મો પ્રમાણે પછી તે પુર્વજન્મના હોય કે વર્તમાન જ્ન્મમાં કરેલા તેના ફળો દરેકને ભોગવવા પડે છે તેવા સરળ સત્યને કે અર્થઘટનને બહોળી સ્વીકૃતી મળી ગઇ હતી.

     ૨૫૦૦ વર્ષ પહેલાં ગ્રીક સમાજમાં અને ભારતમાં પણ એકજ અંધશ્રધ્ધા પ્રવર્તમાન હતી. જેને સત્ય તરીકે માનવામાં આવતી હતી કે આકાશમાં જ્યુપીટર(ગ્રીક સમાજમાં)નામનો દેવ છે;અને ભારતમાં ઇન્દ્ર નામનો આકાશમાં દેવ છે જે વરસાદ મોકલે છે. જેમ માણસ નારાજ થાય તો તેને આજીજી, કાકુલૂદી કે ભક્તી–અર્ચના કરીને સમજાવાય કે હૈ! આકાશી દેવ! તું વરસાદ મોકલ! અથવા અતિશય વરસાદ પડી ગયો હોય તો ખમ્મા કર! વ્યક્તિગત ધોરણે જે કોઇ ચેપી રોગ થતા બળિયા, શીતળા,પ્લેગ, મેલેરીયા કે કોવિડ વિ તો તેનું કારણ પણ ઇશ્વરી ખોફનું પરિણામ સમજવામાં આવતું હતું. સ્રીઓમાં વળગાડ, ભુતપ્રેત, ડાકણ જેવા માનવીયત્તર પરિબળોના પરકાયાપ્રવેશથી આપણે ત્યાં અને યુરોપમાં હજારો સ્રીઓને જીવતી સળગાવી દેવામાં આવતી હતી.જુના સમાજોમાં પછી તે સમાજો પુર્વના હોય કે પશ્ચીમના, કુદરત અને તેના પરિબળો ભજવા–પુજવા કે અર્ચના કરવાના સાધનો હતા. કુદરતી પરિબળો ક્યારેય તે સમયે જ્ઞાન પ્રાપ્ત કરી અને મુશ્કેલીઓ કે રોગો દૂર કરવાના સાધનો ન હતા.

   કોઇપણ કુદરતી ઘટના અને ઇશ્વરી માન્યતા વચ્ચે પાયાનો તફાવત શું હોય છે? કુદરતી ઘટનાને તેના નિયમોથી પુરાવા સહિત આધારોની મદદથી સમજાવી શકાય છે. એટલું જ નહી તેના ખરાપણ અંગે વિશ્વના કોઇપણ ખુણે તટસ્થ રીતે તપાસીને તે જ તારણ કાઢીને, તે જ ઉપાય પ્રમાણે ચેપીરોગને અટકાવી શકાય છે.

કુદરત શું છે? અલૌકિક સાથે તેનો તફાવત– કુદરતનો નિયમ અને કાર્યકારણ શું છે? કુદરત, અલૌકિક, કુદરતના નિયમો અને કાર્યકારણને સમજવું ચાલો આ પરસ્પર જોડાયેલા ખ્યાલોને આપણે જ્ઞાન –વિજ્ઞાનની મદદથી સમજીએ.

 1. કુદરત– કુદરત સમગ્ર ભૌતિક વિશ્વને સમાવે છે, જેમાં બધી અવલોકનક્ષમ ઘટનાઓનો સમાવેશ થાય છે. તે અંતર્ગત કાયદાઓ અને સિદ્ધાંતો દ્વારા સંચાલિત કારણ અને અસરની સાંકળ દ્વારા વર્ગીકૃત થયેલ છે. કુદરતની પ્રક્રિયાઓ નિયમિત અને અનુમાનિત છે, જે વૈજ્ઞાનિક તપાસ અને પ્રયોગમૂલક પુરાવા પર આધારિત છે.

2. અલૌકિક– અલૌકિક ઘટના કે બનાવનું સંચાલન કુદરતના જાણીતા નિયમોથી સ્વતંત્ર હોય છે. તે એવી ઘટનાઓ, અસ્તિત્વો અથવા ક્ષમતાઓનો ઉલ્લેખ કરે છે જે વૈજ્ઞાનિક સમજણ,ઇન્દ્રીયજન્ય અનુભવ અને તર્કવિવેક શક્તિની સમજૂતીની બહાર હોય છે. ઉદાહરણ તરીકે ભૂત, દેવદૂત, રાક્ષસો, જાદુ અથવા દૈવી હસ્તક્ષેપમાં માન્યતાઓનો સમાવેશ થાય છે.

3  કુદરતી નિયમબધ્ધતામાં પ્રજનનક્ષમતા નિયમતિ છે. તેનું અવલોકન અને અનુમાનિત ક્રમમાં સામાન્ય સહજ રીતે થતું હોય છે.અલૌકીક ઘટનામાં તેને દૈવી ઇચ્છા કે પરિણામ ગણવામાં આવે છે. તે ઘટના કુદરતી નિયમોના નિયમિત ક્રમથી અલગ રીતે બનતી હોય છે.

4. પ્રકૃતિનો નિયમ– પ્રકૃતિનો નિયમ એ એક મૂળભૂત સિદ્ધાંત છે. જે પ્રકૃતિમાં ચોક્કસ પેટર્ન અથવા સંબંધનું વર્ણન કરે છે, જેને વ્યાપક વૈજ્ઞાનિક પુરાવા અને અવલોકનો દ્વારા સમર્થન આપવામાં આવે છે. આ નિયમો સાર્વત્રિક, સ્થિર અને અવલોકનક્ષમ છે, જે ઉપ-પરમાણુ સ્તરથી લઈને અવકાશી ગતિવિધિઓ સુધીની ઘટનાઓને નિયંત્રિત કરે છે. ઉદાહરણોમાં ન્યૂટનના ગતિના નિયમો, ઊર્જા સંરક્ષણનો કાયદો અને મેન્ડેલનો અલગતાનો નિયમ શામેલ છે.

 

       5. કાર્યકારણ એવા સંબંધનું વર્ણન કરે છે જ્યાં એક ઘટના બીજી ઘટના બનવાનું  સીધું કારણ બને છે અથવા પ્રભાવિત કરે છે.દા.ત વીજળીનો ચમકારો અને ત્યારબાદ વાદળોમાં પેદા થતો ગડગડાટ.બીજું ઉદાહરણ– આ આઇઝેક ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમનું ઉત્તમ ઉદાહરણ છે. તે જણાવે છે કે દળ ધરાવતી વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. પદાર્થ જેટલું વધુ દળ ધરાવે છે, તેનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ તેટલું મજબૂત હોય છે. પૃથ્વીનો વિશાળ દળ સફરજનને નીચે ખેંચે છે. ઋતુઓનું નિયમિત ચક્ર અને ચંદ્રના તબક્કાઓ: આ ઘટનાઓ અવકાશી મિકેનિક્સ અને ગુરુત્વાકર્ષણના નિયમો દ્વારા સંચાલિત થાય છે. તે એટલા સ્થિર છે કે તેમની ખૂબ જ ચોકસાઈથી આગાહી કરી શકાય છે. આ બધા ઉદાહરણો દર્શાવે છે કે કેવી રીતે પ્રકૃતિના નિયમો રોજિંદા ઘટનાઓથી લઈને જટિલ વૈજ્ઞાનિક અને ઇજનેરી સિદ્ધાંતો સુધી, કુદરતી વિશ્વના વર્તનને સમજવા અને આગાહી કરવા માટે એક માળખું પૂરું પાડે છે.



--