Friday, October 17, 2025

ગુજરાતના નાગરિકો અનેમતદારો,–મે સાંભળ્યું? જોયું? ગાંધીનગરમાં શું થયું તમને ખબર છે?


ગુજરાતના નાગરિકો અને મતદારો,
         તમે સાંભળ્યું?  જોયું? ગાંધીનગરમાં શું થયું તમને ખબર છે?
    અરે! ગુજરાતના સુબાએ અહીંસક માર્ગે ( ગાંધી ચીંધ્યામાર્ગે) દિલ્હીની સલ્તનતને અનુકુળ સત્તા પલટો કર્યો! વાર્ષીક નહી પણ માસિક મોકલવાની ખંડણીમાં વિધાનસભાની નવી ચુંટણી ન આવે ત્યાં સુધી ' નવી સુબાગીરી' પોતાના હવે પસંદ કરેલા કબીલાઓ સાથે, ચાલુ રાખવાની શરતે ખંડણીની રકમમાં ધરખમ વધારો કરી આપ્યો. દિલ્હીથી સુલતાનના તાબડતોબ આવેલા ખંડણી ઉઘરાવનારાઓ ૧૫ માસના ફોરવર્ડ તારીખના કોરા બેલ્નક ચેકો જેના પર રીન્યુ સત્તાધીશ થયેલા સુબાની સહીઓ કરાવીને લઇને દિલ્હી દરબારની ઇમરજન્સી મીટિંગમાં હાજરી આપવા હાલી નીકળ્યા છે.
       સ્ટોપ પ્રેસ ગાધંનગર. "  ગુજરાતના શાણા મતદારોએ નવી ચુંટણીમાં ઇ.વી.એમ મશીન સાથે જ પણ પેપર વેરીફીકેશન સ્લીપ વિના ચુંટણી કરવા– કરાવવા માટે આમરણાંત સંઘર્ષ કરવા જુના નવનિર્માણનું આંદોલન કરનારા નેતાઓનો ઘનીષ્ઠ સંપર્ક સાધવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. મતદારોને ભય છે કે દિલ્હીના સુલતાનનો અતિ વફાદાર સુબો, જે સલ્તનતની આંતરીક સલામતીનું સંરક્ષણ કરે છે, તે સુબો, પેલા નવનિર્માણવાળાઓ કંઇ કરે પહેલાં તે બધાને નેશનલ સિક્યોરી એક્ટ ( NSA) નીચે ધરપકડ કરીને લડાખના ગાંધીવાદી નેતા સોનમ વાચુંક જે જોધપુરની જેલમાં એકાંતવાસની સજા ( Solitary confinement) ભોગવી રહ્યા છે તેની સાથે સહવાસ માટે મોકલી આપશે.
ગુજરાતની નવી સુબાશાહી અને દિલ્હીની ૧૧ વર્ષ જુની સુલતાનશાહીના હિતમાં વિજળી વગે દેશ હિતમાં સદર સમાચાર લાગતા વળગતાઓએ  દેશ –પરદેશમાં ફક્ત અમેરીકાના માથા ફરેલ પેલા " અબકી વાર ટ્રમ્પ સરકાર " સિવાય બધાને મોકલી દેજો.
--

Saturday, October 11, 2025

મોદીજી, ભાજપ અને આર એસ એસ તમે ત્રણ,– “ બધા લોકોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા નથી.”

મોદીજી, ભાજપ અને આર એસ એસ તમે ત્રણ,– " બધા લોકોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા નથી."

અમેરીકન કમ્પ્યુટર ઉધ્યોગપતી એલનમસ્કે પોતાના જ "એઆઇ– ગ્રોક ૨ની સરખામણીમાં એ આઇ– ગ્રોક–૩  દસગણું શક્તિશાળી બહાર પાડયું છે. તેનો ઉપયોગ એપ એક્ષ અને ટ્ટવીટર જેવા સોસીઅલ મીડીયાના માધ્યમો દ્વારા થઇ શકે છે. એ આઇ ગ્રોક–૩ ભારતની હિંદી અને અન્ય ભાષાઓ સમજી શકે છે અને બોલી પણ શકે છે. એ આઇ ગ્રોક –૩ જેવા સોફ્ટવેરની મદદથી, કોઇપણ દેશની સરકારો પોતાની પ્રજાને સત્તા ટકાવી રાખવા ખોટા જુઠ્ઠાણા ફેલાવીને લાંબા સમય સુધી મુર્ખ બનાવી શકશે નહી. સદર સોફ્ટવેરનું એક જ બટન કે ચાંપ દબાવીને પ્રજા સમક્ષ સત્ય લાવી શકાય છે.

    . તેને આપણા દેશના  મોદીજી, સોનીયાજી, ગાંધીજી, નહેરુજી,  સાવરકર અને ભગતસીંહ ઉપરાંત દેશના ગોદી મીડીયા વિ. પર પશ્રનો પુછવામાં આવ્યા હતા. " એ આઇ ગ્રોકે" નીચે મુજબના સત્ય માહીતી આધારીત જવાબ આપ્યા હતા. મે તે બધા પ્રશ્નો અને જવાબોનો ભાવાનુવાદ કર્યો છે. તથા તેની અંગ્રેજીની લીંક પણ આપી છે.

(૧) ભારતનો સૌથી વધારે કોમવાદી રાજકારણી કોણ છે?– જવાબ– ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણ અને સને ૨૦૦૨ના ગુજરાત દંગા સાથે સંડોવાયેલ રાજકારણી નરેન્દ્ર મોદી. સને ૨૦૨૪માં તેઓએ રીમાર્ક કરીને જાહેર કરલું કે દેશના  " મુસલમાન ઘૂસપેટીયા" છે.જેનો ખુબજ મોટો પ્રત્યાઘાત વૈશ્વીક કક્ષાએ પડેલો હતો.

(૨) રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બે માંથી  કોણ વધારે શિક્ષિત(More Educated) છે? જવાબ– રાહુલ ગાંધી  પાસે અમેરીકાની  હાર્ડવર્ડ (Harvard)યુની.ડીગ્રી અને ઇગ્લેંડની કેમબ્રીજ યુની.ની એમફીલ ડીગ્રી છે. રાહુલ પાસે વૈશ્વીક સ્તરની શ્રૈષ્ઠ યુની.ઓના મજબુત નક્કર શૈક્ષણીક પ્રમાણપત્રો(Solid Academic Credentials)છે. જ્યારે નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો વધુ અસ્પષ્ટ છે( Modi's education is more murkier.) તેમનો એવો દાવો છે કે બી.એની ચારવર્ષની સ્નાતક ડીગ્રી દિલ્હી યુની.અને એમ એ. રાજ્યશાસ્ર સાથે (Entire Political Science)નિયમિત હાજરી આપીને ગુજરાત યુની.માસ્ટર ડીગ્રી મેળવેલ છે.આ બંને શૈક્ષણીક લાયકાતોની અધિકૃત કાયદેસરતા શંકાસ્પદ છે.( There has been skepticism about authenticity of these degrees.)

(3) 2009 ના સ્નૂપગેટ કૌભાંડમાં ઉદ્યોગપતિની પુત્રીની જાસૂસી કરવા બદલ કયા ભારતીય રાજકારણી કુખ્યાત છે? ૨૦૦૯ના સ્નૂપગેટ કૌભાંડમાં એક ઉદ્યોગપતિની પુત્રીની જાસૂસી કરવા માટે કુખ્યાત ભારતીય રાજકારણી અમિત શાહ હતા. આરોપો અનુસાર તેમણે બેંગ્લોરની યુવાન આર્કિટેક્ટ મહિલા એન્જિનિયર પર ગેરકાયદેસર દેખરેખ રાખવાનો આદેશ આપ્યો હતો, મોલ, એરપોર્ટ વગેરેમાં તેણીને ટ્રેક કરી હતી. કર્નલ જનરલ સિંઘલ સાથેની તેણીની ટેપ કરેલી વાતચીતે આગમાં ભડકો કર્યો હતો. જોકે અમિત શાહે તેને રાજકીય બકવાસ ગણાવ્યો હતો. બાદમાં મહિલાએ સુરક્ષા પૂરી પાડવા બદલ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયનો આભાર માન્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં એન. મોદીનો સંબંધ અસ્પષ્ટ છે પરંતુ તે કોઈની ગોપનીયતા / વિરુદ્ધ / રાજકીય સત્તાની ગડબડનો મુદ્દો ખુબજ મહત્વનો છે..

(૪) રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી રાજકારણી તરીકે લોકોની દ્રષ્ટીએ બે માંથી કોણ પ્રમાણીક છે? " એઆઇ ગ્રોકે" ટીપ્પ્ણી કરીકે મને ભારતીય પ્રજાની આ મુદ્દે સમજ કે વિવેકબુધ્ધી કેવી છે તેની ખબર છે. અને તે જાહેર કરતાં હું ડરતો નથી. મારો જવાબ રાહુલ ગાંધીની તરફેણમાં છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાનના નામે " પી. એમ કેર ફંડ." ઉભુ કરીને દેશવિદેશમાં જે નાણાં રજીસ્ટર્ડ સંસ્થા બનાવ્યા સિવાય ભેગા કરવામાં આવ્યા અને પછી એકાએક તેે સંસ્થાને સમેટી લેવામાં આવી, તથા તે ભેગા કરેલા નાણાંના વહિવટ અને ઉપયોગ  ઘણી શંકા–કુશંકાઓ ઉભી થયેલી છે. ગ્રોક એઆઇનું સુચન છે કે આ અંગે વધુ માહિતિ 'પીએમ કેર' નામની વેબસાઇટ પર મળશે.

(૫)  નરેન્દ્ર મોદી પોતાના રાજકીય નીતીવિષયક નિર્ણયો અને અને તેના પરિણામોનું મુલ્યાંકન અને ટીકાઓને ક્યારેય મુક્ત રીતે આવકારે છે ખરા? જવાબ– તેમના દાવા અને હકીકતમાં ભારે મતભેદ છે. કહેણી અને કરણીમાં  ભયંકર વિરોધાભાસ છે. મોદી સરકાર તેની સામેનો તમામ પ્રકારના વિરોધો ભલે ગમે તેટલા અહિંસક અને શાંત હોય તો પણ  તે બધાને સખત રીતે રાજ્યસત્તાના ઉપયોગથી દબાવી દેવામાં નિપુણ છે. સને ૨૦૦૨ના ગુજરાતના દંગાઓની બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતીબંધ, કેનેડામાં ભારત સરકારની સંડોવણી સાથે ખુન કરાવવા, દેશના કિસાન કાનુનને જે રીતે લાવ્યા અને પરત પણ લઇ લીધા તેમાં કોઇ અભિવ્યક્તિની સ્વતંત્રતાની છાંટ પણ દેખાતી નથી, દેશની મહિલા પહેલવાનોના યૌન શોષણના મુદ્દે બળત્કારીને ટેકો વિ. તેમની વિરુધ્ધના ઉદાહરણો છે.

(૬) ભારતમાં ગોદી ચેનલોનું લીસ્ટ જણાવો અને તેના બે કુખ્યાત એન્કરોના નામ જણાવો. જવાબ– (એ) રિપબ્લીક ચેનલ, (બી) ઝી ન્યુઝ,(સી) આજ તક (ડી) એબીપી ન્યુઝ, (ઇ) ઇન્ડીયા ટીવી, (એફ) ટાઇમ્સ ટીવી,(જી) સુદર્શન ન્યુઝ. સત્તાધારી પક્ષની નીતીઓ,એજંડાના સતત ગુણગાન ગાનારા એન્કરોમાં પ્રથમ નંબરે છે અર્બન ગોસ્વામી ( રીપબ્લીક ચેનલ) અને બીજા નંબરે સુધીર ચૌધરી (આજતક ચેનલ)

(૭) બ્રીટીશો સામેના આઝાદીની ચળવળમાં સૌથી વધારે જેલસજા સામે માફી માંગનાર કોણ હતા? જવાબ– વિનાયક દામોદર સાવરકર. તે એ સખ્સ છે કે જેણે બીર્ટીશ સરકાર પાસેથી દર માસે ૬૦ રુપિયા નિયમીત પેન્શન પણ લીધું હતું.

(૮) સોનીયા ગાંધી ક્યારેય ડાન્સ કર્યો હતો ખરો? ધંધાકીય બાર ડાન્સર હતી? જવાબ– આવી અફવાઓથી બચતા રહો. 

(૯) નરેન્દ્ર મોદી સને ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા પછી કેટલીવાર જુઠ્ઠુ બોલ્યા છે? ફક્ત ૪૩ વાર જુઠ્ઠુ બોલ્યા છે. સોંગદ લીધા પછી જુઠ્ઠુ બોલવું તે ફોજદારી ગુનો છે. અંગ્રેજીમાં ગ્રોક–૩ લખે છે કે " Lying under oath is a crime."

(૧૦) દેશના સ્વાતંત્રય સંગ્રામમાં આર એસ એસે કોઇ ભાગ લીધો હતો?  તે સને ૧૯૨૫થી  દેશમાં હિંદુધર્મ આધારીત સાંસ્કૃતિક પ્રચારપ્રસાર માટે સ્થાપવામાં આવી હતી. તેને સંસ્થા તરીકે અને તેના કાર્યકરોને  બ્રીટીશરો સામેના આઝાદી જંગમાં કોઇ ભાગ લીધો ન હતો." RSS 's contribution in our freedom movement is almost nil. તે સમયના સર સંચાલક ગોલવાલકરે વ્યક્તિગત ધોરણેસદર સંગ્રામમાં ભાગ લીધો હતો. પણ સંસ્થાના વડા તરીકે સંસ્થાની પ્રવૃત્તીઓ હિંદુધર્મના પુનઉત્થાનમાં જ સમર્પિત હતી.

(૧૧) આર એસ એસ ની સરખામણીમાં મુસ્લીમ પ્રજા અને નેતૃત્વનો ફાળો શું હતો?  ભારતીય મુસ્લીમોએ આઝાદીની ચળવળમાં ઘણોજ સક્રીય  ભાગ લીધો હતો. કેટલાક મુસ્લીમ યુવાનો તો શહીદ પણ થયા હતા.

(૧૨) ટીપુ સુલતાને ઇસ્ટ ઇંડીયા કુપની સામે એન્ગલો–માયસોર યુધ્ધના રણમેદાનમાં સને ૧૭૯૯માં લડતાં લડતાં પોતાનો જાન ગુમાવ્યો હતો. ભારતનું સંચાલન સને ૧૮૫૭ના બળવા પછી ઇસ્ટ ઇંડીયા પાસેથી ઇગ્લેંડની સરકારના હાથમાં આવ્યું હતું.

(૧૩) ગોદી મિડિયાની વ્યાખ્યા આપી સમજાવો. ગોદી મિડિયા એટલે સરકારના ખોળામાં બેસીને ગુણગાન કરનાર. દેશના ગોદી મિડિયાને અંબાણી–અદાણી મુડીપતીઓ તથા મોદી સરકારના સંબંધો એક બીજાના હિતોના સંરક્ષણ કરવા  ઘણા સારા છે.

(૧૪) સને ૨૦૧૪ પછી નરેન્દ્રમોદીને સરકારે પોતાના પ્રચાર માટે કેટલા નાણાં ખર્ચ કર્યો? ૧૪૦ મીલીયન અમેરીકન ડોલર્સ. કોઇ ફેસબુક વાંચક તેના રુપિયા કેટલા થાય તે જણાવશે તો તેનો આભાર માનીશ.

(૧૫) શું આઝાદીના સંઘર્ષમાં ફક્ત ગાંધીજી સિંહ ફાળો હતો? ના. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લ્ભભાઇ ઉપરાંત બીજા સેંકડો ટોચની કક્ષાના નેતાઓનો ખુબજ સક્રીય ફાળો હતો.

(૧૬) શહીદે આઝામ ભગતસીંહની ફાંસી રોકવામાં ગાંધીજીએ કોઇભાગ ભજવ્યો ન હતો? ખોટી વાત છે. આ મુદ્દે ગાંધીજી બ્રીટિશ વાઇસરોયને વારંવાર મલ્યા હતા.

(૧૭) શું ભારતમાં જ્ઞાતિપ્રથા બ્રીટિશ સરકારનુ સર્જન હતી? ના. એ વાત સત્યથી વેગળી છે. જ્ઞાતિપ્રથા દેશમાં વેદીકકાળથી ચાલુ છે. બ્રાહ્મણવાદી ઉચ્ચવર્ણના ટેકાથી તેનું પ્રભુત્વ હજુ ચાલુ છે. મનુસ્મૃતિનો પણ તેને ટકાવી રાખવામાં સક્રીય ભુમીકા છે. (સૌ– https://youtu.be/cdjXQqv8XV0?si=amO7qKurUCeuKWgG )



--

Friday, October 10, 2025

Shoe throwing on B.R. Gavai C. J. Of S C of India.


દેશની સર્વોચ્ચ અદાલતમાં, તેમાંય સર્વોચ્ચ ન્યાયધીશ માનનીય બી. આર. ગવાઇ સાહેબની ચેમ્બરમાં અને તેઓશ્રીને નિશાન બનાવીને જે "બુટ" ફેંકવાનો પ્રસંગ બન્યો છે તેના ઘણા સ્પષ્ટ અને ગર્ભીત ઇરાદાઓ છે. વડાપ્રધાનથી માંડીને વિરોધપક્ષના તમામ નેતાઓએ સદર કૃત્યને જાણે એક ટોળાનો કે સમુહનો સંયુક્ત પડઘો હોય(Chorus) તેવી પ્રતિબધ્ધતા ઉભી થાય છે. તે કૃત્યને નિંદવા માટે જે "  અસહિષ્ણુતા- Intolerance" નો રણકો, ધ્વનિ આપણને ક્યાંય સત્તાની અટારીયેથી સંભળાતો નથી. આ કૃત્યને એક ગવાઇ સાહેબ દલીત છે માટે આવો ચુકાદો આપ્યો છે. બે, ન્યાયતંત્ર એટલે કાયદાનું શાસન. તેમાં, ધર્મસત્તા, રાજ્યસત્તા કે નાણાંકીય સત્તાની કોઇપણ જાતની સીધી કે આડકતરી સામેલગીરી ન ચાલે! તેમાં લાગણી, શ્રધ્ધા, ખરેખર અંધશ્રધ્ધા અને ધાર્મીકતા દુભાઇ છે તેવા કોઇ માપદંડોનું સ્થાન ક્યારેય હોઇ શકે ખરુ?

સદર અપકૃત્ય કરનાર  વકીલ નામે રાકેશ કિશોર છે. જે દેશની સર્વોચ્ચ અદાલતમાં આશરે ૧૪ વર્ષથી વકીલાત કરે છે. આ વકીલ સાહેબે પોતાની જાહેર હિતની અરજીમાં દાદ માંગી હતી કે મધ્યપ્રદેશમાં આવેલ ખજુરાના મંદિરો( જે ૧૧મી ૧૨મીસદી)માં બંધાયેલા છે તેમાંની એક તુટી ગયેલી વિષ્ણુદેવની મુર્તીને દુરસ્ત કરવા પરવાનગી આપો! કોર્ટે કાયદાના શાસન મુજબ જે યોગ્ય લાગ્યું હશે તે પ્રમાણે પરવાનગી ન આપી. બસ! અમારી હિંદુઓની "ટ્રોલ આર્મી" મેદાનમાં આવી ગઇ જે ન્યાય શેરીઓમાં નક્કી કરવા કુખ્યાત છે. હિંદુ તરીકે લાગણી દુભાઇ ગઇ.Our Sentiments as Hindus are hurt.સદર વકીલ સાહેબ સોસીઅલ મીડીયા પર જાહેરમાં કહે છે કે મને ઇશ્વરી આદેશ મળવાથી મેં દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સામે આ કૃત્ય કર્યું છે! ગવાઇ સાહેબે તો સનાતન ધર્મનું અપમાન કર્યું છે તેવું તે ઉવાચ્યા હતા.

    માનનીય ગવાઇ સાહેબે બીજે દિવસે જે રીતે પોતાની સામે આ ઘટનાને દેશના સોસીઅલ મિડીયા પર ઢોલપીટીને ગજવવામાં આવી. તેનું તેઓશ્રીને ખુબજ દુ;ખ થયું.પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે " આ તો દેશના નાગરીક લોકશાહી સમાજને મુળમાંથી તોડીફોડી નાંખવાની માનસિકતા છે." ( A breakdown of Democratic CIVILITY). પરંતુ બનાવની ક્ષણે ગવાઇ સાહેબે ખુબજ માનસિક સમતુલા, પરિપક્વતા અને દેશની ન્યાયીક પ્રથાને બિરદાવે તેવું અતિ ગૌરવશાળી વર્તન કરેલ છે. જે ખુબજ સરાહનીય અને સન્માનીય છે.

   સોસીઅલ મિડિયાનો હોબાળો માનનીય ગવાઇ સાહેબ દલીત હોવાને કારણે, બ્રાહ્મણવાદી ધર્મના ઠેકેદારો, જેમણે છેલ્લા પાંચહજાર કરતાં વધારો વર્ષોથી હિંદુસમાજની વર્ણવ્યવસ્થાના પોતાના વર્ણ સિવાયની તમામ વર્ણોનો શ્રમ,બચત અને સામાજીક શોષણ કરીને ઐયાશી ભોગવી છે તેની સામે શરુ થયેલો પડકાર છે. જે હવે દિનપ્રતિ દિન તેમના માટે અસહ્ય બનતો જાય છે.ઉગ્ર હિંદુત્વની ટ્રોલ આર્મીનો આયોજીત હુમલો "દલિત ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા" સામે હતો અને છે. તે લેશ માત્ર ભુલાવું ન જોઇએ. તે એકત્રીત ટોળાને  દેશની બહુમતી પ્રજા પાસે એવું અહેસાસ કરાવવું છે કે " આ દલિત વર્ણમાંથી આવેલા  સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયધીશ છે માટે તે સમગ્ર બહુમતી હિંદુ કોમ વિરોધી છે."માટે આવો ચુકાદો બહુમતી હિંદુ પ્રજા વિરોધી આપેલ છે.  આવા બધા લોકોના હાથમાં સત્તા આવતાં અને તેનો ઉપયોગ થતાં હિંદુ ધર્મનું અસ્તિત્વ ભયમાં મુકાઇ જાય છે. જેને દેશનું બંધારણ કે કાયદાનું શાસન સંરક્ષણ આપે છે. આ ઉગ્ર હિંદુત્વવાદી ચળવળે છેલ્લા ૧૪ વર્ષોમાં આ' હિંદુ ધર્મ ખતરે મેં છે' તેવી માનસિકતાનું ધ્રવીકરણ કરીને રાજકીય સત્તા પ્રાપ્ત કરીને દેશના લોકશાહી અને બંધારણીય મુલ્યોના પાયામાં સતત કઠુરાઘાત કરવાનું મોટા પાયે શરુ કરી દીધું છે.

  વડાપ્રધાન મોદીજીના ૧૧ વર્ષના દિલ્હીના સત્તા કાળ અને  ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સત્તાકાળના ૧૪ વર્ષમાં આપણને નાગરીકે તરીકે લેશમાત્ર એવો અહેસાસ થાય છે ખરો કે તેઓએ ન્યાયંતત્ર,બંધારણ અને કાયદાશાસનના સંરક્ષણ કે બચાવ માટે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો હોય? વડાપ્રધાન મોદીજીએ, માનનીય ગવાઇ સાહેબ તથા દેશના ન્યાયતંત્રના બચાવમાં કરેલ ટીકાથી કોને વિશ્વાસ પેદા થશે કે લોકશાહી સંસ્થાઓ સામેની સત્તાકીય અને સામાજીક અસહિષ્ણતામાં હવે ઓટ આવશે?

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––


--

Wednesday, October 8, 2025

ગુજરાત રેશનાલીસ્ટ એસોના મિત્રો માટે અગત્યની માહિતી

ગુજરાત રેશનાલીસ્ટ એસોના મિત્રો માટે અગત્યની માહિતી–

તા.૮મી ઓકટોબરે પ્રમુખ શ્રીવલી સાહેબે રાત્રિના નવ વાગે નિયમિત આયોજન કરે છે તે મુજબ વિષય– "આધ્યાત્મિક 

વાત"  વિષય પર વેબીનાર રાખ્યો છે. સૌ રેશનાલીસ્ટ મિત્રો માટે ખુબજ અગત્યનો વિષય બે કારણોસર છે.

(૧) ખાસ કરીને હિંદુ ધર્મના તત્વજ્ઞાનનો પાયો જ "આધ્યાત્મિક " ( "Spiritual") છે. શરીર અને આત્માના દ્વ્ંદ પર તેનો પાયો રચવામાં આવ્યો છે. આધ્યાત્મિક એટલે શું ? ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે તફાવત શું? તેમાંથીજ પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મનું હિંદુ તત્વજ્ઞાન, કર્મની થિયેરી તથા વર્ણવ્યવસ્થા વિ. નો પિરામીડ ઉભો કરવામાં આવ્યો છે.

(૨) ઇન્દ્રીયજન્ય અનુભવ ( Sense Perception) અને ઇન્દ્રીયાતીત અનુભવ ( Extra Sensory Perception- ESP) વચ્ચે તફાવત  શું છે? ઇન્દ્રીયાતીત અનુભવ ને આપણે કેવી રીતે ઇન્દ્રીયોથી સમજાવી શકીએ? 

કારીઆ સાહેબ, ગીરિશભાઇ અને અન્ય મિત્રોના સહકારથી અમે 'રેડીકલ હ્યુમેનીઝમ ' પુસ્તક પ્રકાશિત કરીને આપ સૌને શુભેચ્છા કોપી તરીકે મોકલાવ્યું છે. તે પુસ્તકમાં પ્રકરણ પાંચ–પાન નં ૪૯–૫૪  " ભૌતીકવાદ અથવા અદ્વૈતિક પ્રકૃતિવાદ અને વિજ્ઞાનનું તત્વજ્ઞાન" માં આપણા વેબીનારના વિષયની સરળ ગુજરાતીમાં ચર્ચા કરેલ છે.

આપ સૌ મિત્રો તે પ્રકરણનો અભ્યાસ કરી, મુઝવતા પ્રશ્નો હોય તો તેની નોંધ કરી ચર્ચા માટે લઇને વેબીનારમાં ભાગ લેવા ખાસ આમંત્રણ છે.

 શુભેચ્છા સાથે.

બીપીન શ્રોફ. અટલાંટા– યુએએ. ૬–૧૦–૨૫. 

તા.ક લીંક આ સાથે મુકેલ છે. અથવા ગુજરાત રેશનાલીસ્ટ એસો ની વોટસઅપ પર લીંક મળી રહેશે.



--

ગાંધીબાપુના હત્યારાઓની ટોળકીએ વિકસાવેલી નફરત અને ધિક્કારની વિચારધારાને અમલમાં મુકીને—--


ગાંધીબાપુના હત્યારાઓની ટોળકીએ વિકસાવેલી નફરત અને ધિક્કારની વિચારધારાને અમલમાં મુકીને—--

ગાંધીબાપુના હત્યારાઓની ટોળકીએ વિકસાવેલી નફરત અને ધિક્કારની વિચારધારાને અમલમાં મુકી દિલ્હીમાં દેશના પ્રજાતંત્ર તખ્તને યેનકેન પ્રકારે કબજે કરનારા તેના વારસદરો, સિક્કીમની પ્રજાના લોકનાયક સોનમ વાન્ચુ છે તેને કેવી રીતે ઓળખી શકે? બીજી બાજુ ગાંધીજીના અહીંસા,કોમી એકતા, અસહકાર, આમરણાંત ઉપવાસ અને શાંતિના જ માર્ગે સત્યાગ્રહ  અને વાટાઘાટો–સંવાદ કરીને બ્રીટીશ સરકારને સમજાવવામાં સફળ બનેલા મુલ્યોને આધારે  પ્રજાતંત્રમાં લોકપ્રશ્નો ઉકેલી શકાય તેવું તો પહેલા દિવસના શાખા પ્રવેશથી પ્રચારક બન્યા ત્યાં સુધી ભણાવવામાં જ ન આવ્યું હોય તેમાં દોષ–ગુનો કોનો? આર એસ એસે પેદા કરેલા પ્રજાના પ્રશ્નો  પ્રત્યે લાગણીહીન પ્રચારકોમાંથી બનેલા બકાસુરો( પ્રજાભક્ષકો) પાસે દેશની ૧૪૦ કરોડની જનતા, પોતાના પ્રશ્નોના ઉકેલ માટે શાંતિભર્યા માર્ગે સંવાદથી અપેક્ષા રાખે તો કોણ અપરિપક્વ, મુર્ખ અને બુધ્ધિહીન? 

મારી વાતને ખુબજ ટુંકમાં આ રીતે સમજાવું છું. સને ૧૯૨૦થી ૧૯૪૮ સુધી ગાંધી મુલ્યોએ, જવાહરલાલ  નહેરુ, સરદાર સાહેબ, મૌલાના અબ્દુલ કલામ, સરહદના ગાંધી અબ્દુલ ગફારખાન, વિનોબાજી, દાદાધર્માધિકારી, જેંપી, દેશના સમવાયતંત્રના દરેક રાજ્યમાં ગાંધી મોડેલ નેતૃત્વ જેમ કે ગુજરાતમાં રવિશંકર મહારાજ, જુગતરામ, ઢેબરભાઇ, વિ. વિ.ઘણા બધા.

તેની સામે સને ૧૯૨૫થી આર એસ એસની વિચારસરણીએ બ્રીટીશ સરકારની માફી માંગનાર શિરોમણી સાવરકર, પછી ગોડસે ની ટોળકી, સને ૨૦૦૨ પછી નરોડા પાટીયાવાળા બાબુ બજંરગી અને માયા કોડનાની માંથી શરુ કરીને ભુતપુર્વ એમ પી અહેસાન જાફરી સાથે બીજા ૬૫ને જીવતા સળગાવી દેનારા દેશભક્તો, બિલકીસ બાનુના બળાત્કારીઓ, બરોડાની બેસ્ટ બેકરી, ઓડ, મહેસાણા, વિ, અને  ગુજરાત બહારમાં ફાધર સ્ટેનને તેમના ત્રણ બાળકો સાથે જીવતા સળગાવી દેનારા હિંદુત્વના ટેકેદારો, માલેગાંવ બ્લાસટના તમામ આરોપીઓ સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહીત સહિત નિર્દોષ, મૃત્યુ પામનારા છ અને ૯૫ ઘાયલો ઇશ્વરી ઇચ્છાનું પરિણામ. બીજી બાજુએ ભિમા કોરેગાંવ તમામ  નિર્દોષ જીંદગીભર લોકપ્રવૃત્તિઓ કરનાર બૌધ્ધીકોને આઠ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખ્યા પછી પુરાવાના અભાવે એફ આઇ આર પણ દાખલ કર્યા વિના એક પછી એકને જામીન પર છોડયા. UAPA & NSA  જેવા કાનુનો હેઠળ ગૃહમંત્રાલયે આપેલી માહિતિ મુજબ આશરે ૮૦૦૦ (આઠ હજાર લોકો– કર્મનીષ્ઠો) વર્ષોથી જેમની સામે હજુ કેસ ચાલતો નથી, એફ આઇ આર દાખલ થઇ નથી તેવા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી જેલમાં છે.સોનલ વાન્ચુ અને ગાંધીજીના મુલ્યોમાં વિશ્વાસ રાખનારાને કોણ સમજણ પાડશે કે નાગરિકોની કોઇપણ સમસ્યાઓના ઉકેલ માટેનું સાધન યોગી આદિત્યનાથનું ' બુલડોઝર ' મોડેલ છે. જે હવે બીજેપી શાસિત  અન્ય રાજ્યોમાં પ્રજાના અસંતોષ સામે કાયમી શાંતિ સ્થાપવા અમલમાં મુકવાનું ચાલુ થઇ ગયું છે !

૧૭મી સપ્ટેમ્બરે પેલા નોન બાયોલોજીકલ સાહેબે પોતાની 'બર્થ ડે' રંગેચંગે ઉજવવા દેશના તમામ અખબારોને એક અંદાજ પ્રમાણે કુલ ૨૦૦ કરોડની જાહેરત આપી–અપાવી હતી. તેમાં દેશના અગ્રણી અખબાર ટાઇમ્સ ઓફ ઇંડીયાને ફક્ત એક જ દિવસની આશરે ૨૫ કરોડની જાહેરાત આપી હતી તેવું દિલ્હીના  અભ્યાસુ જર્નાલીસ્ટ અભય દુબેજીનું તારણ હતું.

બાજપાઇજીનો રાજધર્મનો ખ્યાલ  અને મોદીજીના રાજધર્મના ખ્યાલ વચ્ચેનો તફાવત કોઇ સમજાવશે તો મારુ– તમારું રાજ્યશાસ્રનું જ્ઞાન વધારે સ્પષ્ટ થશે!


--

Friday, October 3, 2025

જે સંગઠનની બુનિયાદ નફરત અને ઝેર ફેલાવા પર ટકી રહી છે!

જે સંગઠનની બુનિયાદ નફરત અને ઝેર ફેલાવા પર ટકી રહી છે!

જે સંગઠનની બુનિયાદ નફરત અને ઝેર ફેલાવા પર ટકી રહી છે તે સંગઠનનો અંત લાવવા કોઇ દુશ્મનની  જરુર પડતી નથી.આર એસ એસ, એક તેવા ઝેરી સાપ (કોબ્રા)ને  મોટા કરે, એવા સંગઠન તરીકે સને ૧૯૨૫માં  સર્જન કરવામાં આવ્યું હતું પછી વિકસાવવામાં આવ્યું છે. માટે તે એક સર્વપ્રકારે  જડ, રુઢીચુસ્ત, બંધિયાર, અપરિવર્તનશીલ,અમાનવીય વર્ણવ્યવસ્થાનું નફ્ફ્ટ ટેકેદાર, સ્રી સમાનતાનું મુળભુત વિરોધી બની રહ્યું છે. તે એક ફક્ત બ્રાહ્મણવાદી, દેશ અને દુનિયાના તમામ ધર્મો અને સંપ્રદાયો પ્રત્યે નફરત, ધિક્કાર અને જરુર પડે હિંસા  ફેલાવનારું અસહિષ્ણુ સંગઠન છે.

   તેના અંત માટે તેનાજ એક કહેવાતા ગૌરવશાળી  સર્વોત્તમ પ્રચારકના નેતૃત્વ નીચે તેના કાર્યકરોને રાજકીય સત્તાની ભાગબટાઇ કરવા સ્થાનિક કક્ષાએથી  માંડીને દિલ્હી દરબાર સુધી  વાજતેગાજતે ગોઠવી દેવામાં આવ્યા છે. છેલ્લા ૧૦૦ વર્ષોથી રાજકીય સત્તાના ફળો ચાખવામાં બાકી રહી ગયેલા હોવાથી સત્તા મળતાં જ પ્રથમ મદહોશ બનતાં તે બધાને છાકટા બનાવી દીધા છે. મહાભારતના નાયક અને વિષ્ટીકાર શ્રી કૃષ્ણના વારસાદારો યાદવોને સત્તા મળતાં તેમને સૌ પ્રથમ સુરાએ મદહોશ બનાવ્યા હતા. મહાભારતના યુધ્ધના અંત પછી કોઇ દુશ્મન બાકી ન રહ્યો હોવાથી 'આંતરિક યાદવાસ્થળી' ની રચના કરીને  કોઇ  બહારના " ઘુસપેઠીયા" ની મદદ સિવાય પોતાનો સર્વનાશ લાવી દીધો. આર એસ એસ એન્ડ કંપનીએ સત્તાની સુરંગમાં પોતાનું  સર્વસ્વ ઘુસાડી દીધુ છે. હવે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તો પોતે જ ચણી લીધો છે, બંધ કરી દીધો છે. જે દિવસે સત્તાની સુરંગ ફુટી ગઇ તે દિવસે ' ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી".

એલોપેથી દવા બનાવતી વખતે જ તેના પર "એક્ષપાયરી ડેટ" લખી નાંખવામાં આવે છે. પણ ઝેર ના જથ્થા પર કોઇ "એક્ષપાયરી ડેટ" લખવાની જરુર પડતી નથી. ઝેરના જથ્થાને વાપરનારા અને ફેલાવનારા જ તેનો શિકાર બની જાય છે. ભારતીય ઉપનિષદોમાં એક બોધ કથા છે. કે  જે અગ્નિ ઘાસને સળગાવી ને નાશ કરે છે. તે જ અગ્નિનો ઘાસ જ ઠંડુ પડી જતાં નાશ થઇ જાય છે.

સને ૧૯૧૭ની રશિયામાં થયેલી સામ્યવાદી ક્રાંતિની મદદથી લગભગ ૫૦ ટકા યુરોપની વસ્તીને ઉમેરવામાં આવેતો રશિયા (યુએસએસઆર)અને રિપબ્લીક ચાઇનાને સાથે ગણીએ તો વિશ્વની અડધા ઉપરની વસ્તી સામ્યવાદી સત્તાની એડી નીચે આવી ગઇ હતી. શું થયું એ સત્તાનું અને વિચારસરણીનું? સંપુર્ણ વિધટન!  તે જ ક્રાંતિકારી વિચારકોના વાહકોની સત્તાના સાઠમારીએ જ તેમનો અંત લાવી દીધો. વર્તમાન પુટીનનું રશિયા અને ઝેનપીંગનું ચીન ને કોણ કહેશે કે " પેલા કાર્લ માર્કસ દાદાના સુપ્રસિધ્ધ સિધ્ધાંત " વિશ્વભરના કામદારો એક થાવ તમારે ફક્ત બેડીઓ તોડવા સિવાય કશું ગુમાવવાનું નથી." ને વરેલું છે. ચે ગુવેરાને આજે પણ એક મહાન ક્રાંતિકારી તરીકે એટલે માટે સ્વીકારવામાં આવે છે કે તેણે ક્યુબાના કાસ્ટ્રો સાથે સત્તા લઇને રાજ્ય શાસન કરવામાંથી પોતાની જાતને દુર રાખી.

તારણ– સત્તા અને ખાસ કરીને નિરંકુશ સત્તા એવી છે કે તેને પ્રાપ્ત કર્યા પછી તે તમને મદહોશ બનાવે છે. સત્તાની મદહોશી તેને વાપરનારને, ઉપયોગ કરનારને, તેના સંરક્ષણ માટે બાકીના બધા તેને દુશ્મનો દેખાય છે. બસ તે ભય સર્વનાશની સીડી તરફ દોડતો લઇ જાય છે! આર એસ એસના સર્વોત્તમ પ્રચારકથી માંડીને  તેના સરસંચાલકની મોદી સરકારની ઝેડ કમાન્ડોની સુવિધાઓ અને સાહેબીઓ કોને ન ગમે!












--

Monday, September 29, 2025

ઝેન–ઝી પ્રજાકીય આંદોલનનું સાધન કેવી રીતે બની ગયું?

વૈશ્વિક કક્ષાએ GEN-Z, ઝેન–ઝેડ કે ઝેન– ઝી પ્રજાકીય આંદોલનનું માધ્યમ કેવી રીતે બની ગયું છે?( લોકભોગ્ય ભાષામાં ઝેન– ઝી શબ્દ સ્વીકાર્ય થઇ ગયો છે. માટે સમગ્ર લેખમાં ઝેન–ઝી શબ્દનો ઉપયોગ કર્યો છે.) ૨૧મી સદીમાં  તે પ્રજાકીય આંદોલન માટેનું સાધન બની ગયું છે. તેનો સામાન્ય અર્થ શું? ત્યાં એકાએક રાજકીય સત્તા સામે વિદ્રોહ કરવાની અને આધુનિક ઔદ્યોગિક સમાજની સમસ્યાઓ ઉકેલવા ની ક્ષમતા કેવી રીતે વિકસી ગઇ છે?

ઝેન–ઝી શબ્દ એક યુવાન પેઢીને ( ઉ– વર્ષ ૧૭થી –૨૯વર્ષ સુધીની) ઓળખવા માટે વાપરવામાં આવે છે. તેને ડીજીટલ યુગ ની પેઢી તરીકે ઓળખવામાં આવે છે.સદર પેઢીનો જન્મ પારણામાં ઘુઘરો રમવાને બદલે મોબાઇલ ફોન રમવાની સાથે થયો છે. વિશ્વભરમાં જુદા જુદા દેશોની સરકારો સામે અને વૈશ્વિક કક્ષની પર્યાવરણની સમસ્યા સામે પ્રજામત કેળવવામાં અને તેનો ઉકેલ શાંતિપ્રિય માર્ગે જ્ઞાન આધારિત કરવાના પ્રયત્નોમાં નિહિત છે. ડીજીટલ મીડિયા એટલે ફેસબુક , ટીક–ટોક, વોટ્સએપ,એક્ષ(X), ઇન્સ્ટાગ્રામ એપ્સની  મદદથી તે સંદેશા વ્યવહારની આપલે માટે ડીજીટલ ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાં  સમસ્યાઓની અધિકૃત માહિતી,ઉપાયો, આયોજનો વિ માટે ઇમોજી પ્રતીકોનો ભરપેટ ઉપયોગ કરવામાં આવે છે. ઇમોજી ના પ્રતિકો જ મોટાભાગે સંદેશા વ્યવહારના સાધનો બની જાય છે. તેમના સંદેશા વ્યવહારના ઇમોજી પ્રતીકો ખાસ હેતુ સમજાવતા હોય છે. સભ્ય સિવાયના બીજા ને સમજવા સરળ હોતા નથી.તેની ચળવળમાં સંદેશાવ્યવહાર નું ક્ષેત્ર સરળતાથી રાષ્ટ્રની સીમા બહાર વૈશ્વિક બની જાય છે. 

    તાજેતરમાં નેપાળ, કેન્યા, બાંગ્લાદેશ અને પેરુ ( દક્ષિણ અમેરિકા નો એક દેશ) વિ સ્થળોએ ઝેન–ઝી ચળવળના આંદોલનકારો, સોસીઅલ મીડિયા પ્રતિબંધ , ચાલુ રાજ્યકર્તાઓ ભ્રષ્ટાચાર,અને ઐયાશી,યુવા– બેરોજગારી, આર્થીક અસમાનતા, વૈશ્વિક કક્ષાએ પર્યાવરણની અસમતુલાને ઉકેલવા માટે સંગઠિત થઈ ને સત્તા પરિવર્તન અને સફળ બનાવ્યું હતું. જુના સત્તાધીશોને પદચ્યુત કરીને વચગાળાની સરકાર રચીને નવી લોકશાહી સંસદીય પ્રથા મુજબ ચૂંટણી કરવાની ગોઠવણ કરવામાં સફળ થયા છે.  

ઝેન–ઝીની ચળવળના સૂત્રધારને વર્તમાન રાજકીય પક્ષીય સત્તાધારીઓ માં ભરોસો નહિવત છે.ચળવળના જોડાણો જોત જોતામાં વૈશ્વિક બની જાય છે. કારણ કે માહિતીની આપલે ના માધ્યમો આંતરરાષ્ટ્રીય હોય છે. સતત વધતી મોંઘવારી,આવક અને બચતની સમાજમાં અસમાન વહેંચણી, આધુનિક ઔદ્યોગિક સમાજે પેદા કરેલ માનસિક તનાવ અને અસલામતી , પર્યાવરણ ના જોખમો, અનિયંત્રિત ગન– બંદૂક જેવા શસ્ત્રો નો દૂરઉપયોગ,વંશીય અને લૈંગિક અસમાનતા વિ, ઝેન–ઝી ડીજીટલ યુગનું સર્જન છે. 

 અગાઉના જાહેર જીવનના કર્મશીલો કરતાં ઝેન–ઝીનું નેતૃત્વ ઘણું બધું ઉદારમતવાદી છે. તેમના અંગત જીવન મુક્ત–ખાસ કરીને સામાજિક અને ધાર્મિક સંદર્ભમાં, તમામ પ્રકારના રુઢી ભંજક રહેવાનું! કાયદાના અમલ અને પાલન માં પણ ઉદાર અભિગમનું ટેકેદાર. રાજકીય પક્ષો, સત્તા અને સંસ્થાઓ પ્રત્યેનો ઝેન–ઝીનો અભિગમ બિલકુલ ભ્રષ્ટ પ્રથા તરીકે.જ્યારે પોતાના દેશની સરકારની નીતિઓ અને કાર્યો વિ. સાથે અસહમત થાય ત્યારે નાગરિક અસહકાર (willingness to engage in civil disobedience) સંઘર્ષ માટે પુરેપુરા સજ્જ. પોતાના દેશની સરકારો સામે  " ડીજીટલ પબ્લીક માર્ચ( કુચ), ડીજીટલ પબ્લીક સ્ક્વેર પર ચર્ચાનું પ્લેટફોર્મ,, સ્રીઓના ગર્ભાપાત અને સર્વિસ સ્થળોએ જરૂરી સુવિધાઓ વિ. માટે ડીજીટલ જાહેર મંચ કે ચોક તેમાં રચના હોય છે.Digital Defenders (Women's March)સ્રી કર્મશીલો પોતાના અંગે ફેલાવવામાં આવતી ખોટી માહિતી નો પર્દાફાશ કરવો. સાથે સાથે જ્ઞાન–વિજ્ઞાન આધારિત પુરાવા ઓનલાઇન સતત રજુ કર્યા કરવા.ડીજીટલ સ્રી માર્ચના ડિજિટલ પ્લેટફોર્મનો(ઓનલાઇન) ઉપયોગ માનવ કેન્દ્રિત પ્રગતિશીલ મુલ્યોના પ્રચાર માટે( સ્વતંત્રતા, તર્ક વિવેકશક્તિ(રેશનાલીટી) અને ધર્મના આધાર સિવાયનો નૈતીક વ્યવહાર નિયમિત ઉપયોગ કરીને જીવનના તમામ ક્ષેત્રે સશક્તિકરણ પ્રાપ્ત કરવું.ડીજીટલ એનજીઓ સંસ્થા ની રચના કરીને સમાજમાં વ્યક્તી– સમાજ  કેન્દ્રી શિક્ષણ, આરોગ્ય, સ્રીકલ્યાણ કેન્દ્રી વિ. સંસ્થાોનું સર્જન કરી શકાય તેવું માળખું પેદા કરવામાં મદદરૂપ થવું.ટુંકમાં હકારાત્મક પણ સેક્યુલર  ડીજીટલ પરિવર્તન માટેની વિકેન્દ્રીત પાયો તૈયાર કરવો.અંતમાં ડીજીટલ નાગરિક,સમાજ અને રાજ્યવ્યવસ્થા નું સર્જન કરવુ. વૈશ્વિક,રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક કક્ષાએ " ડીજીટલ પબ્લીક ઇન્ફરાસ્ટક્ચર"ની સુવિધા વિકસાવવાની તે પણ તેમનો એજન્ડા હોય છે.

વધુ માહિતી ભાગ–૨. કેવી? ભારતમાં ઝેન–ઝી ક્રાંતિ શક્ય છે? તે માટેના પરિબળો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે? દેશના મોદી–શાહના શાસનમાં ભુતકાળ અને વર્તમાનમાં  પ્રજાના પ્રશ્નો જેવાં કે કિસાન આંદોલન, વિશ્વ ઓલમ્પીક વિજેતા મહીલા પહેલવાનોના યૌન શોષણના પ્રશ્નો,દેશ ગોદી–મોદી મિડીયાને હવાલે, ચૂંટણી બોન્ડ, વિદ્યાર્થીઓને પેપર લીકના પ્રશ્નો, સંસદના બંને ગૃહોમાં વિરોધપક્ષો સાથે બિન લોકશાહી વ્યવહાર, રાજકીય સત્તા નો બેફામ દૂરઉપયોગ, 'વોટ ચોર–ગદ્દી છોડ' જેવા અનેક  મુદ્દાઓ પર હિંસક અને અસહિષ્ણુતા, દેશમાં કોઈપણ પ્રકારના શાંત અને અહીંસક આંદોલનો, તેના આયોજકો–નેતાઓ તમામ, દેશદ્રોહી, અર્બન નક્ષલ, પાકિસ્તાની એજન્ટ વિ વિ. નું અમાપ લીસ્ટ…યુવા બેકારી, અર્થતંત્રની સંપૂર્ણ બેહાલી માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 'બળતામાં ઘી રેડવાનો નિરકુંશ ફાળો! આ વરવી વાસ્તવિકતા સામે ઝેન–ઝીની ચળવળની વ્યુહ રચના ગાંધીજીના હત્યારાના વારસો સામે અહિંસક સાધનો અને માર્ગે સફળ થાય? શહીદે આઝામ ભગતસિંહ નો માર્ગ, બાબાસાહેબ આંબેડકરનો બંધારણીય માર્ગ! ફેસબુક વાચક મિત્રો, હું અને તમે સાથે મળીને વિચારીએ! હવે પછી ના ભાગમાં આપણા બંનેનો સહિયારા ચિંતનનો સરવાળો!…..

sam







--

Saturday, September 27, 2025

વડાપ્રધાન મોદીજી અને ગૃહમંત્રી અમીત શાહ,

વડાપ્રધાન મોદીજી અનેગૃહમંત્રી અમીત શાહ!

તમે બંનેએ આ દેશને ક્યાં લાવીને મુક્યો છે. અને હજુ તમારે તેને ક્યાં લઇ જવો છે?

ભાજપ સંચાલિત મધ્યપ્રદેશની એક આદીવાસી ૨૫ વર્ષીય મહીલા નામે દેવા પારઘીને પોલીસ કસ્ટડીમાં મારી નાંખવામાં આવી હતી.તેના કાકાને પોલીસ કસ્ટડીમાં પગ ભાંગી નાખવામાં આવ્યો.

દેશની સર્વોચ્ચ અદાલતે જવાબદાર બે પોલીસ અધીકારીને પકડી લાવવા હુકમ કરવો પડે તો પણ તેમની ધરપકડ ન થાય! મધ્યપ્રદેશની ભાજપી સરકાર ફરાર અધિકારીઓને સર્વોચ્ચ અદાલતના હુકમનો અનાદર કરીને નિયમિત પગાર ચુકવે!

વાંચક મિત્રોને વિનંતી કે શાંત ચિત્તે, આ સત્તાધારીઓએ દેશની સર્વોચ્ચ અદલાતને પણ તમામ અન્ય સંસ્થાઓની પોતાના હિતોના રક્ષણ માટે કેવી બનાવી દીધી છે? માનનીય સર્વોચ્ચ અદાલાતના માનનીય ન્યાયધીશોના આ કેસના નિરિક્ષણોથી સમજવાનો પ્રયત્ન કરીએ.

કસ્ટોડિયલ મૃત્યુ કેસ: સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકાર અને સીબીઆઈને 7 ઓક્ટોબર સુધીમાં ફરાર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવા અથવા અવમાનનાના આરોપોનો સામનો કરવા જણાવ્યું છે

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યપ્રદેશ સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને 25 વર્ષીય દેવા પારધી( મહીલા)ના કસ્ટોડિયલ ડેથ– મૃત્યુના આરોપી બે ફરાર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવા માટે 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે, ચેતવણી આપી છે કે આમ કરવામાં નિષ્ફળતા અનાદરને આમંત્રણ આપશે અને રાજ્યના અધિક મુખ્ય સચિવ અને સીબીઆઈના તપાસ અધિકારીને બીજા દિવસે કોર્ટમાં હાજર રહેવાની સદર હુકમ પ્રમાણે ફરજ પડશે.

જસ્ટિસ બી.વી. નાગરથ્ના અને આર. મહાદેવનની બેન્ચે કહ્યું કે અધિકારીઓ માટે 15 મેના તેના આદેશને અમલમાં મૂકવા માટેની આ "છેલ્લી તક" છે, જેણે તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી હતી અને આરોપી પોલીસ અધિકારીઓની એક મહિનાની અંદર ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

"આ કોર્ટના નિર્દેશના અમલીકરણમાં કોઈ પ્રગતિ થઈ નથી "... આગામી કોર્ટ વેકેશનને ધ્યાનમાં રાખીને, અમે નિર્દેશ આપીએ છીએ કે પ્રતિવાદીઓ આ કોર્ટના નિર્દેશનું પાલન સુનિશ્ચિત કરે અને 7 ઓક્ટોબરના રોજ અથવા તે પહેલાં અરજદારના વકીલને તેની નકલ આપીને સોગંદનામું દાખલ કરે," તેમ કહેવામાં આવ્યું છે.

જ્યારે રાજ્યના વકીલે દેશની સર્વોચ્ચ કોર્ટને અધિકારીઓની વ્યક્તિગત હાજરીની જરૂરિયાતને છોડી દેવા વિનંતી કરી, ત્યારે કોર્ટે કહ્યું, "અમે ખૂબ ધીમે અને સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છીએ. જો કે, જો કોઈ પાલન ન થાય, તો તેમને આરોપો ઘડવા માટે તૈયાર રહેવા દો." ન્યાયાધીશોએ એ પણ સંકેત આપ્યો કે જો સમયમર્યાદા સુધીમાં ધરપકડ કરવામાં ન આવે તો તેઓ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને સદર કોર્ટ સમન્સ પાઠવી શકે છે.

રાજ્યના વકીલે રજૂઆત કરી હતી કે આરોપી અધિકારીઓ, ઇન્સ્પેક્ટર સંજીવ સિંહ માવઈ અને ઉત્તમ સિંહ કુશવાહા, એપ્રિલથી ફરાર હતા, અને સ્પષ્ટતા કરી હતી કે મે મહિનાથી તેમના પગાર ચૂકવવામાં આવ્યા નથી. અગાઉની સુનાવણીમાં, બેન્ચે ધરપકડના આદેશ છતાં પગારના સતત વિતરણ સામે કડક વાંધો ઉઠાવ્યો હતો, તેને "ઉગ્ર અવમાનના" ગણાવી હતી.

જોકે, બેન્ચે કહ્યું કે રાજ્ય વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી તે "અપ્રભાવિત" છે. "અમે ઇચ્છીએ છીએ કે અધિકારીઓની ધરપકડ કરવાનો આદેશ આપતો આ કોર્ટના આદેશ અનુસરવામાં આવે. તમે તેમને પગાર આપો કે સસ્પેન્ડ કરો, તે તમારો ચોકીદાર છે. આ કોર્ટની મહિમા( આબરુ) જાળવી રાખવો જોઈએ," કોર્ટે કહ્યું.

સીબીઆઈ વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર-જનરલ રાજકુમાર ભાસ્કર ઠાકરેએ કહ્યું કે એજન્સીએ દરોડા પાડ્યા છે, અધિકારીઓને જાહેર કરાયેલા ગુનેગાર જાહેર કર્યા છે અને તેમના ઠેકાણા શોધવા માટે દેખરેખ રાખી છે. જોકે, બેન્ચે વળતો જવાબ આપ્યો, "જો આ બે અધિકારીઓ ખાનગી વ્યક્તિઓ હોત, તો તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી હોત. કારણ કે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર છે, તેથી તમને તેમની ધરપકડ કરવામાં મુશ્કેલી પડી રહી છે... આ કેસનો લાંબો અને ટૂંકો મુદ્દો આટલો જ છે."

સેશન્સ કોર્ટમાં અગાઉ દાખલ કરાયેલી આગોતરા જામીન અરજીઓ છતાં આરોપીઓને શોધવામાં નિષ્ફળતા પર ન્યાયાધીશ મહાદેવને એજન્સી પર વધુ ભાર મૂક્યો. "તેઓ આગોતરા જામીન અરજીઓ દાખલ કરવા છતાં તમે તેમને શોધી શકતા નથી?" તેમણે પૂછ્યું, ઉમેર્યું, "તો પછી તમે સોગંદનામું આપ્યું કે તમે લાચાર છો અને તમે તેમને શોધી શકતા નથી."

અરજદાર વતી હાજર રહેલા એડવોકેટ પાયોશી રોયે પ્રશ્ન કર્યો કે સીબીઆઈ અને રાજ્ય વહીવટીતંત્ર બંનેની "સંપૂર્ણ શક્તિ" ધરપકડ કરવામાં કેવી રીતે નિષ્ફળ ગઈ. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ કેસના એકમાત્ર સાક્ષી, પીડિતાના કાકા ગંગારામ પારધીને ન્યાયિક કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો. પોલીસ કસ્ડીમાં હતા ત્યારે સદર પીડીતાના કાકાનો પગભાંગી નાંખવામાં આવ્યો હતો. અને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી જેથી પરિવારને તિરસ્કારની અરજી પાછી ખેંચી લેવા દબાણ કરી શકાય.

બેન્ચે અગાઉ સીબીઆઈને ચેતવણી આપી હતી કે જો સાક્ષીને કંઈ થયું તો તેને બક્ષવામાં આવશે નહીં. "સાક્ષીની સ્થિતિનું શું? કસ્ટડીમાં હોવા છતાં તેને ફ્રેક્ચર થયું છે. અમે બીજું કસ્ટડીમાં મૃત્યુ ઇચ્છતા નથી," ન્યાયાધીશોએ કહ્યું હતું.

એક તબક્કે, રાજ્ય દ્વારા આરોપીને શોધી કાઢવામાં નિષ્ફળતા છતાં ખંતના વારંવારના દાવાઓથી ગુસ્સે થઈને, બેન્ચે અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરવાનું સૂચન કર્યું. "બંને અધિકારીઓની નોકરી સમાપ્ત કરો,એટલે તેઓ આપમેળે સપાટી પર આવશે", ન્યાયાધીશ નાગરત્નાએ ટિપ્પણી કરી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સૌ. હીન્દુ અંગ્રેજી દૈનીક. ભાવાનુવાદ.તા. ૨૬મી સપ્ટેમ્બર ૨૦૨૫.

 


--

Wednesday, September 24, 2025

આપણા હાઉડી! મોદી! અબકીબાર ટ્રમ્પ

આપણા હાઉડી! મોદી! અબકીબાર ટ્રમ્પ–––ની ૫૦ ટકા આયાત ટેરીફ અને H1B Visa per person,per year $ 1,00,000 feesથી ચિત્તભ્રમની સ્થિતમાં આવી ગયા છે. પણ અમેરીકન દૈનીક Washington Post ૨૧મી સપ્ટેમ્બરનો અહીંના અર્થતંત્ર અંગે નીચે મુજબનો રિપોર્ટ છે.
ઘણા અમેરિકનો આ અટકેલા અર્થતંત્રમાં ઘર ખરીદી શકતા નથી, નોકરી મેળવી શકતા નથી અથવા અન્ય શહેરોમાં નોકરી લેવા સ્થળાંતર કરી શકતા નથી.( નોકરી બજાર સ્થિર છે, અને ઘરનું વેચાણ પણ સ્થિર છે. "તે આપણીગુજરાતી કહેવત–  " દિવા સ્વપ્ન જેવી વાત છે.")
કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં એક ઘર પર 'વેચાણ માટે'નું ચિહ્ન જોવા મળે છે. ફેડરલ રિઝર્વે 17 સપ્ટેમ્બરના રોજ આ વર્ષે પહેલી વાર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન હેઠળ નીતિ નિર્માતાઓને વધતા દબાણનો સામનો કરવો પડી રહ્યો હોવાથી ધીમી નોકરીના લાભ અને રોજગાર માટેના જોખમોને ચિહ્નિત કરે છે.
ઊંચા ઉધાર ખર્ચ, ઘટતી નોકરીઓની તકો અને વધતી જતી આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના મિશ્રણને કારણે ઘણા યુ.એસ. પરિવારો સ્થિર થઈ ગયા છે, ઘણા અમેરિકનો કહે છે કે તેઓ નવા ઘરો ખરીદવા, નવી નોકરીઓ લેવા અથવા નવા શહેરોમાં સ્થળાંતર કરવામાં અસમર્થતા અનુભવે છે.
 ફેડરલ રિઝર્વ દ્વારા ગયા અઠવાડિયે વ્યાજ દરમાં ઘટાડો  એવી અપેક્ષા સાથે કરવામાં આવ્યો છે કે તેથી શેરના ભાવમાં વધારો થશે, પરંતુ તેનાથી રોજિંદા અમેરિકનોની આર્થીક બેહાલી  સુધરવાની શક્યતા નથી. ગ્રાહકોના રોજબરોજના જીવન પર આર્થિક અનિશ્ચિતતા, ટેરિફ, વધતો જતો ફુગાવો+ મંદીની શક્યતાઓ( Stagflation–means combination of slow economic growth & rising prices -High inflation) વચ્ચે અમેરીકન અર્થતંત્ર ગળાડૂબ ફસાઇ ગયેલું છે.તેથી ફેડરલ ફંડ્સ રેટ દરોમાં ક્વાર્ટર-પોઇન્ટ( એક ટકાના ચોથા ભાગ જેટલો) ફેરફાર કરવાથી તે સમસ્યાઓનો ઉકેલ લાવવાનો નથી,"  રૂઢિચુસ્ત થિંક ટેન્ક મેનહટન ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો જેસીકા રીડલે "અર્થતંત્રને પાછળ રાખતા ઘણી મોટા અવરોધો છે જેને પહેલાં ઉકેલ લાવવા તાત્કાલીક પગલાં લેવા જોઇએ તેવો અભિપ્રાય આપ્યો છે.."
માસિક ઘર વેચાણનો દર તાજેતરમાં તળિયે પહોંચી ગયું છે, જે 2000 ના દાયકામાં મહામંદી પછી જોવા મળેલા નીચલા સ્તરે પહોંચી ગયું છે. અમેરિકનોને તેમની નોકરીઓમાંથી કુંપનીઓ છોડી રહી છે. નવી નોકરીઓ મેળવી રહ્યા નથી. આ વર્ષે ભરતીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, છેલ્લા ત્રણ મહિનામાં નોકરીદાતાઓએ 88,000 નોકરીઓ ઉમેરી છે, જે ગયા ઉનાળાની ગણતરીના લગભગ એક તૃતીયાંશ કે ત્રીજા ભાગની છે.
    વસ્તી ગણતરીના ડેટા દર્શાવે છે કે અમેરિકનો સામાન્ય રીતે દાયકાઓ કરતાં ઓછા - નવા ઘરો અથવા શહેરોમાં - સ્થળાંતર કરી રહ્યા છે.શ્રમજીવીઓ અને શ્રમનું સ્થળાંતર બંધ થઇ ગયું છે. આર્થીક સ્થગિતતાએ અમેરીકન નાગરીકને જ જીવનના તમામ ક્ષેત્રોમાં  સ્થગિત બનાવી દીધો છે.
   આવી સ્થિતિમાં તાજેતરના સ્નાતકો અને બેરોજગારો અર્થતંત્રમાં તકોનો અભાવને કારણે તેમના માટે આ અર્થતંત્રમાં પગપેસારો કરવાનું મુશ્કેલ બનાવી રહ્યું છે. "નોકરી-બદલી એ અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે મૂળભૂત રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે," ઇન્ડીડ હાયરિંગ લેબના અર્થશાસ્ત્રી એલિસન શ્રીવાસ્તવે જણાવ્યું. "તમારે ખરેખર મંથનની જરૂર છે: કામદારો માટે વધુ સારું વેતન મેળવવા અને શ્રમને જ્યાં જવાની જરૂર છે ત્યાં ખસેડવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. અત્યારે આપણે એક સ્થિર જગ્યાએ છીએ જ્યાં લોકો તેમની કારકિર્દીમાં પ્રગતિ કરી શકતા નથી."
દક્ષિણ કેરોલિનામાં રહેતી 23 વર્ષીય જેસિન્ડા સ્નાઇડર લગભગ દરેક રીતે અટવાયેલી અનુભવે છે: પર્યાવરણીય વિજ્ઞાનમાં ડિગ્રી મેળવ્યાના લગભગ એક વર્ષ પછી પણ, તે હજુ પણ નોકરી શોધી રહી છે અને તેની માતા સાથે રહે છે. તેણીએ કહ્યું કે, કામની ઓછી તકો અને ઊંચા રહેઠાણ ખર્ચના કારણે તેણી વધુને વધુ બંધાયેલી અનુભવી રહી છે. સ્નાઇડર પાસે કાર નથી અને તે સ્થળાંતર કરી શકતી નથી, જેના કારણે તેણી પાસે મર્યાદિત નોકરીની સંભાવનાઓ છે. "હાલમાં નોકરી મેળવવી ખૂબ મુશ્કેલ છે. રહેવા માટે જગ્યા શોધવી તો તેનાથી પણમુશ્કેલ છે," તેણીએ કહ્યું. " નજીકના ભવિષ્યમાં આર્થીક સ્થિરતા મેળવવાનો કોઈ રસ્તો દેખાતો નથી."
    વોશિંગ્ટન પોસ્ટ ઇપ્સોસના એક નવા મતદાનમાં દર્શાવવામાં આવ્યું છે કે નોકરી શોધવાનો આ સારો સમય છે તેના કરતાં લગભગ બમણા અમેરિકનો - 63 ટકા - કહે છે કે નોકરી શોધવાનો આ સૌથી  ખરાબ સમય છે. આ મહિને ન્યૂ યોર્ક ફેડ દ્વારા કરવામાં આવેલા અન્ય એક સર્વેમાં જાણવા મળ્યું છે કે નવી નોકરી શોધવાની તેમની ક્ષમતામાં અમેરિકનોનો વિશ્વાસ રેકોર્ડ નીચા સ્તરે છે.

પશ્ચીમી અર્થતંત્રમાં,  જો કે નોકરી બદલનારા લોકોએ ઐતિહાસિક રીતે તે જ પદ પર લાંબા સમય સુધી  રહેતા લોકો કરતા વધુ વેતન વધારો મેળવ્યો છે, પરંતુ તાજેતરમાં તે ગતિશીલતા બદલાઈ ગઈ છે: છેલ્લા સાત મહિનામાંથી છ મહિનામાં નોકરી બદલનારાઓ કરતા નોકરી ન બદલનારાઓએ વધુ પગાર વધારો મેળવ્યો છે, એમ એટલાન્ટા ફેડના લેબર ડિપાર્ટમેન્ટના ડેટાના વિશ્લેષણ દર્શાવે છે. "જો તમારી પાસે હવે જેવી પણ નોકરી છે, તો તમે કદાચ ઠીક છો," પેસિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એક ફ્રી-માર્કેટ થિંક ટેન્કના અર્થશાસ્ત્રી વેન વાઇનગાર્ડને કહ્યું. "બહારના લોકો સંઘર્ષ કરી રહ્યા છે." ચાર્લ્સ, જે 64 વર્ષનો છે અને મેરીલેન્ડમાં રહે છે, તેણે લગભગ એક વર્ષ પહેલા ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં ફેડરલ કોન્ટ્રાક્ટિંગ નોકરી ગુમાવી દીધી હતી. ત્યારથી, તેણે 150 થી વધુ પદો માટે સફળતા વિના અરજી કરી છે અને તાજેતરમાં કરિયાણાની દુકાનમાં પાર્ટ-ટાઇમ કામ કરવાનું શરૂ કર્યું છે.
"હું વધુ આવક અને વધુ ઉત્તેજક કામ કરવા માટે ટેવાયેલો છું," ચાર્લ્સે કહ્યું, જેમણે આ શરતે વાત કરી હતી કે તેની રોજગારની સંભાવનાઓ જોખમમાં મુકાય તે ડરથી તેને ફક્ત તેના પ્રથમ નામથી ઓળખવામાં આવે. "હું ખાલી બેઠો નથી પણ હું જે દિશામાં જવા માંગુ છું તે દિશામાં આગળ વધી રહ્યો નથી. તે પાણીને કચડી નાખવા જેવું લાગે છે." ચાર્લ્સ અને તેની પત્નીની એક પુત્રી કોલેજમાં છે અને તેઓ ઝડપથી તેમની બચતમાંથી કામ કરી રહ્યા છે. પરંતુ, તે કહે છે, એક સારી વાત છે: તેમણે 2018 માં ભાવ અને મોર્ટગેજ દરોમાં વધારો થાય તે પહેલાં તેમનું ઘર ખરીદ્યું હતું. "અમે 3 ટકા વ્યાજ દરે એક સુંદર ઘરમાં અટવાઈ ગયા છીએ," તેમણે કહ્યું. "હું એક હકીકત માટે જાણું છું કે અમે હવે આ ઘર પરવડી શકીશું નહીં."

પોષણક્ષમ રહેઠાણ અને ઉપલબ્ધ નોકરીઓનો અભાવ બંને  વ્યાપક આર્થિક અસ્થિરતામાં ફાળો આપી રહ્યો છે. વસ્તી ગણતરીના ડેટા દર્શાવે છે કે 2006 અને 2023 વચ્ચે સ્થળાંતર કરનારા અમેરિકનોનો હિસ્સો સતત ઘટી રહ્યો છે, જે છેલ્લા વર્ષ માટે ડેટા ઉપલબ્ધ છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ત્યારથી આ વલણ કદાચ વધુ તીવ્ર બન્યું છે, કારણ કે શ્રમ બજારમાં તકો સુકાઈ ગઈ છે.
"માત્ર આઠ મહિનામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે આધુનિક અમેરિકન ઇતિહાસમાં સૌથી આક્રમક વિકાસ-પ્રોત્સાહક આર્થિક નીતિ એજન્ડા લાગુ કર્યો છે," પ્રવક્તા કુશ દેસાઈએ તાજેતરના કર કાપ, નિયમન અને વેપાર સોદાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. "અમેરિકનો ખાતરી કરી શકે છે કે શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે." પરંતુ ઘણા લોકો કહે છે કે તેઓ સાવધ રહે છે. તેઓ ચિંતા કરે છે કે ટેરિફ અને ઇમિગ્રેશન કડક પગલાં ફુગાવાને ફરીથી ભડકાવી શકે છે અને વધુ આર્થિક અનિશ્ચિતતા તરફ દોરી શકે છે.

કાઉન્સિલ બ્લફ્સ, આયોવામાં, મેલિસા બ્રેચરે આ વર્ષે જીવનના વિવિધ નિર્ણયો મુલતવી રાખ્યા છે: તેણીને નોકરી જોઈએ છે, પરંતુ તેણે નોકરી શોધવાનું છોડી દીધું છે. અને તેણીને નવું રેફ્રિજરેટર જોઈએ છે, પરંતુ તે પણ થોભાવવામાં આવ્યું છે."હું એવી કોઈ પણ વસ્તુ પર બિલકુલ પૈસા ખર્ચવા માંગતી નથી જે હાલમાં જરૂરી નથી," 54 વર્ષીય બ્રેચરે કહ્યું,  કે 20 વર્ષ દૂર રહ્યા પછી, તેમના પુત્રને ઉછેર્યા પછીરોજગાર–બજારમાં ફરીથી પ્રવેશ કરવો લગભગ અશક્ય બની ગયું છે. "અમે એક દંપતી તરીકે ખૂબ સારું કરી રહ્યા છીએ - મારા પતિ સારા પૈસા કમાય છે - પણ જો તે નોકરી ગુમાવે તો શું? કોઈ નોકરી પર રાખતું નથી. અમને સ્થળાંતર કરવાનું પોસાય તેમ નથી. એવું લાગે છે કે અમે ફક્ત રાહ જોઈ રહ્યા છીએ, જોવા માટે કે પરિસ્થિતિ શું થાય છે."
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

--

Saturday, September 20, 2025

R G Press conference on Vote Chori

દેશના ચુંટણી કમિશનર વોટ ચોરીના ધંધા–

--

Happy Birthday Modijee- Part-2.

ભાગ–૨. હેપી બર્થ ડે મોદીજી––ગૌતમબુધ્ધ અને મહાવીર સ્વામી એટલા માટે બન્યા કે સૌ પ્રથમ પોતે સ્વેચ્છાએ પોતાનો વૈભવ જ છોડી દીધો હતો! સુરતના કરોડોપતિ જૈન ઉધ્યોગપતિઓએ વૈભવ છોડીને જૈનધર્મ અંગીકાર કરી તપસ્વી જીવન જીવવા સાધુ–સાધ્વી બની ગયા.મોદીજીએ છેલ્લા વીસ–બાવીસ વર્ષોમાં જે રાજકીય સત્તા સાથે જે વૈભવ ભોગવ્યો છે ,અને તે પણ બેરોકટોક ભોગવ્યો છે તે કોઇકાળે તેમની વ્યક્તિત્વનું પૃથ્થકરણ કરતાં તમને અહેસાસ થાય છે તે વૈભવના જાળાંબાવાં છુટશે?મોદીજી પોતાની જાતને નોન–બાયોલોજીક્લ જાહેર કરી છે. તમે ભુતકાળના કોઇ વડાપ્રધાનની માફક મોદીજીને ચાલતા જોયા છે?ભુતકાળ વડાપ્રધાનોની માફક વસ્રો ધારણ કરે છે ખરા? તેમના જેવા પ્રવચન કરે છે ખરા? બધું જ તમને મોદીજીનું આગવું અનોખુ જ દેખાશે! લાલ બહાદુર શાસ્રીજીમાં નહેરુ દેખાશે. અટલજીમાં આપણને નહેરુ પણ દેખાશે અને શાસ્રીજીની સાલિસતા પણ આંખે ઉડીને વળગશે. ચંદ્રશેખરને જોઇશું તો તેમાં જયપ્રકાશ અને લોહીયાજીનું એકીકરણ દેખાશે. મનમોહનસીંગમાં યુકેની કેમબ્રીજ અને એલએસયુના અતિ વિદ્યવાન સ્કોલર દેખાશે. પણ મોદીજીમાં તો મોદીજી જ દેખાશે. તેમના વ્યક્તિત્વમાંથી ફક્ત અને ફક્ત વૈભવ જ ટપકી રહ્યો છે. જે દિવસે ટ્રમ્પ સાથે ટેરીફના રેટમાં સમાધાન થઇ જશે તરતજ મોદીજીનું સ્વદેશીનું ભુત છુટી જશે. અને વડાપ્રધાનના નિવાસ સ્થાનના પ્રવેશ દ્રારથી જ વૈભવી દેવીનું આગમન થઇ જશે!મોદીજીને સત્તાની ખુરશી પરથી દુર કરવામાં રાહુલ સહિત તમામ વિરોધ પક્ષોએ લેશ માત્ર ઉતાવળ કરવાની જરુર નથી. મોદીજીના શુભ કે વરદ્ હસ્તે હજુ ઘણા પાયાના કામ કરવાના બાકી છે. મૌદીજીને દુર કરવાની, તે શુભકામ કરવાની જવાબદારી સંઘે લઇ લીધી છે. ભાજપના પક્ષના સભ્યો પણ તે કાર્ય કરવા મચી પડયા છે. માટે રાહુલજી એન્ડ કુંપનીએ કેમ ચિંતા કરવાની જરુર નથી એ પણ સમજી લઇએ. મોદીજીએ સત્તામાં ત્યાં સુધી ચાલુ રહેવું જોઇએ જ્યાં સુધી ભાાજપની ફરી સત્તામાં આવવાની શક્યતા દેશના રાજકીય નકશામાંથી કાયમ માટે બંધ થઇ જાય! મોદીજીને તો સમજણ પડી ગઇ છે કે હવે પછીની સને ૨૦૨૯ની ચુંટણી પછી વડાપ્રધાન પદ ની ખુરશી તેમને મળવાની નથી. સને ૨૦૨૪માં કેવી રીતે લીધી છે તેની કોને ખબર નથી? સંઘ અને બીજેપીને ખબર પડી ગઇ છે કે મોદીજી સત્તાપદે ચાલુ રહેશે તો બીજેપીનો જ ખાત્મો બોલી જશે. આ મોદીજી, સંઘ અને ભાજપનો વણઉકેલ્યો ગુચવાઇ ગયેલો પેચ છે. શાંતિથી રાહુલજી અને તમામ વિપક્ષોની એવી વ્યુહ રચના વિકસવી જોઇએ કે મોદીજી સત્તામાં ત્યાંસુધી ચાલુ રહે જ્યાં સુધી તેમના વરદ્ હસ્તે જ ભાજપ ખલાસ ન થઇ જાય! મોદીજીના વ્યક્તિત્વમાં એવી અંગભુત( Built-in)શક્તિઓની દેન છે તે ટીમસ્પીરિટ કોને કહેવાય તે તત્વ જ કાયમ માટે તેમના માંથી ગાયબ થયેલું છે.તાજેતરમાં ભાગવતજી ઉવાચ; " ન મેં રિટાયર હોને વાલા હૂં. ન મોદી કો મેં રિટાયર કરનેવાલા હૂં." કોઇ એવું તારણ કાઢી શકે કે ભાગવતજી મનમાં એવું વિચારતા હશે કે જ્યાં સુધી હું સરસંચાલક તરીકે ચાલું છું ત્યાંસુધી અમે મોદીજીને નિયંત્રણમાં રાખી શકીશું. મારા પછી સંઘમાં મોદીજીને નિયંત્રણમાં કરવાની તાકાત જ બાકી રહી નથી. (૧૦૦ વર્ષની આ પણ અમારી ઉપલબ્ધી છે તેની નોંધ લેવાવી જોઇએ.)બીજુ ભાગવતજી સમજે છે માટે ઇચ્છે છે કે કોઇપણ હિસાબે સને૨૦૨૯ની લોકસભાની ચુંટણી મોદીજીના નેતૃત્વ નીચે ન લડાય! ભાગવત અને મોદીજી વચ્ચે ના આ દ્વંદ ને કારણે તો પક્ષનો પ્રમુખ છેલ્લા ત્રણ વર્ષથી નક્કી થતો નથી! ભાગવત મોદીજીને નિવૃત કરીને નિવૃત થશે. તેવી સંગીત ખુરશીની રમત ચાલી રહી છે.જેમ મોદીજી વિશ્વ મંચ પરથી વારંવાર બોલે છે કે "ઑપરેશન સિંદૂર ચાલુ છે અને સિઝ ફાયર પણ ચાલુ છે." તેવા જ ટોનમાં ભાગવતજી બોલે છે કે અમારે અને મોદી વચ્ચે સીઝ ફાયર ચાલું છે પણ ભાગવતનું મોદી હટાવ ઑપરેશન પણ ચાલુ છે. ભાગવત–મોદીની એકબીજા સાથેની પ્રોક્ષીવોર અવિરત પણે ચાલુ છે. જો સદર પ્રોક્ષીયુધ્ધ સને ૨૦૨૯ સુધીની લોકસભાની ચુંટણી સુધી ચાલુ રહે છે તો રાહુલજી અને વિરોધપક્ષોનું દિલ્હી ગાદી પ્રાપ્ત કરવાનું કામ સરળ થઇ જશે.આ સમય દરમ્યાન મોદીજી બે કામ પુરા કરી દેશે. એક ભાજપને વેન્ટીલેટર પર લઇ જશે અને એનડીએના તમામ ઘટકપક્ષોને મૃત્ય પ્રાય કે લકવાગ્રસ્ત બનાવી દેશે.સને ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીરની પદયાત્રા પછી આજસુધીમાં આશરે ત્રણ વર્ષોના સમયગાળામાં રાહુલજીએ ભારતના રાજકીય ક્ષિતિજ પર શું પ્રાપ્ત કર્યું તેનો અંદાજ કાઢો! અને ૨૦૨૯સુધી બાકી કેટલું મેળવશે તે હું અને તમે વિચારી શકીએ છે ખરા? મોદીજી ને તેનો અંદાજ સને૨૦૨૪ના લોકસભાના પરિણામો પરથી આવી ગયો છે. તેને કારણે મોદીજી ડરી ગયા છે જે નિર્વિવાદ છે. બસ અંતમાં " મોદીજીને જન્મદિન મુબારક".સાથે સાથે હું તમને લંબા આયુષ્યની અનેસારી તંદુરસ્તની શુભકામના એટલા માટે ઇચ્છુંછું કે વડાપ્રધાન પદને ગાદી ગયા પછી બાકીના વર્ષો નિવૃત્ત વડાપ્રધાન તરીકે કેવી રીતે પસાર થાય તેનો અહેસાસ પણ થવો જોઇએ ને! ( સૌ. ડૉ.હરી દેસાઇ– શ્રવણ ગર્ગના યુ ટયુબ બ્લોગ પરથી– (https://youtu.be/6KiZwmOV4p8?si=rBWBuFy4TFMek7VO)
--

Happy Birthday Modijee

અમારી હાર્દિક શભેચ્છા છે કે " મોદીજી જ્યાંસુધી ભાજપ સત્તાના રાજકારણમાંથી એક પક્ષ તરીકે તમારા સઘન પ્રયત્નોથી નેસ્ત નાબદુ ન થઇ જાય ત્યાં સુધી તમે વડાપ્રધાન તરીકે ચાલુ રહો તેવી આજના દિને જન્મદિન મુબારક"
હિદું સંસ્કૃતિમાં અને તેથી હિંદું કુટુંબમાં " હીરક જયંતિ" ૭૫ વર્ષ પુરા થાય તેને ધામધુમથી ઉજવવામાં આવે છે. આ તો પાછા એક સમયમાં 'હીરા બા' ના પુત્ર હતા. હીરાબા ના બેટાની હિરક જયંતીની ઉજવણી થઇ રહી છે.
લાંબા સમય સુધી મોદીજી સત્તાધીન રહે તે જરુરી એટલા માટે છે કે દેશની ૧૪૦ કરોડ જનતા ચોવીસ કલાક સાતેય દિવસ અને બારેય માસ સવારથી સાંજ સુધી ફકત મોદીજી સિવાય કોઇના નામનું રટણ કરવાનું જ ભુલી જાય.. બીજુ વિશ્વના ૨૦૦ ઉપરાંત દેશો છે. તેમાંથી કોઇ દેશની પ્રજાના ભાગ્યમાં લખેલુ જ નથીકે પોતાના દેશના વડાનું નામ દેશની તમામ મીડીયા ચેનલો ચોવીસ કલાક કર્યા જ કરે! ગુજરાતની પ્રજા સવારમાં ઉઠીને સને૨૦૦૨ પહેલાં નાસ્તામાં ફાફડા–જલેબી કે ઇડલી–દાલવડાં નો ઓડર આાપવાની ચર્ચા કરતી હતી. તેને બદલે મોદીજીના આજના સુપગલાં ક્યાં ઉદ્ઘાટનમાં પડવાનાં છે તેની ચર્ચા ચાય પે કરવામાં આવે છે. મોદીજીએ દેશની જનતાને સર્વ સુખો– દુ:ખોની દવા તરીકે પોતાની માળા ફેરવતી કરી દીધી. આ ભુરકીની અસરમાંથી સહેલાઇથી બહાર નીકળવું સરળ નથી.
મોદીજીનું ગ્રાન્ડ મિશન છે પોતાની સત્તા અને ખુરશીને કેવી રીતે સલામત રાખવી અને બીજેપીને કેવી રીતે વધુમાં વધુ શક્તિહીન બનાવી દેવી! રાહુલ ગાંધી શુ કરી રહ્યા છે? વિરોધપક્ષને મજબુત કરી રહ્યા છે. દેશના હિતમાં બંને નેતાઓ બરાબર કરી રહ્યા છે.
આવતી કાલે જન્મ દિવસ નીમીત્તે ગયાજી( બનારસ) જવાના છે તેવી માહિતી છે. હીરાબેનનું પિંડદાન કરવા જશે જેથી કમસે કમ ચેનલો અને મિડિયામાં છવાઇ જવાનું તો ચાલુ રહે!
એક ચર્ચા એ પણ છે કે રાહુલ ગાંધી મોદીજીના જન્મ્ દિને એક મોટી ગીફ્ટ આપવાના છે. હાઇડ્રોજન બોમ્બ ફોડવાના છે.
આવતીકાલનો દિવસ આપણા દેશના ઇતિહાસમાં ખુબજ મહત્વનો દિવસ બની રહેવાનો છે. મારે અને તમારે પ્રજા તરીકે ખાસ ધ્યાન રાખવાનું છે કાલે સાલું શું થશે! કારણકે દેશમાં મોદીજીના જન્મ દિને કોઇ પોસ્ટર્સ, બેનર્સ્ જોવા મળતાં નથી. કોઇ જગ્યાએ બેન્ડ વાજાની આગલે દિવસે પ્રેકટીસ ચાલું હોય તેવું પણ દેખાતું નથી! પ્રધાનમંત્રીનો ૭૫માવર્ષનો કોઇ જશ્મ મનાતો હોય તેવો માહોલ જ જાણે ગાયબ થઇ ગયો છે. કેમ બધુ ફીકુ ફીકુ ઢીલુ ઢીલુ દેખાઇ રહ્યું છે.બીજેપી આર એસએસના સ્વયંસેવકો, પ્રચારકોઅને કારસેવકો કેમ સામુહીક માસ સીએલ રજા પર ઉતરી ગયા છે? કોઇ કહે છે કે બીજેપી એન્ડ કુંપની જાતે પોતે જ પીંડદાન દેવામાં મોટા પાયે જાતભાતની વિધી–વિધાનો કરવામાં અત્ય્ંત વ્યસ્ત થઇ ગઇ છે.
આપણે એ માહિતી પણ ભેગી કરવી પડશે કે તે દિવસે મોહન ભાગવત સરસંચાલક શું કરે છે? કારણકે ૧૧મીસપ્ટેમ્બરે મોહનજી ના જન્મ દિવસે મોદીજીએ તેમની પ્રશંસા માટે લેખ લખ્યો હતો! કદાચ કોઇ કારણસર મોહનજી લેખ નથી લખતા તો શુભેચ્છા સંદેશમાં શું લખ્યું છે તે રાષ્ટ્ર નિર્માણ માટે ખાસ અગત્યનું હોઇ તેના સીંગલ–ડબલ અર્થઘટન માટે ભાષાશાસ્રીઓનું એડવાન્સ બુકીંગ કરાવી લેવું પડશે. પણ ભાગવતજી મૌન રહેવાનું પસંદ કરશે તો તેનું અર્થઘટન કરવું તે રાષ્ટ્ર માટે એક આપત્તિજનક ઘટના બની જશે!
આવતી કાલે જો રાહુલ ગાંધી તેમના કહ્યા મુજબનો બોમ્બ ફોડશે તો મોદીનો જન્મ દિનને લોકો માળીયે ચઢાવી દેશે! રાહુલના સુચિત ધડાકાની પેલા રીચરસ્કેલ સ્કેલની ધ્રુજારીએ જાણે બીજેપીના સુપરસેલની બેટરી જ ચાલતી બંધ થઇ ગઇ લાગે છે.
હિંદુઓ માટે ૬૦ અને ૭૫ વર્ષ બંને ઉજવવામાં આવે છે. સને ૨૦૧૦માં ૬૦ સાલની ઉંમરે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે કેવી ઉજવણી થઇ તેની દૈવ સિવાય કોઇને ખબર નથી! કોઇ કહે છે કે સને ૨૦૧૦માં તે દિલ્હીની સર્વોત્તમ ગાદી કેવી રીતે પ્રાપ્ત કરવી તેના પ્લાનનીંગમાં બીઝી હતા?
હીરા બા તો સને ૨૦૨૨ના ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરી ગયા. પણ મોદીજીને સને ૨૦૨૩, ૨૦૨૪માં હીરા બા ના પિંંડદાન માટે સમય ન મલ્યો. હવે બિહારના મતદારોની લાગણીનું કાર્ડ ( પેલા ૧૧ કાર્ડ સિવાયનું) ગયા બિહારમાં આવેલું છે માટે ઉપયોગમાં આવશે.
ભારતીય અતિતમાં ગયાનું મહત્વ ઘણું જ છે. ગૌતમબુધ્ધને ગયા મુકામે ' બોધી સત્વ' પ્રાપ્ત થયું હતું. એક રાજકુંવરનો વૈભવ અને રાજ્યસત્તાની ખેવના વિના, બધા દુન્યવી સુખનો, પોતાની પત્નિ–દિકરા રાહુલનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરવા બેસી ગયા હતા. જો કે એવું આપણાથી વિચાર કરી શકાય ખરું કે મોદીજી ગયાજીમાં છે બોધીસત્વ શોધી કાઢીને નવા મોદીજી દેશ ને મલે! પોતાનો દિલ્હીનો રાજમહેલને કાયમ માટે છોડી દે! આવતી કાલના ચોવીસ કલાક દેશના ભાવિ ઘડવામાં કદાચ નિર્ણાયક બની રહે!
મોદીજી પોતાને હવે નોન– બાયોલિજીકલ માને છે. જાહેર કરે છે. તે પછી મારે અને તમારે પણ તેને પડકારાય કેવી રીતે?નોન– બાયોલોજીકલ એટલે અશરીરી, ભૌતીક નહી તે. પણ મંદિરોના દેવોની મુર્તીઓની માફક મોદીજી પણ સવારનો શણગાર, બપોરના રાજભાોગ, સાંજની સંધ્યા અને શયનના જેમ ડ્રેસ આભુષણો તે બદલતા રહે છે. મોરેશીયસમાં એક ડ્રેસ, પટનામાં બીજો, મણીપુરમાં ત્રીજો અને મિઝોરામમાં ચોથો!
કયા કયા કારણોસર મોદીજીએ દેશની પ્રજાના માનસિક સ્તરનો પેલી વળગાડની માફક કબજો લઇ લીધો છે? ૭૫ વર્ષના થતાં મોદીજી રીટાર્યડ થશે કે નહી? બીજાને ૭૫ વર્ષ પછી માર્ગદર્શક મંડળમાં મોકલનાર પોતે તે માર્ગદર્શક મંડળમાં જશે કે કેમ?
મોદીજીએ દેશની પ્રજાને તૈયાર કરી નથી કે કેવી રીતે પોતાની વસમી વિદાયનો આઘાત સહન કરી શકે! ભલે આપણા જેવા મોદીજીની વિદાય માટે તૈયાર થઇને બેઠા હોય! પણ દેશના લોકો તે માટે શું તૈયાર છે? બીજુ, એક હકીકત છે કે જ્યારે સને ૧૯૭૭ની કટોકટીના અંત પછી ઇંદિરા ગાંધીનું વડાપ્રધાન પદ ચુંટણીની હાર ને કારણે ગયું પણ તેઓનો દ્ર્ઢ વિશ્વાસ હતો કે તે પદ ફરીથી પ્રાપ્ત કરી શકીશે. તેવ ભરોસો મોદીજીને એક વાર સત્તા ગુમાવ્યા પછી પરત મેળવી શકવાનો છે? મોદીજીને સ્પષ્ટ ખબર છે એકવાર આ સત્તા ગઇ તો ફરી ક્યારેય પાછી નહી મલે! એટલે મોદીજીને પોતાની ખુરશી ખાલી કરવી નથી. ઇંદિરાજી રાજકારણી હતા તેથી તેમને પોતાના રાજકીય નેતૃત્વમાં વિશ્વાસ હતો કે ગયેલું પદ કે હોદ્દો પરત મેળવી શકશે. મોદી રાજકારણી કાવતરાબાજ છે. ક્યારે કોને કાવતરુ કરીને ફગાવી દેશે, તેમનો રાજકારણનો ખેલ બની ગયો છે. કાવતરાના ભોગ બનેલાઓની મોદીજીની યાદી નાની બિલકુલ નથી.ઇંદિરાજી, ખડગેજી, રાહુલજી વિ. ચુંટણી લડયા છે, હાર્યા છે, જીત્યા છે વિ નો અનુભવ છે.મોદીજીની સત્તાની સીડીમાં એવા કોઇ ઉતાર ચઢાવનો અનુભવ જ નથી. તે ડર જ મોદજીને સતત ભયભીત બનાવી રાખે છે.
મોદીજીનો તમામ વૈભવ સને ૨૦૦૨ના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ફુલોફાલ્યો છે.એટલે મોદીજી, સને ૨૦૨૫માં ૨૪૦ સીટો પર લોકસભામાં પહોંચ્યા ગયા પછી બહુમતી ગમે ત્યારે જતી રહે તેના સતત ભયમાં જીવે છે.રાહુલ ગાંધી માનહાની કેસમાં ગુજરાતની કોર્ટમાં હારી ગયા.સરકારે સંસદ નિવાસ ખાલી કરવાનો કહ્યો તો ચાવી આપી સડક પર બિનદાસ આવી ગયા. આવું મોદીજીના કેસમાં બની શકે ખરું? મોદીજી પાસેથી વડાપ્રધાનનો બંગલો જતો રહે તો તેમનો મોર,હરણ અને તે પોતે શું કરશે? આ બધા વૈભવ સિવાય હું કેમનો દહાડા કાઢીશ? સત્તા ભલે જતી રહે પણ સત્તા ગયા પછી કેવી રીતે રહેશે એ ડર મોદીજીને માટે અત્યારથી પાછળ પડી ગયો છે.વૈભવ વિનાનું જીવન કેવી રીતે પસાર કરવું?
વિનોબા ભાવે સાથે એક દાર્શનીક હતા દાદા ધર્માધિકારી. તે કાયમ માટે કાર્યકરતાઓને શિબિરમાં શીખ આપતા હતા કે જે લોકોએ પોતાનું બાળપણ જીવન જરુરીયાતોના અભાવમાં પસાર કર્યું હોય અને, અથવા આપણી પાસેથી ભુતકાળમાં હથીયાર ખુંચવી લેવામાં આવ્યા હોય તો,હથિયારથી બીજાઓએ અમારા સ્વજનોના ખુન–દંગા– ફસાદ કર્યા હોય તો સત્તા આવે ત્યારે સરળતાથી અમે હથિયારોનો ઉપયોગ બદલાની ભાવનાથી કરીએ છીએ. જો પેલા અભાવ વાળા બચપણની માનસિકતામાંથી મુક્તિ મેળવવા વૈભવમાં આળોટવાનું તેમના માટે સ્વાભાવિક બની જાય છે. સતત તે વૈભવ યેનકેન પ્રકારે સાચવી રાખવા તેમનું મન જરુર પડે જે કરવું પડે તે બધુ કરવા તૈયાર હોય છે. કોઇપણ રાજકીય સંઘર્ષના સમયમાં કાર્યકરોની ફોજ નિસ્વાર્થ,ત્યાગ, પ્રમાણિકતા અને દેશપ્રેમ જેવા મુલ્યોથી લદબદ હોય છે. રાજકીય સત્તા પ્રાપ્ત થતાં તે ફોજ ભ્રષ્ટાચારની ગંગોત્રી બનીને સમગ્ર દેશમાં ચારેય બાજુએ વહેવા માંડે છે. પણ જે લોકો વૈભવ સાથે રાજકીય સંઘર્ષમાં સામેલ થયા હોય છે તેમને વૈભવને ત્યજી દેતાં લેશમાત્ર દુ;ખ થતું નથી. સ્વાતંત્રતાના સંઘર્ષમાં ગાંધીવાદીઓએે સત્યાગ્રહ કરતાં હસતા મુખે લાઠી–ગોળીઓ ખાઇને જેલવાસ ભોગવ્યો હતો. વિનાયક દામોદર સાવરકર, અટલજી બાજપાઇએ ગૌરી સરકારની લેખિત માફી માંગી જેલમુક્તિ પસંદ કરી હતી. ( વધુ માહિતિ ભાગ બે પર). સૌ– હરિ દેસાઇ યુ ટયુબસ.

--