Friday, July 26, 2024

“એક વિચારોત્તેજક સમાચાર”


"એક વિચારોત્તેજક સમાચાર" 

અમેરિકાના ઈલોનીસ રાજ્યના માઉન્ટવર્નોન શહેરના ફર્સ્ટ બાપ્ટિસ્ટ ચર્ચના મૃત્યુ પહેલાંની શુભેચ્છા સભા.

માઉન્ટ વર્નોન  શહેરની કુલ 14000 વસ્તીમાંથી સદર સભામાં વયોવૃદ્ધ આઠ માણસ હાજર હતા.ધર્મ ઉપદેશક પાદરીએ માનવીના મૃત્યુ પહેલાં વાંચવામાં આવતી બાઇબલની કવિતા સદર ચર્ચના કાયમ માટે બંધ થવાની ઘડી પહેલાં વાંચવા માંડી.

"આ  દુનિયામાં જન્મ લેવાની અને મૃત્યુ પામવાની ઘડી નક્કી થયેલી જ છે.આપણે ફરી મળીયે ત્યાં સુધી ઈશ્વર તારી સાથે છે. "To everything there is a season ... a time to be born, and a time to die. It Is Well With My Soul and, poignantly, God Be With You Till We Meet Again." હાજર રહેલા સભ્યોએ સર્વાનુમતે ઠરાવ કરીને સદર ચર્ચ તાત્કાલિક અમલમાં આવે તે રીતે બંધ કરવાનું નક્કી કર્યું."આ ચર્ચ આશરે 150 વર્ષ જૂનો હતો. 

પ્રો રાયન બર્જ જે અમેરિકામાં ઠેર ઠેર ખુબજ મોટી સંખ્યામાં ચર્ચ ક્યાં ક્યાં નાટ્યાત્મક  કારણોસર બંધ થવા માંડ્યા છે તેના પર સંશોધન કરે છે. તેણે નીચે જણાવેલ કારણો શોધી કાઢ્યા છે. તેના દ્વારા પ્રકાશિત પુસ્તક "Nones" એટલે જે અમેરિકન પુખ્ત ઉંમરના નાગરિકો જાહેર કરે છે કે પોતાને કોઈ ધર્મ નથી તેની કુલ વસ્તીમાં  સંખ્યા 30% થી વધારે છે તેવી નોંધ છે.દેશની કુલ વસ્તીનો આશરે 33% કે ⅓ ભાગ. (His recent book, "The Nones," talks about the estimated 30% of American adults who identify with no religious tradition.પોતે જાતે નિરીક્ષણ કરેલું છે કે રવિવારે મોટાભાગના ચર્ચમાં પાટલીઓ ખાલી હોય છે. 


અમેરિકાના દરેક ઈસાઈ ધર્મના સંપ્રદાયોમાં જેવા કે part of a cluster of so-called mainline denominations— Episcopal, Methodist, Presbyterian, Lutheran and others બધામાં રવિવારના રોજ સંખ્યા સતત ઘટતી જાય છે.ઘી સધર્ન બેપ્ટિસ્ટ કન્વેનશન ઇન્જકિલ જેવા દેશના સૌથી મોટા સંપ્રદાય માં પણ હાજરી ઘટતી જાય છે. " લાઈફ વે રિસર્ચ " જે સધર્ન બેપ્ટિસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત છે તેના આંકડા પ્રમાણે સને 2019ના વર્ષમાં સમગ્ર દેશમાં થઈને પ્રોટેસ્ટન્ટ શાખાના કુલ 4500 ચર્ચ કાયમ માટે બંધ કરવામાં  આવ્યા હતા. ચર્ચ   મુખ્ય બંધ થવાના કારણોમાં ધર્મ ગુરુઓ તરફથી બાળકો અને કુંવારી છોકરીઓને જાતીય સતામણી, જુદા જુદા સંપ્રદાયોની આંતરિક હરીફાઈ, મતભેદ , બાળ -જન્મમાં સખ્ત ઘટાડો, કુટુંબોની ધર્મ તરફની વધતી જતી ઉદાસીનતા અને યુવાનોમાં કોઈપણ ધર્મ પ્રત્યએ આસ્થા નો અભાવ  વી. જવાબદાર છે. But the nonreligious are far more common today than a generation ago, in the U.S. and many other nations.

Image

આટલા મોટા ચર્ચ માં એક ડઝન માણસો પણ રવિવારે હાજર નથી. ફોટો -સૌજન્ય   Mt. Vernon, Ill., Sept. 10, 2023.

મોટાભાગના ચર્ચ ઉપદેશકોનો બિઝનેસ  પોતાના અનુયાયીઓની કુટુંબની સમસ્યાઓના ઉકેલ પર કાબુ મેળવી કેવી રીતે પૈસા ભેગા કરવા તે જ બની ગયો છે. 



"






--

મોહનભાગવતજી , અમે “યુદ્ધ વિરામ” આપણા બંનેના હિતમાં ( મોદી સરકાર અને આર એસ એસ) જાહેર કરીએ છીએ કે,


મોહનભાગવતજી , 

અમે "યુદ્ધ વિરામ" આપણા બંનેના હિતમાં ( મોદી સરકાર અને આર એસ એસ) જાહેર કરીએ છીએ કે,( The ties between the BJP and the RSS, was being seen as the party's  "positive gesture" to "call a truce"યુદ્ધ વિરામ  with its ideological parent ) . 

  1. અમારા પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાએ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં"મોવડી મંડળ "ની સૂચનાથી જાહેર કરેલું કે અમે અમારા જૈવિક મા-બાપ (આરએસએસ)ની મદદ વિના ચૂંટણી લડવા પુરેપુરા સક્ષમ છે. સત્તાના કેફમાં કે કોઈ દૈવી કારણોસર  વડીલોની સામે માથું ઉંચકવાની કોશિશ કરતાં " ગુજરાત લેવા નીકળ્યા હતા પણ હવેલી ભીખ માંગીને  બચાવી છે." ભાઈ ! ગુજરાતી કહેવત છે ને છોરું કછોરું થાય પણ …..

  2. અમારી(બીજેપી પક્ષના સત્તાધીશોની) "હનુમાન કે બજરંગબલીની  ભક્તિ "ની હવે ચકાસણી ન કરશો.અમારા હ્ર્દય પરિવર્તનની નિશાની તરીકે તારીખ 9મી જુલાઈએ મોદી સરકારે જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીને પોતાના આત્માના અવાજ મુજબ ! વહેલી સવારે શાખામાં હાજરી આપવામાં વાંધો નથી.જો કે વફાદારીના પુરાવા આવકાર્ય છે.(The BJP and the RSS welcomed the government's decision, with the Sangh calling it appropriate.)

  3.   આર એસ એસ ઉપરનો પ્રતિબન્ધ સ્ને 1966,1970અને 1980થી ચાલુ હતો. દેશમાં બિનકૉંગ્રેસ્સી સરકારો મોરારજી દેસાઈ,ચૌધરી ચરણસિંગ, દેવગૌડા, ચંદ્ર શેખર અને અટલબિહારી બાજપાઈજી જેવા તમામ વડાપ્રધાનો ની સરકારો ના સમયમાં પણ આ નિયમ ચાલુ હતો. સને 2014થી 2024 સુધી તો મોદીજી હતા ને?

  4. 01-12-2014 ના રોજ સરસંચાલક ભાગવતજી ને પૂછવામાં આવ્યું કે તમે મોદી સરકારને તમારી સંસ્થા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા જણાવશો? "અમે સરકાર પાસે આ મુદ્દે કોઈ માંગ કરવાના નથી. અમે અમારું કામ કર્યા કરીશું. અમારું કામ આવા કોઈ અવરોધથી રોકાવાનું નથી!(We are not going to demand anything from the government. We are doing our work. Our work is not affected by such restrictions)."

  5. દેશ અને દુનિયા, સને 30મી જાન્યુઆરી 1948થી( મહાત્મા ગાંધીજી શહીદ દિવસથી )આર એસ એસ અને તેની માતૃ -પિતૃ અને કહેવાતી પિત્રાઈ ( પણ લોહીની સગાઈવાળી)સંસ્થાઓ અને તેમની સામાજિક અને સાંસ્કૃતિક દ્રશ્ય અને અદ્રશ્ય પ્રવૃતિઓથી કોણ અજાણ છે?

  6. મોદીકાળના રાજકીય સત્તા દશકામાં આર એસ એસનું પ્રભાવ ક્ષેત્ર દેશના ન્યાયતંત્ર થી શરૂ કરીને શિક્ષણ સુધી પહોંચતા પહેલા કેટલી યાદીઓ તૈયાર કરવી પડે?

  7. સને 1964ના નિયમ 5માં  એવી જોગવાઈ છે કે એકવાર કોઈપણ કર્મચારીએ કેન્દ્ર સરકારની નોકરી સ્વીકારે  તે રાજકારણ કે ચૂંટણીમાં  ભાગ ન લઈ શકે!"આટલી મોટી આરએસએસની સંસ્થા આપણા દેશના કોઈપણ સંસ્થાના કાયદા મુજબ નોંધણી કરતી સંસ્થા નીચે નંધાયેલી સંસ્થા જ નથી. માટે તેના સભ્ય પદ પ્રાપ્ત કરવાના કોઈ નીતિ નિયમો જ નથી.તેવું જ તેની આવક-જાવકના હિસાબોમાં  છે.( However, since the RSS does not have a system of formal membership, it is difficult to establish an individual's association with it.)

        સૌ ઇન્ડિયન એક્સપ્રેસ.23-07-24. ટૂંકાવીને કરેલો ભાવાનુવાદ.


--

Thursday, July 25, 2024

Fwd: દેશમાં કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોમાં સરકારો



---------- Forwarded message ---------
From: Bipin Shroff <shroffbipin@gmail.com>
Date: Wed, Jul 24, 2024 at 7:26 PM
Subject: દેશમાં કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોમાં સરકારો
To: Bipin Shroff <shroffbipin@gmail.com>




દેશમાં કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોમાં સરકારો અને તેમનું પોલીસ તંત્ર જાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે "હિંદુ રાષ્ટ્ર "નો ઘોષિત કે અઘોષિત એજન્ડા અમલમાં મુકવાનો હોંય તે રીતે આયોજનબદ્ધ પ્રમાણે પગલાં લેવા માંડ્યાં છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુઝફરનગર શહેરના પોલીસવડાએ પોતાની સહી  સિક્કા સાથે હુકમ બહાર પાડયો ( જે કામ જે તે સ્થાનિક નગરપાલિકા વી નું છે ) "કે  સદર શહેરમાં જે રસ્તેથી 'કાવડિયા' પસાર થવાના હોય તે વિસ્તારમાં ખાન-પાણીની દુકાનો અને લારી ગલ્લાવાળાઓએ પોતે શાકાહારી કે માંસાહારી ખોરાક વેચે છે તેનું બોર્ડ લગાવવું,માલિકનું નામ નોકરોના નામ જાહેરમાં  વાંચી -જોઈ શકાય તે રીતે મુકવા." 

તરતજ બાજુના બીજેપી શાસિત  રાજ્ય ઉત્તરાખણ્ડના મુખ્યમંત્રી એ પણ તેવી જાહેરાત પોતાના રાજ્યમાં  કરી દીધી.

 વિરોધ પક્ષ તથા બીજેપી પક્ષના કેટલાક સભ્યોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી કે તેનીથી જે તે રાજ્યો અને દેશની કોમી -એકતાને સંવાદિતા જોખમમાં મુકાશે.

તરતજ પ.બંગાળના  ટીએમસી પક્ષના સાંસદ મહુવા મોહિત્રા,રાજકીય નિરીક્ષક અપૂર્વાનંદ અને આકાર પટેલે સર્વોચ્ચ અદાલતમાં તાત્કાલિક જાહેર હિતની અરજી સદર પોલીસ હુકમ સામે દાખલ કરી. (The Association for Protection of Civil Rights,Trinamool Congress MP Mahua Moitra, political commentator Apoorvanand Jha and columnist Aakar Patel were among those who filed petitions challenging the  move.)

 સર્વોચ્ચ અદાલતની ડિવિઝન બેન્ચના માનનીય ન્યાયાધીશ શ્રી ઋષિકેશ રોય અને એસ વી એન ભટ્ટી સાહેબ પાસે ચુકાદા માટે આવી.માનનીય ન્યાયાધીશ સાહેબોએ કેસની સુનવણી દરમ્યાન નીચે મુજબના નિરીક્ષણો કરીને પોલીસ કે જે તે રાજ્ય સરકારોના હુંકમને રદબાતલ કર્યો. 

  1. દુકાન, હોટેલ કે ખાણી-પીણીના લારીઓ-ગલ્લાઓને લાયસન્સ જે તે નગરપાલિકાનું લેવાનું હોય! પોલીસતંત્ર કાયદાકીય જોગવાઈ સિવાય કેવી રીતે આવી સત્તા જે કાયદાકીય રીતે પોતાની લેશ માત્ર નથી તેને પચાવી પડી શકે?(The Street Vendors Act, 2014, but the powers vested on the competent authority can not be usurped by the police without any formal order supported by law.)

  2. આવી તમામ ખાણી -પીણીની દુકનો વી. શાકાહારી કે અન્ય જાતનું જમવાનું  વેંચતા હોય તે બોર્ડ મૂકીને જણાવે. તેમાં પોતાન માલિક કે નોકરોના નામો જણાવવાના ના જ હોય! (must not be forced to disclose the names/ identities of the owners or employees.")

  3. નામદાર કોર્ટે જણાવ્યું કે આપણે શું ઇચ્છીએ છીએ ? જમવાનું શાકાહારી છે કે નહીં? કાવડિયાના નામે રાજકીય હિત  ધરાવનારા એવી તો અપેક્ષા ન રાખી શકે આ રસોઈ કરનારા કઇ જાતી કે ધર્મના છે કે પછી વાનગીમાં  વપરાતું અનાજ, ચોખા-દાળ  હિન્દૂ કે મુસ્લિમ  કોના ખેતરમાં  ઉગાડેલું છે? શું કાવડિયા પહેલીવાર કાવડ લઈને યાત્રા કરવા નીકળ્યા છે? આઝાદી પહેલાંથી આ યાત્રાઓ ચાલુ છે!Justice Roy asked: "What is actually the expectation of the yatris? They hope to take only vegetarian food, right? When somebody is giving vegetarian food, or the option of vegetarian food, do the kanwariy as expect the food to be cooked by those of a certain community or category? Are the kanwariy as expecting that the food must be grown by members of a particular community?"

  4.  શું પોલીસ તંત્ર અને સરકારોમાં પોતાની વિવેકશક્તિ ( does not serve any rational objective") પુરી થી ગઈ છે.

  5. ઉગ્ર હિંદુત્વ અને હિન્દુરાષ્ટ્ર લાવવા માટે દેશના બંધારણના ચૂરેચુરા કરવા મેદાને પડેલા આ દેશને કઈ સદીમાં  પાછો લઈ જવા માંગે છે!

  6. સર્વોચ્ચ અદાલતે દેશના તમામ રાજ્ય સરકારો સામે આ કામ નહીં કરવા વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે.

  7. બીજા અગત્યના સમાચાર માટેની માહિતી આવતી કાલે-મોદી સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આર એસ એસમાં ભાગ લેવાની પરવાનગી આપી દીધી છે.

સૌ - ઇન્ડિયન એક્સપ્રેસ તા. 23-07-24.  



--


--

Friday, July 19, 2024

સમાચાર ના સથવારે!

સમાચાર ના સથવારે!

અમેરિકન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સેક્રેટરી એન્થોની બ્લિકેનને દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વના 200 દેશોમાં  ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં  ભારત અંગે નીચે મુજબના નિરીક્ષણો કર્યા છે.

" ભારતમાં, અમે અહિયાંથી ધર્માંતરણ વિરોધી કાયદાઓ, દ્વેષપૂર્ણ ભાષણો, લઘુમતી આસ્થાના સમુદાયોના સભ્યો માટે ઘરો અને પૂજા સ્થાનોને તોડી પાડવા અંગેના વધારા જોઈએ છીએ."- મોદી સરકારે અમેરિકન સરકારના ખુબજ અગત્યના અને ટોચનો હોદ્દો ધરાવનાર એન્થોની બિલ્કેનના  તારણોને સત્યથી વેગળા ગણાવ્યા છે. તાજેતરમાં પુરી થયેલી લોક્સભા ની ચૂંટણી દરમ્યાન મોદીજીએ લઘુમતીઓ અંગે જે ખાસ દ્વેષપૂર્ણ  વિશેષણો વાપર્યા હતા તે બધાને આપણે કઈ શ્રેણી માં ગોઠવીશું!  

એન્થોની બ્લિકેનના ફોટા નીચેના યુ ટ્યુબના લખાણ વાંચવા વિનંતી છે. 

" In India we see a concerning increase in anti-conversion laws,hate speeches, demolition of homes and places of worship for members of minority faith communities.

સૌજન્ય -

https://youtu.be/9aGz3gOn3i0?si=2VacLK9X_tVOiFip



--

Wednesday, July 17, 2024

અમેરિકન -ભારત વિદેશનીતિ ભાગ-3 અંતિમ ભાગ


વોશિંગ્ટનને મોદીના ભાજપને સમર્થન આપવાનું બંધ કરવાની જરૂર છે.
ભાગ-3.અને અંતિમ .
 વોશિંગ્ટનને મોદીના ભાજપને સમર્થન આપવાનું બંધ કરવાની જરૂર છે. ભારત સરકારે જાણવું જોઈએ કે તેના સ્થાનિક રાજકીય નિર્ણયો વોશિંગ્ટન સાથેના સંબંધોને જટિલ અને જોખમમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય મતદારોએ પણ તે જાણવું જોઈએ. બિડેન વહીવટીતંત્રે વધુ અહેવાલો લખવા અને પ્રકાશિત કરવા જોઈએ જે માનવ અધિકારો, સ્વતંત્રતાઓ અને લોકશાહી પ્રથાઓ પર ભારતના રેકોર્ડને સચોટ રીતે દર્શાવે છે.  
 (2) મારા દુશ્મન(ચીન)નો દુશ્મન-
અમેરિકા માટે ઘણા કિસ્સાઓમાં, ભારતને મદદ કરવાનો નિર્ણય સરળ છે. સને 2020માં  જ્યારે ચીને ભારતીય સરહદમાં ઘૂસી જઈને આક્રમણ શરૂ કર્યું, ત્યારે વોશિંગ્ટને યોગ્ય રીતે નવી દિલ્હીને તાકીદે જરૂરી ઠંડા હવામાન ગિયર અને ચાઇનીઝ સ્થાનો પર ગુપ્ત માહિતી પ્રદાન કરી હતી.આ ઉપરાંત અમેરિકાએ ખુબજ અગત્યની  સર્વેલન્સ ડ્રોનની (surveillance drones)આયોજિત ડિલિવરી ઝડપી કરી. ત્યારથી, અમેરિકી અધિકારીઓએ યોગ્ય રીતે તારણ કાઢ્યું કે તેઓ ભારતના નેતાઓ સાથે જમીન અને દરિયાઈ બંને રીતે સંરક્ષણ સહયોગ વિશે ભૂતકાળમાં કરેલ ચર્ચાઓ કરતાં વધારે સ્પષ્ટ અને નિખાલસ ચર્ચાઓ બંને દેશના હિતોમાં કરી શકે છે.અમેરિકન વિદેશ નીતિ ઘડનારાઓ આશા રાખે છે કે યુક્રેન પર રશિયાના વિનાશક આક્રમણ અને ભારત ઉપરના ચીનના ખતરાને  સાથે મળીને વોશિંગ્ટનને નિર્ણાયક રીતે મુકાબલો કરી શકે છે. ભારત પોતાનું રશિયા પરનું ભારે અવલંબન પણ ધીમે ધીમે ઓછું કરી શકે છે.
(3) લોકશાહી રાજ્યપ્રથા અને જીવનપ્રથામાંથી ભારતે પીછેહઠ કરવી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બની રહેશે.પરંતુ નવી દિલ્હી હજુ પણ વોશિંગ્ટન માટે અમૂલ્ય ભાગીદાર છે. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા ઉપરાંત, ભારત વિશ્વની પાંચમી-સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બીજું ભારત વિશ્વની  સૌથી મોટી સૈન્ય અને ઉચ્ચ શિક્ષિત વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની નોંધપાત્ર કેડર ધરાવે છે.તેની પાસે પરમાણુ હથિયારોનો મોટો શસ્ત્રાગાર છે. યુનાઇટેડ સ્ટેટ્સની જેમ, ભારત ચીન વિશે ઊંડી ચિંતા ધરાવે છે. જેને તે પ્રાદેશિક અને વૈશ્વિક વ્યવસ્થાને પડકારવા માટે એક ખતરનાક શક્તિના હેતુ તરીકે જુએ છે. એક રીતે, યુનાઇટેડ સ્ટેટ્સ માટે ભારતને સહકાર આપવા હવે આ શ્રેષ્ઠ ક્ષણ હોઈ શકે છે. પ્રશ્ન એ છે કે વોશિંગ્ટને ક્યાં સુધી જવું જોઈએ.રશિયન નિર્મિત લશ્કરી ગિયર પર ભારતને તેની ભારે નિર્ભરતા બદલવાની તક આપે છે.
 (4) યુ.એસ. સિસ્ટમ્સ. ચીનનો મુકાબલો કરવા માટે ભારત સાથેના યુ.એસ.ના સહયોગને ચુસ્તપણે લક્ષ્યાંકિત કરવું જોઈએ. પરંતુ વોશિંગ્ટને નવી દિલ્હી સાથે સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો જોઈએ. ખાસ એ વાતે સચેત રહેવું જોઈએ કે યુનાઈટેડ સ્ટેટ્સ સાથે કામ કરવાની ભારતની ઈચ્છા સંજોગથી જન્મે છે, લોકશાહી મૂલ્યો કે પ્રતીતિથી નહીં અને જે ઝડપથી અદૃશ્ય પણ થઈ શકે છે. નવી દિલ્હીએ  છેવટે, બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચે તેણે શું ભૂમિકા ભજવવી જોઈએ તે અંગે શીત યુદ્ધ (Cold War)પછીના મોટા ભાગના વર્ષો વિતાવ્યા, અને તે ઘણીવાર ભૂતપૂર્વની પહેલ પર સહી કરે છે.
(5) સરહદી અથડામણ પછી પણ, ચીન અને ભારતનો વેપાર લગભગ એટલો જ છે જેટલો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો છે. નવી દિલ્હી હજુ પણ બેઇજિંગ દ્વારા સ્થાપિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનો ભાગ છે. અને ઘણા ભારતીય નીતિ નિર્માતાઓ અને વિશ્લેષકો બહુધ્રુવીય વિશ્વને વધુ પસંદ કરશે જેમાં ભારત, બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના નવા શીત યુદ્ધ દ્વારા વ્યાખ્યાયિત વિશ્વમાં અન્ય મહાન શક્તિઓ સાથે લવચીક સંબંધોને નેવિગેટ કરવા માટે સ્વતંત્ર છે - એક એવી દુનિયા જેમાં નવી દિલ્હીએ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સ્પષ્ટ પક્ષ લઈ લેવો જોઈએ. નવી દિલ્હીના સૌથી મોટા ભયમાંનો એક અનિશ્ચિત સમય માટે ભૌગોલિક રાજનીતિક ચીન સામેની સમસ્યા છે.
                       લેખમાળા અહિયાં પૂર્ણ થાય છે.
—----------------------------x —-------------------------------------
--

ભાગ -2 અમેરિકન-ભારત વિદેશ



ભારતના સંદર્ભ માં અમેરિકન વિદેશ નીતિ. લેખ ભાગ-2.



  1. અમેરિકન નેતાઓ, ખાસ કરીને ઉદારવાદીઓ, લાંબા સમયથી માનતા હતા કે લોકશાહી સંસ્થાઓ એ ભારતની ઓળખનું નિર્ણાયક લક્ષણ છે-અને એ કારણ છે કે નવી દિલ્હી વોશિંગ્ટનના સમર્થનને પાત્ર છે.પરંતુ જોન. એફ.કેનેડી અને આઈઝનહોવરને આશા હતી કે ભારતની પ્રશંસા કરવાથી નવી દિલ્હી સાથી બની જશે, તો તેઓ ખૂબ જ ભૂલમાં હતા. 

  2. જાન્યુઆરી 1980માં, જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂતે અફઘાનિસ્તાન પર સોવિયેત સંઘના આક્રમણને અસરકારક રીતે સમર્થન આપ્યું, ત્યારે પ્રમુખ જિમી કાર્ટર નારાજ હતા. ભારતના આ દૃષ્ટિકોણને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં  ભયંકર પ્રતિસાદ થયો હતો." તેમ છતાં, યુ.એસ.ના નીતિ ઘડવૈયાઓએ પછીના દાયકાઓમાં વારંવાર ભારતની પ્રશંસા કરી, અને નીતિ ઘડવૈયાઓએ એવી દલીલ કરવાનું ચાલુ રાખ્યું કે ભારતના લોકશાહી સિદ્ધાંતોએ તેને એક સારો ભાગીદાર બનાવ્યો છે.

  3. ભારતીય સંસદમાં 2010 ના ભાષણમાં, ઓબામાએ "બે મજબૂત લોકશાહી" દ્વારા વહેંચાયેલ અનન્ય બંધન પર વારંવાર ભાર મૂક્યો હતો. ત્યારબાદ તેમણે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સીટ મેળવવાના ભારતના પ્રયાસને સમર્થન આપ્યું, અને સૂચવ્યું કે કાઉન્સિલમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેનો સહકાર "માત્ર દેશમાં જ નહીં, પણ વિદેશમાં લોકશાહી શાસનના પાયાને મજબૂત કરશે."

પરંતુ તે જોવાનું મુશ્કેલ છે કે યુએનમાં ભારતનું પ્રદર્શન ક્યારે યુએસની અપેક્ષાઓ પર ખરૂ ઉતરશે?

(4) ઘરેલુ હિંદુ રાષ્ટ્રવાદ-

 ભારત આશરે 200 મિલિયન મુસ્લિમોનું ઘર છે-લગભગ પાકિસ્તાનની સમગ્ર વસ્તીનું કદ તે વ્યાપ છે. તે સાંપ્રદાયિક હિંસાનો વ્યાપક ઇતિહાસ ધરાવે છે. તેના લઘુમતીઓને દબાવીને, ભારત નજીકના ગાળામાં તેની નાજુક સ્થિરતાને જોખમમાં મૂકે છે અને લાંબા ગાળે હિંસા વધતી અને દેશને કમજોર કરે છે.

(5) ઘરઆંગણે ભારતનો હિંદુ રાષ્ટ્રવાદ પણ તેને વિદેશમાં ઉદાર હેતુઓને પ્રોત્સાહન આપવા તરફ દોરી જાય છે. હિંદુ રાષ્ટ્રવાદીઓ માને છે કે તેમની ટોચની વિદેશ નીતિની સિદ્ધિઓમાંની એક ભારતીય ડાયસ્પોરામાં વિદેશી આરએસએસ-સંબંધિત જૂથોને ભાજપની પહેલને સમર્થન આપવા માટે વોશિંગ્ટન સહિત અન્ય રાજધાનીઓની લોબી કરવા માટે એકત્ર કરી રહી છે. હિંદુ રાષ્ટ્રવાદીઓ એવું પણ માને છે કે ભારત એક વિસ્તરેલી, સંસ્કૃતિની શક્તિ હોવી જોઈએ, અને તેમાંના ઘણા કહે છે કે તેઓ અખંડ ભારતનું નિર્માણ કરવા માંગે છે - એક વિશાળ "અવિભાજિત ભારત" - જેમાં નવી દિલ્હી અફઘાનિસ્તાનથી વિસ્તરેલા પ્રદેશનું "સાંસ્કૃતિક સંઘ" બનાવશે. મ્યાનમાર અને શ્રીલંકા થી તિબેટ. 2022 માં, ઉદાહરણ તરીકે, આરએસએસના વડા મોહન ભાગવતે દાવો કર્યો હતો કે દસથી 15 વર્ષમાં આ વાસ્તવિકતા બની શકે છે. તેમના નિવેદનોએ હિંદુ સાંસ્કૃતિક સંઘનો વાસ્તવમાં શું અર્થ થશે તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, અને તેઓએ ઓછામાં ઓછા કેટલાક પ્રાદેશિક ખળભળાટ પેદા કર્યો છે કે શું નેતૃત્વ માટેની ભારતની ઝુંબેશ દેશ દાવો કરે છે તેટલી શાંતિપૂર્ણ હશે?

આપખુદશાહી પ્રમોશન -

(6) મોદીની ભારતીય જનતા પાર્ટીએ ભારતનું ઉદારવાદ સાથેના પોતાના જોડાણને વધુને વધુ શંકાસ્પદ બનાવ્યું છે. ભાજપે એવી સંસ્થાઓને હોલો આઉટ કરી દીધી છે જે વડા પ્રધાનના વર્તનને ચકાસી શકે છે, જેમાં ભારતની નાગરિક અમલદારશાહીનું રાજનીતિકરણ કરીને અને તેની સંસદને પક્ષની પ્રાથમિકતાઓ માટે રબર સ્ટેમ્પમાં ફેરવવાનો સમાવેશ થાય છે. મોદી,પોતાની વિરુદ્ધની  મીડિયા, શિક્ષણવિદો કે નાગરિક સમાજની ટીકા પણ સહન કરતા નથી. સરકારે, ઉદાહરણ તરીકે, 2023ની બીબીસી ડોક્યુમેન્ટરી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો જેમાં ગુજરાતના 2002ના ઘાતક કોમી રમખાણોમાં મોદીની ભૂમિકાની વિગતો આપવામાં આવી હતી. 

(7)વિશ્વભરમાં લોકશાહીના ત્રણ સૌથી મોટા રેન્કિંગનું સંકલન કરતી સંસ્થાઓ - વી-ડેમ (લોકશાહીની જાતો) સંસ્થા, ફ્રીડમ હાઉસ અને ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ-એ મોદીએ સત્તા સંભાળી ત્યારથી ભારતનો સ્કોર ડાઉનગ્રેડ કર્યો છે. 

(8)  બીજેપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ઊંડી રીતે જોડાયેલી છે, જે એક સંસ્થા છે જેનો હેતુ ભારતને એક વિશિષ્ટ હિંદુ ઓળખ આપવાનો છે (અને જેનો મોદી સાથે ગાઢ   સંબંધ છે). 1925 માં રચાયેલ, આરએસએસ ઇન્ટરવૉર યુરોપિયન ફાસીવાદી જૂથો પર આધારિત હતું અને એક સ્થાપકના શબ્દોમાં, "હિંદુઓના લશ્કરી પુનર્જન્મ" ને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ધ્યેયનો મોહનદાસ ગાંધી અને નેહરુ દ્વારા સીધો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમણે ધર્મની સ્વતંત્રતા, વિવિધતાની ઉજવણી અને લઘુમતી અધિકારોનું રક્ષણ કર્યું હતું. તેથી જ કટ્ટરપંથી હિંદુ રાષ્ટ્રવાદી અને આરએસએસના સભ્યએ 1948માં ગાંધીની હત્યા કરી હતી. ( That is why a radicalized Hindu nationalist and RSS member assassinated Gandhi in 1948.) 

(9) ભાજપના ઉદારવાદના સ્પષ્ટ પુરાવા હોવા છતાં, બિડેન વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ જાહેરમાં મોદી સરકારની ટીકા કરવાનું ટાળ્યું છે. તેના બદલે, તેઓએ 2021 માં બ્લિંકને કર્યું હતું તેમ, ઘોષણા કરીને ચિંતાઓને દૂર કરી દીધી છે, કે દરેક લોકશાહી એક અપૂર્ણ "પ્રગતિમાં કામ" કરે છે.જો  બિડેન માને છે કે ભારતીય નીતિઓ વિશે કોઈપણ ચિંતા વ્યક્ત કરવાથી સંબંધોને ખૂબ નુકસાન થશે. આ ભય પાયાવિહોણો નથી. મોટાભાગના દેશોની જેમ, ભારતને પણ પોતાની  ટીકા થાય તે પસંદ નથી, તેથી ફરિયાદોનું પ્રમાણિક પ્રસારણ સારું નહીં થાય. પરંતુ સદર વર્તમાન, કપટી અભિગમની લાંબાગાળે પોતાની કિંમત ચૂકવવી પડતી હોય છે. 

(10)  ભારત, તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને વૈશ્વિક દક્ષિણમાં અગ્રેસર છે. જ્યારે મોદી વોશિંગ્ટન સાથેના તેમના જોડાણનો ઉપયોગ તેમની લોકશાહી ઓળખને સળગાવવા માટે કરે છે અને હિંદુ ભારત એ "લોકશાહીની માતા" છે (જેમ કે તેમણે વોશિંગ્ટનની 2023 સમિટ ફોર ડેમોક્રેસી દરમિયાન જાહેર કર્યું હતું) તેમના સ્વ-સેવાકીય વર્ણનને મજબૂત કરવા માટે, તે દરેક જગ્યાએ ઉદારવાદને પાછું ખેંચે છે.

(11) ભારતની લોકશાહીના વખાણ કરવાથી બિડેન માટે સુરક્ષા અંગે નવી દિલ્હીને સહકાર આપવા માટે જરૂરી અમેરિકાના સ્થાનિક રાજકીય જોડાણો બાંધવાનું મુશ્કેલ બને છે. ઇવેન્જેલિકલ ક્રિશ્ચિયન જૂથો સહિત ઘણા શક્તિશાળી યુ.એસ. મત વિસ્તાર, લઘુમતીઓ સાથે ભારતના નબળા વર્તન, ધાર્મિક સ્વતંત્રતાઓ પરના બેફામ વાસ્તવિક રીતે તૂટી પડવાથી  અને પ્રેસને ( Press) દબાવી દેવા અંગે ખૂબ જ ચિંતિત છે. ધ

 ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ વોશિંગ્ટન પોસ્ટ, અન્ય ટોચના યુએસ મીડિયા આઉટલેટ્સ સાથે, આ મુદ્દાઓ પર વાર્તાઓ અને કૉલમ્સ એટલી વારંવાર ચલાવે છે કે ભાજપના નેતાઓ પ્રકાશનોને "ભારત વિરોધી" લેબલ કરવા માટે તેમના માર્ગમાંથી બહાર નીકળી ગયા છે. અને વોશિંગ્ટનમાં પ્રભાવશાળી વ્યક્તિઓ ભારતની ઉદાર નીતિઓ વિશે વધતી ચિંતા વ્યક્ત કરી રહી છે. તેમાં કશું ખોટું નથી. 

ભાવાનુવાદ્ક- બીપિન શ્રોફ .

સૌજન્ય - Foreign Affairs. https://archive.ph/W6N5D


—---------------------------------------------------------------------


 


--

Monday, July 15, 2024

“વોશિંગ્ટન અને નવી દિલ્હી પોતાના હિતો વહેંચે છે, લોકશાહી મૂલ્યો નહીં “


મોદીજી!

"વોશિંગ્ટન અને નવી દિલ્હી પોતાના હિતો વહેંચે છે,  લોકશાહી મૂલ્યો નહીં "                   'લે-ડેનિયલ માર્કી -વોશિંગટન ડી સી -પત્રકાર " ફોરેન એફેર્સ".

અમેરિકાએ તારણ કાઢી લીધું છે કે ભારત સાથે બંને લોકશાહી મૂલ્યો ધરાવતા દેશો કરતાં એકબીજાના આર્થિક અને લશ્કરી હિતો માટે જ સંબંધ  ધરાવતા દેશો છે તે સમજીને વ્યવહાર કરવો. બંને દેશના વડા જયારે એક બીજા ને મળે ત્યારે " गले लगाना -मिलना" ની ધાર્મિક વિધિ પતાવ્યા પછી અમેરિકન વડાએ શૉલોક બોલવો કે " હું વિશ્વની સૌથી મોટી લોકશાહી વસ્તી ધરાવતા દેશના વડા ને આવકારું છું" (the world's largest "democracy."). ભારત દેશના વડા એ જવાબમાં શૉલોક બોલવો કે "હું વિશ્વના સૌથી જુના લોકશાહી દેશના વડા ને આવકારું છું.("the world's oldest democracy" )  

અમેરિકાની સરકાર અને તેની પરદેશી નીતિ ઘડનારાઓને આપણે છેતરી શકીશું નહીં. તમારે રાજ્યકર્તા તરીકે એટલું તો ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવું  પડશે કે તે દેશના આઝાદીના લડવૈયાઓએ સને 4થી જુલાઈ1776માં ઇંગ્લેન્ડ સામે બળવો કરીને સ્વતંત્રતા મેળવી હતી. આપણા દેશ કરતાં અમેરિકાએ 171 વર્ષ પહેલાં (Base year ) 1947 ગણી યે તો અને  આજ થી ગણીએ તો  (2024) 248 વર્ષ પહેલાં આઝાદી મેળવી હતી. તેને કારણે જ્ઞાન-વિજ્ઞાન અને રૅશનાલિટી નો ઉપયોગ(બાઇબલ તથા ઈસાઈ ધર્મનો બિલકુલ  નહીં) જીવન ના દરેક ક્ષેત્ર માં કેવી રીતે કરવો  અને તેમાં જગત જમાદારી કેવી રીતે ટકાવી રાખવી તે સિધ્ધ કરી લીધું છે.

  1. અમેરિકન ટોચનું રાજકીય નેતૃત્વ  આશરે સને 1940થી  સમજી ગયું છે કે કેવી રીતે ગાંધીજી સહિત આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ લોકશાહી જીવન મૂલ્યોને નહીં પણ રાષ્ટ્રીય હિતો(nationalistic)અને હિંદુત્વવાદી જીવન મૂલ્યોને વરેલું  છે. 

  2. અમેરિકાના 32માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ( 1933-1945)યુદ્ધના સમયે બાર વર્ષ હોદ્દો ભોગવનાર વડાએ ગાંધીજીને બીજા વિશ્વયુદ્ધમાં સને 1942માં પત્ર લખીને જણાવ્યું હતું કે તમે આઝાદીની ચળવળના વાસ્તવિક નેતા છો (President Franklin Roosevelt wrote to Mohandas Gandhi, then the de facto leader of India's independence movement,) તમે "હિંદ છોડો "Quit India movement" શરુ  ન કરશો. જપાનની રાજાશાહી, જર્મનીના હિટલર અને ઇટલીના મુસોલિની સરમુખત્યારશાહી સામે પશ્ચિમના લોકશાહી દેશોના યુદ્ધના ટેકામાં ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન પેદા કરી ને  મદદ કરો. ઇંગ્લેન્ડ,એક દેશ તરીકે  જર્મનીના હિટલર સામે જો બીજા વિશ્વ યુદ્ધ માં હારશે, તો તે હિટલરનું ગુલામ બનશે. તે સમયે ભારતની  ગુલામીનો  ફક્ત માલિક બદલાશે. જે હિટલર અકારણ ,પોતાના માનસિક સંતોષ ખાતર વિશ્વને પોતાની એડી નીચે ગુલામ  બનાવી  તારાજ કરવા નિકળયો છે તે શું ભારતને (ઇંગ્લેન્ડના સંસ્થાન ,વસાહત આર્થિક લૂંટના માધ્યમને)આઝાદી આપશે? "Our common interest in democracy and righteousness will enable your countrymen and mine to make common cause against a common enemy," U.S. President Franklin Roosevelt wrote to Mohandas Gandhi, then the de facto leader of India's independence movement, during World War II."

(3) વૈશ્વિક કટોકટીમાં ભારતના જે તે નેતૃત્વએ(ગાંધીજીએ) હમેશાં બીજા વિશ્વયુદ્ધ સમયે હિટલર, મુસોલિની અને આજે મોદીજીએ યુક્રેન વિરુદ્ધ રશિયાના આપખુદ પુતિનને ખુલ્લો ટેકો આપ્યો છે. બે દિવસ પહેલાં જ રશિયાની મોદીજીની મુલાકાત પછી યુનોમાં ભારતે રશિયાની તરફેણમાં મતદાનમાંથી ગેરહાજર રહીને યુક્રેન વિરુદ્ધ ટેકો આપ્યો છે. રશિયાની મુલાકાત દરમ્યાન પુતિનના લશ્કરે યુક્રેનના  બાળકોની શાળા અને હોસ્પિટલ પર હવાઈ હુમલો કરીને ખુબજ મોટી  ખુના - મરકી કરી હતી. જેનો વિરોધ મોદીજીએ ઑસ્ટ્રિયા(ઑસ્ટ્રેલિયા નહીં) ની મુલાકાત દરમ્યાન એક દિવસ રહીને કર્યો હતો.

(4) આપણા પડોશી દેશ મ્યાનમારમાં લોકમતથી ચૂંટાયેલી બહુમતી સરકારને તેના નેતા અંગ સૂકી ને જેલમાં મુકનાર લશ્કરી શાસનને મોદી સરકારે ટેકો આપ્યો છે. અને શસ્ત્રો વેચ્યા છે .  

(5) આજથી દશ વર્ષ પહેલાં જ્યારથી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી લોકશાહી દેશ  તરીકે ભારત ની સ્થિતિ વધુને વધુ શંકાસ્પદ બની રહી છે. "વિશ્વની સૌથી મોટી લોકશાહી" એ તેની મુસ્લિમ લઘુમતી પર નિર્દેશિત હિંસામાં વધારો જોયો છે.  તે લાખો મુસ્લિમ રહેવાસીઓની નાગરિકતા છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. તે વૈશ્વિક મીડિયા અને પ્રેસ (Press)ને મૂંઝવી રહ્યો છે. માર્ચ 2024 માં, મોદીની પાર્ટીએ ભારતના સૌથી અગ્રણી વિપક્ષી રાજકારણીઓને સંસદમાંથી દૂર કર્યા હતા. 

(6) યુનાઇટેડ સ્ટેટ્સ માટે, ભારત એશિયામાં એક વિશાળ, મુખ્ય શક્તિ છે જે નિર્ણાયક દરિયાઇ માર્ગો પર બેસે છે અને ચીન સાથે લાંબી, હરીફાઈ વાળી જમીન સરહદ વહેંચે છે. ભારત માટે, યુનાઇટેડ સ્ટેટ્સ અદ્યતન ટેકનોલોજી, શિક્ષણ અને રોકાણનો આકર્ષક સ્ત્રોત છે. 

(7) નવી દિલ્હી હજુ પણ મોસ્કો સાથે ગાઢ સંબંધો ધરાવે છે, પરંતુ રશિયન શસ્ત્રોની અનિશ્ચિત ગુણવત્તા અને વિશ્વસનીયતા નો અર્થ એ છે કે ભારત તેના બદલે પશ્ચિમી દેશો પાસેથી શસ્ત્રો ખરીદવા માટે પહેલા કરતાં વધુ ખુલ્લું છે.

(8)અમે-અમેરિકાએ સમજી લીધું છે કે વૈશ્વિક લોકશાહીની લડાઈમાં ભારતને સાથી ગણવાને બદલે એ જોવું જોઈએ કે ભારત અનુકૂળતાનો સાથી છે. વોશિંગ્ટનએ ગુલાબી રંગના ચશ્મા દ્વારા નવી દિલ્હીને જોવામાં દાયકાઓ વિતાવ્યા છે તે જોતાં આ પરિવર્તન સરળ નહીં હોય. પરંતુ  બંને પક્ષોને એ સમજવા માટે પ્રોત્સાહિત કરશે કે તેમનો સંબંધ આખરે વ્યવહારિક છે-અને તેમને વ્યવસાયમાં ઉતરવાની મંજૂરી આપશે. 

ભાવાનુવાદ્ક- બીપિન શ્રોફ .

સૌજન્ય - Foreign Affairs. https://archive.ph/W6N5D

ભાગ -2 અને 3 હવે પછી.







--

Saturday, July 13, 2024

બ્રિટન(યુકે)વિશ્વનો જે તે દેશની કુલ વસ્તીની ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછામાં ઓછો ધાર્મિક દેશ છે.


બ્રિટન(યુકે)વિશ્વનો જે તે દેશની કુલ વસ્તીની  ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછામાં ઓછો ધાર્મિક દેશ છે.53% નાગરિકો ને કોઈ ધર્મ કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી. હમણાં પુરી થયેલી તેની સંસદીય  ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોમાંથી 40 % સંસદોએ  ભગવાનના નામે સોગંદ લીધા નથી.આ સંસદમાં સૌ પ્રથમ નિરીશ્વરવાદી સોગંદ " I solemnly affirm that I will speak & support only truth but nothing else than truth." લેનાર મજુરીપક્ષના વડા નેતા તેના નવા વડાપ્રધાન  કેઇર સ્ટરમેર હતા( Sir Keir Starmer). તેમના પ્રધાન મંડળના 50% કરતા વધારે સાંસદોએ નિરીશ્વરવાદી સોગંદ લીધા હતા. (These include the Prime Minister Sir Keir Starmer and 50% of the Cabinet.) We've known for a while that the UK is one of the least religious countries in the world. We now have one of the least religious national parliaments in the world, too.)

   

અમારા દેશના બહુમતી નાગરિકોતો નિરીશ્વરવાદી હતા. પણ હવે અમારી પાર્લિયામેન્ટના બહુમતી નિરીશ્વરવાદી સાંસદોને મતદારોએ ચૂંટીને મોકલ્યા છે. 

કુલ  650સંસદોમાંથી મજુર પક્ષના આશરે 200 અને રૂઢિચુસ્ત પક્ષના 60સાંસદોએ નિરીશ્વરવાદી સોગંદ લીધા હતા.કુલ સાંસદોમાં પુરુષ 387(59%) અને સ્ત્રીઓ 263(41%) ચૂંટાઈને આવ્યા છે. 6% સાંસદોએ પોતાના અનુક્રમે મુસ્લિમ, હિન્દૂ, શિખ  કે ઈસાઈ ધર્મના નામે સોગંદ લીધા હતા. ઇંગ્લેન્ડમાં લોકશાહી સંસદીય રાજ્યપ્રથા સને 1236 થી શરૂ થયેલી છે. જયારે બ્રિટન(યુકે)એટલે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયરલૅન્ડ (વેલ્સ) સદર પ્રથા 1707થી શરૂ થયેલી  છે.

નવા વડાપ્રધાન  કેઇર સ્ટરમેર યુકેના સાતમા વડાપ્રધાન છે જેમણે નિરીશ્વરવાદી તરીકે સોગંદ લીધા હોય! આજથી બરાબર 100 વર્ષ સને 1924માં  પહેલા વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ  હતા જેણે નિરીશ્વરવાદી  તરીકે સોગંદ લીધા હતા. 


વડાપ્રધાન  કેઇર સ્ટરમેરની જીવનકથા લખનાર ટોમ બાલ્ડવીન ને પોતાના જીવનનું તત્વજ્ઞાન સમજાવતાં  જણાવ્યું હતું કે " તમે કોણ છો, તમે ક્યાંથી આવો છો અને તમારા સંજોગો કેવા છો તે ધ્યાનમાં લીધા વિના, માનવ હોવાનો સાર એ ગૌરવ છે. તેનો અર્થ એ છે કે તમામ લોકો પાસે અધિકારો છે જે છીનવી શકાતા નથી. અવિભાજ્ય માનવ ગૌરવનો વિચાર એક પ્રકારનો લોડ સ્ટાર બની ગયો જેણે મને ત્યારથી માર્ગદર્શન આપ્યું છે; તેણે મને એક પદ્ધતિ, કે માળખું આપ્યું જેના દ્વારા હું દરખાસ્તોનું પરીક્ષણ કરી શકું. અને તે મારા માટે રાજકારણને કાયદામાં લાવી."

બ્રિટિશ માનવવાદી સંસ્થાના વડા એન્ડ્રુ કોપ્સન (Humanists UK Chief Executive Andrew Copson) જણાવે છે કે લોર્ડ એટલી અને વિસ્ટન ચર્ચિલ બંને વડાપ્રધાને નિરીશ્વરવાદી તરીકે સોગંદ લીધા હતા. 







--

Monday, July 1, 2024

ઇંગ્લેન્ડની પ્રજામાં નીચે મુજબની અંધ્ધશ્રદ્ધાઓ પ્રવર્તમાન હતી.

 ઇંગ્લેન્ડની પ્રજામાં નીચે મુજબની અંધ્ધશ્રદ્ધાઓ પ્રવર્તમાન હતી.

સને 1601ની (આશરે 425 વર્ષ પહેલાં )સાલમાં ઇંગ્લેન્ડની પ્રજામાં નીચે મુજબની અંધ્ધશ્રદ્ધાઓ પ્રવર્તમાન હતી.
જે સ્ત્રીમાં ભૂતપ્રવેશ કરેલ હોય તે દરિયામાં તોફાન પેદા કરીને સ્ટીમરને ડુબાડી શકે!
સુકાઘાસના ઢગલાંમાંથી ઉંદર પેદા થાય છે.
પ્રજાને જાદુગરોમાં દૈવી ચમ્ત્કાર કરવાની શક્તિ હોય છે.
 વનસ્પતિ અને ફૂલોના જુદા જુદા રન્ગોમાં માનવીના જુદા જુદા રોગો દૂર કરવાની તાકાત ઈશ્વરે મુકેલી છે.
તેનામાં શ્રદ્ધા હતી કે બીજી ધાતુઓમાંથી સોનુ બનાવી શકાય છે.
મેઘધનુષ્ય દેવ સર્જિત છે.
ખરતો તારો અશુભની નિશાની છે.
માણસને પોતાના કે અન્યના સ્વપ્નનોનું અર્થઘટન કરતાં આવડે તો તે ભવિષ્યમાં બનવાની ઘટનાનો સંકેત સમજી શકે છે.
પૃથ્વી સ્થિર છે. સૂર્ય અને તારાઓ પૃથ્વીની આસપાસ ફરે છે.
તે  જમાનામાં માનવીની ( મોટાભાગના સમાજના લોકોની) શ્રદ્ધા હતી કે તેની રોજબરોજની જિંદગીમાં બનતા બનાવો કોઈ અલોંકિક કે ઈશ્વરી શક્તિ નિયંત્રિત છે.
  (સૌજન્ય -Enlightenment Now-page-9.)
ફેસબુકના વાંચક માટે ખાસ નોંધ- સને 2024માં આપણા દેશમાં ઉપર દસમાંથી કેટલી અંધશ્રદ્ધાઓ ચાલુ છે તેના જવાબ આપવાના છે.  અમારી 22મીસદીમાં ઉપરના પ્રશ્નો ને આધારે લેનારીની નીટની પરીક્ષામાં ઓછામાં ઓછા 90% માર્ક્સ લાવવા ફ્રજીયાત છે.પરીક્ષાર્થી માટે ગાંધીવાદી સત્યના પ્રયોગોનો આધાર રાખવો અયોગ્ય કે ગેરલાયકાત ગણાશે તેની ખાસ નોંધ લેવી..  


--

Friday, June 28, 2024

ભાગ -1. સ્ટીવન પિંકર ના પુસ્તકને આધારે. સંકલન


 ભાગ -1. સ્ટીવન પિંકર ના પુસ્તકને આધારે. સંકલન
 જ્ઞાન પ્રકાશ યુગ(The Age of Enlightenment From 1650 to 1800)ના વિચારકોના " નાસ્તિકવાદ " અંગેના તારણો.
 લોકો ઈસાઈ ધર્મને સાચો ધર્મ માનતા હતા.દાર્શનિકો તેને ખોટો ધર્મ માનતા હતા.જયારે જે તે રાજ્યના શાસકો તેને પોતાના હિતો સાચવવા "ઉપયોગી ધર્મ માનતા હતા.
 શ્રધ્ધાનો અભાવ એ રેશનલ બનવાની પૂર્વશરત  હતી.
 ચર્ચ, યુરોપમાં સૌથી ધનાઢ્ય કોર્પોરેશનથી વિશેષ કશુંજ નથી.
 નાસ્તિકવાદ, તે કોઈપણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વ માટે ખતરારૂપ છે તેવું તમામ ધર્મના ઠેકેદારો માને છે અને તેનો પ્રચાર  કરે છે ને કરાવે છે.
ઈશ્વર શ્રધ્ધાથી વધુ ભયંકર અને ખતરનાક બીજો કોઈ ખ્યાલ તે સમયમાં ન હતો.ઈશ્વર શ્રધ્ધા થી વધુ ભ્રામક બાબત ન હતી.મનુષ્યની અતૃપ્ત ઈચ્છાઓ જ તેના મૂળમાં હતી. માનવીય અસલામતી પછી તે કોઈપણ પ્રકારની હોય,તેનો સ્ત્રોત્ર કોઈપણ હોય પણ તે ધર્મના નવા નવા સ્વરૂપોને જન્મ આપે છે.
જ્યાંસુધી વિશ્વ નાસ્તિકવાદી નહીં બને ત્યાં સુધી સુખી નહીં થાય.અને ત્યાંસુધી ધર્મ સંબંધી સંઘર્ષો નો પણ અંત નહીં આવે.જો નાસ્તિકવાદ પ્રસ્થાપિત થાય તો જ મનુષ્યમાં પડેલી સર્જનાત્મક શક્તિને બહાર આવવા માટે મોકળાશ અને અવકાશ ઉભા થાય અને તો જ સાચા સુખનો અનુભવ કરી શકાય.
ધર્મ એ દમનનો ભોગ બનેલાઓનો નિશ્વાશ છે.હૃદ્યહીન વિશ્વની લાગણી છે.આત્માવિહીન સંજોગોનો આત્મા છે.ધર્મએ લોકોને પીવડાવવામાં આવતું કેફી પીણું છે….કાર્લ માર્ક્સ.
લોકોની માનસિક જરૂરિયાતોને સંતોષવાની તેની ક્ષમતા જ ધર્મના અસ્તિત્વને વ્યાજબી ઠેરવે છે.ધર્મના સમર્થનમાં આ સિવાયની બીજી કોઈપણ દલીલ દાર્શનિક કે અન્ય પ્રકારના આધારની કાયદેસરતા ન હોઈ શકે.---ફોયરબાખ -જર્મન ફિલોસોફર.
  લોકોની ભૌતિક આવશ્યકતાઓ  જ સામાજિક અને રાજકીય વિચારોનો પાયો હોઈ શકે.વ્યક્તિ અને તેનું દિમાગ તેના આજુબાજુના પર્યાવરણની નીપજ છે. તેની શરીરી ચેતના તેના પાંચ  ઇન્દ્રિય અંગો અને બાહ્ય જગત વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે.---ફોયરબાખ.
માણસે ઈશ્વર વિશે વાસ્તવમાં જે કહ્યું છે  તે એક ગુહ્ય ભાષામાં તેની પોતાની જ વાત છે.અને તેને તે લાગુ પડે છે.આથી ઈશ્વરને માણસે જે ગુણો થી નવાજ્યો હોય  તે સિવાયના ગુણો ઈશ્વરમાં  કદાપિ હોઈ શકે નહીં.ખરેખરમાં આમ જે માનવીનું પોતાનું છે, તેને ઈશ્વરનું નામ આપીને,અર્પિત કરીને, જે કેવળ માનવીય અને નક્કર છે તેને માનવી કરતાં  ઘણું ઉચૂં સ્થાન આપે છે.
ધર્મ જેટલે અંશે દૈવી તત્વને સમૃદ્ધ બનાવે છે તેટલે અંશે માનવીને સત્વહીન બનાવે છે. ધર્મને નામે લોહિયાળ બલિદાન તેનો ઉત્તમ નમૂનો છે.માનવી જે પોતાનામાં નથી તે ઈશ્વરમાં છે તેવું દ્રઢ પણે માને છે. તે ઉપરાંત ધર્મ એક માનવીની બીજા માનવીઓ સાથે સંવાદિતા - સહકાર સાથે રહેવાની શક્તિ જ કુંઠિત કરી નાખે છે.    
  ટૂંકમાં ધર્મેને ઉથલાવવો એ સાચાં માનવમૂલ્યોનો સાક્ષાત્કાર કરવા બરાબર છે.જે ક્ષણે લોકો સમજશે કે ધર્મ પ્રત્યેની આસક્તિ  માનવીઓની બાળબુદ્ધિની નીપજ છે. ત્યારે તેઓ સાચા અર્થમાં માનવીય સમાજનું નિર્માણ કરી શકશે.
માનવી પોતે જ માનવીનો દેવ છે.જો માણસનું તત્વ એ જ માનવીનું પરમતત્વ  હોય તો માનવીનો માનવી પ્રત્યે પ્રેમ એ પ્રથમ અને સર્વોચ્ચ નિયમ અને કાર્ય છે.
ધર્મનું સ્થાન હવે "માનવવાદ" લેવું પડશે.જે પ્રેમ અત્યાર સુધી ઈશ્વર તરફ વહેતો હતો  તે હવે માનવકેન્દ્રી બનાવવો પડશે.તે રીતે માનવજાતની એકતા પુન:પ્રાપ્તિ થશે." આથી માનવજાતનો અભ્યાસ વાસ્તવિક,ભૌતિક વિશ્વમાં રહેતા વાસ્તવિક માનવીથી થવો જોઈએ.
****************************************************            


--

Wednesday, June 26, 2024

વિશ્વના તમામ ધર્મોના અસ્તિત્વ પર આવી રહેલી અપરિવર્તનશીલ સુનામી.”

" વિશ્વના તમામ ધર્મોના અસ્તિત્વ પર આવી રહેલી અપરિવર્તનશીલ સુનામી."
દુનિયાનો કોઈ ધર્મ બાકી નથી જેના ધાર્મિકો પોતાનો ધર્મ છોડીને બીજો કોઈ ધર્મ અંગીકાર કરતા નથી.ધર્મ પરિવર્તન કરતા નથી.પરંતુ પોતાનો ધર્મ ત્યજીને નિરીશ્વરવાદી,નાસ્તિક( Non Believers)બની જાય છે. અમને અમારા ધાર્મિક સત્યોમાં વિશ્વાસ નથી.ધર્મની ટેકણલાકડી સિવાય પણ માનવી તરીકે અમે અમારી જિંદગી શિક્ષિત,સમૃદ્ધ આરોગ્યમય, દીર્ઘાયુષ, શાંતિમય એકબીજાના સહકારથી વૈજ્ઞાનિક સત્યો અને શોધોને આધારે જીવી શકીયે તેમ છે.
આજે વિશ્વની કુલ વસ્તી આશરે આઠ અબજની છે.તેમાં 31%ઈસાઈ,23% મુસ્લિમ,15% હિન્દૂ,7% બૌદ્ધ,2% યહૂદી  ,6%નાના બીજા ધર્મો અને16 ટકા નિરીશ્વરવાદીઓ છે.
પુર્વ એશિયાના દેશોમાં અનુક્રમે કોરિઆના 53%,હોંગકોંગ 53%,તાઇવાન 42% જાપાનના20%,અમેરિકા 28%,નોર્વે 30% નાગરિકોએ પોતાની ધાર્મિક ઓળખને બદલે કાયદેસરની નિરીશ્વરવાદી ઓળખ સ્વીકારી લીધી છે.
ભારતમાં સને 2001ના વર્ષમાં પહેલીવાર વસ્તીગણતરીમાં"અધાર્મિક " ઓળખનું ખાનું વસ્તીગણતરીની યાદીમાં  ઉમેરવામાં આવ્યું છે. તેમાં દેશની વસ્તીમાં કુલ 7લાખ "અધાર્મિક"છે તેવું નોંધવામાં આવ્યું છે. 2011માં સદર વધીને 29લાખ નોંધવામાં આવી છે.2021ના આધારભૂત સર્વે પ્રમાણે 4કરોડ બતાવવામાં આવી છે.
વિશ્વ કક્ષાએ તમામ ધર્મોના સત્યો પરથી માનવીઓને અવિશ્વાસ આશરે 16મીસદીથી શરૂ થયેલ નવજાગૃતિની ચળવળ(Renaissence)  અને જ્ઞાનપ્રબોધન( Enlighternment age)યુગથી શરૂ થયેલ જ્ઞાન વિજ્ઞાનની અવિરત સંશોધનોને આધારે શરૂ થયો છે. છેલ્લા આશરે 500- 600વર્ષ માં  માનવજાતે રેશનલીટી(કારણની સર્વોપરિતા)વૈજ્ઞાનિક અભિગમ,માનવવાદ અને માનવજીવનના તમામ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલ વિકાસની દેન છે.તેમાં વિશ્વના કોઈ એક દેશ કે ફક્ત પશ્ચિમી જગતની ફક્ત દેન નથી.
આશરે10000વર્ષોથી ચાલુ રહેલી કૃષિ સંસ્કૃતિને સર્જેલી જે તે ધર્મોની બેડીઓ કાયમમાં માટે ફગાવી દઈને જ્ઞાન-વિજ્ઞાન આધારિત ઔદ્યોગિક સંસ્કૃતિના વિકાસે માનવીને  માનવવાદી બનાવ્યો છે.સદર વિકાસે  માનવીને નાસ્તિક કે નિરીશ્વરવાદી બનાવનારા કુદરતી પરિબળોના નિયમોના સંચાલનની સમજ,તે બધાનો પોતાની ભૌતિક સલામતી માટે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડ્યું છે.
 21મી સદીમાં વૈશ્વિક સ્તર પર તમામ દેશોમાં નિરીશ્વરવાદી વિચારસરણીની નાગરિકોની પસંદગી મક્કમ,જ્ઞાન-વિજ્ઞાન આધારિત હોવાથી આવતા બે કે ચાર દસકાઓમાં તે તમામ ધર્મો પર સુનામીની માફક ફેલાઈ જઈને તે બધા ધર્મોના ધંધાઓની દુકાનો કાયમ માટે બંધ કરાવી દેવાની છે.
આધુનિક જ્ઞાન-વિજ્ઞાન આધારિત જે પરિબળો છેલ્લા પાંચ કે છ સૈકાઓમાં માનવજીવનના જુદાજુદા પણ તમામ ક્ષેત્રોમાં કેવી રીતે વિકસ્યા છે તેની વાતો હવે પછીના લેખોમાં પણ નીચે જણાવેલ પુસ્તકને આધારે.
 " Enlightenment Now"સદર પુસ્તકના લેખક Pro . Steven Pinker અમેરિકાની સર્વોત્તમ વિશ્વવિદ્યાલય હાર્ડવર્ડ યુનિ માં Pro.of Pshchology & Cognitive Scientist & Public intellectual છે. અમેરિકાના વિશ્વ વિખ્યાત દૈનિક ન્યુયોર્ક ટાઇમ્સએ " Pro સ્ટીવન પિન્કરને જગતના 100 બેસ્ટ બૌધિકોમાંના એક ગણ્યા  છે."
 સદર પુસ્તકને બિલ ગેટ્સે પોતાની જિંદગીના બેસ્ટ પુસ્તક તરીકે પસંદ કરેલ છે.550પાનાં અને આશરે 1200રેફરન્સ બુક્સની નોંધ સાથે તૈયાર કરેલ આ પુસ્તક છે .
—-------------------------------------------------------            



--

Sunday, June 23, 2024

Subject: Proposal for Collaboration with District-Level Newspapers and Intellectuals


Bipin Shroff shroffbipin@gmail.com

1:08 PM (7 hours ago)
to Sam
My Dear Satubhai & friends,
We had very meaningful deliberations last Thursday, which was on 20th June24.
I would like to bring the attention of all your members regarding the suggestion by Kashikbhai from Canada. He suggested that we should try to have sincere & intellectual context with district level newspapers publishers in regional languages.
Can we prepare a blue print of publications matter on regular basis in relations to cultivate Rahuljee views on Our National problems related to human values ( नफरत के बजारमे म्होब्तकी दुकान), economic -industrial- agricultural policies for inclusive growth etc? We can also invite views on establishing decentralized-participatory political party structure from bottom-up. Creation, independent & nourishing of modern institutions in all walks of life. We can prepare long lists for the same.
But the real task will be to prepare a workable project for reaching to decentralize district publications- cum their owners etc on one side. & secondly, a group of people from our groups & others like minded  intellectuals  who can be pursued to cooperate in this project.
My humble request to you is  to forward this letter to all our group members  & request all of them to come with some positive suggestions on coming thursday.
With regards,
Bipin Shroff.

--

--

Saturday, June 8, 2024

तू न हिंदू बनेगा , न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा |


तू न हिंदू  बनेगा , न मुसलमान बनेगा,
इंसान की औलाद है इंसान बनेगा |
ઇન્સાન(માનવ)બનવું એટલે શું?
कोई हिन्दू ,कोई मुस्लिम, कोई ईसाई  सब ने इंसान  नहीं बनने की  कसम  खाई है|
निदा फाज़ली
(1)ઇન્સાન તેને કહેવાય જેનો ધર્મ ઈન્સાનસિયત સિવાય બીજો કોઈ ધર્મ ન હોય! માટે બે ઇન્સાન વચ્ચે ક્યારેય ખાસ કરીને ધર્મને આધારે નફરત બિલકુલ ન હોઈ શકે.એક ઇન્સાને બીજા ઇન્સાન સાથે સદીઓથી મહોબ્બ્ત,ત્યાગ,સહકાર જેવા માનવીય સદ્ગુણો કેળવીને આ વિશ્વને સમૃદ્ધ બનાવ્યું  છે.વિશ્વના તમામ ધર્મોએ પોતાના નિજી હિતો માટે એક ઇન્સાનને બીજા ઇન્સાન સાથે લડાવીને, ખૂના-મરકી કરીને ફક્ત માનવ બંધુઓનું લોહી લઈને સદર પૃથ્વીને લોહિયાળ બનાવી છે.ધાર્મિક  યુધ્ધો,જેહાદ,ધાર્મિક સત્યોને પડકાનારાઓને,સ્ત્રીઓને ડાકણ જાહેર કરીને જીવતી સળગાવી દેવાના વિ અમાનવીય કૃત્યો સંગઠિત રીતે સમૂહમાં કરનારા બીજા કોઇનહિ પણ બાયબલ,કુરાન અને ગીતાના ટેકેદારો,ભક્તો અને ભજનારા સિવાય બીજા કોઈ ન હતા, આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય!        
(2) ઇન્સાન ની વફાદારી ફક્ત ઇન્સાન પ્રત્યે હોય. કોઈ પણ સમૂહ જેવાકે કુટુંબ,જ્ઞાતિ,જાતિ (સ્ત્રી કે પુરુષ)પંથ સંપ્રદાય,પ્રદેશ,રાષ્ટ્ર વી. સાથે ક્યારેય હોઈ શકે નહીં.
(3) વિશ્વના કોઈપણ ખૂણે નિવાસ કરતા માનવનો મૂળભૂત ધ્યેય જીજીવિષા ટકાવી રાખવાનો  (Biological urge to exist)ઐહિક(દુન્યવી) છે. ધર્મોના ઉપદેશો મુજબ કપોળકલ્પિત મોક્ષ,સ્વર્ગ,મુક્તિ.પાપ -પુણ્ય બિલકુલ નથી.
(4) એક ઇન્સાને બીજા ઇન્સાન સાથે આ પૃથ્વી પર કેવી રીતે જીવન જીવવા કેવા ધર્મના આધાર સિવાયના નૈતિક સંબંધો વિકસાવવા તે જરૂરી છે.મૃત્યુ પછીના જીવન માટે વર્તમાન જીવનમાં ધર્મ આધારિત નૈતિક વ્યવહારો કરવાની જરૂર બિલકુલ નથી.
(5) કોઈપણ સુખ કે દુઃખની અસર ફક્ત માનવી જ વ્યક્તિગત ધોરણે અનુભવી શકે છે. બાકી ટોળા તો નફરત અને હિંસા જ ફેલાવી શકે.
(6) માનવી સ્વયં એક ધ્યેય છે. The Human Being is itself the value.) માનવીનો જયારે ધર્મ,રાજકીય સત્તા, રાજકીય પક્ષ કે તેનો નેતા,કે બીજો અન્ય સમૂહ સાધન તરીકે ઉપયોગ કરે છે ત્યારે માનવજાતની બર્બાદી થાય છે.
(7) દરેક માનવી માટે વર્તમાન જીવન જ પ્રથમ અને આખરી જીવન છે.માટે માનવી તરીકે અન્ય માનવનો સદર જીવનને ટકાવવા અને સમૃદ્ધ કરવા શાણપણ કેળવીને શાંતિભર્યા માર્ગે વિકસાવવા સિવાય અન્ય માર્ગ નથી.          

--

Sunday, May 26, 2024

હરખ! હવે ઓ હિન્દુસ્તાન!

હરખ! હવે ઓ હિન્દુસ્તાન! વિશ્વની દસમી અજયબી " ફક્ત નરેન્દ્ર ". વિશ્વના આશરે 200 દેશોમાં ભારત દેશનો ઈશ્વરી પયગ્મ્બર તારીખ 4થી જૂને ઈશ્વરી ઈચ્છા હશે તો પ્રથમવાર દેશનો વડોપ્રધાન બનશે. સને 2014થી 2024સુધી આપણા દેશને લલાટે ભારતીય જનતા પાર્ટીએ સર્વાનુમતે પસંદ કરેલા એક નાગરિક નામે "નરેન્દ્ર દામોદરદાસ મોદી" મૂળ વડનગર(ગુજરાત)ના, બનારસમાંથી ચૂંટાયેલા  સંસદસભ્યને માનનીય વડાપ્રધાન બનાવ્યા હતા.    

" મારા માતુશ્રી હીરાબા જીવતા હતા ત્યાં સુધી હું વિચારતો હતો કે હું તેમની કુખે જન્મેલો છું. તેમના મૃત્યુ બાદ મને એવા અનુભવો થવા માંડ્યા 

કે " મને પ્રતીતિ થઈ ગઇ છે કે હું ઇશ્વરે મોકલેલ પયગમ્બર છું".હું કોઈપણ માતાના પેટેથી કુખે જન્મેલો જૈવીક એકમ બિલકુલ નથી.  મારામાં જે શક્તિ છે તે મને ઈશ્વરે આપેલી છે. મારામાં જે કાબેલિયત,શારીરિક ઉર્જા ,હ્ર્દયમાં નિખાલસતા અને તે માટેની કામ કરવાની પ્રેણા તે ઈશ્વરી દેન છે. હું તો ઈશ્વરે તેનો ઉદ્દેશ પાર પાડવા મોકલેલું એક માત્ર સાધન છું ." 


In an interview to News 18, PM Modi said, "Until my mother was alive, I used to think I was born biologically. After her demise, when I look at my experiences, I am convinced that I was sent by god. This strength is not from my body. It has been given to me by god. That's why God also gave me the ability, strength, pure heartedness, and also the inspiration to do this. I'm nothing but an instrument that god has sent." ( સૌજન્ય ગુગલસર્ચમાંથી ભાવાનુવાદ) 



--

Wednesday, May 22, 2024

ગાંધીજીનો સનાતન ધર્મ અને નમોના સનાતન ધર્મ વચ્ચે શું તફાવત છે?


ગાંધીજીના  સનાતની હિંદુધર્મના ખ્યાલ અને મોહન ભાગવત -આર એસએસ અને નરેન્દ્ર મોદીના સનાતની હિંદુ ધર્મના ખ્યાલ વચ્ચે  ખરેખર કોઈ તાત્વિક તફાવત છે ખરો? સનાતની હિંદુ ધાર્મિક માન્યતા અને તેના વિધર્મી સાથેના તમામ વ્યવહારોમાં " નફરતની દુકાન હોય કે મહોબત્ત ની દુકાન "? લોકશાહી ભારત દેશના તમામ નાગરિકો માટે શું જરુર્રી છે? " સનાતની હિંદુ કે દેશના બંધારણના આમુખ મુજબના " અમે ભારતના નાગરિકો કે લોકો બનવું ? ".  

ગાંધીજીએ સને 1921ના ઑક્ટોબર માસના માસિક "યંગ ઇન્ડિયા " પોતે સનાતની હિંદુ છે તેવું જણાવી સનાતની હિંદુની ચાર લાયકાતો જણાવી હતી.

  1. I believe in the Vedas, the Upanishads, the Puranas and all that goes by the name of Hindu scriptures, and therefore in avatars and rebirth. હું વેદો ,ઉપનિષદો,પુરાણો અને હિંદુ ધર્મ પુસ્તકો તરીકે ઓળખતા તમામ સાહિત્યમાં મારી અખૂટ શ્રદ્ધા છે. તેથી હું ઈશ્વરી અવતારો અને પુનર્જન્મમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું .

 (2) I believe in the Varnashram dharma in a sense in my opinion strictly Vedic, but not in its present popular and crude sense. હું વૈદિક ધર્મમાં જણાવેલ "વર્ણાશ્રમ ધર્મ" માં માનું છું . પણ તેના વર્તમાન પ્રચલિત અને અસંસ્કારી કે અસભ્ય ચીલાચાલુ ખ્યાલમાં બિલકુલ વિશ્વાસ ધરાવતો નથી.

(3) I believe in the protection of the cow in its much larger sense than the popular. હું ગૌરક્ષાના સંરક્ષણના વિશાળ ખ્યાલ અને વર્તનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું .

(4) I do not disbelieve in idol-worship. હું  મૂર્તિપૂજામાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું. .

 હું ધર્મનિરપેક્ષ માનવવાદી તરીકે(અથવા નિરીશ્વરવાદી ,રેશનાલિસ્ટ માનવવાદી )હિંદુ નથી.કારણકે 

  1. I do not believe in the Vedas, the Upanishads, the Puranas and all that goes by the name of Hindu scriptures, and therefore in avatars and rebirth. હું વેદો ,ઉપનિષદો,પુરાણો અને હિંદુ ધર્મ પુસ્તકો તરીકે ઓળખતા તમામ સાહિત્યમાં મારી લેશમાત્ર શ્રદ્ધા ધરાવતો નથી. તેથી હું ઈશ્વરી અવતારો અને પુનર્જન્મમાં પણ  શ્રદ્ધા ધરાવતો નથી.

  2. I do not believe in the varnashram dharma or varna-vyavastha either in the sense in which it is explained in Hindu dharma shastras like Manusmriti or in the so-called Vedic sense. હું વૈદિક ધર્મમાં જણાવેલ "વર્ણાશ્રમ ધર્મ"અને વર્ણવ્યવસ્થાના ખ્યાલ અને વર્તન જેને હિન્દુધર્મ પુસ્તક "મનુસ્મૃતિ "માં ઉલ્લેખ કરેલ છે તેનો સંપૂર્ણ વિરોધી છું . 

  3. I do not believe in the Hindu taboo of not eating beef. હું ખોરાક તરીકે ગૌમાંસના ઉપયોગ ને હિંદુ વર્જ્ય કે નિષેધ  ગણે છે તેને હું માનતો નથી.

  4. I disbelieve in idol-worship. મને  મૂર્તિપૂજામાં બિલકુલ શ્રદ્ધા નથી.

( સૌજન્ય- Why I am Not a Hindu: Ramendra Nath-Amazon

https://www.amazon.com › Why-I-am-Not-Hindu.Professor Ramendra's bold manifesto in which he explains why he rejects the doctrine of the infallibility of the Vedas, varnashram dharma, moksha, karmavada, ..)


 




     




--