Saturday, December 3, 2016

જે લોકો બજાર વ્યવસ્થા (માર્કેટ ઇકોનોમી) સામે પડે છે તે......


જે લોકો બજાર વ્યવસ્થા (માર્કેટ ઇકોનોમી) સામે પડે છે તેની લાશો બજારના પગથીયા નીચેની કબરોમાં દટાઇ જાય છે!

કાર્લ માર્કસથી શરૂ કરીને નરેન્દ્ર મોદી સુધી જે આદર્શ ઘેલા રાજકારણીઓ બજાર વ્યવસ્થા સામે પડે છે તે બધાનું ભાવી લેખના મથાળાની સત્યથી જુદુ આવી શકે જ નહી. આવા દાખલાઓ ઇતીહાસમાં ઓછા નથી. કાર્લ માર્કસ જેવા સમર્થ રાજયઅર્થશાસ્રીએ( પોલીટકલ ઇકોનોમીસ્ટ) પોતાના " દાસ કેપીટલ"ના ત્રણ મહાન ગ્રંથોમાં બજારની વ્યવસ્થાનો વીકલ્પ શોધવા ત્રણસો પાનાં લખ્યા હતા. કારણકે તેને શોષણખોર મુડીવાદી વ્યવસ્થાનો વીકલ્પ વીશ્વને આપવો હતો.

વીશ્વ સમક્ષ કાર્લ માર્કસ આધારીત સામ્યવાદી ઢંઢેરામાં સુચવેલા સીધ્ધાંતો પ્રમાણે બજારના વીકલ્પે આદર્શ અર્થતંત્ર ચલાવવાનો પ્રયોગ સોવીયેટ રશીયામાં સને ૧૯૧૭ની બોલ્શેવીક ક્રાંતી પછી પહેલીવાર કરવામાં આવ્યો હતો.  દરેક સોવીયેત નાગરીકને તેની જરૂરીયાત પ્રમાણે વેતન આપવાનું શરૂ કરવામાં આવ્યું, તેની કાબેલીયાત આધારીત કામના કલાકો પ્રમાણે નહી. રાષ્ટ્રની તમામ ખાનગી મીલકતો વીના વળતરે રાજયની માલીકીની જાહેર કરીને, બંદુકના બેરેલ કે નાળચાની તાકાતથી બજારના વીકલ્પે અર્થતંત્ર ચલાવવાની કોશીષ કરવામાં આવી. ત્રણ જ વર્ષમાં સને ૧૯૧૭થી ૧૯૨૦ સુધીમાં ખેડુતોઓ પોતાની જરૂરીયાત જેટલું અનાજ વી.નું ઉત્પાદન શરૂ કર્યું. ઔધ્યોગીક ચીજ વસ્તુઓના પુરવઠા સામે અનાજનો પુરવઠો બીલકુલ નહીવત થઇ જતાં ' સીઝર્સ ક્રાઇસીસ' કાતરની  બે ધારો જેવી ભાવોની કટોકટી સોવીયેત રશીયામાં પેદા થઇ. કાતરની બે ધારો ( બલ્ડેસ આફ ટુ સીઝ્રર) મોટીને મોટી અને પહોળી થતી ગઇ. ખેત પેદાશો અને ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવોમાં જબ્બ્રજસ્ત અસમાનતા પેદા થઇ ગઇ. લાખ્ખો લોકો  ભુખમરાથી મરીગયા. લેનીનના શાણપણભર્યા નેતૃત્વએ 'નવી આર્થીક નીતી' (ન્યુ ઇકોનોમીક પોલીસી, એન ઇ પી) જાહેર કરી. લેનીન સુત્ર હતું. ' લેટસ ગો ટુ સ્ટેપ બેકવર્ડ ફોર ગોંઇગ થ્રી સ્ટેપ્સ ફોર્વડ. સામ્યવાદના સીધ્ધાંતો પ્રમાણે અર્થતંત્ર ચલાવવા આજે બે પગલાં પીછે હઠ કરવાં છે જેથી ભવીષ્યમાં ત્રણ પગલાં આગળ જવાય.  જમીનો તેમના મુળ માલીકોને પાછી આપી અને વધુ ખેત ઉત્પાદન કરવા ખેડુતોને પ્રોત્સાહીત કરીને દેશને આંતરીક અને બાહ્ય દુશ્મનોથી બચાવી લીધો.

સને ૧૯૨૪માં લેનીનના મુત્યુ બાદ જોસેફ સ્ટાલીને ફરી સામ્યવાદી સીધ્ધાંતો પ્રમાણે સોવીયેત અર્થતંત્ર ચલાવ્યું હતું. લાખો નહી પણ કરોડો ખેડુતોને મારી નાંખીને વીશ્વમાં બોગસ પ્રોપેંગંડા કરીને પોતાના દેશની મહાનતાના બણગાં ફુક્યા. જેનું પરીણામ (યુનાઇટેડ સોવીયેટ સોસીયાલીસ્ટ રીપબ્લીક) રશીયાના સંપુર્ણ વીઘટનમાં સને ૧૯૯૧માં પ્રમુખ મીખાઇલે ગોર્બેચોવના હસ્તે થયું.

આપણા દેશમાં ગાંધીજીએ બજારની સામે 'ટ્રસ્ટીશીપ' નો ખ્યાલ વીકસાવવાની કોશીષ કરી હતી.અમદાવાદ મીલ મજુરોની હડતાલને ' સામુહીક સોદાગીરી (કલેક્ટીવ બારગેઇનીંગ)ના સીધ્ધાંતને બદલે ટ્રસ્ટીશીપ સીધ્ધાંતના પાયાપર મીલમાલીક અને મજુરના આર્થીક પ્રશ્નો ઉકેલવાની કોશીષ કરીને અમદાવાદ મજુર મહાજનની રચના કરી જેને આખરે બંધ કરવું પડયું હતું. ટ્રસ્ટીશીપને આધારે ગાંધીજીના આ સીધ્ધાંતોને અમલમાં મુકનાર વીનોબાજીની સબભુમી ગોપાલકી અને ભુદાનની ચળવળ ખાનગી માલીકીની જમીન પ્રથાનો વીકલ્પ હજુ બની શકી નથી.

હીટલર, મુસોલીની, ફીડલ કાસ્ટ્રોએ બજારની સામે ચેનચાડા કરીને પોતાના દેશનો વીનાશ નોતર્યો હતો.

દેશના લોકો મોબાઇલ વાપરતા થઇ ગયા છે અને જેની સંખ્યા કરોડોમાં છે. તે બધા રાતોરાત ' ડીજીટલ બેન્કીંગના' છડીદારો બની જઇને રોકડ આર્થીક વ્યવહારો બંધ કરી દેશે તેવા દીવા સ્વપ્નો દેખાડનારમાં વીશ્વાસ રાખનાર શેખચલ્લીઓની સંખ્યા દેશમાં ઓછી નથી. આ બાબતે બ્રીટીશ તત્વજ્ઞાની ફ્રાંન્સીસ બેકનનું એક સરસ વાક્ય યાદ આવે છે. "Those who cannot practice they can preach."  જે લોકો પોતાના સીધ્ધાતોને અમલમાં મુકી શકતા નથી તેવા લોકો પોતાના મનની વાતો પ્રમાણે બીજાને હાંકવાની કોશીષ કરે છે. દાત. કુંવારા કે અપરણીત માણસને કુટુંબનીયોજનના પ્રોગ્રામનો સર્વોચ્ચ વડો બનાવવો!.

 

 

 

--