Tuesday, April 28, 2020

આ ગુજરાતના ગીરનોસીંહ, કોરોના સંક્રમણના સમયમાં કેમ ઘાસ ખાવાનું પસંદ કરે છે?


આ ગુજરાતના ગીરનો સીંહ, કોરોના સંક્રમણના સમયમાં કેમ ઘાસ ખાવાનું પસંદ કરે છે?

ચાલો સમજવાની કોશીષ કરીએ. પહેલા તેમના ગુરુના હ્રદય પરીવર્તનને સમજીએ પછી..

(૧) " અગર કોઇ ગલતી કરતા હૈ તો પૂરે સમૂહકો નહીં લપટેના, પૂરે સમાજ સે દૂરી નહી બનાની ચાહીએ. ૧૩૦ કરોડ કા સમાજ ભારત માતાકા પુત્ર હૈ ઔર અપના બંધુ હૈ " –––ડૉ મોહન ભાગવતજી.

(૨) " કોરાના વાયરસનો ,માનવીના શરીર પરનો હુમલો, કોઇ ધર્મ, જ્ઞાતી, જાતી, વંશ, માનવીના શરીરની ગોરી, કાળી ચામડી કે તેના રહેવાના ભૌગોલીક પ્રદેશ જોઇને કરવામાં આવતો નથી. માટે આપણે તે વાયરસ સામેનો પ્રતીકાર ફક્ત અને ફક્ત માનવીય એકતા અને ભાઇચારાથી જ કરી શકીશું. આપણે સૌ તે સંઘર્ષ સામે લડવા એક જ છીએ.આ પ્રમાણેની પોસ્ટ મોદીજીએ ' લીંકડીન' નામની નેટવર્કીંગ સાઇટ પર મુકી છે. (The COVId-19 pandemic affects everyone equally, " COVID-19 does not see race, religion, colour, caste,  language or border before striking. Our response and conduct thereafter should attach primary to unity and brotherhood. We are in this to gather." PM had said in a post on Linkedin.)

(૩)  Ramzan this year is taking place while  we are in the midst of the battle against COVID-19.

Let's take right precautions today so that the coming ID-ul-FITR can be marked in the same way as it has been done earlier,#MANKIBAAT.

 ઉપરના વાક્યોનો ગુજરાતી ભાવાનુવાદ– " આપણે જ્યારે કોવીદ–૧૯ના સંક્રમણની લડાઇ લડી રહ્યા છે ત્યારે આ વર્ષે રમઝાન માસ શરુ થઇ ગયો છે.ચાલો, આપણે આજે યોગ્ય સાવચેતી રાખીએ જેથી કરીને થોડા સમયમાં આવનારી ઇદ–ઉલ–ફીત્રને આ અગાઉના સમયમાં ઉજવતા હતા તે રીતે આનંદપ્રમોદ સાથે ઉજવી શકીએ."

દેશ અને દુનીયાના બૌધ્ધીકો, જે બધા મોદીજીના વ્યક્તીત્વને ઓળખે છે, સમજે છે તે બધા જ તેઓના આવા વાક્યોના ઉપયોગથી આશ્ચર્યચકીત થઇ ગયા છે. દેશમાં કોઇ ચોક્ક્સ એવી ઘટનાઓ સતત બનતી હોવી જોઇએ કે જેનાથી દેશની પોતાની કે તેમની અંગત આભા!( ઇમેજ) વૈશ્વીકસ્તર પર ભયમાં મુકાઇ હોય! જેને કારણે આવા લોકશાહી ધર્મનીરપેક્ષ મુલ્યોવાળા વાક્યોનો ( Secular Values) ઉપયોગ કરવો પડયો હોય!

' ધી પ્રીંટ' નામની યુ ટયુબ પરથી એકસમયના ઇંડીયન એકપ્રેસના તંત્રી અને વડીલ પત્રકાર શ્રી શેખર ગુપ્તાનું આજનું તારણ છે( તા.૨૦–૦૪–૨૦) કે ભાજપની અંદર એકજ લીબરલ, લોકશાહી, ધર્મનીરપેક્ષ મુલ્યોને વરેલો કોઇ નેતા થઇ ગયો હોય તો તે બાજપાઇજી હતા. મોદી તો ખુબજ ઉગ્ર જમણેરી હીંદુત્વવાદી છે. તેઓના પક્ષનું સંપુર્ણ રાજકારણ ક્યારેય ધર્મનીરપેક્ષ મુલ્યોનું ટેકેદાર છે નહી અને હશે પણ નહી. તો પછી કયા પરીબળોએ આવા સેક્યુલર અને બધા લોકો જન્મથી જ સમાન છે તેવા સત્યને આધારે કોરોનાના સંક્રમણ સામે એક બનીને સંઘર્ષ કરવાની મોદીજી વાત કરે છે. પ્રજાને એકત્ર કરવાને કે સંદેશ આપવા માટે કે પછી કોરોના સંક્રમણનો પ્રતીકાર કરવા જે પ્રતીકોનો મોદીજી ઉપયોગ કરે છે તે બધા તો સ્પષ્ટ રીતે હીંદુ ધર્મના જ પ્રતીકો છે. દા;ત થાળી વગાડો, ઘંટડી બજાવો, શંખનાદ કરો, દીયા જલાવો,કે પછી ગો બેક કોરોના માટે મશાલ પ્રગટાવો!

     સૌ–(૧) https://youtu.be/UuVewrPipRI–(૨)–

https://youtu.be/v1W7N2GK5yI.

 

 

 

--