Friday, April 17, 2020

ઉત્તર યુરોપીય દેશઆઇસલેંડની સંસદ કાયદો બનાવે છે કે વીશ્વભરના તમામ ધર્મો માનસીક વીકારી છે.(MentalDisorder)


ઉત્તર યુરોપીય દેશ આઇસલેંડની સંસદ કાયદો બનાવે છે કે વીશ્વભરના તમામ ધર્મો માનસીક વીકારી છે.(Mental Disorder)

આઇસલેંડની સરકારે પોતે જાહેર કર્યું છે કે ખ્રીસ્તી, યહુદી, ઇસ્લામ અને તેમના જેવી તમામ ધાર્મીક શ્રધ્ધાઓ માનસીક ચીત્તભ્રમની સ્થીતીથી વધારે કાંઇ નથી.તેના આધારીત વર્તણુકો માનસીક અને શારીરીક રીતે નુકશાન કર્તા છે. (Iceland officially states religious faith is delusional and harmful.)

 

આપણે ધોરણ આઠમા નવમા ધોરણની ભુગોળમાં ભણતા હતા કે ઉત્તર એટલાંટીક મહાસાગરમાં એક નાનો ટાપુ આવેલો છે. તે દેશનું નામ આઇસલેંડ છે. તેની રાજધાની રેકયાવીક (Reykyavik, Iceland) છે.ત્યાં અડધી રાત્રે સુર્ય દેખાય છે.  

 છેલ્લા બે ત્રણ વર્ષોથી આઇસલેંડ એક દેશ તરીકે, ખાસ કરીને ધાર્મીક વીવાદોનું કેન્દ્ર બની ગયો છે. તેની સરકારે તમામ વેચાણ પાત્ર બાયબલ પુસ્તકો પર એવી ચેતવણી મુખપત્ર પ્રકાશીત કરવાનું ફરજીયાત કરી દીધું છે કે ' તેનું વાંચન માનસીક વીકારીપણું પેદા કરે છે.' (. The country's parliament voted in 2017 to place mental health warnings on all Bibles.) તે જ વર્ષમાં સંસદે બીલકુલ ધર્મનીરપેક્ષ ( સેક્યુલર) કાયદો પસાર કર્યો છે કે અમેરીકન ઇવૅન્જલીસ્ટ ખ્રીસ્તી પંથીઓને દેશમાં પ્રવેશ જ ન કરવા દેવા.( અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તે પંથી છે.) હવે આઇસલેંડે જાહેર કર્યું છે કે બધા જ ધર્મો માનસીક રીતે વીકારી છે. (Iceland is now declaring all religions to be psychological disorders.) દેશની સંસદ જેને ' અલપીંગી' (The Alþingi , the nation's parliament) તરીકે ઓળખવામાં આવ્યું છે તેણે પ્રચંડ બહુમતી ૬૦ વીરુધ્ધ ૩થી આ બીલ પસાર કર્યું છે. ત્રણ વીરોધ કરનારનો મત હતો કે આપણે અમેરીકા કે સાઉદી એરેબીયા જેવા આત્યંતીક ન બનવું જોઇએ.

સંસદમાં આ બીલ પસાર કરતા સમયે માનસીક વીકારીપણું કોને કહેવાય તેની વ્યાખ્યા ઉપર પણ લાંબી ચર્ચા કરવામાં આવેલી છે. જે નીચે મુજબ છે. વીશ્વભરની એકેડેમીક કે શૈક્ષણીક સંસ્થાઓએ માનસીક અસમતુલા કે વીકારીપણુ કોને કહેવાય તે શોધી કાઢયું છે. આ માનસીક બીમારીમાં માનવીની લાગણીઓ, વીચારો અને વર્તણુકો બદલાતી હોય છે. કેટલાકને શરુઆતને તબક્કે ત્રણમાંથી એકમાં ફેરફાર થાય છે અથવા તો એકી સાથે ત્રણેય વર્તણુકોની સંયુક્ત અસરો થાય છે. " આવી માનસીક બીમારી કે પીડા વ્યક્તીના સામાજીક જીવન, કામ કરવાના ક્ષેત્ર તથા કૌટુંબીક જીવનમાં પ્રશ્નો પેદા કરે છે. " અમેરીકન સાયકોલોજી એસોસીયેશનની ડીક્ષેનેરી વ્યાખ્યાએ ત્રણ લક્ષણો ઉપરાંત ઉમેર્યું છે કે વ્યક્તીનું આવું માનસીક વીકારીપણું કોઇ બાહ્ય વાતાવરણનું પરીણામ ક્યારેય હોતું નથી. પરંતુ આખરે આવા માનસીક વીકારી ફેરફારો શારીરીક, આનુવંશીક (genetic), રાસાયણીક (chemical), સામાજીક અને તેવા બીજા પરીબળોનું પરીણામ હોય છે. દા;ત તેથી માનવીના જીવનમાં આત્મવીશ્વાસનો અભાવ, નીરુત્સાહ, ચીંતાગ્રસ્ત વીકારીપણું, આચાર, વીચાર અને ભાવનાઓ વચ્ચે અસંગતીત માનસીક વીકૃતીઓ (schizophrenia), અકરાંતીયા બનીને ખાધાજ કરવું અને વ્યસની બની જવું, જેવી માનસીક વીકૃતીઓનો તે ભોગ બને છે. આખરે આ બધા રોગના ચીન્હોના પરીણામો નાગરીકની કામ કરવાની ક્ષમતા પર અસર કરે છે.

    આઇસલેંડના વડાપ્રધાન એનડ્રયુ કનાર્ડે સંસદમાં ચર્ચા બાદ તરતજ સહી પણ કરી અને ધર્મ કઇ રીતે નાગરીકોમાં માનસીક વીકાર ફેલાવે છે તેની બૌધ્ધીક, તર્કમય પણ શક્ય તેટલા મોટા અવાજે (a full-throated) રજુઆત કરી.

આશરે સાડાત્રણ વર્ષ પહેલાં અમેરીકન રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા કે તરતજ આઇસલેંડ દેશે પોતાના ધર્મનીરપેક્ષ કે સેક્યુલર આદર્શો ટકાવી રાખવા (Iceland responded by protecting its godless culture.) કેટલીક ધાર્મીક પ્રવૃત્તીઓ પર નીયંત્રણો મુક્યા છે. તેમજ કેટલાક વીશીષ્ટ ખ્રીસ્તી આસ્થા ધરાવનાર પંથો જેવા કે અમેરીકન ઇવૅન્જલીસ્ટ ખ્રીસ્તી પંથીઓને દેશમાં પ્રવેશ જ ન કરવા દેવા તેવા નીર્ણય કર્યા છે.

નીચે મુજબની ધાર્મીક વીધીઓ પર ' ધી આઇસલેંડ ડીફેન્સ ઓફ હેરીટેજ એક્ટ' મુજબ આ દેશમાં પ્રતીબંધ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત નીચેના સ્થળો પર ખ્રીસ્તી મુલાકાતીઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.

(1)  સ્ટારબક્સ કોફી હાઉસ,

    (૨)પેગન સાઇટસ, જ્યાં ખ્રીસ્તી, યહુદી અને મુસ્લીમ ધર્મોએ ત્રણેય ધર્મો વીરૂધ્ધની હકીકતો બતાવતું સંગ્રહસ્થાન છે. જેમાં     આ બધા ધર્મોએ પેગન ધર્મ કે જે હીંદુ ધર્મની માફક અસંખ્ય દેવદેવીઓમાં સ્થાનો અને મુર્તીઓમાં શ્રધ્ધા ધરાવતો હતો તેના સ્થાપ્તયોમાંથી પોતાના ચર્ચ, સીનેગોગ અને મસ્જીદો બનાવી હતી.

(૩) પુસ્તકાલયો,

(૪) વીમેન હેલ્થ સેન્ટર્સ.

(૫) રીચાર્ડ ડોકીન્સ ફાઉડેશન ઓફ રીઝન– સંગ્રહસ્થાન.

(૬) ગરમ પાણીના ઝરણા.

વધારામાં અમેરીકાના ' ધી સધર્ન બેપટીસ્ટ કન્વેન્સનને આતંકવાદી સંગઠનોની યાદીમાં આઇસલેંડની સરકારે સમાવી દીધું છે.કારણકે તે માનવ અધીકારો વીરુધ્ધની પ્રવૃત્તીઓને ટેકો આપી રહ્યું છે.

આઇસલેંડની સંસદે પોતાના નાગરીકોને ' પવીત્ર પુસ્તક(?) બાયબલ જેને ઘણા બધા લોકો 'ગુડબુક' તરીકે માને છે તેની સામે નીચે મુજબની જનતા જોગ જાહેર ચેતવણી આપી છે. ( In 2017, Iceland's parliament chose to warn its citizens of the inherent dangers of taking the "Good Book" seriously.)

·      જો તમે શબ્દશ; બાયબલ વાંચશો અને વર્તન કરશો તો તમારા નીર્ણયો અતાર્કીક હશે.( Irrational decision making.)

·      જો તમારા બાળકો બાયબલ વાંચશે તો તે બધાને નઠારા સ્વપ્નાં આવેશે અને ઉંઘમાં બીકને કારણે પથારીમાં પેશાબ થઇ જશે. (cause nightmares and bedwetting.)

·      આ પુસ્તકમાં ઇશ્વર માન્ય આખી કોમ કે જાતીનો સંહાર,સ્રીઇર્ષા, અને આખા પુસ્તકમાં ક્યાંય  રમુજ, વીનોદ કે આનંદની વાતો નહી દેખાય!  (The Bible contains God approved genocide, misogyny, and a serious lack of humor.)

·       રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પના બરાડા બાયબલ વાંચવાનું એક અગત્યનું કારણ છે.   Reading the Bible has been shown to cause an outbreak of Donald Trump.

નવા નીયમ પ્રમાણે બાયબલ વેચનાર કોઇપણ વીક્રેતાએ તે પુસ્તકને પ્લાસ્ટીક કવરમાં બરાબર એવી રીતે પેક કરવું પડશે જેથી પ્રથમ તબક્કે  બાયબલ જોનાર બાળક તેને ખોલી શકે નહી. કારણકે બાયબલમાં પ્રાર્થના ગીત નં ૧૩૭;૯ના શ્લોકમાં એવું લખવામાં આવ્યું છે કે " આવો માણસ સુખી હશે જે તમારા બાળકોને ખુંચવી લઇને તેઓ બધાને પથ્થરો કે ખડકો સાથે અફાળીને મારી નાંખશે." (reading verses like Psalm 137:9 Happy is the one who seizes your infants and dashes them against the rocks.)

સૌ. Iceland Declares All Religions Are Mental Disorders

Link: https://www.patheos.com/blogs/laughingindisbelief/2020/01/iceland-declares-all-religions-are-mental-disorders/?utm_medium ભાવાનુવાદ. બીપીન શ્રોફ.

 

 

 


--