Saturday, April 10, 2021

એકાએક આપણાદેશમાં વેક્સીનના પુરવઠાનો પ્રશ્ન કેમ પેદા થઇ ગયો?

એકાએક આપણા દેશમાં વેક્સીનના પુરવઠાનો પ્રશ્ન કેમ પેદા થઇ ગયો?

કે કરવામાં આવ્યો?

 કેન્દ્ર સરકારે હવે વેકસીનના પુરવઠા માટે નીતિ નક્કી કરી–  " જેને જરૂરત છે તેને વેક્સીન મલશે પણ જે ઇચ્છે છે તેને વેક્સીન નહી મલે"! ( Centre's criteria  – those who need the vaccine, not those who want it)

શરૂઆતને તબક્કે એ યોગ્ય હતું કે  જેને આપણે ' કોરોના વોરીયર્સ' તરીકે ઓળખતા હતા તે બધાને પ્રથમ વેક્સીનના ડોઝ આપવાના નક્કી કર્યા હતા. પણ પછી ' સીનીયર સીટીઝન્સ,અને ૪૫ વર્ષની ઉપરની ઉંમરનાને કેટલીક શર્તોએ. પણ હવે આગળ કોને?  પુખ્ત ઉંમરના ને જેને રસી મુકાવી હોય તેને હવે કેમ નહી?

આજને તબક્કે દેશ, તેની કુલ વસ્તી આશરે ૧૩૫ થી ૧૪૦ કરોડના એક ટકાને પુરા બે ડોઝ વેક્સીન આપી શક્યો નથી. સરકાર ફક્ત દેશની કુલ વસ્તીના છ ટકા લોકોને પરાણે એક ડોઝ વેક્સીનનો આપી શકી  છે.એક તબક્કો આ વિષયમાં એવો હતો કે વિશ્વના દેશો સમક્ષ સૌથી ( સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયા અને અન્ય કું ના સહકારથી) વધુ વેકસીન ઉત્પાદન કરનાર આપણો દેશ હતો. ભારતના વડાપ્રધાન તે માટે ગૌરવ લેતાં અને આપતાં થાકતા ન હતા! આપણા પડોશી દેશો તથા અન્ય ગરીબ દેશોને ભારતે મફત વેક્સીનના લાખો ડોઝ આપીને મોટી માનવ સેવા કરી હતી.  કેન્દ્ર સરકારે તેના ચાલુ વર્ષે રજુ કરેલા નાણાંકીય બજેટમાં રૂપીયા–૩૫૦૦૦/ કરોડની જોગવાઇ વેક્સીન ખરીદી અને મફત નાગરીકોને આપવાની જોગવાઇ સ્પષ્ટ રીતે કરી હતી.

 હવે જ્યારે દેશમાં કોવીડ–૧૯ થી સંક્રમીત નાગરીકોની સંખ્યા દરેક રાજ્યમાં કુદકે અને ભુસકે વધી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારની  નવી નીતિ " જેને જરૂરત હશે તેને રસી મલશે પણ જેની રસી મુકાવવાની ઇચ્છા હશે તેને નહી મલે " તે નીતીના પરિણામો દુરોગામી કેવા આવશે તેના વિષેનો વિચાર કરવો જ ધ્રુજારી ઉપજાવે તેવો છે.  

દેશના મોટાભાગના રાજ્યોમાં વેક્સીનના પુરવઠાનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે. મુંબઇ જેવા મહાનગરમાં વેક્સીન મુકવા માટે ઉભા કરેલા કેન્દ્રો વેક્સીનના  પુરવઠાના અભાવ ને કારણે બંધ કરવા પડયા છે. આજનાતા. ૧૦–૦૪–૨૧.ટા ઓફ ઇં ના પહેલા પાને સમાચાર છે કે ગુજ– ના મુખ્યમંત્રી કહે છે કે " છેલ્લા ચાર દિવસથી  વેક્સીનનો પુરવઠો રાજ્યમાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહી હોવાથી રસીકરણનો કાર્યક્રમ મંદ પડી ગયો છે. આવું બોલ્યા પછી  ડે. સી. એમ. નિતીન પટેલ જણાવે છે કે છેલ્લા ત્રણ દિવસમાં ૧૫લાખ ડોઝનો પુરવઠો આવી ગયો છે." બંને સમાચારો  સાથે જ પ્રકાશીત થયા છે !

આ હકિકતને પુષ્ટી આપે તેવા સમાચાર કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આપ્યા છે. સરકારી બાબુઓએ નક્કી કર્યુ છે અને આરોગ્ય મંત્રીનો ટેકો છે કે  જે રાજ્યોમાં કોવીડ–૧૯નો ' સેંકડ વેવ' ની અસર ઉગ્ર છે ત્યાં અમે તાત્કાલીક ડોઝ મોકલીશું. તેનો તર્ક અને તારણ કાઢી શકો કે સમગ્ર દેશના તમામ નાગરીકો માટે વેકસીનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.

વધુમાં ટા. ઓફ. ઇ. પોતાના તંત્રી લેખમાં સ્પષ્ટ લખે છે કે  સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયાએ મોદી સરકારને લેખીત જણાવ્યું છે કે અમારે વેક્સીનના ડોઝની સખત વધતી માંગને પહોંચી વળવા અને ઉત્પાદન વધારવા માટે ૩૦૦૦ કરોડ રૂપીયાની અનિવાર્ય જરૂર છે તો મદદ કરો.. પ્રતિ ડોઝની રૂ/ ૧૫૦ની કિંમત તો અમને પોષાય તેમ જ નથી. અમારે ઉત્પાદન સ્થગીત કરી દેવું પડશે અને દેશમાં બીજી વેક્સીન બનાવનાર કુંપની માટે તો જો વેક્સીન આ ભાવે વેચવી પડે તેમ હોય તો  આ ધંધામાંથી જ બહાર નીકળી જવું પડશે.

 મોદી સરકારને કોણ યાદ કરાવશે કે  નાણાંમત્રી નિર્મલા સીતારામનજીએ તો ચાલુ વર્ષના બજેટમાં ૩૫૦૦૦ કરોડ રૂપિયા ફક્ત કોવીડ–૧૯ની વેક્સીન ખરીદવા માટે રોકટોક વગર ફાળવેલા ( The Centre must recall it had earmarked Rs 35000 crores in this year's budget for Covid-19 vaccine sales.) જ છે. 

તંત્રી લેખમાં વધુમાં લખેલું છે કે  સીરમની માંગણી તો સરકારના નાણાંકીય સગવડ સામે તો કાંઇ નથી.  મોદી સરકારને ખબર છે  ખરી કે  આ દેશ વ્યાપી બીજા વાયરસની અસર તેના અર્થતંત્ર પર  કેટલી મોટી પડી રહી છે? મોદીજી ! અને દેશના નાગરીકોને તંત્રીલેખ વધુમાં જણાવે છે કે  દેશવાસીઓ! સીરમે  ઇન્સ્ટીટયુટે વેક્સીન બનાવવાની જવાબદારી  એકલે હાથે ' કોવીશિલ્ડ'  બજાર કે સરકારની માન્યતા મલે તે પહેલાં પોતાના નાણાંકીય સાધનોમાંથી બનાવવાનું નક્કી કરવાનું જોખમ લઇ જ લીધું હતું. (  SII has shouldered most of the vaccination burden, including a risky Covishield manufacture much ahead of market approval.)

ભારત સરકાર, અમેરીકાની નવી સરકારે વેક્સીન અંગે જે તાત્કાલીક પગલાં લીધાં છે તેને સમજે. અમેરીકાના પ્રમુખ જો બાઇડેનની સરકાર જે ૨૦ જાન્યઆરી પછી વહીવટમાં આવ્યા કે તરતજ તેણે વેક્સીન સાથે સંલગ્ન તમામ ક્ષેત્રોને પોતાના દેશમાં  વેક્સીન બનાવતી ખાનગી કુંપનીઓ સહિત ને પણ સરકારી નાણાંકીય મદદ અવિરત પુરી પાડી છે. અમેરીકાની ૧૮ વર્ષ ઉપરના તમામ દેશના ત્રીજા ભાગના નાગરીકોને (૧૦ કરોડ લોકોને) વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દીધો છે. પ્રતિ દિન ૩૦ લાખ નાગરીકોને વેક્સીન અમેરીકાની સરકાર મફત આપે છે. ૪ જુલાઇના રોજ, પોતાના સ્વાતંત્રય દિવસે અમેરીકાને રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેનને દેશને સંપુર્ણ કોરોના–૧૯ મુક્ત બનાવી દેવાનું વચન આપ્યું છે. ડોમેસ્ટીક અને ફોરેન એરફ્લાઇટ પણ કેટલીક શરતોને આધીન શરૂ કરી દીધી છે.(The government must take a cue from US's Operation Warp Speed, accelerating public funding for vaccine companies.The trust in private sector initiative has culminated in President Biden commencing universal adult vaccination from April 19. )

 સરકારને સંબોધીને તંત્રીલેખમાં વધુ લખવામાં આવ્યું છે દેશની વસ્તી પ્રમાણમાં વેકસીન ઉત્પન્ન કરતી બીજી વિદેશી કું ઓ પાસેથી પણ વેક્સીનનો પુરવઠો તાત્કાલીક ધોરણે મંગાવવો જોઇએ . કયા કારણોસર સરકાર કોવિક્ષીન વેક્સીન બનાવનાર ' ભારત બાયોટેક ' કુંપનીને  સરકાર મંજુરી આપીને બજારમાં વેચાણ માટે લાવતી નથી? તે કું એ તો પોતાના ત્રણ ટ્રાયલ તો પુરા કરી દીધા છે.કદાચ તાત્કાલીક પરવાનગી આપે તો પણ બજારમાં આવતાં તેને ૧૦ થી ૧૫ દિવસ લાગી જાય!  

લોક મનોરંજક ઉપાયો ( Populists solutions) જેવાકે  મર્યાદિત લોકડાઉન કે રાત્રી કરફ્યુ અને જેને જરૂરત હોય તેને આપવી અને ઇચ્છા હોય તેને ન આપવી, આ બધા પગલાંથી કોવૌડ–૧૯ના સેંકડ વેવને નિયંત્રણમાં રાખવામં કોઇ મદદ મલવાની નથી.

 આપણને એક સરકારી તંત્ર તરીકે લગભગ એક વર્ષનો સમય ઓક્સીજનનો પુરવઠો વધારવા, હોસ્પીટલમાં બેડ અને તેની સંલગ્ન સગવડો  તથા વેન્ટીલેટર્સની સંખ્યામાં વધારો કરવા તથા એન–૯૫ગુણવત્તા ધરાવતા માસ્કનો પુરવઠો વધારવા મલ્યો હતો. આ બાબતે કોઇ જવાબદાર? તંત્રની બેદરકારી કે લાંબી દ્રષ્ટી ( વિઝીન)ની ગેરહાજરીના પરિણામો માટે  કોને શોધવા જઇશું?

આજ દિવસના ઇન્ડીયન એક્ષ્પ્રેસનો તંત્રી લેખ જણાવે છે કે અમારો ધંધો આજને તબક્કે કોવીડ–૧૯ના બીજા તબક્કાના બેકાબુ બનવા માટે કોઇને જવાબદાર શોધી કાઢવાની પેલી ચલકચલાણીની રમત રમવી નથી. તેનાથી કોઇ પ્રશ્ન ઉકેલાવાનો નથી. બીજુ કે શરૂઆતને તબક્કે જેને વેક્સીન આપવાની  જરૂરત સૌથી વધારે હતી  તે કામ તંત્રે પુરૂ કરી દીધું છે. હાલ તો કોરોના વાયરસ સામેનું યુધ્ધ લડીને પ્રજાને મોતના ઢગલા બનતી અટકાવાની છે. માટે એકજ નીતિ જોઇએ. જ્યાં જે મલે અને વેક્સીન લેવા તૈયાર હોય તેને  વેકસીન આપી જ દો. જરૂર પડે તો ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી ગંભીર બની ને સુચન આપે છે કે  આ મુદ્દે રાજ્ય સરકારો કેન્દ્રી નીતિવિષયક નિષ્ફળ ગયેલી નીતિને ફગાવી દઇને પોતાના રાજ્યના નાગરીકોને કોરોના વાયરસના મૃત્યુના મુખમાંથી બચાવવા જે ઉપાયો શોધવા હોય તો તે તમામ ઉપાયો કરીને પોતાના નિર્દોષ નાગરીકોને મોતના મુખમાંથી બચાવે!. ( The last thing India need is the breakdown of Centre-State cooperation that has marked many successes against COVID so far) આ મહામરીથી દેશને બચવવા વિજ્ઞાનનું હોકાયંત્ર (COMPASS) જરૂરી છે. રાજકારણ બિલકુલ જરૂરનું નથી જ. ( સૌજન્ય.  તા. ૮–૦૪–૨૧ના ટાઇમ્સ ઓફ ઇંડીયા તથા  ઇન્ડીયન એક્ષપ્રેસના બંનેના તંત્રી લેખોનો ભાવાનુવાદ તે પણ ટુંકાવીને આભાર સહ.)

 


--