Thursday, April 29, 2021

શ્વાસનાસોદાગરો અને મોતના સોદાગરો વચ્ચેનો તફાવત અમને સમજાવો–

હૈ દેશવાસીઓ, ભારતમાતાના સપુતો,

શ્વાસના સોદાગરો અને મોતના સોદાગરો વચ્ચેનો તફાવત અમને સમજાવો–

આજના દિવ્યભાસ્કરના પહેલા પાને ૨૯–૦૪–૨૧ નારોજ સમાચાર છે " શ્વાસના સોદાગર– સુરતમાં પહેલીવાર સિવિલ હોસ્પીટલના દરવાજા દર્દીઓ માટે બંધ " સુરતની મથુરા ગેટ સીવીલ હોસ્પીટલના દરવાજે " બોક્ષરો " ચોકી કરે છે. નો ફોટો પણ મુકેલ છે. વધુમાં "  સુરત માટેનો ઓક્સિજન મધ્યપ્રદેશમાં મોકલીને ગુજરાત સરકારે શ્વાસનો સોદો કરી નાંખ્યો, સુરતની ૬૦ટનની જરૂર સામે માત્ર ૪૬ ટન મળ્યો છે." રાજ્યના આરોગ્યમંત્રીશ્રી કુમાર કાનાણી અને ગુજરાત રાજ્યના ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ  અનુક્રમે ૧૫ ને ૮ કોલ કર્યા છતાં જવાબ મલ્યા ન હતા.

...વધુમાં...(વિશેષ ટિપ્પણી કોલમ પાન–૧) હા, સરકાર અમારે મરી જવું જોઇએ! તમે અમારા શ્વાસના સોદા કરી નાંખ્યા છે એટલે અમારે હવે મરી જવું જોઇએ. ક્યારે દવાખાનામાં બેડ (ખાટલો) નહી મલવાથી, તો ક્યારેક ઇન્જેકશન નહી મલવાથી, અને હવે સુરતમાં ઓક્સિજન નહી મલવાથી કોરોનાના દર્દી એવા અમારા સ્વજનોએ મરી જવું જોઇએ. સરકારો સોદાગરો બને ત્યારે જાનમાલની ફિકર કરવાને બદલે  એની ઉંચી કિંમત ઉપજાવવાના કારસા કરતી હોય છે.તમને બીજા રાજ્યો વખાણશે,જીવન અને મૃત્યુની આ શતરંજમાં તમારી પ્રસિધ્ધિના હાથી નીચે અમારે હવે પ્યાદાની માફક કચડાઇને મરી જવાનું?

પુરમાં અમે તરીને બચી ગયેલા, પ્લેગથી ડરીને બચી ગયેલા, પણ હવે તમે અમારાં ફેફસાંમાંથી શ્વાસ છીનવી લીધો છે.

અમે તમારા માટે નાગરીકો નહી પણ મતદારો તરીકે તમારા મતનું માર્જીન છીએ તો ક્યારેક મોતનો આંકડો છીએ. તમારા ડેશબોર્ડ  ઉપર અમારુ અસ્તીત્વ બસ આટલું જ છે.....સૌ. દી. ભાસ્કર પેજ૧ તા. ૨૯ એપ્રીલ ૨૦૨૧.


--