Wednesday, April 7, 2021

માનવીય ઇચ્છા બલવાન કે ઇશ્વર ઇચ્છા બલવાન!

માનવીય ઇચ્છા બલવાન – ક્યાં? અમેરીકામાં ! જે બાયડન આવ્યા પછી અને ટ્રમ્પના ગયા પછી!

અમેરીકાની કોરોના વાયરસ અંગે  દેશના નાગરીકોને  જબ્બર ક્રાંતીકારી સલાહ આપી છે. કોણે? દેશની સરકાર તરફથી સંચાલીત સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન ના ડીરેક્ટર સાહેબે..( Dr. Rochelle Walensky, director of the Centers for Disease Control and Prevention, told reporters at a White House news conference on 2nd April.Friday.)

(૧) અમેરીકાના જે નાગરીકોએ બે ડોઝ વેક્સીનના લીધા હોય તે બધાને દેશની અંદર અને પરદેશમાં વિમાની યાત્રા કરવામાં કોઇ જોખમ નથી. પરંતુ  સલામતી તરીકે તે બધાએ માસ્ક પહેરવો તથા યોગ્ય દુરી ( ડીસ્ટન્સ) રાખવું જરૂરી છે. અગાઉ આજ સંસ્થાએ ડોમેસ્ટીક એન્ડ ફોરેન એર ટ્રાવેલ પર પ્રતીબંધ જાહેર કર્યો હતો.

(૨) વિશ્વ પ્રમાણભુત દૈનીક ' ન્યુયોર્ક ટાઇમ્સ ના ડેટાબેઝ પ્રમાણે નવા વાયરસની સામાન્ય અસર અને  મૃત્યની અસરમાં પણ ઘણો બધો નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશની કુલ વસ્તીના૩૦ કરોડ લોકોમાંથી ૧૦ કરોડ લોકોએ (૩૩ટકા લોકોએ) સફળતાપુર્વક પ્રથમ ડોઝ લઇ લીધો છે. અને ત્યાંના નાગરીકોમાંથી ૩૦ લાખ લોકો વેકસીન પ્રતિદિને લે છે તેવા આંકડા છે. વધારામાં આ દૈનીક લખે છે કે હોસ્પીટલમાં દાખલ થયેલા જુના દર્દીઓ સાજા થઇને ઘેર જાય છે. અને નવા દર્દીઓ હોસ્પીટલમાં દાખલ થવાની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે. (the agency said on Friday that about 101.8 million people — nearly one-third of the total U.S. population — had received at least one dose of a Covid-19 vaccine.) સીડીએસના બોલ્ડ તારણ સામે વૈજ્ઞાનીકો અને બીજા ડૉકટર્સ સાવધાન રહેવું જણાવે છે. જેને સદર સંસ્થા એકલ દોકલ કોઇ બનાવને બિનગંભીર  ગણી મહત્વ આપતી નથી. (Dr. Walensky said. "Yet on the other hand we are saying that if you are vaccinated, evolving data suggests that traveling is likely lower risk.")

ઇશ્વર ઇચ્છા બલવાન ( મોદી ઇચ્છા બલવાન) ભારતમાં.

 કોરાના ભગાવ– થાલી બજાવ, દીઆ જલાવ, મશાલ જલાવ– કોરાના ભગાવ– મોદીજીએ શરૂઆત કરી. હવે આજની પરિસ્થિતિ– કોરોના અંગે દીવ્યભાસ્કરના સમાચારો–

(1)   કોરોના નિયંત્રણ બહાર  જઇ રહ્યો છે. શું જોઇએ? તમે જ નક્કી કરો! તા–૦૧–૦૪– ૨૧ .

(2)   )  કોરોનાથી મૃત્યુ પામેલ પત્નીને શબવાહીનીમાં લઇ પતિ ૪ કલાક સુધી ૩ સ્મશાને રઝળયો, અંતે ચોથા સ્મશાનમાં અંતિમવિધિ– શબવાહિનાના ડ્રાયવરે સેનિટાઇઝ કરવાનો ખર્ચ માંગ્યો. ૨–૪–૨૧.

(3)   ખાનગી હોસ્પી–માં દર્દીઓ ૧૦ દિવસના  એકથી અઢીલાખ ચુકવવા મજબુર. પાનું–૨તા. ઉપર મુજબની.

(4)   કોરોના થી દેશ બેહાલ– દેશમાં પ્રતિરોજના ૮૮ હજાર કેસ. ૫૮૧ મોત.– પાનું૧– તા. ૩–૦૪–૨૧

(5)   )  મોરબીની સીરેમીક ફેકટરીના ૮ કામદારોની હોસ્પી–માં જગ્યા ન હોવાથી જે તે કારખાનામાં સારવાર કરાઇ– પાનું ૮ દિ.ભા. ૩ એપ્રીલ.૨૦૨૧.

(6)    ખેડાજીલ્લામાં કોરોનાનો હાહાકાર– કોરોના વાયરસની બીજી લહેર ઘાતક– વગર લક્ષણે  શરીરનું ઓક્સીજન લેવલ ૫૦% થઇ જાય છે. આજના દી. ભા. ની ચરોતર આવૃત્તી પાન–૧

(7)   હરિદ્રાર કુંભ મેળામાં પ્રતીદિને ૫૦,૦૦૦ નવા શ્રધ્ધાળુ પહોંચે છે. દેશમાં કુંભમેળો કોરોના ફેલાવવાનો ' સુપર સ્પ્રેડર ' બની શકે છે. પાન નં ૧૨,

(8)    ડૉક્ટરોએ કહ્યું વાયરસ મ્યુટેશનને લીધે હાલ કોરોનાનો ચેપ ઝડપી ફેલાઇ રહ્યો છે. અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ૧૨૦૦ બેડમાંથી ૧૦૦૦ ભરાઇ ગયા, ખાનગી હોસ્પીટલમાં  ૩૯૪૫ બેડ માંથી ૩૨૦૧ ભરાઇ ગયા. પહેલા ચાર હજાર કેસ થતાં ૪૫ દિવસ લાગ્યા, હવે માત્ર છ દિવસ લાગ્યા.. પાનું–૨.

(9)   રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમ્યાન  ૧૯ના મોત... સી એમ રૂપાણીના મોટોભાઇનો આખો પરિવાર કોરોના પોઝેટીવ. પાન ન ૧૬.

(10)                     ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત;  માત્ર ૯થી ૬નો કફર્યૂની હવે કોઇ પરિણામ આપી શકે તેમ નથી..

સરકાર; લોકોએ સમજવાનું છે, આ લડાઇ હવે કોરોના અને લોકો વચ્ચેની છે.

 હાઇકોર્ટે કહ્યું; ઝડપથી નીતિ બનાવી નિર્ણય લો નહીં તો તમારા હાથમાંથી કોરોનાને કાબુમાં રાખવાની સ્થિતિ જતી રહે છે. લોકડાઉન લગાવવું પડશે.

કોર્ટે બપોરે કહ્યું–૩–૪ દિવસનો કફ્ર્યૂ લગાવો, સરકારે રાત્રે ૨૦ શહેરમાં રાત્રે કરફ્યૂ લગાવ્યો. પાન નં–૧ તા. ૦૭–૦૪–૨૧.

(11)                    કોરોના પાછળ  સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જવાબદાર– ઉવાચ– " કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું પાન વિ. એકજ...

(12)                    ૩૦મી. એપ્રિલ સુધી મોટા રાજકીય અને સામજિક મેળાવડા પર પ્રતિબંધ સૌજન્ય. ઉપર મુજબ.

(13)                    સરકાર વધુ ૩ લાખ રેમડીસીવિર ઇન્જ્કેશન ખરીદશે. પાનું–૧૬

(14)                    આ ફોટાઓ મધ્યપ્રદેશની છે. જ્યાં રાજ્યના ગૃહમંત્રી માસ્ક પહેરતા નથી, અને રિક્ષા ચાલકને માસ્ક ન પહેરવા બદલ ઇન્દોરની પોલીસ ફટકારે છે. પાનું ૧૨.

 

 

  


--