Sunday, July 31, 2022

“અમારાથી થયેલ સાંસ્કૃતીક નરસંહારને તમે ભુલી જાવ! (FORGET),

 

 

"અમારાથી થયેલ સાંસ્કૃતીક નરસંહારને તમે ભુલી જાવ! (FORGET),

મારા ધર્મના પ્રતિનિધિઓ દ્રારા થયેલ કેનેડાના મુળનિવાસીઓ પરના હજારોની સંખ્યામાં બાળકો પર થયેલ હિંસક અત્યાચારો માટે દરગુજર કરો.(Forgive)"

ઉવાચ– પોપ ફ્રાન્સીસ, સમગ્ર વિશ્વના રોમન કેથોલીક ખ્રીસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ.

કેમ?

(1)          તા. ૨૪થી ૩૦મી જુલાઇ સુધી પોપ ફ્રાન્સીસ ઇટાલીના વેટીકન સીટીથી(સાર્વભોમ દેશમાંથી) ખાસ વિમાન દ્રારા કેનેડા આવે છે. આ યાત્રાનું ખાસ નામ 'પ્રાયશ્ચીત યાત્રા' ("pilgrimage of penance") રાખવામાં આવ્યું છે. કેવું રૂપાળું, સુંવાળુ અને અહીંસક નામ યાત્રા માટે પસંદ કરવામાં આવ્યું છે. " A wolf in a dress of the Lamb."

(2)          કેનેડાના મુળનિવાસી(Indigenous people)ના બાળકો એક સમયે જે સ્કુલ– કમ હોસ્ટેલ(રેસીડેન્સીઅલ સ્કુલસ) ગુરૂકુલ! માં રહેતા હતા.સને ૧૮૩૧થી ૧૯૯૬ સુધીમાં આશરે ૧,૫૦,૦૦૦ કરતાં પણ વધારે બાળકોને ગુમ કરી દેવામાં આવ્યા હતા. હકકીતમાં મારી નાંખવામાં આવ્યા છે. તે બધાના નામથી માંડીને તમામ ઓળખના પુરાવા નાબુદ કરી દેવામાં આવ્યા છે. તે બધામાંથી કેટલાકની સામુહીક કબરોના પુરાવા મલ્યા છે. આ બાળકો જાતીય શોષણ, બળાત્કાર અને કુપોષણનો ભોગ બન્યા હતા.(He was making a "pilgrimage of penance" to help heal the wrongs done to indigenous people by Roman Catholic priests and nuns who ran abusive residential schools linked to deaths of thousands of children.)

(3)          કેનેડાની સદંતર મુળનિવાસી પ્રજાનો નરસંહાર કરવાની માહિતી કેનેડામાં સને ૨૦૧૫માં નીમવામાં આવેલા તપાસ પંચ ' Canada's Truth and Reconciliation Commission' દ્રારા મલી છે. ગયા વર્ષે, કેનેડાના એક પ્રાંત બ્રિટીશ કોલમ્બીયામાં ૨૧૫ બાળકોના અવશેષોની કબરો મલવાથી પોપને સદર 'પ્રાયશ્ચીત યાત્રા' કરવાની મજબુરી ઉભી થઇ છે તેમ તારણ કાઢવું ખોટું નથી. ત્યારબાદ સમગ્ર દેશમાં આવા શંકાસ્પદ કબરસ્થાનો શોધી કઢાતાં હજારો બાળકોના મૃતઅવશેષો મલ્યા છે. Since then, the suspected remains of hundreds more children have been detected at other former residential schools around the country.આ તપાસ પંચે સદર કૃત્યને 'સાંસ્કૃતીક નરસંહાર'તરીકે જાહેર કર્યો હતો.

(4)           યુએસએમાં પણ સ્થાનીક મુળનિવાસી પ્રજા 'રેડ ઇન્ડીયન' નો નરસંહાર રોમન કેથોલીક ચર્ચના પ્રતિનીધીઓ દ્રારા જુદી રીતે કરવામાં આવ્યો નથી.

(5)           રોમન કેથોલીક ધર્મે વિશ્વભરના તમામ ખંડોની મુળનીવાસી પ્રજાનો નરસંહાર કરવાનો ધાર્મીક કરાર સોળમી સદીમાં, તે પણ લેખીત વેટકીન સિટીમાંથી પોતાના દસ્તાવેજો પર મહોર લગાવીને સહી સીકકા કરીને કરેલો છે. જે આજેપણ ઐતીહાસીક દસ્તાવેજ તરીકે ઉપલબ્ધ છે.જેનો ફોટો પણ ગુગલસર્ચમાંથી વીકીપીડીયાની શોધથી સરળતામાં પ્રાપ્ત છે.

(6)          'WHAT'S AN APOLOGY?' We don't need an apology. We need action,'" Cameron said.

વૈશ્વીક સ્તર પર ' ફેડરેશન ઓફ સોવિરીયન ઇન્ડીજીનીયસ નેશન્સ 'ના વડા બોબી કેમેરોને પોતાના પ્રતિનિધિ મંડળ સાથે આ વર્ષના એપ્રીલ મહીનામાં એક અઠવાડીયા સુધી પોપ ફ્રાન્સીસ સાથે વેટીકન સીટીમાં મુલાકાતો કરી. પોપને શક્ય તેટલા પુરાવા સાથે ' ઇશુનો પ્રેમનો સંદેશો, તારા પડોશીને તું તારી માફક પ્રેમ કર' વિ. નૈતીક ઉપદેશોના પરિણામોની વાસ્તવીકતા બતાવી. પછી સવાલ કર્યોં  તમારી માફી કઇ બલા છે? અમારી વિશ્વભરની સાતેય ખંડોમાં સ્થાયી થયેલી મુળનિવાસી પ્રજા પર તમારો ઘા એટલો ઉંડો, સર્વસ્વ વ્યાપી ગયેલો અને ક્યારેય તે રૂઝી શકે તેમ નથી! કયા મલમ પટ્ટાથી તમે દુરસ્ત કરવા, મટાડવા નીકળ્યા છો?

 

(7)          Some indigenous leaders also want the Catholic Church to renounce a 15th-century colonial doctrine that justified dispossessing indigenous people, issued as papal bulls or edicts.

(8)          પોપ ફ્રાન્સીસ કેનેડામાં આશરે દસથી બાર સ્થળો પર પોતાના ધર્મઉપદેશોની સમુહ સભા રાખવાના છે. પોપે કેનેડાના મુળનીવાસીઓના પુન;વર્સન માટે ૩૦ મિલીયન કેનેડીયન ડોલરનું ફંડ એકત્ર કરવાની જાહેરરાત કરી દિધી છે. સમગ્ર કેનેડાના પોતાના રોમનકેથોલીક સંપ્રદાયના કેન્દ્રીત– વિકેન્દ્રીત બિશપો આ ' પવિત્ર' કામ કરવા મેદાને પડી ગયા છે. કેનેડાના બિન– મુળનિવાસી તમામ રોમન કેથોલીક ઇમિગ્રન્ટસે વિ.એ (Genuine Beneficiaries of Roman Catholic policies) ૩ મીલીયન કેનેડીયન ડોલર્સ એકત્ર કરીને પોપના પવિત્ર ચરણોમાં સમર્પીત કરી દીધા છે.

(9)          કેનેડામાં રોમન કેથોલીક ખ્રીસ્તી સંપ્રદાયની જમીની સ્થિતી– એક જમાનમાં કેનેડાની કુલ વસ્તીમાંથી ૪૦ ટકા પ્રજા નિયમીત ચર્ચમાં જતી હતી. હાલ ફક્ત પાંચ ટકા પ્રજા ચર્ચમાં જાય છે. કેનેડાના ક્યુબેક પ્રાંતમાં મોટાભાગના ચર્ચો ફક્ત એક ડોલરમાં વેચવામાં આવ્યા છે. સદર ચર્ચોમાં હાલ બટર, ચીઝ, ના ઉધ્યોગો, કોલેજના પુસ્તકલયો, જીમ, સ્પા, બ્યટી પાર્લર વિ ધંધા – ઉધ્યોગ ચાલે છે. 


--