Wednesday, July 27, 2022

Re: બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ

બીગ બ્રધર ઈઝ વોચિંગ યુ ની ગંભીર ફરિયાદ તો ઉપરાષ્ટ્રપતિપદનાં યુપીએનાં ઉમેદવારે કરી છે. તેમના ફોન અને તેમને ફોન કરનારના ફોન પણ નજરમાં રખાય છે! પેગાસસ માટે ભલે જવાબ આપવામાં નટસમ્રાટ મોદીએ નાદારી નોંધાવી, પણ કામગીરી તો ચાલુ જ છે!
***
ખાદી વાળાને લટકાવી પોલિયેસ્ટર ત્રિરંગા અંદાજે બે કરોડ એકલા ગુજરાતમાં ફરકાવવાનું લક્ષ્ય છે. એક ધ્વજની કિંમત રૂ. ૨૫ રખાઈ છે.
રાષ્ટ્રીય પ્રતીકોનું મોદીકરણ થઈ ચૂક્યું છે. તાજેતરના સિંહના રાષ્ટ્રીય પ્રતીક ક્રૂર ને ઘાતકી દર્શાવી પોતાની માનસિકતા જાહેર કરી હવે માફીવીરના જર્મન  રાષ્ટ્રવાદના પ્રતીક એવા પોલીયેસ્ટર ધ્વજ લાવ્યા છે.
૨૦૨૪ પછી બેવડા ત્રિકોણ વાળો ભગવો લહેરાવાય તો તો હિંદુ રાષ્ટ્રના વૈશાખનંદનો  ખુશાલીમાં આળોટીને ગર્દભગાન કરતા નિહાળવા મળશે!
***
ભારતવર્ષ, આનંદો! મુંગેરીલાલ મોદીકે હસીન સપને ક્રમશઃ સાકાર હો રહે હૈં!

From: Bipin Shroff <shroffbipin@gmail.com>
Sent: Tuesday, July 26, 2022 5:21:10 PM
To: shekhar.shroff.manavvad@blogger.com <shekhar.shroff.manavvad@blogger.com>
Subject: બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ
 

 

બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ !

 ( હિટલરનો વિજય થાવ)  "Heil Hitler!" (Hail Hitler!),મારા નેતાનો વિજય થાવ!"Heil, mein Führer!

સને ૧૯૩૦થી ૧૯૪૫ જર્મનીના દરેક નાગરીકે જ્યારે પણ એક બીજાને મળવાનું થાય ત્યારે અભિનંદન કે આવકાર આપવા ઉપરના શબ્દો વ્યક્ત કરવા નાગરીકની ફરજ બની ગઇ હતી. ન બોલવું તે ક્રીમીનલ ગુનો બની ગયો હતો. દરેક ઘરમાં બાળકોને રાષ્ટ્રવાદનું અફીણ એવું પીવડાવવામાં આવેલું હતું કે  રાષ્ટ્રીય વફાદારી સાબીત કરવા ' પોતાના મા–બાપ દિવસમાં કેટલી ઓછીવાર અથવા બિલકુલ નથી બોલતા અથવા આ સુત્રની ટીકા– કે નિંદા કરે છે ' તેની નોંધ કરીને સ્થાનીક પક્ષની ઓફીસમાં બાળકો રાષ્ટ્રીય વફાદારીના માપદંડ તરીકે હોંશે હોંશે જણાવતા. દરેક ઘર ઉપર રાષ્ટ્રનો ધ્વજ ' સ્વસ્તિક' બધા જ જોઇ શકે તે રીતે પ્રદર્શીત કરવો ફરજીયાત હતું.  જર્મનીના દરેક શહેરની દરેક શેરીમાં રાષ્ટ્રના દુશ્મનોની ઓળખ ' જેવી કે સમાજવાદી, સામ્યવાદી, બૌધ્ધીક, વૈજ્ઞાનીકો, યહુદી વિ. કે પહેચાન નકકી કરી  દેવામાં આવી હતી. સ્થાનીક પક્ષની કચેરીના બાહુબલીઓને તે બધા ' દેશના દુશ્મનોનો' ન્યાય કરવા ' સર્વોચ્ચ બીગ બ્રધર' તરફથી સુચના (હુકમ) સાથે તમામ સજ્જતા આપી દેવામાં આપી હતી. જર્મનીના પાટનગર બર્લીન રેડીયો પર થી જાહેર કરવામાં આવ્યું હતું કે ' દેશનો એક નંબરનો દુશ્મન આલબર્ટ આઇનસ્ટાઇન છે. કારણ કે તે જન્મે યુહુદી છે.'

૨૪મી જુલાઇના ઇન્ડીયન એકપ્રેસના શ્રીનગરથી જમ્મુ– કાશ્મીર રાજ્યના નીચે મુજબના સમાચાર છે.

આગામી ૧૫મી ઓગસ્ટે આશરે વીસેક દિવસ પછી ' ભારત સરકાર' નો આઝાદીના ૭૫ વર્ષ પુરાં થતાં

" હર ઘર ઘર પે ત્રિરંગા" નો રાષ્ટ્રપ્રેમ કેળવવા માટેનો દેશ વ્યાપી કાર્યક્રમ શરૂ થવાનો છે. તેની સફળતા એ સાહેબ માટેની સફળતા! તેને સફળ બનાવવામાં સહેજ પણ કચાશ કેવી રીતે રખાય?

(1)    અનંતનાગના મુખ્ય જીલ્લા શિક્ષણ અધીકારીએ  જીલ્લાની તમામ શાળાઓના બધા જ શિક્ષકો અને વીધ્યાર્થોઓને પરિપત્ર દ્રારા જણાવી દીધું હતું કે ' રૂપીયા ૨૦/ ચુકવીને ત્રિરંગો લઇ લેવો.( On Friday, the Anantnag Chief Education Officer (CEO) Rs.20/ fee.)

(2)     આજ જીલ્લાના વહીવટી તંત્રે સમગ્ર જીલ્લામાં લાઉડસ્પીકર ફેરવીને જાહેર કર્યું કે – અનંતનાગ જીલ્લાના દરેક અનાજ– કરીયાણા વિ લાયસન્સ ધરાવનારા વેપારીઓએ આ હુકમથી રૂપીયા ૨૦/ જમા કરાવી દેવા. તંત્રની ખફા મરજીમાંથી બચવા આ વિધી પતાવી દેવી. બીજબેરા નામના તાલુકા શહેરમાં વેપારીઓને સોમવારે બપોર સુધીમાં નાણાં જમા કરાવવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.( "By order of the Anantnag District Administration, every shopkeeper is asked to deposit Rs20 in the office that gives them trade license. It is possible that one who doesn't deposit Rs 20 can face action. So to save themselves and complete this formality, they should deposit Rs20." The announcement for shopkeepers was made from a loudspeaker-equipped vehicle in the district in South Kashmir.  In Bijbehara town of the district in south Kashmir, shopkeepers were told to deposit the money by Monday noon.)

(૩) બડગામ જીલ્લાના મુખ્ય શિક્ષણ અધિકારીએ પોતાના દરેક ઝોનલ અધિકારી, સ્ટાફ અને વિધ્યાર્થોને પ્રતિ વિધ્યાર્થી દીઠ રૂ– ૨૦/ એકત્ર કરવાની સુચના આપી છે. જે ઘરમાંથી એક કરતાં વધારે વિધ્યાર્થી શાળામાં ભણવા આવતા હોય તો ફક્ત ઘર દીઠ વીસ રૂપીયા પણ ચાર દિવસમાંજ ભેગા કરી લેવા.

(૪) આ બધા જ પરિપત્રો અને વિડીયો વાયરલ થતાં સબંધીત તમામ અધિકારોએ ' પોતાના હાથ ઉંચા કરી દિધા છે.' અમે કોઇએ આવા પરિપત્રો બહાર પાડયા નથી. અમે જીપગાડી પર લાઉડસ્પીકરથી આવી જાહેરત કરવાની કરી જ નથી. જે કોઇ એ કાયદો હાથમાં લઇને આ કામ કર્યું છે તે બધાને અમે સસપેંડ પણ કરવા માંડયા છે.

(૫)  જમ્મુ અને શ્રીનગરના ભુતપુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મૂફ્તીએ પોતાના રાજ્યના વેપારીઓ, વીધ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને સત્તાની રૂએ જાણે રાષ્ટ્રપ્રેમ કોઇ ઉપરથી લાદવા જેવો સદ્ગુણ હોય તે અભીગમનો સખ્ત વિરોધ કર્યો હતો.

(૬) વિશ્વમાં કોઇ દેશના નાગરીકોનો રાષ્ટ્રપ્રેમ સત્તા અને બંદુકની અણીએ જો ઉત્પન્ન કરી શકાતો હોય તો હિટલર, મુસોલીની ને સ્ટાલીનની આવી બુરી હાલતો ન થઇ હોત!

 સૌ. ઇન્ડીયન એકપ્રેસ તા. ૨૪–૦૭–૨૨. ટુંકાવી ને કરેલો ભાવાનુવાદ.

          

 

 


--