Tuesday, February 18, 2020

ધર્મ માટે માણસ કેમાણસ માટે ધર્મ?

ધર્મ માટે માણસ કે માણસ માટે ધર્મ?

કચ્છ ભુજમાં સ્વામિનારાયણ મંદિર સંચાલિત કેળવણી મંડળની શાળાના આચાર્યે વિગેરેએ એક અમાનવીય કૃત્ય કર્યું છે. પોતાની શાળાની વીધ્યાર્થીઓને(બહેનોને) પોતે રજસ્વાલા છે કે નહી તેની પોતાની હાજરીમાં તપાસ કરાવી! આ શિક્ષણ સંસ્થા સ્વામીનારાયણ મંદિર સંચાલિત છે. તે સંપ્રદાયને પોતાના ધાર્મિકતા અને નૈતિકતાના નિયમો છે. તે નિયમો પ્રમાણે જે તે સંપ્રદાય પોતાના અનુયાઇઓને તે પળાવવા દેશના બંધારણે બક્ષેલા મુળભૂત અધિકારોની મર્યાદાઓમાં રહીને  જે પ્રચાર–પ્રસાર કરવો હોય તે કરે. પણ તેના દ્રારા સંચાલિત શિક્ષણ સંસ્થામાં શિક્ષણ માટે અભ્યાસ કરતા બાળકો પર અને ખાસ કરીને બહેનો પર પોતાના સંપ્રદાય પ્રેરિત નૈતિકતા લાદવવાની કોષિશ કરે, બળજબરી કરે, તેને રાજ્યનું શિક્ષણ ખાતું અને પોલીસ તંત્ર, જે તે સંસ્થાના બાળકોના વાલીઓ આ બધુ કેવી રીતે ચલાવી લે? વાલીઓએ પોતાના બાળકોને ભણવા માટે મોકલ્યા છે નહિ કે તમારા ધર્મ– સંપ્રદાયના પ્રચારના એજંટ બનવા મોકલ્યા છે. શિક્ષણ સિવાયના ક્ષેત્રમાં આવી દરમ્યાનગીરી અસહ્ય અને અક્ષમ્ય છે.

 કયા સમાજના નાગરિકોના કલ્યાણ માટે આવી અસામાજીક, ગેરબંધારણીય અને સ્વતંત્રતા વિરોધી નૈતિકતાની જરૂર છે? હજુ તો આજ સંપ્રદાયના વડા કેવી ધમકી શાસ્રોના ઓથા નીચે આપે છે તે જોઇએ. " રજસ્વાલાના હાથે રોટલા ખાનાર પુરૂષને આવતા જન્મે બળદનો અવતાર" એક સંત તથા કૃષ્ણ સ્વરૂપ સ્વામી( કેવું ભવ્ય નામ છે) શું ઉવાચે છે તે જોઇએ! "  રજસ્વાલામાં હોય અને તે સ્રી પોતાના હાથે જો પતિને ખવડાવે તો તે બીજા જન્મમાં શ્વાન બની જાય છે. બીજી તરફ જે તે પતિ આવી સ્રીના હાથનું ખાય તે બીજા જન્મે બળદ બની જાય! જેમને જે  જે લાગવું હોય તે  તે લાગે. આ શાસ્રની વાત છે. રસોઇ બનાવતાં હે પુરૂષો ! શીખી જાવ નહીં તો નરકમાં જવા તૈયાર રહો." સૌ. દિ.ભાસ્કર તા–૧૮મી ફેબ્રુઆરિ ૨૦૨૦.

મૃત્યુ પછી માણસનું શું થાય છે તેના જ્ઞાનની અદ્ર્ભુત અને ત્રિકાળ જ્ઞાન જેવી માહિતી આ મહાપુરૂષો પાસે કેવી રીતે આવી હશે? તેના કોઇ પુરાવા, સાબિતી ,હકીકત, વૈજ્ઞાનિક જ્ઞાન આધારિત અધિકૃત તપાસ જેવા માપદંડોથી ખાતરી મેળવી શકાય ખરી?

કેરાલા રાજ્યમાં આવેલ શબરીમાળાના મંદિરમાં હજુ દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદપણ  રજસ્વાલા સ્રીઓને મંદિરમાં દર્શન–પુજા–અર્ચના કરવા જવા દેવામાં આવતી નથી. વડાપ્રધાન મોદીજી જેવા વિકાસ પુરૂષ !નો પક્ષ જ મંદિરના વહિવટ કર્તાઓના આવા સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરૂધ્ધના કૃત્યને આજે પણ ટેકો આપે છે.

જે દેશમાં ધર્મ અને રાજકીય સત્તાનું ગઠબંધન સાથે હોય તે રાજ્યનું ભવિષ્ય ખુબજ જોખમકારક હોય તે કોણ કોને સમજાવે! પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય છે કારણકે તે રાજ્યનો ઘોષિત ધર્મ ઇસ્લામ છે. આપણા દેશમાં ઝડપથી ઘોડપુરની માફક આવી રહેલા હિંદુત્વના પ્રવાહો દેશને કયા ધાર્મીક રાજ્ય બનાવવાની તરફેણમાં ખુલ્લેઆમ પ્રસરી રહ્યા છે. તે પ્રવાહોને નાથી શકાશે ખરા?

અમેરીકન બંધારણના ઘડવૈયાએ પોતાના બંધારણમાં પહેલો સુધારો સને ૧૭૭૬ની સાલ પછી કરેલો છે કે દેશમાં ધર્મ અને રાજ્ય વચ્ચે સંપુર્ણ વિયોજન ( સેપરશન) રહેશે. " There will be complete separation between the state and religion "  The first American Amendment.


--