Wednesday, February 19, 2020

સાવધાન! નેશનલ રજીસ્ટ્રર ઓફસીટીઝનશીપ(એન આર સી) –આસમ

સાવધાન! નેશનલ રજીસ્ટ્રર ઓફ સીટીઝનશીપ(એન આર સી) –આસમ

ખોદ્યો ડુંગર– કાઢયો ઉંદર––––એક સમયના દેશની સર્વોચ્ચ અદાલતે માન્ય કરેલા આસમ એન આર સીના વડા શ્રી પ્રતિક હાજેલા પર પાંચ ક્રીમીનલ કેસ દાખલ– બીજા આશરે વીસ કરતાં પણ વધારે ક્રીમીનલ કેસ માટેની એફ આઇ આર ની તૈયારી– પ્રતિક હાજેલા પર જાનનું જોખમ પેદા થતાં માજી ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા રંજન ગોંગાઇની સહમતી સાથે મધ્યપ્રદેશમાં ટ્રાન્સફર.

ફરીયાદમાં મુખ્ય અગત્યના આક્ષેપો– નાણાંકીય ગેરરીતીઓ, એન આરસીમાં આંકડા–ઉમેરવા– બાદ કરવા – ચેડાં કરવાં (ટેમ્પરીંગ).

 ચાર લાખ મુસ્લીમો અને ૧૫ લાખ હિંદુઓને બિનનાગરિક સાબિત કર્યા.

આસમની વર્તમાન બીજેપી સરકાર પી હાજેલાની સંપુર્ણ કાર્યવાહીથી સખત નારાજ છે.

એન આર સી આસમ એટલે પ્રતિક હાજેલા. માણસે કેટલું જબ્બરજસ્ત કામ ફક્ત પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટની નિગરાની નીચે કર્યું છે તેની હકીકત જાણીએ. આ કમીટી પાસે કુલ ૩.૨૯ લાખ અરજીઓ આવી હતી, ૬.૬ કરોડ દસ્તાવેજી પુરાવા આવ્યા હતા, આ બધુ કામ કરવા ૫૦,૦૦૦ હજાર માણસોને રોકવામાં આવ્યા હતા. ૩ કરોડની આસમની વસ્તીની એન આર સી કરવા માટે ફક્ત ૧૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. દેશની ૧૩૦ કરોડની વસ્તી માટે એન આર સીના ખર્ચની રકમના આંકડા કેટલા થાય તે આ લેખ વાંચનાર નક્કી કરે!

આસમ પબ્લીક વર્કસ નામની સંસ્થા જેણે એન આર સી કોઇપણ હિસાબે પોતાના રાજ્યમાં શરૂ થવી જ જોઇએ તેવી ચળવળ ચલાવી હતી, તેણે જ કુલ ૨૨ એફ આઇ આર પ્રર્તિક હાજેલા સામે દાખલ કરવાનું નક્કી કર્યું છે.

એન આર સી જેવા મહાઅભિયાન માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેની સામે તે સંસ્થાના અધિકારીઓ જણાવે છે કે સાહેબને 'બલીનો બકરો' (વીચ હંટ) બનાવવાનું કાવતરૂ કરવામાં આવી રહ્યું છે.( But sources close to the NRC office in Assam said whatever is happening with Hajela amounts to "a witch-hunt". "There is absolutely no reason to be harassing him like this now," the sources said.)

 

 ફેબ્રુઆરી માસની ૭મી તારીખે આસમ પબ્લીક વર્કસ નામની સંસ્થાએ નાગરિક ગણતરીના લીસ્ટના છેલ્લા તબક્ક્માં ખુબજ ગોટાળા કર્યા છે તેવી ફરીયાદને આધારે આસમની રાજ્યની બીજેપી સરકારની સીઆઇડી બ્રાન્ચે પ્રતિક હાજેલા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ૧૨મી ફેબ્રુઆરીના રોજ પ્રતિક હાજેલાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. પાંચવર્ષની મહેનતથી સંપુર્ણ તૈયાર કરેલા એન આર સીના તમામ આંકડાઓ એન આરસીની વેબ સાઇટ પરથી જ ગુમ થઇ ગયા છે.( On February 12, Hajela's name surfaced again, this time with regard to the disappearance of data on the official NRC website.) તેનું કારણ બતાવવામાં આવ્યું છે કે તમામ ડેટાની નોંધ કરતી સંસ્થા ' વીપ્રો' સાથે આ કામનો કરાર સમયસર રીન્યુ કરવામાં નિષ્ફળ ગયા છે. આસમ એન આર સી સંસ્થાના કોર્ડીનેટર શ્રી હિતેશ દેવ શર્મા એ પોતાની જ સંસ્થાના એક કર્મચારી બહેન સંસ્થાની બે ઇ મેઇલ આઇ ડી સંસ્થાનો પાસવર્ડ આપતા નથી. તેની સામે પણ ફોજદારી ફરીયાદ દાખલ કરી છે. વર્તમાન બીજેપી સરકારે પ્રતિક હાજેલા વિરૂધ્ધ એવી માહિતી જાહેર કરી છે કે ' કેટલાક બિનભારતીયો અથવા પરદેશીઓ તરીકે નક્કી થયેલા માણસોના નામો એન આર સીમાં દાખલ કરી તેમને દેશના કાયદેસરના નાગરીક બનાવી દેવામાં આવ્યા છે. આસમ પબ્લીક વર્કસ સંસ્થા જણાવે છે કે હજુ અમે અમારા કેસોને મજબુત બનાવવા નવા પુરાવા એકત્ર કરવામાં ખુબજ રોકાયેલા છે. (Moreover, we are still in the process of gathering evidence to make our case stronger," he said.)

આસમના કાચર જીલ્લામાં જ્યાં પશ્ચીમબંગાળથી આવેલા નિર્વાસીતો બહુમતી સંખ્યામાં સ્થાઇ થયા છે. જે બધાને  બિનભારતીય નાગરીક જાહેર થવાનો ભય છે તે બધાએ દુર્ગાપુજામાં મા દુર્ગા ' પ્રતિક હાજેલાને રાક્ષસ બનાવી દેવી' તેનું માથું ધડથી જુદુ કરી દે છે તે રીતે  રજુ કરવામાં આવ્યા હતા.

પ્રતિક હાજેલા સામે આસમની બીજેપી સરકારે સુપ્રીમ કોર્ટમાં કેટલાક વિસ્તારમાં નવેસરથી એન આર સી ગણતરી કરવામાં આવે તેવી પિટીશન જુલાઇ–૨૦૧૯માં દાખલ કરલી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તેને કાઢી નાંખી હતી. કારણકે જે તે વિસ્તારનું ૨૭ ટકા કામ સંપુર્ણ થઇ ગયું હતું.

સુપ્રીમ કોર્ટ સંચાલિત એન આર સી સામે બીજેપની આસમ સરકારે રાજ્યભરમાં ફેલાયેલી પોતાની પક્ષીય પાંખના કાર્યકરોની મદદથી એવા આસમીઓની યાદી તૈયાર કરીને પ્રજા સમક્ષ મુકવા માંડી છે કે જેને પ્રતિક હાજેલાની એન આર સીએ બિનભારતીયનો નાગરીક બનાવી દીધા છે અને ભારતીય નાગરિકોને બિનનાગરીક બનાવી દીધા છે. બિનનાગરીકોને નાગરીક બનાવવાની કાર્યવાહી બંગલાદેશની સરહદ સાથે જોડાયેલા જીલ્લાઓમાં વધારે થઇ છે તેવો આક્ષેપ છે. શ્રી હાજેલાએ આ મુદ્દે આસમ સરકાર( બીજેપી પાર્ટી) અને દેશના ગૃહમંત્રાલયની ફરીયાદ પણ સાંભળી નથી.

આસમ પબ્લીક વર્કસ સંસ્થાના વડા શ્રી શર્માજીના મત મુજબ આસમ રાજ્યમાં આશરે ૮૦ લાખથી વધારે બંગલાદેશી ગેરકાયદેસર નિવાસીઓ રહે છે. એન આર સીએ તો ફક્ત ચાર લાખ જ સાબિત કર્યા છે. હવે અમારી સંસ્થા સંપુર્ણ નવેસરથી એન આર સી તપાસ થાય માટે ચળવળ ચલાવશે ! ઉપરની હકીકતો પરથી એમ સાબિત થઇ શકે કે આસમના એન આર સીના તારણોથી વર્તમાન બીજેપી સરકાર, આસમ પબ્લીક વર્કસ અને આસમ વિધ્યાર્થી પરિષદ ને તેની પ્રજા કોઇને સંતોષ નથી. એક યા બીજા કારણોસર બધાજ ચળવળ ચલાવતા પરીબળો નારાજ છે. એન આર સી પછી પણ આ મુદ્દે રાજ્યમાં ઉકળતો ચરૂ એટલો બધો મજબુત છે કે જે દિવસે સંસદના બંને ગૃહોમાં સી એ એ પસાર થયું  કે તરતજ આસમમાં સખત વિરોધ થયો હતો.......ભાવાનુવાદ– બીપીન શ્રોફ. સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ. Written by Tora Agarwala | Guwahati | Updated: February 17, 2020 10:00:15 am

 

 

 


--