Thursday, February 27, 2020

રાષ્ટ્રીય વસ્તી ગણતરી નોંધણી અને રાષ્ટ્રીય નાગરીકોની નોંધણી

રાષ્ટ્રીય વસ્તી ગણતરી નોંધણી અને રાષ્ટ્રીય નાગરીકોની નોંધણી ( National Population  Registration NPR and National citizens Registration NCR.)

આપણે સમજવાની અનુકુળતા માટે બંને મુદ્દાઓના ટુંકા સ્વરૂપનો ઉપયોગ કરીશું. એન પી આર અને એન સી આર.

એન પી આર– લગભગ બ્રીટીશરોના સમયથી સને ૧૮૬૧ની સાલથી દર દસવર્ષે દેશની વસ્તીની ગણતરી કરવામાં આવે છે. તેમાં એકત્ર કરવામાં આવેલા આંકડાઓ ખુબજ મહત્વના હોય છે. દા.ત સ્રી– પુરૂષની વસ્તી, જન્મ મરણનો દર, વસ્તીનું ગામડાઓમાંથી શહેર તરફ સ્થળાંતર, શિક્ષણનું પ્રમાણ, બાળજન્મ અને મૃત્યુ દર અને બીજુ ઘણું બધું. સને ૨૦૧૧ની વસ્તી ગણતરી સને ૨૦૧૦માંથી શરૂ થઇ હતી. તે પ્રમાણે હાલ સને ૨૦૨૦માં સને ૨૦૨૧ના વર્ષ માટે દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી.

પરંતુ સને ૨૦૧૦ની સાલમાં આવી રાષ્ટ્રીય વસ્તી ગણતરી માટેના ફોર્મમાં કુલ ૧૪ માહિતીઓ એકત્ર કરવામાં આવેલી હતી. જેના સામે દેશના નાગરિકોનો માહિતીઓ આપવામાં કોઇ વાંધો ન હતો. પરંતુ મોદી સરકારે આ નવા વસ્તી ગણતરીના ફોર્મમાં બીજી સાત વિગતો ઉમેરી છે. જેવી કે મા– બાપ ની જન્મ તારીખ, તેમનું જે તે સમયનું સરનામું, જન્મ સ્થળ, માહિતી પુરી પાડનારનો મોબાઇલ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, વોટર આઇ ડી, માતૃભાષા વિગેરે. આપણા ઘરે વસ્તીગણતરી કરનાર સરકારી અધિકારીને આ બધી માહિતી લખાવવાની છે. કોઇ દસ્તાવેજી પુરાવા નોંધણી સમયે આપવાના નથી. મોદી સરકારે માંગેલી નવી સાત–આઠ માહિતીઓને આધારે સરકારને એન સી આર તૈયાર કરવા માટે અને ત્યારબાદ દેશના કાયદેસરના નાગરિકને રહેઠાણનું નવું ઓળખનું કાર્ડ નવા નંબર સાથે(Resident Identity Card ) આપવામાં આવશે.

હવે તૈયાર કરેલ એન પી આર(વસ્તી ગણતરી નોંધણી)માંથી એન આર સી બનાવાશે. કોઇ એવું સમજે કે બંનેને એક બીજા સાથે કોઇ સંબંધ હોઇ શકે નહિ, તો તે સફેદ જુઠ સિવાય બીજું કશું હોઇ શકે નહી. ઉપરની ચર્ચાને આધારે સત્યને સરળતાથી સમજી શકાય તેમ છે.

  આ સમગ્ર પ્રશ્નની ગંભીરતા હવે શરૂ થાય છે.એન આર સીનું ગઠબંધન અને સંચાલન કોણ કરશે? સરકારે આ માટેની એક સ્થાનીક સ્થળ પર એક ફોરેન ટ્રીબ્યુનલ કોર્ટ ની રચના કરશે. સદર કોર્ટ ફક્ત નામમાં જ કોર્ટ છે. કોઇ અર્થમાં તે કોર્ટ જ નથી, ક્વોસી જુડીશ્અલ કોર્ટ પણ નથી. તે ખરેખર કાંગારૂ કોર્ટ છે. તે કઇ બલાનું નામ છે. તેની વ્યાખ્યાને આપણે સમજીએ. kangaroo court

·         1.an unofficial court held by a group of people in order to try someone regarded, especially without good evidence, as guilty of a crime or misdemeanour: કાયદાની પરિભાષામાં પુરતા પુરાવા વિના કોઇને ગુનેગાર સાબિત કરવો.

 (તેનું સંચાલન કોઇ નિવૃત જ્જ, કે દસ કે પાંચ વર્ષનો ન્યાયતંત્રનો અનુભવી અધિકારી( Judicial Bend of mind) નહી કરતો હોય! નાગરિકતા નક્કી કરવા માટેની ફોરેન ટ્રીબ્યુનલ રચના કોઇ કાયદાને આધારે નહી થાય. તેની આખરી સત્તા કોઇ ન્યાયધીશ, વકીલ કે સીવીલ સરવંટ (આઇ એ એસ) પાસે નહી હોય. આ ટ્રીબ્યુનલ અધિકારીને એક કે બે વર્ષના કોન્ટ્રાક્ટ પર રાજ્યની સરકારો નિયુક્ત કરશે. જે આસમમાં બન્યું છે. તેની નિમણુકની રીન્યુનો આધાર તે એન પી આર માંથી કેટલા બિનનાગરીક શોધી શક્યો તેના પર રહેશે. તેના નિર્ણયોની માર્ગદર્શીકા તરીકે ઇન્ડીયન એવીડન્સ એક્ટના પ્રોવીઝન સેક્શન ૧૫ની કે સીવીલ પ્રિસીજર કોડ ની મદદ લેવાનું બિલકુલ જરૂરી નથી. જે તે સ્થાનીક વિસ્તારમાં જે રાજકીય પક્ષ અને તેના કાર્યકરોની દાદાગીરી તે પ્રમાણે આવા ટ્રીબ્યુનલ અધિકારીઓએ નાગરિકોને પરદેશી જાહેર કર્યા છે. દા.ત આસમની હાઇકોર્ટ પાસે એક ટ્રીબ્યુનલે એવો નિર્ણય કરેલો કેસ આવ્યો છે કે ' તમે તમારી સ્કુલનું જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે જે ૨૦ વર્ષો કરતાં વધારે જુનુ છે તો તે પ્રમાણપત્રમાં સહીકરનાર હેડમાસ્તરની જુબાની રજુ કરી નથી. લગ્નની કાયદેસરતા નક્કી કરવા રજુ કરેલ નિકાહનામામાં સહી કરેલ કાઝીની જુબાની લીધી નથી.'  તાજેતરમાં આસમ હાઇકોર્ટની ડીવીઝન બેન્ચ પાસે નીચે મુજબનો કેસ આવેલો હતો. જેમાં ફોરેન ટ્રીબ્યુનલ કોર્ટે અરજદારે રજુ કરેલા આઠ પુરાવાને નજર અંદાજ કરીને તેણીને ડીટેન્શન સેન્ટરમાં મોકલી દેવાનો નિર્ણય કર્યો છે.  અરજદારે સ્કુલ બર્થ સર્ટીફીકેટ, લગ્નનું નિકાહનામા, ગ્રામ પંચાયતનો દાખલો, સને ૧૯૬૬ના અરજદારના દાદાના નામનો સરકારી વોટર્સ લીસ્ટનો પુરાવો, સને ૧૯૯૭ના વોટર્સ લીસ્ટમાં પોતાની માતાના નામનો પુરાવો, માતાની વોટર્સ આઇ ડી કાર્ડના ફોટાને અધિકૃત સહીસીકકા વાળી કોપી વિગેરે. તેણીનો ગુનો શું? તેના મા–બાપે તેની શાદી ૧૫વર્ષની ઉંમરે કરેલી હોવાથી સ્થાનિક મતદાર યાદીમાં તેનું નામ ન હતું. તેના પતિ, બાળકો, મા– બાપ અને અન્ય બધા જ ભારતના જ નાગરીક હતા અને છે. કોઇ બંગાલાદેશી બિલકુલ નથી જ. રાજ્યની હાઇકોર્ટની ડીવીઝન બેંચ માનનીય બે હાઇકોર્ટ જજ્જે સાહેબોની બનેલી હતી. નામદાર કોર્ટનું કાર્યક્ષેત્ર (એપેલેટ કોર્ટ)નું હોવાથી અમે અરજદારની નાગરિકતા નક્કી કરીશું નહી. તેમ કરીને પેલી અપીલ કાઢી નાખવામાં આવી છે. શાબાશ! એન આર સી વધુ જીવો!

ફોરેન ટ્રીબ્યુનલ અધિકારીઓને કોણ સમજાવે કે સાહેબ! તમારે અમારા માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના પ્રિય શબ્દ " ઘુસ પેઠીયા" શોધવાના છે. નહિ કે દેશના નાગરીકોને બિનભારતીય સાબિત કરીને પેલી ડીટેસન્સ છાવણીમાં મોકલવાના છે. 


--