Sunday, February 9, 2020

દીલ્હીની ચૂંટણીપ્રચારમાં જોવા મળતું ઝેર લોકશાહીના હિતમાં નથી.

દીલ્હીની ચૂંટણી પ્રચારમાં જોવા મળતું ઝેર લોકશાહીના હિતમાં નથી. સૌ. આજનો તંત્રી લેખ દિ.ભાસ્કર.

....' આ ચૂંટણી પ્રચાર કેન્દ્ર–રાજ્ય સંબંધોમાં એક મોટી તિરાડ છોડી ગયો છે....એક કેન્દ્રીય મંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આતંકવાદી ઠેરવી દીધા છે. બીજા એક કેન્દ્રીય મંત્રીએ પોતાના ચુંટણી પ્રચારના નારામાં બોલ્યા'  દેશના ગદ્દારોને.... અને પછી શ્રોતાઓ પાસેથી બોલાવ્યું કે ગોલી મારો...કો' ત્રીજા મંત્રીએ ટિવટ કરીકે ' તુમ્હારે લિએ પાકિસ્તાન બના દિયા, અબ તો ચૈન સે જીને દો'

જો સરકારની કોઇ નીતિ કે કાયદા વિરૂધ્ધ આંદોલન અરાજકતા છે તો ફક્ત કેજરીવાલ જ કેમ? જે બધા રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને તેમની વિધાનસભાઓ સીએએ, એન પીઆર, એનસીઆર વિરૂધ્ધ પ્રસ્તાવ કર્યા છે તે બધા આ શ્રેણીમાં આવે છે, જેમણે  કેન્દ્રના નાગરિકતા સુધારા કાયદાને ન સ્વીકારવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આંદોલન ખોટું હતું તો રામ મંદિર આંદોલન અને બાબરી મસ્જીદનું માળખું તોડી નાંખવાને સમર્થન કઇ શ્રેણીમાં આવશે? અને પછી સંસદમાં વિરોધપક્ષ તરીકે ભાજપના હોબાળાને શું કહેવાશે? કોંગ્રેસ અધ્યક્ષે પોતાની અમર્યાદિત પ્રતિક્રિયામાં કહ્યું '......આ વડાપ્રધાનને છ મહિના પછી દેશની સતત વણસતી જતી આર્થીક સ્થિતિને કારણે યુવાનો દંડા મારશે.

રાજકીય વર્ગ અને ખાસ કરીને જે સત્તામાં બેઠા છે, તેમણે ઓછામાં ઓછા આરોપો તો તર્કસંમત લગાવવા જોઇએ. જે મંત્રીએ ' ગોળી મારો' નો સુત્રોચ્ચાર કરાવ્યો હતો અને જે સુત્રોચ્ચારે બીજા ત્રણ દિવસમાં ત્રણ યુવાનોએ ખરેખર આંદોલનકર્તાઓ પર ગોળી ચલાવી, એ મંત્રીની ક્ષમતાને કઇ કસોટી પર આંકવામાં આવશે? લોકશાહીમાં ચુંટણી એટલી કડવી ન બનાવવી જોઇએ કે લોકો રાજનીતિનો અર્થ જ અરાજકતા સમજવા લાગે. કેમ કે, ત્યારે પ્રજા તંત્રના આ ચહેરા પરથી વિશ્વાસ સમાપ્ત થઇ જશે. આ વિશ્વાસ સમાપ્ત થઇ જવાનો અર્થ છે માનવીનું પાછું આદિમ સભ્યતા તરફ ( જંગલના કાયદાનું રાજય)  જવું. જો કે, વડાપ્રધાને જાહેર મંચ પર કહ્યું કે ' શાહીન બાગ પ્રદર્શન સંયોગ નથી પણ ભાઇચારો નાબુદ કરવાનો પ્રયોગ છે'. જો આ પ્રયોગ ભાઇચારો નાબુદ કરવાનો છે તો મંત્રીઓનું નિવેદન શું છે? આવાવાતાવરણમાં વિકાસ ક્યાંથી થશે? વિકાસની યોજનઓનો આખરે અમલ તો દેશના રાજ્યો એ જ કરવાનો છે ને?


--