Saturday, December 4, 2021

સમાચારો બોલે છે.

 સમાચારો બોલે છે!

()  ધર્માંધતા શિખરે અને વૈગ્નાનીક અભિગમ તળેટીમાં. પાકીસ્તાનના સમાચાર.

() વૈગ્નાનીક અભિગમ શિખરે અને અંધશ્રધ્ધા તળેટીમાં. અમુલ ડેરીના ચેરમેન રામસીંહ પરમારે રજુ કરેલા સમાચારોનો આધારે નિષકર્ષ.,ખેડાજીલ્લો.

કાર્લ માર્કસનું સદાબહાર તારણજે દિવસે વિશ્વમાંથી ખ્રીસ્તી ધર્મનો નાશ થશે(તમામ ધર્મોનો) ત્યારે મુડીવાદી શોષણખોર વ્યવસ્થાનો પણ નાશ થશે.

પણ પહેલી મરઘી કે ઇડું.!

 સમાચારો ક્મશ;પાકીસ્તાન; ઇશનિંદાના એટલે કે ધર્મ કે તેના પયગંબરની નિંદાના (Blasphemmm)આરોપમાં શ્રીલંકન મેનેજરને જીવતો સળગાવી દીધો. સિયાલકોટ, ઇસ્લામાબાદ.         સિયાલકોટમાં આવેલી એક ફેકટરીના એક્ષપોર્ટ મેનેજરને તે જ ફેકટરીમાં કામ કરતા શ્રમિકોઓએ હુમલો કરીને મારી નાંખી ત્યારબાદ તેના શબને સળગાવી દીધું હતું. મેનજરનો ગુનો શું હતો? " સ્થાનિક       પોલીસ અધિકારી મુજબ એક પોસ્ટર જે મહંમદ પયગંબર સાહેબનું હતું તેના પર આ અધિકારીએ સહી કરી હતી." બાવન માણસોની ધરપકડ કરવામાં આવી છે. ધાર્મીક બાબતોના વિશેષ પ્રવક્તા મહેમુદ અશરફીએ જણાવ્યું છે કે આ દુ:ખદ ઘટના છે. પોલીસ તંત્રને ફરીયાદ કરવાની જરૂર હતી. કાયદો હાથમાં લેવાય નહી. આ રીતે કાયદો હાથમાં લેવાથી ઇસ્લામની છબી ખરડાય છે. ( સો. દી. ભાસ્કર તા૧૨૨૧. પાનું ૧૪,

() અમુલના સમાચારખેડા જીલ્લાના દુધ ઉત્પાદકો અને દેશ અને દુનીયાના બધા દુધઉત્પાદકોનો કાયમી પ્રશ્ન હતો. ભેંસ કે ગાય વિયાય પછી જ દુધ આપવાનું શરૂ કરે છે. હવે દુધાળા પ્રાણીઓ જો ખાસ કરીને ભેંસ જો પાડાને જન્મ આપે અને ગાય જો વાછરડાને જન્મ આપે તો દુધ ઉત્પાદકો માટે તે બંને બિનઉત્પાદક છે. અને તેમને મોટા કરવા તે પેલા દુધ ઉત્પાદકોની આવકમાં સતત ખોટના ધંધા છે. અમુલે પોતાના ઓડ મુકામે શરૂ કરેલ સીમેન બેંક કે વિર્ય બેંકમા એવું સંશોધન કરી કૃત્રીમ ગર્ભધાન કરીને  ભેંસને પાડી અને ગાયને વાછરડી જ ગર્ભધાન પછી આવે! સદર પ્રોજેકટના સંચાલક ડૉ. ગોપાલ શુક્લા સંચાલીત ડેટા બેંક ને આધારે જણાવે છે કે આ પ્રયોગમાં ૯૫ % સફળતા મળેલ છે. ડેરીના ચેરમેન રામસીંહ પરમારે આ પ્રોજેક્ટ સફળ થાય માટે અંગત રસ લીધો છે. " ખેડા જીલ્લાની દુધઉત્પાદક બહેનો જે અત્યાર સુધી  પોતાની ગાય કે ભેંસને વાછરડી કે પાડી અવે તે માટે બાધા, આખડી અને દોરા ધાગા ગામના ભુવા જાગરિયા પાસે કરાવતી હતી તે બંધ કરી દીધા છે." અમુલના આ ગર્ભધાનના ડોઝની પડતર કિંમત ૯૦૦ રૂપિયા છે પણ પોતાના સભાસદને ફકત ૫૦ રૂપીયામાં આપે છે.  અત્યાર સુધીમાં કુલ ૩૦૦૦૦ સભાસદોએ આ પ્રોજેક્ટનો લાભ લીધો છે. હાલ વાછરડા અને પાડાનું પ્રમાણ ગામડામાં ૬૦% થી વધારે છે.  આ રીતે પણ લોકોમાં વૈગ્નાનીક અભીગમ વિકસાવીને અંધશ્રધ્ધાઓ દુર કરી શકાય છે. ( સૌ. દી. ભા. આજની ખેડા જીલ્લા આવૃત્તી પાનું ૪.)

 ખાસ નોંધબંને સમાચારોને સ્વતંત્ર રીતે વાંચી,સમજીને મુલ્યાંકન કરવું!


--