Friday, December 17, 2021

વેકસીનના સંશોધન ક્ષેત્રે ઇગ્લેંડની લંડન યુની. ને સીરીમ ઇન્સ્ટીટયુટ પુનાવાલા કુટુંબનું ૫૦૦ કરોડ રૂપીયાનું દાન.

  વેકસીનના સંશોધન ક્ષેત્રે  ઇગ્લેંડની લંડન યુની. ને સીરીમ ઇન્સ્ટીટયુટ પુનાવાલા  કુટુંબનું ૫૦૦ કરોડ રૂપીયાનું દાન.

  લંડનમાંથી સમાચાર છે કે  પુનાવાલા ફેમીલીએ ૫૦ મીલીયન પાઉંડનું દાન લંડન યુની. ને વેક્સિનોલોજીનું નવું સંશોધન કેન્દ્ર બનાવવા માટે આપેલ છે. તેમાં ૩૦૦ રીસર્ચ વૈગ્નાનીકો  કામ કરી શકે તેટલું મોટું આ કેન્દ્ર્ હશે. આ સંશોધન કેન્દ્રનું નામ પુનાવાલા વેકસીન રીસર્ચ બીલ્ડીંગ રહેશે. શીતળાની રસી શોધનાર એડવર્ડ જેનર (1749-1823 )ની  યાદમાં બનાવેલ  જેનર ઇન્સ્ટીટયુટની વડી ઓફીસને પણ આ નવા બીલ્ડીંગમાં સમાવી લેવામાં આવશે ; જેમાં કોવીડ૧૯ની એસ્ટો્જેનેકા નામની વેકસીનને સંશોધિત કરીને વિકસાવવામાં આવી હતી. પુનાની સીરમ વેકસિન ઇન્સ્ટીટયુટે તે જ વેકસિનના ૧૦૦ કરોડ ડોઝ કોવીશીલ્ડના નામે બનાવીને આપણા દેશની પ્રજાને મોટી જાનહાનીમાંથી બચાવ્યા હતા.

 લંડન યુની. ના વાઇસ ચાન્સેલર પ્રો. એલ રીચાર્ડસન આનંદ વિભોર બનીને આ માતબર દાન સ્વીકાર્તાં જણાવ્યું હતું કે આ દાનની મદદથી અમે વેકસીનને ક્ષેત્રે ઘણું સંશોધન કરી શકીશું. પુનાવાલા ફેમીલી સાથે અમારી યુની. ને ઘણો જુનો સંબંધ છે. સને ૨૦૧૯માં સાયરસ પુનાવાલાને  લંડન યુની. એ વેકસીનના ક્ષેત્રે અદ્યતીય કામકરનાર તરીકે  માનદ્ ડીગ્રી એનાયત કરીને બહુમાન કરેલુ હતું.

સૌ (ટા ઇ ઓફ ઇંડીયા તા. ૧૭ ડીસે ૨૦૨૧.)


--