Friday, December 1, 2023

સહજાનંદ સ્વામિ ના નામે પરચાઓ અને ચમત્કારોની ઉભી કરેલી ભ્રમ જાળ .Part5-6-7-

લેખ-5.
સહજાનંદ સ્વામિ ના નામે પરચાઓ અને ચમત્કારોની ઉભી કરેલી ભ્રમ જાળ .
(1) સહજાનંદજીએ ગઢડામાં પોતાની જ મૂર્તિ સ્થાપી અને "વાસુદેવ
નારાયણ" નામ આપ્યુ અનેકહ્યું કે આ 'અમારું સ્વરૂપ' છે! વાસુદેવ નારાયણ
નામ ધારણ કરી અમે અહીં બીરાજીશું.આમૂર્તિમાં હું અખંડ રહ્યો છું.આ
મૂર્તિમાં રહીને હું તમારું સર્વ કાંઈ ગ્રહણ કરીશ.સહજાનંદ ચરિત્ર પ્રકાશન
સ્વામિનારાયણ અક્ષરપીઠ(શાહીબાગ, અમદાવાદ.પેજ-32] પાનું-112.
(2) વરસાદ થતો ન હતો એટલે સહજાનંદજીએ પલંગમાં સુતા સૂતા
ઇન્દ્રને ધમકાવ્યો ! આથી ઈન્દ્રે ગુસ્સે થઈને વીજળીના કડાકા સાથે
મશુળધાર વર્ષા કરી ! [પેજ-66] .
(3) સહજાનંદજીએ કહ્યુકે અક્ષરધામ સર્વધામોથી પર છે.અગ્નિ , વરૂણ,
વાયુ,ઈન્દ્ર, સુર્ય,બ્રહ્મા, વિષ્ણુ,મહેશ, રામચંદ્ર,નરનારાયણ, શ્રીકૃષ્ણ વગેરે
સર્વથી પર અમારું અક્ષરબ્રહ્મ છે. તેથી પર હું છું ! [પેજ-83, 84]
અક્ષરધામમાં સહજાનંદજી સિંહાસન પર બેઠા હતા ત્યાં શિવ,બ્રહ્મા વગેરે
દેવો/ ઋશીઓ/ અવતારો એક પગે ઉભા રહીને મહારાજ -
સહજાનંદજીનીસ્તુતિ કરતા હતા. Page 113.
(4) સહજાનંદજી જમવા બેઠા. થાળમાં બાજરાનો રોટલો હતો. સામેના
ઝાડ પર કાગડો કા-કા કરવા લાગ્યો. સહજાનંદજીએ રોટલો કાગડા તરફ
ફેંક્યો અનેકાગડાએ પોતાની ચાંચમાં આખો રોટલો પકડી લીધો અને તેઉડી
ગયો. લાડુબાએ પૂછુયુ કે, અરે મહારાજ ! આ શું કર્યું રોટલો કાગડાને નાખી
દીધો? સહજાનંદજી કહે: 'લાડુબા ! એ કાગડો નહીં, બ્રહ્માજી હતા. અમારી
પ્રસાદી લેવા આવ્યા હતા. વર્ષોથી તલસતા હતા, તે આજે લાભ
આપ્યો.પાનું-114.

(5) પરંતુ પૌરાણિક પાત્રો સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી હોય
છે. આ સ્થિતિમાં પૌરાણિક પાત્રોનો, પોતાના પંથના વીકાસ માટે પરચા
રુપે લખીને દુરુપયોગ કરવો તે બિલકુલ ઉચિત નથી. આવું કરે ત્યારે તેમના
નૈતિકતાના ઉપદેશની કોઈ અસર પડે નહીં. પાનું-116.
(6) તીનવા ગામમાં એક કૂવો હતો.એક દિવસ ઘરમાં પાણી ખૂટી ગયું
અને ભક્તિમાતા પાણી કૂવે ગયાં. સાંજ પડી ગઈ હતી. ભક્તિમાતાએ
જેવો ઘડો કૂવામાં નાંખયો કે એક ભૂતે પકડી લીધો. ભક્તિમાતાએ કૂવામાં
ડોકયું કર્યું તો ત્યાં અંદર તો હજારો( એક કે બે નહીં પણ) બિહામણાં ભૂતો !
ભક્તિમાતા એકદમ ડરી ગયા અને ઘડો-દોરડું ત્યાં મૂકીને જ
ભક્તિમાતા ઘેર આવ્યા. માતાએ ઘનશ્યામ ને વાત કરી. ઘનશ્યામ પ્રભુ
બીજા દિવસે સવારે કૂવા પાસેઆવ્યા અને કૂવામાં ભૂસકો માર્યો. નાનકડા
બાળકને કૂવામાં આવેલો જોઈ ભૂતો તેમને પકડવા ગયા, પરંતુ ત્યાં તો
ઘનશ્યામના શરીરમાંથી તેજ તેજ નીકળવા લાગ્યું. તેજના પ્રકાશથી ભૂતો
બળવા લાગ્યા ! પરંતુ ભાગીને જાય ક્યાં ? એક ભૂતે આજીજી કરતા કહ્યું,
'હે પ્રભુ! અમનેબચાવો !
આજથી ઘણા વર્ષો પહેલાં અમે બધાં દુર્જનો હતા. દારુ પીતા. માંસ
ખાતા,જુગાર રમતાં અને જૂઠ્ઠં પણ બોલતા. એક વાર અહીંના બાદશાહ
સાથેઅમારે લડાઈ થઈ અને એમાં અમે સૌ અહીં જ મરી ગયાં. અમે તો
ખુબ પાપી હતાં. આથી ભૂત થઈનેઆ કૂવામાં જ રહેવું પડે છે. હે પ્રભુ!
તમે દયાળુ છો. અમને આ દુ:ખમાંથી બચાવો.' ભૂતોની વિનંતીથી
ઘનશ્યામે તેમના પાપ માફ કરીને તેમનો મોક્ષ કર્યો. [ઘનશ્યામ ચરિત્ર પેજ-
30, 31 પ્રકાશક : સ્વામમનારાયિ અક્ષરપીઠ, શાહીબાગ,
અમદાવાદ)પાનું-101.

(7) એક વખત ઘનશ્યામ પ્રભુ નવાદા ગામ બાજુ ગયા. ત્યાં બમનીપરુનો
રાજા કૂવો ખોદાવી રહ્યો હતો. ત્યાં અચાનક મોટી આફત ઊભી થઈ.
કૂવાની નજીક પોચી માટી હતી તે ધસી પડી. કૂવામાં 15 લોકો ખોદકામ
કરતા હતા. તે દટાઈ ગયા. ચારે કોર શોર મચી ગયો. બગીચામાં રમતાં
ઘનશ્યામ પ્રભએુ અવાજ સાંભળયો. તેઓ દોડતા કૂવા પાસે પહોંચ્યા
અનેકહ્યું કે તમે હરિકૃષ્ણ,'ઘનશ્યામ'ની ધૂન કરો.બે પહોર સુધી ધૂન કરજો.
લોકો ઊંચેસ્વરે ધૂન કરવા લાગ્યા.બે પહોર સુધી ધૂન ચાલી. છ કલાક દટાઈ
રહેલા કૂવામાં મરણ પામેલા માણસો જાણે ઊંઘમાંથી ઊઠીને ઊભા થયા
હોય તેમ માટીમાંથી સરકીને પંદર જણા ઉપર આવ્યા.લોકો કહેવા લાગ્યા :
હે ઘનશ્યામભાઈ ! તમે સાક્ષાત્ પરમેશ્વર છો ! ત્યારે પોતાનું સામર્થ્ય
છૂપાવતા હોય તેમ પ્રભુ કહેવા લાગ્યા : તમે સાચા ભાવ થી ધૂન
કરી,પ્રાર્થના કરી એટલે આ બધું શક્ય બન્યું.પાનું-102.

લેખ -6
સરદાર પટેલ વિષે -સ્વામિનારાયણ સંપ્રદાયના ગપગોળા-

(1) સરદાર પટેલ -ખટપટ કરે, ઝઘડા કરે, અદાલતેચઢે તેવા
સાધુઓ આ લોકમાં કે પરલોકમાં આપણું ભલું કરી શકે નહીં ! પાનું-
126.
(2) વચનામૃત ગ્રંથને અમદાવાદ/ મુંબઈ કોર્ટે સર્વમાન્ય ગ્રંથ તરીકે
ગ્રાહ્ય ગણયો ન હતો. આ સપ્રંદાય પોતાનું ઊંચુ રાખવા જૂઠનો
સહારો લે છે, ચમત્કારોનો સહારો લે છે, ભયંકર અંધશ્રદ્ધા ફેલાવે છે
.

(3) સ્વામિનારાયણના નિત્યસ્વરુપદાસ સ્વામીએ એક કથામાં
કહ્યું હતું : "સરદાર પટેલ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત શિષ્ય
હતા. સતત 16 વરસ સુધી કરમસદથી ચાલતા ચાલતા વડતાલ
પૂનમ ભરી હતી. 16 વરસ સુધી એકાદશી નિર્જળા રહ્યા હતા.
સરદારનો જન્મ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી થયો હતો
!" પાનું-127.
(4) સરદારના સંભારણા પુસ્તકમાં -મોટીવેશનલ લેખક-શૈલેષ
સગપરિયા ક છે કે "BAPSના સ્થાપક પ્રગટ બ્રહ્મસ્વરુપ
યજ્ઞપુર્ષોત્તમદાસે મહારાજે સરદાર જ્યારે નાના હતા ત્યારે 'મોટા
થઈને મોટું નામ કરશે' એવા આશીર્વાદ આપેલા." ગપ્પુ તો
જૂઓ,યજ્ઞપુર્ષોત્તમદાસે આશીર્વાદ આપ્યા ન હોત તો આપણને
સરદાર મળ્યા ન હોત ! યજ્ઞપુર્ષોત્તમદાસનું મહત્વ દર્શવવા સરદારના
વ્યક્તિત્વની હત્યા કરી નાખી. સરદારે ક્યારેય ટીલાં- ટપકાં ક્યારેય
કર્યા ન હતા; તે સાચી હકીકતને આ રીતે વિકૃત કરી દીધી ! પાનું-
128.
(5) સરદારના પિતા ઝવેરબાપાનું અવસાન 1914માં થયું.
સરદાર,પિતાના બારમામાં હાજર રહ્યા ન હતા. સરદારે કુરિવાજનો
વિરોધ કયો હતો; તે સૂચવે છે કે સરદાર કર્મકાંડના/અંધશ્રદ્ધાના
સખત વિરોધી હતા.
(6) સરદાર 30 વરસના હતા ત્યારનો એક પ્રસંગ રાજમોહન
ગાંધીએ, 'સરદાર પટેલ,એક સમર્પિત જીવન' પુસ્તકમાં પેજ-19
ઉપર લખ્યો છે. સરદાર ત્યારે બોરસદમાં વકીલાત કરતા હતા.સરદાર
અશ્રદ્ધાળુ-રેશનલ હતા. સરદારના પિતા ઝવરેભાઈ

યજ્ઞપુર્ષોત્તમદાસજીના ભક્ત હતા; વડતાલ મંદિર તરફથી કેસ થતાં
પોલીસે યજ્ઞપુર્ષોત્તમદાસજી સામે વોરંટ કાઢ્યું.પિતા ઝવેરભાઈ
બોરસદ પહોંચ્યા. વલ્લભભાઈએ પૂછૂયું "કેમ અચાનક આવવાનું
થયું ? મને કહેવડાયું હોત તો હું જાતે કરમસદ આવી જાત અને
લાડબાને પણ મળી લેવાત."
ઝવેરભાઈ : " આપણા મહારાજ સામે વોરંટ નીકળે અને પોલીસ
પકડી જવાની ધમકી આપે ત્યારે તમારી આબરુ અને લાગવગ શા
કામના?"
વલ્લભભાઈ : "મહારાજ સામે વોરંટ? મહારાજ તો ભગવાન
પુરુષોત્તમના અવતાર છે અને આપણા બધાનો મોક્ષ મેળવી આપવા
સમર્થક છે. પકડવાની કોઈની હિંમત કેવી રીતે ચાલે?"
ઝવેરભાઈ : "વડતાલ-બોચાસણ મંદિરનો ઝઘડો છે. તારે આ વોરંટ
રદ કરાવી આપવું પડશે. મહારાજની ધરપકડ થાય તો આપણી
આબરુને ધક્કો પહોંચે."
વલ્લભભાઈ : " આપણી આબરુને ધક્કો શાનો લાગે? વોરંટ
નીકળ્યું છે તેનું કારણ હશે. તમારે હવે આ સાધઓુ ને પડતા મુકવા
જોઈએ. ખટપટ ચલાવે, ઝઘડા કરે, અદાલતે ચડે તેવા સાધુ આ
લોકમાં કે પરલોકમાં આપણું કશું ભલું કરવાના નથી !પાનું-129.
—---------------------------------------------------------------
લેખ -7
વડતાલના સંતોને ફાંસીની સજા.
બાળકોના જાતિય શોષણ માંડીને કોઈ સામાજિક બુરાઈઓથી દેશ -
પરદેશના તમામ ધર્મો,સંપ્રદાયોઅને ગુરુઓ બાકાત

નથી.આશારામથી શરુ કરીને ડેરાસચ્ચા રામરહીમ તો આ અનિષ્ટથી
ખદબદતી દરિયામાં લાંબી પહોળી હિમશીલા ની બહારથી દેખાતી
નાની સરખી ટોચ છે.
(1) સ્વામિનારાયણ સંપ્રદાયનું અસલ ચરિત્ર વડતાલ
સ્વામિનારાયણ મંદિરના ગદાધરાનંદ સ્વામીની કિરપણ
હત્યામાં જોવા મળે છે! આ હત્યાથી કેટલાક ભ્રમ ભાગી જાય
છે [અ] બ્રહ્મચર્ય ઉત્તમ નથી. બ્રહ્મચર્ય સ્વામીઓમાં વિકૃતિ
પેદા કરે છે. [બ] સ્વામીઓ ધન/સખુ સગવડોથી દૂર રહી
શકતા નથી.[ક ]ત્યાગની વાતો/વિવેકની વાતો/વ્યસનથી દૂર
રહેવાની વાતો હાથીના દાંત જે બતાવવાના જુદા હોય છે.તેવી
હોય છે.સ્વામીઓને ધન,સત્તા,વિવેક -હીન સબંધ,જુગાર-
દારુ-સ્ત્રીસુખ ગમેછે ! તે માટે ગમે તે હદે જવાનું ! [ડ] કોઈને
લાંચ આપવી/લાંચ સ્વીકારવી. ભ્રષ્ટાચાર કરવો ! [ઈ ] કોઈપણ
ભોગે ધન/સત્તાની લાલસા સંતોષવા અપહરણ /હત્યા જેવા
અધમ કૃત્યો કરવા-કરાવવા !પાનું-238.
(2) વડતાલ મંદિર ટ્રસ્ટીબોર્ડના ચેરમેન, ગદાધરાનંદ
સ્વામીની હત્યા શામાટે થઈ હતી? કોણે કરી હતી? કેવી રીતે
હત્યા કરી? કઈ રીતે આ હત્યા કેસના આરોપીઓ પકડાયા?
તેની હકીકત ચોંકાવનારી છે.પાનું-239.
(3) 3 મે, 1998ના રોજ ચેરમેન ગદાધરાનંદ સ્વામી
એકાએક ગૂમ થઈ ગયા. ઊહાપોહ થઈ ગયો ! તેઓ કુલ 36
મંદિરોના વડા હતા. 5 મે ના રોજ પોલીસે ગમૂ થયાની નોંધ
કરી તપાસ આદરી. લોકલ પોલીસ/ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ/

રાજ્યની CID ક્રાઈમ- ગદાધરાનંદ સ્વામીનું પગેરું મેળવી
શક્યા નહીં. ત્રણ મહિના જતા રહ્યા.
(4) ગદાધરાનંદ સ્વામીના શિષ્ય જતિન ભગતે તપાસ
CBIને સોંપવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે 5
ઓકટોબર 1998ના રોજ, તપાસ CBIને સોંપી. CBIએ
પ્રાથમિક તપાસ 29 ઓકટોબરના રોજ નવેસરથી FIR નોંધી
તપાસ શરુકરી.
(5) CBIને નક્કર માહિતી મળતી ન હતી.મંદિરની
આજુબાજુ તથા રાજ્યમાં કોઈ બિનવારસી ડેડબોડી મળેલ છે
કે કેમ તેની તપાસ કરતી હતી. દરમ્યાન CBIને માહિતી મળી
કે 300 કિલોમીટર દૂર રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના
બારોઠી ગામે 4 મે 1998ના રોજ એક અડધી સળગેલી
ણબનવારસી લાશ મળી હતી.
(6) પોસ્ટમોર્ટમ કરી લાશના અંતિમ સંસ્કાર કરી દીધા
હતા. લાશની નજીક ભગવા કપડાના ટુકડા હતા, એક જનોઈ
હતી, તેની સાથે ચાવીનો જૂડો હતો અને લાશ પાસેથી
સોનાના બે દાંત મળી આવ્યા હતા. રાજસ્થાન પોલીસે લાશ
પાસેથી મળેલ મદ્દુામાલ સાચવી રાખયો હતો. CBIને ગુમ
થયાની તારીખ અને લાશ મળયાની તારીખ પરથી ખબર પડી
કે આ લાશ ગદાધરાનંદ સ્વામીની છે. CBIએ લાશના તે
સમયના ફોટોગ્રાફ્સ અને મદ્દુામાલ કબજે કર્યાં. ચાવીના
જૂડાથી વડતાલ મંદિરમાં ગદાધરાનદં સ્વામીના રૂમનું તાળું
ખોલવામાં આવ્યું તો ખુલી ગયું ! એટલું જ નહીં, રૂમની

અંદરની તિજોરી તે જૂડામાં રહેલી ચાવી વડે ખુલી ગઈ.
અંદરનો ઓરડો પણ ખુલી ગયો. આમ બધા તાળાની ચાવીઓ
તે જૂડામાં હતી; તેથી નક્કી થયું કે લાશ ગદાધરાનદં સ્વામીની
જ હતી ! દાંતના નમૂના/ લાશના હાડકાનો તેમના પૂર્વાશ્રમના
બહેનના DNA સાથે ટેસ્ટ કરાવ્યો.સેમ્પલ મેચ થયા !
(7) હવે હત્યારા સુધી પહોંચવું CBI માટે સરળ હતું ! આ
હત્યાથી કોને લાભ થવાનો હતો. તે તરફ તપાસ આગળ
વધારી.મંદિરમાં બે જૂથ હતા; એક આચાર્ય પક્ષનું જૂથ; બીજું
દેવ પક્ષનું. આચાર્ય જૂથ એટલે સહજાનંદજીએ પોતાના
ભત્રીજાઓને મંદિરમાંનો વહીવટ સોંપેલ છે તે જૂથ. આચાર્ય
જૂથ માને છે કે ભગવાન સ્વામિનારાયણ /સહજાનંદજીનું
લોહી આચાર્યની નસોમાં વહે છે, તેથી મંદિરનો વહીવટ
આચાર્ય જૂથે કરવો જોઈએ. જ્યારે દેવ જૂથ માને છે કે મંદિર
કોઈની પૈત્રિક સંપત્તિ નથી, તે હરિભક્તો /સાધુઓની છે; તેથી
મંદિરનો વહીવટ દેવ જૂથે કરવો જોઈએ.
(8) ગદાધરાનંદ સ્વામી દેવ જૂથમાં હતા.તેમની હત્યાના
ત્રીસ દિવસ પહેલા ટ્રસ્ટમાં વડતાળમંદિરના કોઠારી
ભક્તિદાસ સ્વામીની બદલી કરવાનો નિર્ણય લીધો હતો.
તેઓ 84 વરસના હતા, અશક્ત હતા; તેથી મંદિરનો બધો
વહીવટ કરી શકે તેમ ન હતા. તેમના સહાયક તરીકે નારાયણ
સ્વામી હતા. આ નારાયણ સ્વામીના ચાર અંગત મદદનીશ
હતા : ચરણદાસ સ્વામી/ માધવપ્રસાદ સ્વામી/ ઘનશ્યામ
સ્વામી/વિજય ભગત !

(9) ગદાધરાનદં સ્વામીના નિર્ણયથી આચાર્યજૂથના
સ્વામીઓમાં ઉહાપોહ થયો. તેમને ડર હતો કે મંદિરના
ધર્માદાના રૂપિયામાં કરોડોની ઘાલમેલ કરી છે, તેનો ભાંડો ફૂટી
જશે ! પોતાની સામે ઉચાપતની કાર્યવાહી થશે ! તેથી નારાયણ
સ્વામીએ પોતાના અંગત મદદનીશ માધવપ્રસાદ સ્વામી
અનેચરણદાસ સ્વામી મારફતે ગદાધરાનંદ સ્વામીને લાંચની
ઓફર કરી કે તમે કોઠારી સ્વામીની બદલી ન કરો/ તમોને દર
મહિને 1 લાખ રુપિયા મળી જશે/ મોજશોખ પુરા કરીશ
.સુરક્ષિત જગ્યાએ સ્ત્રીસુખની વ્યવસ્થા કરીશું.
(10) પરંતુ ગદાધરાનંદ સ્વામી ટસના મસ ન થયા. છેવટે
નારાયણ સ્વામીએ, ગદાધરાનંદ સ્વામીનો કાંટો કાઢી
નાખવાની જવાબદારી ચરણદાસ સ્વામીને સોંપી. ચરણદાસ
સ્વામીએ 5 લાખમાં માધવપ્રસાદ સ્વામીને સોપારી આપી.
મંદિરમાં દર પૂનમે 15/20 લાખનો ધર્માદો આવતો
હતો;પ્રતિવર્ષે 25 કરોડથી વધુ દાન આવતું હતું. તેથી તેના
વહિવટની લાલચ મૂકી શકાય તેમ નહતી !
(11) CBIને નારાયણ સ્વામી પર શંકા ગઈ; કેમકે તે રાજા
મહારાજની જેમ ઠાઠથી રહતા હતા/ સ્ત્રીસખુ ના શોખીન
હતા/એર-કન્ડિશન્સ કાર/તેમના ત્રણ એર-કન્ડિશન્સ રૂમ્સ
/રીકયલનર સોફા/ જુગારનો શોખ/ રુમમાં પોર્ન ફિલ્મ
જોવાની સગવડતા હતી !

(12) CBIએ નારાયણ સ્વામી/ચરણદાસ સ્વામી/
માધવપ્રસાદ સ્વામી/ ઘનશ્યામ સ્વામી/ વિજય ભગતની
આકરી પુછપરછ કરી; એટલે હત્યાનો ભાંડો ફૂટી ગયો.
(13) આ પાંચ સ્વામીઓ; ગદાધરાનંદ સ્વામીને 3 મે
1998ના રોજ કારમાં આણંદ જિલ્લાના નાવલી ગામના
સ્વામમનારાયણ મંદિરે લઈ ગયા હતા; ત્યાં તેમને ઘેનની ગોળી
વાળું ઠંડું પીણું આપી બેહોશ કરેલ. પછી માધવપ્રસાદ સ્વામી/
વિજય ભગતે કપડાંથી ગળેટૂંપો દઈ દીધો ! લાશને ઠેકાણે
પાડવા તેને કારમાં નાખી; રાજસ્થાન તરફ કાર મારી મૂકી.
બારોઠી ગામ પાસે સુમસામ જગ્યા દેખાતા લાશને કારમાંથી
કાઢી, તેના પર પેટ્રોલ છાંટી સળગાવી. ભડકો થતાં કોઈ આવી
જશે તે ડરના કારણે ત્યાંથી ભાગીને વડતાલ મંદિરે પરત
આવી ગયા.
(14) પાંચેય સામે IPC કલમ-302 (હત્યા), 120- બી
(કાવતરું), 364 (અપહરણ), 201 (પુરાવાનો નાશ) હેઠળ
નડિયાદની સેશન્સ કોર્ટના જજ સીતાબહેન દવે સમક્ષ કેસ
ચાલ્યો અને11 જૂન 2004ના રોજ પાંચેયને ફાંસીની સજા
સંભળાવી .પાનું-241.
(15) સેશન્સ કોર્ટે કહ્યું હતું : "આરોપીઓ આ જઘન્ય ગુના
માટે સૌથી આકરી સજાને પાત્ર છે; કારણકે ધર્મના સ્વામીઓ
હોવાથી તેમની પાસેથી શ્રેષ્ઠ વર્તન ની અપેક્ષા હોય છે. જ્યારે
ધર્મના માણસો આવા કૃત્યોમાં સામેલ થાય છે ત્યારે તેમને
સખત સજા આપવાની જરૂર છે! ભગવા વસ્ત્રધારી સંતોએ

ભજન કીર્તનમાં જીવન વિતાવવું જોઈતું હતું, પરંતુ આ
સ્વામીઓએ અંગત ફાયદા માટે સાથી સતંની ઘાતકી હત્યા કરી
છે અને સંપ્રદાયના લાખો ભકતો ની શ્રદ્ધાને હચમચાવી દીધી
છે !"પાનું-.244
(16) ફાંસીની સજા પામનાર દોષીતોએ ગુજરાત હાઈકોર્ટ
સમક્ષ અપીલ કરી. હાઈકોર્ટે ઘનશ્યામ સ્વામીને પૂરતા પુરાવા
ન હોવાથી છોડી દીધા ! જ્યારે નારાયણ સ્વામી/ ચરણદાસ
સ્વામી/ માધવપ્રસાદ સ્વામી/ વિજય ભગતની ફાંસીની સજા
આજીવન કેદની સજામાં ફેરવી નાખી ! હાઈકોર્ટે કહ્યું કે
"નારાયણ સ્વામી અને તેમના સાગરીતોએ ફક્ત નાણાકીય
લાભ ખાટવાના ઈરાદેજ આવો જઘન્ય અપરાધ કયો છે.પાનું-
244.
(17) દોષીતોએ સુપ્રીમ કોર્ટેમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે ના
જસ્ટિસ કુરિયન જોસફે અને જસ્ટિસ એ.એમ.
ખાનવિલકરની બેન્ચે, 10એપ્રિલ 2017ના રોજ, દોષીતોની
આજીવન કેદની સજા યથાવત રાખી ! સુપ્રીમ કોર્ટ સમક્ષ એ
હકીકત ખૂલીકે કેદીઓ અઠંગ ગુનેગાર હતા.ગુનામાં વાપરેલ
કારને સળગાવી દઈને વીમા કંપની પાસે વીમો મેળવવા ખોટો
દાવો કયો હતો.
(18) સુપ્રીમકોર્ટે કહ્યું કે "જેનું કામ ભૂલે-ભટકેલાં લોકોને
સાચો માર્ગ દેખાડવાનું છે; તે સાધુઓ જ ભગવો લજવેતો આ
સમાજ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે! -પાનું-244.

—---------------------------------------------------------

--