Friday, December 1, 2023

છળ U કપટ-સંશોધન- સ્વામિનારાયણ એક પાખંડ -લે. રમેશ સવાણી


Bipin Shroff shroffbipin@gmail.com

AttachmentsSun, Nov 12, 10:56 PM
to rj

ભાઈ રમેશભાઈ , 

આ સાથે  ફેસબુક માટેનું ક્રમશ; લખાણ ત્રણ ભાગનું તૈયાર  કરેલ  છે. જે જી મેઇલ થી  મોકલ્યું છે. વાંચી ને કોઈ સુચન હોય તો ચોક્કસ  જણાવજો.તે પ્રમાણે  ફેરફાર કરવાનું મને ગમશે.આ ઉપરાંત નીચેના વિષયો પર તમારી પાસેની ચર્ચા પછી આગળ વધીશ.

બાકી રહેલા વિષયોની યાદી.

  1. બોચાસણ બંડ નો ઇતિહાસ, (2) BAPS નો ઇતિહાસ,(3) બીજા હિંદુ દેવ દેવતા કરતાં સર્વોપરી (4)  સ્વામિનારાયણ ધર્મ છે અને તે હિંદુ ધર્મનો ભાગ નથી.(5)  સરદાર પટેલના નામે પરચા અને બોરસદની કોર્ટ નો તેમનો રેફરન્સ (6)  હનુમાનજીની મૂર્તિનો વિવાદ (7)  ભાજપ રાજ્ય સત્તા  સાથે સ્વામિનારાયણ સંપ્રદાય ના તમામ ફીરકાઓના ઘનિષ્ટ સંબન્ધો (8) વડતાલના સાધુઓને ફાંસી ની સજા .  

  2. છળ U કપટ-સંશોધન- સ્વામિનારાયણ એક પાખંડ -

    —----------------લે. રમેશ સવાણી —-----------------------
    સદર પુસ્તક ઈ-બુક છે. તેના કુલ પાનાં 452 છે. નિઃશુલ્ક છે.
    અમારા સાથી રમેશભાઈ સવાણીએ ઘણા વર્ષોના અભ્યાસ અને સંશોધન બાદ એક ઈ-બુક તૈયાર
    કરી છે. નિવૃત આઈ પી એસ અધિકારી છે.તેથી સત્યશોધક તેઓનો કુદરતી સ્વભાવ બની ગયો
    છે.બીજુ પોતાની રજુઆત ક્યારેય મનઘડંત લેશ માત્ર ન હોય.બધી જ હકીકતો દસ્તવેજી
    પુરાવાની સાબિતી સાથે જ હોય !
    એક યુપીના અયોધ્યા પાસેના એક નાના સરખા ગામ છાપીયાના બ્રાહ્મણનો દીકરો નામે
    ઘનશયામ પાંડે ગુજરાતમાં આવીને કેવીરીતે સહજાનંદ સ્વામી ના નામની દીક્ષા લઈને ફક્ત 49
    વર્ષની જિંદગીમાં એક "સહજાનંદ સંપ્રદાય "નો સ્થાપક બની જાય છે ; તેટલુંજ નહીં પણ પોતાની
    પાછળ પોતાના બે ભાઈઓના દીકરાઓને કાયદેસરના વારસાદાર બનાવીને એકને વડતાલની
    ગાદી અને બીજાને મણિનગર-અમદાવાદની ગાડીના આચાર્ય બનાવીને ગુજરાતના લોકોની
    ધાર્મિક શ્રધ્ધાનો ઉપયોગ કરીને કેવીરીતે આર્થિક સામ્રાજ્ય ઉભું કર્યું છે તેનો આ રમેશભાઈ
    સવાણીનો શોધ નિબંધ છે.
    452 પાનાંના શોધ નિબંધમાંથી મેં કેટલીક પાયાની માહિતીઓ અને વિષયો અત્રે ટૂંકમાં રજૂ
    કરવાનો પ્રયત્ન કરેલ છે.
    આ વિષયમાં ફેસબુક મિત્રોના તારણો અને નિરીક્ષણો જાણવાની ઈંતેજારી છે.
    —---------------------------------------------------------------------------------------
    સ્વામીનારાયણ સંપ્રદાયનું વાસ્તવિક મુલ્યાંકન-
    (1) રાજાશાહી અને ધર્મશાહીના કાવાદાવામાં કયો તફાવત હોઈ શકે? '
    રાજાશાહીમાં સત્તાના કાવાદાવા ,ઝઘડા અને ખૂનખરાબા હોય એ સદીઓથી માનવજાતે
    સ્વીકારી લીધું છે. ધર્મશાહી પણ આ બધા લક્ષણોથી ખદબદતી હોય તો કાળામાથાના માનવી
    માટે " તું તારા જ દિલનો દીવો બનીને સ્વનિર્ભર બન " સિવાય બીજો માર્ગ કયો બાકી રહે?

    રાજાશાહીમાં સત્તા પલટાને " મહેલોની ક્રાંતિ " તરીકે ઓળખવામાં આવે છે. આપણા પૌરાણિક
    ગ્રંથો જેવાકે " રામાયણ અને મહાભારત " મહેલોની ક્રાંતિ " ની વાતો શરૂઆતથી અંત સુધી
    ભરપેટ જોવા મળશે.
    ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની "ધર્મશાહી" ની ખટપટો રાજ્યસત્તાની "મહેલોની
    ખટપટો" થી લેશમાત્ર કમ નથી.
    સદર સંપ્રદાય સ્થાપક સ્વામી સહજાનંદ ( જન્મ 1781-મૃત્યુ 1830)નું મૂળ નામ ઘનશ્યામ પાંડે
    હતું.તેમનો જન્મ યુપીમાં અયોધ્યા પાસે આવેલા છાપીયા ગામમાં' થયેલો હતો.તેમને દીક્ષા
    આપનાર રામાનંદ સ્વામી હતા. તેમના પંથનું નામ "સ્વામિનારાયણ" તરીકે જાહેર કરવામાં આવ્યું
    હતું. સ્વામી એટલે માલિક, ગુરુ અને નારાયણ એટલે બધા ઇશ્વરોમાં પણ સર્વ વિષ્ણુ. ટૂંકમાં
    સ્વામિનારાયણ એટલે બધા ગુરુઓનો ગુરુ કે માલિકોનો માલિકઅને બધા ઈશ્વરમાં પણ
    શક્તિશાળી ઈશ્વર.
    (A) ઘનશ્યામમાંથી સહજાનંદ સ્વામી બનેલાને બરાબર સમજ પડી ગઈ હતી કે "વૈષ્ણવ
    સંપ્રદાયનું ભક્તિ-પુષ્ટિ માર્ગનું મોડેલ" જ પોતાની સફળતાની સીડી માટેનું સોપાન બની શકે
    તેમ છે. "કૃષ્ણ ભક્તિ" માંથી "સહજાનંદ ભક્તિ" તરફ આ હિદું પ્રજાને કેવી રીતે લઈ જવી તે
    તેઓનો મુખ્ય જીવનમંત્ર બની ગયો.
    (B) કાઠિયાવાડ અને મધ્યગુજરાતના પ્રવાસ દરમ્યાન તેઓએ તારણ કાઢી લીધું કે "વૈષ્ણવ
    સંપ્રદાય અને શૈવ પંથ "એ હિંદુ ધર્મની ઉચ્ચજ્ઞાતિઓ જેવીકે વાણીયા -બ્રાહ્મણ,વિ.લોકોના
    સંપ્રદાયો છે. માટે "આપણું બજાર તે સિવાયની હિંદુ જ્ઞાતિઓ , ઈતર કોમો ને કંઠી પહેરાવવામાં
    જ છે." મૂર્તિ-ભક્તિ-લાડુડી-(પ્રસાદ) આ ત્રણેયનું રાસાયણીયક સંયોજન "સહજાનંદ મહારાજ
    એન્ટરપ્રાઇઝ " બની ગયું".
    (C) કૃષ્ણની માફક લીલા કરી ભગવાન બનવું હોય તો પહેલા પોતાની જાતને ભગવાન બનાવવા
    પડે અને ત્યાર પછી બાલકૃષ્ણ ની માફક લીલા કરીને પોતાના ચમત્કારોના પરચા લખવાય !
    (D) સને1804થી સહજાનંદ સ્વામીમાંથી સ્વયંમ ભગવાન બની ગયા.ને 1820 સુધી માં એક
    લાખ લોકોના ગળામાં પોતાની કંઠી અને કપાળમાં ટીલું લગાવી દીધુ. 3000 લોકોને દીક્ષા
    આપી. સોના ચાંદીની ભેટ સોગાદ લેવા માટેની લાયકાત હસ્તસિદ્ધ કરી લીધી.
    (E) પોતાના સ્વામીનારાયણ સામ્રાજ્યને અંકે કરી તેની સરહદો નક્કી કરી લેવા સને 1822થી
    1828 સુધીમાં પોતાના જીવનકાળ દરમ્યાન જ અમદાવાદ,વડતાલ ,ગઢડા,ભુજ,ધોલેરા અને
    જૂનાગઢમાં મંદિરો બાંધી દીધા.

    (F) સને 1826માં બે સગા ભાઈઓના બે દીકરાઓને એકને દેશનો દક્ષિણ ભાગ વડતાલની
    ગાદી અજયપ્રસાદ "લક્ષમીનારાયણ દેવ ગાદી અને બીજાને દેશના ઉત્તર ભાગના નરનારાયણ ની
    ગાદી અમદાવાદની ગાદીના કોષેલન્દ્રપ્રસાદ આચાર્યો બનાવી દીધા. સહજાનંદ સ્વામીની
    માલિકીની પેઢી બે ભત્રીજાઓને ભાગીદાર બનાવી સ્વતંત્ર કરી દીધા. તમામ હક્કો જેવાકે દેશના
    જુદા જુદા ભાગોમાં મંદિરોની સ્થાપના કરવી,મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવી,સાધુઓને દીક્ષા
    આપવી,ભક્તો બનાવવા, અને પેટા મંદિરોનો વહીવટ( ફ્રેન્ચાઈઝ)કરવો- કરાવવો વિ. તેના પેટન્ટ
    અને કોપીરાઈટના તમામ અધિકારો પોતાના ભાઈઓના દીકરાઓ સુધી વારસાગત કાયદેસર
    બનાવી દીધા.
    (G) સહજાનંદ સ્વામી 1-જુન 1830માં ગુજરી ગયા.2001માં તે સંપ્રદાયમાં આશરે 50 લાખ
    સભ્યો હતા. તેઓએ સહજાનંદ સંપ્રદાયનું બંધારણ બનાવી દીધું. જે "શિક્ષાપત્રી અને વચનામૃત"
    તરીકે જાણીતું છે. આપણા દેશના બંધારણમાં સને 1950 પછી 100 કરતાં વધારે સુધારા થયા
    છે. પણ સદર શિક્ષાપત્રી અને વચના- મૃત માં કોઈપણ સુધારા વર્જય છે." બાયબલ, કુરાન અને
    ગીતા " જેટલું જ ઈશ્વરી છે તેમાં' લખેલા શબ્દોમાં ફેરફારો અસંભવ છે.
    ખાસ નોંધ - હવે પછીના લેખમાં પેલા બે પુસ્તકો "શિક્ષાપત્રી અને વચનામૃત" ના બોધપાઠને
    આધારે સદર સંપ્રાદયની કાર્યકારણીનું મુલ્યાંકન કરેલ છે.
    —----------------------------------------------------------------------------------------

    લેખ-2 "શિક્ષાપત્રી અને વચનામૃત"નું મૂલ્યાંકન -
    (1) વડતાલ અને અમદાવાદ ગાદીઓના આચાર્યો સિવાય કોઈપણ દીક્ષા આપી શકે
    નહીં. દીક્ષા લેનાર સાધુના નામને અંતે "દાસ" શબ્દ મૂકવો ફરજીયાત છે.દા ત- મુક્તજીવન
    દાસ.વી.બંને ની ગાદીઓના ન્યાયીક - અધિકાર ક્ષેત્રો (Jurisdiction)સ્વતંત્ર.શ્લોક -
    41.
    (2) આચાર્યે જેને દીક્ષા આપી હોય તેને જ અમારા સંપ્રદાયમાં સાધુ કહી શકાય. તે
    સિવાયના સાધુને અમારા સંપ્રદાયના સાધુ ન કહેવાય.શ્લોક -50.
    (3) મહિલાઓને દીક્ષા આચાર્યની પત્ની જ આપી શકે. અમારા સંપ્રદાય પ્રમાણે
    આચાર્ય પાસે દીક્ષા લીધી હોય તેને જ ભક્તિ કરવાનો અધીકાર છે." આચાર્ય પાસેથી મંત્ર
    દીક્ષા લીધા સિવાય કોઈ આ સંપ્રદાયનો સત્સંગી હોવાનો દાવો કરી શકે નહીં.

    (4) સ્વામિનારાયણ એટલે જગતના નિયંતા અને નારાયણ એટલે સર્વ જગતની
    અંદર અને બહાર વ્યાપી છે તેવો અર્થ થાય છે.અમારા સંપ્રદાયમાં ભગવાનનું ધામ ગોલોક
    છે. (શિક્ષાપત્રી શ્લોક-121) પાનું -38-39
    (5) શ્રીજી મહારાજે ઘણાને દીક્ષા આપેલી બ્રાહ્મણની દીક્ષાને બ્રહ્મચારી કહેવાય,ક્ષત્રિય
    અને વેશ્ય દીક્ષાને સાધુ કહેવાય પણ શુદ્રની દીક્ષાને સેવક અથવા પાળા કહેવાય. શુદ્ર
    દીક્ષા લીધા પછી પણ અશુદ્ર ના બધા અધિકાર મેળવી શકે નહીં. શ્રીજી મહારાજે કહ્યું છે
    કે આચાર્યમાં ન્યનૂતા હોય તો પણ તેમની પાસેથી દીક્ષા લેવી." સવાણી સાહેબનો પ્રશ્ન
    - આચાર્ય વારસાગત હોય, એવી વ્યવસ્થા કરનારને સવોચ્ચ ભગવાન કહી શકાય? જો
    સહજાનંદજીના ઈષ્ટદેવ કૃષ્ણ હોય (શિક્ષાપત્રી શ્લોક-1) તો કૃષ્ણ નું નામ સાભંળવાનું
    સત્સંગીઓને ગમતું કેમ નથી? પાનું -41.-42.
    (6) વાસ્તવમાં આ સંપ્રદાયને, ગરીબ/વંચિત / કચડાયેલા લોકોના દુ:ખ-દર્દ /
    મુશ્કેલીઓ / હાડમારીઓ સાથેકોઈ સંબંધ ન હતો. એમને તો પોતપોતાના પંથને તગડો
    કરવો હતો! પાનું -58.
    (7) ગાંધીજીએ માર્ચ 1928માં અમદાવાદના ઘીકાંટા મગનભાઈની વાડીમાં સફાઈ
    કર્મચારીઓની સભા બોલાવી અશ્પ્રુશ્યતા સામે ઝુંબેશ શરુ કરી. ગાંધીજીએ 20-26
    સપટેમ્બર 1932/ 3 ડીસેમ્બર 1932/ 8-29 મે1933/ 16-23 ઓગસ્ટ 1933
    દરમ્યાન અસ્પૃશ્યતાના દૂષણ સામે ઉપવાસ કર્યા. - માણગાંવમાં, રાજા છત્રપતિ શાહુ
    મહારાજના નેતૃત્વ માં અસ્પૃશ્યોનીપરિષદ યોજી. 31 માર્ચ 1920 ના રોજ
    અસ્પૃશ્યોના દુ:ખ અને વેદનાને વાચા આપવા 'મકૂનાયક' સાપ્તાહિક શરુ કર્યું . 20મી
    જુલાઈ 1924ના રોજ અસ્પશ્યોના ઉત્કર્ષ માટે 'બહિષ્કૃત હિતકારી સભા'ની તેમણે
    સ્થાપના કરી. આંબેડકરજીએ 20મી માર્ચના 1927થી 17 ડીસેમ્બર 1937 સુધી ચવદાર
    તળાવમાંથી પાણી પીવા માટે સત્યાગ્રહ કર્યો. 2જી માર્ચ 1930ના રોજ કાલારામ મંદિર
    પ્રવેશ સત્યાગ્રહ કયો, જે 5 વર્ષ, 11માસ અને સાત દિવસ ચાલ્યો હતો !
    (8) સ્વામીનારાયણ સંપ્રદાયને, આઝાદીની લડત કે માનવીના ગૌરવની લડતમાં સહજે
    પણ રુચિ ન હતી, એટલું જ નહીં ખુદ શ્રીજીમહારાજને માત્ર ગાયો તથા બ્રાહ્મણોની જ
    ચિંતા હતી ! સ્વામિનારાયણ મંદિરે સમાજમાં અસ્પૃશ્યતા ટકી રહે તે માટે ભૂમિકા ભજવી
    હતી ! ખુદ સહજાનંદજીએ અતિ શુદ્રોને તિલક કરવાની મનાઈ ફરમાવી છે !
    સહજાનંદજીએ સંપ્રદાયના ઓઠા હેઠળ વર્ણવ્યવસ્થાની કટ્ટર હિમાયત કરી હતી !

    (9) મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે BAPS; તેમના ગ્રંથોમાં કોઈ ઊંડું તત્વજ્ઞાન
    નથી;માણસાઈનું મહત્વ નથી; વર્ણવ્યવસ્થાનું મહત્વ છે.મહિલા વિરોધી વિચારો છે.
    વિધવા લગ્નના બદલે કૃષ્ણ ભક્તિ કરી જિંદગી
    વિતાવવાનો ઉપદેશ આપે છે.વિચારોમાં એટલો બધો વિરોધાભાસ છે કે તમે ગુંચવાઈ
    જાઓ ! સાચું શું અને ખોટું શું ? તેનો નિર્ણય કરી શકાય તેવી સ્પષ્ટતા તેમના ગ્રંથોમાં નથી.
    શિક્ષાપત્રીથી પણ ચઢિયાતી વિરોધાભાસી વાતો તેમના બાકીના ગ્રંથો માં છે.પાનું 88.
    (10) કોઈ પણ ધર્મના પરચા/ ચમત્કારને ઈતિહાસ ન કહવાય; એ માત્ર લોકોને
    આકર્ષવા માટેની યુક્તિ જ કહી શકાય. અલૌકિકતાની વાતો કરી સત્તા પ્રાત કરવાની આ
    મોડસ ઓપરેન્ડી છે. સ્વામિનારાયણ સંપ્રદાય જેને ઇતિહાસ કહે છે તે પરચા છે, જૂઠાણાં
    છે.પાનું-103.


--