Friday, December 1, 2023

BAPS મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બળવો કરીને સને 1907માં છૂટુ પડેલું ધાર્મિક એકમ છે.

લેખ-8


(1) BAPS મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બળવો કરીને સને
1907માં છૂટુ પડેલું ધાર્મિક એકમ છે. તેના સ્થાપક "શ્રીજી મહારાજ "નું
મૂળનામ યજ્ઞ પુરુષદાસ હતું.સહજાનંદ સ્વામીએ સ્થાપેલી વડતાલની ગાદી
સામે બળવો કરીને,ઇસણાવના મંદિરનો વહીવટ -પ્રત્યક્ષ કબ્જો લેવા
કોર્ટદ્રારા નિષ્ફ્ળ જવાથી BAPS ની સ્થાપના કરી હતી .
(2) સહજાનંદ સ્વામીની પૂજા-અર્ચના અને ભગવાન તરીકે અબાધિત રીતે
હકુમત સ્વીકારવાનું કેન્દ્ર સ્થાને રાખીને (A state within a
state)BAPSવાળાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક રજવાડું ઉભું
કરી દીધું.એકસો વર્ષના સમયગાળામાં મૂળ સંસ્થાને હડસેલી દઈને BAPS
જ એટલે "સ્વામિનારાયણ સંપ્રદાય" તરીકે પેટન્ટ બધા હક્કો -અધિકારો બે
લગામ ભોગવતું દેશ-પરદેશમાં થઈ ગયું.
(3) BAPSનું રજવાડું મૂળ રાજ્ય કરતાં ભક્તો માટે જુદું છે. "તરત દાન
અને મહા પુન્ય" અપાવનારું છે તે માટે દેખાડો કરવા નાની મોટા વિધિ-
વિધાનો જુદા કરી દીધા.જો સહજાનંદજી 'સવોચ્ચ ભગવાન' હોય અને
BAPS સ્વામી 'પ્રગટ બ્રહ્મસ્વરુપ' હોય તો પોતાના નિજી હિતોના
મતભેદો ઉકેલવા બોરસદની સામાન્ય કોર્ટનો આશરો શા માટે લેવો પડે
?પાનું -33.
(4) યજ્ઞપરુષોત્તમદાસને અમારા સંપ્રદાયના સાધુ તરીકે માની શકાય નહી
કારણકે તેમને વડતાલ કે અમદાવાદની ગાદીએ દીક્ષા આપેલી જ

નથી.પાનું-33. તો પછી BAPSના પ્રમુખ સ્વામી સુધી ફેલાયેલા ઝાડ-
પાન - વેલા-ડાળીઓનું શું ?
(5) બોચાસણમાં અક્ષરપુરષોત્તમનું મંદિર બાધ્યું છે, અક્ષર એટલે
ગુણાતીતનંદ સ્વામી અનેપુરષોત્તમ એટલે શ્રીજી મહારાજ,(સહજાનંદ
સ્વામિ) એમ બોચાસણવાસી કહે છે. અમારા વડતાલ સંપ્રદાયમાં 'શ્રીકૃષ્ણ
દેવં શરણમ એવો મંત્ર આપવામાં આવેછે, જ્યારે બોચાસણવાળા
'શ્રીસ્વામી નાથ શરણમ' એવો મંત્ર આપે છે. સ્વામિનારાયણ ભગવાન
"ગો-લોક" માં રહે,બોચાસણ વાળના ભગવાન "અક્ષરધામ" માં રહે અને
પેલા વૈષ્ણવ પુષ્ટિ માર્ગીઓના ભગવાન વૈકુંઠ માં' બિરાજે છે. ! (દુનિયા
ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહીએ.) પાનું-38-39.
(6) ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એક ધાર્મિક વિચારપઘ્ધતિ નથી
. જુદા જુદા ફાંટાઓ પોતાને અનકુૂળ હોય તે રીતે ચાલેછે.તિલક-ચાંદલા
સિવાય કંઈ સરખાપણું નથી. સહજાનંદ રચિત શિક્ષાપત્રીમાં શ્લોક- 25/
62/ 108/ 109/ 111-115 માંકૃષ્ણની ભક્તિ કરવા કહે છે. જ્યારે પ્રા-
વાદી -BAPS શ્રીકૃષ્ણને પોતાના ઈષ્ટદેવ તરીકે ગણતા નથી. પાનું-44-
57
(7) બોચાસણ મંદિર સ્વામિનારાયણ સંપ્રાદયનું મંદિર નથી. ઈષ્ટદેવ શ્રી
કૃષ્ણને મુખ્ય સ્થાનમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.અને તેમને
અક્ષરપુરષોત્તમ પછીનું સ્થાન આપવામાં આવ્યું છે.પાનું-63.
(8) BAPS સંસ્થાના સ્થાપક યજ્ઞ પુરુષોત્તમદાસ ઉપર 6નવેમ્બર
1940ના રોજ બોરસદ કોર્ટના જજ સાહેબની ચુકાદામાં નોંધ -જુદા
મંદિરો બંધાયા છે,સિદ્ધાંતો બદલ્યા છે,પોતેજ આચાર્ય બની બેઠા
છે,પોતાના નામે દાન,ધર્માદો ભેગો કરે છે,સહજાનંદ સ્વામીની નકલ કરે છે,

સાધુઓને દીક્ષા આપે છે. માલમિલ્કત ધરાવે છે. BAPS પોતે જ
સ્વામિનારાયણ પંથ બની જાય તે દિશામાં આગળ વધી રહ્યો છે.પાનું -
65.
(9)BAPSના સ્થાપક વિરુદ્ધ વડતાલ સંચાલિત તમામ મંદિરો માં
પ્રવેશબંધીના ઠરાવો,અને કોર્ટમાં સુલેહભંગની અરજીઓ. વિધિની વક્રતા
તો જૂઓ, કોટે જેમને વિમખુ / તડીપાર જાહરે કરેલ તે યજ્ઞપુરુષોત્તમદાસ
પ્રગટ બ્રહ્મસ્વરુપ બની ગયા. પાનું-67-70.
(10) સંપ્રદાયો કઈ રીતે શ્રદ્ધાળુ લોકોને છેતરે છે તેમનું ઉત્તમ ઉદાહરણ
સ્વામિનારાયણ સંપ્રદાયના ફાંટાઓ છે. એક કહે છે કે સહજાનંદજી
શ્રીકૃષ્ણનો અવતાર હતા; બીજો કહેછે કે સહજાનંદજી તો કૃષ્ણથી જુદા
અને ઊંચા હતા ! આમાં શ્રદ્ધાળુઓએ શું સમજવું ? BAPS-
યજ્ઞપુરુષોત્તમદાસ હરીફ મંદિરો ઊભા કર્યા તેથી સસંત્સગીઓમાં વિભાજન
થાય તેથી ફાયદો શું થયો? (BAPS વિશ્વના પાંચખંડોમાં હજારો મંદિરોનો
સત્તાધીશ બની ગયો.)પાનું-73-75.
(11) જે રીતે રાજકીય પક્ષોમાં સત્તા માટે સંઘર્ષ હોય છે/ કાવાદાવા હોય
છે; એવી રીતે ધર્મ સંસ્થાઓમાં પણ કાવાદાવા થતા હોય છે! એટલા માટે
દુનિયાનો કોઈ ધર્મ કે સંપ્રદાય એવો નથી જેમાં તડા ન હોય, ફાંટા ન
હોય.આ સંપ્રદાયમાં પણ અનેક ફાંટાઓ પડી ગયા છે. ભગવાનને
માનનારને ક્યારેય પ્રશ્ન થતો નથી કે સંપ્રદાયના ફાંટાઓ સવોપરી ભગવાન
કેમ અટકાવી શકતા નથી? પાનું-78.
(12) BAPSમાં મૂળ સંપ્રદાયથી આગળ નીકળવાની તીવ્ર ધગશ
હતી.તેથી શાહીબાગ અમદાવાદ ખાતે હેડક્વાટર્સ સ્થાપ્યું.ત્યાંથી સમગ્ર
ગુજરાત / ભારત/ વિશ્વના પોતાના મંદિરોનો વહીવટ થતો રહ્યો.અને તેમાં

એકસૂત્રતા હતી. જૂના સંપ્રદાયની જેમ તેમાં વાડા ન હતા.BAPSમાં એક
જ સ્વામી હોય છે. અગાઉ પ્રમખુ સ્વામી હતા, હાલ મહંતસ્વામી
છે.પાનું-81.
(13) BAPSએ, એક સુત્રતાનો મોટો ફાયદો રાજકીય રીતે ઉઠાવ્યો.આ
પંથ હંમેશા રાજકીય સત્તા સાથે રહ્યો. ગાંધીનગર અને દિલ્હીમાં ભવ્ય
અક્ષરધામનું નિર્માણ કર્યું .જ્યાં મુખ્ય મંત્રી / વડાપ્રધાન/ રાષ્ટ્રપતિ /વિદેશના
વડાપ્રધાન- પ્રમુખને નિમંત્રણ આપી સંબંધો ઊભા કર્યા અને એ સબંધોનો
ઉપયોગ પોતાના
વિકાસ માટે કર્યો. BAPS કોઈ ધર્મ સંસ્થા નહીં પરંતુ રીલાયન્સ
ઈન્ડસ્ટ્રીઝ હોય તે રીતે તેનું વહિવટી માળખું છે, તેના કારણે ત્વરિત નિર્ણયો
થતા અને તેનો અમલ થતો હતો. BAPSએ, અમેરિકાના ન્યૂજર્સીમાં
વિશાળ અક્ષરધામ ઊભી કરી લોકોના ગળે એ વાત ઊતારી દીધી કે
સ્વામિનારાયણ સંપ્રદાય એટલે BAPS-અક્ષર પુરષોત્તમ સંસ્થા.પાનું-81.
(14) મીરાં નંદા નામની લેખિકાએ અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે.પુસ્તકનું
નામ છે " THE GOD MARKET" તેના પાન નંબર 143 પર પ્રમુખ
સ્વામીએ દિલ્હીમાં "અક્ષરધામ "માટેની જમીન ફાળવવા દિલ્હી નગર
નિયમ સંસ્થાના વડા જગમોહન પાસેથી કેવી રીતે કામ લેવાય તેની સૂચના
પોતાના માણસોને નીચે મુજબ આપી હતી. " દિલ્હી તો ફક્ત રાજધાની
નથી.પણતેના પર સ્વામિનારાયણ સંપ્રદાયનો ધ્વજ તો મુગટની માફક ઉંચા
આકાશમાં ફરકવો જ જોઈએ.મા! જમનાજી(યમુનાજી)! બેચેન અને
નિદ્રાહીન બની ગયા છે.યમુનાજીના કિનારે જમીન
ચોક્ક્સ સંપાદિત થશે.મારા ભગવાન દૈવી રસ્તો કાઢશે .સને1999-
2001ની બીજેપીની કેન્દ્ર સરકારમાં જગમોહન શહેરી વિકાસ મંત્રી

બન્યા.યોગી મહારાજે પોતાના અનુયાયીઓને સલાહ આપીકે જગમોહન
સાહેબને 'ગારલેન્ડ ફૂલોના હાર ચઢાવતા રહો તે તમને જમીન ગ્રાન્ટેડ કરી
દેશે. " (Delhi is the throne. the flag [of swaminarayan]
should fly high in Delhi. Now Yamuna is waiting. she
has become restless. With certain surety, land on the
banks of Yamuna ji will be acquired. the Lord will fulfill
this in his divine way.the 'Lord's divine way' led
through Jagmohan who served as the Union Cabinet
Minister for Urban development from 1999 to 2001
under the NDA-government led by the BJP. Yogiji
Maharaj advised his followers to cultivate Jagmohan:
'Garland the saheb, the land will be granted.'
the land was, indeed, granted.) કુલ 100 એકર જમીનમાં
આજે અક્ષરધામ મંદિર ઉભું છે.(સદર માહિતી રજૂ કરનાર બિપિન શ્રોફ )

લેખ-9
સ્વમિનારાયણ પોતે જ ધર્મ છે તે હિન્દુ ધર્મનો એક ભાગ નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયની નરવી વાસ્તવિકતા એ છે કે તેનો ઉદ્ભવ જ
વૈષ્ણવ પુષ્ટી માર્ગ ની તમામ રૂઢિરીવાજો, કર્મકાંડો, મૂર્તિપૂજા અને હિંદુ
વર્ણવ્યવસ્થાના માળખામાં જ થયો છે.આ પડછાયામાંથી તે પોતાના સ્વાર્થ
માટે ઈચ્છે તો પણ બહાર કેવી રીતે નીકળી શકે? એક બાજુ નાટક કરે કે તે
હીંદુ સમાજની દલિતવિ કોમને સમાન ગણે છે. ભેદભાવ રાખતી નથી.
બ્રાહ્મણને દીક્ષાઆપીને બ્રહ્મચારીનું લેબલ આપી શકે,વેશ્ય અને ક્ષત્રિયને
સાધુનું લેબલ આપી શકે,પરંતુતે સિવાયની તમામ જાતિઓને - વર્ણને દીક્ષા

આપીને પાળા લેબલ આપીને અછૂત જ ગણે. તે બધાને મંદિર પ્રવેશ નહીં
જ.
(1) સ્વામિનારાયણની દીક્ષા લીધા પછી પણ પાળાને સફેદ વસ્ત્રો
પહેરવાનાં.શદ્રૂને ભગવા વસ્ત્રનો અધિકાર નહીં ! આવું શામાટે?
પાનું-42.
(2) વાસ્તવમાં આ સંપ્રદાયને ગરીબ/વંચિત / કચડાયેલા લોકોના
દુ:ખ-દર્દ / મુશ્કેલીઓ / હાડમારીઓ સાથે કોઈ સંબંધ ન હતો. એમ
ને તો પોતપોતાના પંથને તગડો કરવો હતો ! પાનું-58.
(3) ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયને આઝાદીની લડત કે
માનવીના ગૌરવની લડતમાં સહજે રુચિ ન હતી, એટલું જ નહીં
ખદુ શ્રીજીમહારાજને માત્ર ગાયો તથા બ્રાહ્મણોની જ ચિંતા હતી !
સ્વામિનારાયણ મંદિરે સમાજમાં અસ્પશ્પૃયતા ટકી રહે તે માટે
ભૂમિકા ભજવી હતી !ખુદ સહજાનંદજીએ અતિશુદ્રોને તિલક
કરવાની મનાઈ ફરમાવી છે! સહજાનંદજીએ પોતાના સંપ્રદાયના
ઓઠા
હેઠળ વર્ણવ્યવસ્થાની કટ્ટર હીમાયત કરી હતી !પાનું-60.
(4) આ એ સંપ્રદાય છે જેણે સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ કરીને
કહેલું કે " અમે હિંદુ ધર્મનો ભાગ નથી." આવું સ્વામિનારાયણ
સંપ્રદાયે શામાટે કહ્યું હતું તે જોઈએ.
(5) જાન્યુઆરી1948 માં દલિતોએ કાલુપુર સ્વામિનારાયણ
મંદિરમાં "મંદિર પ્રવેશ" માટે સત્યાગ્રહ શરુ કર્યો. સાધુઓએ અંદરથી
મંદિરને તાળાં મારી દીધાં. દાવાદૂવી થઈ. દેશના ન્યાયતંત્ર સમક્ષ
પાયાના મુદ્દા બે હતા.એક, શું સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દૂ ધર્મથી

અલગ છે? બીજો મદ્દુો હતો- દલીતોને સ્વામિનારાયણ મંદિરમાં
પ્રવેશતા અટકાવે તો Bombay Hindu Places of Public
Worship (Entry Authorisation) Act 1956 હેઠળ પગલાં
લઈ શકાય? સુપ્રીમ કોર્ટે પાંચ જજની બેંચે 14 જાન્યુઆરી
1966ના રોજ શાસ્ત્રી યજ્ઞપરુુર્જીની અપીલ ખર્ચ સાથે ડિસમિસ
કરી નાંખી .દલિતોના મંદિર પ્રવેશને કાયદેસરનો બનાવી દીધો.પાનું-
120.
_____________________________________

સમગ્ર ચર્ચા સમાપ્ત.આભાર

--