Friday, December 1, 2023

સ્વામિનારાયણ સંપ્રદાય“ Part-3-4

લેખ-3.
બોચાસણ બંડ નો ઇતિહાસ-
(1) આ પુસ્તકના લેખક/પત્રકાર આશુપટેલે1993માં જ્યારે હું નડીયાદ ખાતે
સબ ડિવિઝનલ પોલીસ અધિક્ષક હતો ત્યારે મને આપ્યું હતું . સાથે લાલ કપડાના
બાઈડિંગ વાળું બીજું એક પુસ્તક આપ્યું હતું. જેમાં વિમુખ સંપ્રદાય BAPS -
બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની ભયંકર આલોચના કરવામાં આવી
હતી. આ પુસ્તક એટલા માટે મહત્વનું છે કે તેમાં મુળ સંપ્રદાયની તથા વિમુખ
સંપ્રદાયની એટલેકે BAPS અને બીજા ફાંટાઓની પોલ ખુલે છે. આ સંપ્રદાયે
ભોળા લોકોને કઈ રીતે ભરમાવ્યા છે? કેવી કેવી યુક્તિઓ થકી સંપ્રદાયનો ફેલાવો
કરેલ છે? કઈ રીતે પોતાના ઈષ્ટદેવ કૃષ્ણને સાઈડમાં ધકેલીને સહજાનંદજી 'સવોપરી
ભગવાન' બની ગયેલ છે? કઈ રીતે પ્રગટ બ્રહ્મસ્વરુપનું તૂત શરુકરેલ છે? કઈ રીતે
પોતાની મૂળ વિચારસરણીમાંથી ભટકી ગયેલ છે? આ બધાં પ્રશ્નોનો જવાબ આ
પુસ્તકમાંથી જ મળી રહે છે. આ પુસ્તકની સમીક્ષા કરવાથી કેટલાયં ભ્રમો દૂર
થઈ જાય તેમ છે! પાનું- 11.

(2) સહજાનંદ સ્વામીએ "સ્વામિનારાયણ સંપ્રદાય" નું માળખું અને વહીવટી
તંત્ર એવું ગોઠવ્યું હતું કે " જ્યાં સુધી સુરજ અને ચંદ્ર રહે ત્યાં સુધી સ્વામિનારાયણ
સંપ્રદાયનું રાજ્ય રહે".( યા વ;ત કરો દીવચંદ્ર) સહજાનંદ સ્વામિનું' મૃત્યુ સને
1830માં થયું. અને વડતાલ ની ગાદી સામે પોતાના જ આંતરિક વહીવટદારો
જેઓએ બોરસદ તાલુકાના ઈસણાવ ગામે સ્વતંત્ર વહીવટ સાથેનું મંદિર બનાવ્યું.
વડતાલની ગાદી સામે બંડ કરી તેની સાથેનો સંબંધ તોડી નાંખ્યો. 8મી ડિસેમ્બરે
1936 વડતાલની ગાદી ના આચાર્યએ બોરસદની કોર્ટમાં સિવિલ દાવો કરીને
ઇસણાવના મંદિરનો કબ્જો લેવા ન્યાયતંત્રનો સહારો લીધો!
(3) પરંતુ સહજાનંદ સ્વામીની હયાતીમાં જે વહીવટ કરનારા સાથીઓ હતા
તેમાંના ચાવીરૂપ દિક્ષા લીધેલા અનુયાયીઓએ તેમની સામે જ પોતાનો અલગ

ચોકો -પંથ કે સંપ્રદાય સ્થાપવા બળવો કર્યાના પુરાવા છે. તે બધાને ખબર પડી ગઈ
હતી કે કેવી રીતે સંપ્રદાય પોતાની સંપત્તિ પ્રાપ્ત કરવાની સરળ સીડી છે.
(4) તેમાં હરબાઈ,વાલબાઈ,ચૂડાવાળા હરિશંકર,જૂનાગઢના ભગવતપ્રસાદ
અને ભાદરણના પુરુષોત્તમદાસ વિ. બળવો કરનાર સામે સહજાનંદ સ્વામિ
બહિર્મુખ કે વિમુખ (પોતાના સંપ્રદાયમાંથી કાઢી મુકવામાં) કરવામાં સફળ થયા
હતા.પાનું -12-13.
(5) "જે બહિર્મુખ કે વિમુખ થયા છે તેમણે પોતાની વિમુખી વ્યવસ્થા કરી
લીધી છે." તેમના મંદિર જુદા, ઈષ્ટદેવ જુદા, મૂર્તિઓ જુદી, પ્રાપ્ત ધામ જુદુ,
જ્ઞાન જુદું, ભક્તિ જુદી, શાસ્ત્રો જુદા, આચાર્ય જુદા,
દિક્ષાવિધિ જુદી, સમૈયાં જુદા,ધર્માદાનું નામ જુદુ, મિલ્કત જુદી, વહીવટ જુદો,
આશ્રિતો જુદા,રહેણીકરણી જુદી.સહજાનંદ સંપ્રદાયના શ્રીજીસ્થાપિત્ત સર્વ અંગો
સામે નિંદાભરી લાંબી બાકરી બાંધ્યા જાય છે.
(6) એક તરફથી સંપ્રદાયના આશ્રિત સાધુસંત્સગી કહેવડાવવાની ઉગ્ર ઉત્કંઠા
રખાય છેઅને બીજી તરફ સંપ્રદાયના સર્વ અંગો સાથે કોર્ટ સુધીના લાંબા ઝઘડાની
ઝુંબેશ ઉઠાવાય છે.આ વસ્તુઓ બંડ મંડળમાં વધારે પડતી વિરુદ્ધ છે.સંપ્રદાય
સામે જાણે સંપ્રદાય બહારવટે નીકળયા હોય એવી સઘળી પ્રવૃત્તિ ધાંધલવાળી છે.
આ વિમુખ મંડળીએ ભોળા સંસત્સંગીઓને અવળો બોધ આપી પોતાના ખાસ
અનુયાયી બનાવ્યા. આવા અનુયાયીઓને ઉશ્કેરીને સંપ્રદાયના મંદિરોમાં કે જેમાં
વિમુખોને ઉતરવાનો/ રહેવાનો બિલકુલ હક્ક નથી,
તેમાં પેસી જતા હતા. તેમ નહીં કરવાની સાચી સમજણ આપવા છતાં તે વાત
નહીં માનવાથી તેમની ઉપર ફોજદારી વગેરે કોર્ટ કેસ કરી તેમનો પ્રવેશ અટકાવેલ.
વિમુખોને બોરસદ તાલકુાના ઇસણાવના ગામના મંદિરમાં ઘુસી જઈને વડતાળના
સાધઓુ સાથે કુટિલ કજિયામાં ઉતરેલ.મંદિરના ભંડાર કે પટારાને વાસેલા તાળાં
તોડવા સુધી પહોંચી ગયેલા છે. અંદરોઅંદર સમાધાનના પ્રયત્નો નિષ્ફ્ળ જતા,
છેવટે વડતાલના આચાર્યશ્રીને ન્યાયિક કોર્ટનો આશ્રય લેવો પડયો. પાનું-15.
(7) સ્વામિનારાયણ સંપ્રદાયમાં આટલા બધા વિચારભેદ/ સિદ્ધાંતભેદ ઊભા
થયા છે કે સંસત્સંગીઓને પોતાના સપ્રંદાયનું તત્વજ્ઞાન સમજાતું નથી ! મંદિરમાં
રહેવા / મંદિરના ભંડારા કે પટારા ને વાસેલા તાળાં તોડવા સુધી મામલો પહોંચ્યો

અને તે માટે ન્યાય માંગવા બોરસદની કોર્ટમાં જવું પડે? તે 'સવોપરી ભગવાન'ને
શોભે ખરું? પાનું -17-18.
(8) થોડાક પ્રશ્નો-(અ ) ઇસણાવ ગામના મંદિરમાં વિમુખ -વિદ્રોહી માટે
પ્રવેશબંધી કરવા કોર્ટ સમક્ષ દાવો કરવો પડે! એકજ સંપ્રદાયના બે ફાંટા પડવાનું
કારણ ધર્મ વિચાર કે મિલ્કત? (બ) સંપ્રદાયમાં આંતરિક ઝઘડા થાય તો કેમ
સહજાનંદ સ્વામી કે સવોપરી ભગવાન અટકાવી ન શકે? જો ન અટકાવી શકેતો
તે'સવોપરીનો ઢોંગ' કરે છે, એવું ન કહી શકાય?(ક) BAPS-બોચાસણ વાસી
અક્ષરપુરષોત્તમ સંસ્થાએ હરીફ મંદિરો બનાવવાના બદલે મુળ સંપ્રદાયના મંદિરોમાં
રહી શકે, ઉપદેશ આપી શકે તે માટે કોર્ટનો આશરો કેમ લીધો નહીં? હરીફ મંદિરો
બનાવવાથી સમાજને શું ફાયદો થયો? (ડ)સહજાનંદજીએ કેમ પોતાના
ભત્રીજાઓને જ પોતાના સંપ્રદાયના વહીવટ કરવા માટે પસંદ કર્યા? ગુજરાતમાંથી
કોઈ બે ને આચાર્યો ન બનાવી શકાય? કે પછી " ભુવો ધૂણે ખરો પણ
નાળીયેરતો છેવટે ઘર ભણીજ નાંખે!" પાનું -22.
(9) બોરસદ ની દીવાની કોર્ટે વડતાલની ગાદીની તરફેણમાં ચૂકાદો (BAPS
ની વિરુધ્ધમાં )આપીને ઇસણાવ ગામના મંદિરનો કબ્જો તેમને સોપી દીધો.
—----------------------------------------------------------------------------
લેખ -4
બીજા હિંદુ દેવ દેવતા કરતાં સહજાનંદ સ્વામી (શ્રીજી મહારાજ
)સર્વોપરી,સર્વસત્તાધીશ, જગત નિયંતા છે.
(1) વડતાળ ગાદીનો સિદ્ધાંત એવો છે કે સહજાનંદજી / શ્રીજીમહારાજ
કૃષ્ણનો અવતાર હતા. જ્યારે પ્રતિવાદી BAPSનું કહેવું છે કે 'શ્રીજીમહારાજ
કૃષ્ણથી પર હતા! તેનાથી જુદા હતા. શ્રીજીમહારાજ કૃષ્ણથી ઉંચી કોટીના છે.
શ્રીજીમહારાજ અવતારના અવતારી હતા.' પાનું -57.
(2) વળી સહજાનંદજીની આજ્ઞા હોવાથી રામ-કૃષ્ણને વગેરેને પગેલાગવું પડે
નહીં તો તે પગે લાગવા લાયક જ નથી એમ ઠરાવવા પાછળ પાપાશય નથી? રામ-
કૃષ્ણની નિંદા કરીને સવોપરી ભગવાનની ઈમેજ ઊભી કરવી તે પાખાંડ નથી?
પાનું -92.

(3) શું લોકોને મૂર્ખ બનાવવાની આ યુક્તિ નથી? રામ કૃષ્ણ વગેરેને ભગવાન
કહેતાં પણ ભડકે તેસાધને અવતારી સવોપરી ભગવાન કહેતાં આંચકો ખાતા નથી
! ભગવાનોનેઉતારી પાડીનેપોતાને તેમનાથી મોટા ઠરાવવાની આ ચાલબાજી નથી
?પાનું-94.
(4) શિક્ષાપત્રીમાં ખદુ સહજાનંદજીએ પોતાના ઈષ્ટદેવ કૃષ્ણ છે, તેવું
શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં જ લખયું છે, છતાં દિલ્હીના અક્ષરધામમાં
સહજાનંદજીની મૂર્તિ કરતાં કૃષ્ણની મૂર્તિ 10ગણી નાની મૂકી છે. પાનું-97.
(5) બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે 5-એપ્રિલ 2023ના રોજ, સાળંગપુર
હનુમાનજી વિશાળ મૂર્તિ મંદિરના પરિસરમાં 30,000 કિલો વજનની મૂર્તિનું
અનાવરણ ગૃહમંત્રી અમિત શાહે કર્યું .આ મૂર્તિ નીચે ભીંતચિત્રોની પેનલ છે; તેમાં
હનુમાનજી સ્વામિનારાયણ સંત સહજાનંદજીની આગળ હાથ જોડી ઊભા હોય તે
રીતે બતાવેલ છે.સનાતન ધર્મીઓએ વિરોધ કરતા તે બધા ભીંત ચિત્રો દૂર કર્યા
છે.પાનું-111.
(6) સ્વામીનારાયણ સપ્રંદાયનું સાહિત્ય જ જૂઠ/ ગપ્પા / પરચાથી ભરેલું છે !
બ્રહ્મા/ વિષ્ણુ /મહેશ / કૃષ્ણ /લક્ષ્મીજી/ પાર્વતીજી વગેરે દેવ-દેવીઓ
સહજાનંદજીના ચાકર હોય તે રીતે તેમના સાહિત્યમાં લખ્યું છે.
(7) થોડાં ઉદાહરણો :
(અ) બાળ સહજાનંદજીએ બ્રહ્માનો ગર્વ ઊતારીને તેમની પાસે માફી મંગાવી હતી
! [બાળચરિત્ર, પેજ-110 પ્રકાશક : શ્રી સ્વામીનારાયણ મંદિર, ભજુ -કચ્છ]
(બ) ખુદ લક્ષ્મીજી બાળસહજાનંદજીને પગે લાગી કાઠિયાવાડ આવવાનું આમત્રણ
આપેલ ! [બાળચરિત્ર, પેજ-51]
(ક) બ્રહ્મા/ વિષ્ણુ /શિવ બાળ ઘનશ્યામ મહારાજને નવડાવતા હતા !
[બાળચરિત્ર, પેજ-53]
(ડ)ઘનશ્યામ મહારાજની જળ ક્રીડા જોવા ઈન્દ્ર/ બ્રહ્મા / શિવ આવતા હતા
અનેતેમની સ્તુતિ કરતા હતા ! [શ્રી હરિલીલામૃત પેજ-267] ! પાનું-112.

--