Sunday, December 31, 2023

હૈ મારા રામ લલ્લા ! મારા દેશના લોકો તો મને ઓળખે છે હવે તમે પણ મને ઓળખી લો!

હૈ  મારા રામ લલ્લા ! મારા દેશના લોકો તો  મને ઓળખે છે  હવે તમે પણ  મને ઓળખી લો!
 મારે તમારી જરૂરિયાત ક્યાં સુધી છે? જુઓ.
સૌ પ્રથમ અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ " મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ (AYJ) રાખ્યું  હતું. સરકારે આ સંદર્ભમાં રજીસ્ટ્રેશન માટેની જીનીવા વૈશ્વિક સંસ્થા પાસે  નોંધણી  કરાવી  AYJ કોડ મેળવેલ છે. જેવી રીતે દિલ્હીનો કોડ DEL, Bombay-BOM, Ahmedabad-AMD વી. હવે આ કોડ વૈશ્વિક કમ્પ્યુટર સિસ્ટમ પર આવી ગયો. આપણે AYJ લખીએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી જ જાય.
 સાહેબને ખબર પડી કે 24x 7 ચૂંટણી મૂડમાં મગજ રોકાયેલું હોવાથી મોડી ક્લિક થઈ અને " મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ " ને  બદલે " મહર્ષિ વાલ્મિક ઇન્ટરનેશનલ એરપોર્ટ " રાખવાનું જાહેર કરી દીધું. પણ AYJ વૈશ્વિક નોંધણી માં કોઈ ફેરફાર હવે અશક્ય છે. AYJ ઇન્ટરનેશનલ કોડ જાહેર થી ગયો . જેના  બે ફોટા મેં નીચે રજૂ કર્યા છે.
 શ્રી રામ ક્ષત્રિય અને વાલ્મિકી આદિવાસી. દેશના 10 રાજ્યોમાં આદિવાસી નિર્ણાયક મતદાતાઓ છે. હવે શું થાય?ગુજરાતના ક્ષત્રિય રાજા પાટણના સિદ્ધરાજે "ગુજરાતના નાથ બનવાને બદલે  પાટણના રાજાધીરજ તરીકે ચાલુ રહેવાનું પસંદ કર્યું  હતું." અહિયાં તો ત્રીજીવાર દેશના એક માત્ર સર્વેસર્વા નાથ બનવા મેદાને પડેલા સાહેબને  પેલા દસ રાજ્યોના "વાલ્મિકી સમાજ" ને હવે " મહર્ષિ વાલ્મિક ઇન્ટરનેશનલ એરપોર્ટ "ની લોલિપ્પ નહીં મળે તો પેલો "દિલ્હીના નાથનો "પટ્ટો રિન્યુ કરવા -કરાવવામાં  તે સમાજની આગામી ચૂંટણીમાં મદદ મળશે કે કેમ?... એ તો ભાઈ !રામ જાણે!
     

--