Sunday, January 14, 2024

હૈ! 140 કરોડ દેશવાસીઓ!21મી સદીમાં તમને ખબર છે ખરી કે “આપણા મોદી સાહેબ”


હૈ! 140 કરોડ દેશવાસીઓ!21મી સદીમાં તમને ખબર છે ખરી કે    "આપણા મોદી સાહેબ"
ને જ ભગવાને રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા પસંદ કરી દીધા છે.માટે બીજા કોઈની જરૂર નથી. ગઈ કાલે સાહેબે રેડિયો સંદેશમાં જણાવી દીધું છે કે"મહાપુરુષો અને તપસ્વી આત્માઓએ  કહ્યું છે કે જેના હાથે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવવાની હોય તેને તે કરતાં પહેલાં "તેનામાં દૈવી ચેતના જાગૃત કરવી પડે! તે પ્રાપ્ત કરવા શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે કઠોર વ્રત અને નિયમો પાલન કરવા પડે. હું રેડિયો પર થી જાહેર કરું છું  કે" મેં નરેન્દ દામોદરદાસ મોદીએ " આજથી 11 દિવસ સુધી તે પ્રમાણે વ્રત-નિયમો શરૂ કરી દીધા છે. આ ઇશ્વરી સંદેશો મારા સિવાય બીજા કોઈ પવિત્ર ભારતીયને  મળી શકે જ નહીં. તેની નોંધ લેવી. કારણ કે હું સાલ  2002થી ઈશ્વરનો ખાસ પસંદ કરેલો માણસ છું .
મોદીજી,
રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને બહાને, હિંદુ મતના ધ્રુવીકરણ માટે
આવા બધા અવૈજ્ઞાનિક,સદબુદ્ધિ વિવેકહીન અને અંધશ્રદ્ધા ને પોષનારા વલણો સંપૂર્ણ અયોગ્ય છે,નિંદનીય છે. નવી પેઢી માટે આ દેશના વડાપ્રધાનને ટીવી પર 11 દિવસ સુધી મંજીરા વગાડતો જોવો એ ખુબજ આધાતજનક અને વિશ્વ સમક્ષ અમને શરમજનક લાગે છે .
વિશ્વના 200 દેશોમાંથી એક વડોપ્રધાન કે પ્રમુખ બતાવો કે જે દિવ્ય ચેતના ( બિલકુલ સત્યહીન અને જુઠ્ઠી )પ્રાપ્ત કરવા આવા બધા ધંધા દેશ સમક્ષ કરતો હોય! રાજકીય સત્તાની ભૂખ,ખેવના આટલી નિમ્ન કક્ષાએ પહોંચાડી દેશે  એવી અપેક્ષા અમે, નાગરિકો તરીકે  તમારી  પાસેથી ક્યારેય રાખી ન હતી.
  તમારા કયા કયા મહાત્માઓ અને તપસ્વીઓ છે તેના નામો આપો? અમે જાણવા માંગીએ છીએ? તમારા જેવા અમારા પ્રશ્નો  બહુ મોટા નથી  પણ  80 કે 90 કરોડ લોકોને ગૌરવ હીન પાંચ કિલો અનાજ તમારી મહેરબાની થી લેવાની લાઈન માંથી મુક્તિ અપાવે! તેવી વિધિ કરવાનું  અમને શીખવાડે! આપ સાહેબને દેશની પ્રજાએ પોતાની રોટી, કપડાં અને મકાન, બેરોજગારી, મોંઘવારી વી, સમસ્યાઓ ઉકેલવા  દિલ્હીની ગાદીપર આપણે 10 વર્ષથી મોકલેલા છે નહી કે 11 દિવસ મંજીરા વગાડવા !
બધા માણસોને બધા સમય માટે મોદીજી, મૂર્ખ બનાવી શકાતા નથી.
આપનું હિન્દીમાં રેડિયો પરનું પ્રવચન અને તેનો અંગ્રેજી તરજુમો પણ અહિયાં  રજૂ કરેલ છે.  
महापुरुषों और तपस्वी आत्मा ने जैसा हमारे शास्त्रों में  भी
कहा  गया है ,हमें ईश्वर के यज्ञ  के लिए, आराधना के लिए,स्वयं में भी देवी चेतना जागृत करनी होती है | इसके के लिए  शास्त्रों में
व्रत और कठोर नियम बताये गये है  जिन्हें  प्राण  प्रतिष्ठा के पहले  पालन करना होता है |
इसलिए आध्यात्मिक यात्रा की पहले कुछ तपस्वी  आत्मा आओ  और महापुरुषों से मुझे जो मार्गदर्शन मिला है, उन्होंने जो  यम-नियम  सुझाए है  उसके अनुसार  मै आज से  ग्यारह दिन का विशेष अनुष्ठान आरंभ  कर रहा हूँ |  " वडाप्रधान  मोदीजीका  रेडियो सन्देश "      
" Modi began the special 11-day exercise on Friday,as he spoke about 'experiencing feelings like never before in his life'. He also said that 'God has chosen him as an instrument to represent all Indians during the 'pran Pratishtha's exercise.( સૌ Ind Exp 13-01-24)
    
--