Wednesday, January 3, 2024

ઓ ચાર્લ્સ ડાર્વિન !

ઓ  ચાર્લ્સ ડાર્વિન !

 તને ખબર છે ખરી કે તારા જૈવિક ઉત્ક્રાતિવાદના સત્યો એ 

અમારા રામાયણના સર્જક ગોસ્વામી તુલસીદાસ અને હવે મહર્ષિ વાલ્મિકીજીની  પેલી દંતકથા આધારિત સત્યોની દુકાન કાયમ માટે બંધ કરી દીધી.

  1. દંતકથા - પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાથી "રામ, લક્ષમણ,ભરત અને શત્રુજ્ઞ " જે તે માતાઓની કુખે થી જન્મી  શકે છે!

  2. દંતકથા - એક જમાનાના ભારત વર્ષમાં જનકરાજાના રાજ્યમાં બાળકી( દીકરી)ખેતરમાં ખેડૂત હળથી જમીન ખેડતાં પડેલા ચાસમાંથી સીતા-માતા જન્મી  હતી.

  3. આવા ચાસમાંથી જન્મેલી પરાક્રમી સીતાજીએ કોઈ કારણોસર અયોધ્યાના રાજાના પાટવી કુંવર મર્યાદા પુરુષોત્તમ રામજીને રાવણને બદલે પસંદ કરીને "રામાયણ નહીં પણ ખરેખર સીતાહરણ "નું સર્જેન પેલા આદરણીય ગોસ્વામીજી તુલસીદાસજી અને આદરણીય મહર્ષિ

 વાલ્મિકીજીની કલમોએ કર્યું.

  1. રાજા રામે પોતાના રામરાજ્યમાં ઘણા બધાનો ઉદ્ધાર કે મોક્ષ કર્યો હતો.

  2. સને 2024માં હસ્તિનાપુરના " રામ ભક્તોની " રામભક્તિ ફળીભૂત થશે કે નહીં? આજના" બાબરી દ્વંસ "ના પાયાપર બનેલા "રામમંદિર " માં બિરાજમાન ભગવાન રામજીની કૃપા હજો . 22મી જાન્યુઆરીના દિવસે "અમારા આજના હસ્તિનાપુરના સાહેબો પર રામજીની કૃપા  વર્ષે માટે દેશનો દરેક પ્રજાજન રામજીને પ્રાર્થના કરે અને  કરાવે."  .

—-----------------------------------------------------------

     



--