Friday, January 5, 2024

અયોધ્યાના રામથી સાવધાન -


અયોધ્યાના રામથી સાવધાન -

અયોધ્યાના રામથી  સાવધાન અને તેના બની બેઠેલા દંભી પૂજારી નરેન્દ્ર દામોદરદાસ મોદી થી પણ સાવધાન !

  1. અયોધ્યાના રામે સીતાને શું આપ્યું? દશરથ રાજાના બહુપત્નીત્વ ના ષડયંત્રો અને કાવાદાવાને કારણે પોતાના પતિના 14વર્ષના  વનવાસની સજા ભોગવી.અને તે જ રામે સીતાજીને પોતાની પ્રસુતાની વેદનાના આખરી દિવસોમાં કાયમ માટે  કોઈ ઋષિ ના આશ્રમમાં મોકલી દીધી.આ કહેવાતા મર્યાદા પુરષોત્તમ રામે પોતાના બાળકો ને "લવ-કુશ "ને બીજા કોઈ ભગવાન ભરોસે મોટા કરવા છોડી દીધા!

  2. પેલા દંભી રામ પુજારીને પૂછો તો ખરા કે ભાઈ ! તે  "જશોદાબેન" સાથે પત્ની તરીકે સ્વીકારવા હિન્દૂ લગ્નવિધિના "સપ્તપદીના સાત ફેરા" ફર્યા હતા ખરા? પછી તેઓને આ દેશની કઈ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છૂટાછેડા લીધા હતા? અમારા દેશનો આ બની બેઠેલો  રામભક્ત "યુગપુરુષ " કોઈની સાથે "લીવી ઈન"માં રહેતો નથી તે હકીકત તો દેશની 140 કરોડ જનતાને પ્રામાણિક રીતે ખબર જ છે ને!

  3. અયોધ્યાના રામરાજ્યમાં સ્ત્રી,દલિત અને આદિવાસીને જ્ઞાન -તપ  કરવાનો અધિકાર ન હતો. શંબૂક નામના આદિવાસી જંગલમાં જ્ઞાન -તપ-ની ઉપાસના  કરતો હતો . રામરાજ્યના ન્યાય મુજબ ફક્ત તેના કાનમાં ધગધતુ ઉકાળેલું સીસું  નાખવા ની સજા નો ઉલ્લેખ બન્ને

(તુલસીકૃત અને વાલ્મિકી) રામાયણમાં  છે.

  1. ढोल, गंवार, शूद्र, पशु और नारी दंड (ताड़न )के अधिकारी, - गोस्वामी तुलसीदासना रामराज्य की दंडसंहिता- चोपाई . પછી મર્યાદા પુરુષના રામરાજ્યમાં પ્રસૂતાના આખરી દિવસોમાં " સીતામાતા" નું સ્થાન જંગલના આશ્રમમાં જ હોય ને  ! આપણા જશોદાબેન ને પૂછો કે દિલ્હીમાં  બિરાજમાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના મહેલનું સરનામું ખબર છે ખરી ?

  2. દેશના  નાગરિકો આપણે નીચે  મુજબની સ્થિતિમાં  શું પસંદ કરીશું?

  3. કુટુંબના સભ્યને તાત્કાલિક પગમાં ચોટ લાગી છે? ક્યાં લઈ જશો? દવાખાને કે મંદિરે?

  4. તમારા -મારા બાળકને  ભણાવવું છે ? ક્યાં  લઈ જશો? નિશાળે કે મંદિરમાં?

  5.  તમારા  જુવાન જોધ શિક્ષિત ભણેલા ગણેલા દીકરા કે દીકરી જે દેશના 22 કરોડ બેકારીનો ફોજનો સભ્ય પેલા મોદીના રામરાજ્યમાં (સને 2014 થી 2023 સુધી) બન્યો છે  તેને ઉદ્યોગમાં સર્વિસ પર મોકલવો  છે  કે મંદિરમાં?

  6. મારા દેશવાસીઓ!  મારી -તમારી અંગત જે કોઈ ધાર્મિક કે ઈશ્વરમાં આસ્થા હોય, તે માન્યતા પ્રમાણે જીવન જીવવાની અબાધિત સ્વતંત્રતાનું રક્ષણ કરવાની બંધારણે બક્ષેલું મહામૂલ્ય નજરાણું છે.જેના નાગરિક તરીકે સંરક્ષણ  કરવાની  આપણી વ્યક્તીગત અને સામુહિક જવાબદારી છે. 

  7.  પણ દશ વર્ષનો  વહીવટ જોયા પછી પોતાના સુકાર્યો ને  બદલે " રામજી મેરી નૈયા પાર લે જાના " જપ જપ જપવામાં 24x 7 મદહોશ  બની ગયેલ થી સાવધાન ,સતેજ બની  મારી તમારી વિવેક-સદ્ -બુદ્ધિ નો ઉપયોગ કરીને  તેને સહકાર આપવાનો વિચાર 100 વાર કરજો.

  8. આ બધા તો  ગમે ત્યારે પોતાનો ઝોલો લઈને  દેશને બરબાદ કરીને  નીકળી પડશે. મારે અને તમારે તો આપણા લોહી પસીનાથી સિંચીને મોટી થતી આવતી કાલની પેઢીની ચિંતા કરવાની છે કે નહીં?

  9.  તમને ખબર છે ખરી  કે આ સાહેબની સલામતી પાછળ રોજના 6 કરોડ રૂપિયા મારા તમારા કરવેરાની આવકમાંથી જાય છે. અને કેન્દ્ર સરકારના  દરેક  ખાતા  જેવા કે રેલવે, નાણાં ,આરોગ્ય, ઉધોગ વી કુલ 76 ડિપાર્ટમરન્ટમાંથી આરટીઆઈ માહિતી પ્રમાણે 25000 કરોડ રુપિયા ફક્ત સાહેબ સિવાય કોઈ મંત્રાલયના પ્રધાનનો પણ ફોટો આવે નહીં તે શરતે છેલ્લા પાંચ વર્ષો માં વાપરી  કાઢ્યા છે. બીજેપી સંચાલિત  ગુજરાત જેવા રાજ્યોનો  સાહેબની જાહેરાતો પાછળનું   "મૂડીરોકાણ"  કેન્દ્રના  મૂડીરોકણમાં' ગણવામાં આવેલ નથી.

  10.  હજુ તો "સાહેબનું " રામરાજ્ય હવે પછી  પણ મારા તમારા સહકારથી 2024 માં આવશે!      

 

     


--