Monday, July 1, 2024

ઇંગ્લેન્ડની પ્રજામાં નીચે મુજબની અંધ્ધશ્રદ્ધાઓ પ્રવર્તમાન હતી.

 ઇંગ્લેન્ડની પ્રજામાં નીચે મુજબની અંધ્ધશ્રદ્ધાઓ પ્રવર્તમાન હતી.

સને 1601ની (આશરે 425 વર્ષ પહેલાં )સાલમાં ઇંગ્લેન્ડની પ્રજામાં નીચે મુજબની અંધ્ધશ્રદ્ધાઓ પ્રવર્તમાન હતી.
જે સ્ત્રીમાં ભૂતપ્રવેશ કરેલ હોય તે દરિયામાં તોફાન પેદા કરીને સ્ટીમરને ડુબાડી શકે!
સુકાઘાસના ઢગલાંમાંથી ઉંદર પેદા થાય છે.
પ્રજાને જાદુગરોમાં દૈવી ચમ્ત્કાર કરવાની શક્તિ હોય છે.
 વનસ્પતિ અને ફૂલોના જુદા જુદા રન્ગોમાં માનવીના જુદા જુદા રોગો દૂર કરવાની તાકાત ઈશ્વરે મુકેલી છે.
તેનામાં શ્રદ્ધા હતી કે બીજી ધાતુઓમાંથી સોનુ બનાવી શકાય છે.
મેઘધનુષ્ય દેવ સર્જિત છે.
ખરતો તારો અશુભની નિશાની છે.
માણસને પોતાના કે અન્યના સ્વપ્નનોનું અર્થઘટન કરતાં આવડે તો તે ભવિષ્યમાં બનવાની ઘટનાનો સંકેત સમજી શકે છે.
પૃથ્વી સ્થિર છે. સૂર્ય અને તારાઓ પૃથ્વીની આસપાસ ફરે છે.
તે  જમાનામાં માનવીની ( મોટાભાગના સમાજના લોકોની) શ્રદ્ધા હતી કે તેની રોજબરોજની જિંદગીમાં બનતા બનાવો કોઈ અલોંકિક કે ઈશ્વરી શક્તિ નિયંત્રિત છે.
  (સૌજન્ય -Enlightenment Now-page-9.)
ફેસબુકના વાંચક માટે ખાસ નોંધ- સને 2024માં આપણા દેશમાં ઉપર દસમાંથી કેટલી અંધશ્રદ્ધાઓ ચાલુ છે તેના જવાબ આપવાના છે.  અમારી 22મીસદીમાં ઉપરના પ્રશ્નો ને આધારે લેનારીની નીટની પરીક્ષામાં ઓછામાં ઓછા 90% માર્ક્સ લાવવા ફ્રજીયાત છે.પરીક્ષાર્થી માટે ગાંધીવાદી સત્યના પ્રયોગોનો આધાર રાખવો અયોગ્ય કે ગેરલાયકાત ગણાશે તેની ખાસ નોંધ લેવી..  


--