Friday, March 17, 2023

--રાહુલ ગાંધીની કેમ્બ્રીજ યુનીર્વસીટી તથા અન્ય સ્થળો પર ભારતીય લોકશાહી પર રજુકરેલા વિચારો



--રાહુલ ગાંધીની કેમ્બ્રીજ યુનીર્વસીટી તથા અન્ય સ્થળો પર ભારતીય લોકશાહી પર રજુ કરેલા વિચારો- જે તે ભાવાનુવાદ કરીને ટુંકમાં પસંદ કરીને. ભાગ–૧.

      Rahul Gandhi educational qualification- Rollins College (Bachelor of Arts) Trinity College,    Cambridge (Master of Philosophy 1995.)

(1)   એક સમયના વિધ્યાર્થી તરીકે મને મારી આ વિધ્યાદેવીના મંદિરમાં આવવાનો રોમાંચ અવર્ણીનય છે. મને કેમ્બ્રીજે ઘડયો છે, બનાવ્યો છે, તમારી માફક હું આ સ્ટેજ સામેની પેલી બેંચ પર એક સમય વિધ્યાર્થી તરીકે બેસતો હતો. અને મહાનુભાવોને સાંભળતો હતો.

(2)   હું તમારા બધાની સમક્ષ ભારત અંગે ને ખાસ કરીને ' ભારત જોડો' બાબતે વાત કરીશ.જેમાં હું એક વ્યક્તિ તરીકે સાંભળનાર ને બદલે હજારો નહી પણ લાખો લોકોની વાતો અને રજુઆતોને સાંભળનારા તરીકે મારી વિચારો રજુ કરીશ.આ ઉપરાંત પૃથ્વીને એક ગ્રહ તરીકે સમજીને અમેરીકન અને ચીનની એમ બે ભિન્ન વિચારસરણીઓને આધારે વૈશ્વીક સમસ્યાઓ અને તેના ઉકેલ પર હું મારા વિચારો રજુ કરીશ.

(3)   એ સમાચારોથી તમે બધા સારી રીતે પરિચયમાં છો કે ભારતીય લોકશાહી તેના વર્તમાન સમયમાં ખુબજ દબાણ હેઠળ પસાર થઇ રહી છે.તેના મુળભુત મુલ્યો પર સતત કઠુરાઘાત થઇ રહ્યો છે. પછી શ્રોતાઓને એક સ્લાઇડ સ્કીન બતાવવામાં આવે છે. જેમાં જુદા જુદા દેશ–પરદેશના દૈનિક પેપરોના મુખ્ય સમાચારોના મથાળાની ક્લિપ્સમાં નીચે મુજબ બતાવવામાં આવે છે. દા.ત.(A) T Of I-" Attacks on Muslims since Mohmmed Akhlaq's lunching- A time line, (B) News-'Electoral autocracy': The downgrading of India's democracy,(C )Time- Bulldozers have razed my house (D) The Indian express-Explained- What are unparliamentarily words unfit for the house--& how they are compiled? (E) Blatant Censorship- Press Club complains of restrictions on media in Parliament-  વિગતે ફોટાઓ અત્રે લેખના અંતમાં મુકવામાં આવ્યો છે.

(4)   હું વિરોધ પક્ષના નેતા તરીકે સુકાન સંભાળુ છું. આપણા દેશમાં લોકશાહીના આધારસ્તંભની સંસ્થાઓ છે. દા:ત સંસદ, ન્યાયતંત્ર, અખબારી સ્વાતંત્ર્ય રજુ કરતા મીડીયા અને પ્રેસ વિ. જે તેના અવાજને કેવી રીતે દબાવી દેવામાં આવે છે તેને પ્રજા સમક્ષ રજુ કરવાનો સતત કરીએ છીએ. પણ અમારા પ્રયત્નોને સંસદની અંદર અને બહાર બિનઅસરકારક બનાવી દેવામાં આવે છે." Our basic structures of democracy is attacked constantly." ભારત એક જુદા જુદા રાજ્યોનો બનેલો દેશ છે( It is the union of states). જુદી જુદી ભાષા,પહેરવેશ અને સાંસ્કૃતિક ભિન્નતા ધરાવતો લગભગ ભૌગોલીક રીતે સમગ્ર યુરોપ જેટલો મોટો મારો દેશ છે. દેશનું સદર સમવાય માળખું એક પક્ષીય રાજકીયસત્તાના કેન્દ્રીકરણથી જોખમમાં મુકાઇ ગયું છે. રાજ્યો અને કેન્દ્ર સાથેનો સંબંધ એકતરફી ઉપરથી નીચે અમલ કરવા– કરાવવા માટે થાય છે. સંસદ બહાર શાંતિમય માર્ગે વિરોધ કરતા વિરોધ પક્ષના નેતાઓને ત્રણેએક વાર જેલમાં પુરી દેવામાં આવ્યા છે. પ્રેસની આઝાદીને છીનવી લેવામાં આવી છે.

(5)   "  The Indian democracy is a public good. It is the biggest democracy in the world. The preserving and strengthening of Indian democracy are not just about India. But it is actually preserving and strengthening of democracy on the planet."

(6)   ભારતની લોકશાહી ખતરમાં છે તેનો અર્થ શું? તેના કયા કયા એવા લક્ષણો છે કે જેને આધારે રાહુલ ગાંધી દલીલ કરે છે કે દેશની લોકશાહીને માટે ખતરો છે? જવાબ– એક, અખબારી મીડીયા અને ન્યાયતંત્ર પર સંપુર્ણ કાબુ અને નિયંત્રણ કરવાના તમામ જાતના પ્રયત્નો– બે,રાજકીય વિરોધીઓ પર જાસુસી, ધાકધમકી અને ઇડી, ઇન્કમટેક્ષ અને સીડી વિ સંસ્થાઓનો સત્તા પક્ષ દ્રારા બે લગામ કિન્નાખોરીપુર્વકનો ઉપયોગ–ત્રણ,આદીવાસી, દલીતો અને લઘુમતીઓ પરના સુઆયોજીત હુમલાઓ– ચાર, સત્તા પક્ષ સામેના તમામ વિરોધી અવાજને કચડી નાખવો. જે હકીકત રાહુલ ગાંધીએ સ્લાઇડમાં બતાવી છે. પ્રજાના પ્રશ્નો માટે પ્રજા સાથે સંવાદ અને સંપર્કના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

(7)   તો પછી લોકસંપર્કના કયા માધ્યમો શાંતીપ્રીય માર્ગે,અહીંસક સાધનો દ્રારા લોકશાહીમાં વિરોધપક્ષ અને તેના નેતાઓ પાસે બાકી રહે છે? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સને ૧૯૩૦માં આશરે ૪૫૦ કિલોમીટરની દાંડીયાત્રા પગે ચાલીને કરી હતી. જે દાંડીયાત્રાને કારણે બ્રીટીશ રાજ્ય સત્તાની કમ્મર જ તુટી ગઇ હતી. સદર યાત્રાનો સંદેશો આધ્યાત્મિક,રાજકીય જાહેર જીવન માટેનો હતો. પરંતુ યાત્રા કરનારા માટે તે એક તપસ્યા હતી. ગુમાન, અભિમાન ને હુંકારને બદલે સ્વત્યાગ( Annihilating one's self.)અને સમર્પણનો હતો. જ્યારે સત્તાશાળીઓએ બેલગામ બનીને ને લોકસંપર્કના તમામ અન્ય લોકશાહી માધ્યમો ક્રમશ: ખતમ કરી નાંખ્યા હોત ત્યારે ' नफरत के बाझर में महोबत की दुकान लेकर आया हुं | તે સિવાય કોઇ માર્ગ લોકસંપર્કનો બાકી ન હતો.

(8)    અમારી યાત્રા આશરે ૪૦૦૦ કીલો મીટર લાંબી,પાંચ માસ સુધીની,૧૪ રાજ્યોમાંથી નવ જુદી જુદી ભાષા બોલતી પ્રજા સાથે જીવંત સંપર્ક પેદા કરતી કન્યાકુમારીથી શરૂ કરીને કાશ્મીરમાં પુરી થઇ." We make a personal emotional bonding (affectionate connection) with the people when they left us from the Yatra." Yatra converted from political Yatra to personal emotional Yatra.

 

Second Part of Cambridge University speech- Related to USA & China.

(A)   અમેરીકાની સમૃધ્ધી લોકશાહી માર્ગે થઇ છે. મારા મત પ્રમાણે તે ખુબજ મહત્વની બાબત છે.તે એક સતત વસાહતીઓનો(The Nation of Immigrants)દેશ હોવાથી દેશના નાગરિકોમાં સ્વતંત્રતા એક જીવન મુલ્ય તરીકે અનિવાર્ય ભાગ બની ગયું છે. તમામ માર્ગે અમેરીકન નાગરિકો તે માનવ મુલ્યનું સંરક્ષણ કરે તેમ છે. તે દેશ એક ખુલ્લો સમાજ છે." It is an open society which welcomes people from all the corners of the world."

(B)   But monopoly of production and manufacturing of USA were defeated by China. It has equally become the super power. અમેરીકા જેટલા પ્રમાણમાં વ્યક્તિગત સ્વતંત્રતાને એક મુલ્ય તરીકે મહત્વ આપે છે તેટલા જ પ્રમાણમાં ચીન સંવાદિતા(Harmony)ને મહત્વ આપે છે. કારણકે ચીને પોતાના વિકાસના તબક્કા જેવા કે સાંસ્કૃતિક ક્રાંતી, લોંગ લેબર માર્ચ, કિસાન સંઘર્ષ વિ જેમાં સતત અંધાધુધી ને અરાજકતા ફેલાઇ ગઇ હતી. માટે ચીન સ્વતંત્રતાના મુલ્યને યુએસએ જેટલું મહત્વ આપતું નથી.મારા મત મુજબ ચીનના સામાન્ય નાગરીકના અભિપ્રાય પ્રમાણે પોતાના દેશનો વિકાસ તેની કુદરતી સાધન સંપત્તીના(Infra -structures) અસરકારક ઉપયોગ ને આભારી છે.અમેરીકા કુદરતી સાધન સંપત્તીને પોતાના હિતો સાધવાના એક સાધનથી વધારે મહત્વ આપતું નથી." For USA, nature is for the pursuit of life, liberty and happiness. That's all ". ચીન આધુનીક કોર્પોરેશનનો ઉપયોગ આર્થીક ઉપાર્જન માટે કરે છે પણ તેનું સંચાલન 'કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના' કરે છે. યુએસએમાં કોર્પોરેશનનું સંચાલન જેની પાસે ખાનગી મુડી છે તે કરે છે.

(C)   ભારત અને યુએસએમાં નાગરીકોની અપેક્ષા અને મીડિયાના વર્તન વચ્ચે ખુબ મોટી ખાઇ છે. બંને દેશોમાં આર્થીક અસમાનતા છે. આવક અને સંપત્તીનું મોટા પાયે કેન્દ્રીકરણ થયેલું છે. આપણા દેશમાં બીજીબાજુએ બેરોજગાર યુવાનોનો મોટા પહાડ જેટલો જથ્થો એકત્ર થયેલો છે. જેનાથી લાંબેગાળે સામાજીક અસ્થીરતા પેદા થવાનો ભય છે.

(D)  વીશ્વ એક હાઇપર કનેક્ટીવીટીનો ઉપયોગ કરનારો ગ્રહ બની ગયો છે. તેને કારણે તે સાધનનો દુર ઉપયોગ માનવજાતના સર્વનાશ તરફ પણ ઝડપથી  લઇ જઇ શકે તેમ છે.માટે તેવી વૃત્તી અને પ્રવૃત્તીઓને નિયંત્રણમાં તાત્કાલીક રાખે તેવી સંસ્થાઓનું સર્જન પણ માનવજાતની તાતી જરૂરીયાત છે.

(E)   આપણને ૨૧મીસદીમાં એવું વિશ્વ માન્ય નથી કે જેમાં લોકશાહી શાસન વ્યવસ્થા ટકી ન રહે કે વિકસે નહી!. બીજા શબ્દોમાં કહેવાય કે માનવ જાતનું અસ્તીત્વ લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થા પર સંપુર્ણ આધારીત છે. લોકશાહીએ નાગરીક સમાજનું જાહેર સુખાકારી માટેનું આભુષણ છે.( The democracy is a PUBLIC GOOD) લોકશાહીની અંદર પેદા થતા આર્થીક રાજકીય ને સામાજીક સંઘર્ષોથી જ તેનો નાશ થાય તેમ છે.આર્થીક અસમાનતાઓ અને બેકારોની ફોજ દ્રારા જે અરાજકતા પેદા થવાની પુરી સંભાવના છે.તે જ લોકશાહી જીવન પધ્ધતીનો સર્વનાશ કરી શકે તેમ છે.

(F)    આપણે લોકશાહી વ્યવ્સ્થામાં નવી આર્થીક સંપત્તી સર્જનની વ્યવસ્થા પેદા કરવી પડશે. જેમાં તેના સર્વનાશના બી–બિયારણો જ અસ્તિત્વ ધરાવતા ન હોય.મુડી અને શ્રમના ઉપયોગમાં એકરૂપતા, સંવાદિતા અને સમાન દરજજા આધારિત ઉત્પાદન પ્રક્રીયા હોવી જોઇએ. તેની ગેરહાજરીમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં જ તેના અસ્તિત્વ માટેનો જ ભય પેદા થઇ જશે. મારા મત મુજબ તેમાં આધુનિક હાયપર કનેક્ટીવીટી આધારીત ટેકનોલોજી આપણને મદદરૂપ થાય તેમ છે. તે  ટેકનોલોજીથી તમામ આધુનિક સંસ્થા સંચાલનના તંત્રોમાં લોકશાહી વિકેન્દ્રીત, લોકભાગદારીવાળી નિર્ણયપ્રથા વિકસી શકે તેમ છે.(Decentralize democratic participatory decision making process) મારા જેવા રાજકારણી માટે સારા સાંભળનાર બનવું, સારા નિરીક્ષક બનવું અને સતત ઉપર જણાવેલ દિશામાં મથ્યા કરવું તે જ ઉત્તમ ધ્યેય છે. શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે આપણે અહંમ ઇગો અને અહાંકારથી મુક્ત બનીને બીજાના મત કે વિચારને પણ મહત્વ આપતાં,સમજતાં તથા ગૌરવ આપવાનું શીખવાની જરૂર છે.

વધુ આવતા ભાગ–૨ માં