Thursday, August 25, 2016

નીરીઇશ્વરવાદી અથવા નાસ્તીકોનો બુધ્ધીઆંક (IQ) વધારે હોય છે.


 નીરીઇશ્વરવાદી અથવા નાસ્તીકોનો બુધ્ધીઆંક (IQ) વધારે હોય છે.

તેઓની બૌધ્ધીકતા ધર્મને અવૈજ્ઞાનીક અને ઇરેશનલ ગણીને સહેલાઇથી મનમાંથી કાઢી નાંખે છે. આ ક્ષેત્રમાં થયેલ સંશોધનો સાબીત કરે છે કે જેનો બુધ્ધી આંક વધારે  હોય છે તે ધાર્મીકતાને ત્યજી દેવામાં અગ્રેસર હોય છે. વીશ્વમાં અને મોટાભાગના અતીવીકસીત ઔધ્યોગીક દેશોમાં ખ્રીસ્તીધર્મીઓ કરતાં કોર્પોરેટ જગતમાં શ્રેષ્ઠ સ્થાન નીરીઇશ્વરવાદીઓનું હોય છે. આસ્તીકોની ધાર્મીકતા તેમની બૌધ્ધીકતાને મુક્તરીતે વીકસાવવામાં બાધક નીવડે છે. નાસ્તીકોની અધાર્મીકતા તેમના પર સ્વનીયંત્રણ અને આત્મવીશ્વાસ જેવા ગુણો વીકસાવે છે. જેથી પેલા ધાર્મીકોએ બતાવેલા  ધર્મના ફાયદાઓની તેઓને જરૂર જ પડતી નથી. નાસ્તીકોમાં આત્મસન્માન કે સ્વાભીમાન ( સેલ્ફ એસ્ટીમ) હોય છે જ્યારે આસ્તીકોનું સ્વાભીમાન (પરાવલંબન) ઇશ્વરને ત્યાં ગીરો( ગીરવી) મુકેલું હોય છે. નાસ્તીકોના સંબંધો એક બીજા માનવો પ્રત્યે સહાયકારક અને ટેકારૂપ હોય છે. જે રાષ્ટ્રવાદ, પ્રાદેશીકતા, વર્ણ, વર્ગ જેવા કોઇ અન્ય બંધનોથી જોજનો દુર હોય છે. જયારે આસ્તીકોના સંબંધો વર્ણ, જ્ઞાતી,જાતી અને ધર્મ કે સાંપ્રદાયીક ખ્યાલો અને વર્તનોની આસપાસ જ ગુંથાયેલા થઇ જાય છે.  

નવો પુરાવો–

સને ૧૯૨૮થી સને ૨૦૧૨ સુધીના સમયગાળામાં થયેલ ૬૩ વૈજ્ઞાનીક સંશોધનોમાંથી ૫૩ સંશોધનોએ એવું તારણ કાઢયું છે કે ' ધર્મ અને બૌધ્ધીકતાને આધારભુત નકારાત્મક સંબંધો છે' બાકીના દસ સંશોધનોએ એવું સાબીત કર્યુ હતું કે  તે બંને વચ્ચે હકારાત્મક સંબંધો પણ છે. આ સંશોધનોનું એવું તારણ હતું કે જેટલા બાળકો બૌધ્ધીક એટલા બાળકો ઝડપથી ચર્ચમાં જવાનું ટાળતાં શીખી જતા હતા.( They would shun the church). તે બધાનું આજ વલણ ઘડપણમાં બદલાતું નથી.

ધી યુનીવર્સિટી ઓફ રોચેસ્ટરના મનોવૈજ્ઞાનીકોએ (The University of Rochester psychologists) પોતાના સંશોધનોમાં ધર્મ અને બૌધ્ધીકતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. ધર્મ એટલે આસ્થા કે માન્યતા.બૌધ્ધીકતા એટલે વીવેકશક્તી, આયોજન, સ્વપ્રયત્નથી પ્રશ્ન ઉકેલવાની ક્ષમતા, અમુર્તરીતે વીચારવાની ક્ષમતા(think abstractly), ગુંચવાડા, કે અઘરા પ્રશ્નોને સરળતાથી સમજણપુર્વક રજુ કરવાની કાબેલીયાત,અનુભવમાંથી શીખવુ, અને ઝડપથી શીખવું. તે સંશોધકોનું તારણ હતું કે ' ધાર્મીક માન્યતાઓને વીવેકબુધ્ધીથી સમજાવી શકાય તેમ નથી.( Religious beliefs are irrational).તેને વીજ્ઞાનનો ટેકો કે આધાર ક્યારેય હોઇ શકે નહી. તે ધાર્મીક માન્યતાઓને તપાસી શકાતી હોતી નથી. તેથી ધાર્મીક માન્યતાઓ, બૌધ્ધીક અને ઉંચી સમજશક્તી ધરાવનાર લોકોને કોઇપણ હીસાબે આકર્ષી શક્તી નથી. કારણકે તે બધા ધાર્મીકો કરતાં વધુ સારૂ જાણતા હોય છે.( unappealing to intelligent people who 'know better').

 '

 

--